Book Title: Granthtraya Anushilan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 282
________________ * ૭. પ્રભાષ્ટિ પ્ર' એટલે પ્રકૃષ્ટ અને “ભા' એટલે તેજ. આ દષ્ટિવાળા જીવોમાં સૂર્યની ઉપમાવાળો બોધ-જ્ઞાનનો પ્રકાશ હોય છે, માટે પ્રભા નામ યુક્ત છે. આ દૃષ્ટિમાં રત્નત્રયીરૂપ શુદ્ધ પરિણામની અનુભૂતિ હોય છે. પ્રથમ દૃષ્ટિમાં યોગમાર્ગમાં પ્રવેશ મળ્યા પછી પાત્ર જીવો આગળને આગળ વધતા જાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકની ભૂમિકા છતાં દષ્ટિ યોગમાર્ગે પરિવર્તિત થઈ છે તેની ફળશ્રુતિરૂપે પાંચમી દૃષ્ટિ વિશેષ વિકાસશીલ છે. છઠ્ઠીમાં નિરતિચાર પાલન, અમૃત અનુષ્ઠાન તાત્વિક બોધનું વિશેષ અનુશીલન, અન્યમુદ્ દોષક્ષય-ચપળતારહિત અનુષ્ઠાન, મૈત્રિ આદિ ભાવનાઓની પ્રકૃષ્ટતા અને અન્ય ગુણોના સમૂહ જેવી ઉચ્ચ ભૂમિકાના યોગને વહન કરે છે. હવે આ જીવ સાતમી પ્રભાષ્ટિમાં પ્રવેશ કરે છે. આત્માનું મૂળ સ્વરૂપ પરમ શુદ્ધતાનો આવિર્ભાવ આ દૃષ્ટિમાં થાય છે. સાધકની સાધુજનોની ઉચ્ચ આધ્યાત્મિકતા આ દૃષ્ટિમાં પ્રગટ થાય છે. આ દૃષ્ટિમાં (૧) બોધ સૂર્યની પ્રભા સમાન (૨) રોગ દોષક્ષય (૩) ગુણ તત્તપ્રતીતિ (૪) સાતમું યોગાંગ ધ્યાન હોય છે. અર્કપ્રભા સમ બોધ પ્રભામાં, યાન પ્રિયા એ દિહી; તત્ત્વતણી પતિપત્તિ ઈહાંવળી, રોગ નહીં સુખપુઠ્ઠી. એહ દૃષ્ટિમાં નિર્મળ બોધે, દયાન સદા હોય સાચું; દૂષણ રહિત નિરંતર જયોતિ, રત્ન તે દીપે જાચું રે ભવિકા. વીર વયન ચિત્ત ધરીએ -આ. દ. સજઝાય ઉ. શ્રી યશોવિજયજી ૧. બોધ : આ દૃષ્ટિમાં બોધને સૂર્યની ઉપમા આપી છે. સૂર્યની તેજસ્વિતાની જેમ આ બોધની પ્રખરતા હોય છે, બોધના ધોધનો પ્રવાહ નિરંતર વહેતો હોય છે. તેથી મુનિજનોને નિર્વિકલ્પદશાયુક્ત ધ્યાન હોય છે. આ દૃષ્ટિનો યોગ ઘણો ઉચ્ચ કોટિનો હોય છે. શાસ્ત્રોના અધ્યયનની વિશેષ જરૂર હોતી નથી. તેમના જ્ઞાનનો ક્ષયોપશમ એવો હોય છે કે તેમને અન્ય અવલંબનની પ્રાથે જરૂર નથી. આ દૃષ્ટિના યોગીજનો, મુનિજનો સતત ધ્યાનમાં લીન રહે છે. અથવા તેના કારણભૂત એવા ચિંતન, ભાવના કે અનુપ્રેક્ષા હોય છે. જો કે છવસ્થનું ધ્યાન અંતર્મુહૂર્ત સુધી ટકે છે, તેથી ધ્યાનના અનુસંધાનમાં યોગદષ્ટિ સમુચ્ચય ૨૭૭ પ્રભાષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298