Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 367
________________ ૩૫૨ બધામૃત [વ. ૮૪૩] ર૭૨ શ્રી રા. આઅગાસ, શ્રાવણ સુદ ૨, ૨૦૦૮ ધર્મનું માહાસ્ય જેને લાગ્યું છે તે કેટલું લખ્યું છે! ભગવાન વિતરાગોએ નિશ્ચિતાર્થ કરેલે ધર્મ પરમ હિતકારી છે, અમૃતસ્વરૂપ છે. એના જેવું બીજા કશામાં હિત નથી. અદ્દભુત વસ્તુ છે, ચમત્કારી છે! આત્માને ચમત્કાર કેવો છે! એ ન હોય તે મડદું. બધે ચમત્કાર તે આત્માને છે. અનંતકાળના જન્મમરણ છોડાવે એ અદ્દભુત માર્ગ વીતરાગે કહ્યો છે. તે સર્વ દુઃખને એ નાશ કરે કે ફરી દુઃખ ઉત્પન્ન જ ન થાય. એ આ ધર્મ છે. પણ જીવને માહાસ્ય નથી. ભગવાને કહ્યું છે તે ચમત્કારી માગે છે. જીવ કેમ રહણ ન કરે? કઈ રત્ન આપે તે ગ્રહણ ન કરે? અનંત કાળ સુધી સુખી થાય એ માર્ગ છે. સર્વોત્કૃષ્ટધર્મ તે વીતરાગ ધર્મ છે. આ ધર્મને જીવે લક્ષ રાખવાગ્ય છે, એ આરાધવાયોગ્ય છે. એમાં જ જીવન ગાળવાનું છે. પછી નહીં બને. ભગવાન અને ભગવાનને કહેલે ધમ એ બન્નેના આશ્રયથી તરાય એવું છે. ભગ વાનથી ધર્મ જુદે નથી. ધર્મ તે સત્પરુષના હૃદયમાં જ છે. સંપ્રતિરાજા પૂર્વભવમાં ભિખારી હતે. કંઈ ખાવાનું મળે નહીં તેથી પછી ભૂખનો માર્યો સાધુ થયે, પણ તેને લાગ્યું કે આ સાચું છે. મને ખાવાનું મળ્યું અને મને નમઃ સ્કાર કરે છે. ધર્મ પ્રત્યે ઉલ્લાસભાવ થયા. નિશ્ચય અને આશ્રયપૂર્વક દેહ છોડ્યો ને બીજા ભવમાં રાજા થયા. માગને પ્રભાવ કેટલું છે! સાચ જે પકડયું તે મેક્ષે લઈ જાય. કંઈ સમજી ન શકે, કરી ન શકે એવા પણ આ માગને આશ્રય પકડે તે કામ થઈ જાય. એંજિનની સાથે આંકડે જોડાઈ જ જોઈએ. કંઈક જે સાચ અડે તે કામ થઈ જાય. આ માર્ગ સર્વોત્કૃષ્ટ છે એ નિશ્ચય કરે અને એના આશ્રયે જેટલું થાય તેટલું કરવું. એમાં કાળ ગાળ છે એ નિશ્ચય અને આશ્રય કર્તવ્ય છે. પરપદાર્થને પિતાના માનવા એ જ મિથ્યાત્વ છે. દેહ તે જ હું એમ થઈ ગયું છે. દેહના નિમિતે, કુટુંબના નિમિત્તે, ઘરના નિમિત્તે હુષ વિષાદ ન થાય તે દ્વાદશાંગી આખી સમજી ગયે. ખરે ધર્મ કયે છે ? ધર્મ શાને કહે છે ? તે હવે કહે છે – વીતરાગ પુરુષને ધમ જે દેહાદિ સંબંધીથી હર્ષ-વિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધ-ચિતન્ય–સ્વરૂપ છે, એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું.” વીતરાગે કહ્યું છે કે દેહાદિ સંબંધી હર્ષવિષાદ ન કર. એ જે પકડાયું તે બીજા ધમ ન કરતે હોય તે ય ચાલશે. “આત્મા અસંગ-શુદ્ધ-ચેતન્યસ્વરૂપ છે” એ વૃત્તિ દઢ કરવાની છે. એ દઢ થાય તે પછી હર્ષ–ખેદ ન કરે. બીજામાં ન તણાવું એ ખરે ધર્મ છે. મહાવીર ભગવાને દીક્ષા લીધા પછી આંખ ચાળવા જેટલી પણ શરીરની સંભાળ લીધી નહતી. એ વારંવાર સંભારવા જેવું છે. આ દેહથી કામ કરી લેવાનું છે. આ દેહ પ્રત્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416