Book Title: Guru Bodh
Author(s): Buddhisagar
Publisher: Satyendraprasad Mehta Ahmedabad

View full book text
Previous | Next

Page 218
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૭) દાતા ગુરૂ તે સાથે સાધુ મહારાજ એક હોય છે, એવાજ સદ્દગુરૂ ખરેખર ઉપકારી છે. સાધુતરિકે ચારિત્ર ધારણ કરનાર ગ૭માં રહેલા અનેક ગુરૂઓ છે તે ચારિત્રની અપેક્ષાએ પૂજ્ય છે. સમકિતની અપેક્ષાએ તો એક મુનિ કે જેણે ધર્મ પમાડયો છે, તે સદગુરૂ છે. વન વનમાં હસ્તિ હિતા નથી, યુગ યુગમાં કંઈ દેવ હોતા નથી, માથું મુંડાવ્યું એટલા માત્રથી સર્વે કંઈ ગુરૂ હોઈ શકતા નથી. માટે સમકિત વા ચારિત્રપ્રદ ચારિત્રધારક સશુરૂ જે જે હાય તેવાની ખરા અંત:કરણથી ભક્તિ કરવી. શ્રીસદગુરૂ ઉભા થાય ત્યારે ઉભા થવું, બેસે ત્યારે બેસવું, તેમની આજ્ઞા લેઈ બેલવું, તેમના પ્રાણ પડે તેપણ દુબુદ્ધિથી નિંદા કરવી નહિ, સાક્ષાત્ ગુરૂ હોય ત્યારે તેમની વિધિપૂર્વક વંદના કરવી, વારંવાર તેમની સેવામાં હાજર રહી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરવી, તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું. ભાવથી તેમનું પૂજન કરવું, આપણે પણ મનુષ્ય છીએ અને ગુરૂ પણ મનુષ્ય છે એમાં શું વિશેષ છે એવી દુબુદ્ધિને ત્યાગ કર. માતા, પિતા, પુત્ર, સ્ત્રી, ધન અને રાજ્ય કરતાં પણ શ્રીસદ્દગુરૂને અધિક માનવા, શ્રીસદ્દગુરૂની આજ્ઞામાં શંકા કરવી નહિ, પરમાત્માની ભક્તિની પેઠે ગુરૂની ભક્તિ પણ સદાકાળ આગમાનુસાર કરવી. ગુરૂ જ્યારે પાસે ન હોય ત્યારે તેમની છબી વગેરેનું સાક્ષાત્ ગુરૂની પેઠે બહુ માન અને વિનયથી પૂજન કરવું, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248