Page #1
--------------------------------------------------------------------------
________________
REGISTERED NO. B, 876. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બાડ"ગના હિતાર્થે પ્રગટ થતું
बुद्धिप्रभा.
LIGHT OF REASON.
ज्ञानदर्शनचारित्राणि मोक्षमार्गः
पुस्तक ५ मुं.
ऑगस्ट १९१३ वीर संवत २४३९
૬ મો.
વિષયાનુક્રમણિકા વિષય,
| પૃષ્ટ વિષય. ૧. હૃદયધાતકને સઓધિ ! ., ૧૪૫ ૮. સુખી જીવન .. .૧૫e ૨, ભાણી ( મિચ્છામિદુક્કડમ ) ... ૧૪૬ ૧૦, સુવર્ણ રજ
• ૧૬૦ હ, સાધ પત્ર ... ••• ૧૪૬ ૧૧. દિવ્ય કુલડાં ... ... ૧૬૩ ૪. ક્ષમાપના પત્રમ .. ... ૧૪૮, ૧૨, સાંદર્ય પ્રાપ્તિની સર્વોત્તમ ઉપાય ૧૬૬ ૫. સેંદર્ય કેવી રીતે મળે ? ••૧૫ર ૨૩, વિચારશ્રેણિ ... ... ૧૭૦
૧૫૪ ૧૪. શ્રી અમદાવાદમાં ગુરૂમહારાજ શ્રી ૭, સિદ્ધ કર્મ થાયે સત્વથી, નહિ
સુખસાગરજીના દેવલોકન નિમિત્ત બાહ્ય સાધનથી ખરે ? ... ૧૫૭ | પ્રારંભેલા મહે. સવ , , ૧૭૩ ૮. જૈનાખ્યુય હિતશિક્ષા ... ૧૫૮ ૬૫. અભિપ્રાય... ... ... ૧૭૫
प्रसिद्धकर्ता-श्री अध्यात्मज्ञान प्रसारक मंडळ. વ્યવસ્થાપક-અમદાવાદ શ્રી જૈનશ્વેતાંબર મૂર્તિપૂજક બેડીંગતરફથી સુપ્રીન્ટેન્ડન્ટ, શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ,
શુંઅમદાવાદ વાર્ષિક લવાજમ–પાશ્કેજ સાથે રૂ. ૧–૪–૦ સ્થાનિક ૧૦૦ અમદાવાદ–ધી “ ડાયમંડ જ્યુબિલી ” પ્રીન્ટીંગ પ્રેસ પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.
Page #2
--------------------------------------------------------------------------
________________
“અમુલ્ય લાભ” “સોનેરી તક.”
જ્ઞાનદાન એ મહા દાન છે.
સર્વે જૈન અને વિજ્ઞપ્તિ કે મહા મંગલકારી પર્યુષણ પર્વને લેઈને પ્રભાવનાદિ કરવા નિમિત્તે શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળાનાં પુસ્તક સા ઉપર સામટાં ખરીદનારને ભાદરવા સુદી ૧૫ સુધીમાં ઘણાજ કમતી ભાવે મળવાની ગોઠવણ કરી છે માટે ધર્મનિષ્ટ મધુએ તેના લાભ લેવા ચુકશે નહિ. ખરીદનારે નીચેને સ્થળે મળવું યા પત્રવ્યવહાર કરવા,
લલ્લુભાઈ કરમચંદ દલાલ
વ્યવસ્થાપક “ બુદ્ધિપ્રસા ખીંગ—અમદાવાદ
મુંબઈ, ચ’પાગલી નં. ૨
થોડા દિવસમાં બહાર પડશે.
ઠે. શ્રી જૈન શ્વેતાંબર મૂ
27
આનન્દઘન પદ ભાવાર્થ સંગ્રહ.
શ્રીમદ્ આનન્દઘનજીના આધ્યાત્મિક, વૈરાગ્યાદિક, ઉત્તમ રહસ્યવાળા ૧૦૮ પો કે, જેના ભાવાર્થ સમજવા અનેક મનુષ્યાની તીવ્ર જીજ્ઞાસા હતી તે પો ઉપર શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ સ્પષ્ટ રીતે વિવેચન કરી પૂર્ણ કરી છે, તે સાથે શ્રીમનું ચિત્ર ઉત્તમ રીતે દાખલ કર્યું છે. તે ગ્રન્થ લગભગ પર્યુષણ ઉપર બહાર પડશે. ૧૦૦ ક્ર્માંનુ દળદાર ગ્રન્થ, ઉંચા કાગળ, નિર્ણયસાગર પ્રેસની સુંદર છપાઈ અને માકર્ષણીય માઇન્ડીંગ સાથે આ ગ્રન્થ રૂ. ૨-૦-૦ ની કીંમતે વેચાણ મળશે.
બહુ ચાડીજ નકલા વેચાણ માટે છે, માટે જલ્દી ગ્રાહક થાઓ. લખા શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ,
પાગલી—સુબઈ
Page #3
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् ।
જે ભૂમિ જાબિર “સુતિગમા” પારિજામ્ |
વર્ષ ૫ મું.
તા. ૧૫ ઑગસ્ટ સન ૧૯૧૩
અંક ૫ મો.
------ --------
-
हृदयघातकने सम्बोध!
કવ્વાલિ. અરેરે છભ તરવારે, કરીને ખૂન માનવનું ખુશી થા કે ન ખુશી થા, અમારે એ ન જેવાનું. બની બેભાન મેહે હૈ, કલે કાપીયુ વેગે, હૃદયને પૂછુ! એકાન્ત, કર્યું તે સાથે પરભવમાં. દયાધર્મતણું કુળે, બજે જલ્લાદ કુકર્મ; કુકર્મે આંખ આગળ સિ, ખડાં થાશે મરણ સમયે, રૂષિ હત્યા કરી હાથે, અરે એ ભાવથી જોતાં, ગણ્યા બહુ લાભ તે માંહી, ઘણું હાનિ રહી છે ત્યાં વિકારી દષ્ટિ થાવાથી, હદય પરતંત્ર થાવાથી; થઈને કાનને કાચે, ખરું ના જાણુવાને તું. પ્રભુ દરબારમાં જાતા, ઉઘડશે આંખના પડળે; ખરે ત્યાં ન્યાય મળવાને, ખરું બેટું પ્રગટ થાશે. ગમે તે ચિત્ત માની લે, છુટિશ ના માફવણ ક્યારેક હૃદયમાં ડખતું શું? જે, છુપાવે છે કપટગે. રહી સમભાવમાં નિત્યે, અમારે સર્વ જેવાનું કરૂણામેઘની વૃષ્ટિ, સદા વવશું તુજપર. કર્યા જે ઘાવ અજેપર, ફળે કે ઘાવ કર્તાને;
બુદ્ધ બ્ધિ સન્તના દિલમાં, પ્રભુ છે સર્વને હણા. ૧ સર્વતના સમવસરણમાં, ૨ સત્ય કથનરૂપ ન્યાયનું અર ગ્રહણ છે,
૯
:
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૪
બુદ્ધિપ્રભા. माफी (मिच्छामिदुक्कडम्). ખરા જ્યાં માફીના શબ્દ, નથી ત્યાં વૈર અન્તમાં, હૃદયને વૈર ના ડખે, ખરી એ માઝીને ચાહું. ૧ કહે મિચ્છામિ દુક્કડ એ, બનીને શુકની પેઠે નથી ત્યાં માફ પાપની, હૃદયની માફી છે જાદી. ખરી એ માફીની સાક્ષી, હદય આપે બની કુમળું વહાવી અણની ધારા, અરે જે આંખ આપે છે. ૩ ખરા જ્યાં માફીના શબ્દ, ઉઠે છે ત્યાં પ્રભુનું તખ્ત; ખરી માફી નથી છાની, છુપાવ્યાથી છુપે ના તે. ૪ અરે જે ચિત્તમાં પંચે, લહી ના તેહની માફી; રહી જ્યાં વિરની યાદી, નથી ત્યાં માફીની વાતે. ૫ કર્યો સંતાપ જેઓને, ખરેખર માફી તેઓની નથી માફી ખરે યાવત, નથી તાવ હૃદય શુદ્ધિ અરે જે માફી માગે છે, નથી તેને દિધી માફી; પ્રભુની માફી તું માગે, નથી માફી વિના મા. ૭ છોને મારી આપ્યા વણ, પ્રભુની માપણી નહિ મળશે; પ્રથમ તું માખી દે મને, પ્રભુની માફી મળવાની. ૮ પ્રભુ સમ દીલ થાવાથી, જીવોની માફી મળશે; જીને આપતાં માફી, પ્રભુ દિલમાં પ્રગટ થાતા. ૯ અહો એ દિવ્ય માફીમાં, દયાના મેઘ પ્રગટે છે; ધકે ગર્જના ભક્તિ, મયુરે પ્રેમના ટહૂકે. ૧૦ ભલી એ માફીની રેવા, અમારા દિલમાં હશે; બુદ્ધ બ્ધિ આત્મવત દુનિયા, થઈ ત્યાં માફી એ પૂરી. ૧૧
(જોધપત્ર)
(લેખક-મુનિ બુદ્ધિસાગર) હે આર્ય! હે જાગૃતિ ચન્દ્ર! મનમાં ઉત્પન્ન કરેલાં ચિન્તાનાં અવ્યવસ્થિત લોકડમાં બંધાઇને માનસિક દીનતામાં પરતંત્ર ન થતાં મનમાં ઉત્પન્ન થતી ચિતાની જાળને છેદી નાખ. હે આર્ય ! તે જે મનથી રચ્યું છે તેને નીડે પણ અનની વિવેક શક્તિથી તું લાવી શકીશ. હે આર્ય! મન પ્રાસાદનાં બારીબારણાંને પિતે ખેલ અને તેમાં સદવિચારની તાજી હવા ભરી દે છે આ ! જેની પ્રિયતામાં પિતાનું માન છે તેની પ્રિયતાને પોતાનામાં
Page #5
--------------------------------------------------------------------------
________________
સક્ષેધપત્ર.
આરેપ કરીને આનંદમાં મગ્ન યા. હૃદય હૃદયને પારખી મળતું કરવું વાત” હૃદય હ્રદયના મેળમાં અધિક યોગ્ય છે. પાત્ર! આર્ય !!! આકાશમાંથી ઈન્દ્ર અધઃ આવે તાપણુ આત્માને પ્રિયરૂપ કર્યા વિના સુખ મળે નહિ. દેખતે જો આંખ મીચીને ચાલે તે! કાને કહેવું. જે દુઃખે! કલ્પવામાં આવ્યાં છે તેમાં પેાતાની ભુલ છે. મેહથી મુંઝાખેલા મનુષ્ય પાતાના મનની સ્થિતિથી અન્ય વસ્તુઓમાં દુ:ખ કલ્પી લે છે વા સુખ કલ્પી લે છે. હું આર્ય ! શ્રીમદ્ વીર પ્રભુના વચનેને શ્રદ્ધાથી ભાવ અને આત્માને નિશંગરૂપ ભાવ. મને કાઈ ચિન્તાની અસર થઇ શકે નહિ. મારા શરીરમાંથી રાગના પરમાણુએ ચાલ્પા જાય છે અને મારૂં શરીર પૂર્ણ આરગ્યતાવાળુ થાય છે એમ એક ક્લાક પર્યન્ત પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ ઉત્સા હથી ભાવના ભાવ. આ પ્રમાણે હૃદય સંકલ્પ બળથી ભાવના ભાવીને પોતાના મનને અને શરીરને અખાધ દશામાં મૂકીને આગળને માર્ગ ગ્રહણ કર. હે આત્મન ! આર્ય ! હારૂં ભવિષ્ય તુ ધારે છે તેના કરતાં અન્ય ઘણી રીતે ચળકતું છે. પેાતાના આત્માને જેવી સ્થિતિમાં મુકવા હોય તે પોતાના હાથમાં છતાં કેમ અકળાય છે ? શું ? આવાજ બધા દિવસ જશે? એવું મનમાં લાવીશ નહિ. વિવેક વિના ધણું દુ:ખ તે નકામા વિચાર કરીને બ્હારી લેવામાં આવે છે. જે જગતના સંબંધમાં રહેવાનું છે તેમાં પ્રનની દશાથી જીવન ગાળ, અન્ત॥ વિવેક શક્તિથી વિચારીશ તે હતે જે દુ:ખમય લાગે છે તેમાં દુ:ખ જણાશે નહિ. હારી આત્મશક્તિને ખીલવ. બ્હી છઠ્ઠીને અને સર્કાચાપને મતમાં પરપોટાની પેડ ક્ષણિક વિચારા કરીને આધુનિક કર્તવ્યમાં ભગ્નીસાહી ન ખત. જે જે દુઃખા પડે છે તે તે ઉત્તમ જી ગીની કસેાટીએ છે. હૃદયને કઠીન કરવું અને હૃદયને સુકામલ પણુ કરવું. દુઃખા અને ઉપાધિઓ સહન કરવાને હૃદય કરીન જોઇએ. હૃદયમાંથી સર્વ પ્રકારના ચિત્તાના વિચારા દૂર કરીને હૃદયમાં ઉત્તમ ઉત્સાહી વિચારશને ભરી દે. આર્ય ! વર્તમાનના વિચારોનું ભવિ ષ્યમાં પરાવર્તન થઇ જશે. વીર પુરૂષ! ગભરાતા નથી. હૃદયમાં જે જે વિચારા વારંવાર પ્રગટીને દંશ દેખ તનુની સ્થિતિમાં ફેરફાર કરતા હોય તે તે વિચારાને હવે રજા દો. પેસવા ન દે! એટલું લખેલું માન્ય કર ! સાક્ષર હૃદયામાં નિરાનરૂપ શુષ્કતા પ્રગટે ત્યારે જ્ઞાન પામ્યાનું કુળ શું? પેાતાના ઉત્સાહી અને સુંદર વિચારાથી પૈતાને જે સુખ મળે છે તે સુખને દુનિયાના સંબંધોથી પ્રાપ્ત કરી શકાતું નથી. કસ્તુરીમાં ગધ છે તેા તેની ખુશો પોતાની મેળે પ્રગટી નીકળવાની,
૧૪૭
કર્મનું ચક્ર વારવાર કર્યાં કરે છે. કર્મના સામે લડવાનું છે. જે કાંઇ બનાવ બને છે તેમાંથી કઇ વિચારીએ તે સારાને માટે બને છે એવું જણાશે. જાણે હું પૂર્વાવસ્થાથી નવીન સુખમય અવસ્થામાં પેટ! હું એમ દૃઢ ભાવના ભાવવી. આવી ભાવનાથી આનંદની ઝાંખી જાશે. હું આર્ય ! હારી જીંદગીને શુદ્ધ બનાવ? વીતરાગના માર્ગમાં સ્થિર થા અને આગળ વધવા પ્રયત્ન કર ? હું આર્ય ! કલ્પનાની જાળમાં હવે પ્રવેશીક્ષ નહિ. ધર્મનાં શુભ કાર્યાં કરવામાં આગેવાની ભર્યાં ભાગ લે. આર્ય! ગુરુસેવા, જગત્સેવા, ધર્મસેવા, એ અંગોનું હૃદયના ખરા ભાવથી આરાધન કર્યું કે જેથી હૃદયના મીઠા આશીર્વાદ કે જે મંત્ર, તંત્ર, જંત્રના કરતાં અમૂલ્ય ફળને આપનારા થઇ પડે. હૃદયથી લખવાનુ છે, વિશેષ શું લખું, હૃદયને વાંચનારા થા કે જેથી પોતાનું ઇષ્ટ ગ્રહી શકે. શાન્તિ હા. ધર્મ સાધન કરશે. સંવત્ ૧૯૬૮, ભાદરવા સુદિ ૧.
Page #6
--------------------------------------------------------------------------
________________
१४
બુદ્ધિપ્રભા.
क्षमापना पत्रम्.
To.
M. M. D.
(લેખક:-બુદ્ધિસાગર, ધર્મબંધુ, ધર્મલાભ-વિશેષ ક્ષમાપનાની વિધિએ સદાકાળ ક્ષમાપના હે. ક્ષમાપના એ હદયની અશુદ્ધતાનું પ્રક્ષાલન કરવા સ્વચ્છ વારિ સમાન છે. ક્ષમાપનાથી ક્ષમાને પવિત્ર આશય પ્રગટ થાય છે. ક્ષમાપના એ સકળ પાપ ધોવાને દિવ્ય ઉપાય છે. ધર્મબંધો ! ક્ષમાપનાને કરતા એવા ઘણા ભવ્યાત્માઓ સિદ્ધબુદ્ધ મુક્ત થયા. ક્ષમાપના એ દિવ્યષધિ છે. આત્માના ઉંડા જ્ઞાન પ્રદેશમાં ઉભેલા મહાત્માઓ ક્ષમાપનાનું વસ્તુતઃ વાસ્તવિક સ્વરૂપ અવબોધી શકે છે. ક્ષમાપનાના માર્ગ પ્રતિ ગમન કર્યા વિના શિવપુરની પ્રાપ્તિ થતી નથી. ક્ષમાપના એ મોક્ષનું બારણું છે. અનેક જીવો સાથે અનcભવ પરિભ્રમણ કરતાં જે જે ક્રોધાદિક સંબધે જે જે કર્મ ગ્રહણ કર્યો હોય તેને સંબંધ છેદવાને ક્ષમાપનાનું શરણું અંગીકાર કરવું જોઈએ. અન્તમાં ઉડે પશ્ચાત્તાપ થયાથી કર્મના કઠીન પત્થર માખણની પેઠે ઓગળી જાય છે. આપણું આંખે દેખ કરનારા, અપરાધ કરનારા, અશુભ કરનાર, અનેક જીવોની શરીરાકૃતિઓ દેખાય છે તે જીવો પ્રતિ ઉદાર દિલથી માફી આયાથી આ પણમાં ત્યાગ-ક્ષમા-અને ઉદારપણને ગુણું પ્રગટે છે. જેણે પોતાની સાથે પ્રતિકૂલ સંબંધ રાધે હોય અને પિતાની દષ્ટિથી પિતાને પ્રતિકૂલત્વ જણાયા બાદ તેની સાથે અપ્રીતિ
બેદ આદિ થતા હોય તેવી વ્યક્તિ ઉપર પણ તેવી અપ્રતિ ખેદ ઉત્પન્ન થાય અને તેના ગુન્હા માટે તે વ્યક્તિને પણ ધ્યથી ઉદાર ભાવે માફી આપવામાં આવે અને શુદ્ધ પ્રેમ યાને મૈત્રીભાવથી વર્તવામાં આવે ત્યારે ક્ષમાપનાના દ્વાર આગળ જવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ધર્મબંધે ! આપણી મનોવૃત્તિથી વિરૂદ્ધ વર્તનવાળાએ ઉપર પ્રાય: દેષ ઉત્પન્ન થાય છે અને વૈરને બદલે વૈર તરીકે સેવા આપણું મન ઉશ્કેરાય છે અને તેથી અનેક ઉપાયે પ્રતિકુળ વ્યક્તિનું અશુભ કરવા પ્રાપ્તિ થાય છે. આવા પ્રસંગે વેરને બદલે કરૂણા અને મિત્રીભાવનાથી વાળીને ક્ષમાપનાના ઉંડા પ્રદેશમાં ઉતરવાની જરૂર પડે છે. કોઈ પણ વ્યક્તિએ આપણા ઉપર વૈર ધાર્યું હોય અને તે આપણું જાણવામાં હોય તે આપણે અનઃકરણથી તેની ક્ષમાપના ઇછતી એ વીતરાગનો ઉપદેશ છે. સર્વ મનુષ્યજાત નિપજ હોય એવી કયાંથી આશા રાખી શકાય. મેટા મેટા મુનિવરે પણ કર્મના ઉદયે આગળના પગથીયાથી પાછળી પડે છે તે આપણે શો હિસાબ, ધૂસ્થષ્ટિજીવ ભૂલે છે અને આગળ પણ કારણ સામગ્રી પામી ચંદ્ર છે. આપણે દોષિના ઉપર પણ શુદ્ધપ્રેમ મૂળભૂત મંત્રી ભાવના ધારણ કરવી જોઈએ. આપણું ભૂલે જેમ કર્મના ઉદયથી થાય છે તેમ અને પણ કર્મના ઉદયથી ભૂલો કરી શકે માટે અન્યના દેને ન દેખતાં ગુણાનુરાગ દષ્ટિથી ગુણ દેખવા જોઈએ અને દેવીઓના દોષોથી દોષીઓ ઉપર પ પ્રગટતે હોય તો ઉદાર દીલથી તેઓની સાથે ક્ષમાપના કરવી જોઈએ. અન્યાના દોષથી અન્યો ઉપર ઠેર ધારણ કરવાથી કોઈ રીતે તે છોને તથા પિતાને ફાયદો થઈ શકતો નથી અને તેમજ અન્યાના દેશોમાં ચિત્ત રાખવા તે તે દેશે પોતાનામાં પ્રવેશ કરી શકે એવો સંભવ રહે છે કારણકે દોષો ઉપર ચિત્ત રહેતાં દોષની સાથે ચિત્તને દયાકાર સંબંધ થાય છે અને તેથી દષ્ટિ વધતી જાય છે
Page #7
--------------------------------------------------------------------------
________________
ક્ષમાપના.
૧૪૯
અને પરિણામે એક દુર્ગુણુધી અન્ય દુર્ગુણો પ્રગટવાને સભવ રહે છે. માનસિક દેશ ટાળવા માટે ઘણા કાળપર્યંત અભ્યાસ કરવા પડે છે. આપણી દૃષ્ટિએ સાક્ષાત જે અપરાધી લાગતા હોય છે તેમાં પણ ભૂલ થવાના સંભવ રહે છે. અન્યાના હૃદયના વિચારાયે અવળે ધ બાની ઘણી જરૂરી છે. ધણા ફાળપર્યંન્ત તેના હૃદયની પાસે રહ્યા વિના તેના હૃદયથી વિષ્ણુમત બાંધીને આપણે ભુલ કરી વેર વિરાધ વધારી શકીએ એવા પ્રસંગ પ્રાપ્ત થાય છે માટે અન્યાનાં હૃદ્ય તપાસીને તેએનાથી વિરૂદ્ધ જે જે અભિપ્રાયા બાંધી અશુભ વિચારી કર્યો હાય તેની ક્ષમાપના કરવી તેઇએ. આપણા ધાર્યામાં અનેક ભૂલે આવી જાય, સર્વજ્ઞ વિના અન્યાના આશયે પરિપૂર્ણ ન જાણી શકાય. વિચારભેદથી ફ્લેશ થવાતા પ્રસંગ રહે છે. મતભેદથી પણ વ્યક્તિ દ્વેષ થઇ શકે છે. જગતમાં સર્વ જીવાના એક સરખા વિચારે હોતા નથી. ભિન્ન ભિન્ન દૃષ્ટિથી ધર્મની ઉપાસના કરનારા મનુષ્યામાં અંશે અંશે કંઈક સત્ય અવલોકી શકાય. બાકી વીતરાગ શાસન વિના ભૂલે થયાને સભવ રહે તેથી બૂલ કરનારી
વ્યક્તિએ ઉપર દ્વેષ ન ધારતાં મધ્યસ્થ-મંત્રી આદિ ભાવનાએ ધારણ કરવી એ વીતરાગના સત્ય માર્ગ છે. ધર્મબધા !!! ક્ષમાપનાના ઉંડા પ્રદેશમાં ઉતરા. સર્વ જીવો પોતાના મિત્ર સમાન છે એવે દૃઢ સકલ્પ કરે. સર્વ જીવેને હું ખમાવું છું. ન્હાતા અને મેટા સર્વે જીવે મારા આત્મા તુય છે એને ભાવ ધારણ કરીતે શુદ્ધ પ્રેમદષ્ટિથી સર્વ છાને દેખ. પૂર્વનાં અશુભ સબધાને ખસેડી નાખીને હવે વસ્તુતઃ આત્મદૃષ્ટિથી સર્વને દેખું છું એવા ભાવ પારણુ કર. કાળા રંગલામાં રહેલા મનુષ્યના આત્માને દેખ. કાળા ડગલાથી અન્તમાં રહેલા આત્મા ઉપર દૂધ-મંદ ધારણ કર નહિ. પેાતાનાથી પૂજ્ય એવા મનુષ્યેકમાં પણ ગુણ અને ષો રહેલા હોય છે કાખમાં ગુણે વિશેષ હાય છે અને એક બે મોટા ધ્રુષ્ણેા પણ હોય છે. દુર્ગુણા ટાળવા માટે નાનીએ પ્રયત્ન કરે છે. પૂજ્ય મનુષ્યના સદ્ગુણા તરકે રૂચિ ધારણુ કર અને દ્રેષ તરફ અલક્ષ રાખ, રાગી મનુષ્યમાં એક રેગ હોય તેથી સર્વથા તેના ત્યાગ કરવા ન બર્ટ, કારણ કે રાગને ટાળવાથી કાયા છે. રાગીનામાં સર્વ રોગેજ હાય અને તેના આત્મામાં કપ ગુણા ન હોય એવા નિયમ નથી. રાગીએ રેગથી મુક્ત થયા ખાદ ઉજ્વલ થવાના. રામના ઉદય ભાગવીને રાગીએ પશુ નિરાગી થવાના. રાગીના રાગથી રોગીના આત્મા ઉપર દ્વેષ ધારણ કર્યો હોય તે તેની કામાપના કરવી ોઇએ. આ જગતમાં કર્મનાવશે પરિભ્રમણુ કરવું પડે છે. સર્વ જીવાની સાથે અનન્ત વખત સંબંધ થયા. રાગ અને દ્વેષના યેાગે જીવાને સતાપ્પા હાય તેની ક્ષમાપના કરીને ભવિષ્યમાં પુન: જાગ્રત રહી આત્માન્નતિ કરવાની જરૂર છે. આપણા સંબંધમાં ઘણા મનુષ્યા આવે છે તેના આત્માઓને કાઇ પણ રીતે દુ:ખવવામાં આવે છે એવા ગ્રૂપના યોગે સબંધ પ્રાપ્ત થાય છે માટે જે જે પ્રતિ દેષ પરિતાપ વગેરે કર્યાં હોય તે તે બાબતે સભારી સભારીને આપણે ઉદાર દીલથી અન્યને ખમાવવા જોઇએ કે જેથી ભવિષ્યમાં વરની પર'પરાએ ન ભાગવી શકાય.
લાખા વા કરાડે! ગુન્હાઓ જેએએ કર્યા હોય, આપણું સર્વથા પ્રકારે બુરૂ કરવા જેઓએ પ્રયત્ન કર્યો હાય તેવા વે! ઉપર પણ કરૂણા ધારણ કરીને મારી આપવી જોઇએ, આપણી નિન્દા કરનારાએ, ય, આપણા ઉપર આળ ચઢાવનારા હોય તેવા જીવે માલના તાખામાં આવી ગએલા હોવાથી પેાતાના આત્માની ફમ્મત સમજી ન શકે એમ બનવા ચૈાગ્ય છે અને તેથી આપણને ખમાવે તાપણુ આપણે તે પેાતાના આત્માને શુદ્ધ કરવા ક્ષમાપના કરવી જોઇએ અને એ આપણો ધર્મ છે. પ્રાયઃ સમૃધમાં આવનાર મનુષ્યાની
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૫૦
બુદ્ધિશભા.
સાથે દેવ-દ-કલેથ થવાનો સંભવ રહે છે. સંબંધમાં આવનાર મનુષ્યને, પશુઓને અને પંખીઓને ખમાવવાની જરૂર છે. આપણું જીવન ઉચ્ચ કરવાને ક્ષમાપનારૂપ નિસરણી ઉપર ચઢવાની જરૂર છે. શ્રી મહાવીર પ્રભુએ ચંડાશયા સર્ષપર જેવી દષ્ટિ ધારી હતી તેવી દષ્ટિ ધારણ કરવાને ઉચ્ચ ક્ષમાની આવશ્યકતા છે, સામર્થ્ય છતાં અપરાધી છવાના ગુન્હાએની માફી આપવી એ ઉત્તમ ક્ષમાપના કહેવાય. ગંભીરતાને ત્યાગ કરીને તુચ્છતા ધારણ કરવાથી અનેક મનુષ્યનાં દીલ દુખાવ્યાં હોય તેની પણ પરમાત્માની સાક્ષીએ મા માગ વાની જરૂર છે. સાગરની પેઠે ગંભીર રહીને અન્યના ભાવપ્રાણનું રક્ષણ કરનાર ઉત્તમ મનની ક્ષમાના ઇછક થવું જોઈએ. ધર્મબંધે હારા આત્માને પવિત્ર કરવા માપના ભાગે વાળ. જ્યાં સુધી મન-વાણી અને કાયાને દુરૂપયોગ થાય છે ત્યાં સુધી અનેક જીવોને દુઃખી કરવાને પ્રસંગ પ્રાપ્ત થઈ શકે. આપણા મિત્રોની સાથે, આપણું ગુજનાની સાથે, આપણું સ્નેહીઓની સાથે અને આપણા પ્રતિપક્ષીઓની સાથે પણ માથી વતીને તેઓના આમાનું શ્રેયઃ ઈચ્છવા પ્રયત્ન કરો. ધર્મબંધો સારીરિક ઉન્નતિના કરતાં આમિકોનતિ કરનાર ક્ષમાપનાને હૃદયમાં ધારણ કરવી જોઈએ. ગુણ સ્થાનકની ભૂમિ પર ચઢવા માટે ક્ષમાપનાનું બળ પ્રાપ્ત કર્યા વિના છૂટા થવાના નથી. કોઈ પણ ન માં વિના મુક્ત થયો નથી અને થવાનો નથી. આપણે હૃદયથી ક્ષમા કરવી જોઈએ. જેની સાથે શુદ્ધ પ્રેમ છે તેની સાથે તે માઝા જેવું વર્તન રહે છે પણ જેઓએ આપણા માર્ગમાં કાંટાઓ વેર્યા હોય છે અને જેઓ દુર્જનોની રીત ધારણ કરે છે તેઓના આત્માઓને ખરી રીતે ક્ષમા આપવાની જરૂર છે. ધર્મબંધુમણે! આ માર્ગ પર ચાલવું એમાંજ તારી આત્માની ઉન્નતિ સમાયેલી છે. આપણા આત્માને સદાકાલ આવી ક્ષમાપનાન રીતિથી ઉચ્ચ કરવા પ્રયત્ન કરવો જોઇએ.
માતાની જેમ પિતાના સંતાનેપર જેવી ક્ષમાદષ્ટિ રહે છે તેવી સર્વ છવા ઉપર આપણી ક્ષમાદષ્ટિ રહેવી જોઈએ. આપણે ખરા અંતઃકરણથી ક્ષમા આપવાની ટેવને આ ચારમાં મુકવી જોઈએ. ક્ષમાપનાના વિચારોને આચારમાં મુકાયા વિના ઇચ્છિત ફળની સિદ્ધિ થતી નથી. આપણા મનમાં વેર ઝેરના વિચાર કરવાથી મનની મલીનના વધતી જાય છે અને અને પરિણામ એ આવે છે કે અશુભ વિચારોના વશમાં પડેલો આત્મા પિતાની સ્વાભાવિક શાનિતથી પરાભુખ થાય છે. મનમાંથી વેર ઝેરના કુવિચારો કાઢી નાખવાથી પિતાને આત્મા જ પોતાને શક્તિ આપવા સમર્થ થાય છે. આપણું મનની આગળ જે અપરાધી વ્યક્તિ ખડી થતી હોય તેઓને ક્ષમા આપીને પિતાના આત્માની ઉચ્ચતા કરવી જોઈએ. મનુષ્યના બાહ્ય જીવન અને અન્તરિક જીવનને તપાસીને તેઓને ગુણાનુરાગ દષ્ટિથી અવલકવા નઈએ અને તેઓના અપરાધાને ખમવા જોઈએ. જે મનુષ્ય ખમે છે તે મહાન છે અને જે મનુષ્ય ખમતે નથી તે મહાન થતો નથી. છવાને ખમાવવાથી મનના આમળા ટળી જાય છે અને શારદીય સરોવરની પેઠે મનની નિમલતા થાય છે. જે મનુષ્યમાં મા ગુણ ઉત્પન્ન થાય છે તે મનુષ્ય પોતાના આત્માની ખરેખરી ઉન્નતિ કરી શકે છે અને દર્શનીના શાસ્ત્રમાં પણ માને ધારણ કરનાર પ્રભુને ખરેખરો ભક્ત બની શકે છે એવા ઘણુ પુરાવાઓ મળી આવે છે. અન્યોના અપરાધે પ્રમવામાં આત્મભોગ આપવો પડે છે અને ઉશ્કેરાયલી વૃત્તિને શાન્ત કરવી પડે છે. બાહ્યભાવમાં પરિણમતા એવા આત્મબળને પોતાના સ્વભાવે પરિણામવું પડે છે. અશુભ વિચાને પરિહાર કરીને શુભ વિચાર કરવા પડે છે. વરના બદલાને ત્યાગ કરીને કરૂણા દ્રષ્ટિ
Page #9
--------------------------------------------------------------------------
________________
માપની.
૧૫૧
ખીલવવી પડે છે. આશ્રવના વિચારોને સંવરના વિચારોમાં ફેરવવા પડે છે. આવી દશાએ અને ક્ષમાપના થઈ શકે છે માટે અન્યોને ખમાવવામાં આત્માનું ઘણું બળ વાપરવું પડે છે અને તેથી આત્માનું ઘણું બળ પ્રકટે છે. શ્રી હરિભદ્રસૂરિએ ક્રોધના ઉપશનાથે શ્રી અમરાદિત્ય ચરિત્ર બનાવ્યું છે. ક્ષમાપના કરનાર પ્રભુને ખરા ભક્ત કરે છે. જગતના જીવોને પવિત્ર કરવાને માટે આકાશમાંની ગંગાએજ ક્ષમાપનાનું રૂપ ધારણ કર્યું હોય એવાં ખામણાં છે.
દરરોજ આવશ્યક ક્રિયા કરતી વખતે સર્વ જીવોને ખમાવવા જોઈએ. પાક્ષિક પ્રતિદભણ કરતાં તે વિશેષતઃ સર્વ જીવોને ખમાવવા જોઈએ. ચાતુર્માસિક પ્રતિક્રમણું કરીને તે વિશેષતઃ સર્વ ને ખમાવી નિર્મલ થવું જોઈએ. છેવટે સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને તે સર્વ
ને સંભારી સંભારીને તથા રૂબરૂમાં જે જીવોની સાથે ક્રોધ, ધર, અને ફ્લેશ વગેરે થયા હોય તેઓને ખમાવવા ઉધમવંત થવું જોઈએ. પર્યુષણ પર્વની આરાધના સર્વ જીવોને ખરા ભાવથી ખમાવ્યા વિના થતી નથી. ઉદાયી સજાએ જેમ ઉજજયિની નગરીના ચંડ પૉતન રાજાને અતિ નમ્ર થઈ ક્ષમાપના કરી તેમ સર્વ ની સાથે સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને સર્વ જીવોને ખમાવવા જોઈએ. શ્રી મહાવીર પ્રભુએ પરસ્પર ક્ષમાપના કરવાની ક્રિયા દર્શાવીને દુનિયા ઉપર મહાન ઉપકાર કર્યો છે. હાલમાં પ્રાય: જેની સાથે પ્રીતિ હોય તેની સાથે અન્ય જેને ક્ષમાપના કરે છે, પણ જેની સાથે વૈર વિરોધ થયા તેની સાથે ક્ષમાપના કરનારા જેને વિરલા જણાય છે. ખરી રીતિ તે એ છે કે જેની સાથે વૈર, વિરોધ, કલેશ, મારામારી, અપરાધ, અને નન્દા આદિ થઈ હોય તેઓને મન, વચન અને કાયાથી ખમાવવાની વિશેષતઃ જરૂર છે. જન સાધુઓએ પણ જે જે ગવાળા સાધુઓની સાથે કલેશ વગેરે થયા હોય તેઓને બને તે રૂબરૂમાં ખમાવવા જોઈએ. પરસ્પર છોને ખમાવવાની અને તદ્વારા આત્માની શુદ્ધિ કરવાના ઉપદેશ દેનારા શ્રી વીર પ્રભુને અસંખ્યવાર વંદન થાઓ.
ખમાવનારે પિતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ વિચારવું જોઈએ. આત્માને આત્મભાવે દેખ વામાં આવે અને મહત્તિને બિનપણે અવલોકવામાં આવે તે આત્મા ખરેખર અહંવૃત્તિના પાશથી વિમુક્ત થાય છે. અહંવૃત્તિના પાશમાં પડેલો આત્મા અરે કોઈને ખમાવવાનો વિચાર કરી શકતું નથી. આત્માનું જ્ઞાન થતાં સંય આત્માએ પોતાના સમાન ભાસે છે અને તેથી અન્ય એ કર્મયોગે દેશ-અપરાધે-ગુન્ડાઓ કરેલા છે. જે તેઓ પિતાના મૂળ
સ્વરૂપે રમણતા કરતા હતા તે કદી દોષો ગુન્હાઓ કરત નહિ. તે જેની પાસે મેહ ગુન્હાઓ કરાવેલા છે એવું જ્ઞાન થતાં અન્ય છ પ્રતિ શુદ્ધ ભાવ રહે છે. અન્ય છે કર્મથી દેઅપરાધે સેવે છે તેથી જ્ઞાની, અન્ય જીવોને લાગેલાં કર્મને નાશ કરવા કરૂણા દષ્ટિથી ઉપાયો ગ્રહણ કરે છે. બળવંત આત્માઓ સિંહની દષ્ટિ ધારણ કરીને અન્ય જીવેની શુદ્ધદષ્ટિ કરવા પ્રયત્ન કરે છે કે જેથી તે જીવો ખરી સમાપના કરવાને શક્તિમાન થઈ શકે છે. મહિના યેગે આત્મા અન્ય વસ્તુઓને પિતાની કલપી કલેશ પામે છે અને વૈર વિરોધ વધારે છે. આત્મા સત્તા એ શુદ્ધ છે, બુદ્ધ છે, ત્રણ ભુવનને નાય છે. અનંત જ્ઞાનાદિ ગુણોને ભંડાર છે. સિદ્ધને ભાઈ છે, એવા આત્માની શુદ્ધ સત્તાધ્યાતાં આત્માનું સિદ્ધપણું પ્રગટ થાય છે. આત્માને પરમાત્મ દશામાં લઈ જનાર ક્ષમાપના છે.
મિથ્યાત ઈ ખમાવ્યા બાદ પુનઃ વૈર વિરોધ કઈ છવની સાથે ન થાય એ ભાવ ધારણ કરવો જોઇએ. પુનઃ દે, અપરાધે ન સેવવાની બુદ્ધિએ મિથ્યાદુષ્કૃત અને ક્ષમાપનાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે, પર્યુષણ પર્વની આરાધના કરનારે સાંવલ
Page #10
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
રિક પ્રતિકમણુ કરીને ખમવું તેઇએ, ખમાવવું તેએ, ઉપરામવું એઇએ. ઉપશમાવવું જોઇએ. જે ખમે અને ખમાવે, જે ઉપામે અને ઉપમાવે તે આરાધક વા. સર્વ ત્રમાં શિરામણુ ભાવ ધારણ કરનાર શ્રી કલ્પસૂત્રમાં સમાચારીના વ્યાખ્યાનમાં ખમે અને ખમાવે તે આરાધક છે તે સંબંધી નીચે પ્રમાણે પાઠ છે.
સ્વામિયાં, રલમાનિયાં, વસનિયત્રં, વસામિયાં, નોઇવસમતસ અધિ आराहणा. जोनवसमइतस्सनयि आराहणा, तम्हापणाचेव उवसमियन्त्रं सेोकमाદુમંતે ? બલમસાર તુ સામત્રં ! ૧% ॥
ધર
क्षन्तव्यं स्वयमेव, क्षामयितव्यः परः उपशमितव्यंस्वयं, उपशमयितव्यः परः अधद्वयोर्मध्येयद्येकः क्षमयन्तिनापरस्तदाका गतिरित्याह य उपशाम्यति अस्तितस्याराधना योनोपशाम्यति नास्तितस्याराधना तस्मान् आत्मना उपशमितव्यं तत्कुतो हेतोः हे पूज्य ! इति पृष्ठे गुरुराह उपशमसारं उपशमप्रधानं श्रामण्यं श्रमणत्वं ॥
કલ્પસૂત્રના આ પાર્ડ પ્રમાણે વર્તવામાં આવે તે આત્માની પ્રતિદિન શુદ્ધતા થતી જાય. સાધુ, સાધ્વીઓ, શ્રાવકા અને શ્રાવીકાઓએ સર્વ વાતે ખમાવવા જોઇએ. ક્રેાધાદિક કાયાના ઉપશમ કરવાથી શ્રી જિતેન્દ્રના ઉપદેશ પ્રમાણે પ્રવર્તી શકાય છે. ગૃહસ્થોને અને સાધુઓને ક્ષમાપના કરીને આત્માની પરમાત્મ ા કરે એવા શ્રી વીર પ્રભુને ઉપદેશ ધ્યાનમાં રાખવા લાયક છે.
હે ધર્મ"ધે!! ક્ષમાપનાના ઉપદેશ આદરવા લાયક છે. આત્માને શુદ્ધ ધર્મ પ્રગટ કરવાને ક્ષમાપનાની ઉપાસના કર ! ક્ષણે ક્ષણે ક્ષમાપતાના વિચારોને હૃદયમાં પ્રગટાવીને આ માનો શુદ્ધતા કરવા પ્રયત્ન કર ! ક્ષમાપના વડે આત્માની ઉજ્વલતા, અનત શ્ત્રાએ ભૂતકાળમાં કરી અને ભવિષ્યમાં અનન્ત ને શુદ્ધતા કરશે. ક્ષમાપનાના વ્યવહાર સદા આદરવા યોગ્ય છે. ક્ષમાપનાના વ્યવહારથી અનેક છત્રાનું કલ્યાણુ થયું છે, અને ભવિષ્યમાં થશે. માટે હું ધર્મ ! ક્ષમાપનાના માર્ગે ચાલી તારા જીવનની ઉચ્ચતા કરતા રહેજે. હું પણ ઇચ્છું છું કે તેવી ક્ષમાપનાની પ્રવૃત્તિવડે તારા આત્મા ઉચ્ચ દશાના શિખરે પ્રાપ્ત થામે અને પરમ મંગલ પામેા. કૂચવનારીઃ ૐ શાન્તિઃ
સવત્ ૧૯૬૮ ભા. શુદિ ૬. મુ. અમદાવાદ.
*
"C
सौंदर्य केवी रीते मळे ?
""
( લેખકઃ-~-મણીલાલ માહનલાલ પાદરાકર )
મનમાં વિચાર આવ્યે કે તેના ઉચ્ચાર થાય છે અને ઉચ્ચાર થયા કે તે કાર્ય સ્વભાવથી આપણા જીવનના
ખનવાતું આવે છે. અનુભવથી સ્વભાવ બંધાય છે અને સિદ્ધાંતાના નિશ્ચય થાય છે.
“હું સુંદર, નિરેાગી, ધનવાન અને સુસ્વભાવી થઉં” એવી સ્વભાવતઃ પ્રત્યેક તે સદાતિ ઈચ્છા રહ્યા કરે છે. તે તે ઈચ્છા પાર પાડવાને દરેક તૂતન પ્રયાસામાં તલ્લિન રહે છે, પણ તે બરાબર ન કરી શકાવાથી ઘણા તે મેળવવાને મૅનસિબ રહે છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
“માં
કેવી રીતે મળે?”
૧૫૩
વર્તન ઉત્તમ કરવા માટે–આરંભ વિચારોથી કરો. મનમાંથી ખરાબ વિચારે કાઢી નાંખીને ઉત્તમ વિચારેજ મનમાં લાવવા, તેથી સર્વ સિદ્ધ થશે, વિચારોની છાયા આરોગ્ય અને આચારપર ઘણી જ ગાઢ પડે છે. માણસોના ચહેરા પરથી જ તે ઉત્તમ કે અધમ, સજજન કે દુર શાંત કે કેપી-બળવેલ કે આનંદ છે તે ઝટ જણાઈ આવે છે. એ શું બતાવે છે? માણસને ચહેરો એ માણસના વર્તનની આરસી છે. “સુંદરતા સુંદર ચીને જ જન્મ આપે છે” એ વાક્યાનુસાર સુંદર દેખાવું તે સુંદર વર્તન અને સુંદર વિચારોનું જ ફળ છે એ નિઃશંસય વાર્તા છે.
રાગ ભય, લોભ, આળસ્ય, અહંકાર અને સ્વાર્થપરાયણતાથી સાંદર્યને નાશ થાય છે. એકલપેટાપણા સર સયંને નાશ કરનાર બીજે દુબન નથી. વિષય વિકારની વૃદ્ધિ અને ક્રોધનો આવિર્ભાવ એ સુંદરતાને સળગાવી દેવાના જ સાધન છે. પુના સુંદર ને તંદુરસ્ત પુરૂષોના ચહેરા સ્મરે. બ્રહ્મચર્ય અને ઉત્તમ આચારની જીવતી જાગતી છો! તમે તેમના ચહેરા પર પ્રગટ જેશે. બ્રહ્મચર્ય શિવાય સુંદરતા ક્યાંથી મળે ! દુર્ગણો ધીમે ધીમે શરીર પર પોતાને અધિકાર જમાવે છે. તે સંદર્યને નાશ કરે છે. બાલ્યાવસ્થાનું સંદર્ય યુવાવસ્થામાં ચાલી જવાના કારણે દુગુણ શીવાય બીજું કંઈ જ નથી. આ દુર્ગુણોથી મનુષ્ય અલિપ્ત રહે, અને મનમાં ઉત્તમ વિચારોની શ્રેણિઓને સ્થાન આપે, તે ચહેરા પર દિવ્ય સૌંદર્ય ઝળકી ઉઠશેજ.
અનેક કારણોથી સૌંદર્યને નાશ થઈ રોગને પ્રાદુર્ભાવ થાય છે. લોકો સાદો ખોરાક ખાવાનું મુકીને, રૂચી લાવવા માટે પકવાન તથા મશાલા આરોગે છે કસરત કરતા નથી, સ્વચ્છતા કુલક્ષ કરે છે, સ્વાસોશ્વાસ ક્રિયા તરફ બરાબર લક્ષ આપતા નથી, ભય-ચિંતા-- રાગ-ફોધ જેવા અતિ વિષમ શત્રુને મનમાં જગ્યા આપે છે, બરાબર ચાવ્યા સિવાય જેમ તેમ કોળીઆ ભરીને જમી લે છે, તેને પચાવવાને બે ઘડી વાયકલી કરવાને બદલે જમીને હાથ લુસતા લુસતા, કપડાં પહેરતા પહેરતા કામે વળગી જાય છે. કહે વાચકે ! શારીરિક સંદર્ય આમ મળે કે? અરેરે ! આમજ સંદર્યનો નાશ થાય છે અને વળી પીયર્સના સાબુથી સ્નાન કરાય, ઉત્તમ ટુવાલથી દીલ લુછાય, ઉત્તમ ધોતર ને કપડાંથી શરીર સુશોભિત કરાય, કામનીઆ ઓઈલ ને સેંટ લવેંડરથી વાળ ચકચકતા વાળા કરી હોળાય, સારા દાગીના પહેરાય ને બરાબર તૈયાર થવાય પણ માનસિક આનંદ ને સંદર્ય શિવાયને હેરો શું શોભે કે ? આજના સંદર્યને માટે ફાંફાં મારતા યુવાન વર્ગને સ્વારી તે સુચના એ છે કે-એ બધાં સેંદર્ય મેળવવાનાં હેકટ ફાંફાંજ છે. બાહ્ય સુંદરતા-આંતરિક સુંદરતા વાય તુચ્છ છે. પ્રથમ આંતરિક સુંદરતા પ્રાપ્ત કરે.
સાદે પણ સાત્વિક યોગ્ય બરાક નિયમિતપણે બરાબર ચાવીને-પ્રસન્ન ચિત્તે આ રોગે, સ્વચ્છ–ખુલ્લી હવા ને વ્યાયામને પૂર્ણ ઉપયોગ કરો, સૂર્ય પ્રકાશનું અમૃત પીઓ, સ્વચ્છ પાણી ખુબ પીઓ, સદ્વિચારનું સેવન કરે, ઉત્તમ પુસ્તકોનું વાંચન રાખે, રાત્રે વહેલા સુઈ પ્રાત:કાળે વહેલા ઉઠે, પ્રકૃતી શાંત ને આનંદી રાખો, ચિત્તને ભટકવા ન દેતાં સ્થિર રાખે, જરૂર જેટલું જ મિષ્ટ બેલે, “ઉપાય કરતાં અટકાવ બહેત્તર” એ સૂત્ર પાળો, આ નિયમો દ્રઢ નિશ્ચયપુર્વક કરે, અને તેનું પાલન કરે, તે સંદર્ય પ્રાપ્ત કરવામાં તમને વિલંબ લાગશેજ નહિ અને આમ કરવાથી તમારું બાહ્ય અને આંતરિક બેઉ સાંદર્ય ઝળકી
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શુદ્ધિપ્રભા.
ઉદ્દેશે ઉત્તમ વર્તન એજ મહત્વનું છે. એકવાર એવી ટેવ પડી કે તે જનાર નથી. ખરાબ ટેવે! એડી દે. મનને ત્રાસ આપનારી બાબતે વિસરી જાએ. ખીજાએ કરેલા અપકારે। ભુલી જા, સર્વપર પ્રેમ રાખા, અને હમારૂં શરીર અને મન સુંદર થશે. ખરાબ બાબતાથી શરીર અને મનની મુક્તિ થશે અને સર્વ લૉક આાપર પ્રેમ કરશે. સૌંદર્ય મેળવીને કરવાનું શું?
સાંદર્યવાન થઇને દરેક માસને–સામાને પોતાના પ્રતિ આકર્ષવા માતા સામાને પ્રીય થવા ઇચ્છે તે સુંદરતા વિના પણુ-સુંદર વતૅન પશુ તે કામ ઠીક અાવી શકશે. સુંદરતા મેળવીને આલાકના નાવત પદાર્થાંમાં રક્ત થવાના પ્રયત્ન કરવા કરતાં આંતરીક સુંદરતા મેલવીને-શેઠને પણ શેઠ અને રાજાઓના રાજા-શ્રી પ્રભુ તેમને રાજી કરવાના ઉદ્યાગ આર્ભે તા કેવું સારૂં. ઇન્દ્રિઓના નિગ્રહ, ધર્મપર શ્રદ્ધા, આત્માની ઓળખ, ઉત્તમ વર્તન, શીલનું સેવન, શાસ્ત્રાભ્યાસ તે સતપુણ્યેની સેવા આદિ સદ્ગુણાથી તમેા અંતરને સુંદર કરશે! તે તમારૂં બહારનું ને અંદરનુ એવું અંગ સુંદર યશે અને એ રીતે તમે! આ લેક ને પરલેાક એઉને સંતુષ્ટ કરી શકશો, ને હમારા પ્રયાસ સફળ થશે અને આવી સોંદર્યતા મેળવવાની હમારી ઈચ્છા પ્રભુ સળ કરી એજ જીજ્ઞાસા.
જૂના.
ધર્મની દરેક ક્રિયા કરવામાં કાંઇ પણ આશય ( હેતુ ) રહે છે. આપણે તે વાત સમજીએ કે નહિ તાપણુ ધર્મ સ્થાપકોએ ધર્મ ક્રિયાઓ કાઇ પણુ ઉચ્ચ આશયથી ખતાવેલી છે. ક્રિયા કરવામાં તે કરતાં છતાં પણુ અંતરંગ પ્રીતિના અભાવ ઘણું ખરે ઠેકાણે જોવામાં આવે છે તેનું કારણુ શ્રદ્ધાની ખામી નથી પણુ જ્ઞાનની એાય છે. અજ્ઞાની અને નાની બન્ને જણા ધર્મ ક્રિયાએ તા એક સરખી રીતેજ કરતા જણાય છે પણ નાનીમાં જે ભાવ તેમજ ઉચ્ચ વિચારે હોય છે તે અજ્ઞાતીમાં માલમ પડતા નથી, અને તેથી અજ્ઞાની પુરૂષ ઘણીવાર તે! મારા ધર્મમાં અમુક ક્રિયા કરવાની કહી છે માટે ભારે તે કરવી જોઇએ એમ વિચાર કરી તે ક્રિયા કરે છે, પશુ તેના આશય, તે બતાવનારના વિચાર સમજતા નથી અને તેથી તે ક્રિયા કરવામાં હૃદય તે ભણી દે!ડતુ નથી, અને તે ક્રિયા આંતર પ્રદી પતી પ્રેરણાથી યતી નથી. માટે ો આશય સમજાય તેા તે જડ ક્રિયાને ચેતન મળે અને ખરેખરી કરવી જોઇએ તે પ્રમાણે હૃદયથી-ભક્તિભાવથી થાય તે માટે તેના આશય સમજવાની ત્રણી અગત્યતા છે.
માજના લેખમાં આપણે પૂજા શા સાફ કરવી બેઇએ ?
પૂત્ર બતાવનારને માશય શો હશે ? તેને માપણી અલ્પબુદ્ધિ પ્રમાણે વિચાર કરીશું અને તેનો શા ખુલાસા મળે છે તે તેશું. પ્રથમ પૂર્જા તે શું છે ? પૂજ્મવંદનીય પુરૂષો ભણી હૃમમાંથી જે લાગણી ઉત્પન્ન થાય તેને ભક્તિ કહેવામાં આવે છે. આ હૃદયની લાગણી જુદી જુદી રીતે દર્શાવવામાં આવે છે. જો આપણા પૂજ્મવતીય પુરૂષો જગતમાં જીવતા હોય તે તેમની શુશ્રુષા સેવા કરવી તેનું નામ ભક્તિ પશુ તે પુછ્યા જગતમાં ન ઢાય અર્થાત્ જે તેમને નિર્વાણુ મેક્ષદશા પ્રાપ્ત કરી હોય તાપણ તેમની મૂર્તિ સ્થાપી
Page #13
--------------------------------------------------------------------------
________________
પૂજા,
૧૫૫
તેમની ભક્તિ કરવી. ચિત્તથી તેમનું ધ્યાન કરવું, વચનથી તેમના ગુણનું સ્તવન કીર્તન કરવું, અને કાયાથી તેમની સ્થાપન કરેલી મૂર્તિની પૂજા કરવી, આ રીતે મન વચન અને કાયાથી અહિંતાની ભક્તિ કરવાની છે.
અહીં કોઇ મનુષ્ય પ્રશ્ન કરે કે ધ્યાન કરવાથી ચિત્તની સ્થિરતા થાય. તેમના ગુણનું સ્તવન કરવાથી તે ગુણ મેળવવાની હૃદયમાં અભિલાષા થાય પણ મૂર્તિ પૂજાથી શું લાભ છે? મૃાતની શી જરૂર છે? આ પ્રશ્ન ઘણે અગત્યનું છે, અને તેને આપણે શાંત મને વિચાર કરીશું.
(૧) પ્રથમ મનની સ્થિરતા આ તો એક સાધારણ નિયમ છે કે જ્યારે આપણી દષ્ટિ આગળ કાંઇ વસ્તુ હોય તે તેના પર દષ્ટિ ચટાડવી તે સુગમ થઈ પડે છે અને જે વસ્તુ તરફ દષ્ટિ જાય છે તે તરફ મન પણ દેરાય છે. આમ તેમ ભટકતા મનને સ્થિર કરવાને મૂર્તિ ખરેખર સાધન રૂપ થઇ પડે છે. માટે જેના હૃદયમાં મહાન પુરૂષનાં ચરિત્ર વાંચી તેઓ તરફ ભક્તિભાવ ઉત્પન્ન થયો છે તેને વાસ્તે મૂર્તિ ખરેખર યોગ્ય સાધન થઈ પડશે કારણકે ભક્તિને લીધે તેનું મન તે ઇષ્ટદેવની મૂર્તિ સાથે એકમય થઈ જાય છે અને તેથી મનની એક ચિત્તતા અને સ્થિરતા સહેજમાં પ્રાપ્ત કરી શકાય છે.
(૨) મૂર્તિારા ગુણેનું સ્મરણ જેમ આપણને આપણા ગત થયેલા અથવા પરદેશમાં વસતા મિત્ર સ્વજન આદિની છબી જતાં તેઓના ગુણનું સ્મરણ થાય છે તે જ પ્રમાણે ઇષ્ટદેવની મૂર્તિ જોતાંવારજ તેઓનું જીવન ચરિત્ર, તેઓનું શુદ્ધવર્તન અને તેઓના ઉત્કૃષ્ટ વને આપણા હૃદય આગળ ખડાં થાય છે, અને તેમની પ્રતિ તે ગુણોને લીધે અંતરંગ ભક્તિભાવ ઉત્પન્ન થાય છે પણ આવી પ્રીતિ વ્યક્તિ આપણામાં જાગૃત થાય તે માટે આપણું ઈષ્ટદેવના જીવનચરિત્રથી આપણે સંપૂર્ણ રીતે જાણતા થવું જોઇએ અને તે ચરિ ત્રની દરેક બીનાનું પળેપળ રટન તેમજ મનન કરવું જોઈએ. આ રીતે ઇષ્ટદેવના જીવનચરિત્રના સંપૂર્ણ જ્ઞાનથી તેમની મૂર્તિ જોતાં જ તે જ્ઞાન આપણી આંખ આગળ તરી આવશે, અને તેમના ઉમદા ગુણનું સ્મરણ થતાં તે ગુણો મેળવવાને હૃદયમાં તીવ્ર અભિલાષા થશે.
(૩) મૂર્તિની આકૃતી દ્વારા વિવિધ ગુણનું ચિંતન અને ભગવાનની મૂર્તિના નવ અંગની પૂજા કરતાં કયા કયા ગુણોનું ચિંતન કરવું તેને આ વિભાગમાં આપણે વિચાર કરીશું.
(૧) પ્રથમ ભગવાનના ચરણના અંગુઠાની પૂજા કરતાં ભગવાન વિજગતને વંદનીય છે અને તેમનું સઘળું શરીર પૂજ્ય છે. શરીરનું દરેક અંગ પૂજવા લાયક છે અને તેથી તેમના ચરણને અંગુઠો પણ પૂજવા યોગ્ય છે આવો વિચાર કરવો જોઈએ. (૨) જાનું અથવા ઢીંચણ જાનુના બળે ભગવાન્ કાઉસગ્ગ ( કાયોત્સર્ગ ) ધ્યાનમાં રહ્યા હતા અને સમાધિદ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાને સમર્થ થયા હતા, તેમજ વળી તેના બળથી લેકને ધર્મને બોધ કરી સંસાર સાગરથી તરવાને દેશદેશ વિચરવાને સમર્થ થયા માટે તે જુનું પણ પૂજનીય છે આવો વિચાર કરવો. ( ૩ ) હસ્ત. પિતાના હસ્તવડે ભગવાને લોકોનું દુ:ખ ટાળવાને અખૂટ ધનનું દાન આપ્યું હતું માટે તે હાથ પણ પૂજ્ય છે. આ રીતે વિચારવું અને પોતે પણ તેમ કરવાને મનમાં સંકલ્પ કરે અને યથાશક્તિ યોગ્ય સમયે દાન આપવું. (૪) ખભો. માન એ માણસને ક શત્રુ છે. માનને લીધે મનુષ્ય પોતાની જાતને ઉચ્ચ ગણી બીજના ઉપર તિરસ્કારની વૃત્તિથી જુવે છે, અને બીજાઓને હલકા ગણી તેમના ઉપર દેશની નજરથી જુવે છે. આ માનની વૃત્તિ મનુષ્ય
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૫૬
બુદ્ધિપ્રભા.
ખભા દ્વારા દર્શાવે છે અર્થાત પિતાની મહત્વતા બતાવવાને મનુષ્ય પોતાના ખભા ચઢાવે છે પણ ભગવાને તે માનનો (અહંકારને) નાશ કર્યો છે તેથી તેમને ખભે પણ પૂજય છે આમ વિચારવું, અને પોતે પણ જેમ બને તેમ અભિમાનની વૃત્તિ ઓછી કરી પિતાના સંબંધમાં આવતા મનુષ્યો સાથે સમભાવ રાખી વર્તવાનો નિશ્ચય કરવો. (૫) શિખા. આત્માના સંપૂર્ણ ઉત્કૃષ્ટ ગુણો ખીલવી ભગવાન ઉચ્ચસ્થાન પ્રાપ્ત કરવાને સમર્થ થયા છે માટે શરીરની ઉચ્ચ સ્થાનરૂપ શિખા પણ પૂજ્ય છે આવો વિચાર કરવાને છે. (૬) કપાળમાં તિલક. ભગવાન ત્રિભુવનને વંદનીય છે તેમના ઉત્કૃષ્ટ ગુણને લીધે, તેમજ કરૂણાભય સ્વભાવને લીધે સકળ જગતના શિરોમણી રૂપ તેમજ તિલક સમાન છે માટે તેમના
પાલમાં તિલક કરવું જોઈએ. (૭) કંઠ. વર્ણના ઉચ્ચારના આઠ સ્થાન છે તેમાં કંઠસ્થાન મુખ્ય છે. ભગવાને કંઠ મુખ નાસિકાઠારા વને (અરેનો) ઉચ્ચાર કરી ધર્મતને લોકોને ઉપદેશ કર્યો હતો અને હજારો જણને પ્રતિબોધ્યા હતા માટે તે કંઠ પણ પૂજ્ય છે. આ વિચાર કરી કંઠે તિલક કરવું. (૮) હૃદય, રાગ અને દેવરૂપ બે શત્રુઓને ઉપશમવડે નાશ કરવાથી જેઓનું હૃદય નિર્મળ તેમજ શુદ્ધ થયું છે માટે તે હૃદય પણ પૂજ્ય છે એમ વિચારવાનું છે. (૮) નાભિ નાભિ આગળ જેમ ત્રીવલી છે (ત્રણ લીટીઓ છે) તેમ ભગવાને જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રય મેળવ્યાં છે માટે નાભિ પણ વંદનીય છે આ વિચાર કરવાનો છે. આવી આવી ભાવનાઓ ભાવતાં તેવા ગુણે મેળવવાની આપણા હૃદયમાં અભિલાષા ઉત્પન્ન થાય છે. ઉપર જણાવેલા ઉચ્ચ આ સિવાય પણ એક અતિ ઉત્તમ અને ગૂઢ હેતુ પ્રતિમા પૂજનમાં રહેલું છે. જે પ્રતિમાની પ્રતિકા યેય પુરૂષોથી, તેમજ શુદ્ધ મંત્રોચાર સહિત, કરવામાં આવી હોય તે તે ક્રિયાથી પ્રતિમામાં તે દેવનું ચેતન્ય આહન થાય છે. તેમજ વળી શુદ્ધ ભકતની અંતઃકરણની ભકિતથી તે પ્રતિમા શુભવિચારે અને ઉચ્ચ લાગણુઓનું કેન્દ્રસ્થાન બને છે અને તેથી કરીને દેરાસરમાં પેસતાં વારજ દુષ્ટજનના મનમાં પણું ઉચ્ચ વિચારોને સ્થાન મળે છે તે શુદ્ધ ભક્તની તે વાતજ શી? શુદ્ધ ભક્ત તે ભક્તિરસમાં લીન થઈ જાય છે કારણ કે પ્રતિમામાંથી શુભ પ્રેરણુઓશુભવિચારોનો પ્રવાહ નિરંતર વહ્યા કરે છે અને તેથી જે મનુષ્યો તેના સંબંધમાં આવે છે તેમનામાં ઉચ્ચ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. આ હેતુથી જ ધર્મશામાં દેરાશરને પવિત્ર રાખવાને તેમજ તેમાં, જગત સંબંધી અથવા બીજા કોઈ મલીન વિચારોને નિધિ કરી પેસવાને ફરમાવ્યું છે કારણ કે શુભ વિચારના વાતાવરણને મલીન વિચારો મલીન કરે છે માટે નિરંતર સ્નાન કરી મનને શાંત કરી, પવિત્ર વિચારોથી અને દેરાસરમાં ઈષ્ટદેવની પૂજા કરવાથી મળતો લાભ અવર્ણનીય છે. પવિત્ર તીર્થોએ જવામાં પણ ઉપર જણાવેલ ઉત્તમ હેતુ હોય એમ મને તે લાગે છે કારણ કે તીથ મહાન પુરૂષોના ચરણરજથી, તેમના શુભવિચારોથી પવિત્ર થયેલાં હોય છે, કારણ કે શુભ વિચારોના તે વિચારે અતિ તીવ્ર હોવાથી પરમાણુઓ ઘણું કાળ સુધી રહે છે તેમજ શુદ્ધ ભક્તની ઉત્તમ ભક્તિથી તેઓને બળ મળે છે અને તેથી તેવા તીર્થ જનાર પુના મનમાં ત્યાં આગળ તેવા શુભ વિચારોના પરમાણુઓને લીધે શુભ વિચારે ઉત્પન્ન થાય છે. ઉપર જણાવેલા તેમજ બીજા પણ આશા હશે માટે દરેક આત્મહિતાથી પુરૂ શુદ્ધ મન સહિત પ્રતિમા પૂજન કરવું જોઈએ અને ભગવાનના ગુણોનું ચિંતન તથા મનન કરી તે મેળવવા પ્રયત્ન કરવો, અને આત્મામાં રહેલા ગુપ્ત શક્તિઓ ખીલવવી.
A[ AY,
Page #15
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ કર્મ થાયે સવથી, નહિ બાહ્ય સાધનથી ખરે.
૧૫9
" सिद्ध कर्म थाये सत्त्वथी, नहि बाह्य साधनधी खरे ?
( લેખક–ડી. જી. શાહ, માણેકપુરવાળા મુ. અવચળગઢ. આબુ. )
-હરિગીતઈદ–
છે ઇદ્રવરણું આ સમે, રૂપે રૂડું રળિયામણું, લેવા ઘણું લલચાય છે, મન મોહથી માનવ તણું; સાંદ દેખી સ્વાદ લેતાં, મુખ કડવું તે કરે, સિદ્ધ કર્મ થાયે સત્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે.
( ૨ ) હેટાં સુભાષણ ખંતથી, જનમંડળે કરતે ફરે, કે લેખ મહાન ભલે લખી, પત્રો મહિં છાપ્યા કરે; તેથી ફળે કહો કાર્ય શું? મન મેલ જે નવ દૂર હરે, સિદ્ધ કર્મ થાયે સવથી, નહિ બાહ્ય સાધનથી ખરે.
તીર્થે કર્યું કે ત્રત કર્યું, કે “ રામ રામ ” મૂખે ભજે, કે ધ્યાન બગ પેઠે ધર્યો, બહુ બાહ્ય આડંબર સજે; કદિ કાર્ય સિદ્ધ થતું નથી, જન માથું ફૂટી જે મરે, સિદ્ધ કર્મ થાયે સત્ત્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે.
ભગવાં ધરીને ભટકતા જે, સાધુજનના વેવમાં, રામા રાખી તે ફરે, ધન ધુતવા આ દેશમાં શુભ જ્ઞાનને શુભ વૃત્તિ વિણ, કલ્યાણ કેનું શું કરે, સિદ્ધ ધર્મ થાયે સર્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે.
સંગ્રામમાં જાવા ભલે, શસ્ત્ર બહુ અંગે ધરે, મોટો કદાવર અશ્વ લઈ, સંભાળથી સ્વારી કરે; નિર્વિર્ય પણ જે તે હશે તેનું કાર્ય ત્યાં જઈ શું કરે, સિદ્ધ કર્મ થાયે સર્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે.
બગલે સરિતા તીર બેસે. તાપસ તુલ્ય તે બની, હાલે નહિ ચાલે નહિ બ, સ્થિરતા તે નીચની;
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫૨
બુદ્ધિપ્રભા
પૂર્ણ લાગ સાધી મુને તે, ચાપ લઈ ચાંચે ભરે, સિદ્ધ કર્મ થાયે સધી, નહિ બાહ્ય સાધનથી રૈ. (19)
કાઇ ચેાગી કે વળી ભોગી કે, અત્યંત આડંબર કરી, ભેળાપણાના લેાકી, એમ ભમાવે યુક્તિ કરી; અહુ નાહિ ધાઇ તિલક તાણી, બાહ્યાડ બર અતિ ધરે, સિદ્ધ કર્મ થાયે સત્ત્વયી, નહિ બાહ્ય સાધનથી ખરે ( ૮ )
શ્વેત રંગા ધ્યાન ધારી, સ્થાન સરવર બેસતા, ભક્તિ બગની ટંગ સમી છે, ભલા તેતે દીસતા; મન પરિણામે નર્ક પડશે, નિશ્ર તેતા આખરે, સિદ્ધ કર્યું થાયે સત્ત્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે. ( ૮ )
R
માટે સુણા વૃદ્ધિ જતા, ગુણુ સાગરના ગ્રાહક થશે, ડાંગીજનાના ઢાંગથી, “ દિલખુશ ” અંજાઈ નવ જશે; સાવધ થઇ શુદ્ધ તત્ત્વ સેવી, મેક્ષપદ પામેા રે, સિદ્ધ કર્મ થાયે સત્ત્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે
( અપૂર્યુ. )
जैनोभ्युदय हितशिक्षा.
આધવજી સદેશા કહેજે સ્પામને-એ રાગ
ત. ૨
જૈન બંધુઓ ! શીખ સુણેા સેાહામણી, જિનવર ભાષિત ધર્મ તત્ત્વ વિચારો; સકળ કરો નર ભવને શિવ સુખ પામવા, મન, વચ, કાયે ધર્મ રત્ન આધારો. જૈન. ૧ દુઃખકારી જે વચને મુખી વારતાં, સમતા સાગરમાં સુખ અપરંપાર ને; મિષ્ટ વચનથી વદીએ સહુને પ્રેમથી, ભ્રાતૃભાવ વધતા સા વ્યવહારો. જળ વાળ સમ ચલિત જીવિત જાણીએ, સમજ્યા નાની વૈરાગ્યે રંગાયખે; ખૂટા જગબંધનને બળથી તાડીએ, આત્મિક ધન મેળવીયું સુષુિજન ગાયને. જૈન. ૩ અભયદાન આપીને જીવ રક્ષા કરા, સુપાત્રાદિક દાન પંચ પ્રકારને;
ૉન. પ
ભવ વ બળતાં રસ્તે સરલ એ સાચવી, બ્રહ્મચર્યાદિક મહા વ્રતને વિચારો, જૈન, ૪ ક્રેાધાનલને અળગા કરીએ આપણે, જેના સંગે નીચ ગતિ લેવાયો; ચંડ કાશી મહા તપસી સાધુ હતા, ક્રોધ કરીને સર્પ ઝેરીલેા થાયો. લાભે લક્ષણુ ચેતનજી જારો વહ્યાં, લાભે લેાભ કરે છે અતિ ઉત્પાતો; તૃષ્ણા તેના સાચ થી છૂટે ના, લશ્કર જેનું ભારે વિપરીત વાતો.
જૈન. ૬
Page #17
--------------------------------------------------------------------------
________________
સુખી જીવન.
૧૫૮
સુબૂમ ચક્ર જે ખટ ખંડને રાજીઓ, લોભે લૂંટાણે ભરદરિયા માંહિજે; રક્ષા કારણ દેવ નહિ તેના થયા, સપ્તમીએ પહેચા લોભે કયાંહિ જે. જે. ૭ માન મહા વેરીને વેગે વારિ, અષ્ટ પ્રકારે ગણિયા મદના ભેદ. સન્નત ચકી સરિખા રૂ૫ રહિત થયા, મદ મૂક્યાથી મળે પરમપદ જેહજે જે. ૮ કેવળ કમળા બાબળને આવતી, લધુ બંધને વંદુ જઈ હું કેમજે; ભગિની બ્રાહ્મી સુંદરીએ સમજાવતાં, માન ગયેથી ઝળહળ જતિ ક્ષેમ. ન. ૪ કપટ કર્યાથી ચપટ થશે ઝટ વારમાં, બંધાતા નવ જબરી માયા જાળ; મલિ જિનવર તપ કરતાં કપટ થયા, મહિલા રૂપે શ્રી જિનવર અવતાર. જન. ૧૦ અત્યંતરના શેર તમે દૂર કરો, જે સંબંધે લખચોરાશી થાય; બાહ્ય અત્યંતર તપ જપ તેને આદર, દાવાનળ દુઃખ સરવે દૂર પળાય. જન. ૧૧ વત પચ્ચખાણ કરો નિજ પૂરણ ભાવથી, સેવા ભક્તિ જંગમ સ્થાવર તીર્થજે; અનુમોદીએ શુભ કૃત્યો સરવે સદા, જેથી આતમરામ રહે પવિત્રજો. જન. ૧૨ દુષ્ટ રિવાજે સાંસારિક દૂર કરે, સસ વ્યસનથી પ્રાણ થાય ખુવારજે; ઉત્તેજન જાતિ બંધુને આપવું, સગપણ સ્વામી ભાઈ તણું સચવાય. જ્ઞાન દાનને ફેલાવો અધિકો કરે, જીર્ણ પુસ્તકને વળી જીર્ણોદ્ધાર; દેવ કવ્યાદિકના હિસાબે સાચવી, નિજ લક્ષ્મીથી અધિક કરે સંભાળજે. જે. ૧૪ સર્વ જીવનું ભલું કરવા ઉમંગથી, ધરી સાદાઈ રાખે મન નરમાશ; સમજુ થઈ નિર્લોભી આનન્દ રહે, આળસ છેડી કરજો ઉઘમ ખાસ. એન. ૧૫ પ્રમાણિકતા રાખી સાચું બોલવું, મન તનને વશ કરવા કરો ઉપાય; યથાશક્તિથી ધર્મ દિલ ઉદારતા, સુશિલ થાતાં પાળે દશ શિક્ષાય. જન. ૧૬ બુદ્ધિસાગર શિક્ષા રહો અવની પરે, સદગુરૂ ચણે ભાવ ભલો પ્રગટાયજે; ગિરધર સુત આ દિલસુખે પ્રેમે કહી, માણેકપુરે ચિત્ત હરખાય. જા. ૧૭
सुखी जीवन.
(“હંપલાઈફ” નામના ઈંગ્લીશ કાવ્ય ઉપરથી.)
(લેખક–મહેતા મગનલાલ માધવજી જેનીગ.)
કવ્વાલી. કરે જે કાર્ય છાએ ને કદી જે પરાધીન છે, હઠાવે દુર્ગણે દુરે ઋજુતાં શસ્ત્ર ધારીને; અનુપમ છે મતિ જેની પ્રભાવે સત્ય વાચાના, કરી છે પ્રાપ્ત સદિધા સદા સુખી જીવન તેનું. કરી છે સાધ્ય ઈદ્રિય નિવ જે વિકારોથી, નહિ દરકાર જીવનની ભીતિ નહિ લેશ મૃત્યુની;
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૬૦
બુદ્ધિપ્રભા.
નહિ લવલેશ ચઢે જે ઉચ્ચ સ્થિતિએ દે વા દુષ્ટ કૃત્યથી રહે અળગે ખુશામતના ફરે યના પરાયેં જે સદા વર્તે જે બુદ્ધિથી ગુમાવે વ્યર્થ નહિ પૈસા અખીલ આ જગ્યની પ્રત્યે દયામય ધર્મ છે જેની રહે મસ્ક્યુલ ભક્તિમાં અને સન્મિત્રની સગે રહે જે ભગ્ન આટૅ રહે સંતાપી મનમાં જે રહે જે મુક્ત હંમેશાં નહિં દરકાર ચડતીની રહે જે આત્મ નિદૈ સદા
ભલે લેાકેા કરે સ્તુતિ ભલે નિંદા કરે લેાકા, પરવા છે. સદા સુખી જીવન તેનું. પ્રભાવે ભાગ્ય દેવીના, કરે નહિ તેહની ઈર્ષ્યા; ખરેખર કારી જખમાથી, સદા સુખી જીવન તેવું. રહિ વિરક્ત ગપ્પાંથી, ખુશામતથી ફુલાઈને; અહે। જે આત્મ સમભાવે, સદા સુખી જીવન તેનું. અહેનીશ સંત સેવામાં, અને ધાર્મિક વાચનમાં; અને નિર્દોષ સુખમાં જે, સદા સુખી જીવન તેવું. પરાધીનતાની ખેડીથી, નહિ દરકાર પડતીની; ગારવી સદા સુખી જીવન તેનું, તુ મગ્ન મસ્તિમાં મન રહેજે.
सुवर्ण रज.
=
Golden Grain.
જ્ઞાનદાયક અને ઉપદેશક ન્હાનાં ન્હાનાં વાકયાને અમૂલ્ય સગ્રહ,
( સંગ્રાહક-ઉદયચંદ લાલચદ શાહ ઝવેરીવાડા અમદાવાદ. )
ર
3
と
૫
પાતે કાણુ છે, તેનું જ્ઞાન મનુષ્ય શી રીતે પ્રાપ્ત કરી શકશે? તે ચિંતવનથી નહિ પરંતુ આચરણથી ! સ્વતઃનુ કર્તવ્ય શું છે, તે બજાવવાની આવશ્યકતા છે અને તેમ કરવાથી એકદમ જણાઈ આવે તેમ છે કે પુરૂષની કીંમત શું છે?
*
#:
*
આત્મ સંયમત કર્યાં શિવાય સ્વાતંત્ર્ય પ્રાપ્ત યવું તે શ્રેયસ્કર નથી; કિન્તુ હાનિકારક છે.
*
快
*
*
વૃદ્ઘાવસ્થામાં મનુષ્ય માત્ર તરૂણપણા કરતાં પશુ અધિક કર્તવ્યવાન રહેવું જોઇએ.
*
*
re
*
આચાર પ્રમાણે વિચારમાં પણ સાધ્યાસાધ્ય વિવેક કરવા જોઇએ. તે શિવાય માનવ– ચરિત્રમાં કિવા જ્ઞાનના પ્રમાણે ધણીજ અલ્પ સિદ્ધિ પ્રાપ્ત થશે. દૃષ્ટાંત તરીકે
કે
૧ નિર્દેષ આર. ડેર, રમતગમત,
Page #19
--------------------------------------------------------------------------
________________
સુવર્ણ
જ.
કેવળ કુંક મારવાથી જ વાંસળી વાગતી નથી પરંતુ આંગળીઓને પણ ઉપગ કરે પડે એ સ્વાભાવિક છે.
મનુષ્યને શાંતતા તરફ પ્રવૃત્તિ કરાવનાર બે શક્તિ છે. એક ન્યાય બુદ્ધિ અને યુ તાયુક્તનો વિચાર!
પિતાના આયુષ્યક્રમનું છેવટ અને પ્રારંભ એવો એક સરખો સંબંધ જે મનુષ્ય શોધી શકે છે તેજ પુરૂષ અત્યંત ભાગ્યવંત સમજવો જોઈએ.
ડાઘા પુરૂષ
પણાનું કર્તવ્ય કર્યું તો તે કઈ હાની સુની વાત કહી શકાય નહિ.
આશા એ દુઃખિત પુરૂષનાં પ્રાણ છે.
માણસને કોઈ પણ ફસાવવા શકિતમાન નથી પરંતુ મનુષ્ય પિતે જ તેવાં આચરણ આચરી ફસાય છે.
એક ક્ષણ કાંઈ પણ કીબન નથી એમ સમજવા કરતાં જગતના એક લુલ્લક વ્યવસાયમાં પ્રવૃત્તિ કરવું બહેતર છે.
ગતકાળ પાસેથી અનુભવનું શિક્ષણ લેવું, ચાલતા કાળને યોચિત ઉપયોગ કરવો અને ભવિષ્યમાં કરીશ એમ રાખવું નહિ.
જેનું બેસવું ઘણું હોય છે તેની કરણી ડી હોય છે!
હસતું મુખ અને મધુર સર એનો સંસારમાં ઘણાજ ઉપયોગ થાય છે.
- મનુષ્યના હાથે જે નાની સુની વાતે બની આવે છે તે ઉપરથી તેની પરીક્ષા થાય છે.
દરેક મનુષ્ય દુરાચરણ આચરતાં અને કુકૃત્ય કે પાપ કરતાં અટકી જવું જોઇએ કારણ કે બીજાઓએ કરેલી નિંદા સહન કરી શકાશે પરંતુ આપણું મને દેવતાને દંશ સહન થવો અતિ કઠિન છે.
મનુષ્ય ગમે તેટલો ગરીબ હેય, ગમે તેટલે અજ્ઞાની હોય અને ગમે તેટલો નીચ હોય તે પણ તેમાં દિવ્યાત્માનો અંશ પરક્ષપણે હેય છે જ !
જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી કૃતકાર્યની જવાબદારી તેના ઉપર જ હોય છે. તે જવાબદારી આપણે બીજાપર નાંખી એટલે સમજી લે કે આપણે તેમાંથી છૂટી શકીશું નહિ.
Page #20
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
-
~-
~
અંતઃકરણમાં ગુણી–સજજન જને પ્રત્યેની પૂજ્ય બુદ્ધિનું અસ્તિત્વ હોવું એ શ્રેષ્ઠતાનું લક્ષણ છે. જેનામાં એકતા છે તેને બીજાની પણ શ્રેષ્ઠતા જણાશે અને તેને માટે પૂજ્ય બુદ્ધિને પ્રાદુર્ભાવ થશે.
મલીન થયેલું મન હોય તે સ્વચ્છ કરવામાં ઘણી મહેનત પડે છે.
જ્યાં સુધી માનવજાતિ જગદુપકારી મહાન પુરૂષોએ બતાવેલા નીતિના માર્ગને આશ્રય ગ્રહણ કરશે નહિ, આધાર લેશે નહિ ત્યાં સુધી કોઇનું પણ કલ્યાણ થશે નહિ. બસ, એથી અધિક એક વાક્યમાં નીતિની મહત્વતા જણાવી શકાય તેમ નથી.
નt () ધાતુને અર્ય આંગળી પકડી ચલાવો થાય છે. જે અમોને વિકટ સંકટમાંથી ઉગારી આંગળી પકડી-અખલિતપણે દેરી જનાર તેજ નીતિ અર્થાત નય છે. મનુષ્ય જાતિના સંસારમાં ચાલવાના તેજ નિયમો હોવા જોઈએ કે જેની સાથે સઘળા જન સમુહને સાંસારિક અને પારલૌકિક સુખ પ્રાપ્ત થાય તે નીતિ છે.
કઈ એમ ધારે કે-ફકત નીતિને સંબંધ અમારા સુખ સાથેજ છે; પરંતુ વાસ્તવિક રીતે તેમ નથી. તેને સંબંધ બીજાના સુખની સાથે પણ છે, આ તત્વ રમૃતિમાંથી, વિસારી દેવો નહિ. ધર્મશાસ્ત્રોમાં તવવેત્તા અને તત્વચિંતક મહાન પુગે નીતિ વિષયક નિયમે વિધિ-અને નિધિ રૂપથી બતાવ્યા છે. તેની વિરૂદ્ધ આચરવાથી અવહેલને થાય છે.
નિનિ વિરૂદ્ધ ચાલવાથી એટલે અનીતિવાળાં આગ આગરવાવાળાં પાન જગતમાં નિંદા થાય છે તેઓ પોતાના અને પ્રજા નોનો રાજ્યાનાશ કરે છે. ચતુર પુરા કદાપિ કાળે પણ ધર્મ અને સુનીતિને અનાદર નજ કર જોઈએ ! ધર્મ અને નીતિની અવહેલના કરવાથી મનુષ્ય પતિત થાય છે અને માનવી કર્તવ્યોથી પરસુખ થઈ જવાને લીધે તેને જન્મ નિરર્થક જાય છે.
| નદીને પ્રવાહ આગળ વધતા જાય છે તે ફરી પાછો વળી શકો નથી. તેવી જ રીતે આપણુ મનુષ્ય જીવનને પ્રવાહ પ્રતિદિન આગળ વધતો જાય છે. આ સમય કરી અમને મળી શકશે નહિ. એને સત્કાર્યમાં વ્યય કરી સદુપયોગ કરો ! જેથી કંઈક કલ્યાણકારક કાર્ય થઈ શકે !
ધર્મ નીતિનું પ્રકાશમય જે જીવન છે તે જ સાચું અને સુખમય જીવન છે. આપણે પ્રતિ દિવસ-નહિ પરંતુ પ્રતિક્ષણ સ્મરણમાં રાખવું જોઈએ કે અમારી સ્મરણ શક્તિ-શાંત સ્વભાવ–સમય અને સમ્પત્તિને સં ગ કરવાથી જ સમાજ (જન) પ્રકાશમય-અને પ્રભાવશાળી તથા સુખી થશે. મિતું.
Page #21
--------------------------------------------------------------------------
________________
દિવ્ય કુલડાં. “મારી પ્રભુના વચનમાં શ્રદ્ધા છે ” એમ કહેવું તે ઉત્તમ અને પ્રશંસનીય છે. પરંતુ કોઈ સમયે અને કોઈ સ્થળે તેને અનુભવ થવો એજ આ અવની ઉપરનું સખ્ય છે.
વિશ્વની વિકટ વાટમાં વિચરનારા પુરૂષોને ફક્ત એકલા જ્ઞાનની આવશ્યકતા છે એમ નથી; પરંતુ તેને વ્યવહારમાં ઉપયોગ કરવાનું પણ શીખવાની જરૂર છે કારણ કે ફક્ત ઇચ્છાથી કાર્યની સિદ્ધિ થતી નથી પરંતુ તે મુજબનું આચરણ કરવું જોઈએ છે.
મનુષ્ય ને પોતાની શારીરિક અથવા નૈતિક સ્થિતિ સંબંધી બધા વિચાર કરે તે તેને એમ તે જણાઈ આવ્યા વિના નહિ રહે કે પોતાની ઉકત સ્થિતિમાં સમાધાનકારક નથી.
दिव्य फुलडां.
(સંગ્રાહક–અંબાલાલ ત્રીભોવન શાહ, જૈન બોર્ડ ગ.) કેઈની હરીફાઈ કરવી પણ અદેખાઈ કરવી નહિ કારણકે હરીફાઇ કરનાર માણસ છેવટે ફત્તેહ પામે છે પણ અદેખાઈ કરનાર માણસ દુઃખી થઈ નાસીપાસ થાય છે.
મહાત્મા પુરૂષનાં જીવનચરિત્ર વાંચી તેમના જેવા બનવાને પ્રયત્ન કરવો જોઈએ, તેમના જીણો તરફ લક્ષ નહિ આપતાં તેમના સુગુણો તરફ લક્ષ આપવું જોઈએ.
બનતા સુધી જરા પણ આપણે વખત નકામે ગુમાવવો નહિ કારણકે ગયેલે વખત હજારે ઉપાય કર્યા છતાં પાછો મળતું નથી.
ખરાબ વિચારને આપણું હૃદયમાં જગ્યા આપવી નહિ. જો કોઈ ખરાબ વિચાર ઉત્પન્ન થાય કે તરત જ તેને કાઢી નાખવું જોઈએ કારણકે તે ખરાબ વિચાર દુધમાં નાખેલા ઝેરની માફક નુકશાન કરે છે.
દરેક પ્રાણુ ઉપર દયા રાખવી કારણકે દરેકને આત્મા આપણા આત્મા સરખે છે.
દુઃખ પડે ગંભીરતાથી સહન કરવું અને સુખ આવે મગરૂર બનવું નહિ કારણકે સુખ દુખ તે માણસની કસોટી છે.
ગમે તેટલું જ્ઞાન મળે પણ મગરૂર થવું નહિ કારણ કે મગરૂરીથી માણસનું જ્ઞાન ઓછું થાય છે.
દરેક કાર્ય બીજના ઉપર આધાર નહિ રાખતાં પોતાની મેળે જ કરવું, કારણકે સ્વાનુભવથી માણસને સુખ થાય છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપ્રભા
ખેાલતાં પહેલાં બહુજ વિચારીને ખેલવું કારણકે પ્રીતિ અને અપ્રીતિ, અને સુખ દુ:ખને આધાર મેલેલા શબ્દો ઉપર રહે છે.
૧૬૪
X
*
×
X
ગમે તેટલાં માટે સ`કટા આવે પણ સત્ય ખેલવું અને અસત્યને વિચાર આવતાંજ હરિશ્ચંદ્ર અને એવા બીજા સત્યવાદી પુશ્યના જીવનના વિચાર કરવા અને અસત્ય ખેલતાં આપણા મનને રાકવું.
X
×
X
કાઇ દિવસ નીતિથી અવળું પગલું ભરવું નિહ. તેમાં સત્ય, પ્રમાણીકપણું વગેરે બીજા સદ્ગુણેને સમાવેશ થાય છે.
×
X
X
X
X
આરભેલા કાર્યને પુરૂ કરીને ખીતું કાર્ય કરવું, કારણકે માણસનું મન એક વખતે બન્ને વસ્તુમાં ધ્યાન આપી શકતું નથી.
X
×
વિપત્તિથી ડરવું નહિ, કારણકે દુ:ખ તે સુખને માટે છે તે સ્વાશ્રયથી તેને વટાવી જવું એ આપણું ખાસ કર્તવ્ય છે અને વિજય મેળવવે.
*
તેને શાક કરવાને બદલે આવેલી વિપત્તિ ઉપર
*
X
X
×
ખાવું પીવું અને ઉંઘવું તે કઇં જીંદગીનું સાર્થક નથી પરંતુ સત્કાર્ય કરી જીવન સલ કરવું તેજ જીંદગીનું સાર્થક છે.
*
×
X
×
હમેશાં બને તેટલો પરેપકાર કરવા ચુકવુ નહિ. સારા માણસના પૈસા તે પાપકારને માટે છે.
X
X
*
આત્માાતિ સિવાય ખીજાની ઉન્નતિ થઈ શકે નહિ એટલે પ્રથમ નતે સુધરવું અને પછી ખીજાતે સુધારવા પ્રયત્ન કરવા.
×
X
*
X
વિદ્યાર્થી અવસ્થામાં જેમ બને તેમ વિધા પ્રાપ્ત કરવી, કારણકે વિદ્યાર્થી અવસ્થામાં માસ ઉપાધી રહીત હોય છે અને વિદ્યાર્થી અવસ્થામાં પ્રાપ્ત કરેલી વિદ્યા ભવિષ્યમાં અહુ સહાય કરે છે.
Get knowledge before you grow old
Because knowledge is better than silver and gold Silver and gold would vanish away
But acquired knowledge will never decay.
પ્રપંચ અને અસત્ય ઉપર એટલે તિરસ્કાર રાવે કે જેથી કોઇ દિવસ અસત્ય મુખમાંથી નિકળેજ નહિ.
X
*
X
X
જ્યારે માણસે કાના દુઃખના વિચારમાં આવે છે ત્યારે તે તે દુ:ખને સભારીને
Page #23
--------------------------------------------------------------------------
________________
દિવ્ય કુલડાં.
વધારે અને વધારે દુઃખી થતા જાય છે અને છેવટે એટલા તે દુઃખી થાય છે કે શું કરવું, શું ન કરવું તેનું પણ તેઓને ભાન રહેતું નથી અને બેશુદ્ધ બની જાય છે પણ તે પ્રમાણે નહિ કરતાં તે દુઃખને દુર કરવાને માટે કોઈ હસમુખા મિત્રની પાસે જવું, કોઈ સારૂં પુરતા વાંચવું, અથવા તે જગ્યાથી બહાર ચાલ્યા જવું અને આપણું મન બીજા કેઈ કામમાં એવી રીતે લગાડવું કે તે આવેલા દુઃખને ભૂલી જવાય.
પુસ્તક તે આપણે સાચામાં સાચો અને હૃદયથી ચહાનાર મિત્ર છે. ગમે તેવાં દુઃખને સમયે પણ તે આપણને હિંમત આપે છે. મિત્રો અને સગાં વહાલાં તો આપણને ઘેરજ સારી શીખામણ આપે છે પરંતુ તેને એક પરદેશમાં પણ એક મોટા મિત્રની ગરજ સારે છે પરંતુ તે પુસ્તકે હંમેશાં એવાં પસંદ કરવાં કે જેથી તે ખરા મિત્રની ગરજ સારે.
મન ઉપર જેણે જીત મેળવી તેણે આખું જગત કર્યું છે, કારણકે તે માણસ જગતમાં મહાન કાર્યો કરવાને શક્તિવાન થાય છે.
નશીબ ઉપર આધાર રાખી બેસી રહેનાર માણસની આશા પાણીના પરપોટા જેવી છે એટલે તે આશા ફળીભુત થતી નથી પરંતુ આપણે જાત મહેનત અને ઉદ્યોગથી કઈ પણ કામને પાર પાડી શકીએ છીએ. કોઈપણ કામમાં ફત્તેહ નહિ મળતાં નશીબને દોષ કાઢવો તે આપણુ દુઃખને દિલાસો આપવાનું સાધન છે.
જેવી રીતે વેપારીએ રાત્રે પિતાનો હિસાબ ચે કરે છે તેવી રીતે આપણે પણ દિવસના કરેલાં સત્કાર્ય અને દુષ્કર્મની ફેંધ લેવી જોઈએ અને રાત્રે સુઈ રહેતી વખતે તેને વિચાર કરી, જે આપણે દુષ્કર્મ કર્યા હોય તે પરમેશ્વર પાસે ખરા અંત:કરણથી માફી માગવી અને પોતે એ દઢ નિશ્ચય કરવો કે જેથી કરીને ફરી તે દુષ્કૃત થાય નહિ, અને કેઇએ સારું કામ કર્યું હોય તો મનમાં આનંદ પામવો અને તેવાં સારાં કાર્યો હમેશાં કરવાની તીવ્ર ઈચ્છા રાખવી.
માતાપિતા, ધર્મગુરૂ અને વડીલની આજ્ઞાને કોઈ દિવસ ભંગ કરવો નહિ, તેમને વિનય કરવો અને તેમની વૈયાવય કરવી. નાનપણમાં કરેલા આપણે માતપિતાના ઉપકાર ભુલી જવા નહિ અને તેમના ઉપકારને આપણાથી બને તેટલા અંશે બદલે આપવો.
ઉપકાર કરવો તેના બદલાની આશા રાખવી નહિ પણ વિચારવું કે દરેક કાર્ય કરવું તે આપણી ફરજ છે.
જેવી રીતે આપણે બીજાઓને આપણી તરફ વર્તાવવાની ઈચ્છા રાખતા હોઈએ તેવી રીતે આપણે તેમની તરફ વર્તવું.
ખરાબ માણસ પાસે બેસવાથી ખરાબ વિચાર આવે છે, માટે કોઈ દિવસ ખરાબ
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૬
બુદ્ધિપ્રભા,
માણસ પાસે બેસવું નહિ પણ સારા સ્થળે બેસવું. જો કોઈ હોશીયાર વિદ્યાર્થી પાસે બેસીએ તે આપણામાં કેટલીક શીયારી આવે છે. કોઈ દારૂ પીનાર પાસે બેસીએ તે આપણને કંઈક ઘેન ચઢે છે. પાણીપતના મેદાનમાં ઉભા રહીએ તો આપણને લાઈનાજ વિચારો આવે છે માટે હંમેશાં સ્થળ વિચારીને કાર્ય કરવું.
કેઈપણ કાર્ય જેઈને નાસીપાત થવું નહિ પણ તેને કરવાને માટે પ્રયત્ન કરે. પ્રથમ નાશપાત થઇએ તે ફરીને, અને એમ ફરી ફરીને કરતાં આપણે તેમાં ફાવી શકીએ છીએ, કારણકે આપણા આત્માની શક્તિ અનંત છે.
૪
૪
सौंदर्य प्राप्तिनो सर्वोत्तम उपाय !
(લેખક:-મણલાલ મોહનલાલ પાદરાકર.)
સુંદર થવાનું કોને ન ગમે વારૂ? સૌને ગમે! સર્વ સ્થળે, દીર્ઘ દ્રષ્ટિથી અવલોકવામાં આવે, તો સહજ હમજાશે કેપ્રત્યેક દેશમાં–પ્રત્યેક વ્યક્તિની-સદા સર્વદા સુંદર થવાની સુંદર દેખાવાની એક સરખી ટાપટીપ ચાલી રહી હોય છે. કોઈ પેનીશ ઇટાલીયન કે ઈગ્લિશ ફેશનના વાંકડીઓ વાળની ગુચ્છીઓથી તે કોઈ રશીયાના ઝારના જેવી ફાંકડી વાંકડી મુછોના, કેમેટીકથી મરડી ભચડી વાળેલા આંકડાથી, કોઈ ચશ્માના ચકચકત ચમકારાથી તે કોઈ ગંભિર અને કોઈ સુંદર વદનથી ગમે તેમ પણ પોતે કેમ કરીને વધુ સુંદર દેખાય–પિતાના સેંદર્ય તરફ લેકે કેમ કરી આકર્ષાય ! તેને અતિશય પ્રયાસ અને પરિશ્રમ કરી રહ્યા છે પરંતુ નાણા વિનાની કથળી-નાણથી ભરેલી દેખાડવી, એ જેટલું અશક્ત અને હાસ્યાસ્પદ છે તેટલું જ બલકે તેથી પણ વધારે અશક્ય અને હાસ્યપાત્ર, મનની સુંદરતા વિના–આંતરીક સુંદરતા વિના, બાહ્ય સુંદરતા (કે જે મેળવવાનીજ સાની તડામાર ચાલી રહે છે તે)ની પ્રાણીને પ્રયાસ છે કારણકે નાણું આવશે તો જ તે કથળી ભરેલી જશે અને ગણાશે. તેમજ આંતરીક સુંદરતા આવશે તેજ બાહ્ય સુંદરતા પ્રાપ્ત કરી શકાશે.
પણ સુંદરતા અપ્રાપ્તવ્ય છે શું? ના! ના! તેતે સદૈવ પ્રાપ્તવ્ય જ છે પણ તે પ્રાપ્ત કરવાની અમોધ કળાની કુશળતા વિના, તે મળી શકતી નથી. બાંધવો! તમે કોઈ દિવસ આંતરીક સંદર્યની વાંછના કરી છે? કે તમોને માત્ર બાહ્ય સાંદર્યનાજ ભોક્તા થવું ગમે છે? આંતરીક-હૃદયની સૌદર્યતા વિનાની બાહ્ય સંદર્યતાને તમે શું કરશે ? જે સંદર્યતા આ લોકનું ઈછત અને પાકિક વાંછિત આપવા સમર્થ છે તે સૌંદર્ય મેળવવા પ્રયાસ કરશે તે, જેમ બાજરીના સાંઠા (ઘાસ) તે બાજરી થતાં-બાજરી સાથે જ, સહજ વિના મે મળે છે અને સાંઠા માટે જુદી મહેનત કરવી પડતી નથી તેમઆંતરીક સોંદર્યની પ્રાપ્તિમાંજ બાહ્ય સાંદર્યને તે સમાવેશ થાય છે. અર્થાત, આંતરીક સંદર્ય માટે પરીશ્રમ કરવાથી–બાહ્ય સૌંદર્ય તે વિના પરિશ્રમે સહજ પ્રાપ્ત થવાનુજ.
અંતઃકરણની યથાર્થ ઉચ્ચતાવાળા મહાપુરૂષનાં મુખકમળ-અત્યંત પ્રઢ, તાપશાળી, ભવ્ય, પ્રતિભાશાળી અને સંદર્ય વિલાસીત-પ્રશાંત હોય છે, એવું જે કહેવાય છે, તેનું શું કારણ હશે? તેને તમે કદી વિચાર કર્યો છે? અનુભવ કર્યો છે? કહે કે ના! તે લ્યો હુંજ કહું ! તેનું કારણ એ જ છે કે તેઓ પરમામા, જે અત્યંત વૈટ-અત્યંત પ્રતાપભય-અત્યંત
Page #25
--------------------------------------------------------------------------
________________
સિંદર્ય પ્રાપ્તિને સર્વોત્તમ ઉપાય !
ભવ્ય અત્યંત સુંદર–અત્યંત પ્રતિભાશાળી અને અત્યંત પ્રશાંત વિગેરે અનેક આત્મગુણોથી અલંકૃત હતા, તેવું તેઓને મહાપુરૂષ-રાત્રી દીવસ-અને પળેપળે ચિન્તવન-મનન કર્યા કરે છે. તેમાં તલિન રહે છે ને તેઓ તે તે ગુણો પ્રાપ્ત કરી શકે છે.
પૂર્ણ આનંદમય-પૂર્ણ જ્ઞાનમય-સ્વરૂપમય–પરમાત્મા જે રસ્તે ગયા-તેઓએ જે સુકો કર્યા-પિર જે રીતે જય મેળવ્યો-સર્વ જગતનાં પ્રાણિ માત્ર પર સમાન ભાવ તથા દયા દાખવ્યાં-અનુપમ શમતા સમુદ્રમાં વિહર્યા, અને જે રીતે તે મનુષ્યમાંથી દેવપણે પલટાયા તેજ રસ્તા-તેજ રીત–ને તેજ અને તેને અનુસરે છે–તેજ સુત્રોમાં તલિન થાય છે--તેજસુત્રો સાક્ષાત્કાર કરે છે અને આ રીતે જ મહાપુરૂષો અત્યંત પ્રતિભાશાળી, પ્રશાંત, અને સૌદર્ય વિકસીત જણાય છે.
પિતાના મુખને અથવા શરીરને સુંદર કરવા અનેક મનુષ્યો ઈચછે છે, અને સાંદર્ય વધારનાર, વિવિધ પ્રકારનાં તેલ, ઔષધિઓ, અને મર્દનાદિ ઉપચારને તેઓ આગ્રહથી ઉપયોગ કરે છે–પણું વાંચકો ! સંદર્ય કાંઈ ઉપરના-બાહ્યાચારમાં રહ્યું નથી. સાંદર્ય એ આંતરીક ગુણ છે, અને અંતરમાં તે હોય છે, તેમજ શરીર ઉપર તે પ્રકટપણે વિલસી રહે છે.
શૌદર્યને પ્રાપ્ત કરવાને, કદી પણ નિષ્ફળ ન જાય તેવો એક અદિતીય નિયમ–મહાપુરૂષોના જીવનમાંથી આપણને પ્રાપ્ત થાય છે અને તે એ છે કે–સાંદર્ય ઉપર પ્રગાઢ પ્રેમ ધારણ કરવો. જેનો જેના પર પ્રેમ હોય છે તેના જેવો જ તે થાય છે અને કીટ ભમરીવત” ન્યાયે સંદર્યપર પ્રેમ કરનાર, સુંદર થયા વિના રહેતા જ નથી.
પણ સુંદર વસ્તુઓ ઉપર કેને પ્રેમ હોતો નથી? સર્વને જ હોય છે. તથાપિ સર્વ સુંદર કેમ થતા નથી ? કારણ સુંદર વરતુઓ ઉપર તેમને જેટલો પ્રેમ હોય છે, તેના કરતાં સાંદર્ય રહિત વસ્તુઓ ઉપર અધિક અણગમો તેમને હોય છે અને સુંદર વસ્તુઓ ઉપર પ્રેમ એક પણે જ્યારે શરીરને સુંદર કરે છે–ત્યારે સાંદર્ય રહિત વસ્તુઓ ઉપરનો તેમનો અણગમે--બીજે પ તેમના શરીરને કુરૂપ બનાવવા માંડે છે.
સુંદર વસ્તુઓ ઉપર પ્રેમ શરીરને સુંદર શાથી કરે છે તે તમે જાણો છો? જ્યારે આપણે સુંદર વસ્તુઓ જોઈએ છીએ, ત્યારે તેના દર્શનથી પ્રસન્નતા આદિ અનેક પ્રીય ભાવો આપણા મનમાં ઉદ્ભવ પામે છે અને આ પ્રીય ભાવે આપણું શરીર પર પ્રીય ભાવોવાળી સુંદર રેષાએ પાડે છે.
ચાલો પેલા સામેના અનેક પુષ્પ મંડિત-વેલીવિલસિત, સુંદર બગિચામાં જઈએ-જરારહેલીએ, વારૂ બે ઘડી મનને વિરામ મળશે! આવા આવા વિચારે એ તમે સુંદર-સુવાસીત બગિચા તરફ જવા આકર્ધાઓ છો-લલચાવ છે ! ને જાવ પણ ખરા બગિચાનું સુંદર-સુવાસિત–મનને અને પ્રાણને તૃપ્ત કરે તેવું પ્રશાંત-કુદરતી ચમત્કૃતીવાળું વાતાવરણ અને તેનાં આન્દોલને તમારા મગજના પિતા અને ફિલષ્ટ વિચારોના વાતાવરણને ધકેલી કાઢે છે. અને તેની જગ્યાએ ઉન્નત-પ્રશાંત-શુદ્ધ આનંદદાયક વિચારોનાં ઉત્કૃષ્ટ આન્દોલને રેડે છે, ને તમારા મગજને તહવત કરી મુકે છે; ને તે વખતે તમારા મગજની-હદયની અને શરીરની બાહાંતર સ્થિતિ કંઈ અજબજબની રહે છે તમારી મુખશ્રીપર અદિતીય સંદર્ય પ્રભા બિરાજી રહે છે-અને જાણે તમે બદલાઈ જ ગયેલા જણવ છે પણ એટલામાં જ બગીચાની બહારના સરીયામ રસ્તા પર થઈને, એક એવો સમુહ પસાર થાય છે કે--જે બધે દુર્ગંધ ફેલાવતો ફેલાવતે ચાલ્યા જાય છે અને તમારી આસપાસનું બધું વાતાવરણ, દુર્ગંધમય અને ત્રાસ
Page #26
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિકળા.
દાયક બની રહે છે. તમારૂં મગજ અને હૃદય તેનાથી થયરી ઉઠે છે અને ઉપર વર્ણવેલા દિવ્ય વાતાવરણને રજા લેવી પડે છે.
૧૬૮
વાંચક ઉપરના સૌંદર્ય પ્રતિભાશાળી પ્રસન્ન મુખશ્રીના દ્રશ્યમાં પેલા દુર્ગંધવાળા વાતાવરણે કેટલા બધા ફેરફાર કર્યાં ? જુવા તમે માઢુ મચાડયું ! નેત્રા ઉચે ચઢાવી દીધાં! કપાળે આંટીયેા વળી ગઇ ! નાકે સુંદર સુવાસીત માલને ુચા દીધો ! અને આખું શરીર હલાવી દીધું ! ખરૂ કે ! એ એમ કેમ વાર્ં! કંઇ સમજાય છે?
સાંધ્ય અને સુવાસ રહિત વસ્તુઓ ઉપરના અભાવ સાંદર્યના નાશ કરી શરીરને કુરૂપ બનાવે એ તમને હવે પશુ સ ંભવીત લાગે છે? અને જ્યારે બાઘુ સાંદર્ય કે સુવાસ રહિત વસ્તુઓનાં આન્દોલને તમારા બાહ્ય સૌંદર્યને બગાડે તે પછી,
“
ક્રોધ-માહુ-માન-માયા-સ્વાર્થપરાયણતા ને વિષય વૃત્તિઓના હૃદયમાં થતા પ્રાદુર્ભાવ–ને તેની દુર્ગંધનાં આન્દોલના બાહ્ય અને આંતરીક સૌંદર્યના નાશ કરે એ તેમને અસ‘ભવીત જણાય છે ? ”
અને હવે જ્યારે પ્રીય ભાવે આપણા મુખને સુંદર કરે છે ત્યારે અણુગમાંથી અથવા દેશથી પ્રકટતા અપ્રીય ભાવે આપણા મુખને વિરૂપ કરે એ સ્પષ્ટજ છે, અમુક મનુષ્ય તામસી છે ! એવું તેના મુખપી શું તમે ઘણીવાર નથી કહી શકતા ? હૃદયના ભાવે મુખપર સ્પષ્ટ વાંચી શકાય છે!
આપણાં મુખ વિરૂપ તે તેનાં કારણ પણ સ્પષ્ટજ છે અને તે એકે-આપણે સાંદ મૈવાળી વસ્તુઓને જેટલી જોઇએ છીએ તેના કરતાં સૌંદર્ય વિનાની વસ્તુ અધિકતર જોઇએ છીએ અને સાંર્ધ્વવાળી વસ્તુઓના દર્શનથી જેટલા પ્રીયભાવે મનમાં પ્રકટાવીએ છીએ, તેના કરતાં સોંદર્ય રહિત વસ્તુઓના દર્શનથી અણુગમાના પ્રીય ભાવા આપણે વધારે પ્રકટાવીએ છીએ. કલાકની સાઠ મીનીટમાં, આપણે એગસાડ મીનીટ, કુરૂપ વસ્તુ જોઇએ છીએ અને અણુગમાને પ્રકટાવીએ છીએ, અને આ રીતે સુંદરતાને તથા કપપાને મેળવવાના પ્રયત્નમાં–લાભને બદલે ટાટા ને સૌંદર્યને બદલે કુરૂપપણું પ્રાપ્ત કરી લઇએ છીએ.
જેઓ શત્રુ, મિત્ર, કથિર-કંચન, યુવાન-વૃદ્ધ, અશુભશુભ, નરસુ અને સારૂં, કુવાસ અને સુવાસ, ગરીબ અને તવંગર, રાંક અને રાય તરકે સમભાવધીજ જુવે છે. પુજે વા પથરા મારે, નમસ્કાર કરી સ્તવે, વા ગાળા દે, પુલની માળા પહેરાવે યાતા લાકડીએના પ્રહાર કરે, એ ઉભય પ્રત્યે સમભાવ રાખનાર-સભ્યતા રાખી શકનાર, મહાત્માના મુખ તરફ્ વે ! તે તેજરાશીપર દ્રષ્ટિપાત તે જરા નાંખા ! કેમ ! આંર્ નીચી કેમ ઢાળેા છે ? કારણુ તેમના મુખપર સાંદર્ય-પ્રતિભા આનંદ મિશ્રિત પ્રતાપતી, એવી પ્રતાપતી, એવી પ્રભાવશાળી છાયા વિલસી રહે છે, કે તમે તેમના તેજોમય મુખ સૂર્ય તર‰ોઇ શકતાજ નથી અને આ અર્થભાવ ભર્યું અપૂર્વ દૃષ્ટાંત લક્ષ્યમાં લઇ, વાંચક ! ત્રીય અને અપ્રીય ભાવાની ભિન્નતાવાળા પાએથી આપણાં શરીરા અંકીત કરવા કરતાં, પ્રીય અને અર્ષીય ભાવામાં સમાનતા અનુભવે, સુવાસ અને કુવાસમાં સરખાપણું જુવે-સાંદર્ય અને કુરૂપપણામાં અદ્વિતીય સમાનતા-સાંધ્યતા અવલોક-અને એ દિવ્ય શિક્ષણના અનુબવથી તમારા સાંદર્યનુ પલ્લુ નીચે નમશે અને તમે ઇચ્છિત પ્રાપ્ત કરી શકશેાજ.
સાંર્યવાળી વસ્તુઓજ જોયા કરે, અથવા તેમનુ’જ ચિન્તવન કર્યાં કરે અને તમે સુંદર થશે. કુરૂપ વસ્તુઓને જોયા કરા અથવા તેમનુંજ ચિન્તવન કર્યા કરે અને શ્રૃતિ
Page #27
--------------------------------------------------------------------------
________________
સૌંદર્ય પ્રાપ્તિના સર્વોત્તમ ઉપાય !
૧૬૯
એમાં વારવાર પ્રસન્નતાના ભાવના ઉપજાવ્યા કરા–અને જન્મથી તમને સુંદર શરીર મળ્યું હશે-તાપણ તમે વિદ્રુપ થઇ જશે.
સુંદર વસ્તુએમાં પણ દેખને શેાધનાર મનુષ્ય, સર્વત્ર તેજ જેવાના અભ્યાસથી, વિરૂપ મુખવાળાજ થાય છે, એથી ઉલટુંજ ખેડેાળ વસ્તુએ માં પણ ગુણ બુદ્ધિ ધારણ કરવાથી ગુણાનુરાગીપણું વધે છે. આ મહારા શત્રુ છે. આ તે નજરથી ટળે તેજ સા! મને રેગ થશે તે હું શું કરીશ ! અરરર્ ! અમુકને આટલી બધી દેાલત મા ! તે મ્હને કંઇજ નહિ ? હું જ આખી દુનિયામાં એકલા શ્રીમત હોઉં તે કેવું સારૂં ? આવી દ્વેષી, ને દીલગીરીભરી લાગણીઓ તથા ચિંતાઓની પરપરાએકને હૃદયમાં ધારહ્યુ કરી, અને સ્થળે સ્થળે તે સમયે સમયે અણુગમાના અપ્રિય ભાવેને પ્રકટાવનાર મનુષ્ય, ભલે સાંદર્યવાળા હોય, તાપણુ તે કાળે કરીને-અપ્રિય આન્દોલનના પ્રતાપે, કદ્રુપે ખની જાય તેમાં શું નવાઇ ?
સુંદર થવું હોય તેા મનમાંથી ખરાબ-નિચ-તુચ્છ વિચારીને કાઢી મુકીતે-સદા સર્વદા નિરંગી-સાંદર્ય અને સશીલતાનાજ વિચારો કર્યાં કરે. રાગ–ભય-ક્રોધ–આળસ“સ્વાર્થપરાયણુતા, અને વિષય લાલૂપતા, એ સાંધ્યે નાશ કરવામાં બહુજ ખેલવાન અને હશિયાર શત્રુ છે. એ બધા દુર્ગુણે, ધીમે ધીમે પોતાના અમલ વૃત્તિએ ઉપર બેસાડે છે, અને મનમાં ખરાબ વિચારો આવવા માંડતાંજ, વિચારેનું આરેાઞપર પરિણામ થવા માંડે છે, અને આરોગ્યનું સૌંદર્યપર પરિણામ થયા શિવાય રહેતુંજ નથી.
અનેક કારણોથી સાંદર્યને નારા થઇ, રોગનો પાદુર્ભાવ વળી થાય છે, મનુષ્યે સાદાસાત્મિક–ઉત્તમ અત્રને ત્યાગ કરીને, રૂચિ લાવવા સારૂ ખાધ પદાર્થાંમાં, તેલ, ખટાઇ, ભરઘું, મશાલા ભારાભાર નાંખે છે, અને પછી તે ભુખ હોય કે ન હોય પણ સ્વાદતેજ ખાતર, તે આંખો મીચીને રેગે છે. દુધને દેશવટા ચાનને ચાહ્યા. પછી ભલેને ડાકટરે કે ખીજાએ તેમાં ગમે તેટલા દોષો બતાવે! પશુ ચાહા શિવાય તે ચાલેજ નહિ ! કસરત કરવી ઠીક છે એમ જાણવા છતાં કસરત કદાપી પણ કરે નહિ, સ્વચ્છતા જીવનની જરૂરીયાતમાં જરૂરીયાત ચીજ-સ્વચ્છતા, મનને અને તને ઉત્તમ અને ઉન્નત મનાવવાના સાધનરૂપ, સ્વચ્છતાની તે જરૂરીયાતજ વિચારતા નથી. ખુલ્લી જગ્યામાં જઇ, ખુલ્લી હવા લેવાની આવશ્યકતા સ્વિકારતાજ નથી. ભય-રાગ-તે વિષય સેવનનાજ વિત્રમય વિચારાને, મનમાં ખુશીની સાથે સ્થાન આપે છે, અત્રને ખરાખર ચાવ્યા શિવાયજ, ગમે તેમ ગાળગાળ ચાલ્યું ન ચાલ્યું કરી ગટગળે ઉતારી જાય છે. તે બહુ તે પાણીના ઘુંટડે જરા અંદાજ નેવા પી લેવાય છે, પાતે પીએ છે તે પાણી સ્વચ્છ છે કે મલિન ? અને તે ઉભા ઉભા પીએ છે કે વૈધકીય નિયમાનુસાર બેસીને પીએ છે, તેની દરકાર પણ નથી રાખતા. સદ્વિચારાના સેવતને તે સે। હાથનાજ નમસ્કાર કરાય છે, અને પછી વિવેકી વાંચા ! કહે!! તેવા મનુષ્યા સાંદર્ભ જેવી દૈવી-અમેાધ વસ્તુની પ્રાપ્તિને લાયક છે કે ? અરેરે ! બિચારા સાંદર્યને પ્રવેશ્ન કરવાના બધાજ દરવાજા બંધ કરી ને પછી તેનાપર આક્ષેપે મુકવા કે અમને સાંદર્ય મલતુ નથી કહે ! સૌંદર્ય ન મળે તેમાં વાંક સાંદર્યના કે તે મેળવનારના ?
સાદાયાગ્ય-સાત્વિક ખારાક, બરાબર અન્ન ચર્વણુ, ખુલ્લી હવા, સૂર્યપ્રકાશ, સ્વચ્છ પાણી, નિયમીત વ્યાપાર, ને સદ્વિચારાનું સેવન, યાડા વખતમાંજ તમારા સ્વરૂપમાં મોટા ફેર પાડશે. અને આટલાં વાનાં સાથેજ “ પિયર્સના સાબુ વિના પણ '' દૃઢ નિશ્ચયથી કામ કરે જાવ. તમને સૌંદર્ય પ્રાપ્તિમાં કઠીણુતા લાગશે નહિ.
Page #28
--------------------------------------------------------------------------
________________
190
બુદ્ધિપ્રભા.
સિર્ચ પ્રાપ્તિ માટે તે, સર્વ કાળ અને સર્વ સ્થળે, શુભ અને સૌંદર્યને જ જોવા અભ્યાસ પાડે ! મહાપુરૂષોના સર્વાત્મ દર્શનના કલ્યાણકારી વૃતનું, યથાતથ્ય રીતે પરિપાલન કરે! સર્વત્ર અત્યંત સંદર્યમય અને સર્વ શુભથી પરિપૂર્ણ, સર્વ શક્તિવાન આત્મ સ્વરૂપનેજ જેવાને અભ્યાસ સેવીને જ મહાપુરૂષ-મહા તેજસ્વી અને પ્રતાપવાળા થયા હોય છે. તમે પણ તેમ કરો ! અણગમે ઉપજાવનારી વસ્તુઓ પ્રષ્ટિએ પડે ત્યારે તેની ઉપરની સપાટી, અર્થાત બાહ્ય સ્વરૂપને ન જુવે, પણ તેના આંતર બાગમાં રહેલા સંદર્ય અને જે સત્તાવડે તે વસ્તુ પ્રકટી છે તે સત્તાના સ્વરૂપને જુવો! અભ્યાસથી તમને તે જોતાં અને તેને વિચાર કરતાં આવડશે. સ્મરણમાં રાખશો કે પ્રત્યેક સુંદર અને (અ) સુંદર વસ્તુઓ-દરેક, કઈ એવી એવી મહાન શિક્ષણ સૂત્રથી ભરેલી હોય છે કે દીર્ધદ્રષ્ટિથી વિચાર કરવામાં આવે છે, અવશ્ય દરેક ચીજમાંથી કંઈ જોવા-જાણવાનું ને અનુભવવાનું મળી આવે ! કૃષ્ણ મહારાજે અદિતીય સંદર્યધારક શ્રી કૃષ્ણ મરી ગયેલા-હેલા-દુર્ગધ ફેલાવનાર કુતરાની સફેદ દુધ જેવી–મોતિક સદ્રષ્ય, દંત પંક્તિમાં સુંદરતા જોઈ હતી. ચાંડાળ જેવા કેરીને ચોરનાર ચેર પાસેથી પણ શ્રેણિક મહારાજાએ તેને પિતાના સિંહાસને બેસારી વિદ્યા પ્રાપ્ત કરી હતી. માટે બહારથી નાની-નકામી-દુર્ગધવાળી અગર કડ્ડપી ચીજના ઇર્શનથી કદી પણ છેતરાશે ના. પણ સમભાવજ ધારણ કરશે તો તમને સૌદર્ય પ્રાપ્તિ જલ્દી થશે. ત્યારે આજથી જ પ્રયત્ન કરે અને સંદર્ય પ્રાપ્તિના બાહ્ય સૌંદર્યની પ્રાપ્તિ માટેના
પીયર્સના સાબુ-ઉન્માદક દવાઓ, વિચિત્ર મર્દને દવાઓના રગડા ને પડીકીઓને સેંટ લકો-ચાહ તથા કેફી અને જુદી જુદી ખર્ચાળ વસ્તુઓનું સેવન મુકી દઈ જે ઉપાય આંતરિક સૌંદર્ય સહજ વિના મુલ્ય મળે છે તે જ ઉપાયોને દ્રઢ વિશ્વાસથી અને ખંતથી સે, અને તમને જરૂર સાંદર્ય મળશે જ !”
અને હવે સાંદર્ય પ્રાપ્તિનો ઉદેશ છે? વાંચક! સંદર્ય પ્રાપ્ત કરીને શું કરશે? કહેવત છે કે દર્ય સુંદરતાને જન્મ આપે છે?” સુંદરતા સુંદર કાર્યો કરે છે, તો તમે પણ સુંદર થશે તે તમારી પાસેથી પણ સુંદર શિષ્ટ સુકાર્યોની જ આશા રાખી શકાય? તે તેમાં શું નવાઈ!
તે સંદર્ય પ્રાપ્ત કરી, આત્માને ઓળખવાની, ઇકીને દમાવવાની, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની, ને છેવટે પરમાત્માની નીકટ જવાનીજ ધારણા રાખશે કારણ કે દુર્ગા અને નિચ વાસનાઓ ત્યાગી, સમાન દ્રષ્ટિ ધારણ કરી, ગુણગ્રાહકપણું પ્રાપ્ત કરી, સોંદર્યમય જીવન પર હક કરીને પ્રભુ અને પ્રભુતાને મેળવવામાં, પ્રયત્નવાન થઈ, તેમાં વિજય મેળવાય તે જ સૈદય પ્રાપ્તિનું સાર્થક થયું સમજવું.
એક દૈવિ સંદર્ય હૈ જીજ્ઞાસુઓને પ્રાપ્ત થાવ એ શુભેચ્છા.
વિવાળિ.
(લેખક શેઠ જયસિંહ પ્રેમાભાઈ કપડવણજ.). કે મનુષ્યના સંબંધમાં આવતાં કદાચ આપણને તેના પ્રતિ પ્રીતિ ઉત્પન્ન થાય છે. કદાચ તેનાથી અલગ રહેવાનું મન થાય છે, પ્રસંગે નિર્ભયતા થાય છે. પ્રસંગે તેને જોતાંજ નય ઉત્પન્ન થાય છે, આવી રીતે મનુષ્યના સંબંધમાં આવતાં જુદી જુદી લાગણીઓ
Page #29
--------------------------------------------------------------------------
________________
વિચારશ્રેણિ.
૧૭૧
ઉત્પન્ન થાય છે. પરિચયવાળાના સંબંધથીજ આમ થાય છે એમ નહિ, પણ અન્ય કોઈને પણ પ્રસંગમાં આવતાં આમ બને છે. જો કે આપણે તેને સ્વભાવ અગર વર્તણુક જાણતા નથી હતા, તોપણ અનેક પ્રસંગે તેમ બને છે.
જેને સદગુરૂને સુભાગે સંબંધ સેવ્યો હશે, તેને તે સારી પેઠે અનુભવ થયો હશે કે કોઈ પણ જાતના તેમના નેત્રાદિના હાલ્યા ચાલ્યા વિના જ આપણું મનનીજ અવ્યવસ્થા શાંત થઈ જાય છે, એટલું જ નહિ પણ અંતર વૃતિ જુદું જ રૂપ ધારણ કરે છે. અત્ર તાત્પર્ય એટલું જ કે કોઇના પણ સંબંધમાં આવતાં વૃત્તિને ફેરફાર થઈ જાય છે. આ ફેરફાર તે મનુષ્યને નેત્રાદિ અવય વડે જુદા જુદા ભાવ દર્શાવે છે તે જ થાય છે તેમ નથી અગર એ બોલે તે થાય છે તેમ નથી.
આથી સહજ વિચાર થઈ આવે છે કે આવું તે પ્રત્યેક મનુષ્યમાં શું રહેલું છે કે આમ બને છે? પ્રત્યેક મનુષ્યને પિતાના વિચાર પ્રમાણેનું વાતાવરણું બંધાયેલું છે, અને તે વળી આકાર, રંગ, રૂપવાળું હોય છે, જે આપણે તેને પ્રત્યક્ષ જોઈ શકતા નથી, તે પણ તે છે એ વાત સિદ્ધ છે. જેને આધ્યાત્મ શાસ્ત્રને અભ્યાસ કરેલ છે તેઓ આ વસ્તુ સારી રીતે સમજી શકે તેમ છે. આ વાતાવરણ મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેની સાથેજ જાય છે, તે એક ક્ષણ પણ મનુષ્યથી છુટું પડતું નથી. આ પ્રમાણે સર્વને હોય છે વળી આપણે જેના સંબંધમાં આવીએ છીએ તેનું વાતાવરણ વગર બેલે વગર ચાલે પણ આપણને અસર કરે છે, હવે જે બંનેનું વાતાવરણ સજાતીય હોય છે તે પ્રીતિ સંબંધ થાય છે અને વિરૂદ્ધ ભાવવાળું હોય છે તે તેનાથી વેગળા રહેવા ઈચ્છા થાય છે પણ આમાં એટલું લક્ષમાં રાખવું કે જેવું અધીક બળવતર હોય તેનું જ વિજાતીય સંબંધમાં જયને પામવાવાળું થાય છે. દાખલા તરીકે એક મનુષ્ય શાંત સ્વભાવવાળો હોય, અને સામે મનુષ્ય ફોધી હોય અને હવે જે શાંત સ્વભાવવાળાનું બળ વધારે હોય તે પેલે bધી પણ શાંતિનું રૂપ લે છે એટલે કે શાંત થઈ જાય છે.
આથીજ રૂછ મનુષ્યના સંબંધમાં ન આવવું એવી માન્યતા સામાન્યતઃ બંધાઈ છે. કારણ કે તેમના અલ્પ સંબંધથી પણ તેમના વિચારનું વાતાવરણ પ્રબળ હોય છે તે તેથી નુકશાન થાય છે, સંબંધથી જે લાભ હાની થાય છે તે વાતાવરણના સંબંધને લઈને જ થાય છે. આપણું સારા વિચારો પણ નરસા સ્વરૂપને ધારણ કરી લે છે કારણું આપણે આપણું વિચારોનું પ્રાબલ્ય હજુ જોઈએ તેવું વધારે હોતું નથી અને સ્વભાવતઃ દુષ્ટ વિચારોનું તે પ્રાબલ્ય વધુ હોય છે. આજ કારણને લઈને જે મને યોગથી વિચારોના પ્રાબલ્યને જય કરેલ છે એવા સશુરૂના સમાગમથી અત્યંત લાભ થાય છે.
આ વાતાવરણની આટલી બધી અસર થવાનું કારણ તો સહજ સમજાયું હશે કે વિચારના પ્રાબલ્યને લઈને આમ બને છે. વિચાર અંતર સૃષ્ટિમાંથી ઉત્પન્ન થાય છે. ઘણું મનુષ્યને વિચાર સુષ્ટિને ખ્યાલ હોય છે પણ તેનામાં આટલું બધું પ્રાબલ્ય છે કે કેમ તે સંબંધે ખ્યાલ પણ હેતિ નથી અને તેથી તેમને વિચારની મહત્તા ઘણજ ડી હોય છે, અને તેથીજ તેવા મનુષ્યો આ સ્થલ જગતને જ સત્ય સ્વિકારે છે અને અંતર સૃષ્ટિ નિર્જીવ (કિમત વિનાની) માને છે.
વળી કઈ કઈ તે એમ માને છે કે વિચાર એ સ્વતંત્ર નથી પણ મગજના અણુએમાંથી અમુક પ્રકારે લાભ થવાથી ઉત્પન્ન થાય છે, પણ જેને આધ્યાત્મ વિધાને સ્વિ
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૭૨
બુદ્ધિપ્રભા.
કાર કર્યાં છે, તથા તેને અભ્યાસ કર્યો છે તેવા મનુષ્યને સ્પષ્ટ રીતે સમજાયું છે કે મ નુષ્યમાં સ્કુલ શરીર ઉપરાંત સુક્ષમ મન રહેલ હોય છે જે સ્વતંત્ર વિચાર કરી શકે છે તથા તે વિચારવા જે અેિ તે સિદ્ધ કરી શકે છે. મનને જેકે શરીરની સાથે સબંધ છે તે પણ મનની સત્તામાં જેટલું આ બાલુ શરીર છે તેટલું કઇં મન શરીરની સત્તામાં નથી, તે સ ંપૂર્ણ રીતે સ્વતંત્ર છે અને તે ધારે છે તેમ આપણને નચાવે છે. હવે પૂર્વોક્ત વાતાવરણને રચનાર આ મનજ છે અર્થાત્ મનના વિચારે છે, મન જેવા વિચાર કરે છે તે પ્રમાણેનું વાતાવરણુ બધાય છે અને તેજ પ્રમાણે ફેરફાર થાય છે.
હવે આપણે આ વાતાવરણ આપણી ઈચ્છા પ્રમાણે રાખવા ઇચ્છતા હાઇએ તે તે નીચેના નિયમથી પાર પડે તેમ છે. તે એકે આપણે સદગુરૂના સબંધમાં આવવાથી અગર તેા અનુકૂળ વાતાવરણવાળા મનુષ્યના સંબંધમાં આવવાથી તે દ્વારા આપણા વિચારેમાં ચેાગ્યતા પ્રમાણે ફેરફાર થતા રહે છે. જેએએ પોતે મનેનિગ્રહ સાધ્ય કરેલ હોય છે તેમને વાસ્તે આમ નથી કારણ કે તે તે અનુકુળ ધાર્યો ફેરફાર કરી શકવાને શક્તિ વાન છે. બાકી તે! ઉપર્યુક્ત વર્તનથીજ લાભ છે અને આથીજ સત્સંગતને મહિમા શાસ્ત્રમાં દર્શાવેલ છે. આ વાતાવરણુ આપણાથી ભીન્ન નથી પણ અભીન્ન છે, જે કે આપણેજ તેને ઉત્પન્ન કરનાર છીએ તેાપણુ તેની અસર અન્ય ઉપર થાય છે એટલુંજ નહિ પણ આપણા ઉપર પણ થાય છે.
અનેક મનુષ્યે નીત્ય ગમે તેવા વિચાર કરે છે અને તેની પેાતાના ઉપર તેમજ બીર્જા ઉપર શી અસર થાય છે તેને બીલકુલ વિચાર કરતા નથી. અનેક મનુષ્ય અનેક ગુપ્ત વિચાર કરે છે અને તે ગુપ્ત રાખવાજ વિચાર કરે છે. પણ ઉપરાક્ત વાતાવરણમાં મૂહિંમાનપણે પ્રગટ થાય છે. આ વાતાવરણ આપણી છાયા જેવું છે. જેમ આપણા શરીરને ત્યજી છાયા કાંઈ દુર જતી નથી તેમ આમાં પણ બને છે. આ આપણા આચારે વિચારની છબી રૂપ છે. ખી જોઇ જેમ મનુષ્યની પરીક્ષા કરી શકાય છે. તેમજ આથી મનુષ્યે ગમે તેવાં ઉત્તમ વસ્ત્ર કે ઉત્તમ અલકાર ધારણ કરેલાં હોય છે તાપણુ તેના સ્વભાવની પરીક્ષા થઇ શકે છે અર્થાત્ છુપા રહી શકતા નથી. મનુષ્ય જે વિચાર કરે છે તેની અસર તેના નેત્ર ઉપર, મુખ ઉપર, તેમજ શરીરના પ્રત્યેક ભાગ ઉપર થાય છે અને તેથીજ બહારના અવયવ ઉપર તેના ગુણુદેવને પ્રત્યક્ષ ભાસ થાય છે.
જગ્યાએ પ્રવેશ શકે તેમ આ
વિચારના આંદલને સર્વત્ર પ્રસરી રહેલ હોય છે અને તે કાંઇ પણ કરી શકે તેમ છે. જેમકે લોઢાના ફકડામાં અગ્નિના આંદલના પ્રવેશ કરી આંલના સર્વત્ર આકાશ, પૃથ્વી આદિ ઠેકાણે ફેલાઇ રહે છે તેને રંગ રૂપ પણ હોય છે અને જેને આધ્યાત્મ વિદ્યાના અભ્યાસ કરેલ છે તેને પ્રત્યક્ષ માલમ પડેલ છે જેમકે જ ગતના જુદા જુદા પદાર્થના આકાર, રંગ, રૂપ, ડાય છે પણ તે સર્વ સ્થુલ હોય છે માટે સ્કુલ દ્રષ્ટિએ માલમ પડે છે અને આ સુક્ષ્મ છે તેથી સુક્ષ્મ દ્રષ્ટિ ખીલવ્યા વિનાના મનુને જણાતા નથી પણ પેગીએ કે જેને આવી સ્થિતિ પ્રાપ્ત કરેલ છે તેવા મહામા પુછ્યો પેાતાના તથા પરના વિચારને સ્પષ્ટ રીતે જોઇ શકે છે.
જેમ આપણે આ સર્વ પદાર્થ જોઇ શકીએ છીએ તેજ માર્ક અને આ વાર્તા શાસ્ત્રથી પશુ સિદ્ધ થઈ ચુકેલ છે. સર્વ પ્રકારના વિચારનાં આંલનને વેગ એક સરખા હે
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રી અમદાવાદમાં ગુરૂ મહારાજ શ્રી સુખસાગરજીના દેવલેકિન નિમિત્ત પ્રારભેલા મહૉત્સવ. ૧૭૩
શકતા નથી તેથી તેજ પ્રમાણે તેની આકૃતિ, રંગ પણ જુદા જુદા પ્રકારના હોય છે અને તે પાંચ પ્રકારના છે. આપણે સાત રને જોઇએ છીએ. તેમાંના નીલ અને જાબલી એ બે રંગ આમાં હાતા નથી. હવે તેની ન્યુનાધિકતા તેના સ્વરૂપ ઉપર આધાર રાખે છે એટલે કે જેવા મનુષ્ય વિચાર કરે છે તેમ તેની આકૃતિ, રંગ, વિગેરે ખંધાય છે.
તથા હવે આપને નિશ્ચય થાય છે કે જો આપણે શુભ વિચાર કરીએ છીએ તે શુભ વાતાવરણુ બંધાય છે, અને અન્ય વિચાર કરીએ છીએ તે તે પ્રમાણે ખને છે. મમહાત્મા પુરૂષોએ એના પ્રાબલ્ય ઉપર જય મેળવેલ હોય છે અને તેએાએ આનું જ્ઞાન પ્રાપ્ત કરીને ઉંચા વિચારનું જ વાતાવરણ બાંધેલ હોય છે, તેથીજ તેમના સમાગમથી લાભ છે પણ એટલુંજ કરી બેસી રહેવું એ કાંક્સ ડીફ નહિ. પણ આપ્યુ સર્વેએ આપણા મન ઉપર કાબુ રાખવે જોઇએે અને વિચારનુ' પ્રાબલ્ય ઉંચ મનાવવું જોઇએ.
ધોળે! પણ કઈક લાલરંગ, સ્વરૂપમાં વિચાર દેખાય તે એમ સમજાય છે કે, હનુ તેનામાંથી પારાવ વૃત્તિતા નાશ થયેય નથી. જો લાલ જાય તે સમજવું કે, તેનું અંતઃકર સવર ક્ષાભને ધારણ કરે છે. જે ગુલાબી જણાય તેા ઉચ્ચ પ્રેમાદ્િ વૃત્તિને વિકાશ થયેલ સભજવે. જો કાળા, ભુખ કે ઝાંખા જાય તે સમજવું કે હજી તેની સ્વાર્થવૃત્તિ વિશેષ છે અને તે અત્ય ́ત લાલ જણાય તે સમજવું કે તે અત્યંત વિષયી તેમજ ક્રોધી છે, અને જે નારંગી રંગ જાય તે સમજવું કે તેનામાં અભિમાન, લાભ, અતે અધમે છે.
આદર્શાવવાનું કારણ એટલુંજ કે જો મનુષ્યના અભ્યાસ થયેા હોય તે તે દુષ્ટ મનુષ્યના સંબંધમાં આવતે અટકે અને પેાતાના વિચાર ઉચ્ચ કરી ઉન્નતિ સાધી શકે. ( અપૂછું. )
પ્રેક્ષક—જૈન શાસ્ત્રોના આધારે આ લેખમાંથી જે કંઇ અનુકૂળ હોય તે જૈનખ એએ મૃત્યુ કરવું આગમોના આધારે જે કંઇ આ લેખમાંથી સત્ય હૈાય તે લેવું. લેખના વિચાર) માટે લેખકને માથે જોખમ છે.
श्री अमदावादमां गुरु महाराज श्री सुखसागरजीना देवलोकन निमित्त प्रारंभेलो महोत्सव.
અમદાવાદ-અશાવિદે આરસના રેકજ મહેાત્સવને પ્રારંભ કરવામાં આવ્યા હતા. દરરેાજ ઉત્તરાત્તર ઉત્તમ પૂજાએ ભણાવવામાં આવતી હતી. શ્રાવણ સુદિ તેરસના રાજ કુંભ સ્થાપનાનું મુહર્ત હતું. શ્રાવણ વદે ત્રીજના રાજ જળયાત્રાના વરઘેાડે નીકળ્યેા હતા. વરઘોડામાં સારી શંભા આવી હતી. ઝવેરીવાડામાં શ્રી સબવતાયછતા દેરાસરથી વઘેાડા નીકળ્યેા હતા વઘેાડામાં સધના આગેવાન શેઠે કસ્તુરબાઇ મણિભાઇ, શેડ જગાભાઇ દલપતભાઇ, શેઠ જમનાભાઇ ભગુભાઈ વગેરે સર્વ શેઠીયાએ હાજર હતા. વરધેાડામાં સારામાં સારાં બેન્ડ વાજા આવ્યાં હતાં અને તેના આઘેથી આકાશ ગાજી રહ્યું હતું. સામેલા એકેકથી વસ્ત્રાભૂષણુ અને રૂપથી ચઢીયાતા હતા. ઝવેરીવાડામાં વરઘેડાના સામેલાઓમાં અપૂર્વ ઉત્સાહ ફેલાયે! હતા. આકાશમાં વાદળાં છવાઇને જાણે ચંદ્રવાની ગરજ પૂરી પાડતાં હાય એવાં શાળતાં હતાં. ભગત, ઝવેરી બાપાલાલ તથા ડાહ્યાભાઇ, જયસગભાઈ વગેરે
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૭૪
બુદ્ધિપ્રભા
ઝવેરીઓએ વરઘેાડાની સારી વ્યવસ્થા ગોઠવી હતી. વરઘોડા બહુ લાંબેા હતા, શ્રી સ’ભવનાથના દેરાસર પાસે રથ હતા તે વખતે નિશાન કા ઝવેરીના ચારે હતેા. વરવાડાની શાળા અપૂર્વ હતી. વરધેડામાં ચારમે સામેલા અને ગાડીએ તથા ધાડાએ બસેના આશરે હતા. આકાશના મેધે કૃપા કરીને વરયેાડાને હરકત કરી નહેતી તેથી લોકેામાં ચમત્કારની વાત થતી હતી. ઝવેરીએ તથા શેડીયાના પુત્રા તથા પુત્રીઓ કે જે સામેલા થયાં હતાં તેઓને જોવાને ઝવેરી બજાર વગેરે બારેામાં મનુષ્યની મેદિની ભરાઇ હતી. સાધુએ પન્યાસા અને સાધ્વીએ જિનદેવના દર્શન નિમિત્તે વરઘોડા દેખવા ચઉટામાં આવી બિરાજ્યાં હતાં. હઠીભાઇની વાડીએ વરઘેાડા ઉતર્યાં હતા અને મહાત્સવપૂર્વક પાછા આવ્યા હતા.
શ્રાવણુ વદિ ચેાથના રાજ દશ વાગ્યાના આશરે શ્રી નેમિસાગરજી, શ્રી રવિસાગરજી, શ્રી ધર્મસાગરજી, શ્રી ભાવસાગરજી તથા ગુરૂ શ્રી સુખસાગરજી એ પાંચ મુનિવરીની પાદુકાની પ્રતિષ્ટા હતી. પાદુકાની પ્રતિષ્ટાપર પધારવા માટે શેઠ દલપતભાઇ ભગુભાઇના પુત્ર રશે! જગાભાઇએ રોઠે લપતભાઈ ભગુભાના નામથી મુંબ, સુરત, મેહેસાણા, પાટણ, પાલનપુર, સાહુદ, વિનપુર, માણુસા, પેથાપુર વગેરે એ શી ઠેકાણે કે કાતરી લખવામાં આવી હતી. પાદુકા બેસાડવાના ચઢાવા કર્યાં હતા. શ્રી તેમસાગરજી, શ્રી રવિસાગરજી તથા શ્રી ધર્મસાગરજી એ ત્રણુની પાદુકા એસાડવાના પધરાવવાના ચઢાવા રૂપિયા ૧૪૧) એ શેઠ દલપતભાઇ ભગુભાઈની વીધવા શેઠાણી ગંગાબેને લીધે હતે. ખરતરગચ્છની ખડકીમાં રહેનારી શ્રાવિકા ખાઇ મુલીએ રૂ. ૮૫) એ શ્રી ભાવસાગરની પાદુકા બેસાડવાને ચઢાવે લીધા હતા. ચુખસાગરજી મહારાજની પાદુકા એસાડવાને ચઢાવા રૂ. ૧૦૧) ૫. જેઠાભાઈ ગુલાબચંદે લીધે હતા. શેઠ લલ્લુભાઇએ ગુલાબચંદ્રે પ્રભુને રથ હાંકવા માટે રૂ. ૨૯૧) ના ચઢાવા લીધા હતા. શેઠ જેઠાભાઇ ગુલાખચંદભાઇ તથી તેમના દિકરા માણેકલાલભાઇની અ. સા. પત્ની ખાઈ સુભદ્રાએ રૂ. ૩૪૫) એ નામદીા લીધા હતા તથા તેમણે પ્રભુ ઝાલવાના રૂ. ૯૧) કહ્યા હતા. ડીએ. એના રૂ. ૭ર) શા. મેહનલાલ છગનલાલ માલ્યા હતા. ધોડા નબર ૧ થી ૩૧ સુધી કરેલા તેના આશરે રૂ. ૨૦૦} થયા હતા. જેમાં ન. ૧ ના રૂ. ૩૨) એ ગ્રા. સકરચ’દલસુખરામે કહ્યા હતા. શ્રાવણ વદ ચેાથના રાજ દશ વાગ્યાના આશરે વિધિપૂર્વક ક્રિયાઓ કરી પાદુકાએ પધરાવવામાં આવી હતી. પન્યાસ ચતુરવિજયજી તથા મુનિશ્રી બુદ્ધિસાગરજી વગેરે પાદુકાઓપર વાસક્ષેપ કર્યાં હતા. પાદુકાએાની પ્રતિષ્ઠા મુનિશ્રી બુદ્ધિસાગરજીએ કરી હતી, તે વખતે પૂજ્ર વગેરેની સારી ઉપજ થઇ હતી.
શ્રાવણ વદિ પાંચમના રાજ અત્તરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું તે વખતે યેાગનિષ્ટ મુનિશ્રીબુદ્ધિસાગરજી, પન્યાસ ચતુવિજયજી, પન્યાસ ધર્મવિજયજી, પન્યાસ મેઘવિ વિજયજી મુનિ માતિવિજયજી મુનિશ્રી સિદ્ધિવિજયજી વગેરે મુનિવરે તથા સાધ્વીજી માણેક શ્રી તથા સુરશ્રી વગેરે સાધ્વીઓએ પધારી સ્નાત્ર મહેાત્સવની શેાભામાં વધારા કર્યાં હતા. અષ્ટાત્તર સ્નાત્રમાં શેઠ મણિભાઇ દલપતભાઇ તથા શેડ જગાભાઇ દલપતભાઇ, શેઠ વાડીભાઇ વખતચંદ, ઝવેરી મંગળભાઈ તારાચંદ, ઝવેરી ભુરીયાભાઇ જીવણ દ, ઝવેરી ઉત્તમચંદ માનંદ વગેરે હાજર હતા. વીસ મચ્છુ ધીથી આરિત ઉતારવાના ચઢાવા ઝવેરી મગળભાઈ ખાલ્યા હતા. અશ્વેતરી સ્નાત્રના દિવસે આરતી મંગળદિવા વગેરેનુ મળી ૮૪ મહુ ધી થયું હતું. સુરતના ઝવેરી ભુરીયાભાઇ જીવણભાઇએ તથા ઝવેરી ઉત્તમચંદ ભાનચંદ તરફથી અષ્ટાત્તરી સ્નાત્રમાં પધારેલા શ્રાવકા અને શ્રાવિકાને નાળીયેરની પ્રભાવના કર્વામાં આવી હતી. શ્રાવણુ વદિ ડેના રસન્ન ધારાવાડી દેવામાં આવી હતી. ઝવેરી બાપાલાલ
Page #33
--------------------------------------------------------------------------
________________
અભિપ્રાય.
૧૭૫
નહાલચંદે રૂ. ૪૦) ખાલી શાંતિકુંભ લીધેા હતા અને રાત્રી મહોત્સવ કર્યાં હતા. શહેરમાં ધારાવાડીના રૂ. ૨૧) રા. ખાપાલાલ ભાઈચંદ ડીપોઝીએ કહ્યા હતા. છઠ્ઠના રાજ ધારાવાડી દેવામાં સાતસો ઉપર શ્રાવકા તથા શ્રાવિકાએ હતી. પ્રભાવનામાં આર્દ્ર મણુ લાડુ થયા હતા. સાતમના રાજ મહાત્સવ વિસર્જન કરવામાં આવ્યા હતા. ઉત્સવમાં કોઇ જાતનું વિઘ્ન આવ્યું નથી. લોકોમાં ચમત્કારની વાતે થતી હતી. દેવાલયમાં સારી આવક થઇ હતી. મુનિના મુત્યુ પ્રમાણે ઉત્સવ ચતે ભાવે થયા હતા. આ મહેસવ નિમિત્તે ભગત વીરચંદભાઇ તથા જયસ ગ ભાઇ મનસુખભાઇ વિગેરે પોતાના અમુલ્ય વખતને ભેગ આપ્યા છે તથા જે જે સગૃહસ્થાએ મદદ આપી છે તેને ધન્યવાદ ઘટે છે. પ્રેક્ષક,
अभिप्राय.
મનુષ્યને યોગ્ય કુદરતી ખોરાક: નામનું પુસ્તક શ્રી જીવયા જ્ઞાનપ્રસારક કુંડના આ. મેનેજર ઝવેરી લલ્લુભાઈ ગુલાબચંદ તરથી અભિપ્રાય માટે મળ્યું છે. આ પુસ્તકમાં માંસાહારથી થતા ગેરફાયદા તથા વનસ્પતિના આહારથી થતા ફાયદા વિષે વિદ્વાન અને અનુભવી દાતારાએ આપેલા અભિપ્રાય દર્શાવેલા છે. એટલું તેા ખરૂંજ છે કે ભાણુસના મુખ ઉપર ડાબ્ર હોય અને તેને કાઈ કહે કે તારા મુખ ઉપર ડાઘ છે તે તેને ખાટું લાગે પરંતુ જે તેના મુખ સન્મુખ આરશી ધરવામાં આવે છે તે તે સ્વયં જાણી શકે છે કે મારા મુખ ઉપર ડાઘ છે તેવીજ રીતે તે માંસાહારીઆની સમક્ષ આવા વિદ્વાન ડાકટરેશના અભિપ્રાયવાળાં પુસ્તકો રજુ કરવામાં આવશે તાતેએ પાતાની મેળેજ માંસાહારથી થતાં નુકશાન જાણી શકશે અને વનસ્પતિને સાત્વિક આહાર ખાવાને શીખશે. જીવયા જ્ઞાનપ્રચાર અર્થે આવી રીતે પેાતાના નાણાના સદુપયેાગ કરવાને અમે અમારા સર્વે જૈનબધુંએને ભલામણ કરીએ છીએ, જીવદયાના કામમાં જે સગિત રીતે કાયદા કરનારી કાઇ પણ યાજનાએ હોય તે તેમાં પ્રથમ સ્થાન આવી યાજનાએતે આપવું ધટે છે. આવી રીતની આ મંડળે જે પહેલ કરી છે તેને માટે તેના કાર્ય વાહકાને અમે ઘણું ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તક દરેક જીવદયા જ્ઞાનના કિંમાયતીઓએ પાવવા જેવું છે તેમ તેને બહોળા પ્રકારમાં ફેલાવો કરવાની અત્યંત આવશ્યકતા છે, હુબલીના રોડ મા
શ્રીમદ્ સુખસાગરજીના સ્વર્ગવાસ નિમિતે પેથાપુર, માણસા, વિજ્રપુર, વડાલી, અહંમદનગર, મહેસાણા, પાલણપુર, પાટણ વિગેરે સ્થળોએ ઓચ્છવ થયા હતા તેમજ પુનામાં પણ સફ્ળ સંધે એકત્ર મળી એચ્છવ માંડયેા હતેા તથા રાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું જેમાં રોઠ વીરચંદ્ર કૃષ્ણાજી તથા મેાતીચંદ ભગવાન વિગેરેએ આગેવાતી ભચી ભાગ લીધેા હતેા. સા'માં પણ પૂજ્ય શ્રી સુખસાગરજી મહારાજના સ્વર્ગવાસ નિમિત્તે મહેસ્રવ થવાને છે.
પૂજ્ય મુનિ શ્રીમદ્ સુખસાગરજીના શુદ્ધ નિરમળ ચારિત્રને કેવા પ્રભાવ હતા તે આ ઉપરથી આપણને સ્હેજ કળી શકાશે, શાંતિ પ્રિય અને સમતા ધારી શ્રીમદ્ સુખસાગરજીના મહેન્સિવ તિમિત્તે જે જે માંગલિક ક્રિયાઓ કરવામાં આવી છે તે તે કાઇ પણ જાતની અડચણુ ચા વિશ્ર્વરહિત ઉંમગ્ ભેર સમાસ થએલી છે. શુદ્ધ સ`ચમ ધારી અને અપ્રતિબદ્ધ વિહારી મુનિ મહારાજ શ્રીમદ્ સુખસાગરજીના ચારિત્ર સબધી ગયા અંકમાં એક ઉલ્લેખ આવેલા છે એટલે અમે તે સબધમાં આ સ્થળે કઇ ખેલવ! માગતા નથી પરંતુ એટલું તેા કહ્યા વિના ચાલતું નથી કે તેઓ ખરેખર દૈવી પુરૂષ હતા. તેમના નિમિતે જે જે સ્થળેના સધેાએ પૂયભાવની લાગણી દર્શાવી છે. તેને અમે ધન્યવાદ આપીએ છીએ.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૭૬
બુદ્ધિપ્રભા.
રોકલાલ પીતાંબરદાસે આ પુસ્તકની ૧૨૦૦ કોપી ભેટ વહેંચાવી છે તેવી રીતે અન્ય જીવ માના હીમાયતી સગ્રુહસ્થોને તેનું અનુકરણ કરવા અમો ભલામણ કરીએ છીએ.
શ્રી ભાવનગર પાંજરાપોળને (સંવત ૧૯૬૬-૬૭-૬૮) ને વિવાર્ષિક રીપાર્ટ-આ રીપોર્ટ તેના સેક્રેટરી રા. રા.કુંવરજીભાઈ આણંદજી તરફથી અમને મલ્યો છે.
રીપોર્ટ વાંચતાં તેની વ્યવસ્થા સંતોષકારક જણાય છે. તેમાં સંખ્યાબંધ અવાચક પશુ પક્ષીઓનું કાળજીપૂર્વક સંરક્ષણ થાય છે તે જોઈ ખુશ થવા જેવું છે. સંવત ૧૯૫૬ -૭ માં આવક તેમજ ખર્ચ લગભગ સરખું થએલું છે. સંવત ૧૮૬૮ માં આવક કરતાં ખર્ચ ઘણું થયું હતું પરંતુ તે તેના કાર્ય વાહકના સ્તુત્ય પ્રયાસથી મુંબાઈ વિગેરે સ્થળોએ ટીપ વગેરે થવાથી મહા મુશીબતે પુરું થયેલું છે એમ રીપોર્ટ જોતાં જણાય છે. અને ૧૯૬૮ ની સાલમાં રૂ. ૧૫૩૦૧ ખર્ચ થએલું છે.
રા. રા. કુંવરજીભાઈ આપણી જેને કામમાં સારી લાગવગ ધરાવે છે તેમજ ત્યાંના રાજ્યમાં પણ મોટો મોભો ધરાવે છે તેમના તથા અન્ય કાર્યવાહકના શુભ પ્રસથી આ સંસ્થાના નિભાવ અથે એક લોટરી બોળવાની યોજના કરી હતી. જે લોટરીના પહેલા કાળામાંથી ખરચ ખુંટણ તથા ઇનામ વિગેરે બાદ જતાં આ પાંજરાપોળને લગભગ રૂ. ૩૨૦૦૦) જેટલી મોટી મદદ મળી છે. આને માટે તેઓના કાર્યવાહકના આવા સ્તુત્ય પ્રયાસને લીધે તેમને ઘણો ધન્યવાદ ઘટે છે. આ પાંજરાપોળને રાજ્ય તરફથી પણ અવાર નવાર સારી મદદ મળે છે. આપણું શાસ્ત્રની અંદર અન્નદાન, વસ્ત્રદાન, વિદ્યાદાન અને અભયદાન એમ ચાર પ્રકારનાં દાન પ્રતિપાદન કરેલાં છે, તેમાં અભયદાન એ સૌથી અગ્રસ્થાને છે. આવા ખાતાઓને મદદ કરવાથી અભયદાનનું અપૂર્વ પુણ્ય હાંસીલ થાય છે. દરેક દયાળુ બંધુઓને અમે આ ખાતાને મદદ કરવા વિનવીએ છીએ. તેમજ દરેક પાંજરાપોનો વહીવટ કરનાર સહસ્થોને અમો આ રીપોર્ટ વાંચવા ભલામણ કરીએ છીએ. આ પાંજરાપોળ તરફથી એક હિંદુ - લરને વેટરનરીને અભ્યાસ કરવા માંકવવાની જે યોજના થએલી છે તે ઘણી જ સ્તુત્ય છે.
આ પાંજરાપોળના કાર્યવાહકોને વિનતિ કરીએ છીએ કે બે ચાર હિંદુ ર્કોલરોને વેટરનરીને અભ્યાસ કરાવી તેમને તેયાર કરી આપણી સમસ્ત ઇન્ડીઆની પાંજરાપિળની સ્થિતિ તપાસવા, તેમાં સુચનાઓ કરવા મોકલવાની યોગ્ય ગોઠવણ ત્યાંની પાંજરાપિળ તરફથી કરશે જેથી અત્યારે જે બિચારાં અબોલાં નિરાધાર પશુઓ કેટલેક સ્થળે બિમારીની હાડમારી ભેગવે છે તે ભોગવતાં બંધ થાય અને તેમનું સારી રીતે જતન થઈ શકે અને તે પામર પશુ પક્ષીઓને શાંતિ મળે એવું ઈચ્છીએ છીએ.
આ પાંજરાપોળ તરફથી વખતે દુષ્કાળ પ્રસંગે સંકટ નિવારણ ફંડ વિગેરેને પણ મદદ કરવામાં આવે છે, તે ઈચ્છવા જોગ છે. આવી સંસ્થાઓ જે સાર્વજનિક હોય તે તે ઘણું સારું કામ કરી શકે છે એટલું જ નહિ પણ તેથી કરી ઘણો લાભ થઈ શકે છે એ નિઃશં. શય છે તેનો દાખલો આ પાંજરાપોળ છે. સર્વ હિંદુ ધર્મમાં દયાને તે ઉચ્ચપદ આપેલું છે. કોઈ ધર્મને સિદ્ધાંત તેની વિરૂદ્ધ નથી તો પછી આવાં ખાતાંઓમાં આપણા પાડોશીઓ ને અન્ય ધર્મના સદ્ ગૃહસ્થને સામેલ કરી કામ કરવામાં આવે છે તેઓ પણ ધ્યાના કામમાં ફાળો આપતાં શીખશે અને તેથી કરી ઘણું પામર નિરાધાર અવાચક પ્રાણીઓને આશીર્વાદ ગ્રહણ કરી શકાશે. અમો આ પાંજરાપોળની દરેક રીતે મુબારકબાદી ઇચ્છીએ છીએ.
Page #35
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભાના લેખક બંધુઓને વિજ્ઞપ્તિ
૧. કેટલાક ગૃહસ્થ લેખક બધુઓ વાંચકવર્ગને ઉદ્દેશીને પોતાના લેખમાં તમારે આમ કરવું જોઈએ. તમારી અમુક ફરજ છે.” વિગેરે લખે છે જે કે. આમ લખવામાં તેમને ઈરાદે મેટાઈ મેળવવાનું કે ઉપદેશકમાં ખપવાના હોતા નથી પરંતુ (મુનિ મહારાજ શિવાયના) ગૃહસ્થ લેખકે ઉપદેશ કિંવા આજ્ઞાની રીતીએ નહિ લખતાં પોતાને પણ વાંચકવર્ગમાં ગણી “ આપણે આમ કરવું જોઈએ. આપણી અમુક ફરજ છે.” એવી રીતે લખવામાં આવે તો લેખકનું નીરાભીમાનીપણું અને લધુતા જણાવા સાથે વાંચનારના મનમાં લેખકને માટે સારા ભાવ ઉત્પન્ન થશે એમ મારું માનવું છે. '
૨. કેટલાક લેખક મહાશય લેખ લખનાર તરીકે પોતાનું આખું નામ પ્રગટ કરાવે છે. મારા ધારવા પ્રમાણે આમ થવાથી લેખ ઘણા ઉત્તમ અને બોધદાયક છતાં કેટલાક વાંચનારને તે બીલકુલ અસર કરી શકતા નથી. કેમકે લખનારનું નામ વાંચી તેના મનમાં તુરતજ એવો વિચાર આવે છે કે આ લખનાર તા ફલાણા ગામનો ફલાણે માણસ અથવા મારા અમુક મિત્રને છોકરો છે ને તેનામાં કેટલું જ્ઞાન છે તે હું જાણું છું ! ! વિગેરે ટુંકા વિચાર લાવી લેખના મહત્વ અને ઉપયોગીપણા તરફ દુર્લક્ષ કરે છે પણ તેજ લેખ લખનારનું પુરૂ નામ પ્રગટ નહિ કરતાં “લી ચેતન, મૌક્તિક, વીરમણી વિગેરે સંજ્ઞા માત્ર લખી હોય તે તેને તેજ લેખ તેના તેજ વાંચનારને ઘણી અસર કરી શકે છે પરંતુ આમ કરવાથી લેખક બંધુઓએ એક અગત્યનો ભાગ આપવો પડશે તે એકે પોતાનું નામ બીજાઓને જણાવી વિદ્વાન કે કવીમાં ખપવાની પોતાની અભિલાષાને દાબી દેવી પડશે જો કે આમ કરવાથી એક પ્રકારના ગુણ પ્રગટ કરવા સારી તક મળશે.
લી૦
બુદ્ધિપ્રભાને એક વાંચનાર,
અધ્યાત્મશાન્તિ આવૃત્તિ બીજી.
પાકી બાઈન્ડીંગ પૃષ્ઠ ૧૩૬. કી. રૂ. -૩-૦ ખરેખર શાન્તિને આપનારા આ લઘુ ગ્રન્થ અહાનીશ અભ્યાસપાઠની માફક મનન કરવા ચોગ્ય છે. શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ તે સં'. ૧૯૫૯ માં રચેલે છે તેની બીજી આવૃત્તિ સુધારા સાથે પ્રગટ થઈ છે. ગ્રન્થ અપૂર્વ છે. વચનામૃત, ચગદીપક ભ૦ ભાગ છટ્ટા તથા સાતમા ગુરૂધ, આનન્દઘન પદ સગ્રહ-ભાવાર્થ. તીર્થયાત્રા વિમાન ઈ.
ગ્રન્થા દરેક ઘરમાં અવશ્ય હોવા જોઈએ.
Page #36
--------------------------------------------------------------------------
________________ શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં પ્રગટ થયેલા ગ્રન્થો. 208 340 248 ગ્રંથાંક પૃષ્ઠ ફીં, રૂઆ, પા. 0. ભજન સંગ્રહ ભાગ 1 લો.* 1. અધ્યાત્મ વ્યાખ્યાન માળા 205 2. ભજન સંગ્રહ ભાગ 2 જે* 336 0-8-0 3. ભજન સંગ્રહુ ભાગ 3 જે, 215 4. સમાધિ સતકમ. .. 5. અનુભવ પશ્ચિશી. ... 0-80 6. આત્મ પ્રદીપ. ... 315 0-8-0 7. ભજન સંગ્રહ ભાગ 4 થે. 304 0-80 8. પરમાત્મદઘેન. .. *** જરૂર 0-12-0 4. પરમાત્મજ્યોતિ... ... 500 ૦-૧ર-૦ 10, તત્ત્વમિ દુક *** . 230 0-40 11. ગુણાનુરાગ (આવૃત્તિ બીજી ) ... 24 12. 13. ભજન સંગ્રહ ભાગ 5 મે તથા a જ્ઞાનદિપીકા. .... 10 06-0 14. તીર્થયાત્રાનું વિમાન (આવૃત્તિ બીજી ) 0-1-0 15. અધ્યાત્મ ભજન સંગ્રહ.... 10. 16. ગુરૂઓધ. * ** ૧૭ર 0-4-0 17. તત્ત્વજ્ઞાનદિપીકા* .. 124 0-6-0 18. ગહેલી સગ્રહ. ... .. 112 14. શ્રાવક ધર્મસ્વરૂપ ભાગ 1 લો (આવૃત્તિ ત્રીજી.) 40 20, ,, , , ભાગ 2 જે (આવૃત્તિ ત્રીજી.) 40 01-0 21. ભજન પદ સંગ્રહ ભાગ 6 ઠે. ... 208 0-12-0 22, વચનામૃત. ... .. *** 388 * 0-14-0 23. ચોગદીપક, ... ... ... 268 *** . 0-14-0 24. જૈન ઐતિહાસીક રાસમાળા .... 408 25. આનન્દઘન બહાતરી પદ ભાવાર્થ સહ. 808 26. અધ્યાત્મ શાન્તિ (આવૃત્તિ બીજી ) 132 27, કાવ્યસંગ્રહ ભા. 7 મા..ન છે. 156 0-8-0 * આ નીશાનીવાળા ગ્રન્ય શીલક નથી. ગ્રન્થા નીચલા સ્થળાથી વેચાણ મળશે. 1. અમદાવાદ-જૈન બેડ"ગ–કે. નાગારીશરાહ, 2. --મુબઈ મેસર્સ મેઘજી હીરજીની કું,-&. પાયધુણી. , શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-ઠે. ચંપાગલી. 3. પુના-શા. વીરચંદ કૃષ્ણાજી–ડે. વૈતાલપેઠ. 1-0-0 2-0--0 0-3-1