Book Title: Hastprat Vidya ane Agam Sahitya
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 178
________________ પ્રાચીન ભાષાકીય સ્વરૂપનું પુન:સ્થાપના . ૧૬૩ હસ્તલિખિત પ્રતો અને સહાયક સામગ્રીરૂપ (ટીકા, વૃત્તિ ઇત્યાદિ) ગ્રંથોમાંથી મળતા હોય તેવા પ્રાચીનતમ અને/અથવા મૂળ ગ્રંથકારને અભિમત હોય તેવા પાઠની પ્રતિષ્ઠા કરવી, તથા અન્ય પાઠપરંપરામાં જળવાયેલા પાઠાન્તર, પ્રક્ષેપાદિને સમીક્ષાગીય સામગ્રી' તરીકે વૈજ્ઞાનિક પદ્ધતિએ પાટીપમાં નોધવા, કે જેથી ભવિષ્યના અધ્યેતાને એ તમામ પાઠાન્તરાદિની વિગતો એક જ પૃષ્ઠ ઉપર ઉપલબ્ધ થઈ જાય. નાગમોના સંદર્ભમાં તો “મૂળ ગ્રંથકારનો” (એટલે કે ભગવાન મહાવીરનો) સ્વહસ્તલેખ તો ક્યારેય હતો જ નહીં, તેથી આધુનિક પાઠસંપાદકોનું એ લક્ષ્ય રહેવું જોઈએ કે તે ઉપલબ્ધ સામગ્રીમાંથી પ્રાચીનતમ પાઠને (જ) પ્રતિષ્ઠિત કરે. આ સંદર્ભમાં જૈનાગમોની પાઠપરંપરાનું વંશવૃક્ષ વિચારીએ તો – *ભગવાન મહાવીરને અભિમત એવો આગમોનો પાઠ(=મહાવીરની વાણી) ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૧૬૦ વર્ષે એટલે કે ઈ. સ. પૂર્વે ૩૬૭માં, પાટલિપુત્રમાં સ્થૂલભદ્રની બેઠકમાં નક્કી થયેલો અર્ધમાગધી ભાષામાં ઉપનિબદ્ધ એવો પાઠ. એક જ સમયે (ઈ. સ. ૩૧૩માં) મળેલી બે બેઠકો મથુરામાં વલભીમાં આર્ય સ્કંદિલના નેતૃત્વવાળી બેઠકમાં નાગાર્જુનના નેતૃત્વવાળી નકકી થયેલો બેઠકમાં નકકી થયેલો પાઠ (સંભવત: શૌરસેનીમાં) પાઠ (જેમાંના કેટલાક અંશ એમના નામે પાઠાંતર રૂપે નોધાયા છે) (માથરીવાચનાને આધારે) વલભીમાં ઈ. સ. ૪૫૩ કે ૪૬૬માં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે લિપિબદ્ધ કરેલો પાઠ ચૂિર્ણિ, માલધારી હેમચન્દ્રસૂરિ, શીલાંકાચાર્યની વૃત્તિઓ • વ્યાખ્યા ગ્રંથોની રચનાનો ગાળો – શ્વેતાંબર જૈનોને માન્ય એવો જૈન મહારાષ્ટ્રીમાં લખાયેલો પાઠ, જે આજે તાડપત્રીય અને કાગળની હસ્તલિખિત પ્રતિઓમાં મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218