Book Title: Granthtraya Anushilan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 233
________________ હોય છે. મિથ્યાદેષ્ટિ જીવને શુદ્ધ ભાવ તો હોતો નથી પણ તેના શુભભાવ સંસાર વૃદ્ધિનું કારણ બને છે. પછી જેમ જેમ મિથ્યાત્વ મંદ પડતું જાય, વિવેકબુદ્ધિ વધતી જાય, તેમ તેમ શુદ્ધભાવની પાત્રતા થાય. પરંતુ ગાઢ મિથ્યાત્વના ઉદયમાં તો જીવને ધર્મબુદ્ધિ થતી નથી. પરંતુ અસત્ દેવાદિ માનવા તેમની ભક્તિ કરવી તે ધર્મ નથી પણ ધર્માભાસ છે, તે સમજાતું નથી. આવું મિથ્યાત્વ જીવને સંસારમાં રખડાવનારું છે. સમ્યકત્વ પામવામાં બાધક છે. પ્રથમ ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વનો ઉદય છે એટલે અવેધસંવેદ્યપદ છે. જો કે પદ શબ્દ પણ યોગદષ્ટિને કારણે કહેવાય છે, પદ એટલે ગુણનું સ્થાનક. નિશ્ચયથી મિથ્યાષ્ટિને ગુણસ્થાનક અપદ છે. કારણકે તત્ત્વોનું યથાર્થ જ્ઞાન નથી. તત્ત્વ એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેમકે ચેતન જ્ઞાનમય છે, જડમાં જડત્વ છે. બંને ભિન્ન છે. સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, શ્રેણિ વગેરે પરમાર્થથી ગુણના સ્થાન હોવાથી પદ શબ્દને માટે યોગ્ય છે. મિથ્યાષ્ટિ કદાચ શાસ્ત્રજ્ઞાનમાં પારંગત હોય તો પણ તત્ત્વનો યથાર્થ નિર્ણય ન હોવાથી તેનું જ્ઞાન પરમાર્થપંથ માટે યોગ્ય નથી, નિશ્ચયથી તે આત્મજ્ઞાન નથી. અર્થાત્ સમ્યકત્વ સાથે તત્ત્વજ્ઞાનનો સંબંધ છે. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક પરમાર્થથી અપદ છે. સૂક્ષ્મબોધ તો પણ ઈહાંજી, સમક્તિ વિણ નહિ હોય, વેધસંવેધ પદે કહો જી, તે ન અવેધે જોય. –આ. દ. સજઝાય ઉ. શ્રી યશોવિજયજી મિથ્યાત્વ એ અવેદ્યસંવેદ્યરૂપ છે. અર્થાત, જે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જાણવા કે અનુભવવાને બદલે વિપરીત અનુભવ કરવો તે અવેદ્યસંવેદ્યપદ છે. તેથી તેને સાંસારિક સુખો હેયરૂપ નથી લાગતા, સ્ત્રી પરિવાર આદિમાં રાગબુદ્ધિને સારા માને છે. આવો ભ્રમ તે મિથ્યાત્વ, અર્થાત અવેદ્યસંવેદ્યપદ છે. આ પદ પ્રથમની ચાર દૃષ્ટિમાં છે. ભવાભિનંદિ જીવોનું મિથ્યાત્વ અતિ ગાઢ અને ક્લિષ્ટ પરિણામવાળું હોય છે. શુદ્ધભાવ તો છે જ નહિ પણ તેના ધર્માનુષ્ઠાનના શુભભાવ પણ તેને સંસારના પરિભ્રમણ માટે થાય છે. સંસારની આસક્તિ ઘટતી જાય, વિવેક વધતો જાય, અવિવેક ઘટતો જાય, તત્ત્વ, ગુણોની રૂચિ વધતી જાય, આમ એક પછી એક દૃષ્ટિમાં ક્રમસર આગળ વધતો જાય ત્યારે મિથ્યાત્વ મંદ પડતું જાય છે. અથવા મિથ્યાત્વ મંદ પડવાથી દૃષ્ટિનો વિકાસ થાય છે. જેમ સાપનો કણો પણ સાપની પ્રકૃતિ પ્રમાણે ઝેરયુક્ત હોય તેમ મિથ્યાત્વ મંદ છતાં તેની ભ્રાંતિ જીવમાં રહે છે. આથી પ્રથમની ચાર દૃષ્ટિ યોગદષ્ટિ સમુચ્ચય દીપ્રાષ્ટિ ૨ ૨૮ For Private & Personal Use Only Jain Education International FO www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298