Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 379
________________ બેધામૃત એ અગમ્યને સરલ કરવું હોય તે સત્સમાગમ કર્તવ્ય છે. એક તે મહાભાગ્ય હોય અને પૂર્વને અભ્યાસ હોય તે મુમુક્ષતા આવે છે. મહાપુરુષોને પૂર્વે સેવ્યા હેય તે નિમિત્ત વગર પણ મુમુક્ષુતા પ્રગટે છે. એ ન હોય તે સદ્ગુરુ મળે ત્યારે પણ પ્રગટે છે. મુમુક્ષુ હોય તેને મેક્ષ સિવાય બીજું બધું અસાર લાગે છે. ધમણની પેઠે શ્વાસ લેતાં આ મનુષ્યભવ ચાલ્યા જશે. મુમુક્ષુતા આવે તે આત્માનું ભાન થાય અને સ્થિરતા પણ થાય. માર્ગે ચઢી જાય–જ્ઞાની કહે તે રસ્તે ચઢી જાય એવી મુમુક્ષુતા છે. સાચી મુમુક્ષુતા હેય તેય પુરુષની જરૂર છે. આજ્ઞાની જરૂર છે. તેથી આગળ વધે છે, આત્માનું ભાન થાય, સ્થિરતા થાય અને અપ્રમત્તાગ પ્રાપ્ત કરે છે. પહેલી મુમુક્ષુતા આવે એટલે મહાસક્તિથી મુઝાય, મેહમાં રાજી ન થાય અને મોક્ષને અથે પ્રવર્તે. મુમુક્ષતા હેય, સપુરુષને વેગ હેય, આજ્ઞા મળે અને તેને આરાધે તે મેક્ષ થાય. ક્યારે મારું કલ્યાણ થશે? એવી રાતદિવસ જેને ફિકર થતી હોય તેવા પુરુષને સપુરુષનો પેગ પ્રાપ્ત થ સુલભ છે, મળી આવે. આત્મકલ્યાણ થવાની રાતદિવસ ફિકર હોય તેના ઉપર ભગવાન કૃપા કરે છે. પુરુષનાં વચને સાંભળવાની ઈચ્છા છતાં એ યોગ ન મળતું હોય, તે પણ એને પુણ્ય બંધાય. આત્મા તે ચિંતામણિરત્ન જેવું છે. રાતદિવસ એની ચિંતા કરતે હોય તે તેને વેગ મળી આવે છે. સમાગમ નિરંતર કર્તવ્ય છે, એ સમજાવું બહુ મુશ્કેલ છે, એ સમજાય તે પ્રવૃત્તિમાં પણ વૈરાગ્ય રહે જેવું છે એવું મળે. પ્રભુશ્રીજી કહેતા કે ગ્યતા લાવે, એગ્યતા લાવે. ઘણું કહેતા, મુમુક્ષુતા નથી અથવા તીવ્ર મુમુક્ષુતા નથી એ મોટામાં મોટો દેષ છે. સાચી રેગ્યતા હોય તે ઘણે લાભ છે. પહેલાં જીવે એગ્ય થવું. સાચી મુમુક્ષુતા સદૂગુરુના સમાગમે થશે. “ ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.” એટલી ત્યાગવૈરાગ્યની મૂડી જોઈશે. આ અસાર સંસારથી ક્યારે છૂટકે થશે? એવા ભાવ થતા કે તરત કેવળી મળી આવતા. એવી ભાવના હોય તે મળી આવે. [વ. ૮૮૮ ] - પૂજ્યશ્રી–આંખમાં ઉપગ હોય ત્યારે કાનમાં ન હોય. એક ઠેકાણે ઉપગ રહે છે. ઈન્દ્રિયોને જય કર્યો હોય તે સત્કૃતમાં જ એને ઉપગ રહે. આજ્ઞામાં કેટલું બળ છે! આજ્ઞા જ્ઞાનીની આરાધે તે મોહને ક્ષય કરી શકે. [વ. ૮૮૯]. - પૂજ્યશ્રી–સશ્રત અને સત્સમાગમ એ બેયમાં ઈન્દ્રિયય કરવાનું છે. બીજે વૃત્તિ ન રહે એવું કરવાની જરૂર છે. ઈન્દ્રિયને જય કરી એ “પદ્મનંદી પંચવિંશતિ” શાસ્ત્રનો અભ્યાસ કરશે તે અમૃત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416