SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જગત. ૩ પણ વાઘ મુખ્યત્વે કરી વગાડનારના આધારપરજ રહેલ છે. વાજીંત્ર સારૂ છતાં વગાડનાર કુશલ હેતે નથી તે તે સારૂં વાગી મધુરતાને અર્પી શકતું નથી. જગતરૂપ વીા પણ તેવીજ છે. તેને હાંશીરીથી વગાડવામાં આવે તા અત્યંત મધુરતા તેમજ ઉચ્ચતાને અરેં અને જો વીણુાને ગમે તેવી રીતે વગાડવામાં આવે તે કશતાને અર્પે. તમે તેને કેવી રીતે વગાડે છે ? તે તમને મધુરતા અર્પે છે કે કશતા ? જો તમને મધુરતા અર્પાતી હોય તે જાણજો કે સારી વગડાય છે અર્થાત્ કુશલતાથી વગડાય છે અને કર્કશ વાગે તે જાણવું કે ગમે તેમ વગાડવામાં આવે છે. વીણાને જ્યારે બરાબર વગાડવામાં આવે છે ત્યારેજ મધુરતા આપે છે. જે કાળે જે સુર વગાડવા ોઇએ તે કાળે તે વગડાય ત્યારે જ તે મધુરતા અરપે છે તેવીજ રીતે જગત રૂપ વીણામાં સમજવું. જેને વીણા ખરાખર વગાડતાં આવડે છે તેજ મધુરતાનેા સ્વાદ ચાખે છે. તે સર્વા ઉચ્ચતાને, ઉન્નતિને પ્રાપ્ત થાય છે. તમે તે ઉન્નતિ સાધતા માલુમ પડતા નથી તો સમજાય છે કે હજી તમને વીણા બરા બર વગાડતાં આવડતી નથી. જેટલો સમય તમે વીણાને ખરાબર રીતે વગાડે છે. તેટલા સમય તે તમને આનંદમાં ગરકાવ રાખે છે. તેમજ ઉત્સાહ, શાન્તિ અને જાગૃતિને અરેં છે. જ્યારે તમારાથી તે કર્કપણે વાગે છે ત્યારે દુ:ખ ભય અને રોકનુંજ તમને ભાન થાય છે. આયી જે કાળે આવું યાય તે વખતે તમારે સમજવું જોઈ એ કે જેમ વીણામાં સુરતી ફેરફારોથી કર્કશતા છે તેમ તમે તમારૂં કર્તવ્ય ભુલેલ છે. તેથીજ જગત રૂપ વીણુ કર્કશતાના સ્વરને અરપે છે. આ પ્રમાણે સુખ અને દુ:ખની કુંચી તમારા હાયમાંજ છે અન્યને સૌથ્થા દુષીત ન કરતાં આ વસ્તુના જ્ઞાનની અછતને લઇને મનુષ્યા જગતના માથે દેવ મુકે છે પશુ પોતાની ભૂલ સમજી શકતા નથી. દુઃખરૂપ સ્વર નીકળવામાં દેષ જગત રૂપ વીણાતા નથી પણ તેના વાડનારી છે. વગાડનારે અકુશળતાને ધારણ ફરવી એ વગાડનાર ચે!ગ્ય ન કહી શકાય માટે થતી ભુલને સુધારવી એજ રાગ્ય કહી શકાય તેમ છે. તા હવે આવી ભૂલ જાણી બેસી રહેવુ તે યોગ્ય લેખાય તેમ છેજ નહિજ. એક તેને વગાડી મધુરતા ઉત્પન્ન કરે છે ત્યારે બીજો તેને વગાડી ર્કશતા ઉત્પન કરે છે. જે ક્ષશે બરાબર વીણા વગાડતાં આવડી કે તરતજ તમને સુખનુંજ ભાન થવાનું. જે ગાયન તમને વગાડતાં આવડે છે તેમાં તમે શું એમ કહે છે કે તેમાં કશતા છે ? નહિ'; માટે તેજ માર્ક આ જગત રૂપ વીણાને પણ મધુરતા પ્રગટ કરે તેવીજ વગાડવી જોઈએ. ગામન એ પ્રત્યેક ક્ષણે આવી પડનાર વિધવિધ પદાર્થોં તેને જો કુશળતાથી વગાડવામાં આવે છે તે તે મધુરતાજ પ્રગટાવે છે માટે તે પ્રસંગે પણ યાગ્ય પ્રકારે તમારૂં એવું વર્તન રાખા કે જેથી તમને સુખની પ્રાપ્તી થાય તેમજ અન્યને પશુ સુખની-મધુરતાનીજ પ્રાપ્તી થાય. જગતરૂપ વીષ્ણુામાં બધા સુરી સારા છે પણુ તે બરાબર યાગ્ય સમય અને ચાચ્ય જગાએ વાગતા નથી તે ઉલટું ગેરલાભન્ન થાય છે એટલે કે દુઃખની, શાકની પ્રાપ્તિ થાય છે. તેજ પ્રમાણે ખાટા સુરેશમાં આપણે ભય, અશાન્તિ, ખેદ, ગ્લાની, મુર્ખતા, માહમલીનતાને ગણીશું. દુ:ખ અને તેની પરંપરા મનુષ્ય અજ્ઞાનથી ઉપજાવી લે છે. પાતાની અકુશળતાથીજ ઉપજાવે છે. જે જે પ્રસંગની પ્રાપ્તિ થાય છે તેમાંથી મનુષ્યને પાતાની મતિ પ્રમાણે સુખ દુઃખ ભાસે છે. કોઇ મહાભાજનને તેનાથીજ સુખ પ્રાપ્તિ થાય છે અર્થાત્ તે તા તેમાં ઉદાસીનપણું વ્હેતાં સુખમાં વહે છે.
SR No.522057
Book TitleBuddhiprabha 1913 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy