Book Title: Buddhiprabha 1913 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ સ્થલ , અને સૂક્ષ્મ કેમ? પ્રેમ એટલે સ્ત્રી પુરૂષ વચ્ચે (યાતે બે વ્યક્તિ વચ્ચે) એક પ્રકારનો સંબંધ, એ તત્વ તે સર્વ માન્ય છે. પરંતુ એ સંબંધ કેવા પ્રકાર છે તે આપણે જોવાનું છે. સ્ત્રી વ્યક્તિ અને પુરૂષ વ્યક્તિ વચ્ચેનો સંબંધ અન્ય જનોના જ્ઞાન માટે પ્રગટપણે સ્વિકારવામાં આવે છે ત્યારે તે લગ્ન કહેવાય છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો સંબંધ, જન સમાજના સંગમાં આવતાં, આમ લગ્નરૂપે રૂપાંતર પામે છે. પ્રેમને બાહ્ય આવિર્ભાવ જે દ્રષ્ટિગોચર થાય છે તે આવી રીતે જન સમાજના સ્પર્વથી રંગીત થયેલું હોય છે. સ્થૂલભોગ-માનસિક વિલાસ-પ્રાણની ચેતનાએ સર્વ પ્રેમનાં બાહિર્ભાવ પામતાં, બાત્યાંગ છે અને એ સર્વ અંગ, સમાજના સ્પર્ષથી રંગત થયેલાં હોય છે. પ્રેમનાં શુદ્ધ તત્ત્વ એ અંગથી કંઇ ભિન્ન જ છે અને પ્રેમના વિભાગ ( સૂક્ષ્મ પ્રેમ-તથા સૂક્ષ્મ પ્રેમ) જનસમાજના સ્પર્વથી દુષિત થયેલા અંગને અનુસરીને પડેલા હોય છે માટે અનિત્ય છે. આ પણે જેને સ્થૂળ પ્રેમ અગર સૂમ પ્રેમને નામે ઓળખીએ છીએ તે માત્ર પ્રેમને આભાસ છે. જડ શરીરની શકિતમાં ન્યુનતા થતાં જડબેગ નાશ પામે છે. માનસિક શકિતઓનો ક્ષય થતાં માનસિક વિકાસ ઘટે છે, તથા જીવનમાંના અનિવાર્ય કઠણ પ્રસંગને આધાત થતાં, તથા તેના ઘા ખમનાં પ્રાણુની ચેતને પણ ન્યુન થાય છે તેટલાજ માટે આ સર્વ અંગ અનિત્ય છે પણ પ્રેમને આપણે નિત્ય કહીએ છીએ, અને પ્રેમ નિત્ય છે તેથી જ આ સર્વ અંગથી ભિન્ન છે. મનુષ્ય પોતાની આંતર વૃત્તિઓ તથા સૃષ્ટિના સર્વ બાહ્ય પ્રસંગે, જનસમાજના નેત્ર હારાજ નિરખે છે. અગણિત વર્ષથી સમાજમાં રહેવાના અભ્યાસથી, આ પરિણામ થયેલું છે. સમાજનાં બંધને દૂર કરી–વસ્તુ માત્રને તેના શુદ્ધ સ્વરૂપમાં જોવાનું કાર્ય અતિ વિકટ તથા સૂક્ષ્મ થયેલું છે. નીતિક્ષેત્રમાં આવું શુદ્ધ સ્વરૂપ નીરખવાનો પ્રયાસ રૂપિઓએ પ્રથમ કર્યો હતો અને પ્રેમના વિશાળ અતિ દુર્ગમ ક્ષેત્રમાં તેવો પ્રયાસ આજે આપણે આદરીએ છીએ. સખે! પ્રેમનું રહસ્ય સમજાવતાં મહું તને તું કહ્યું કે લગ્નથી એકત્ર થતાં સ્ત્રી પુરૂષ ઉપર, સૃષ્ટિની ઉન્નતિના કર્તવ્યનો બોજો છે. સ્થૂળ ભોગથી, સ્થૂળ દેહને જન્મ આપી સૃષ્ટિમાં મનુષ્ય જતિને વધારવી, માનસિક ભેગથી સૃષ્ટિની માનસિક શક્તિને પિવી, તથા ચેતનાના વિકાસમાં સૃષ્ટિમાં ચેતના પૂરવી એ કંઈ પ્રેમનાં સંગ-તે સર્વ ધર્મ-કહી શકાય નહિ. “ અરે પ્રીતિ પ્રીતિ, જગત જન જેને કહી ભરે; " તપાસી જોતાં તે, મતલબ તણું વાતજ કરે.” “તે તે જેજે કુમુદ શશિમાં પ્રેમની દિવ્યતા ! જે પ્રીતિથી જીવન સધળું અર્ષ તું હા પતંગ!” આહા ! એ તો જન હૃદયને શીખવે દિવ્ય કાંઈ?” પ્રેમની પરિપૂર્ણ વ્યાખ્યા થઈ શકી મુશ્કેલ છે અને જેમ (પાદરાકરને લેખ) કહે છે તેમ સ્થળ જગતને માટે તે સુમ પ્રેમ સદા અપૂર્ણ છે તે સર્વને હૃદયમાં ઉત્પન થયે જીરવાત નથી. સ્થળ પ્રેમની માયામાં વીંટળાયેલા છેવોથી તે જ જતું નથી. પૃથ્વિમાં તે સમાતો નથી. એક ભવથી પુરે થતું નથી તે ધાથી તે પૃથ નથી અને

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36