Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 329
________________ ૩૦૨ બેધામૃત છે. એમના ગુણોનું જે વખતે ઉચ્ચારણ કરે તે વખતે એને શુભ ભાવ હોય છે. સ્તુતિ કરવાગ્યે ભગવાન શુદ્ધ છે. ભગવાનની સ્તુતિના શબ્દો શુભ અને સ્તુતિ કરનાર શુભ હોય તો પછી એનું ફળ થાય જ. પિતાના આત્માને નિર્મળ કરવા, કોધાદિ દૂર કરવા સ્તુતિ છે. તેને બદલે અત્યારે, હે ભગવાન! મને પૈસા આપજે, છોકરાં આપજે એમ પોતાના ચોપડા ઉઘાડે છે. દેરાસરમાં જતાં મૂકવાનું છે, તે જ ત્યાં જવા માગે છે. ભગવાન વિતરાગ છે, આપણે વીતરાગ થયું છે. વિકારમાં તણાવું નથી. આત્મામાં શુભ ભાવ ન આવે, આત્મા ઉન્નત ન થાય ત્યાં સુધી બરાડા પાડ્યું શું થાય ? ભાવની ખામીથી જીવ તરત નથી. કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદઘનપદ રહ.” (આ૦ ૧) એને બદલે કપટ રાખે છે. બીજી વસ્તુઓ જેઈને જીવને આનંદ આવે ત્યાં આગળ ભક્તિ રહેતી નથી. “જ્યાં રામ ત્યાં કામ નહીં, અને કામ ત્યાં રામ નહીં.” બેય એક ઠેકાણે ન રહે. કૃપાળુદેવ ગમે તે લખે તે પહેલાં છે કે જિન એમ લખીને પછી બીજું લખે. ભગવાનને સંભારીને જ લખે છે. સમકિતી જીવો જેને માટે તેની પ્રાર્થના કરે તો આત્માનું કામ થાય. અને મિથ્યાત્વી જેને માનતો હોય તેવા દેવેની પ્રાર્થના કરે તે કામ ન થાય. લઘુતાથી પ્રભુતા આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે અમારું નામ લઘુરાજ પાડ્યું તે સારું છે. બધેથી નીચા થઈને બેઠા છીએ. પ્રાર્થના દ્વારા અશક્ય લાગતું કામ પણ થઈ જાય છે. ભક્તિ કરવાથી, ગુણચિંતનથી ભોગ એને ઝેર જેવા લાગે છે. જેમ વીતરાગને ભેગ નથી ગમતા તેમ એને પણ થઈ જાય. વીતરાગ એ સંસારથી વિમુખ થયા છે, તેમની ભક્તિ કરે તે એને પણ એવું થાય. પણ સમજીને કરે છે. ભગવાનમાં અનંત વીતરાગતા છે. જીવ જેટલી યોગ્યતા લઈને જાય તેટલી વીતરાગતા એનામાં આવે. પ્રભુશ્રીજી કહેતા “ગ્યતા લાવે, ગ્યતા લાવે. પાત્રતાની ખામી છે, પાત્રતા લાવવાની છે. ભગવાનનાં દર્શન કરવાથી આત્માનું ભાન થાય. પિતાનું શું અને પર શું? તેનું ભાન પ્રગટે છે. સૂર્યરૂપ જે આત્મા તેનું ભાન થાય. ભગવાનનાં દર્શન કરવાની કળા આવડે તે એને કામ દૂર થઈ જાય, બધે ખેદ દૂર થઈ જવનું જીવન નવીન થઈ જાય. અન્યવસ્તુમાં ઇટ-અનિષ્ટની કલ્પના, સંકઃપવિક૯૫ એને છૂટી જાય. ભગવાનની અંતર્મુખદષ્ટિ સમજાય તે એને પણ અંતર્મુખ દષ્ટિ થાય. મેહરૂપી રોગ ભગવાનના દર્શનથી દૂર થઈ સમાધિ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર આરાધના પ્રાપ્ત થાય છે. સમાધિમરણ કરવું હોય તેણે આ ચાર આરાધના કરવાની છે. ભગવાનના દર્શનથી બધાં કામ સિદ્ધ થાય છે. જેની ભક્તિ કરવી છે, તેનામાં જે વીતરાગતા ન હોય ને તેની ભક્તિ કરે તે સંસા રને સંસાર જ રહે. અર્ધગતિનું કારણ થાય. ભગવાનને ભૂલી બીજું એના હૃદયમાં ગૂંટયું તે અગતિ થાય. એવી ભક્તિ જીવ બ્રાંતિથી કરે છે. તે કરતાં ભક્તિ ન કરતા હોય તે સારું છે. અહીં આગળ આવીને કર્મ બાંધતા હોય તે તે વધારે દુર્ગતિનું કારણ છે. અનંતકાળથી જીવ રખડે છે. મહાભાગ્યને ઉદય થાય ત્યારે સત્સંગ, સપુરુષ મળે. સદુગુરુનો નિશ્ચય અને આશ્રય પ્રાપ્ત થવો દુર્લભ છે. એ નિશ્ચય અને આશ્રયની ખામી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380