Book Title: Dharmadhyaksha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 331
________________ ૨૯૬ ધર્માધ્યક્ષ તો અત્યારે એટલા બધા હુમલાખોરો સામે મોકલવા માટે આપણી પાસે પૂરતાં માણસો પણ કયાં છે? અને કેટલાં ભેગાં થઈ થઈ શકશે એની કાલે સવારે વાત. અત્યારે કશું નહિ.” રાજાજીને દાક્તર બિચારો આ સાંભળી ચૂપ થઈ ગયો. પણ તેને કંઈક યાદ આવવાથી તેણે તરત ઉમેર્યું – “સરકાર, રોન ફરનારા એ હુમલાખોરોમાંથી બેએક જણને પકડી લાવ્યા છે, તેમનું શું કરવાનું છે?” એ લોકોને અહીંયાં અંદર લાવો; પૂછી તે જોઈએ કે, તેમની યોજના શી છે, અને તૈયારીઓ શી છે!” તરત પેલા બેને અંદર લાવવામાં આવ્યા. રાજાએ તે બેમાંના એકને પૂછયું – અલ્યા શાનું બંડ ઉપાડયું છે?” “મને ખબર નથી; બધા જતા હતા એટલે હું પણ ગયો.” “તે હું તમારા માલિક કોટવાળ ઉપર હુમલો કરવા તથા તેમને લૂંટવા નહોતો જતો ?” “તેઓ ક્યાંક કશુંક કરવા જવાના હતા એટલું જ હું જાણું છું. એ “આ તારી સાથેના સંબતીને તું એાળખે છે?” “નાજી, હું તેને ઓળખતા નથી.” રાજાએ તરત પોતાના જલ્લાદ ત્રિસ્તને “ઘટતું કરવા ” એ માણસ સોંપી દીધો. પછી પેલા બીજા કેદીને તેમણે પૂછયું – “તારું નામ?” પાયેરી ગ્રિગોર.” “ધંધો ?” “ફિલસૂફનો, સરકાર.” “તો પછી તું અમારા મિત્ર મોં શ્યોર કોટવાળના ઘર ઉપર કેમ હુમલો કરવા દોડ્યો હતો?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374