Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 346
________________ સંગ્રહ ૫ સૃષ્ટિ. આત્માની કાળજી રાખનાર થયો હોય તે બંધનાં કારણેમાં રાજી ન થાય. જીવને વિવેક નથી ત્યાં સુધી વિપરીત પણું છે અને ત્યાં સુધી બધું દુઃખ છે. વિવેક હોય તે કર્મથી ત્રાસ પામે. બધાથી વધારે મમતા શરીર ઉપર છે. એ જ ઘાતી ડુંગર આડે છે. એથી ભિન્ન થવાની ભાવના કરવી. જેવો સંગ તેવા ભાવ થાય. સત્સંગ હોય તે સારા ભાવ થાય. સાચા ભાવથી સત્સંગ કરે તે મરણ એને વારંવાર સાંભરે. જેને માટે ઝૂરવું જોઈએ તેને માટે ઝૂરતું નથી. બહારની બહાર વૃત્તિ રાખે છે. આત્માનું માહાસ્ય નથી તેથી બહારની બહાર વૃત્તિ જાય છે. મરણ વખતે કેઈને ઉપાય ચાલે એવું નથી માટે ડરવું નહીં, શૂરવીરપણે રહેવું. પ્રાણુ જાય તે પ્રસંગ હોય છતાં “થેડીકવાર જિવાય તો સારું એમ જેને ન થાય, એવા પુરુષ નમસ્કાર કરવાગ્યા છે. દેહની મૂછ છે ત્યાં સુધી ભય વગેરે બધું છે. હું દેહ નથી, આત્મા છું, મરવાને નથી એમ જેને દઢ થયું હોય તેને પછી ભય શાને ? મિથ્યાત્વને લઈને ડર લાગે છે. એ જ આ ભવમાં કાઢવું છે. એ મિથ્યાત્વ જ્યાં સુધી હશે ત્યાંસુધી સુખ થશે નહીં. અને સમ્યક્ત્વ હેય તે, નરકની વેદના પણ સુખરૂપ છે, કર્મ બિચારા બકરાં છે. આત્મા બધાયથી ભિન્ન છે, આ જગતને અને મારે કશું લેવાદેવા નથી એમ થાય તે હિંમત આવે. તે પછી નિર્ભય થઈ જાય. દેહ છે ત્યાંસુધી ભક્તિ કરી લેવી. દેહની પાસે મોક્ષનું કામ કરાવી લેવું, પણ એના નેકર ન થવું. ધર્મને માર્ગ વાત કરવાનું નથી. જ્ઞાનીનાં વચન સાંભળી એનું માહાભ્ય રાખવું. કૃપાળુદેવને કેઈએ પૂછ્યું કે તમારે દેહ કેમ સુકાઈ ગયે? કૃપાળુદેવે કહ્યું કે અમારે બે બાગ છે, તેમાંથી એકમાં પાણી વધારે ગયું તેથી બીજે બાગ સુકાઈ ગયે. આજને પત્ર બહુ સુંદર છે. ભેદજ્ઞાન થાય તે છે. કેઈક વખતે જ એવા શબ્દો નીકળે. “દેહ તે આત્મા નથી” (૪૫) એટલા શબ્દો સાંભળી ગાંઠે બાંધવા, જતા ન કરવા. આત્મા અને દેહ જુદા છે. આત્માને શૂરવીર કરવાનું છે. દેહમાં વૃત્તિ રાખવાથી આત્મા નેકર થઈ ગયો છે. આ દેહ ઘડા જેવું જ છે. ઘડાને જેમ ગળું હોય છે તેમ એને પણ ગળું હોય છે. ઘડાને જોનાર જેમ ઘડાથી જુદો છે, તેમ શરીરને જાણનાર આત્મા શરીરથી જુદો છે. બે વસ્તુઓ છે તેમાંથી દેહમાં ગૂંચાઈ ગયે છે. દેહને અને આત્માને એક ગણું બેઠો છે. “આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણુ,” એ ભૂલી ગયે છે. દેહને ગૌણ કરે તે ધર્મ પ્રગટે એવે છે. જ્ઞાનીનાં વચનામાં તલ્લીનતા રાખે તે કામ થાય. આજનાં વચને જેને માન્ય થાય તેને સમ્યક્ત્વ થાય. “હું આત્મા છું, દેહ નથી” આટલાં વચને યાદ રાખવાં, હૃદયમાં કેતરી રાખવાં. પણ જીવ એ ભૂલી જાય છે. જાણનારને માન છે, જેનારને જેવે છે. દેહના ફેરફારમાં રાજી ન થવું તેમ ચિંતા પણ ન કરવી. પિતાને દેહ જાડો છે, પાતળો છે એમ ગણવું નહીં, તેમ બીજાના દેહનું પણ ન ગણવું. એ તે બધા ઘડા છે. એમાં વૃત્તિ રાખવી નથી. ભૂલવણી છે તે કાઢવા માટે જ જ્ઞાની પુરુષે આ અમૃત વરસાવ્યું છે. “આત્મા તે દેહ નથી” આટલું હૃદયમાં કતરી રાખવું. બે ય ભિન્ન પદાર્થો છે. એ ભુલાય નહીં એવું દઢ કરવાનું છે. એવું દઢ થયું હોય તે મરણ પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380