Book Title: Hastprat Vidya ane Agam Sahitya
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 157
________________ ૧૬. હસ્તપ્રતનું સાંસ્કૃતિક - શૈક્ષણિક મૂલ્ય અને કેટલીક હસ્તપ્રત-પાઠભેદ ચર્ચા : ‘ગુણરત્નાકરછંદ’ના સંદર્ભમાં ડૉ. કાન્તિભાઈ બી. શાહ આજથી લગભગ ૫૦૦ વર્ષ અગાઉ રચાયેલી, પણ હજી સુધી અપ્રગટ રહી ગયેલી, જૈન સાધુકવ સહજસુંદરની સ્થૂલિભદ્ર-કોશાના વિષયવસ્તુવાળી ૪૧૯ કડીની એક દીર્ઘ છંદસ્વરૂપી પઘરચના ‘ગુણરત્નાકરછંદ’ ના સંશોધન-સંપાદનનું કામ હાથ લીધું ત્યારે એ સમજ આવતી ગઈ કે હસ્તપ્રત સાથેની નિસબત સંશોધનની સ્વાધ્યાયની કેવી નવીનવી કેડીઓ ખોલી આપે છે, આપણી અજ્ઞતાના અંધકાર ઉપર નવો પ્રકાશ પાથરી આપે છે ને એ રીતે હસ્તપ્રત સ્વયં એનું સાંસ્કૃતિક-શૈક્ષણિક મૂલ્ય વધારી દે છે. આ સંદર્ભે કેટલીક વાત કરીને તે પછી કૃતિની મુખ્ય પ્રત-પસંદગી અને કૃતિની વિવિધ હસ્તપ્રતોના કેટલાક પાઠભેદો અંગે ચર્ચા કરવાનો ઉપક્રમ છે. ૧. કવિ સહજસુંદરે નાનીમોટી થઈને ૨૫ જેટલી કૃતિઓનું સર્જન કર્યું છે. કવિનું આ સાહિત્યસર્જન થયું ૧૬મી સદીમાં, પણ એમની ત્રણ નાની સઝાયો જેવી લઘુકૃતિઓને બાદ કરતાં છેક ૧૯૮૪ સુધી આ કવિનું કાંઈ જ સાહિત્ય પ્રગટ થયું નહોતું. છેક ૧૯૮૪-૮૫માં ડૉ. નિરંજના વોરાએ આ કવિની બે રાસકૃતિઓ ‘પ્રદેશી રાજાનો રાસ' અને ‘સૂડા સાહેલી રાસ' અનુક્રમે ‘ભાષાવિમર્શ’ના જુલાઈ-સપ્ટે.'૮૪ના અંકમાં અને ઓકટો-ડિસે.’૮૫ના અંકમાં સંપાદિત કરી પ્રગટ કર્યા. તે પછી ૧૯૮૯માં એ બે તથા અન્ય કેટલીક આ જ કવિની રાસકૃતિઓ, સ્તવન, સઝાય, ગીત આદિ કૃતિઓ ‘કવિ સહજસુંદરની રાસકૃતિઓ' એ નામે ગ્રંથસ્થ કરી, પણ આ કવિની સર્વોત્તમ કૃતિ ‘ગુણરત્નાકરછંદ’ તે અદ્યાપિપર્યંત અપ્રગટ જ રહી. આ ગ્રંથમાં પ્રકાશિત થયેલી કૃતિઓમાં આ કવિની ૧૪ કડીની એક કૃતિ ‘સરસ્વતીમાતાનો છંદ’ પણ પ્રગટ થઈ છે. Jain Education International ૧૪૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218