SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ હિત. ૩૦૩ વિધાન છતાં પિતાની તેમાં લધુતા પ્રદર્શીત કરી હતી અને પોતે જણાવ્યું હતું કે જુદા જુદા ગામના શ્રી સંઘે એકત્ર મળી મને જે મહાનપદ આપ્યું છે તેના માટે હું શાસન દેવતાને વિપ્તિ કરું છું કે મને તેમના શાસનની સેવા બજાવવામાં સદા સહાય થાઓ. આ વિગેરે ઘણું જ મહાનપદને છાજતું વ્યાખ્યાન કર્યું હતું. ત્યારબાદ જૈન શાસનની જય બોલાવી સર્વે સભા વિસર્જન થઈ હતી. આ શુભ પ્રસંગે પેથાપુરના શ્રીસંઘે એક દલથી અને ઘણાજ હર્ષની લાગણીથી આ માંગલિક કાર્યમાં જોડાઈને નિર્વિને અને શાંતીથી તે પાર પાડયું છે તેમના તરફથી આચાર્ય પદવીના મહોત્સવ વખતે નકારશી કરવામાં આવી હતી તેમ તેના બીજા દિવસે સુરત નિવાસી રા. રા. ઝવેરી જીવણચંદ ધરમચંદ ઉદેચંદ તરફથી નકારથી કરવામાં આવી હતી. આચાર્ય પદવી મહત્સવના દિવસે પેથાપુરના શ્રીસંધ તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી તેમ શેઠ જગાભાઈ દલપતભાઈ ભગુભાઈ તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. માણસાના શેઠ વિરચંદભાઈ કૃષ્ણજી તરફથી લાડવાની પ્રભાવના કરવામાં આવી હતી. ઝવેરી ભૂરી આભાઇ જીવણચંદ તરફથી સાકરના પડીકાંની પ્રભાવના કરવામાં આવી હતી. માણસાવાલા માધવલાવ અમથારામ તરફથી પિડાની પ્રભાવના કરવામાં આવી હતી. તેમજ વલસાડના શેઠ નાથાલાલ ખુબચંદ તથા શેઠ ડાહ્યાભાઈ કેસુરજી તરફથી પતાસાંની પ્રભાવના કરવામાં આવી હતી. અમદાવાદના શેઠ ચુનીલાલ સુરજમલ તયા સાણંદના શેઠ ગોવિંદજીભાઈ ઉમેદ તરફથી પતાસાંની પ્રભાવના કરવામાં આવી હતી, અમદાવાદથી શ્રી સંભવનાથજીના દેરાશરવાળી ટળી બેલાવવામાં આવી હતી તથા તે સીવાય બીજી ઘણી રીતે પેથાપુરના શ્રી સંધ તરફથી ધા ધુમ કરવામાં આવી હતી. આ પ્રસંગે નવજણા સજોડે ચોથું વ્રત ઉર્યા હતા. બીજા પણ કેટલાંક વૃત્તિ ઉચયા હતા. मानव हितबोध. ( લેખક-શાહ વાડીલાલ શીવલાલ, અમદાવાદ. ) સાઈલ વિકીડીત ઈ. રે રે, માનવ જે વિચારી મનમાં, પામી રડા ધર્મને, જાણી જે સઉ ધર્મ મર્મ જગમાં, ત્યાગી સર્વ કર્મને; મિથ્યા મેહ વિલાસમાં રખડીને, કાર્યો ન કીધાં રૂડાં, નીતિ પંથ ઉથાપીને મણમાં, માગે ગ્રહ્યા તે કુડા. માન્યું તેં તુજ દ્રવ્યને તું જ તણું, કીધું ન કોનું ભલું, દીધું ના કદી દાન દીન જનને, માનું ભવે જે મળ્યું; રાગી થે પરારમાં અતી ઘ, કામાભિલાષી થયે, લક્ષ્મિ મોહવિલાસ રંગ ધુનમાં, રાચી રહ્યો તુ ઘણો. ફેશન શેખ વિષે અંધ બનીને, વચ્ચે બહુ ધાર, દુઃખી, અંધ, અપંગ, દીન જનને, કાંઈ ન તું આપતો. ૨
SR No.522057
Book TitleBuddhiprabha 1913 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy