Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 385
________________ ૩૭૦ મોધામૃત ગુણપ્રદ અતિશય રહે, રહે અંતર્મુખ ગ; પ્રાપ્તિ શ્રી સશુરુ વડે, જિન દર્શન અનુયોગ. ૬ કેઈન પણ ગુણ દેખીને આનંદ થાય, પ્રમાદ થાય, ઈર્ષા ન થાય અને અંતમુખ યોગ રહે. જગતની વિસ્મૃતિ થાય. ગમે તેનામાં ગુણ દેખે તે રાજી થાય. હેષ નહીં વળી અવરશું” (૧લી દષ્ટિ). એ અદ્વેષ ગુણ આવતાં જ ગુણપ્રમોદ પણ આવે છે. બીજાના ગુણથી રાજી થાય; પિતાના ગુણ પ્રગટવા પુરુષાર્થ કરે. પાંચ ઈન્દ્રિયના વિષયમાં પેસે નહીં. દેહથી આપણે ભિન્ન છીએ એમ જ્ઞાનીએ કહ્યું છે, તે જ હું છું, એમ થાય. જ્ઞાનીના આધારે સ્વરૂપ જાણે. ખરું સ્વરૂપ શું છે? ત્યાં મારે પહોંચવું છે એ અંતર્મુખ ઉપયોગ છે. જે અંતર્મુખવૃત્તિ સર્વસંગપરિત્યાગ કરવાથી પણ ન થઈ શકે. “સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતું નથી”(૬૭૭). અંતમુખવૃત્તિ રાખવી આ કાળમાં મુશ્કેલ છે. એ કર્યા વિના છૂટકે નથી. કંઈક એનું માહામ્ય લાગે ત્યારે અંતર્મુખવૃત્તિ થાય. સદ્દગુરુ, જિનદર્શન અને જિનવાણી એમાં જેને વિશ્વાસ હોય તેને વસ્તુ પ્રાપ્ત થાય છે. સદગુરુ વડે જિનવાણી-જિનદર્શન સમજે તે એને વસ્તુ પ્રાપ્ત થાય, પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ સમુદ્રનું એક ટીપું હોય તેમાં સમુદ્રના ક્ષાર આદિ બધા ગુણ આવી જાય. એમ પ્રવચન સમુદ્રના એક વચનમાં ચૌદ પૂર્વ આવી જાય એવી લબ્ધિ જીવને સદ્ગુરુના વેગે પ્રાપ્ત થઈ આવે છે. ભણવા ન જવું પડે. બધાંય શાસ્ત્રો એના હૃદયમાં વસી જાય. “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુકર બસેં.” જીવ પુરુષાર્થ કરે તે અનંત શક્તિ આત્મામાં છે. લબ્ધિઓ પ્રગટે છે. અભયકુમારને એવી લબ્ધિ હતી કે એક અક્ષર કહે તે આખું પુસ્તક કે આ મંત્ર યાદ આવી જાય. ભણવા જવું પડે એમ નથી. ભણવા જાય તે કયારે પાર આવે? “હું કેણ છું, ક્યાંથી થયે, શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણ છે, રાખું કે એ પરિહરું ?” એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે કર્યા હોય તે આત્મજ્ઞાનના બધાં સિદ્ધાંત અનુભવમાં આવી જાય. વિચ્છેદ ગયાં નથી. બધું આત્મામાં છે. “giાં કાળા રે સઘં નારાજે સરવંજ્ઞા gi aur ” એકને જાણે તે સર્વને જાણે અને સર્વને જાણવાનું ફળ એકને જાણવું એ છે. જીવમાં ચોગ્યતા જોઈએ તે અગમ્ય વસ્તુ પણ સુગમ્ય થઈ જાય છે. સદૂગુરુ ન મળ્યા પણ ચગ્યતા પ્રાપ્ત કરવી હોય તે પ્રાપ્ત કરી શકાય છે. પછી સદ્દગુરુ મળે તે ઝટ કામ થઈ જાય. વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને ચોગ અયોગ. ૮ સદ્દગુરુને ગ મળે પણ પાંચ ઇન્દ્રિયના વિષયમાં વિચાર રહ્યા કરે, એની ઝંખના રહ્યા કરે, એ વિષય સારા લાગે, પરિણામ વિષયી રહે તેથી ધર્મ કરતાં અધર્મ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416