Book Title: Buddhiprabha 1913 08 SrNo 05 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ માપની. ૧૫૧ ખીલવવી પડે છે. આશ્રવના વિચારોને સંવરના વિચારોમાં ફેરવવા પડે છે. આવી દશાએ અને ક્ષમાપના થઈ શકે છે માટે અન્યોને ખમાવવામાં આત્માનું ઘણું બળ વાપરવું પડે છે અને તેથી આત્માનું ઘણું બળ પ્રકટે છે. શ્રી હરિભદ્રસૂરિએ ક્રોધના ઉપશનાથે શ્રી અમરાદિત્ય ચરિત્ર બનાવ્યું છે. ક્ષમાપના કરનાર પ્રભુને ખરા ભક્ત કરે છે. જગતના જીવોને પવિત્ર કરવાને માટે આકાશમાંની ગંગાએજ ક્ષમાપનાનું રૂપ ધારણ કર્યું હોય એવાં ખામણાં છે. દરરોજ આવશ્યક ક્રિયા કરતી વખતે સર્વ જીવોને ખમાવવા જોઈએ. પાક્ષિક પ્રતિદભણ કરતાં તે વિશેષતઃ સર્વ જીવોને ખમાવવા જોઈએ. ચાતુર્માસિક પ્રતિક્રમણું કરીને તે વિશેષતઃ સર્વ ને ખમાવી નિર્મલ થવું જોઈએ. છેવટે સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને તે સર્વ ને સંભારી સંભારીને તથા રૂબરૂમાં જે જીવોની સાથે ક્રોધ, ધર, અને ફ્લેશ વગેરે થયા હોય તેઓને ખમાવવા ઉધમવંત થવું જોઈએ. પર્યુષણ પર્વની આરાધના સર્વ જીવોને ખરા ભાવથી ખમાવ્યા વિના થતી નથી. ઉદાયી સજાએ જેમ ઉજજયિની નગરીના ચંડ પૉતન રાજાને અતિ નમ્ર થઈ ક્ષમાપના કરી તેમ સર્વ ની સાથે સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને સર્વ જીવોને ખમાવવા જોઈએ. શ્રી મહાવીર પ્રભુએ પરસ્પર ક્ષમાપના કરવાની ક્રિયા દર્શાવીને દુનિયા ઉપર મહાન ઉપકાર કર્યો છે. હાલમાં પ્રાય: જેની સાથે પ્રીતિ હોય તેની સાથે અન્ય જેને ક્ષમાપના કરે છે, પણ જેની સાથે વૈર વિરોધ થયા તેની સાથે ક્ષમાપના કરનારા જેને વિરલા જણાય છે. ખરી રીતિ તે એ છે કે જેની સાથે વૈર, વિરોધ, કલેશ, મારામારી, અપરાધ, અને નન્દા આદિ થઈ હોય તેઓને મન, વચન અને કાયાથી ખમાવવાની વિશેષતઃ જરૂર છે. જન સાધુઓએ પણ જે જે ગવાળા સાધુઓની સાથે કલેશ વગેરે થયા હોય તેઓને બને તે રૂબરૂમાં ખમાવવા જોઈએ. પરસ્પર છોને ખમાવવાની અને તદ્વારા આત્માની શુદ્ધિ કરવાના ઉપદેશ દેનારા શ્રી વીર પ્રભુને અસંખ્યવાર વંદન થાઓ. ખમાવનારે પિતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ વિચારવું જોઈએ. આત્માને આત્મભાવે દેખ વામાં આવે અને મહત્તિને બિનપણે અવલોકવામાં આવે તે આત્મા ખરેખર અહંવૃત્તિના પાશથી વિમુક્ત થાય છે. અહંવૃત્તિના પાશમાં પડેલો આત્મા અરે કોઈને ખમાવવાનો વિચાર કરી શકતું નથી. આત્માનું જ્ઞાન થતાં સંય આત્માએ પોતાના સમાન ભાસે છે અને તેથી અન્ય એ કર્મયોગે દેશ-અપરાધે-ગુન્ડાઓ કરેલા છે. જે તેઓ પિતાના મૂળ સ્વરૂપે રમણતા કરતા હતા તે કદી દોષો ગુન્હાઓ કરત નહિ. તે જેની પાસે મેહ ગુન્હાઓ કરાવેલા છે એવું જ્ઞાન થતાં અન્ય છ પ્રતિ શુદ્ધ ભાવ રહે છે. અન્ય છે કર્મથી દેઅપરાધે સેવે છે તેથી જ્ઞાની, અન્ય જીવોને લાગેલાં કર્મને નાશ કરવા કરૂણા દષ્ટિથી ઉપાયો ગ્રહણ કરે છે. બળવંત આત્માઓ સિંહની દષ્ટિ ધારણ કરીને અન્ય જીવેની શુદ્ધદષ્ટિ કરવા પ્રયત્ન કરે છે કે જેથી તે જીવો ખરી સમાપના કરવાને શક્તિમાન થઈ શકે છે. મહિના યેગે આત્મા અન્ય વસ્તુઓને પિતાની કલપી કલેશ પામે છે અને વૈર વિરોધ વધારે છે. આત્મા સત્તા એ શુદ્ધ છે, બુદ્ધ છે, ત્રણ ભુવનને નાય છે. અનંત જ્ઞાનાદિ ગુણોને ભંડાર છે. સિદ્ધને ભાઈ છે, એવા આત્માની શુદ્ધ સત્તાધ્યાતાં આત્માનું સિદ્ધપણું પ્રગટ થાય છે. આત્માને પરમાત્મ દશામાં લઈ જનાર ક્ષમાપના છે. મિથ્યાત ઈ ખમાવ્યા બાદ પુનઃ વૈર વિરોધ કઈ છવની સાથે ન થાય એ ભાવ ધારણ કરવો જોઇએ. પુનઃ દે, અપરાધે ન સેવવાની બુદ્ધિએ મિથ્યાદુષ્કૃત અને ક્ષમાપનાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે, પર્યુષણ પર્વની આરાધના કરનારે સાંવલPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36