Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 392
________________ ૩૪૫ દેશનાચિંતામણિ ] સાત કારણથી જણાય જુદાશ મતિથી શ્રતતણી, તેહથી બન્ને અલગ એકે ન સિદ્ધિ કાર્યની. શ્રતની પછી અવધિ કહ્યું ત્યાં ચાર કારણ જાણીએ, ત્રીજા પછી શું કહ્યું ત્યાં ચાર હેતુ ન ભૂલીએ. ૪૬૬ અર્થ–મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં સરખાપણું જણાવનાર કારણે ૪૬૪ મી ગાથામાં જણાવ્યા છે. માટે તે બંને એક રૂપ છે એમ ન જાણવું, કારણ કે સરખાપણું છતાં પણ તે બંનેમાં સાત કારણથી જુદાઈ જણાવી છે. માટે તે બંને જ્ઞાન જુદાં જુદાં જાણવાં. કારણ કે તેમાંના એક વડે કાર્યની સિદ્ધિ થતી નથી. શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન જણાવ્યું ત્યાં પણ ચાર કારણોની સરખાઈ જાણવી. તેવી જ રીતે ત્રીજા જ્ઞાનની પછી ચોથું મનઃ પર્યવ જણાવ્યું ત્યાં પણ ચાર હેતુ છે એ વાત ભૂલવી નહિ. ૪૬૬ ૧ મતિજ્ઞાન અને શ્રત જ્ઞાનની જુદાઈ જણાવનાર સાત કારણે આ પ્રમાણે -૧ બંનેના લક્ષણમાં ભેદ છે “ મજ્ય શાકનતિ મસિ” જેનાથી યોગ્ય અર્થ મનાય તે મતિ જ્ઞાન “શ્રવણ શ્રત ” સંભળાય તે શ્રત. ૨ હેતુ અને ફલ વડે ભેદ છે. એટલે મતિજ્ઞાન મૃત જ્ઞાનનું કારણ છે અને શ્રતજ્ઞાન મતિજ્ઞાનનું કાર્ય છે. ૩ ભેદને લઇને ભેદ છે. એટલે મતિજ્ઞાનના ૨૮ વગેરે ભેદ છે ત્યારે શ્રુત જ્ઞાનના ૧૪ વગેરે ભેદ છે. ૪ તથા ઈયિના વિભાગથી ભેદ છે. કારણ કે શ્રોવેન્દ્રિયની ઉપલબ્ધિ તે શ્રુતજ્ઞાન અને બાકીનું મતિરાન, ૫ વળી મતિજ્ઞાન વલ્ક ( છાલ ) સમાન અને મૃત જ્ઞાન શુબ ( દેરડા ) સમાન છે. ૬ મતિજ્ઞાન અનક્ષર અને સાક્ષર છે જ્યારે શ્રુતજ્ઞાન સાક્ષર જ છે. છ મતિજ્ઞાન મૂક (મુંગાં) સમાન છે કારણ કે તે બીજાને પિતાનું સ્વરૂપ સમજાવતું નથી અને બુત જ્ઞાન બેલતું છે. કારણ કે પોતાનું અને પરનું સ્વરૂપ સમજાવે છે. ૨ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન કહ્યું ત્યાં ચાર કારણેની સરખાઈ નીચે પ્રમ ણે૧ કાલ સાધમ્ય એટલે જેમ મતિ શ્રતને કાલ ૬૬ સાગરોપમ અધિક છે તેમ અવધિજ્ઞાનને કાલ પણ તેટલે જ . ૨ વિપર્યય સાધમ્ય એટલે મિથ્યાત્વના ગે મતિ શ્રુતજ્ઞાન મતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન રૂપે વિપરીત થાય છે તેમ અવધિજ્ઞાન પણ વિલંગ રૂપે થાય છે. ૩ સ્વામિત્વ સાધમ્ય એટલે જે મતિ શ્રતનો સ્વામી તેજ અવધિજ્ઞાનનો સ્વામી. ૪ લાભ સાધમ્ય એટલે સમકિતને લાભ થતાં જેમ મતિ અજ્ઞાન મતિજ્ઞાનપણે અને શ્રુત અજ્ઞાન શ્રુતજ્ઞાન પણે પરિણમે છે તેમ વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાન પણે પરિણમે છે. ૩ અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાન કહ્યું ત્યાં ચાર કારણની સરખાઈ નીચે પ્રમાણે -૧ છાસ્થ સાધર્યું એટલે અવધિજ્ઞાન જેમ છદ્મસ્થને થાય છે તેમ મન:પર્યવ પણ છદ્મસ્થને થાય છે. ૨ વિષય સાધર્યું એટલે જેમ અવધિજ્ઞાનને વિષય રૂપી દ્રવ્ય છે તેમ મનઃ પર્યવજ્ઞાનને વિષય પણ રૂપી દ્રવ્ય છે. ૩ ભાવ સાધર્મ એટલે જેમ અવધિ જ્ઞાન લાયોપશમિક ભાવે થાય છે તેમ મન:પર્યવજ્ઞાન પણ સાથોપથમિક ભાવે થાય છે. ૪ પ્રત્યક્ષ સાધમ્ય એટલે જેમ અવધિજ્ઞાન પ્રત્યક્ષ છે તેમ મન:પર્યવ પણું પ્રત્યક્ષ જ્ઞાન છે. ૪૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440