Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 410
________________ વચનામૃત-વિવેચન કારણે જેમ જેમ ઘટતાં જાય તેમ તેમ શુભ કર્મ પણ ઘટતાં જાય છે. અશુભ તે મિથ્યાત્વ જતાં જ ઘટી જાય છે. એમ કરતાં કરતાં જ્યારે ખાતું પૂરું થઈ જાય ત્યારે મોક્ષ થઈ જાય. સંવર હોય ત્યારે ખરી નિજા થાય છે. અશુભ ન બંધાય અને સત્તામાંથી શુભાશુભ હોય તે નિર્જરાથી છૂટી જાય. સમ્યગ્દર્શન વિના સંવર ક્યાંથી હોય? હાથી જેમ ન્હાય અને પછી ઉપર ધૂળ નાખે તેમ અકામનિજ જીવ કરે છે. ગ્રંથિભેદના નિકટ સુધી જીવ અકામનિજેરાથી આવે છે. પછી એને પુરુષાર્થ કરવો પડે છે. આ બધું ભિન્ન દેખાય છે તે બધું એકસરખું પર લાગે તે ભેદને ભેદ છે. ક્રોધ માન માયા લેભ કહેવાય છે, તેમાં ભેદ છે. કેઈને અનંતાનુબંધી, કેઈને અપ્રત્યાખ્યાનાવરણ, કોઈને પ્રત્યાખ્યાનાવરણ અને કેઈને સંજ્વલન ક્રોધમાનમાયાભ હોય છે. ઉપરથી બધા ક્રોધ સરખા દેખાય છે, પણ અંતરમાં ભેદ પડે છે. અનંતાનુબંધી કષાય એટલે જેથી અનંત સંસાર વધે. બહારથી જે બહુ ક્રોધ દેખાય, તે અનંતાનુબંધી એમ નથી. મેક્ષમાગના કારણે પ્રત્યે ક્રોધાદિક કરવા તે અનંતાનુબંધી કષાય છે. એને મોક્ષમાર્ગ ન ગમે. વીતરાગ પ્રત્યે ક્રોધાદિ તે અનંતાનુબંધી છે. - ભગવાન મહાવીરે ચારનાં પાંચ મહાવ્રત કર્યા તે ના હિત માટે છે. સમ્યગ્દર્શન થયા પહેલાં માગ કહે તે યથાર્થ નથી. જેમ બને તેમ કષાય ઓછા કરવા એમ જ્ઞાની પુરુષ કહે છે. ભગવાન પ્રત્યે સ્ત્રીપુત્રાદિ મેળવવા ઈચ્છે તે અનંતાનુબંધી લે છે. આત્માને અનુભવ થાય ત્યારે કષાયમંદતા વગેરે થાય છે. પુદ્ગલના સંગે જ્યાં સુધી જીવ નિમિત્તાધીન છે ત્યાં સુધી વિભાવરૂપ પરિણમે છે. એમાં પુદ્ગલને દેષ નથી. જીવે આમંત્રણ આપ્યું છે તેથી આવ્યાં છે. નહીં તે પુડ્ડગલેને કંઈ સારું ખોટું કરવું નથી. પુદ્દગલના નિમિત્તથી વિભાવ થાય છે એમ નથી. જો એમ હોય તે પછી સિદ્ધભગવાનની પાસે પણ પુદ્ગલે છે, તેથી તેઓને પણ વિભાવ થ જોઈએ, પણ એમ નથી. પુદુગલને જીવ પ્રેરણા કરે છે તેથી આવે છે. તે સાચો થયો ત્યારથી અસંગ થવા લાગે. સાચ આવ્યું, તે પછી બધું ખંખેરવા માંડે, અંદરથી જે થયું કે મારું નથી તે છૂટે જ. મતમતાંતર એ કાંટા છે. તેનું સમાધાન ન થાય તે ત્યાં જ બળી ન રહેવું. પુરુષાર્થ કર. આગળ ઉપર સમજાશે. “જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહીં થાય.” આ અત્યારે મતમતાંતરમાં ભૂલાઈ ગયું છે. આપણે કરીએ છીએ તે સાચું છે, એમ માને છે. આ પહેલા ગુણસ્થાનમાં જ ગ્રંથિ હોય છે. પાંચ ઈન્દ્રિય અને મન પામે, સારા ભાવ થાય પછી સદ્દગુરુને બે સાંભળે ત્યારે દેશનાલબ્ધિ પ્રાપ્ત થાય. તેથી એમ લાગે કે જ્ઞાની કહે છે તે સાચું છે અને હું કરું છું તે બેઠું છે. તેથી પછી કમ મંદ પડે છે. અહીં સુધી તે જીવ ઘણીવાર આવ્યા છે. ગ્રંથિભેદ કરવાની તૈયારીમાં હોય, ત્યાંથી પાછા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416