Page #1
--------------------------------------------------------------------------
________________
REGISTERED NO. B. 876. શ્રી જૈનશ્વેતાંબર મૂર્તિપૂજક બડગના હતાર્થે પ્રગટ થતું.
बुद्धिप्रभा.
LIGHT OF REASON.
ज्ञानदर्शनचारित्राणि मोक्षमार्गः डीसेम्बर १९१३ वीर संवत २४३९
अक
पुस्तक ५ मुं.
વિષયાનુક્રમણિકા.
• પૃષ્ટ વિષય. - ૧, પ્રાચીન ગુર્જર ભાષામાં જૈન | ૬. જગત. ... | સાહિત્ય ... • ૨૭૩ | ૭. શ્યામા સંગ સંવેગ ... ... ૨૯૫ ૨, પૂર્વાચાર્ય તથા સવેગી સાધુઓએ
૮. સમયને ઓળખે. ... ... ચારિત્ર માર્ગ સંબધી જે બાલા.
૪. દિવ્ય દર્શન. .. રૂપ કાયદાઓ પૂર્વે કર્યા હતા તે જુના પાનાઓમાંથી સાર રૂપે અત્રે
૧૦. બ્રાતાના અવસાન પછી. ... ર૮૮ કેટલાક બાલ ઉતારવામાં આવે છે. ૨૭૬
૧૧. પેથાપુરમાં આચાર્ય પદવી અને ૩. સ્થૂલ પ્રેમ અને સૂક્ષ્મ પ્રેમ. ... ૨૭૮
- તે નિમિત્ત થયેલા મહાત્સવ ... ૩૦૦ '૪. દિવ્ય પિતૃભક્તિ ! ... ... ૨૮૧ | ૧૨. માનવ હિતબોધ. ... ... ૩૦૩ ૫. મનુષ્ય. ... ... ... ૨૮૮ ૧૩. જીવન જગમાં સફળ તુજ હા ,, ૩૦૪
प्रसिद्धकर्ता-श्री अध्यात्मज्ञान प्रसारक मंडळ. વ્યવસ્થાપક-અમદાવાદ શ્રી નશ્વેતાંબર મૂર્તિપૂજક ભેંડગ| તરફથ્રી સુપ્રીન્ટેન્ડન્ટ, શકરલાલ ડાહ્યાભાઈ કાપડી
| મુ, અમદાવાદ
વાર્ષિક લવાજમ–પટેજ સાથે રૂ. ૧-૪-૦ સ્થાનિક ૧-૦-૦ અમદાવાદ–ધી “ ડાયમંડ જ્યુબિલી ” પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદ્યાસ છગનલાલે છાપ્યું.
Page #2
--------------------------------------------------------------------------
________________
જાણવાજોગ વર્તમાન, ચાલુ માસ અનેક સ્થળે ઓચ્છવ-મહોત્સવમાં અને તેવાજ બીજા શુભ ક્રા પસાર થયો છે અને સુપ્રસિદ્ધ દાનેશ્વરી શેઠ મનસુખભાઇને ત્યાં શેઠ માણેકલાલભાઈના લગ્ન પ્રસંગે તેઓશ્રીને ત્યાં ઉજમણાની રચના ઉત્તમ પ્રકારની કરવામાં આવી હતી. વરાડા વગેરેન ઠાઠ અને લોકની મેદની બહુજ હતી. આસપાસના ગામના અને શેઠશ્રીના જાણીતા સંબંધીઓ સારી સંખ્યામાં પધાર્યા હતા. શેઠશ્રી તરફથી નાકારસી અને જમણા થયાં હતાં તથા અષ્ટાતરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું તથા જુદે જુદે ઉપાશ્રયે ઉપધાન ક્રિયા ચાલતી હતી જે પૂર્ણ થવાથી માળ પહેરવાના વરધોડા જુદે જુદે દીવસે ચડ્યા હતા._ " પેથાપુર મધ્યે–આવન જીનાલયના દેરાસરની પ્રતિષ્ઠા સારી ધામધુમ પૂર્વક થઇ છે. ઉપજ રૂ. ૨૨૦૦૦ જેટલી થઈ છે. ૮ તાકાસીઓ થઈ હતી. ત્યાર બાદ શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈના મરણાર્થે તેમના તેહીઓએ પેથાપુરમાં એક કેળવણીને ઉત્તેજન આપનાર સંસ્થા ખેલવા દંડ કરેલ જેમાં લગભગ રૂ. ૨૫૦૦૦) થયેલા છે તે ફંડ તરફથી-પેથાપર શેઠ મનસુખભાઈ ભગુભાઈ એંગ્લો વર્નાક્યુલર સ્કુલ ખોલવામાં આવી છે. ત્યાર બાદ થોડાજ દીવસમાં ચાગનિષ્ઠ શ્રીમદ્ મુની મહારાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજને આચાર્ય પદવી આ પવાને મહાત્સવ ત્યાંના સધે ઘણી ધામધુમ પૂર્વક કર્યો છે જે પ્રસંગે પણ એ નાકારસીઓ અને પ્રભાવનાઓ થઈ હતી.
આજ રીતે અન્ય કેટલાક સ્થલેએ ઉપાધ્યાય-પ્રર્વત્તક-પન્યાસાદિ પઢીઓ આપવાની શુભ ક્રિયાઓ થઈ છે.
આ માસમાં જૈન ઍડવોકેટ ” નામે એક અઠવાડીકપત્ર અત્રેથી પ્રગટ થયું છે.
આબુજી જૈન મંદિરમાં યુરોપીઅને વીઝીટરોને ચામડાના બુટ બદલી તેને બદલે કેનવાસના સ્લીપર પહેરીને દાખલ થવાની બહાલી હિંદી સરકારે આપી છે.
દાની સ્ત્રી:-પ્રયાગની એક કાયસ્થ સ્ત્રીએ પોતાની જ્ઞાતિમાં વિધા પ્રચાર માટે રૂ. પાંચ લાખનું દાન કર્યું છે.
ભેટ આપવાની છે. રા. રા. શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ. તરફથી “ જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ ' નામના પુસ્તકની ૩૦૦ નકલે, દરેક જૈન લાયબ્રેરી, જૈનશાળા તથા પૂજ્ય મુનિ મહારાજેને પોતાના ટપાલ ખરચથી ભેટ આપવા માટે અમને મળી છે માટે જેમને જોઇએ તેઓએ નીચેના સ્થળેથી પોસ્ટ કાર્ડ લખી મંગાવી લેવી.
ઉપરની ચાપડીની બીજી આવૃત્તિની ૧૦૦૦) નકલ રા. રા. શેઠ જેમનાદાસ જેઠાભાઈ તરફથી અત્ર શહેરમાં યોગ્ય સ્થળે મફત વહેંચવા માટે અમને મળી છે તે ખાતર શ્રીયુત શેઠને ધન્યવાદ ધટે છે.
વ્યવસ્થાપક બુદ્ધિપ્રભા.”
છે. નાગારીસરાહ–અમદાવા
Page #3
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૫ સુ
બુદ્ધિપ્રભા
(The Light of Reason) ब्रह्मानन्दविधान के पतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥ તા. ૧૫ ડીસેમ્બર સન ૧૯૧૩
प्राचीन गुर्जरभाषामां जैन साहित्य.
आत्मशिक्षा. #दोदरा.
( संशोधक जैनाचार्य योगनिष्ट बुद्धिसागरसूरिजी . ) आपस्वरूप विचार तुं, जो होए हिइडे सान | करणी तेहवी कीजीए, जिम वाधे जगवान ॥ २८ ॥ वडपण धर्म थाइ नहीं, जोवन एलि जाय । वचवेगल धसमस करी, पछी फरि पस्ताय ॥ २९ ॥ जरा आवी योवन गयो, शिर पलिया ते केश । ललता तो छंडी नहीं, न कर्यो धर्म लवलेश ॥ ३० ॥ पंचेद्रि जिहां पडवडां, रोम जरा नावंत |
योवन विचली आवे सदा, करो धर्म माहांत ॥ ३१ ॥ ती हाथ न वावरलो, संबल न कियो साथ ।
आध गइ चीतीयो, पछे घसे निज हाथ ॥ ३२ ॥
धन जोबन नर रूपनो, गर्व करे ते गमार ।
कृष्ण बलभद्र द्वारिका, जाता न लागी वार ॥ ३३ ॥
भा
* श्री वात्मशिक्षा नामक लघु राज्यना कर्ता श्री विजयसेनसूरिना वखतमा विद्यमान हता. लगभग aणसो वर्ष पूर्वे जैन कविनी गुजराती भाषा अने तेनो सार बाचकोने समजाय ते माठे मासिकमां तेनो उतारो करवामां आव्यो छे. तेना कर्ता कोण छे ते छेवटे दर्शाव्युं छे. अमदावाद झषेरीवाडी, लहेरीया पोळना रहीश श्रोता पानाचंदभाइ के जे थोडा वर्ष पर मृत्यु पान्या छे. जैमनी पासेथी अक टीपणुं मळ्युं हतुं, तेमांची मात्र उतारो करवामां आव्यो छे.
Page #4
--------------------------------------------------------------------------
________________
१७४
भुमिमा
आठ पहोर तुं धसमसी, धन (कारण) देशांतर जाय । सो धन मेल्युं ताहरूं, ओरज कोइ खाय ।। ३४ ॥ आंखतणे फरुकडे, उथलपाथल थाय । इशु जाणी जीव बापडा, म करीश ममता माय ॥ ३५ ॥ माया सुख संसारमां, ते सुख सही असार । धर्म पसाइ सुख मली, ते सुख न आवे पार ॥ ३६ ॥ नयन फरके जिहां लगे, तिहां ताहरु सहु कोय । नयन फरुकत जब रही, तब आथ ओरज कोय ॥ ३७॥ पाप कीया जीऊ ते बहु, धर्म न कीओ लगार । नर्क पडयो जमकर चढयो, पडयो तिहां करे पोकार ।। ३८ ॥ को दन राणो राजीओ, को दन भयो तुं देव । को दिन रांक तुं अवतर्यो, करतो ओरज सेव ॥ ३९ ॥ को दिन कोडी परखर्यो, को दिन नहि को पास । को दिन घर घर एकलो, भम्यो सही युं दास ॥ ४० ॥ को दिन सुखासन पालखी, जलमची चकडोल। रथपाला आगल चले, नित्य नित्य करत कलोल ॥४१॥ को दिन कूर कपूर तुं, भावत नहीं लगार । को दिन रोटी कारणे, भमे ते घर घरवार ॥ ४२ ॥ हीर चीर अंगज पहिरीयां, चुआचंदन बहु लाय । सोतन जतन करत भयो, खीणमांही विघदाय ॥ ४३ ॥ सातमी गोख तुं शोभतो, कामनी भोगविलास । एक दिन ओहि आविसि, रहणोहि वनवास ॥४४॥ रुपी देवकुमार सम, देखत मोहे नरनार । सो नर खीण एकमां वली, वली जली होवे छार ॥ ४५ ॥ जे विना घडीय न जायती, सो वरसासो जाय । ते वल्लभ विसरी गयो, ओर सुं चीतवे छार ॥ ४६॥ वेखत सब जग जातु हे, थिर न रहेवे कोय । इसु जाणी भलं कीजीए, हीये विमासी जोय ॥४७॥ सुरपति सवे सेवा करे, राय राणा नरनार ! आयप होती आतमा, जातां न लागे वार ।। ४८ ॥ देखत न अंधा हुआ, जे वीट्या मोहजाल । भण्या गण्या मूरख वली, नरनारी बालगोपाल ।। ४९ ॥
Page #5
--------------------------------------------------------------------------
________________
२७५
પ્રાચીન ગુર્જરભાષામાં જેન સાહિત્ય. रात दिवस निज प्रिया सुं, तुं रमतो मनरंग । जे जोइ ते पूरतो, उलट आणी अंग ॥ ५० ॥ सो रामा जीउ ताहरी, खिणमाही विघटाय । स्वार्थ पहोंचत जब रह्यो, तब फेरी वेरी थाय ॥ ५१ ॥ समुद्रद्वीप सायर सवे, पान्या केइ पार । नारी हृदय दोय आगलां, को नवी पाम्या पार ॥ ५२॥ ब्रह्मा नारायण इश्वर, इंद्र चंद्र नर कोड। ललना वचन हुवा लालची, रया ते वे करजोड ।। ५३ ॥ नारी वदन सोहामणो, पण वाघणी अवतार । जे नर बहने वश पड्या, तस लुस्या घरवार ॥ ५४ ।। हस्त मुखे दीसे भली, करते कारमो नेह । कनकलता वाहिर जिसी, अभंतर पितल तेह ॥ ५५ ॥ पहिली प्रीति करे रंगशं, मीठा बोली नार । नरदास करियो आपणो, पछे मूके टाकर मार ॥५६॥ नारी मदन तलावडी, बुड्यो सयल संसार । काढण हारो को नहीं, बुडावु बन वार ॥ ५७ ॥ वीस वीसाना जे नरा, कोइ नही तसवंक । पण नारी संगतं तेहने, निश्चे चढे कलंक ॥ ५८ ॥ मुंज अने चंड प्रद्योतना, दासीपति पाम्या नाम । अभयकुमार बुद्धि आगलो, तेह ठग्यो अभिराम ॥ ५९॥ नारी नहींरे बापडी, पणं ए विषनी वेल । जो सुख वांच्छे मुक्तिना, तो नारी संगत मेल ॥ ६० ॥ नारी जगमा ते भली, जियो जाया पुरुष रतन । ते सतीने नित्य पाये नमुं, जगमा ते धन्य धन्व ।। ६१ ॥ पाप घट पूरण भरी, तें लीयो शिर भार । ते किम छूटीश जीवडा, न करी धर्म लगार ।। ६२ ।। तो इसुं जाणे कुडकपट, बल बलय तु छांड । ते छांडीने जीवडा, जिन धर्मसुं चित्त मांड ।। ६३ ॥ जेणे वचने पर दुखीयों, जेणे होये प्राणी घात । कलेशे पडे नीज आतमा, तज्वो उत्तम ते वात ॥ ६४ ॥ जीमतीम परसुख दीजीए, दुख न दीजे कोई । दुख दीजे दुख पामीए, सुख दीजेज सुख होय ॥ ६५ ॥
Page #6
--------------------------------------------------------------------------
________________
-
-
२७५
प्रिला. परनात निंदा जे करे, ओर कूड़ा दीए आल । मम प्रकाशे परतणा, एथी भलो चंडाल ॥ ६६ ॥ षटमासीने पारणे, एकसीतु लहे आहार । करतो निंदा नव टळे, तस दुर्गति अवतार ।। ६७ ॥ छार उपर जीम लीपणु, त्यम क्रोधी तप कीध । तस जप तप संयम मुधा, एके काज न सीध ॥६८॥ पूरव कोडने आउखे, पाले चारित्र्य सार । सुकृत सर्वे तेहy, क्षिणमा होवे छार ॥ ६९ ॥ पर अवगुण सर्षवसमा, अवगुण निज मेरु समान । तो कां करे निंदा पारकी, मूरख आणी नीज सांन ॥ ७० ॥ परअवगुण जीम देखीए, तीम परगुण तुं जोय । परगुण लेता जीवडा, अखह अजरामर होय ॥ ७१ ॥ क्रोधी नर अछे सदा, कहीय न उतरे रीस । ते छोडी दूर आतमा, रहीए जोयण पणवीस ॥ ७२ ।। गुण कीधा माने नहि, अने अवगुण मांडी मूल । ते नर संगत छांडीए, पगपथ माथाशूल ॥ ७३ ॥ निंदा करे जे आपणी, ते जीवो जगमाय । . मलमूत्र धोइ परतणा, पछे अधोगति जाय ॥४॥ जे मलमूत्र धोइ सदा, गुणवंतना निशदिश ।
ते दुर्जन जीवो घणु, जगमा क्रोड वरीस ॥ ७५ ।। पूर्वाचार्य तथा संवेगीसाधुओओ चारित्रमार्ग संबंधी जे बोलोरुप कायदाओ पूर्वे कर्या हता ते जूना पानाओमांथी साररुपे
अत्र केटलाक बोलो उतारवामां आवे छे.
(સંગ્રાહક શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય યોગનિષ્ઠ મુનિ બુદ્ધિસાગરસૂરિજી મહારાજ.) સંવેગી સાધુ વેગ્ય વ્યવહાર મર્યાદાના બેલમાંના સારરૂપ બોલે,
યથા પદસ્થ આચાર્ય ઉપાધ્યાય વિના નાણે અંગ પૂજા ન કરાવવી. પદરથ વિના સેનેરી રૂપેરી સાજનાં ઝરમર ચંદુઆ બંધાવવા નહિ. જેણે જે શિષ્ય પ્રતિબોધ્યા હોય તે પદસ્થને પુછીને તેને દેવે.
કઈ શિષ્ય ગુરૂથી દમણે થઈ પરસધાડામાં જાય ત્યારે તેના ગુરૂની આજ્ઞા વિના તેને ન સંગ્રહ અને વડિલ હવે વ્યવહારે વાંદો પણ નહિ અને ગુરૂનો અવર્ણવાદી પ્રત્યનીતા કરીને જાય તે વારે વેવ લઈને કાઢી મૂકે.
Page #7
--------------------------------------------------------------------------
________________
ચારિત્રમાર્ગ સંબંધી કેટલાક બોલો.
૨૭૭
----- --
--
--
સામાન્ય યતિએ અધિક વસ્તુનું પુંઠીયું ન રાખવું પદસ્થ પણ યથાયોગ્યપણે કારણે જ ચાર માસ ઉપરાંત ન રાખવું. પર્વદિને દષ્ટિ પડિલેહણ કરવી.
માસ કહ૫ પાલટવે. ગોચરી વસતિ ધંડિલ ભૂમિકા પલટાય તેમ પાલટો. રોગાદિક કારણે જ્યણું તથા એક સામાચારીએ એક માંડલીના એક પરિણતિને ઘેર ઉપરાઉપરી ન જવું.
સામાન્યપતિએ સ્ત્રીયાદિકને ઘેર જઈ ભણાવવું નહિ. તેની સાથે આલાપ સલામ ન કરવો. જે અક્ષરાદિક પુછે તે ઉપાશ્રય મળે કહે.
સામાન્યથતિ હજાર લોકથી અધિક લખાવવું નહીં. તે પણ લેખકને ઘેર જાવું આવવું નહીં, પુસ્તક વેચાતા લેવા આથીપણું કમવિક્રમ ગૃહસ્ય હાયે કરકરાવ પસ્વયંસંયતન કરવો.
વાવ દુર દીક્ષા પર્યાય વર્ષ વશ તથા બાર વર્ષ વિના એકલે જવું આવવું, આયાદિકને ભણાવવું નિષેધ. રોમાદિક ફારણે જયણ. ઉપાશ્રય મધ્યે આવ્યા તે બોલાવવાની જયણું.
થાપના ઘર કલ્પી હોય ત્યાં નિત્ય આહારર્થે ન જવું. સામાન્યયતિએ સ્ત્રીને આલોચના ન દેવી.
સામાન્યયતિએ વાટે વોલાવો ન લે. વિશેષ કારણે જયણ. ગૃહસ્થાદિક સાથે આ વિને તે તેના નથી. તથા સંવર્ચ્યુરી પાડક સંવછરદાને સ્વસમવાયી પરસમવાયી ટાલ નહિ અને તીર્થંકરની ભકિતએ સ્વગચ્છી પરગછી ન જે. ગુણાનુરાગ વધતે અંગીકાર કર્યો.
રાત્રે ધર્મ જાગરિકા ન થતી હોય તિહાં યતિએ ન રહેવું.
સાધ્વી ન કરવી, કદાચિત સ્વયંબંધિની હોય તે ચાલીશ વર્ષ પછી દેવાની જયણ અને પરગાછી આવે તે વડેરાને પુછીને રાખવી.
ગીતાર્થ વિના વ્યાખ્યાન ન કરવું. જઘન્યથી સમવાયાંગ સૂત્રગમા મેલવી જાણે, સંસ્કૃત ભાષાનિપુણ શ્રદ્ધાવંત શુદ્ધ પ્રરૂપક, કુશલ નહિ. સુશીલગચ્છ નાયકનો દિધી તે ગીતાર્થ વ્યાખ્યાન કરવાનો અધિકારી. એકલી શ્રાવિકાની પર્ષદા આગળ વ્યાખ્યાન ન કરવું.
વિશેષ કાણુ વિના પહિલી છ ઘડી દીન પાછલી ઘડીચાર મળે .આહાર ન કરે. પારણાદિકને કામે શીતલ ભક્તાદિકની જયણ.
વપર્વીએ વિગય ન લેવી વિશેષ તપાદિકની જયણું.
નવ દીક્ષિત શિષ્ય ગૃહસ્થ ગૃહસ્થિણી સાથે આલાપ સંતાપ ન કરવો. ગૃહસ્થ ગૃહે ભણવા ભણાવાદિકે જવાને પ્રસંગ ન કરવા દે.
એવધાદિક દ્રવ્ય એકના ઘરથી લઈ સ્વનિશ્રાએ ગૃહાંતરે ન મૂકે.
સાત ક્ષેત્રને નામે દ્રવ્ય જે શ્રાવકે કર્યા હોય ત્યાંથી લેઈ અપર શ્રાવક પિતાને મેળાપી હેય તેના ઘરે યતિએ ઉદીરણા કરી મૂકાવ નહિ, ગૃહસ્થ મળે મૂકે તે વારૂ. તીર્ષાદિકને ઠામે વિશેષ કારણે જયણ.
ઈત્યાદિક મર્યાદા પટ્ટક સર્વ સંવેગી સમુદાયે પાળવા પળાવવા.
પતિ જયસમગણિમતમ. પંડિત જળવિજયગણિતમ. પંડિત સત્યવિજ્યગણિમતમ. ગાદ્ધિવિમલગણિતમ
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૭
બુદ્ધિપભા.
અ
પાઇ
ઇ
.
. *
*
*
*
*
* *
* *
*
स्थूल प्रेम, अने सूक्ष्म प्रेम!
નો
એક પત્ર! પ્રિય સખે ! કલ્પનાશક્તિના એક વિચિત્ર પ્રભાવનું આ પત્રમાં ખારે તને દિગદર્શન કરાવવાનું છે. ખરે! એક કલ્પનાસ્તો ! કલ્પના, તે પણ વિશુદ્ધ નિર્મલ હૃદયની કલ્પનાના સુલલિત પ્રસાદમાં ને પણ કંઈ ભાગ આપવો ઉચિત લાગે છે.
જીવન ! ગઈ કાલે શરદપૂર્ણિમાની રાત્રિ હતી. રાત્રિના બાર વાગ્યા હતા. મધ્ય નીરાને શાંત-સુંદર સમય વહ્યા જતા હતે. ચંદ્ર બારીમાંથી હમારા પલંગ ઉપર ડોકીઓ કરતે હતું. સરસ્વતીચંદ્રના ચોથા ભાગનું એક પ્રકરણ વાંચવાનું બંધ કરી, શશિરેખા, મહારા પગ પાસે બેસી ચંદ્રને નિહાળતી, કલ્પનાની પાંખોપર ઉડતી હતી, અને નૂતન વિચાર પ્ર. દેશમાં નિરંકુશ રિયા ભૂખે વિરહતી હતી. તેના મુખપરની ઘડી ઘડી બદલાતી રેખાઓથી તેના હૃદયના મંત્ર હું વાંચતો હતો. અંતે તે હસી પડી અને બોલી “વહાલા! આ ચંદ ના કહે છે!” “શું ના કહો?” હે પુછ્યું. અને તે જવાબ કેવી વિચિત્ર કલ્પત કુસુમ તું કંઈ કળી શકે છે? શશીરેખાએ શું કહ્યું? “સ્થત પ્રેમ અને સૂક્ષ્મ પ્રેમ જેવું કંઈ નથી.” એ તેની કલ્પનાને સાર. અને પ્રેમનાં તો પ્રથક્કરણનાં, અમે કલ્પનાની કુંજમાં વિહાર કર્યો, કુંજનાં રક્ષે થશે–વેલીએ વેલીએ ને ડાળીએ ડાળીએ ભ્રમણ કર્યું ! અને તે વિહારના ફળમાં એજ નીકળ્યું કે “સ્થૂલ કે સૂક્ષ્મ પ્રેમ જેવું કંઈ છે જ નહિ.”
સખે ! પ્રેમનાં રહસ્ય કેણું વધારે હમજે છે? શાસ્ત્રીની પોથીઓ ઉકેલતો જડ તત્વજ્ઞાની, કે સ્ત્રીના હૃદય પરાગમાં મન રસીક ત્રસૂર? વિશ્વ વ્યાપક શાંતિમાં, ઇન્દ્રિયોના વ્યાપાર લીન થાય છે, ત્યારે પ્રેમીઓના સંયુક્ત હૃદયમાંથી-ઉડી ઉડી આભાની ઔકાતામાંથી દિ શબ્દોમાં દિવ્ય સંગીત ઝરે છે? વિચાર તથા ભાવની પરે અગણિત તારાઓ ચમકી રહે છે, અને એ સંગીતમાં, એ વિચારમાં, એ ભાવમાં પ્રેમનાં ઉડાં ગૂઢ રહસ્ય શુદ્ધ પ્રેમીઓ નીરખે છે! અનુભવે છે, તથા આત્મામાં સંગ્રહી લે છે. પ્રેમ અવિછત્ર છે, પ્રેમના વિભાગ કરનાર તત્વજ્ઞાનીઓ પ્રેમનું ખરું રહસ્ય હુમજ્યા નથી. પ્રેમ સ્થૂલ પણ નથી, પ્રેમ સુક્ષ્મ પણ નથી. ત્યારે પ્રેમ કેવો છે? પ્રેમ શું છે?
જડ શરીરના જડભોગ ભોગવનાર દંપતી વચ્ચે પ્રેમ એ સ્થૂલ પ્રેમ ગણાય છે. સ્ત્રી પુરૂષ વચ્ચેના આવા સંબંધને પ્રેમનું નામ આપનાર દંભીઓ પ્રેમની જેટલી અવગણના કરે છે, તેટલીજ અવગણના “પ્રાણ પ્રાણુની ચેતનાએ પ્રેમ”-એ સૂક્ષ્મ મ, એ સુત્રને સ્વિકારનાર પણ કરે છે.
જડબેગ, માનસિક વિલાસ, અને આત્માની ચેતનાએ પ્રેમનાં આવશ્યક તત્વ નથી. ખરું છે કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં આ તવેમાંના કોઈને કોઈ હોય છે, પરંતુ એ તો પ્રેમનાં અનુસંગી તો છે-પ્રેમનાં આવશ્યક અંગ નથી. પ્રેમને બાહ્ય આવિભૉવ આ તવ દ્વારા જ થાય છે. પણ પેનને આત્મા એ સર્વ તત્વ થી કઈ બિનજ છે. પ્રેમના આ ભાના સ્વરૂપનું નિરૂપણ કરવાનો આ પ્રયત્ન છે.
સખે ! “ આત્માનું સ્વરૂપ” એ શબ્દથી ગભરાઈશ નહિ. x x x x xx પ્રેમને આત્મા એટલે પ્રેમનાં આવશ્યક અંગ, તેમના સ્વરૂપનું દિગ્ગદર્શન આપણે કરવાનું છે. સખે !
Page #9
--------------------------------------------------------------------------
________________
સ્થલ
, અને સૂક્ષ્મ કેમ?
પ્રેમ એટલે સ્ત્રી પુરૂષ વચ્ચે (યાતે બે વ્યક્તિ વચ્ચે) એક પ્રકારનો સંબંધ, એ તત્વ તે સર્વ માન્ય છે. પરંતુ એ સંબંધ કેવા પ્રકાર છે તે આપણે જોવાનું છે. સ્ત્રી વ્યક્તિ અને પુરૂષ વ્યક્તિ વચ્ચેનો સંબંધ અન્ય જનોના જ્ઞાન માટે પ્રગટપણે સ્વિકારવામાં આવે છે ત્યારે તે લગ્ન કહેવાય છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો સંબંધ, જન સમાજના સંગમાં આવતાં, આમ લગ્નરૂપે રૂપાંતર પામે છે. પ્રેમને બાહ્ય આવિર્ભાવ જે દ્રષ્ટિગોચર થાય છે તે આવી રીતે જન સમાજના સ્પર્વથી રંગીત થયેલું હોય છે.
સ્થૂલભોગ-માનસિક વિલાસ-પ્રાણની ચેતનાએ સર્વ પ્રેમનાં બાહિર્ભાવ પામતાં, બાત્યાંગ છે અને એ સર્વ અંગ, સમાજના સ્પર્ષથી રંગત થયેલાં હોય છે. પ્રેમનાં શુદ્ધ તત્ત્વ એ અંગથી કંઇ ભિન્ન જ છે અને પ્રેમના વિભાગ ( સૂક્ષ્મ પ્રેમ-તથા સૂક્ષ્મ પ્રેમ) જનસમાજના સ્પર્વથી દુષિત થયેલા અંગને અનુસરીને પડેલા હોય છે માટે અનિત્ય છે. આ પણે જેને સ્થૂળ પ્રેમ અગર સૂમ પ્રેમને નામે ઓળખીએ છીએ તે માત્ર પ્રેમને આભાસ છે. જડ શરીરની શકિતમાં ન્યુનતા થતાં જડબેગ નાશ પામે છે. માનસિક શકિતઓનો ક્ષય થતાં માનસિક વિકાસ ઘટે છે, તથા જીવનમાંના અનિવાર્ય કઠણ પ્રસંગને આધાત થતાં, તથા તેના ઘા ખમનાં પ્રાણુની ચેતને પણ ન્યુન થાય છે તેટલાજ માટે આ સર્વ અંગ અનિત્ય છે પણ પ્રેમને આપણે નિત્ય કહીએ છીએ, અને પ્રેમ નિત્ય છે તેથી જ આ સર્વ અંગથી ભિન્ન છે.
મનુષ્ય પોતાની આંતર વૃત્તિઓ તથા સૃષ્ટિના સર્વ બાહ્ય પ્રસંગે, જનસમાજના નેત્ર હારાજ નિરખે છે. અગણિત વર્ષથી સમાજમાં રહેવાના અભ્યાસથી, આ પરિણામ થયેલું છે. સમાજનાં બંધને દૂર કરી–વસ્તુ માત્રને તેના શુદ્ધ સ્વરૂપમાં જોવાનું કાર્ય અતિ વિકટ તથા સૂક્ષ્મ થયેલું છે.
નીતિક્ષેત્રમાં આવું શુદ્ધ સ્વરૂપ નીરખવાનો પ્રયાસ રૂપિઓએ પ્રથમ કર્યો હતો અને પ્રેમના વિશાળ અતિ દુર્ગમ ક્ષેત્રમાં તેવો પ્રયાસ આજે આપણે આદરીએ છીએ.
સખે! પ્રેમનું રહસ્ય સમજાવતાં મહું તને તું કહ્યું કે લગ્નથી એકત્ર થતાં સ્ત્રી પુરૂષ ઉપર, સૃષ્ટિની ઉન્નતિના કર્તવ્યનો બોજો છે. સ્થૂળ ભોગથી, સ્થૂળ દેહને જન્મ આપી સૃષ્ટિમાં મનુષ્ય જતિને વધારવી, માનસિક ભેગથી સૃષ્ટિની માનસિક શક્તિને પિવી, તથા ચેતનાના વિકાસમાં સૃષ્ટિમાં ચેતના પૂરવી એ કંઈ પ્રેમનાં સંગ-તે સર્વ ધર્મ-કહી શકાય નહિ.
“ અરે પ્રીતિ પ્રીતિ, જગત જન જેને કહી ભરે; " તપાસી જોતાં તે, મતલબ તણું વાતજ કરે.”
“તે તે જેજે કુમુદ શશિમાં પ્રેમની દિવ્યતા !
જે પ્રીતિથી જીવન સધળું અર્ષ તું હા પતંગ!”
આહા ! એ તો જન હૃદયને શીખવે દિવ્ય કાંઈ?” પ્રેમની પરિપૂર્ણ વ્યાખ્યા થઈ શકી મુશ્કેલ છે અને જેમ (પાદરાકરને લેખ) કહે છે તેમ
સ્થળ જગતને માટે તે સુમ પ્રેમ સદા અપૂર્ણ છે તે સર્વને હૃદયમાં ઉત્પન થયે જીરવાત નથી. સ્થળ પ્રેમની માયામાં વીંટળાયેલા છેવોથી તે જ જતું નથી. પૃથ્વિમાં તે સમાતો નથી. એક ભવથી પુરે થતું નથી તે ધાથી તે પૃથ નથી અને
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૮.
બુદ્ધિભા.
એવા ઉષ્કૃત–સૂક્ષ્મ પ્રેમ હેતુ માનવીએની સ્થૂલ વાંચ્છનાએની તૃપ્તિમાં નથી-પણ સમ બનવા બનાવવામાં–સ્વને-આત્માને ઓળખવામાં-તેને પૂજવા પામવામાં–પરમાત્માની પાસે જવાતા યત્નમાં છે. જ્યાં મારુષિ ક્લિષ્ટતાના કીચડ, પવિત્ર-સૂક્ષ્મ પ્રેમીએનાં ચરણ યુગળ મલિન કરતા નથી એવા સોહેં-તત્ત્વમાથે ને અવું પ્રાશ્મિર ! ના ધાર ઉચ્ચારાગા ત્રાથી જે બ્રૂમ સુંદર ખતી રહી છે, જ્યાં પરમાર્થ-દયા-વિશ્વપ્રેમ-સ્વાર્પણ- ન્હાવું–હેવું તે દિગ્ધતાનાંજ દર્શન થયાં કરે છે એવી દિવ્ય ભૂમિકા પ્રત્યે જવામાંજ સૂક્ષ્મ પ્રેમને હતુ સમાયલે છે તે તે હેતુતુ સાર્થક તે સૂક્ષ્મ પ્રેમ−ને તેજ હેતુને ધ્વસ થઇ-તેથી પ્રતિકૂળ પ્રવૃત્તિની પ્રાતતી થાય તે સ્થૂળ પ્રેમ સ્હેમવું. (૧૯૧૩ તે! સાંજને પતતી અંક પ. ૧૮૯ પાદરાકર.) સખે ! હજી પણ રાશિરેખા કહે છે કે, મનુષ્યની વણુ માઁરી, વાનાએ કેટલીએ રહી જતી હશે તેની ગણત્રી કોણે કરી છે? વન વનમાં કાલિાનાં ગાન, મનુષ્યના શ્રવણપુરમાં અચડાયા શીવાય કેટલાંય વરમતાં હશે?
"3
સમુદ્રના ઉન્નત હૃદય ક્ષેાભ મનુષ્યને દૃષ્ટિગોચર થયા વિના, ચંદ્રિકા સાથે મૂકવિલાસ કરતા હરી તેની પણ માનવી કેટલી કલ્પના કરી રાકશે ? “ માનવ વન માં સૃષ્ટિ સાંદર્યનાં પ્રાશના અધૂરા અધૂરાં ” શશિરેખા ! હજી પણ મને કહે છે કે, તેના કપાળમાં પ્રસરી રહેતી સરખી, મ્હે' કેટલીવાર નીરખી નથી? કોકિલા મ્હેરનું પ્રાશન કરે ત્યારે મ્હારની મીઠાશની, તે લલિત કડમાં કેટલી અમિ વતી તો તે કાળુ જાણે છે? તેવીજ રીતે હા ! પ્રેમના ચૈતન્ય દ્વારા બહિર ભાવ પામતાં ચિન્હ ણે કેટલાં નિરખ્યાં હશે ?
જીવનસખે ! પ્રેમનું શુદ્ધ અને અતિગહન એવું સૂક્ષ્મ સ્વરૂપ હું તને શી રીતે મ જાવી શકુ? તેમના વિભાગ સુક્ષ્મ તથા સ્કુલ પ્રેમના વિભાગના સ્વરૂપે કેમ કરી સાક્ષાત્કાર કરી શકું ? મ્હારૂં હૃદય આવીને ખેાલ, દ્વારા પેાતાના હૃદયમાં હારી ચૂક્ષ્મ દ્રષ્ટિથી તા. સી જે તે તને પ્રેમનાં તત્વને! અનુભવ થરો. હું તેમને જાણી શકીરા—અનુભવી શકીરા ખરી પણ દર્શાવી શકીશ નહિ. જડ વાણી તે મનુષ્યના ઉંડા ઉંડા ગૂઢભાવ શી રીતે દર્શાવી શકે ? તેપણુ, ખાલકના ખાલરવિશા મુખ મંડલની આસપાસ, મતે દર ચાંદલીઆની આસપાસ, મહા તપસ્વી તેજપૂંજ ચેાગીના વદનની આસપાસ, ખાલરવિનાં રશ્મિની આસપાસ, અને સ્ત્રીની લલિત દેહવલ્લરીની આસપાસ પ્રેમનું જે શાંત તેજ પસરી રહે છે, તેજ પ્રેમના અસ્તિત્વનું એક સખલ પ્રમાણુ છે. એવે રમ્ય તેજપૂંજ જેણે નીરખ્યા નથી તે પ્રેમી નથી.
પ્રેમ સ્થૂલ નથી, પ્રેમ સૂક્ષ્મ નથી, પ્રેમ આ નથી, પ્રેમ તે નથી. એજ રીતે પ્રેમનું સ્વપ્ત દર્શાવી શકાય ? વેદાંતીને નૈતિ નૈતિ કહીને બ્રહ્મનું સ્વરૂપ દર્શાવતાં તે નથી તેંગે ? “ પ્રેમ એ બ્રહ્મ છે, બ્રહ્મથી પણ કંઇક અધિક છે, સૃષ્ટિની સર્વે ઉચ્ચ શાક્તએને સાર એ પ્રેમ.
**
'
સખે ! હારે માટે નવાં તે શાંગીત મેાકલૂ ? આ બારી પાસેના આંબામાં બેઠી બેઠી કાયલ ટહુકે છે તે ગીત તકારે માટે વધારે સારાં છે.
26
ખારા ખારા સાગર મા ઉલેચાવશે; “ જલધિના જલચરને મા પજવશે,
.
“ સાગરમાં એક છે વીરડી મીડી; અમૃત આરે ત્યહાં માંડશું ઝુંપડી.
42
સખે ! વલી આ સબંધી આગળ ઉપર હૂમાં તે ઘણું થયું.
"
સદા સર્વદા હમારીજ.
પ્રવાસી.
Page #11
--------------------------------------------------------------------------
________________
.
૨૮૧
દિગ્ય પિતૃભક્તિ. दिव्य पितृभक्ति !
(પાદરાકર.) મનુષ્ય માત્રને, આ અખિલ વિશ્વમાં, સદા સર્વદા-દરેક સ્થિતિમાં જે કોઈ પણ વધારેમાં વધારે પૂજ્ય–વંધ-પીપકારી હોય તે તે માતા-પિતાજ છે અને એ તે સર્વ માન્ય વાર્તા છે અને પ્રાચીન અને અર્વાચીન જમાનાએ ક્યારનીએ સ્વિકારેલી સત્ય બીના છે કે, આપણને જન્મ આપી-પાળીપાધી-વિધાદાન દઈ–આટલી સારી સ્થિતિએ લાવવાના ઉપકારના બદલામાં તેમના પર ગમે તેટલા પ્રત્યુપકાર કરીએ-અરે કહે કે આપણું ચામડાના જેડા શીવડાવી તેમને પહેરાવીએ, તો પણ તેમના ઉપકારનો બદલો વાળવો મુશ્કેલ જ છે.
માબાપને પિતાને ખભે કાવડમાં બેસાડી ભારતવર્ષના સમગ્ર તીમાં ફેરવી-પિત ભક્તિનું અપૂર્વ દષ્ટાંત શિખવનાર પિતૃભક્તિ શ્રવણ–પિતાના ફકત એકજ વચનને ખાનઅપૂર્વ વૈભવ વિલાસને સૈભાગ્ય સમૃદ્ધિ યુક્ત રાજ્યને લાત મારી-વન વન રખડનાર રામચંદ્રજી ! પિતાને માછી કન્યાને પરણવાના માર્ગને મોકળો કરી-સુખી કરી તેમને સંતોષ આપવાની ખાતર આ જન્મ કુંવારા રહી રાજ્યપાટને રામ રામ કરનાર-ભીષ્મ આદિ ભારતવર્ષની વિભૂતિઓનું સ્મરણ કરાવનાર અશક પુત્ર કુણુલનું અતિ ઉત્કટ-પિતભકિતનું, હદય દ્રાવક જીવન ચરિત્ર આજરોજ વાંચક સન્મુખ સાદર કરવા ઈચ્છા રાખી છે,
ઇ. સ. પૂર્વ ૨૩૨–૨૭૨ ના અરસામાં મહારાજા અશોક નામના માતા પરોપકારીવિશ્વવિખ્યાત-જ્ઞાનસંપન્ન–સાવજોમ રાજા આ ભારતવર્ષને અલંકૃત કરી રહ્યા હતા. બહિ. સંતર સંદર્યતા સંયુક્ત-પતિવ્રતા રાણી અસંધિમિત્રા તેમના અંત:પુરને વિભૂષિત કરતી હતી. આવા સર્વ ગુણસંપન-વિશુદ્ધ પ્રેમભાવના ભર્યા દંપતીની સંતતી કી આદર્શ હોય તેને વિચાર વિવેકી વાંચકે તમે જ કરે. રાજપુત્ર કુણાલ-રાજા અશોકને એકને એકનેત્રમણી-કુલદિપક પુત્ર હતું. તે અતિશય સુંદર-ગુણવાન–શૂરવીર અને વિનયી હતું. રાજાનો તેમજ પ્રજાજનોને તેના પર અતિશય ચાહ અને પ્રેમ હતો. અને એ ભવિષ્યનો રાજા મહારાજા અશોક કરતાં પણ વિશેષ ન્યાયી-દયાળુ અને પરોપકારી થશે એમ સર્વને લાગતું હતું. સાર્વભૌમ અશોક રાજા જેવા પ્રતાપી પિતાના પુત્રના સુખ-સમૃદ્ધિ-સાહ્યબી અને આનંદમાં શી ખામી હેય વારૂ? પણ ના! વાંચક! એ એવા વિચારોમાં દોરાતા. “નથી સાહ્યબી સદાય કોઇની ટકી ટકી.” એ સૂત્રાનુસાર રાજકુમાર કુણાલને પણ બન્યું. રાજકમારપર હમેશાં અમિ વર્ષાવી તેની માયાળુ માવડી-રાજ્યનું સૌભાગ્ય-ને રાજાનું પરમ ધનતે રાણી આ નશ્વર જગતને ત્યાગ કરી ગયાં. સંસારમાં બાળકોને જે કઈ પણ સુખ હોય તો તે માયાળુ માવડજ મિષ્ટ સુખ છે. “મા-તે-મા.' ભલે ગાંડી ઘેલી પણ મા
માના રેટીઆમાં બાલક સમાય-પણ બાપના રાજ્યમાં ન સમાય ” એ સુર જગપ્રસિદ્ધજ છે. માતા પુત્રને નિઃસ્વાર્થ પ્રેમથી ચાહ્ય છે ને તેના સુખ દુઃખ વખતે ખરા નિર્મળ હૃદયથી તેને આશ્વાસન આપે છે. અરે ! માના તે શા ગુણ ગાઇએ. બાળક માટે ગાંડી ઘેલી ફરતી માવડી, બાલક માટે પથ્થર તેટલા દેવ ગણ પૂજની માવડી, બાળક માટે અડધી અડધી અધીરી થતી માવડી તારાં તે શાં યશોગાન ગાઇએ-બસ તને તે નમી પડાય છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૮૨
.
બુદ્ધિપ્રભા.
માતાના મરણથી કુણાલના દુઃખને પાર જ રહે નહિ. તેમજ રાજા પણ અત્યંત દુઃખી થઈ ગયો. તે કુણાલને કઈ વાતે પણ ઓછું આવવા દેતો નહિ. વખનના વહેવા સાથે રાજાએ બીજી રાણી સાથે લગ્ન કર્યું. રાણી તિરક્ષિના એક પરમ રૂપવતી રમણિ હતી પણ તે સુંદરતા બાજ હતી. આંતરીક સુંદરતા બીલકુલજ હતી નહિ.
રાજા પણ તેની બાહ્ય સુંદરતાપરજ મોહ પામ્યો હતો. સુંદરતા ને સદ્ગુણ એ બે વસ્તુઓને મિશ્રણ ભાગ્યવશાતજ સાંપડે છે. આ નવી પણ સુંદર રાણી અત્યંત વિષયી, સ્વાથ, દુષ્ટ સ્વભાવની અને દેશીલી હતી. તે કયે વખતે કયું પાપ કરશે કે શું પ્રપંચ ઉઠાવશે તે અગમ્ય હતું. તેને સદ્ગણી મનુષ્યોને ખાસ દેલ રહે. સર્વ સગુણ માણસ તેના શત્રુ તે સમજતી. અને આપણે રાજકુણાલ પણ તેને શત્રુ સમાન જ ભાસતો. અને ગમે તેમ તો પણ તે સાવકી મા જ કેની?
સાવકી મા " “માયાને ઘા—”
ખાતે ખા—”
“નહિ તે ચુલામાં જા—” તેને હમેશાં કુલ ખુંચતો હતો. તેને સુંદર ચહેરે, નિરોગી દેહ ને પરમ સૈભાગ્ય જઈને બળી જતી. અરેરે ! બિચારા રાજકુમારની તેમાં શું કસુર હતી? તેની દેહલતા સુંદર હોય, તેનું સૌભાગ્ય પરમ ઉત્તમ હોય તેમાં કુણાલનો શો વાંક? પણ અપરમાતા-એ શબ્દમાંજ એવી ખૂબી છે કે, તેની અને તે સર્વ અપ્રિયજ લાગે તે પછી આ રાણી શા માટે તેમાંથી અપવાદરૂપ બની રહે? વળી અધુરામાં પુરૂ રાણીએ કુણાલને કંઈક આજ્ઞા કરી હશે તે તેનાથી માન્ય થઈ નહિ હોય, ત્યારથી તે તે તેની ત્રણમાં જ ફરતી. ક્યારે દાવ આવે કે કુમારને ઘડેલાડવો કરી નંખાય! એવી શુભાશા (1) તે રાખતી હતી. તેણે પ્રથમ તેના પરથી રાજાનું મન બગાડી તેને રાજ્યમાંથી દૂર કરાવવા ઠરાવ કર્યો ! રાજાને ભંભેરવા માંડી ને તેના પરથી રાજાનો ભાવ કિમતી થવા લાગ્યા. મીઠું મીઠું બોલી રાણીએ રાજાના મગજપર પિતાનો કાબુ સંપૂર્ણ જમાવી દીધો. કહે કે રાજાને તેણે વશ કરી લીધો ને પિતાના હેતુ સાધ્ય કરી લીધે. ખરે સુંદર સ્વરૂપ ! તેં શું ઓછી ખાનાખરાબી કરી છે કે કુણાલનું સુધારે ? હમેશાંની કેરણુથી સજાની મતિ પણ બદલાઈ ગઈ ને તેણે પણ નિશ્ચય કર્યો કે કુણાલને પરદેશમાં કહાડવો.
અરેરે ! પુત્ર વત્સલ રાજા ! હારે પુત્ર પ્રેમ કયાં ગયો? હારી રાણીનું સ્મરણ કર ! શું તે ગઈ એટલે તેને તું મારી ગયો? શું તું નવીન જ બની ગયો? રે! રાજન ! હારી વિદ્વત્તા-હારી બુદ્ધિમત્તા કયાં સંતાઈ ગયાં? પુત્ર પ્રેમ-ન્યાય–દયા-નીતિ નાશી ગયાં ને વિષયો રાજા એક વિષથી દુષ્ટાનું રમકડું-અરે હથિયાર બન્યા.
ઓ ! અપરમાતાના રંપુના પિતા ચેતજો આ દ્રષ્ટાંતથી તમો સારે પંડે લેજે, સ્ત્રીના મૃત્યુથી તેને વિસ્કૃતિના પડદા તળે ઢાંકી દઈ નવીના મોહપાશમાં ફસાઇ, તમારા પુત્રો તમારી નવી સ્ત્રીને પ્રપંચથી અન્યાય ના પામે-સરસ્વતીચંદ્રમાંની “પેલા બાબુની કથા ” જેવું ન થાય તેને તપાસ રાખજે.
નવી રાણી તેનું સુંદર સ્વરૂપ-દિવ્ય યુવાવસ્થા ને મીઠા મીઠા શબ્દો બોલનાર પછી પુછવું જ શું? રાજા રાણીનું રમકડુ થઈ પડ્યાં. રાણું બોલી કે પરમેશ્વરજ બાલ્યા. રાણીને
Page #13
--------------------------------------------------------------------------
________________
દિવ્ય પિતૃભક્તિ.
૨૮૩
રાજાના ગુમ મંત્ર, પટકર્ણ થવાજ પામતા નહિ ને તેનો અમલ તુર્તજ થતું. રાણીના ભંભેરવાથી રાજાએ એક દીવસ હુકમ કર્યો કે કુણાલે પત્નીસ કુસુમપુર છોડી ત્યાંથી પાંચસો ગાઉ દુર તક્ષશિલા ગામ તરફ જવું. ત્યાંના સુબાની જગ્યા પર રાજકુમારની નિમશુંક થઈ. પિતાના પિતા, પહેલાં તે તેને પલવાર પણ નેત્રોથી દુર કરતો નહિ, તેનાજ તરફથી આવી આજ્ઞા સાંભળી રાજકુમાર વિસ્મિત થયો પરંતુ આ હુકમ થવામાં પોતાની સાવકી માતાનો જ ઉપકાર થયે હશે ! એમ સમજી તેણે તત્કાળ તક્ષશિલાનો રસ્તો પકડો.
તેને પિતાના બાપની ફરી ગયેલી પ્રકૃતિ સંબંધી જ લાગ્યા કરતું હતું. શું આ અપરમાતાનેજ પ્રસાદ હશે ? એવા સવાલ હૃદયને પુછતે પુછતોજ તે દેવનાપર ભરૂસો રાખી ચા. હાય! અપરમાતા ! તેં કેને શાંતિથી બેસવા દીધા. અરેરે ! બિચારા સર
સ્વતીચંદ્ર ! અપરમાતાના પરાક્રમેજ તમારે છતા વૈભવે ફકીરીવેશમાં ગામે ગામ ને ડુંગરે ડુંગર રઝળવું પડ્યું ને? કુમુદ જેવા રત્નને ત્યાગ કરવો પડે ને? અરેરે મહાત્મા દ્રવજ? ભરી સભામાં–પિતા જેવા પિતાના ખોળામાંથી ધક્કો મારી-સુકોમળ દેહને ગાળી નાંખવા-વન વગડાના હિંસક પશુઓ ભેગા રહેવા મોકલવાને ઉપકાર એ તમારી અપરમાતાને જ કેના! મહાત્મા રામચંદ્રજી ! રાજ્યને ત્યાગ કરી-વનવન રખડાવનાર–ભયંકર યુદ્ધ કરાવનાર–તથા અપાર કષ્ટ સહન કરાવનાર તમારા અપરમાનાજ કેના! અપરમાતાએ કયાં એછી નામના કરી છે?
અશોક રાજા દિવસે દિવસે નબળો થતે જતો હતે. વૃદ્ધાવસ્થાએ પિતાને અમલ અને પ્રભાવ બતાવવાં શરૂ કર્યા હતાં. આવી વખતે પુત્ર પાસે રહે તેની કેટલી બધી આ વશ્યકતા હતી! કુણાલને ઘણુંય લાગતું–પિતાની સેવા-સુશ્રુષા આવા ઉઠાવવા આ વખતે પિતાની નીકટ રહેવાની જરૂરીયાત તે સારી પેઠે સમજતો. ભલે હજારો નોકર ચાકરો હાજર હેય પણ પિતાની શું હાજતો વખતસર પુરી પાડવી પડશે તે પુત્ર હમજે તેને લક્ષાંશ ભાગ પણ કરે હમજી શકે નહિજ પણ બિચારે કુણાલ ! પિતાએ “જ” એમ કહ્યું એટલે તે ગયો.
- રામચંદ્રજીને દશરથે કયારે રાજી ખુશીથી રજા આપી હતી પણ પિતાની આજ્ઞા શિરસાવધ કરી લેવી (પછી ભલે તે ગમે તેવી આજ્ઞા હેય.) એ સપુત્રનું કર્તવ્ય ગણાય.
રાજપુત્ર કુણાલે પિતૃઆજ્ઞાનું તુર્તજ પાલન કર્યું ને જતી વખતે પિતાનો આશિર્વાદ લેવા તે ગયે. આ સમયે રાજા અશોકને કેટલું બધું પરમાવધિ દુઃખ થયું હશે? તે કોણ કહી શકે ? તેણે કુણાલને ઘણજ પ્રેમથી પિતાની છાતી સાથે દબાવ્યું. તેનું માથુ સુધ્યું તથા બાજુ પર લઈ જઈ જણાવ્યું-“પુત્ર ! હારી તરફથી જે આશિર્વાદ કે આજ્ઞાપત્રો આવે તેની પ્રથમ સંપૂર્ણ ખાત્રી થયા બાદ જ તે અમલમાં લાવજે ને તે પત્રો મારા પિતાનાજ છે કે નહિ? તેની ખાત્રી ભરી નીશાની માટે તને ચેકસ નીશાની કહી રાખું છું. કે દરેક પત્ર પર લાખની સીલ મારી તેના પર મહારા આગલા બે દાંત બેસાડી ખાર કરીશ. જે પડ્યા પર સીલ કરી વ્હાર કરી હોય તેજ પત્ર હારે હારા ખરા પત્રો માની તે પ્રમાણે વર્તન કરવું. જા બેટા. હારું કલ્યાણ થાઓ ” આટલું બોલતાં તે રાજા અને કુણાલના નેત્રામાંથી અથુ-અવિરતપણે ખરવા લાગ્યાં. કેલના ગર્ભ જેવો સુકુમાર-કંદને પણ જીતી લે તે સુંદર રાજપુત્ર પરદેશ જાય-પિતાની આંખ આગળથી ઈચછા વિરૂદ્ધ દૂર થાય એ કયા રાજાથી સહન થાય ? પરંતુ હાય સુંદરતા ! હે જ અનેક રાજાઓને પૂત્ર
Page #14
--------------------------------------------------------------------------
________________
२८४
બુદ્ધિપ્રભા.
વિયોગ કરાવી રાજ્યમાં અનેક જાતિના કલહ કરાવ્યા છે. ધિક્કાર છે સાવકી માતાઓ હમને ધિક્કાર છે તમારા પ્રપંચ કુશળ ચારિત્રને તથા પી સ્વભાવને ! જ્યારે સ્ત્રી સાવકી માતાના રૂપમાં બદલાઈ જાય છે ત્યારે તે માનુષી ભરી પીશાચી બની જાય છે. અમે કહીશું કે ધિકાર છે તેવી માતાઓને.
સાવકી બાતાઓ! તમે અનેક પ્રપંચે કરીને અનેક સુકુમાર ૯ોમાં અગ્નિની ધગધતી લોકલાકાઓ ખોસી દીધી છે! રાજા નવી રાણીની સુંદરતામાં લુબ્ધ હતો છતાં તે સાવકી માતાના પ્રપંચોને જાણી ગયો હતો, પણ તે કંઇ પણ બોલી શકો નહતો. તેણે કલેશનું મોટું કાળું કરવાના ઈરાદે જ આ માર્ગ સ્વિકાર્યો હતો.
રાજપુત્ર પણ જાણું ગ કે પિતા મહારાપર ગુસ્સે નથી પણ સાવકી માતા પિતાને વાત કઈ વખતે કરશે-કરાવશે તે અગમ્ય છે, એમ જાણીનેજ પ્રીય પિતાએ પોતાને તેનાથી દૂર કહેવાની ગોઠવણ કરી હશે એવું રાજપુત્રને જણાયું. ખરેખર ! ભક્તિ તે આનું જ નામ ! અવળાને સવળે અર્થ લેવાય છે. એ પિતૃ ભકત રાજકુમાર પિતાની સુંદર સુકમાર પત્નીને લઇને તક્ષશિલા તરફ ચાલી નીકળ્યો.
નવી રાણી તિક્ષ્યરક્ષિતાએ રાજપુત્રને રાજાથી દૂર કાઢયો તેનું કારણ નરાળું જ હતું. તે સાવકી માતા હતી તેથી રાજપુત્ર પર તેને ગુસ્સો તો હતો જ પણ તેથી જ તે અટકી બેસવા ધારતી નહતી. હવે તેણે રાજપુત્રનું બીલકુલ કાટલું કાઢવા ધાર્યું, ને તેનો રસ્તો ગ્રહણ કર્યો. કુમાર કુણાલ તક્ષશિલા ગયા બાદ રાણેએ છ માસ સ્વસ્થતાથી કાઢી નાંખ્યા ને પછી પોતાની શેત્રજની રમત શરૂ કરી.
તેણે હવે એક પત્ર તૈયાર કર્યો ને તે તક્ષશિલાના એક બીજા સ્થાનિક અમલદારને મોકલવા ગોઠવણુ કરી. રાજા હમેશાં જેવી રીતે કાગ તૈયાર કરતો તેવી રીતે જ રાણીએ આ પત્ર બીડી લાખની રસીલ કરી તૈયાર કર્યો હતો કારણ રાજાના ચિરપરિચયથી રાણી રાજાની દીનચર્યા કે કૃતથી અજ્ઞાન રહેતી નહિ. હવે માત્ર રાજાના આગલા બે દાંતની મહાર કરાવવાનું બાકી હતું તે પણ રાણેએ ઘણાજ પ્રપંચથી કરાવી લીધું. એક દીવસ રાજાના ભાણમાં કેફી પદાર્થ નાંખી તેને બેભાન કરી નાંખી પેલા લાખના સીલપર રાજાના બે દાંત દાબી દીધા. તે આ રીતે લાખના સીલપર મોર બરાબર થઈ રહી. રાણીનું કામ બરાબર પાર ઉતર્યું. તે ફતેહ પામી. તેને દાવ છતી. તેણે જેમ રાજ પોતાના કુમારપર આજ્ઞાપત્ર મોકલે તેવીજ રીતે આ દુએ તે પત્ર રાજપુત્ર કુણાલપર રાળના ખાસ નોકર સાથે રવાના કરી દીધો,
વાંચક! આ પત્રમાં શું લખાયું હતું? કંઈ કલ્પના આવે છે? અરેરે ! તેમાં બિચારા નિરપરાધી કુણાલના સંર્વનાશના વર્તમાન હતા તે આગળપર વાંચકને સાદર કરીશું.
પત્ર લઈ જનાર નેકરે તે પત્ર સુરક્ષિતપણે તક્ષશિલા જઈ કુણાલના હાથ નીચેના અધિકારીને આ. અધિકારીએ પગપર પિતાનું શીરનામું વાંચમું ને અજબ થઈ રહ્યા. કારણ અધાપિ તેના સરનામાનો પત્ર આવ્યાજ નહ. સર્વ પત્રો રાજકુમાર કુણાલના સરનામાનાજ આવતા ને આજે આમ કેમ? હશે! પત્ર કેડી જોવામાં હરક્ત નથી એમ વિચારી અધિકારીએ ધડકતે દી તે પત્ર ફેડ, ને વાંચ્યા પણ રે હાય ! તે પત્ર વાંચતાંજ તેના હૃદયને વિજળીના જેવો સખ્ત આંચક લાગે. એવે તે શો મજકુર સમાયેલ હતો. તે પત્ર નીચે મુજબ હતા.
Page #15
--------------------------------------------------------------------------
________________
દિવ્ય પિતૃભક્તિ.
શ્રીમન્ મહારાજા અશાવર્ધન તરફનું આજ્ઞાપત્ર.
મુકામ તક્ષશિલા. તત્ર રાજ્ય સેવા કુશળ-વિશ્વાસુ રાજ્ય ભક્ત શિલાદિત્ય તરક ભારત વર્ષીય સામ્રાટ શ્રીમાન મહારાન્તધરાજ અશેક વર્તન તરફથી આના ક્રમાવવામાં આવે છે કે-આ પત્ર મળતાંજ રાજકુમાર કાલનાં બન્ને તંત્રે લોખડના તપાવેલા સળીઆથી ફાડી નાંખવાં તથા તે આંધળાને તથા તેની પની એકને હિંસક પશુગ્માથી નિવાસિત જંગલમાં હાંકી મુકવાં. ખાસ કારણુને લીવેજ આ આજ્ઞા ફરમાવવામાં આવે છે, ને કાઇ પણ કારણે અમારી નાના અસ્વિકાર કરવામાં આવતાંજ તમારા પ્રાણ સશયમાં હમજવા.
આજ્ઞાને અમલ સવર કરવા.
}
૨૮૫
ઝુમપુર.
સહીં. મહુારાજા શકવર્ધન. વાચક! વાંચી રહ્યા ! મહારા અશેકનું આજ્ઞાપત્ર !!! બિચારેય અમલદાર તે એક સંગેમરમરના પુતળા જેવે જડ બની ગયે! ને વિયાર કરવા લાગ્યા કે ના ! ના ! આ પત્ર ખરે। હોયજ નહિ. ખાટું. બીલકુલ બનાવટી આ પત્ર છે. નિઃશંસય કઈ કાવત્રું જણાય છે. કારણ કે રાજકુમાર તક્ષશિલા આવ્યા ત્યાીજ સર્વ પ્રજા આનંદમાં રહેતી હતી. કાઇને કોઈ પ્રકારને અન્યાય, ત્રાસ કે ઝુલમ થતા નહિ. ઉલટી સર્વે પ્રશ્ન રાજકુભારતે તેની ન્યાય પ્રિયતા ઉદારતા તથા ડહાપણને લીધે ધન્યવાદ આપતી હતી, તેતેવાજ રાખનું દીર્ઘ સાશન ઈચ્છતી; તેથી અશેક રાજા તે માતાના એકથી એક પણ આવા સદ્ ગુણ્ પુત્રને આવી કંડાર ીક્ષા કરવાનું કઈ પણ કારણ નથી તેથી આ પત્ર ફાડી નાંખી સ્વસ્થ બેસવું એ ીક જણાય છે. પણ વળી રાજ્યના કાયદાના વિચાર તેને આવવા લાગ્યા. કારણ ગમે તેવી તાપણુ રાજ્યકર્તાતી આનનું અપમાન તેને કરવાનું હતું ! છતાં પણ ગમે તેવી ભયંકર શિક્ષા ખમવી પણ સુકુમાર કુણાલનાં નેત્ર ફેાડી નાંખવાનું ભયંકર કામ તે તે નજ કરી શક્યા, તે તે ખાતા ખરાબી કરનાર પત્ર તેણે ફાડી નાંખ્યા.
પણ તેનું પરિણામ બહુજ ભયંકર નીવડયું, તે પત્ર અધિકારીના જેટલો નવેા કુણાલને જાયે નહિં. તે પત્ર પરની મ્હાર કાલે જોઇ તા મ્હાર પર આબાદ બે દાંત ખેડેલા નજરે પડયા તેથી તે પત્ર બનાવટ નહિ પણ્ ખરેખરજ મારાજની આજ્ઞા છે એન રાજકુમારે નકી માન્યું. તેણે તુર્તજ તે અધિકારીને ખેલાવ્યો અને દ્રઢતાથી જાગ્યું કે મહારાજ ! મારા પૂજ્ય પિતાની આજ્ઞા હું મરાંત ઉલ્લંધન કરીશ નહિ અને તમને ઉલ્લંધન કરવાશ નહિ. તમે હમણાં ને હમણાંજ મહારાજની આજ્ઞા પ્રમાણે વર્યાં.
પશુ બિચારા અધિકારીના હાય તે હૃદય વિદારક કાર્ય કેમ કરી શકે? એક સુકુમાર પુષ્પપર-નિર્દોષ કુમારપર એવા સખ્ત પ્રહાર કયેા હાથ કરી શકે વારૂ ? તેણે કહ્યું-મહારાજ ! આપની તેમજ મ્હોટા મહારાજ બન્નેની આજ્ઞાનુ હું ઉલ્લંધન કરૂં છું. એ માટે આપ મને ગમે તે શાસન ક્માવી શકશે-પણ આપનાં નેત્રને સ્પર્શ કરવાનું સાહસ હું કદાપી કરી શકીશ નહિ.
પરંતુ કૃણાલને નિયં અડગ હતા કે “ દેહાંત થતાં પણ પિતૃ આજ્ઞાનું ઉલ્લંધન કરવું નહિં, ” રાજકુમારે પેતેજ લેખડના બે સળી અગ્નિમાં ધગધગતા કરી પેાતાને હાથેજ-હસ્તાં હસ્તાં પોતાનાં બન્ને સુકુમાર મૈત્રામાં ખાસી દીધાં, ને ખીજીજ ક્ષણે તે હસતા-રમતે યુવાન–સુકુમાર રાજકુમાર અધત્વને પ્રાપ્ત થયેા ને પોતાતી પત્નિ લઇને પોતે જાતેજ ધાર અરણ્યમાં ચાલ્યા ગયા. અહા ! કેવી દિવ્યૂ પિતૃ ભક્તિ ? વાચક ! જગતમાં
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૮૬
બુદ્ધિપ્રભા.
જે કોઈ પણ ખરે પિતભા પુત્ર હોય તે તે કુણા જ હોવું જોઈએ. પિતાની આજ્ઞા તે ઇશ્વરની આજ્ઞા સમજીને તેણે તેનું પાલન કર્યું છે. દિલગીરીનો એક શબ્દ, દુ:ખને એક સુસ્કાર કે ફોધનો એક હરફ પણ ઉચ્ચાર્યા વિના-હસતાં હસતાં એવી કાર પિતૃ આજ્ઞાનું પરિપાલન કરવામાં તેણે એક પળ પણ વિલંબ લગાયો નથી. ધન્ય છે એ કિટ પિતભક્ત રાજકુમારને. અરે! કોઈ ગરીબી કે સંકટમાં ઉછરેલ પુત્ર-પિત આજ્ઞા પાળે તો તેને ઓછું લાગે પણ જે વિલાસ વૈભવમાંજ છિર્યો છે, જેની દેહલતા માખણ જેવી મૃદુ છે, જેને છીંક આવતાં સેંકડે દાસદાસીઓ ખમા ખમા કરતી હાજર થઈ જાય છે, જે ભાવીને રાજા છે. એવા સુકુમાર રાજકુમારને અત્યંત દુઃખ દરીયામાં-પિતૃભકિતની ખાતર યાહેમ કરતાં વિલંબ ન લાગ્ય! એમને ધન્ય છે. વળી ધન્ય છે તેની પતિવ્રતા પત્નીને! તેણીએ પણ પિતાના પતિને પિત આજ્ઞા પાલન કરતાં રોકો નહિ. પણ ધીરજ રાખી શાંતિથી તેની સાથે અરયમાં ચાલી નીકળી. અહા ! દેવી ! તને પણ ખરેખર ધન્ય છે ! પતિની ઇચ્છાને માન આપી પોતે પણ અરયનાં ઘેર દુઃખ સહન કરવા કટિબદ્ધ થઈ. આજની સ્ત્રીઓ ! અમે તમને કુણાલની પનિની આ વખતની સ્થિતિ વૈર્યતા–શાંત ચિત્તવૃત્તિ-અને પતિભક્તિ તરફ લક્ષ આપવા કહીએ છીએ. જુવો ! જુવો! કુણાલ પત્ની કેવી પતિભક્તિવાળી અને સહનશીલ છે. કેવા પ્રકાસ્નાં દુઃખ સહન કરતા તે તૈયાર થઈ છે ! જુવો આ અંધ રાજપુત્ર ને કુણાલ પત્ની ' કુણાલ પત્ની પતિને દોરતી ચાલી જાય છે. અહા ! આદર્શ પુત્ર-આદર્શ પુત્ર વધુ અને આદર્શ પતિ-તમને પ્રણામ. એઆજના પાશ્ચાત્ય વિધાથી અમૃત બનેલા ફેશનના દસ થયેલા-યુવાન પુત્ર !
પિતભાત કુણાલનું દ્રષ્ટાંત જોઈને તમારા જીવન સાથે તેનું જીવન સરખાવો. કયાં તમારી ઉઠંખલતા, પિતૃઆજ્ઞાને અવગણના કરવાની વૃત્તિઓ ! કયાં તમારે વડિલે પ્રત્યે અવિનય અને કયાં રાજકુમાર કુલની પિતભકિત !
અરે! આજના જુવાનીઆને પિતૃઆજ્ઞા પાળવી પડે, પિતાના ખાતર કંઈ અગવડ વેઠવી પડે, કે પિતાના ઠપકા સાંભળવા પડે, તે તેમના “નાકનાં ટીચકાં નડીયાદ તરફ રવાના થાય છે. અરે! કેટલાક પુત્ર તે મેલાઘેલા પિતાના પુત્ર કહેવરાવવા માટે પણ લાછમરે છે. હાય ! અધમ પુત્રો ! તમને જન્મ આપી આ સ્થિતિએ પિતાને શું આબદલે તમે આપે છે? જુઓ? જુઓ? આ કુણાલ તરફ ને કંઈક નવીન પાઠ શીખો !
રાજપુત્ર કુણાલ અને તેની સુંદર યુવાન પની! આટલા દિવસ સુધી સુખ અને આ નંદમાં મઝા કરતા હતા. અનેક દાસ દાસીએથી વિટલાઈ સ્વર્ગ સુખ અનુભવતા હતા. ઈચ્છાનુસાર ભોજન શયનને વિહાર કરતાં હતાં. આજે તેમની કસોટીને વખત આવી લાગ્યા છે. સુખ પછી દુઃખ આવે છે એ સૂત્ર અહીં સાક્ષાત્કાર થાય છે. એ નિયમાનુસાર તેમને આજે દુઃખને રાશી દાબી નાખવા ડેકી કરી રહ્યો છે. પરંતુ તે ગભરાયાકળાયાં કે દુખી થતાં નથી. દુઃખને દુઃખ માનતાં નથી પણ પિતૃઆજ્ઞાનું પાલન કરે છે. અરે !
પડે સંકષ્ટની શ્રેણી,” “દુઓના ડુંગરા આવે !” “ધરો સમભાવ અંતરમાં” “કબુને બાળ સારો એ!” પાદકર,
Page #17
--------------------------------------------------------------------------
________________
દિવ્ય ત્રિતૃભક્તિ.
t સદા સંસારમાં સુખ દુખ સરખાં માની લઈએ ! ”
( મર્હુમ સાક્ષર ડાહ્યાભાઇ. ) એ સૂત્રને અનુસરતાં તેઓએ ધાર અરણ્યમાં પ્રવેશ કર્યાં. તક્ષશિલાની ગરીબડી પ્રજા અને સમગ્ર અધિકારી મંડળને રડતાં મુકીને તેએ જંગલનાં દ્વિસક પાએનાં મુખ આગળ પહોંચી ગયાં પરંતુ જેએની મુખશ્રીપર પિતૃભકિતની પ્રતિભા છવાઇ રહીછે એવા તે દૈવી દંપતી તરફ જે હિંસક પશુઓએ ષ્ટિ સરખી પણ કરી નહિ. પતિ પત્ની બન્ને જણુ જંગલમાં આમ તેમ ફરી વનકળાના આહાર કરે છે. હથેળીમાં લઇને ખાળે ખાષે પાણી પીએ છે. રાત્રે પાંદડાં અને ઘાસની પથારીમાં સુવે છે. અધ પતિને કાચિત્ વિનાદને અર્થે પત્ની ધુરા સાદે નીતિ ભો–સુલલિત ગીતડાં ગામ સરંભળાવે છે. કરતાં કરતાં વળી એકાદ ગામ આવી ચઢે છે તે ત્યાં ભિક્ષા માગી પેટ ભરે છે. એમ દીર્ધકાળ કરતાં કરતાં અનાયાસે દૈવ યેાગે તે તેજ કુસુમપુરમાં આવી પહોંચ્યાં કે જ્યાં રાજા અશેક રાજ્ય કરે છે. ભિક્ષા માગતાં માગતાં તે કેટલાંક ગાયના ગાતાં ચાલ્યાં જતાં હતાં. ગાયના ગાવાથી લેક તેમને પ્રેમથી અન્નવસ્ત્ર આપે છે.
૨૮;
સંગીત-તે તે પણ વળી એક રાજકુમારના મુખે ગાવાનુ કેટલું મધુર હાય ! તદુપરાંત કુણાલ બાલ્યાવસ્થાયીજ મેટામેટા ગવૈયાની સેાબત થયેલી હાવાથી ત્રણે લલિત ગાઇ શકતે હતી. કાલને આ ગાયન રાન્ન અશાર્ક બાલ્યાવસ્થામાં શીખવાડયું હતું જે તેને કામ હતું. આજે કુત્તુભમાં આવ્યા પછી એક રાજ્યમહુલ પાસ ઉભા ઉભા અષ કુણુાલ તેજ ગાયન ગાતા હતા. રાજા દિવાનખાનાની બારી પાસેજ એક રત્નજડીત સેલ્ફા પર બેઠેલ હતા તેણે પેલું ગાયન સાંભળ્યુ.
રાજાને તે ગાયન સાંભળતાંજ વિદ્યુત-પ્રકાશની પેકેજ પાતાને પુત્ર સાંભળ્યેા. તે અવાજ પેાતાના રાજપુત્રનેાજ છે એમ તેને નક્કી લાગ્યું-રાજાએ તુર્તજ નાકરને આજ્ઞા કરી કે ' અરે ! કાણુ છે રે! નીચે પેલે કાઇ ભીખારી ઘા મીડા સ્વરે ગાયન ગાય છે તેને મ્હારી પાસે લઇ આવ! તે મને ઘણુંજ પસંદ પડ્યું છે.
""
મહારાજાની આજ્ઞા થતાંજ નાકરા દોડયા અને ગાયન ગાનાર ભિક્ષુકાને મહારાજા સન્મુખ હાજર કર્યાં. અશેક રાજાને ભિક્ષુકને જોતાંજ શંકા ઉત્પન્ન થઈ પરંતુ તેમની આવી કંગાળ સ્થિતિ થાય અને આવી દીત સ્થિતિમાં અહીં આવે એવે કઈ સંભવ જણાયા નહિ. માદાના ચહેરા તા ઘણાયને મળતા આવે છે તેથી વિશેષ ખાત્રી કર્યા શિવાય તેમને
કંઇ પણ કહેવું ઉચિત જણાયું નહિ. તેથી રાજાએ ભીક્ષુકને પુછ્યું—
.
“ અરે ! તું કયાંના રહેનાર છું? હારૂં નામ શું? તું જે ગાયન ગાય છે? તે તને ણે શીખાવ્યું? શું તું કહેશે કે ? આ પ્રશ્ન સાંભળતાંજ કુણાલ હસ્યા અને ક્ષણુવાર સ્તબ્ધ થયા. પછી તેણે એક નવું ગાયન જોડી કાડી તેમાં એવું ગાયું કે તે પોતે એક મેટા સાર્વભૈમ રાના પાવી પુત્ર હતા. રાજાની આજ્ઞાથી તે પિતાની નજર આગળથી દૂર થયા પરંતુ પછીથી કેા કારણને લીધે તેના શત્રુઓએ કંઇ ભ ંભેરણી કરી, અને રાજાને હાથે અધિકારીએને પત્ર લખાવી તેની આંખેામાં ઉન્હા ઉન્હા સળી ભેકાત્રી, પત્ની સાથે જંગલમાં કાઢી મુકાવ્યા. પ્રથમ ના કારભારીઓએ તે પત્ર ખોટા ઠરાવ્યે હુ રાજપુત્રે તેજ તે પત્રપુર રાજાના દાંતની મ્હાર જો ખાત્રી કરી પાતેજ પિતાની આજ્ઞા માન્ય કરવા પેાતાનેજ હાથે આંખે કેાડી પત્ની સાથે અરણ્યમાં ચાલ્યા ગયા. ત્યાંથી ભીખ માગતા માગતા, દુ:ખ અને દરદ્ર વેઠતા વેડા દૈવયેણે અહિં આવી ચર્યેા છે. ”
Page #18
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિભા.
આ હૃદયને ભેદી નાંખનારી હકીકત સાંભળતાંજ રાજાએ પુત્રને એળખ્યા ને તુર્તજ સેક્ાપરથી ઉઠીને પુત્રને છાતી સરસા ચાંપી દીધો. રાજાનાં નેત્રમાંથી ચાધારી. આંસુ પડવા લાગ્યાં, તે સર્વત્ર લિંગીરી પ્રસરી રહી. રાજાએ કહ્યું, બેટા ! કુણાલ ! હને કાઇએ સાગે છે ! ખાટા પત્રપરથી તુ આવી મારી સ્થિતિએ શા માટે પહોંચ્યું ? મ્હને જરાક તે ખબર કરવી હતી ! હારી પાસે તે પત્ર છે કે બેટા? હાય તા મને આપ ! '
Re
'
કુણાલે પિતાને એળખીને હાસ્ય વદને કહ્યું. ક્ષે આ પત્ર ! અહે ! પિતાજી ! એમાં દુ:ખ હું માનતાજ નથી આપના બે દાંતની મ્હાર મ્હારી નજરે પડયા બાદ હું જે આજ્ઞાનું પાલન કરવામાં શિથિલ બનુ તે મ્હારી જનેતા લાજે 1 આપતી આજ્ઞા શિરામા ન્ય કરવી એજ મ્હારી ક્રૂરજ ! પણુ તેમાં આપ શું કરે ? માણસના ક્રમાનુસાર સર્વે સૂત્ર ચાલ્યાં કરે છે તેમાં મનુષ્ય તે। માત્ર નિમિત્ત રૂપ છે. પામર પ્રાણી શું કરી શકે છે. પૂર્વભવ સૉંચિત અનુસાર સુખરૂખ મળે છે. તેમાં નિમિત્ત થનારના વાંક કાઢવા એ તા કેવલ ભ્રમ છે. પિતાજી આપને મ્હારા પ્રણામ છે.” એમ કહીને પિતાના ચરણમાં શીશ ઝુકાવી લાંબે ચા પડયા.
જેના સુખપર નિર્દોષ હાસ્યની પ્રતિભા ફેલાઇ રહી છે એવા કુણાલ તયારાજાના હૃની ધ્યાનું કરૂણ્યરસથી છળકાતું ચિત્ર કયા ચિતારાની નિર્માલ્ય પીછી ચીતરી શકે વાર ?
કુણાલની પાસેથી પત્ર મળતાંજ રાજાએ તે બરાબર તપાસ્ત્ર. પાતાના દાંત્રની મ્હાર તપાસીને સુથી છલકાતે નેત્રે તે સધાયલે પત્ર વાંચવા માંડયે. વાંચીને તેણે જાણી લીધું કે આ દુષ્કાર્ય માત્ર રાણીતિક્ષરક્ષિતાનુજ છે. દુષ્ટા-ચાંડાલણીએજ આ પાપકૃત્ય કર્યું છે. મ્હારા રત્ન જેવા રાજપુત્રને અધ કરીને તથા સુજ્ઞ સુકુંભાર પુત્ર વહુને દ્વેષભાવથી અતિશય ગાઢ એવા દુ:ખ દરિયામાં ફેંકી દીધાં છે. હવે તેને જીવતી રહેવા દેશમાં સાર નથી કારણ્ ઔજી વખતે તે શું નહિ કરે તે સમજી શકાતું નથી. રાજાએ પુત્ર તથા પુત્ર વધુને પહેરવેશ વગેરે બદલાવીને તેને દિગ્ધ વસ્ત્રાભૂષણુથી વિભૂષિત કર્યા. પલવારમાં ભિક્ષુકા રાજકુમાર અને યુવરાણી બની ગયાં.
પુનઃ તે દિવ્ય પિતૃભક્ત રાજકુમાર તથા તેની પત્ની પુર્વાવસ્થાને પ્રાપ્ત થયે. તેના મુખ પર દિવ્ય પ્રતિભા વિલસી રહી. પણ હાય ! તે નેત્ર યુગલ ! તે સ્નિગ્ધ અમિ ભર્યાં રસપૂણૅ લાચનીયાં ! કયાં છે તેનાં મે જીવન-નેત્ર રત્ન ? ગયાં સદા સર્વદાને માટે ગયાં ! પિતૃભકિત કેટલી મેઘી ને મુશ્કેલ છે તે વાંચક તમેજ જુવે.
રાણીને પકડી મગાવીને સખ્ત રાખ્યુંમાં ડપકો આપીને દેહાંત દંડની શિક્ષા કરી. તે અભિમાની ગુસ્સા કરનારી દુષ્ટા દ્વેષી રાણીના પ્રાણુ અને શરીર પળ વારમાં પરલોક પહોંચી ગયાં. રાણીના પરલોકવાસના વર્તમાત કુણાલના તવામાં આવતાંજ મહુજ ખિન્ન ચગે અને પોતાના માટે રાણીની ભાત થયો. તે તેના નિમિત્તરૂપ પાત થવા માટે પેાતાના આત્માને તે નિંદવા લાગ્યા પણ થવાનુ તે થઇ ચુક્યું હતું.
હવે રાજાની આંખ ઉઘડી. તે વિઘ્યવાસનાને ત્યાગ કરી વૃત્તિ સાત્વિક કરી બુદ્ધ ગુરૂની ઉપાસના કરવા લાગ્યા. તે તેજ દયાળુ ગુરૂએ રાજપુત્ર કુણાલને તેત્રે આપી દેખતે કર્યો. પાપીને પાપની યોગ્ય સજા થઈ અને કૃષ્ણાલ તે દિવ્ય પિતૃબત રાજકુમાર પાછી પિતાની ભક્તિ તથા પ્રજાજનૈપર રાજ્ય ફરવા લાગે.
વાંચક મિત્ર! પિતૃભક્તિ-દિવ્ય પિતૃભક્તિ−તુ કેવું ઉમદા દ્રષ્ટાંત ! આવી દિવ્ય પિતૃભક્તિ પ્રત્યેક પુત્રને પ્રાપ્ત થાએક એ આશા સાથે મ્હારી કલમ હવે વરમે છે.
"
Page #19
--------------------------------------------------------------------------
________________
મનુષ્ય.
૨૮૮
મનુષ્ય.
( લેખક–એક સ્ત્રી. ) પ્રત્યેક મનુષ્ય રત્નની ખાણ છે. પ્રત્યેક મનુષ્ય સંપત્તિને મોટામાં મોટો ભાગ છે. રત્નની ખાણમાં જેમ ઘણુ રને છે અને બેઇમાં ઓછાં છે તેમજ મનુષ્યની બાબતમાં પણ છે. જે પ્રત્યેક મનુષ્ય પિતાની રત્નની ખાણને ખેલી તેને યથાર્થ ઉપયોગ કરે તે જગત સ્વર્ગ સમાન આનંદનીય બની રહે. લોકિક ખાણને બેદી તેમાંથી રત્નને કાઢતાં પરિશ્રમ પડે છે પણ જ્યારે તે પરિશ્રમને સહન કરી ખાણુને દવામાં આવે છે ત્યારે જ રન રંગ પડે છે, માટે પરીશ્રમ કરે છે તેને જ તે મહા મૂલ્યવાન ખજાનો સાંપડે છે. પ્રત્યેક મનુષ્યની બાબતમાં પણું આમ હોવાથી પ્રત્યેકે પોતે જ પ્રયત્ન કરી શોધી કાઢવાનું છે. જ્યાં સુધી મનુષ્ય પોતે જ પોતાની ખાણ ખોદી તેની અંદર રહેલ અમૂલ્ય ખાને શોધી કાઢવા પ્રયત્ન કરતો નથી ત્યાં સુધી તેમાં રહેલ અમૂલ્ય ભંડાર તેને પ્રાપ્ત થતો નથી. અન્ય મનુષ્ય બીજા મનુષ્યનો ખજાનો શેધી કાઢવા અસમર્થ છે. મનુષ્ય પતિજ તે શોધી કાઢવા સમર્થ છે તેમજ તેને ઉપભોગ પણ તેજ ભોગવી શકે છે અન્યને તેને ઉપભોગ પણ આપી શકે તેમ નથી, તેમ તેને સંગ્રહ કરવા તેજ અધિકારી છે. તમે એક નદિ વહેતી જોઈ ઉત્તમ વિચારને પ્રગટાવો પણ તેથી નદિને કાંઈ લાભ થઈ શકે તેમ નથી. મનુષ્ય માત્રની ફરજ છે કે પ્રત્યેક મનુષ્ય પોતાના રત્નને પોતે જ ખોદી કાઢવા જ્યાં સુધી અમૂલ્ય રને હાથ ન આવે ત્યાં સુધી ખાણને બાદ ખેદ કરે. તમારે વિચાર વડે, ચોગ વડે તે રતનેને બહાર કાઢવાનાં છે. ઉપર ઉપરના કચરાને સાફ કરી નાખવાની પણ ફરજ તમારે માથેજ છે. મનુષ્ય પોતાની ખાણને બરાબર ઓળખતા નથી તેથી જ તેઓ દુઃખી હોય છે. ઘણા મનુષ્યોને ખાણ ખેતાં આવડતી નથી તેથી ઉપરના કચરાને જોઈને જ નાસીપાસ થઈ જાય છે. વસ્તુત: તે કરે છે માટે તેને દૂર ફેંકી દેવાનો છે. અંદર ઉંડા ઉતરે. તરતજ રત્નો તમને જડશે. પ્રત્યેક તેમ કરવાનું સામર્થ્યવાન છે પણ તેને ખોદવાને પ્રત્યેકને માર્ગ જુદો
જુદો હોય છે. અમૂલ્ય રત્ન મેળવવાને અધિક સમય તેમજ અધિક વિઘ નડે છે પરંતુ હીંમતવાન દૃઢતાથી તે ખાણ ખોદતાં થાકતું નથી, આળસી જતો નથી, અસંતોષને સેવ નથી, ગમે તેટલાં વિદો આવે પણ તેને મારી હઠાવે છે, ઉત્સાહને સેવે છે, તે મેળવવા અધીક તેમ વેગવાળી વૃત્તિથી ઉત્સુક હોય છે. આગ્રહ ને ઉત્સાહથી જ કાર્યની સિદ્ધિ થાય છે. ધૈર્યને ધારણ કરવાથી કામ પાર પડે છે માટે મહેનતથી ડગે નહિ. આવો ખજાને તમારા હાથમાં છતાં તમારે શું દરિદ્ર રહેવું છે? સુદ ધન મેળવવા માટે મનુષ્ય કેટલા પ્રયત્નને સેવે છે! તે આ તે અમૂલ્ય ખજાને મેળવવાને છે તો પછી તેને માટે કેટલા અપરિમિત પરીશ્રમની અગત્ય છે તે વાંચકને સહજ સમજાઈ જશે. અધર્મ અને અન્યાય માર્ગની પ્રકૃતિથી આ ખજાને મળી શકતો નથી પણ ધર્મ અને ન્યાય માર્ગની પ્રકૃતિથી આ ખજાને મળે છે અને લાભો ઉપજાવે છે; પણ મનુષ્યએ સારા બોટાના અંદરના ભાગમાં રહેલ તત્વને સમજવું જોઈએ. જેઓ આ પ્રયત્ન કરતા નથી તેઓ કાર્યમાં વધતા નથી. સારામાંજ શુદ્ધ તત્વ હોય છે એટલું જ નહિ પણ ખોટામાંથી પણ ઘણીક વખતે શુદ્ધ તત્વ દ્રષ્ટિએ પડી આવે છે. માટે શોધક બુદ્ધિ રાખવી એ મનુષ્યની ફરજ છે. આ ખાણુને પ્રાપ્ત કરવા માટે નિરંતર પરી
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૦૦
બુદ્ધિબ્રા.
અમને સેવી ઉત્સાહથી ઉઘમજ કરવો જોઇએ. જમીન કઠીન હોય છે. તે ખોદતાં અને ધીક શ્રમ પડે છે તેમ ઘણી વખત આ પ્રાપ્ત કરતાં અધિક પરિશ્રમ પડે તે પાછા પડવાની અગત્ય નથી. આળસને બીલકુલ ત્યજી દેવું જોઈએ. આ ખોદી તેમાંનાં મુલ્યવાન રને મેળવી તેને તમો ઉપભોગ કરો. તમારામાં રહેલ આવી અપૂર્વ ખાણને બેદી કાઢી તેને ઉપભોગ કરવામાં હવે વીલંબ ન કરે. સદ્ વિચાર વડે, ગવડે, ભક્તિ વડે અને એવાજ બીજા ધર્મના વિધવિધ માર્ગ વડે આ ખાણને બેદી સમગ્ર સંપત્તિ પ્રાપ્ત કરે.
કમત.
(લેખક-જયસિંહ પ્રેમાભાઈ કપડવણજ.) ખરેખર જગત પડઘા જેવું છે. આપણે જેને સ્વર કહીએ છીએ તેને જ પડશે પડે છે. પ્રેમના શબ્દ બોલતાં તેને પડઘે આપણે સાંભળીએ છીએ, તેમજ કોઈને શબ્દ બોલતા કોઈને પડઘો સંભળાય છે. જો તમે તીરસ્કારની દ્રષ્ટીથી જુએ છે તો તમારા હતી પણ તેવી જ દ્રષ્ટી અન્યની હોય છે. જગતમાં કેવળ તમારા શબ્દો જ પડો નથી પડતો પણ તમારા વિચાર તેમજ વર્તનને પણ તેમાં પડઘે પડે છે. મનુષ્યોને મોટા ભાગ એમ માને છે કે કોઇ પણું મનુષ્ય આપણને દુઃખ ઉપજાવે છે તેમાં આપણે નીમીત હતા નથી પણ જે મનુષ્ય આપણને ઉપજાવે છે તેથી તે દોષીત છે; પશુ આમ માનવુ ભુલ - રેલું છે. ખરેખર રીતે તો કોઈપણ દ્વારા દુઃખ કે હાની ઉત્પન્ન થાય તેમાં મુખ્યત્વે તો આ પણે જ કારણભુત છીએ અને તેવા કારણને લઈને જ આપણને કારણભુત કહી શકાય. ખરેખર તો આપણી જ કૃતિથી આપણને દુઃખ કે કાની પ્રાપ્ત થાય છે. આમ છે માટે જે તમારે સુખ મેળવવું હોય તે જગતમાં અન્યને સુખ થાય તેવાં કૃત્ય કરો. તમે દુઃખ, ભય, શેકના વિકારોને જગતમાં પ્રસારી સુખ, નીર્ભયતા, આનંદની ઇચ્છા જગત પાસેથી રાખો એ છે. તમે કૃતિથી, વાણથી, વિચારથી જગતમાં જે જે પ્રસારશે તેને પડશે પડશે. નીરંતર તમારી કૃતિમાં, વાણુમાં અને વિચારમાં આનંદ, નિર્ભયતા, જ્ઞાન વગેરેના વિચારોને પ્રસારે તો જ્યાં ત્યાં તમને તેના પડઘા સંભળાશે. જો તમે મધુતાના, ઉ.
તાના, સુખના, શાન્તિના, અસ્પૃદયના ઈચ્છક હો તો તમારી કૃતિ, વિચાર અને વાણીથી તે વસ્તુઓને પ્રસાર, જેવી કૃતિ તમે કરે છે તેવી પ્રતિ ઉત્તરમાં સંભળાય છે. તમારી દુઃખમય સ્થિતિ માટે બીજા કોઈને કારણે રૂ૫ ન જારો પશું તમે પોતે તેના કારણભૂત છે એમ માનો. તમે દુઃખમય સ્થિતિમાં છે તેથી કંટાળો નહિ. તમે તમારી કૃતિથી વાણી અને વિચારથી શુભ પ્રકૃતિને આદરે તેથી તેના પડઘા તમને તેવા સંભલાશે વાણુથી જ સુખને વિચાર કર્યાથી અને કૃતિ અને વિચારને વેગળા મુકવાથી એમાંનું કાંઈ પ્રાપ્ત થશે નહિ. જ્યારે ત્રણેનું સંમેલન થશે ત્યારે વસ્તુ સિદ્ધિ યથાર્થ રીતે સીહ થશે. વાણુથી કાંઈ કરશે તે વા જેટલું જ પડશે તમને સંભળાશે.
તમને સુખ આપનાર તમારા વડીલ કે સગા સંબંધી કે અમુક વર્તનવાળી સ્ત્રી કે અનુકુળ વર્તનવાળા ચાકરો છે એમ નહિ પણ તમે જે ધારો તે તમારા શત્રુ વિગેરે કનેથી પણ સુખને જ પામી શકે તેમ છે. કારણ મૂળ હેતુ તે સુખને તમેજ ઉત્પન્ન કરી
Page #21
--------------------------------------------------------------------------
________________
જગત
૨૮૧
છો અને તે જે તમે બરાબર મન, વાણી અને ક્રિયાથી સિદ્ધ કરેલ હોય છે તે તેના જ આ બધા પડઘા છે; માટે અમુકથી મને અમુક પ્રાપ્ત થાય છે એમ માનતા નહિ. તમે જગત પ્રતિ પ્રેમ, શુદ્ધ બુદ્ધિ, દયાભાવ, સમતાભાવ, તમારી વાણી, વર્તન અને વિચાર પ્રસાર, તમને તેજ પાછું મળે તેમ છે. જો કે આ કરવું પ્રથમ તે સહજ કઠીન લાગશે પણ અભ્યાસ થતાં સરળ થઈ જશે. જેમકે પહેલી ચોપડી ભણનારને બી. એ. ને અભ્યાસ ઘણો જ કઠીન લાગે છે પણ ઈન્ટરમીડીએટ ભણનારને તે એટલો બધો કઠીન ન લાગે, તેમજ પ્રથમ શરૂઆત તે અધીક કઠીન ભાસશે પણ ધીમે ધીમે તમારો રસ્તે સરળ અને સુગમ બની જશે. નાનું ટાંકણું પથ્થરને ફોડવા સમર્થ છે તેમજ તમારી થોડી થોડી ક્રિયા પણ વિકટતા રૂપ પથ્થરને ફેડવા સમર્થ થશે. આમ છે માટે નિત્ય થોડી થોડી ક્રિયા કરી વિકટતા રૂપે પથ્થરને ફાડી નાખજે. નિરસાહી ન થતાં તમે પ્રાણી પદાર્થ માત્રનું શુભજ તો. તમે તમારા વર્તન, વિચાર અને વાણીમાં સર્વનું શુભ જુઓ. સર્વત્ર પ્રેમભાવ જ રાખો. આમ કરશે એટલે તમે જેને ઈચ્છક છે કે પદાર્થ ધીમે ધીમે તમને પ્રાપ્ત થશે અને તમે અનંત સુખ-નિરાબાધ સુખની પ્રાપ્તિ કરી રાકશો. આરસીની અંદર જેમ આપણે પિતાને જ આકૃતિ તેને સન્મુખ ધરતાં પડે છે તેમજ જગત પણ આરસી જેવું છે, તેમાં આપણું પ્રત્યેક વિચાર, પ્રત્યેક ક્રિયા તેમજ પ્રત્યેક બોલેલા શબદની આકૃતિ પડે છે પણ આપણે તેને ન જાણતા હોવાથી આપણી જ વિચાર, વાણી તેમજ ક્રિયાની આકૃતિ આપણે બીજાની કહીએ છીએ. એક અમ મામડીઓ પિતાની છબીને ઓળખી શકતો નથી અને અંતે બીજા કોઇની છે એમ માને છે તેમજ આપણું પણું અજ્ઞાન દશાને લઇને તેવું જ માનીએ છીએ. આપણે જે મુખ ઉપર મેશ ચોપડી આરસીમાં જોઈએ છીએ તે આપણું મુખ્ય મેઘવાળું દેખાય છે તેમજ આપણે જે ક્રોધ, ઈર્ષા, અસૂયા વગેરેને ધારણ કરીએ છીએ તે આપણને તેવું જ માલમ પડે છે. જો તમે પ્રસન્નતાથી જગત તરફ જુઓ છો તો સામી પ્રસન્નતાની આકૃતિ માલમ પડે છે. તેમજ તે આરસીમાં બે દુઃખ, ભય, શેક વગેરે વિકારોથી જુએ છે તે સામી તેવીજ આકૃતિ જણાય છે. તમે તે વખતે એમ નથી જાણતા કે આ તો મારા પોતાના વિચાર, ક્રિયા અને વાણુની આકૃતિ છે પણ ઉલટી તેને દોષ અન્યને આપે છે. તમે જે અખંડ આનંદમાં રહે છે તે તમે ભયની આકૃતિ જોઈ શકતા નથી પણ સર્વત્ર આનંદની વૃત્તિને જ નિહાળે છે. આરસી સન્મુખ ગુલાબનું પુષ્પ ધર્યા પછી તેમાં કાંઈ થોરની આકૃતિ જણાય તેમ નથી પણ ગુલાબજ જણાશે અને પર ધર્યા પછી તેમાંથી ગુલાબ જોવાની આશા રાખવી એ શું યોગ્ય ગણાશે? આ પ્રકારે જ જે તમે આનંદને તમારી વિચાર, વાણું અને કૃતિમાં સેવતા નથી તો પછી આનંદ સર્વત્ર જોવાની ઈચ્છા રાખવી પણ યોગ્ય નથી અર્થાત જોઈ શકતા નથી. તમને જે ભય, શેક, દુઃખ, દીનતા, કલેશ આદિ જેવું ન ગમતું હોય તે પછી તમારી વાણ, વિચાર અને કૃતિમાં તેને દેશવ આપો; સર્વત્ર ઉદાર વૃત્તિવાળા થાઓ. અમુક દરિદ્રી છે, અમુક પણ છે એવો કોઈને માટે પણ વિચાર ન કરો. કેવળ વિચારથી જ દરિદ્રતા અગર કૃપશુતાની છબી તમારી આગળ ન ર એટલું જ નહિ પણ વાણી અને કૃતિથી પણ ન ર. તમે જે અન્યને દરિદ્રી જોશો તે તમારી આકૃતિ જગતરૂપ આરસીમાં પણ તેવી જ જણાશે. તમે કોઈને પણ માનતા નહિ. સર્વ ઉપર સમાનભાવ, ત્રિીભાવ રાખો. તમારી
Page #22
--------------------------------------------------------------------------
________________
રર
બુદ્ધિપ્રભા
રખી પણ તમને તેવીજ જણાશે, અર્થાત્ તમારા ઉપર પણ કાઈને વૈર ધરવાનું કારણ બનશે નહિ. કાઇ પણ સારી અગર માઠી અસર તમે તમારા મનથી ઉપજાવે તેની સાથી પ્રથમ અસર તમારા પેાતાનાજ ઉપર થાય છે, અન્યના મુખ ઉપર મેશ ચેપડનારના જેમ પ્રથમ હાથ મેલા થાય છે તેમ અન્યને માટે તેના જેવું વિચારો. જેવી વાણી ઉચ્ચારા, જેવી કૃતિ કરે તેવી તમને પોતાને થયા વિના રહેતી નથી. અન્યને દુષ્ટરૂપે, શત્રુરૂપે, વિષયીરૂપે, પાપીપે, કીલરૂપે તમે જ્યારે જુએ છે ત્યારે તમારા ઉપરજ પ્રથમ તે પ્રકારના એક ચડા ફરી વળે છે. એથી ઉલટું અન્યને મિત્રરૂપે, સજ્જનરૂપે, જ્ઞાનીરૂપે જુએ છે. તેમ તેવા સદ્ગુને તમારામાં જામેલા જુએ છે. આમ છે માટે તમે તમારામાં જેવા સામર્થ્ય, સદ્ગુણુ, સ્થિતીને ઋચ્છતા હો તેવાજ રૂપે અન્યને વાહી, ક્રિયા, વિચારથી જુએ. જગત પોતાની સત્તાવડે તમારી આકૃતિ મલીન દેખાડવા સમયે નથી પણ તમે જેવા છે! એવીજ તમારી છી દેખાય છે. તમે જ્યાં ત્યાં દુઃખ જોવાથી તમે દુ:ખી છે. એમાં અન્યને કાંઇ દોષ નથી. કાચની પાછળ ચેાપડેલ લાહી કઇ મેલી હોતી નથી પણ મુખ ઉપરજ મેલી લહી ચેપડાઇ છે. તમારી સ્થિતી ઉપર, તમારા મુખ ઉપર, તમારી પ્રત્યેક વાણી, વિચાર અને ક્રિયાની અસર થવાને માટે તે ઉપર ખાસ દેખરેખ રાખવી અગત્યની છે. તમારે દુ:ખી, દરિદ્રી, અજ્ઞાની, ક્રોધી, બીકણ રહેવાની કશી જરૂર નથી. તે કાંઇ તમારે માટે ઉત્પન્ન થયાં નથી. તમે જે આકર્ષે છે. તે! તમારા પ્રતિ આવે છે; નહિતર હાર કાણને અતરે દૂર છે. નિરંતર તમારી ઉચ્ચ અભિલાષાનેજ સ્મરણમાં રાખે!, તેનુંજ મનન કરો તે તમેા તેને જરૂર મેળવો. મન, વચન અને ક્રિયાથી તમારા ઇચ્છિત વિચારનેજ પાશે. જેવુ તમે અધિક વેગ, સ્મરણ, પાણ કરશે તે તે તમને પ્રાપ્ત થશે એ વાત નિઃસાય છે. ખંધુએ સુખ અને દુઃખને આધાર આપણી પોતાનીજ કૃતિ, વિચાર, વાણી ઉપર રચે છે. આપણી કૃતિ, વિચાર અગર વાણી જેમ બીજાને સુખ ઉપજાવે છે તેમ તે આપણને પણ સુખજ ઉપજાવે છે. માટે આપણે આપણા અને અન્યતા સુખને માટે આપણી કૃતિ, વિચાર અને વાણી નિર્મલ, નિર્દોષ તેમજ ઉચ્ચ રાખવાની જરૂર છે. આપણે જો આપણા સુખને નથી સાધતા તે। પછી બીજાને તે! સુખ ઉપજવીજ કેમ શ્રેષ્ટીએ ? આપણે સુખી થવું અને અન્યને સુખ અથવા અન્યને સુખી કરવા એ આપણે સુખી થવા માટે છે. જ્યાં સુધી આપણે પાતાને અને અન્યને સુખી કરી શકતા નથી ત્યાં સુધી સંપૂર્ણ સુખ આવી ચૂકતુ નથી. તેવીજ રીતે તમે સુખના ઇચ્છક અને અને તેવીજ આકૃતિ જગતરૂપ આરસીમાં પાડવા પ્રયત્ન કરો. આમ થતાંજ તમારા તન, મનની આકૃતિ જગતરૂપ આરસીમાં સાંધ્યથી ભરપુર મહત્તાવાળી, સામર્થ્ય સહિત અને અનેક અલૌકિકતાના ગુણવાળી દેખાશે. તમે આવી સુંદર આકૃતિને નિહાળવાના ઇચ્છક છે. પણ તમે જગત રૂપ આરસામાં દ્રષ્ટિ નાંખે! અને તમે કુરૂપ ભાળા એટલે કંટાળા છે! તેમ નહિ કટાળતાં પ્રયત્નને આદરા. તમે જેવી આકૃતિ નીહાળવા ઈચ્છે છે તેજ પ્રમાણેનું તમે તમારા કૃત્ય, વાણી અને વિચારથી વર્તન આદરી અને પછી જુઓ કે તમે પેતે તમારી આકૃતિ કુરૂપવાન છે ? તમારી આકૃતિમાં રહેલ નિર્મળતા, મનેાપરતા ને કદિ છેદી નાખશે નહિ. સદ્દા, સર્વદા શુભનાજ, પ્રેમનાજ તી િવિચારાને સે અને તેજ પ્રમાણેની કૃતિ રાખો, તેમ વાણીમાં પણ તેજ ભાવ રાખે અને પ્રસન્ન રહે. જગત વીણા જેવું મધુર છે અને વગાડનાર ઉપર તેના આધાર રહેલ છે. વીણા અગર વગાડવાનું કા
Page #23
--------------------------------------------------------------------------
________________
જગત.
૩
પણ વાઘ મુખ્યત્વે કરી વગાડનારના આધારપરજ રહેલ છે. વાજીંત્ર સારૂ છતાં વગાડનાર કુશલ હેતે નથી તે તે સારૂં વાગી મધુરતાને અર્પી શકતું નથી. જગતરૂપ વીા પણ તેવીજ છે. તેને હાંશીરીથી વગાડવામાં આવે તા અત્યંત મધુરતા તેમજ ઉચ્ચતાને અરેં અને જો વીણુાને ગમે તેવી રીતે વગાડવામાં આવે તે કશતાને અર્પે. તમે તેને કેવી રીતે વગાડે છે ? તે તમને મધુરતા અર્પે છે કે કશતા ? જો તમને મધુરતા અર્પાતી હોય તે જાણજો કે સારી વગડાય છે અર્થાત્ કુશલતાથી વગડાય છે અને કર્કશ વાગે તે જાણવું કે ગમે તેમ વગાડવામાં આવે છે. વીણાને જ્યારે બરાબર વગાડવામાં આવે છે ત્યારેજ મધુરતા આપે છે. જે કાળે જે સુર વગાડવા ોઇએ તે કાળે તે વગડાય ત્યારે જ તે મધુરતા અરપે છે તેવીજ રીતે જગત રૂપ વીણામાં સમજવું. જેને વીણા ખરાખર વગાડતાં આવડે છે તેજ મધુરતાનેા સ્વાદ ચાખે છે. તે સર્વા ઉચ્ચતાને, ઉન્નતિને પ્રાપ્ત થાય છે. તમે તે ઉન્નતિ સાધતા માલુમ પડતા નથી તો સમજાય છે કે હજી તમને વીણા બરા બર વગાડતાં આવડતી નથી. જેટલો સમય તમે વીણાને ખરાબર રીતે વગાડે છે. તેટલા સમય તે તમને આનંદમાં ગરકાવ રાખે છે. તેમજ ઉત્સાહ, શાન્તિ અને જાગૃતિને અરેં છે. જ્યારે તમારાથી તે કર્કપણે વાગે છે ત્યારે દુ:ખ ભય અને રોકનુંજ તમને ભાન થાય છે. આયી જે કાળે આવું યાય તે વખતે તમારે સમજવું જોઈ એ કે જેમ વીણામાં સુરતી ફેરફારોથી કર્કશતા છે તેમ તમે તમારૂં કર્તવ્ય ભુલેલ છે. તેથીજ જગત રૂપ વીણુ કર્કશતાના સ્વરને અરપે છે. આ પ્રમાણે સુખ અને દુ:ખની કુંચી તમારા હાયમાંજ છે અન્યને સૌથ્થા દુષીત ન કરતાં આ વસ્તુના જ્ઞાનની અછતને લઇને મનુષ્યા જગતના માથે દેવ મુકે છે પશુ પોતાની ભૂલ સમજી શકતા નથી. દુઃખરૂપ સ્વર નીકળવામાં દેષ જગત રૂપ વીણાતા નથી પણ તેના વાડનારી છે. વગાડનારે અકુશળતાને ધારણ ફરવી એ વગાડનાર ચે!ગ્ય ન કહી શકાય માટે થતી ભુલને સુધારવી એજ રાગ્ય કહી શકાય તેમ છે. તા હવે આવી ભૂલ જાણી બેસી રહેવુ તે યોગ્ય લેખાય તેમ છેજ નહિજ. એક તેને વગાડી મધુરતા ઉત્પન્ન કરે છે ત્યારે બીજો તેને વગાડી ર્કશતા ઉત્પન કરે છે. જે ક્ષશે બરાબર વીણા વગાડતાં આવડી કે તરતજ તમને સુખનુંજ ભાન થવાનું. જે ગાયન તમને વગાડતાં આવડે છે તેમાં તમે શું એમ કહે છે કે તેમાં કશતા છે ? નહિ'; માટે તેજ માર્ક આ જગત રૂપ વીણાને પણ મધુરતા પ્રગટ કરે તેવીજ વગાડવી જોઈએ. ગામન એ પ્રત્યેક ક્ષણે આવી પડનાર વિધવિધ પદાર્થોં તેને જો કુશળતાથી વગાડવામાં આવે છે તે તે મધુરતાજ પ્રગટાવે છે માટે તે પ્રસંગે પણ યાગ્ય પ્રકારે તમારૂં એવું વર્તન રાખા કે જેથી તમને સુખની પ્રાપ્તી થાય તેમજ અન્યને પશુ સુખની-મધુરતાનીજ પ્રાપ્તી થાય. જગતરૂપ વીષ્ણુામાં બધા સુરી સારા છે પણુ તે બરાબર યાગ્ય સમય અને ચાચ્ય જગાએ વાગતા નથી તે ઉલટું ગેરલાભન્ન થાય છે એટલે કે દુઃખની, શાકની પ્રાપ્તિ થાય છે. તેજ પ્રમાણે ખાટા સુરેશમાં આપણે ભય, અશાન્તિ, ખેદ, ગ્લાની, મુર્ખતા, માહમલીનતાને ગણીશું. દુ:ખ અને તેની પરંપરા મનુષ્ય અજ્ઞાનથી ઉપજાવી લે છે. પાતાની અકુશળતાથીજ ઉપજાવે છે. જે જે પ્રસંગની પ્રાપ્તિ થાય છે તેમાંથી મનુષ્યને પાતાની મતિ પ્રમાણે સુખ દુઃખ ભાસે છે. કોઇ મહાભાજનને તેનાથીજ સુખ પ્રાપ્તિ થાય છે અર્થાત્ તે તા તેમાં ઉદાસીનપણું વ્હેતાં સુખમાં વહે છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૮૪
બુદ્ધિપ્રભા.
તમને દીવસમાં જે જે પ્રસંગે પ્રાપ્ત થતા હોય તેમાં દુઃખ માનતા હો તો તેમાં જગતને દોષ ન માનતા પણ તે તમારા અાનાથીજ છે એમ માનજે. દુખાદિને સ્વર તે તમારી આંગળી જ જગત રૂપ વીણુમથી બહાર કાઢે છે માટે સાવધ થઈ તે સ્વર કાઢવામાં તમારી આંગળી ન વપરાય તે બાબત સાવધાન રહે. જે પ્રસંગ આવ્યો હોય તેને અનુકળ સુર વગાડો તે તમને મધુરતા જણાશે દુ:ખ પ્રાપ્ત થતાં તમારાથી કયા પ્રસં. ગમાં ખોટો સુર વાગી ગયા છે તે શોધી કાઢવા પ્રયાસ કરો. શે અને સુધારે આમ કરતાં જ દુઃખાદીના સંભવ ઓછા થઈ જશે. મનુષ્ય માત્રમાં આ શકિત રહેલ છે મધુરતા મેળવવાની ખાતર અનુકુળ સુર વગાડ એજ તેને ખીલવવાનો અનુકળ માર્ગ છે. પ્રસં. ગને અનુકુળ વર્તવું. દુઃખનું મુળ શોધવું. તેને ટાળવા પ્રયત્ન કરો એટલે કે કયે વખતે ખોટો સુર વાગે છે તે સમજવું. પ્રસંગ આવી મળે તેનાથી વિરોધી વર્તન રાખવાથી તમને સુખ પ્રાપ્ત થશે નહિ. જ્યારે તમે તેને અનુકુળ વર્તન રાખશો ત્યારે જ તમને સુખાભાસ જાણવો. તે પ્રસંગના હેતુના અથવા સ્વરૂપના ગર્ભમાગને પ્રાપ્ત થવું અર્થાત તેનું જ્ઞાન મેળવવું અને પછી એવા પ્રયત્ન આદરે કે વિરોધી પ્રસંગે તમને મળે નહિ. આવેલ પ્રસંગને દુઃખરૂપ માનવો એ ખોટું છે. દુઃખની બુદ્ધિ વધે છે અને વિચાર પણ સારા થઈ રાતા નથી અને તેથી આગળ સુખ પ્રાપ્ત થતું નથી તેમ તે વખતે પણ દુઃખજ લાગે છે. જગતમાં જે પ્રસંગ તમને આવી મળ્યો તેને ઉપર ઉપરથી જોઈ રખ કે દુ:ખને નવ ન કરે. દુઃખને આપનાર પ્રસંગને પણ જે તેને ઉંડાણમાં ઉતરી નિહાળશે તે કદાચ સુખને અર્પનાર માલમ પડશે અને સુખને અર્પનાર અધીક સુખ અર્પનાર માલમ પડશે. ઘણા પ્રસંગે એવા હોય છે કે જેમાં પ્રતીકૂલ થવાથી હાની થવાની હોય છે પણ મનુષ્ય પ્રતીકૂલ પક્ષનેજ સ્વિકારી લે છે એવે પ્રસંગે અનુકૂળ વૃત્તિ કરતાં જ સુખ ઉપજે છે. દાખલા તરીકે પ્રસંગે એક દિવસ વાદળ ચઢી આવ્યું. બે ચાર મિત્રો મળવા આવ્યા. તેઓ કહેવા લાગ્યા કે આજનો દિવસ ઉદાસી જણાય છે. કામ કરવામાં કાંઈ ઉત્સાહ જણાતો નથી. અન્ય મનુષ્ય કહ્યું, હા ભાઈ! સૂર્ય નારાયણ પ્રકાશીત નથી તેથી જ તેમજ જણાય છે; મને પણ તેવો જ વિચાર આવ્યો હતે. તેમના ગયા પછી વળી એક બીજો મિત્ર આવ્યો ને કહે આજનો દિવસ કે શાંત જણાય છે, બધું કેવું રમ્ય લાગે છે. મેં કહ્યું: હા ભાઈ! આજ શનિ ઘણું ભાસે છે. આવે સમયે બહાર કરવામાં રમશુંયતા લાગે. સૂર્યને તાપ તપ નથી; શીતળ પવનની લહેરી વહી રહી છે. પક્ષીઓ કોલ કરતાં આકાશમાં ઉડી રહ્યાં છે, પશુઓ આનંદમાં ઘાસચારો ચરી રહ્યા છે, સર્વત્ર શીલતાજ પ્રસરી રહી છે. કે આનંદજનક દિવસ ! હવે જે ઉપરના પ્રસંગના પહેલા મનુષ્યને બીજાને જે ઉત્તર દીધે તે દી હેત તે પ્રતિકુળ બાસત ને મન ઉંચા થાત, અર્થાત વિરોધી ભાસ થાત; અને બીજાને પહેલાના ઉત્તર કલાથી પણ તેમજ થાત. આ પ્રકારે આવા અનેક મુદ્ર પ્રસંગોને પણ અનુકૂળ વર્તવાથીજ લાભ હોય છે તમારે “સ” સુર વગાડવાના છે અને તેને બદલે “સ” ઉપર આંગળી ફેરવે તે સુનો અવાજ કઈ લાગશે અને આનંદ લાગશે નહિ પણ જ્યારે “સા” ઉપર આંગળી ફરશે ત્યારે જ મધુરતા, આનંદતા લાગશે. તેમજ વગાડવામાં પણ ઉત્સાહ લાગશે. આજ પ્રકારે જગતરૂપ વીણાના સુરેમાં પણ સમજી લે કે કલેશનું ચિંતવન ન કરતાં આનંદનું ચિંતવન કરશે તો તમને આનંદજ ભાસશે.
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્યામ સંગ સંવેગ.
૨૫
ખોટા સુર ઉપર આંગળી મુકી ખરા સુરનો રાગ ક્યાંથી નીકળે. તમે ઇચ્છે છે તે નિર્ભયતાને અને ભયના વિચારનું ચિંતવન કરે છે. ફલાણાને તે વાઘ મળ્યો તે આમ પાસ નાંખે અને ફલાણાના ઘરમાં ચાર ગયો તો તેને આમ પાસ નાંખે. એવા વિચારને સેવી નિર્ભય થવાશે કે! તમારે જે નથી જોઈતું તેનો વિચાર ન કરો. જે જોઈએ છીએ તેજ સુરને વગાડે. તેને મધુર ધ્વની તમારા કાનને નિરંતર અથડાશે. જ્યાં દુઃખને, લેશને, ભય, ચિંતાનો અને એ વિગેરે કોઈ પણ વિરોધી ભાવનો સ્વર વાગ્યો કે - તરમાં હુર્ણ થયું કે તરત જ સાવધ થઈ તે સુર ઉપરથી તમારી વિચાર રૂપી આંગળીને હઠાવી લે અને આનંદ વિગેરે જોઇતા ભાવેના સુર હોય તેને પ્રતિ વિચારરૂ૫ આંગળી દબાવે. પ્રિય વાંચક! આ પ્રકારે જગતરૂપ વિણામાંથી મધુર ધ્વની કાઢો. તે તમારાજ હાથમાં છે તે તેને કાઢી પિતાને અને અન્યને કય કૃત્ય કરે. આ આદિ અનેક શુભ પ્રવૃત્તિઓને કરી તમારા ઇસ્પીતાર્થ સિદ્ધ કરો અને અંતે સુખ, શાન્તિ, નિર્ભયતા, આનંદ, જ્ઞાન આદિ પદાર્થમાં રમતા રહે.
श्यामा संग संवेग.
(રચનાર પોપટલાલ કેવળચંદ શાહ–રાજકોટ)
ઉપંદ્રવજ્રવૃત્ત. નમું તને વીર શ્રી વર્ધમાન, વિદારજે વિઘ વિભુ મહાન; પદે પદે મસ્તક હું નમાવું, ક્ષમા ધરે હું તમને ખભાનું.
કવિતા (મનહર). ધર્મવન વાગ્નિના ધુમાડાની હાર જેવા, કમલાંગી તણ ચામ વાળ બાલ+જાણ; મુક્તિરૂપ માર્ગ વિષે વિશ કરનારી નારી, જાણ એમ જાર જેને આનંદ ન માનજે. બાલ જેમ લબ શ્યામ વાળ તેમ લંબ શ્યામ, ગણી અપશુકનને ત્રાસ તેથી પાજે. સેમ પ્રભા સૂરિ તણું વાણી વદે શુક વળી, જેવી તેવી વાણી પણ સુખદ પ્રમાણુજે.
તોટક વૃત્ત. કમળા તમ કેશ કલાપ દિસે, તમ શ્યામ સમા શુબ જ્ઞાન વિષે; સુચરિત્ર રૂપી વિધ તિઝ તણ, હરનાર વિનાશક મેધ ગણે. તુજ કેશ ન એ પશુ કલેજ છે, લસિતા+ dજ કેશ લસિત છે: મુનિયોગી તણા ચિત્તને હરતે, તુજ કેશ લાપ અતિ નડ, સ-સર આ ઉતરે તો જેમ અપશુકન થાય તેમ એથી ધર્મ માર્ગમાં અપશુકન થાય.
ચારિત્ર રૂપ ચંદ્ર + સ્નિગ્ધા. ૯ અક્ષર સહિત એટલે કે ના કમાં લ નેડી દેતાં ફ્લેશ જ થશે.
જેહ મહા વત આપણાં, તેમાંનું આ એક; જાર વિલાસી જન હિતે “વરણું રાખી વિવેક
Page #26
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
કવિત (મનહર), વામા તારાં વિક્રમ, દિસે નવકમજ, કવિ એક કહે છે તે ખોટું કેમ માનવું; મુનિજન સર્વ તણું ચિત્ત કાપી નાંખનાર, નવી કરવા જેવું હથિયાર કારમું. કમલિની કામિની તે ધર્યું ચિત્ત ચોરનારું, ભાનને ભુલાવનાર ભક્તિને ભુલાવતું; નિર્મળ જ્ઞાનરૂપ ચંદ્ર ગ્રહનાર રાહુ, અલકનું યુથ મુક્તિ માર્ગને મુકાવતું.
ઉપેંદ્રવજા અલંકૃતાકૃતલ ભાર સ્ત્રીને, અલંકૃતાકૃતલ ભાર માને; વિલેકીને જે જન રાજકાતા, ભવાટવીમાં ભૂલથી ભમાતા.
ગીત. અષ્ટમી ચંદ્ર સમાન, ભાલચંદ્રને જોઈ જનો રાચે;
અલીક અલિકજ જે છે, તેને પ્રીત કઈક જન જાગે. શાને સમજે શાણા, સજજો તેમાં સુખ રહ્યું સઘળું; રાચો જોઈ જા, અવળી દિશામાં સુઝે બધું અવળું.
समयने ओळखो.
તેક, બદલાય સમે ન રહે સર, જળ ત્યાં સ્થળને બનતાં નિરખો; નવરંગ સમે કંઈ દાખવતે, ગત વસ્તુ ફરી કદી ના મળતું. વિણ વખ્ત પછી નહિ કાંઈ બને, સમજી સમયે કરજે શુભને; ઉપકાર કરે સુ ઉદાર થજો, ધન લેક હિતારથ વાવરજે. તક સાધી લીયે સમયે ન ચુકે, સમય યુતિ હાનિ વડી ગણ; ધનની મનની તનની જનની, કંઇ સાય કરે જગને જરૂરી.
ઉપજાતિ. ન ઓળખે સ્થિત સમક્ષ હાથી, જતાં જતાં સંશય થીજ હાથી પદે નિહાળ્યા નકી એજ હાથી, ન હાથ આવે ફરી “વખત હાથી.
દાહરા.
તરસ્યા ચાતક બાપને, પાણી પાવું મેઘ; નહિ તે હરી જાશે તને, ક્ષણમાં વાયુવેગ. ચાતક માં તું ક્યાં પછી, મળે ન ગઈ પળ મેઘ; તન, મન ધન લે પાવરી પહેચે જ્યાં તક છેક બહુ જળભરી ખારી નદી, લાબ ન કરતી કઈ; મીઠા જળનું નાનકું નાળું છે સુખદાઈ. મરણ ન મૂકે કાઈને, ચિંતવને મનમાંય; ટાણું નહિ મળશે ફરી, નાણું મળશે ભાઈ,
૧ વેણી-શણગારેલો ચોટલો. ૨ નવી કરત. ૩ કુંતલમાંથી કહાડી નાખો એટલે કુંતજાર સદ્ધ થશે. કહેવાનો મતલબ કે કુંતલભાર (અંબેડે) એ કુતભાર (અંકુશ-એક ભેદક શસ) છે. ૪ અલીક એટલે -મિસ્યા અને અલિક એટલે કપાલ, કહેવાનો મતલબ કે કપાળને આઠમના ચંદ્ર જેવું રૂપાળું માન છે પણ તે મિથ્યા ભ્રમ છે,
૫ વખત, વાર. વખત એટલે સમય રૂપી હાથી. ૬ ટાણું એટલે સમય,
Page #27
--------------------------------------------------------------------------
________________
દિવ્ય દર્શન.
રહ
તેટક. જનમે જગમાં જન ધ ઘણા, મરતાં પણ માનવીઓ ન મણી; જીવવું જનમી કંઈ સાર્થ કરો, દુખીઆં જનનાં કંઈ દુ:ખ હરે. જીવ માગ ચહે સુખ શાંતિ સદા, તમને અમને સુખ શાંતિ મુદા સમજી સુખ દે જગના જીવને, ધગતા ઉરને તપતા તનને.
दिव्य दर्शन.
(લેખક–મહેતા મગનલાલ માધવજી જૈન બેડીંગ–અમદાવાદ) વખત સાયંકાળને હતા. સૂર્યદેવ જાણે પોતાની લાંબી સફથી શ્રમીત થયા હોય અને પોતાનું તેજસ્વી દિવ્ય સ્વરૂપ ભૂતળવાસીઓને ન દર્શાવવાનું ધારતા હોય તેમ પોતે ઝટપટ અદશ્ય થવાની ત્વરાથી અસ્તાચળ તરફ પ્રયાણ કરતા હતા. સુંદર ગોર આસમાની રંગને આકાશમાં રક્તપટ જામી ગયો હતે, તે અસ્ત થતાં સૂર્યના સુવર્ણમય પીત તેજના વર્ણથી મિશ્રીત હતું, અને તે લોચનને અતીવ આનંદ આપતા હતા. નાનાવિધ પક્ષીઓ એકબીજા સાથે મધુર સ્વરથી સંવાદ ચલાવી પિતાની આનંદની ઉર્મિઓને બહાર કાઢનાં વિરામ પામતાં હતાં. બગીચામાં વિવિધ સુવાસિત પુષ્પ વિકસિત થઈ તેઓને શોભાયમાન કરતાં હતાં. સુમનની મિષ્ટ સુવાસમાં આસક્ત થએલી મધમાખીઓ ત્વરાથી જેટલો પરાગ લઈ શકાય તેટલે લઈ પિતાના મધપૂડા તરફ જમણું કરવાના વિચારમાં હતી. સરો વરવાસી કમળ પિતાને બીડાઈ જવાને વખત પાસે આવી લાગેલો હોવાથી મનમાં
વ્યતિત થતાં હતાં અને જેમ કે એક સંસારી જીવ આ અસાર સંસાર કે જે અગણિત દુઃખોથી ભરપુર છે તેમાં થોડુંક સુખ જોઈ અજ્ઞાનતાથી ધર્મસાધન ન કરતાં આ કંટક રૂપી પુત્ર પરિવારને વિષે લુબ્ધ થાય છે અને ક્ષણક સુખમાં રમી આખરે વિમાસણ કરે છે, તેમ તે કમળાની અંદર રહેલા ભ્રમરાઓ પિતાનું મૃત્યુ સમીપ આવ્યા છતાં સુવાસને આધીન બની તેમાં પરાગ લેવામાં તથા ધ્રાણેન્દ્રિયને તપ્ત કરવામાં જ્ઞાનને એક બાજુએ સડી આનંદ માણતા હતા. શીત સમીર અનેક સુરબિ પુષ્પોની સુવાસને સાથે ઘસડી શરીરને સ્પર્શ કરત મંદમંદ વાતો હતો.
અહા ! શી કુદરતની લીલા. ખરેખર કુદરતની લીલા અકળત છે.
સંધ્યાના આ દિવ્ય સમયે હું મારા આવાસની સમીપમાં આવેલા એક ઉદ્યાનમાં એક કોચને અઢેલી બેડે હતું. આ સંસાર શું? મારે આ દુનિઆની રંગભૂમિ ઉપર આવી શું શું પાઠ ભજવવાના છે. આત્મા શી ચીજ છે વિગેરે વિગેરે. ગહન વિથ ઉપર વિચાર કરવાની અંદર હું તલ્લીન બન્યો હતે. હું દીર્ધ નિઃશ્વાસ નાખતા હો અને મારા ઉરસાગરની અંદર અનેક તરંગે ઉછળી રહ્યાં હતાં, આસપાસની સ્થિતિનું મને કંઈ ભાન નહતું. એટલામાં હું બેભાન થયા. થોડીવારમાં મુચ્છિત થઇ કોચ ઉપર ઢળી પડ્યા. મુછિત અવસ્થામાં-એકદમ વિદ્યુત તુલ્ય પ્રકાશને ચમકારો થયો. પ્રકાશ થતાં જ કોઈ પગલાને કર્ણપ્રિય અવાજ મારે કાને પડે તેટલામાં તે સામેથી એક મુનિ મહારાજ આવતા જણાયા. તેમણે એક સુંદર ચક્ષુપ્રિમ અને પીળા રંગથી રંગિત ભપકાદાર વસ્ત્ર પરિધાન
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૮૮
બુદ્ધિકભા.
કરેલું હતું. તેમનું શીર્ષ અને ચરણ ખુલ્લા હતા. બગલમાં રજોહરણ અને હાથમાં એક દંડ શોભી રહ્યા હતા. તેમનું કપાળ વિશાળ અને તેજસ્વી હતું તેમની મૂર્તિ ઘણુજ સુંદર અને મને હર હતી તેમને વર્ણ ગોર હતું અને તપના તથા બ્રહ્મચર્યના પ્રભાવથી તેમના મુખકમળ ઉપર લાલી છવાએલી હતી. તે મારી સમીપ આવતાંજ હું તેમના ચરણમાં નમી પડશે. તેમણે મારો હાથ પકડી ભૂમિ પરથી ઉઠાડયો. તેમના દર્શનથી થએલા અલાસની પ્રેરણાથી મારાં નેત્રોમાંથી હર્ષની અશ્રુધારાનું અલન થયું. તેમણે મને અનેકવા આશ્વાસન આપવા માંડયું અને તેઓશ્રીએ મને પિતાના વચનામૃતથી પ્રબોધવા માંડયો.
“હે શિષ્ય! આ સંસાર અસાર છે, દુઃખમય છે અને આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણું પ્રકારે અનેક વિટંબણાઓથી ભરપુર છે તેની અંદર ધન તો તવત છે, આજ છે ને કાલે નથી. જે પાણીને પરપેટ. અને પુત્ર પરિવાર સર્વ કંટક સમાન છે કે જેઓ ધર્મ કાર્યને વિષે વિઘ પડાવે છે અને ખુંચે છે તેમાં મારું તારું સર્વ મિથ્યા છે. દુનિઆ એક મુસાફરખાનું છે કોઈ અવતરે છે અને કેઈ મરે છે. આ એક પક્ષીને મેળે છે. જેવી રીતે પંખીઓ સવારે બધાં ભેગાં થાય છે અને સાંજેરે સૈ પોતપોતાને માળે જાય છે તેમ આ સંસારની પણુ ગતિ છે.
__ यथा काष्टंच काष्टंच समेयातां महोदधौ ।
समेत्यच व्यपेयातां तद्वत सपागमः ॥ જેવી રીતે એક ઉદધિની અંદર એક લાકડું એક દીશામાંથી આવી અને બીજુ લાકડુ કેઈ બીજી દશામાંથી આવી બે એક સ્થળે ભેગાં થાય છે અને પાછાં જુદાં થઈ જાય છે તેમ આ સંસારની અંદર પણ કોઈ આત્મા દેવતાની ગતિમાંથી, કોઇ તિર્યંચ ગતિમાંથી અને કોઈ નરક ગતિમાંથી આવી અત્રે ભેગાં થાય છે અને માતા, પિતા, પુત્ર, પુત્રી, વધુ, ભગિની બ્રાતા વિગેરેના સંબંધથી જોડાય છે અને પિતાનું આયુષ પુરૂ થતાં પિતાનાં સારાં નરસાં કર્માનુસાર સારી વા માઠી ગતિમાં અવતરે છે. આ સંસારની અંદર વાડી, ગાડી, લાડી, સ્થાવર વા જંગમ મીલ્કત રાચ રચીલું એ સર્વ પિતાનું આયુષ્ય સમાપ્ત થતાં અત્રે છેડી પિતાનાં સારા નરસાં કર્મ સાથે લઈ જીવે આ દેહને મુકી જવું પડશે. તે પાણી ! આયુષ્ય ક્ષણિક છે માટે ધર્મ કરે એ જ સહાયભુત છે. ઘણાખરા પામર પ્રાણીઓ આ સંસારમાં આળસમાં નિમગ્ન થઈ ધર્મ કરતા નથી અને આ દુનિઆની અંદર રાશી લાખ છવાયાનીમાં ફેરા કર્યા કરે છે.
“૩ નારિ ધરા ચિત્તે રઝ પતિ » આ છંદગી ચંચળ હોવાથી ધર્મને માટે એક પણ વખત અયોગ્ય નથી. અવસાન પછીના સમયમાં ધર્મ પાથેયરૂપ છે તે એક નેતા તરીકે છે માટે હે પ્રાણી આલસ તજી દરિદ્રતાની દેવીને દેશવટો દઈ ધર્મ કાર્યમાં પ્રાપ્ત થા પ્રવૃત્ત થા અને તેથી જ તારો મોક્ષ થશે. “વર, નંદુરબાન એ પ્રમાણે તે મહાત્મા આશીર્વચન ઉચ્ચારી અદશ્ય થયા. હુ આસપાસ જેવા લાગે પણ કોઈ મને નહિ. હું વિસ્મય ચકિત થયો પણ સધન સંસ્કારોએ મને શુદ્ધિમાં આ તેની સાથે જ હું જાગત થયો.
ખરેખર સત્સંગને મહિમા જુદે જ છે તેને અલભ્ય લાભ કવચિત જ કોઈને થાય છે તેથી ઘણું ઘણું મહાન ફાયદા થાય છે. બુદ્ધિ ખીલે છે. મનને મેલ કેવળ ધોવાઈ જઈ
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રાનાના અવસાન પછી.
૨૮૮
તે કંચન જેવું બની રહે છે. સર્વ આડા અવળા ગેટલા શંકા સમાધાનથી નીકળી જાય ને તેથી આપણે અનેક ભિન્ન ભિન્ન વિચારોમાં ગોથાં ખાતાં અટકીએ છીએ અને તેથી મનને શાંતી મળે છે.
जाडयं धियोहरति सिंचति वाचि सत्यं । मानोन्नतिं दिशति पापमपाकरोति ॥ चेतः प्रसादयति दिक्षु तनोति कीर्ति ।
सत्संगतिः कथय किन्न करोति पुंसाम् ।। સત્સંગથી માણસ જે ધારે તે કરી શકે છે તે ખરેખર સત્સંગી માસુ સસંગરૂપ કલ્પતરૂથી વાંછિત વસ્તુઓ મેળવી શકે છે.
संतप्तायसि संस्थितस्य पयसो नामापि नश्रूयते । मुक्ताकारतया तदेव नलिनीपत्र स्थितं राजते ।। स्वात्यां सागर शुक्ति मध्य पतितं तन्मौक्तिकं जायते ।
प्रायेणाधम मध्यमोत्तम गुणाः संसर्गतो जायते ॥ અવા? શો સત્યસંગનો પ્રભાવ, ખરેખર તે પ્રભાવ અવર્ણનીય છે. લોઢાને પારસ મણિને સ્પર્શ થવાથી તે સેનું બને છે, પાણીનો એક છાંટો સ્વાતિ નક્ષત્રમાં છીપના મુખમાં પડે તો તેનું મહાઈ ભાકિસ્તક બને છે, કમલપત્ર ઉપર રહેલું પાણીનું બીંદુ મોતીના જેવી શોભા આપે છે. તે પ્રસંગને જ પ્રભાવ છે ખરે સતસંગ તે મોક્ષને ખુલ્લો માર્ગ છે. અહી? તે મહાત્માની તેજસ્વી શાંત અને ગંભીર મૂર્તિ હજુ પણ મારી આગળ ખડી થાય છે. તે મુનિ મહારાજ બુદ્ધિને સાગરજ હતા, તે “દીવ્ય દર્શન” ની સ્મૃતિથી વારંવાર હદયમાં આનંદ રસને છંટકાવ થાય છે.
भ्राताना अवसान पछी.
(લેખક –મહેતા મગનલાલ માધવજી જૈન બોર્ડીંગ અમદાવાદ)
જાતિ, હતી જ્યાં પુષ્પની વાડી, ખીલેલી સુરભિને દેતા, ગઈ કરમાઈ તે વાડી, સુકું જંગલ જણાવે છે; કરે કોકિલ ટહુકાઓ, હૃદય રફુરણા થતી'તી જ્યાં, પોતે મહાલતા દીઠા, જોઈ છાતી ચીરાયે છે. વહેતી પ્રેમની ધારા, ઝરંતી સ્નેહ ગુફાથી, સુકાઈ પલ્કમાં તે તે, શીલાઓ ત્યાં જાય છે; ખરેખર પ્રેમની સરીતા, અહોની જે વહન કરતી, જતાં સુકાઈ, વારિ૧ વીણ, બુરી હાલત થઇ તેની અરે નીર્ભાગી નું સરીતા, કરમની કટલી નારી,
નથી જ્યાં પ્રેમ પિલાતે, વૃથા છવી કરે તું શું? ૧ પ્રેમ રૂપી વારિ.
Page #30
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
હો હ સર્વદા સુખી, ખરેખર બ્રાત સહાયથી, કે માલ્ય દુષ્ટ પારધીએ, બુરી હાલત થઈ મારી. દાધે મીનું વારિ બણિને, દુધ બહુ પીધું, ન કર્યુ તે નહિ રહેશે, ઝડર ત્યાં ક્યાં સમાયું છે; ભલે જો ભરણને ભેટું, ઝહરપી સ્વર્ગમાં ખ્યાલું, યા બ્રાનને માટે, ઝહર બસ પ્યારું પ્યારું છે.
इत्यलम्.
पेथापुरमा आचार्य पदवी अने ते निमित्ते थएलो महोत्सव.
પિશાપુરમાં સાગર ગ૭ના વડા વિદ્વાન ગાન મુનિ મહારાજ શ્રીમદ બુદ્ધિસાગરજીને સંવત ૧૯૫૦ને માગસર સુદ ૧૫ ને શનીવારના શુભ દિવસે શુભ મુહુર્ત ચઢતે પહેરે શાસ્ત્ર વિશારદ જૈનાચાર્યની પદવી આપવામાં આવી છે. આ પ્રસંગે અમદાવાદથી સરદાર શેઠ લાલભાઈ દલપતભાના ભાઇ શેઠ જગાભાઈ દલપતભાઈ ઝવેરી લલુભાઈ રાયચંદ, ભગત વિચંદભાઈ ગોકળભાઈ, શા. જેશીંગભાઈ મનસુખભાઈ, શેઠ લાલભાઈ ચુનીલાલ, શેઠ માણેકલાલ ચુનીલાલ, સાદાગર મેહનલાલ ડાહ્યાભાઈ, સોદાગર સકરચંદ હઠીસંગ, સુરતી મેહનલાલ, ભોળાભાઈ વીમળભાઈ, ઝવેરી લાલભાઈ કેશવલાલ, તથા ચીમનલાલ બાપાલાલ તથા શંકરલાલ ડાહ્યાભાઇ વિગેરે. લગભગ બસો માણસ આવ્યું હતું. મુંબાઈ અને સુરતથી ઝવેરી જીવણચંદ ધરમચંદ ઉદયચંદ, ઝવેરી જીવણચંદ સાકરચંદ, ઝવેરી ભુરીભાઈ જીવણચંદ, ઝવેરી લલુભાઈ હેમચંદ, ચુનીલાલ બાલુભાઈ ભણસાલી, ભગુભાઈ હીરાચંદ માછ, ઝવેરી ઉત્તમચદમાનચંદ, ઝવેરી તલકચંદ અમરચંદ, ઝવેરી ભાઇચંદ હીરાચંદ વિગેરે. કપડવણજથી નગરશેઠ જેસીંગભાઈ પ્રેમાભાઈ વિગેરે. વલસાડથી શેઠ નાથાલાલ ખુબચંદ તથા શેઠ ડાહ્યાભાઈ કસુરજી, માણસંર્થ શેઠ વિચંદ કૃષ્ણાજી, તથા હાથીભાઈ મુલચંદ વિગેરે, પાદરેથી વકીલ મોહનલાલ હેમચંદ વિગેરે, વાદથી શેઠ ગોવીંદભાઈ ઉમેદભાઈ તથા સુખલાલ ઠાકરશી વિગેરે, પાટણથી શેઠ નગીનદાસ મંગળચંદ શેઠ લલ્લુભાઈ મગનલાલ વિગેરે, વિજપુરથી શેઠ નથુભાઇના દિકરા વિગેરે, તેમજ મહેસાણા, વડોદરા, વડનગર, વિસનગર વિગેરે સ્થળોના માણસે મળી લગભગ આસરે ત્રણ હજાર માણસ એકત્ર થયું હતું. મુંબાપ્ત વિગેરે બહારગામથી શેઠ મગનલાલ કંકુચંદ વિગેરે જેઓ આ માંગલિક પ્રસંગે આવી શક્યા નહોતા તેમના તાર તથા કાગળ આવ્યા હતા.
આ સિવાય જેનેતરમાં પેથાપુરના મુખ્ય મુખ્ય અમલદારો તેમજ તકવાચસ્પતિ શ. સં. બીમત સરકાર સયાજીરાવ ગાયકવાડના વડા ને ચુનંદા શાસ્ત્રી બદ્રીનાથ, શાસ્ત્રી રામજી હરજી, શાસ્ત્રી ગરજાશંકર લક્ષ્મીશંકર, શાસ્ત્રી ભાઈશ કર વકરામ, કાશીથી રસાયણ શાસ્ત્રી પંડીત શ્યામ સુંદારાચાર્ય વૈશ્ય, જ્યોતિવિંદ રવિશંકર લક્ષ્મીશંકર વ્યાસ, પડીત કેશવલાલ નાનુરામ ભટ્ટ વિગેરે વિદ્વાનોએ હાજરી આપી હતી. મુનિ મહારાજનાં ૧૨ ડાનું તેમજ ગળણીજી મહારાજનાં પ ઠાણાં વિધમાન હતાં.
૧ ચમ, કાળ રૂપ પારધી. ૨ ના રૂપ ઝહર.
Page #31
--------------------------------------------------------------------------
________________
પેથાપુરમાં આચાર્ય પદવી અને તે નિમિતે થએલો મહોત્સવ.
૩૦૧
શુભ માંગલિક ક્રિયા પુરી થયા બાદ યોગનિક શ્રીમદ્ બુદ્ધિસાગરજીને શાસ્ત્ર વિશારદ જૈનાચાર્યની પદવી આપવામાં આવી હતી.
શરૂઆતમાં શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડના પ્રખ્યાત વિદ્રાન શાસ્ત્રી બદ્રીનાથે જણાવ્યું જે શ્રીમદ્ બુદ્ધિસાગરજીની સાથે મારે પરિચય થયેલ છે તેથી હું કહેવાની રજા લઉં છું કે તેઓ વિધાનું છે તેમજ તેમનામાં આચાર્ય પદવીને લાયક પ્રશસ્ય ગુણો રહેલા છે. મને તેમના જ્ઞાન તથા ગુણ માટે મોટું માને છે. તેઓ લાયક હોવાથી તેમને જે લાયક પદ મળ્યું છે તે જોઈ મને ઘણે આનંદ થાય છે.
જૈનસંઘે તેમની વિદ્વત્તાની તેમના શુદ્ધ ચરિત્રની તથા તેમની શાસનની સેવાની કદરદાની કરી તેમને જે આચાર્ય પદવીનું બિરૂદ આપ્યું છે તે તેમણે યોગ્ય જ કર્યું છે. મહારાજશ્રીને આચાર્ય પદવીના માંગલિક પ્રસંગમાં પેથાપુરના સંઘે જે અગ્ર ભાગ લીધેલ છે તેમજ ગામ ગામના સંધને તેમજ વિદ્વાનોને આમંત્રણ કરી બોલાવ્યા છે. આવી રીતની તેમની પતાના ગુરૂશ્રી પ્રત્યે ગુરૂભક્તિ જોઈ હું આનંદ પામું છું. આવા માંગલિક પ્રસંગે હાજરી આપવાને હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું.
ત્યાર બાદ શાસ્ત્રી રામકૃષ્ણજી હાંએ આચાર્ય શબ્દનો અર્થ કરી તે ગુણેને બુદ્ધિસાગરજી લાયક છે તેમજ તેઓ વિધાન છે તેમ જણાવ્યું હતું. પેથાપુરમાં સંઘે આરંભેલા આ માંગલિક કાર્યને હું દરેક રીતે અનુમોદન આપું છું.
ત્યાર બાદ શાસ્ત્રી ગીરજાશંકર લક્ષ્મીશંકરે પર્મ સંબંધી વિવેચન કરતાં જણાવ્યું હતું કે અહિંસા એ જૈન ધર્મનું બિરૂદ છે અને જીવ દયાને માટે દુનિયાના દરેકે દરેક ધર્મ પુષ્ટિ આપે છે. અંધ માણસને જેમ લાકડી ખાડામાં પડતાં બચાવે છે તેમજ ધર્મ એ પણ મનુષ્યને દુર્ગતિમાં પડતાં બચાવે છે. આ ધર્મના મુખ્ય પ્રવર્તક આચાર્ય કહેવાય છે. ધર્મ વિવેકથી સાધી શકાય છે. સારાસારનું ભાન થયા વિના સત્ અસત્ ઓળખ વિના ધર્મ પાળી શકાતો નથી માટે ધર્મ પાળવામાં વિવેક કરવાની પ્રથમ જરૂર છે. વિવેક કર્યા વિના કોઈ પણ પ્રકારે કઈ પણ વસ્તુની કે વ્યક્તિની ઉન્નતિ થઈ શકતી નથી. લાયકમાં જ્યારે લાયક વસ્તુ ભળે છે ત્યારે જ તે વિશેષ શબાને આપે છે. મનુષ્યને વિવેક બુદ્ધિનું ભાન કરાવનાર તેમજ ઐહિક તેમજ પારમાર્થિક ઉન્નતિના કારણભૂત બુદ્ધિ-જ્ઞાન છે તેમજ બુદ્ધિનાજ્ઞાનના આ (મુનિ, સાગર છે. તેમની સાથેના મારા બાળપણુના અનુભવથી હું કહેવાની રજા લઉં છું કે તેઓની શુદ્ધ ચિત્ત કૃતિ નિર્મળ ચારિત્ર તેમના જ્ઞાનની સાથે વિશેષ શોભા યુકત છે. તેમને સાસ્ત્ર વિશારદ જૈનાચાર્યની પદવી આપવામાં આવી છે તે જોઈ મને ઘણે હર્ષ થાય છે અને આશા રાખું છું કે મુનિશ્રી પિતાને મળેલા મહત પદનું સાર્થક કરી ઘણું જૈન બંધુઓને તેમજ અન્ય જનોને આ સંસાર સાગરમાંથી ડુબતા તારશે ને ધર્મ પમાડી ઉદ્ધાર કરશે.
ત્યારપછી રા. ર. ઝવેરી જીવણચંદ ધરમચંદ ઉદેચંદે જણાવ્યું કે મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી ઉપર સાગરના સંધાડાને બધો ભાર મુકાયેલ છે, તેમજ તેઓ આપણું જેન કોમમાં ઘણા વિદ્વાન મુનિ મહારાજ છે. તેમનું શુદ્ધ નિર્મળ ચારિત્ર ઘણું જ પ્રશસ્ય છે. તેઓ બાળ બ્રહ્મચારી છે. તેમજ તેમણે થોડા વખતમાંજ લગભગ ૩૫ ગ્રંથો સ્વકલમથી લખી બહાર પાડેલ છે. આવા જ્ઞાન-ગુણ યુકત અને શાસનના ઉતમાં રક્ત
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૦૨
બુદ્ધિપ્રભા.
જૈનમુનિશ્રીને જૈનાચાર્યની પદવી આપવામાં આવી છે તે દુધમાં સાકર ભળ્યા બરોબરજ થયું છે. આ બાબત કેટલાક સ્થળોના સંઘોનું આકર્ષણ થયેલું હતું પરંતુ જ્યાં ભાવી બલિષ્ટ હોય ત્યાં જ વસ્તુ બને છે. છેવટ પેથાપુરને શ્રીસંધ મહારાજશ્રીને આચાર્ય પદવી આપવાને ભાગ્યશાળી થયો છે તે જોઇ મને ઘણે આનંદ થાય છે. તેમના દિક્ષા પર્યાયને આજે લગભગ પંદર વર્ષ થયેલાં છે તેમની કોમ પ્રત્યે બજાવેલી સેવાથી અત્યારે સકળ જેનોમ ભાગ્યેજ અજાણ હશે. કેળવણીના વિષય ઉપર તેઓશ્રીએ ઘણું જ અજવાળું પાડયું છે અને તે નિમિત્તે અહોનિશ પ્રયત્ન કરે છે. જેમની ઉન્નતિના વિચારમાં જ તેમનું મન સદા રોકાયેલું જોવામાં આવે છે. જેથી વડોદરાની સાહિત્ય પરિષદના પ્રમુખ સાક્ષર શીરોમણી શ્રીયુત રણછોડલાલે તથા સાક્ષર શ્રીયુત કેશવલાલ હર્ષદરાવ ઇવ વિગેરે જૈનેતર વિધાનેએ પણ તેઓશ્રીના ગ્રંથોનું અવલોકન કરી તેમજ તેમની સાથેની વાતચીતના પરિચયથી મુનિશ્રીની વિદ્વતા અને ચરિત્ર માટે ઘણા ઉચ્ચ અભિપ્રાયો પ્રદર્શીત કર્યા છે.
ખુદ વડોદરાના મહારાજા શ્રીમંત સરકાર ગાયકવાડે પણ તેમની વિદ્વતાથી તેમજ ચારિત્રથી આકર્ષાઈ તેમની પાસે પોતાના લક્ષ્મીવિલાસ પેલેસમાં વિદ્વાને સન્મુખ ધર્મ વિષે ભાષણ કરાવ્યું હતું અને તેથી ઘણો સંતોષ જાહેર કર્યો હતો. જે જે સ્થળે તેઓશ્રી વિહારો કરે છે ત્યાં પબ્લીક ભાષણો આપી કોઈ ધર્મને બાધ આવે નહિ અને જૈનધર્મની મહત્વતા વધે એવી રીતે ઉપદેશ આપી હજારે જનને જ્ઞાન રંજન કરે છે.'
ત્યારબાદ પેથાપુર નિવાસી વૈદ્ય ચંદુલાલ મગનલાલે જણાવ્યું જે આજે પુજ્ય મુનિમહારાજ શ્રી બુદ્ધિસાગરજીને જે શાસ્ત્ર વિસારદ જેનાચાર્યની પદવી આપવામાં આવી છે તે જોઈ મને ઘણે આનંદ થાય છે. સાગરને સાગર કહે એ કઈ અતિશયોક્તિ નથી તેમજ બુદ્ધિના નિધાન બુદ્ધિસાગરજી હોય તે સ્વાભાવિક છે. તેમની વિદ્વતા, તેમની વન્નવસક્તિ, કાવ્યરેલી, પરમાર્થ પરાયણતા, શાસનસેવા, વૈરાગ્યદશા, સરળતા, નમ્રતા, ચારિત્ર્ય, નિર્મળતા વિગેરે ધણજ પ્રશક્ય છે. તેમજ તે આદર્શની પેઠે ખુલ્લાં છે તેથી આવી રીતની મહાન શાસ્ત્ર વિશારદ જૈનાચાર્યની જે પદવી મુનિશ્રીને આપવામાં આવી છે તે કનકમાં કુન્દનિજ જડાયું છે. રાંકને હાથ રત્નની પડે અમારા ગામને પણ હું મોટું ભાગ્યશાળી ગણું છું કે આવું મહત્વતા ભરેલું અને માંગલિક કાર્ય અમારા શ્રી સંઘને હાથ આવ્યું છે. આજે જે જે સદ્ગહસ્થોએ બવારામથી પધારી અમારા ગામને જે શોભાવ્યું છે અને આ રૂડા ને માંગલિક પ્રસંગમાં ભાગ લીધે છે તેને માટે અત્રે પધારેલા સર્વે સ ભ્યોને હું મારા ગામના સંધ તરફથી અંતઃકરણપૂર્વક આભાર માનું છું. બહારગામથી પધારેલા સર્વે સદ્ગૃહસ્થોને વિનંતિ કરું છું કે આપ સાહેબની જે કંઈ સેવા બજાવવામાં અમારા સંધની ઓછાસ થઈ હોય તે માફ કરશે. અમારા ગામના પ્રમાણમાં અમારાથી જે કંઈ બની થયું છે તે કરવાને અમે ચુક્યા નથી.
હું શ્રી શાસન દેવતાના પરમ પસાય આવા હજારે માંગલિક કાર્યો અમારા શ્રી સંધથી થાઓ અને વીર શાસનનો સદા જય થાઓ એવું ઈછી વરમું છું.
ત્યારબાદ શાસ્ત્ર વિશારદ આચાર્ય યોગનિક મુનિ બુદ્ધિસાગરજી મહારાજે સમયાનુસાર અને પાંડીય ભરેલું વ્યાખ્યાન કર્યું હતું. જે હાલમાં અમે મુનિઓ દરેક રીતે પૂર્વાચાર્યોના પગની જ્ઞાન ગુણમાં રજ સમાન છીએ-સાપ ગયા છે ને લીસોટા રહ્યા છે. આવું કહી તે
Page #33
--------------------------------------------------------------------------
________________
માનવ હિત.
૩૦૩
વિધાન છતાં પિતાની તેમાં લધુતા પ્રદર્શીત કરી હતી અને પોતે જણાવ્યું હતું કે જુદા જુદા ગામના શ્રી સંઘે એકત્ર મળી મને જે મહાનપદ આપ્યું છે તેના માટે હું શાસન દેવતાને વિપ્તિ કરું છું કે મને તેમના શાસનની સેવા બજાવવામાં સદા સહાય થાઓ. આ વિગેરે ઘણું જ મહાનપદને છાજતું વ્યાખ્યાન કર્યું હતું. ત્યારબાદ જૈન શાસનની જય બોલાવી સર્વે સભા વિસર્જન થઈ હતી.
આ શુભ પ્રસંગે પેથાપુરના શ્રીસંઘે એક દલથી અને ઘણાજ હર્ષની લાગણીથી આ માંગલિક કાર્યમાં જોડાઈને નિર્વિને અને શાંતીથી તે પાર પાડયું છે તેમના તરફથી આચાર્ય પદવીના મહોત્સવ વખતે નકારશી કરવામાં આવી હતી તેમ તેના બીજા દિવસે સુરત નિવાસી રા. રા. ઝવેરી જીવણચંદ ધરમચંદ ઉદેચંદ તરફથી નકારથી કરવામાં આવી હતી. આચાર્ય પદવી મહત્સવના દિવસે પેથાપુરના શ્રીસંધ તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી તેમ શેઠ જગાભાઈ દલપતભાઈ ભગુભાઈ તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. માણસાના શેઠ વિરચંદભાઈ કૃષ્ણજી તરફથી લાડવાની પ્રભાવના કરવામાં આવી હતી. ઝવેરી ભૂરી આભાઇ જીવણચંદ તરફથી સાકરના પડીકાંની પ્રભાવના કરવામાં આવી હતી. માણસાવાલા માધવલાવ અમથારામ તરફથી પિડાની પ્રભાવના કરવામાં આવી હતી. તેમજ વલસાડના શેઠ નાથાલાલ ખુબચંદ તથા શેઠ ડાહ્યાભાઈ કેસુરજી તરફથી પતાસાંની પ્રભાવના કરવામાં આવી હતી. અમદાવાદના શેઠ ચુનીલાલ સુરજમલ તયા સાણંદના શેઠ ગોવિંદજીભાઈ ઉમેદ તરફથી પતાસાંની પ્રભાવના કરવામાં આવી હતી, અમદાવાદથી શ્રી સંભવનાથજીના દેરાશરવાળી ટળી બેલાવવામાં આવી હતી તથા તે સીવાય બીજી ઘણી રીતે પેથાપુરના શ્રી સંધ તરફથી ધા ધુમ કરવામાં આવી હતી. આ પ્રસંગે નવજણા સજોડે ચોથું વ્રત ઉર્યા હતા. બીજા પણ કેટલાંક વૃત્તિ ઉચયા હતા.
मानव हितबोध.
( લેખક-શાહ વાડીલાલ શીવલાલ, અમદાવાદ. )
સાઈલ વિકીડીત ઈ. રે રે, માનવ જે વિચારી મનમાં, પામી રડા ધર્મને, જાણી જે સઉ ધર્મ મર્મ જગમાં, ત્યાગી સર્વ કર્મને; મિથ્યા મેહ વિલાસમાં રખડીને, કાર્યો ન કીધાં રૂડાં, નીતિ પંથ ઉથાપીને મણમાં, માગે ગ્રહ્યા તે કુડા. માન્યું તેં તુજ દ્રવ્યને તું જ તણું, કીધું ન કોનું ભલું, દીધું ના કદી દાન દીન જનને, માનું ભવે જે મળ્યું; રાગી થે પરારમાં અતી ઘ, કામાભિલાષી થયે, લક્ષ્મિ મોહવિલાસ રંગ ધુનમાં, રાચી રહ્યો તુ ઘણો. ફેશન શેખ વિષે અંધ બનીને, વચ્ચે બહુ ધાર, દુઃખી, અંધ, અપંગ, દીન જનને, કાંઈ ન તું આપતો.
૨
Page #34
--------------------------------------------------------------------------
________________
૩*૪
બુદ્ધિપ્રભા.
હર્ષ્યા વિષે ોાભતા, જાવું અહી છેડતા આદિ સાસ્નેહિઓ, માયા સ્નેહિ સા;
ઉંચા બે।મ કટારી દીવ્ય ઝરૂખાં, તાકરે એ સર અંત વખતે, પિતૃ, માતૃ, બગિની, પુત્રવધુ એ, સાચુ નાદિ કાઇ અત્ર જગમાં, મિથ્યા કલ્પિત સ્વપ્ન વાત સમજી જેથી પામી શકાય પાર ભવને, કર્તા કારણ ધર્મ કર્મ કહેણી, રહેણી પાર છે શાશન નાયક દેવ
લેને ભજી શકે,
શાંતિ સદા શ્રીકરી,
સુખનું,
જાણે સે। આપણું;
તરણી,
થાશે બહું સર્વનું,
વિભુજી,
દેવી સદા ભગવતી,
વંદું હું દીન ખાળ ના ચરણે, આપે। પ્રભુ સન્મતિ.
66
जीवन जगमां सफळ तंज हो !”
( લેખક-કલ્યાણ-વડાદરા. ) ( ગઝલ. )
કુરૂઢીની કતલ કરવા, ઘ્ધા ધર્મોં બનીને રે, પમાડવા એ તે સાતે, ધરીને ધ્યાન રહે ઢાંગી, માતા મુગ્ધને માટે, કુસપે જે બન્યા રાષી, બનાવવા એકય તેમને, બનીને ક્રુર રાક્ષસ, દયા અમૃત હૃદય સિંચી, અરે ! પુત્રી વેચતા પિતા, ગીડી ગાય છેડવવા,
તિમિર અજ્ઞાનને હવા, દુ:ખાનાં મુળ સહરવા, જીવન જગમાં સળ તુજ હે? કરે સે અતિ કુડાં, જીવન જગમાં સફળ તુજ હા ! ખીરવે જાળ પ્રપંચેાની, જીવન જંગમાં સળ તુજ હા! સુસ પના દાર વેડીને, જીવન જગમાં સફળ તુજ હા વગે નિર્દોષ પાણીને, જીવન જગમાં સફળ તુજ હા ! બનીને દુઃ કસાઇ, જીવન જગમાં સફળ તુજ ગયેલું શૈાર્ય મેળવવા, વધેલા ધર્મ વિક્ષેપો,
પડેલા પથ મેળવવા, કધારા નાશ કરવાને, તિલાંજલી સર્વને દેવા,
જીવન જગમાં સળ તુજ હે ! સુધારાથી થતાં પાપે, જીવન જગમાં સળ તુજ હા ! પરત ત્રમાં પિડાતા સા, થવા સ્વતંત્ર વિદ્યાયી, ઉદ્દેાગે લક્ષ્મી મેળવવા, જીવન જગમાં સફ્ળ તુજ હા ! દુ:ખીના દુ:ખને ટાળી, ઉર્દૂ દેશને જ્ઞાતિ, જનમ સાફલ્ય કરવાને, જીવન જંગમાં સફળ તુજ હા !
૩
*
+
Page #35
--------------------------------------------------------------------------
________________
बोडींग प्रकरण.
ચીત્રાડા બાવળા
આ માસમાં આવેલી મદદ ૧-૦-૦ શા. લલ્લુભાઈ ન્હાલચંદ સ્કુલમાસ્તર. ૨૫-૦-૦ શા. જેઠાલાલ ડાહ્યાભાઈ હ. ગબડભાઈ ડાહ્યાભાઈ. ૪૦–૦–૦ શા. (તેચંદ આશારામ તરફથી શેઠ લાલભાઈ દલપતભાઈ.
હ, દાલા પારેખ. ૨૫-૦-૦ શા. મગનલાલ સવચંદ સાતભય હે, ચીમનભાઈ. ૩૦-૦-૦ શેઠ. ચંદુલાલ જેશીંગભાઈ હ, શા. પુનમચંદ ગારધનદાસ,
અમદાવાદ
૧૨૧-૦-૦
જમણ: યોગનિષ્ઠ મુનિમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીને શ્રી પેથાપુર ખાતે માગશર સુદી ૧૫ ના દીવસે શાસ્ત્ર વિશારદ જૈનાચાર્યની પદવી આપવામાં આવી તે શુભ માંગલિક પ્રસંગની ખુશાલીમાં માણસાવાળા શેઠ વિરચંદભાઈ કૃષ્ણાજી તરફથી બાડ'ગના વિધાર્થીઓને જમણ આપવામાં આવ્યું હતું.
આ શિવાય કીકાભટની પાળવાળા રા. રા. શેઠ જમનાદાસ જેઠાભાઈ તરફથી ડીસ્પેન ન્સરીને લગતા કેટલાક સામાન બાર્ડ'ગને ભેટ આપવામાં આવ્યા છે જે સ્થળ સંકોચને લીધે આ અંકમાં પ્રગટ કરી શકયા નથી તે આવતા અંકમાં પ્રગટ કરીશું.
એડી"ગને માસિક મદદ:—આ ખેડ'ગને મદદ માટે ગયા અંક વખતે જે વિજ્ઞસિપત્ર બર્ડ'ગના ઓનરરી સેક્રેટરી રા. રા. વકીલ મોહનલાલ ગોકલદાસ બી. એ. એલ. એલ. મી. ની સહીથી બોર્ડ'ગની મેનેજીંગ કમીટીના ઠરાવ મુજબ કાઢવામાં આવ્યું હતું. તેમાં લગભગ માસિક રૂ. ૫૦ ) ની મદદનાં ફોર્મ ભરાયાં છે. તે નામો સ્થળ સંકોચને લીધે આ અંકમાં પ્રગટ કરી શકયા નથી તે આવતા અંકમાં પ્રગટ કરીશું. જે જે સ૬ ગૃહસ્થાએ માસિક મદદનું ફોર્મ ભર્યું છે તેને માટે બાઈf"ગ તેમને ઉપકાર માને છે અને દરેક જૈન બંધુઓને વિનંતિ કરીએ છીએ કે દરેક બંધુએ તેવી રીતે ફોર્મ ભરી બેડ"ગને આભારી કરશે. એડી‘ગના વિદ્યાર્થીઓનું યુનિવસીટી વિગેરે ઉંચા ધોરણની પરીક્ષાનું પરીણામ
ધારણ.
e
| બેઠા. પાસ.
રિમાર્ક.
૩ | ૩ | આ બે વિદ્યાર્થી સેકન્ડ કલાસમાં પાસ થયા છે.
به م م
ઈંટરમીડીએટ, પ્રીવીયસ. મેટીકયુલેશન. બી. જે. મેડીકલ કુલ " વર્ષ ૩ .. વર્ષ બીજું.
૧૮ | ૧૩
م م
| ૧ | ૧ | વિધાર્થી ચંદુલાલ મથુરદાસે કેમેસ્ટ્રીના વિષયમાં
પહેલે નંબર તથા કલાસમાં બીજો નંબર આવવાથી ઈનામ મેળવ્યું છે.
વર્ષ પહેલું.
કુલ... | ૫ | ૧૮
આ સિવાય વિધાથ ચંદુલાલ મયાદે બી. એ. ની પહેલા વર્ષની પરિક્ષા કાલેજમાં પસાર કરી છે તે આવતે વર્ષ યુનિવર્સીટીની પરીક્ષામાં બેસશે.
Page #36
--------------------------------------------------------------------------
________________ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય પૂજ્યપાદ યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરેજી સુરીશ્વરજીને વિહાર. તા. 18-12-13 ગુરૂવારના દિવસે બપોરના બે વાગતાં મહારાજશ્રીએ પેથાપુરથી વિહાર કર્યો તે પ્રસંગે સર્વે શ્રાવક શ્રાવિકાઓએ માંગળીક ગાયન સહિત ગામથી કેટલાક દૂર સુધિ હાજરી આપી હતી તેમજ અન્ય મતાવલખી સંગ્રહસ્થાએ પણ સૂરીજી મહારાજશ્રીની દેશના સાંભળવા તથા દર્શન કરવા આવ્યા હતા. બાદ ગામની બહાર દવાખાનાની પાસે આચાર્ય મહારાજ પોતાના દેશ શિષ્યા સહિત ઉભા રહી સકળ મનુષ્યાને મનુષ્ય જન્મની કીંમત તથા મનુષ્ય જન્મ પામી કરવા યોગ્ય કાર્યો. એ વિષયના ઉપદેશ ધુણીજ અસરકારક ભાષામાં લગભગ પોણા કલાક સુધી દીધો હતો જેથી ઘણા શ્રાવક શ્રાવીકાઓ તથા અન્ય ધર્મીઓના હૃદયમાં ઘણીજ અસર થઈ હતી. બાદ સર્વેને યથાયોગ્ય વ્રતપચ્ચખાણ આપી આચાર્ય મહારાજશ્રીએ સ્વશિષ્યો સાથે મુકામ રાંધેજા તરફ ગમન કર્યું. તે પ્રસંગે લગભગ પચ્ચાસ ઉપરાન્ત સદ્દગૃહસ્થો લગભગ રાંધેજા સુધી સાથેજ હતા, તેટલામાંજ રાંધેજાના સંધ સામૈયા સહિત આચાર્ય મહારાજશ્રીની સામે આવ્યા. ઘણાજ આડ’બરથી મહારાજશ્રીએ ગામમાં પ્રવેશ કર્યો. તે પ્રસંગે ઉપાશ્રયની આજુબાજુના ભાગ ધ્વજ પતાકાથી શણગારવામાં આવ્યા હતા. મહારાજશ્રીએ ઉપાશ્રયમાં પધારી પ્રભુ પૂજાથી થતા ફાયદા તથા પૂજા: ની વિધિ વિષે ઘણાજ અસરકારક બાધ આપ્યા હતા. બાદ પ્રભાવના કરવામાં આવી હતી. બીજે દીવસે પેશાપુરથી યુરોપિયન વેઝીટરીયન સુણી સાહેબ સૂરીશ્વરજીના દર્શનાર્થે આવ્યા હતા. તેમણે મહારાજશ્રીની સાથે ઘણી ધણી બાબતની ધર્મ ચર્ચા કરી હતી. તા. 21-12-13 રવિવારના દીવસે સવારના આઠ વાગતાં સ્ટેટ માણસા તરફ આચાર્ય મહારાજના વિહાર થયા. તે ખબર માણસામાં મળતાં સકળ સંધને અત્યાનન્દ થયા. દરબાર તરફથી મહારાજશ્રીને સારે સરકાર થયા હતા અને ઘણાજ આડું'અરની સાથે નગરમાં પ્રવેશ થયા હતા. આ પ્રસંગનો દેખાવ ઘણાજ આહલાદ ઉપાવનાર થઈ પડ્યો હતો કારણ જે ઠેકાણે રંગીએર’ગી બડે તથા ધ્વજ પતાકાઓ તથા કમાનો બાંધવામાં આવી હતી તેમજ ભર* બજારની અંદર રેશમી કીનખાબ, સાઠી ગજીઆણી, મેાળીયાં વીગેરેથી ઘણીજ શાભા કરવામાં આવી હતી. ઠેકાણે ઠેકાણે શ્રીફળ તથા ખાંડનાં રમકડાં તથા દર્પણ વિગેરેનાં તારણે બાંધી અપૂર્વ શાભા કરી હતી. ત્યાંથી મહારાજશ્રીનું ગમન થયું તે પ્રસંગે સૂરીશ્વર મહારાજશ્રીની જય એવા અવાજથી આકાશ ગરજી રહ્યું હતું તેમજ સુશાલીકાએ મધુર સ્વરે મંગળ ગાણાં ગાતી હતી. તેવા સાડ’બર સામૈયા સહિત આચાર્ય મહારાજશ્રીએ ઉપાશ્રયમાં પધારી ધર્મ દેશના શરૂ કરી. પંચેન્દ્રિયોના વિષય સુખમાં પોતાને મનુષ્યાવતાર ન ગમાવતાં ધર્મ સાધન કરી જન્મ સફળ ફેરવે તે વિષયમાં ધગજ અસરકારક બાધ લગભગ એક કલાક સુધી દીધા હતા. બાદ સૂરીશ્વરજી મહારાજની જય બાલી પ્રભાવના લઇ સર્વે સદગૃહસ્થી વિસર્જન થયા હતા. મહારાજશ્રી હાલમાં અને માણસામાં રહેનાર છે. દરરોજ સવારના તવયી અગીઆર વાગ્યા સુધી ધર્મ દેશના તેઓશ્રી આપે છે તેમાં સ્વમીં તથા ઘણા અન્ય ધર્મીઓ પણ ભાગ લે છે, ઉપાશ્રય થાતાઓથી પૂર્ણ ભરાય છે. ધર્મને ઉત ઘણાજ સારી રીતે થાય છે. સ્વીકાર હવે પછી. )