Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 379
________________ ૩૩૨ | શ્રી વિજયપધસૂરિકૃતલેક, અધોલેક, તિછલેકમાં રહેલા પદાર્થોના સ્વરૂપને જણાવે છે. તાત્પર્ય એ છે કે શ્રી જિનશાસનને ચકચકાટ બનાવનાર જ્ઞાનના ભેદો છે. (૨) તથા રાજમહેલમાં જેમ સુંદર મણિ વિગેરેથી જડેલા આભૂષણે (ઘરેણું) હોય છે. અને તે ઘરેણાં રાજા વિગેરેના શરીરને શોભાવે છે. તેમ અહીં શ્રી જિન શાસન (રૂપી મહેલ) માં ઘરેણાંના જેવી આમર્ષોષધિ વિગેરે જુદી જુદી જાતની અદ્ધિ (લબ્ધિઓ) હોય છે. તે (દ્ધિઓ) ઉત્તમ ગુણવંત મુનિરાજના શરીરને શોભાવે છે. (૩) જેમ રાજમહેલમાં અનેક પ્રકારના સુંદર રેશમી વિગેરે વસ્ત્રો હોય છે અને તે બહુ સુંદર હોવાથી સજજન પુરૂષના મનને આકર્ષે છે, તે અહીં શ્રી જિનશાસન (રૂપી રાજમહેલ) માં ઉત્તમ વસ્ત્રની જેવા જુદી જુદી જાતના તપના ભેદ રોભી રહ્યા છે. તે તપના ભેદ બહુ જ સુંદર હોવાથી ઉત્તમ પુરૂષના મનને આકર્ષે છે એટલે ઉત્તમ જીવનું મન તેમાં જોડાય છે. (૪) તથા રાજમંદિરમાં જેમ સુકેમલ ઉજવલ રેશમી વસ્ત્રના બનાવેલા ચંદ્રવામાં ઘણું સુંદર મેતીએ લટકતાં શેભે છે. કારણ કે મેતીઓની રચના–ોઠવણ બહુ સુંદર કરેલી હોય છે તેથી તે મોતીઓની લટતી સેરે બહુ શોભે છે, તેમ અહિં શ્રી જિનેન્દ્રના શાસન રૂપી રાજમંદિરમાં વિનય નમ્રતાદિ ગુણવાળા તેમજ ક્રિયા કલાપની સુંદર બેઠવણવાળા જે ચારિત્ર અને ક્રિયારૂપ અનેક મૂળ ગુણ તથા અનેક ઉત્તર ગુણે રૂપ મેંતીઓ શેભે છે (અહિં ૫ મહાવ્રત અને ૫ અણુવ્રતો તે અનુક્રમે સર્વવિરતિ ને દેશવિરતિ ચારિત્રના મૂળ ગુણ છે, અને પિંડવિશુદ્ધિ આદિ તથા દિશાવિરમણ વિગેરે તો તે ઉત્તરગુણ રૂપ છે) અને એજ ગુણે અહિં શ્રી જિનશાસન રૂ૫ રાજમન્દિરમાં ચન્દ્રવાને શોભાવનારા મોતીઓના લટકતા લટે (ગુચ્છા) ના જેવા શોભે છે. અને ભવ્યાત્માઓના ચિત્તને અતિ આલ્હાદ ઉપજાવે છે. (૫) તથા રાજમન્દિરમાં જેમ સુગંધીદાર તામ્બલ—પાન બીડાં હોય છે તેમ શ્રી જિનેન્દ્રશાસન રૂપી રાજમન્દિરમાં મુખને શોભાવનાર એવા અતિ સુગંધથી ચિત્તને અત્યન્ત આનંદ આપનારાં સત્ય વચને તે ઉદાર–પ્રધાન તામ્બલ (નાગરવેલના પાન) ના જેવા શેભે છે. એટલે જિનશાસનનું ફરમાન એ છે કે સાચું બોલવું. (૯) તથા રાજમન્દિરમાં જેમ ભમરાઓના ચિત્તને આનંદ આપનારી, વિચિત્ર રચનાથી ગુંથેલી સુંદર પુષ્પમાળાઓ ચારે દિશામાં સુગંધ ફેલાવે છે, તેમ શ્રી જિનેન્દ્ર શાસન રૂપ રાજમન્દિરમાં મુનિ રૂપી ભમરાઓને અત્યંત આનંદ આપનારા એવા તે અઢાર હજાર શીલાંગરથે જ્ઞાનક્રિયાની વિચિત્ર રચનાવાળા હોવાથી મનહર પુષ્પમાળાઓના જેવા શેભી રહ્યા છે. કે જે શીલાંગે ૩૫ માળાઓમાં મુનિ રૂપી ભ્રમરો તલ્લીન થઈ શીલાચારને સુંદર આસ્વાદ લઈ રહ્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440