________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનય રત્ન
(૩૧) જણાવવી, ઈત્યાદિ અનેક બાબતેની કેળવણી તેને આપવામાં આવતી. સાત આઠ વર્ષની ઉમરે જેવા પુત્રનાં સર્વ અંગોપાંગ ખીલ્યાં કે પછી તેને શાળામાં ભણવા મૂકો. સારા શિક્ષકોના પ્રેમથી અને પોતાના વિનયથી તથા ખંતથી વીશ વર્ષે તે મહા વિદ્વાન થયે. લક્ષ્મીચંદ્ર શેઠે લગ્ન સંબંધી પૃચ્છા કરી. તેણે કહ્યું કે હે પિતાજી! મારે વિવાહ મારી ઈચ્છા પ્રમાણે થે જોઈએ. પ્રથમ સ્વયંવર થતા હતા તેથી સ્ત્રી પુરૂષનું જોડું સુખી થતું હતું ને હાલના જમાનામાં લાકડે માંકડું વળગાડી દેવામાં આવે છે, તેથી સ્ત્રી પુરૂષની પ્રકૃતિ વિચારો મેળ આવતું નથી, તેથી કલેશ કજીયા મારામારી દેખવામાં આવે છે અને પોતાનાં સંતાને ઉપર પણ તેવી અસર થાય છે. માટે મારી ઈચ્છા પ્રમાણે વિનય વગેરે સદગુણની પરીક્ષા કરી પાણિગ્રહણ કરીશ. લક્ષમીચંદ્રે કહ્યું, હે પુત્ર તું ભ પણ ગયો નહી; ભણને આડે આંક વાળી દીધું. અરેરે કેવો કાળ આવ્યો? હે પુત્ર, પુત્રીઓ તે પોતાની મેળે વર પસંદ કરીને વરે છે, પણ એ સ્ત્રીને પસંદ કરવી એતો આજ સાંભળ્યું. પરીક્ષા કહે છે હે પિતાજી! પતિની પસંદગી જ્યારે પોતાના હિતને માટે જી કરે ત્યારે પુરૂષ કેમ સ્ત્રીની પસંદગી સદ્દગુણેથી ન કરી શકે? શું વિનય વિનાની સ્ત્રીને પરણવી જોઈએ? સ્ત્રી જેમ સારા પુરૂષથી પોતાની ઉન્નતિનો આધાર રાખે છે તેમ
For Private And Personal Use Only