Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 384
________________ દેશનાચિંતામણિ ] ૩૩૭ ત્રણ લિંગ (ચિન્હ) નો વિચાર કરે, (૧૦) દશ પ્રકારને વિનય કરે, (૩) ત્રણ પ્રકારની શુદ્ધિ સાચવવી. તથા (૫) પાંચ દુષણ કદાપિ સેવવા નહિ. (૯) આઠ પ્રભાવકની સેવના કરવી. તથા (૫) પાંચ ભૂષણ ધારણ કરવા (૫) પાંચ લક્ષણેને યાદ કરીને (૬) છ પ્રકારની યતના જલદીથી ન પરિહારીએ એટલે તજીએ. તથા છ આગાર, છ ભાવના અને છે સ્થાન એ પ્રમાણે સમતિના સડસઠ ભેદને જાણીને હે ભવ્ય જી ! તમે સમકિત મેળ; તેને નિર્મલ કરો તથા દઢ એટલે સ્થિર કરો, સમક્તિ તે ઉત્તમ જીવના વિશિષ્ટ પરિણામ રૂપ મનની વિચારણું જાણવી, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં સમ્યકત્વ જરૂર હોય છે. અને જ્યાં સમ્યકત્વ હોય ત્યાં શ્રદ્ધાની વિકપ વિચારણા કરવી એટલે મનઃ પર્યાપ્તિને પૂરી કર્યા પહેલાં શ્રદ્ધા ન હોય, અને તે પછી હોય. ૪પ૦-૪૫૧ આઠ પ્રભાવક -પ્રભાવક એટલે જિનશાસનને દીપાવનાર અથવા શોભાવનાર મહાપુરૂષ. તેમાં (૧) પ્રવચનિક એટલે શાસ્ત્રના પારગામી (૨) ધર્મકથી એટલે અપૂર્વ ધર્મોપદેશક (૩) વાદી એટલે તર્ક શાસ્ત્રમાં નિપુણ અથવા વાદમાં પરવાદીને જીતનાર (૪) નૈમિત્તિક એટલે નિમિત્તને જાણનાર (૫) તપસ્વી એટલે ઉગ્ર તપસ્યા કરનાર (૬) વિદ્યાસાધક એટલે મંત્ર અને વિદ્યામાં પ્રવીણ. (૭) સિદ્ધિસંપન એટલે અંજનયોગ વગેરેથી શાસનને શેભાવનાર (૮) કવિ એટલે ધર્મની પ્રભાવના માટે સુંદર અર્થવાળા કાવ્ય બનાવનાર. પાંચ ભૂષણ-(૧) ળતા એટલે ક્રિયામાં ચતુરાઈ (૨) તીર્થ સેવના એટલે સંસારથી તારે તે તીર્થ, સ્થાવર અને જે એ બે તીર્થ ઉપર સ્નેહ (૩) ગુરૂદેવની ભકિત. (૪) ધર્મમાં નિશ્ચલતા (૫) જિન શાસ્ત્રની અનુમે ના. પાંચ લક્ષણ-(૧) ઉપશમ એટલે ક્રોધને ત્યાગ (૨) સંગ એટલે સાંસારિક સુખેને દુઃખરૂપ માનવા. (૩) નિર્વેદ એટલે સંસાર તરફ વૈરાગ્ય. (૪) અનુકંપા એટલે દુઃખી છેવની દયા. (૫) આસ્તિકતા એટલે જિનેશ્વરના વચન ઉપર શ્રદ્ધા. છે જ્યણા (યતના)-(૧) વંદન એટલે પરતીથિને બે હાથ જોડવા, (૨) નમન એટલે મસ્તક નમાવવું. (૩) ગૌરવભકિત એટલે પરતીથિની ભક્તિ કરવી. (૪) અનુપ્રદાન એટલે વારંવાર ધન આપવું. (૫) આલાપ એટલે પરતીર્થિ સાથે બોલવું (૬) સંતાપ એટલે પરતીથિ સાથે વારંવાર બેલડું. છ આગાર -આગાર એટલે અપવાદ (૧) રાજાભિયોગ એટલે રાજાની આજ્ઞાથી કરવું તે. (૨) ગણાભિયોગ એટલે ઘણુ માણસના આગ્રહથી કરવું તે. (૭) બલાભિયોગ એટલે સમજુ બલવંત સૈન્ય અથવા ચોરના ભયથી કરવું પડે તે. (૪) દેવાભિયોગ એટલે દેવતાના આગ્રહથી (૫) ગુરૂનિગ્રહ એટલે માતા પિતા વગેરે વડીલેની આજ્ઞાથી. (૬) ભીષણ કાંતાર વૃત્તિ એટલે જંગલ વગેરેમાં આજીવિકા માટે કરવું પડે તે. છ ભાવ :-(૧) સમકિતની મૂલ રૂપે ભાવના (૨) સમતિની દ્વાર રૂપે ભાવના (8) સમકિતની પીઠ રૂપે ભાવના (૪) સમકિતની નિધાન રૂપે ભાવના (૫) સમકિતની આધાર રૂપે ભાવના. (૬) સમકિતની ભાજન રૂપે ભાવના. છ સ્થાનક-જ્યાં સમક્રિત કરે તે સ્થાનક:-(૧) ચૈતન્ય રૂપ આત્મા છે (૨) આત્મા નિત્ય છે. (૩) કર્મને કર્તા. (૪) અને કર્મના ફલને ભકતા છે. (૫) મેક્ષ છે, (૬) મેક્ષને ઉપાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440