Book Title: Deshi Ramato
Author(s): Shamjibhai K Jamod
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 95
________________ જણની એક હારમાં ત્રણ કૂકરીઓ થઈ જાય નહિ. લીટી પર એક હારમાં ત્રણ કૂકરીઓ થઈ જાય તેને ત્રણ ભર્યા’ કે ‘ભારત’ કહેવાય. ભરનાર સામેવાળાની ભરત” સિવાયની કોઈ પણ એક કૂકરી લઈ લે. આ પ્રમાણે કોઈ પણ એક જણની બધી કૂકરીઓ લેવાઈ જાય ત્યાં સુધી રમત ચાલુ રહે. નોંધ: આ રમત મગજની ખૂબ જ ચાલાકી માગી લે છે. આ રમત રમતાં ધરવ થતો જ નથી. ૩ર : નાળિયેરની રમતો રમત પહેલી: એક જગ્યાથી અમુક દૂર સુધી નક્કી કરેલ હદે હાથથી ઘા કરીને નાળિયેરને પહોંચાડવું. કેટલા ઘા કરવા તે પ્રથમથી નક્કી કરવું. રમત બીજી: ઉપર પ્રમાણે પગના ફણા ઉપર નાળિયેર મૂકીને ઘા કરતાં હદ સુધી નક્કી કરેલ ઘાએ પહોંચાડવું. રમત ત્રીજી: અદ્ધર નાળિયેર ઉછાળીને નક્કી કરેલ ઘાએ શેષ કાઢી નાખવી. ઉપરની રમતો હેળીના દિવસોમાં રમાય છે. ઉપરની રમતો રમવા માટે છાલાંવાળાં નાળિયેર લેવાનાં છે. રમત એથી: લાકડીના ફટકાથી જમીન ઉપર નાળિયેરને મૂકીને ફેડવું. કેટલા ઘાએ ફોડવું તે અગાઉથી નક્કી કરવું. નેધ: ખાસ શબ્દો, શેષ, છાલાં, કાચલી, ચોટલી, આંખે, પાણી, ટોપરું, ગોટો, પાણીચું. વિશેષ: હળીના દિવસોમાં આ રમત ખાસ રમાય છે. આ રમતાથી ઘા કરવાની તથા બળની ચકાસણી થાય છે. હાથના અને શરીરના અવયવો મજબૂત બને છે. [ ૯૪]

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130