Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 406
________________ વચનામૃત-વિવેચન લા [ઉપદેશછાયા ચાલુ) શ્રી. રાત્રે આ અગાસ, ભાદ્રપદ વદ ૧૨, ૨૦૦૮ (૧૩) કષાય ઘટાડે તે ધર્મ થાય. કષાયની વૃદ્ધિ કરે તે બધું અજ્ઞાન છે. કષાય કરે અને માને ધર્મ. ટુંઢિયા, તપ અનાદિ કાળથી નથી. વીતરાગમાર્ગ એ અનાદિ છે. રાગદ્વેષ અને અજ્ઞાન ઘટાડવાને માગ એ અનાદિ છે. રાગદ્વેષ અને અજ્ઞાન ઘટાડે તો કલ્યાણ. એ તો ઘટાડે નહીં અને માને કે ધર્મ કરું છું. જ્ઞાનીને માર્ગ આરાધવા મુનિઓ બધાં શા શીખે છે. પછી જ ફેરે, જેથી સમય જાય તેની ખબર પડે નહીં. કેઈ તો શાસ્ત્ર શીખે નહીં અને ઝટ સમય થતાં ગોચરી જવા માટે ઉતાવળ કરે. રાગદ્વેષ અને અજ્ઞાન જવા માટે સદ્દગુરુને બેધ અને સદ્વિચાર છે. વિચાર ન કરે તેને તરવાને આરો ન આવે. સાંભળ સાંભળ કરે અને વિચાર ન કરે તે નિષ્ફળ છે. “મા તુજ મા તુર” એમ એક મુનિ કરતા હતા પણ વિચાર કર્યો કે ભિન્ન શું છે? દેહ અને આત્મા ભિન્ન છે, એમ વિચાર કર્યો તે કેવળજ્ઞાન પામ્યા. જે સંગે છે તે જોગવ્યા વિના છૂટકો નથી. બાહ્યત્યાગ પણ અંતર્યાને અર્થે છે. આત્માને કંઈ કર્તવ્ય નથી, અકર્તવ્યદશા પામવા ત્યાગ કરવાયેગ્ય છે. આત્મા તે અકર્તા છે. કોઈક ઠેકાણે વ્યવહારમયમને નિષેધ કર્યો છે. મેરુપર્વત જેટલા એઘામુહપત્તી કર્યા એમ કહ્યું છે, તે કંઈ નિષેધને અર્થ નથી. પણ પરમાર્થ સંયમ પામવા માટે છે. જ્ઞાનીએ કહ્યું તેને આશય સમજાય તે શ્રુતજ્ઞાન છે. ખરી રીતે આત્મા આત્માને સ્પર્શ કરે છે. અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સુખની શ્રદ્ધા નથી. “દશ્યને અદશ્ય કર્યું અને અદશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાયું ચગ્ય નથી” (૬૪૮). પાંચ ઈન્દ્રિય અને મન રેકાય ત્યારે આત્માનું ભાન થાય. અલ્પ સંસારી હોય તેને કષાય અ૫ હોય છે. મિથ્યાત્વને છોડીને સમ્યક્ત્વમાં રુચિ કરવાની છે. [ઉપદેશછાયા ચાલુ શ્રી. રાત્રે આ અગાસ, ભાદ્ર. વદ દ્રિ. ૧૩, ૨૦૦૮ (૧૪) તરવાને કામી તે છે કે માથું માગે તે માથું આપે. શ્રદ્ધા પરમ દુર્લભ છે. દુલભમાં દુલભ વસ્તુ શ્રદ્ધા છે. શા અર્થે શાસ્ત્ર વાંચવાં તે જ્ઞાની જાણે છે. જ્યાં ત્યાંથી હિતકારી હોય તે ગ્રહણ કરવું. સપુરુષને દેહ પુરુષ નથી, પણ પુરુષને આત્મા પુરુષ છે. એ લક્ષ રહે તે શ્વેતાંબરી દિગંબરી કેઈ આગ્રહ રહે નહીં. મહાવીર ભગવાનનું ગભહરણ થયું હશે કે નહીં? એની શી જરૂર છે? ગમે ત્યાંથી ભગવાન આવ્યા, પણ જ્ઞાનદર્શનચારિત્ર હતાં કે નહીં? એ તપાસવું. ભલે ક્ષત્રિય છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416