Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 352
________________ સંગ્રહ ૫ ૩૨૫ છે, સમાધિ રહે છે. તેમ છતાં જ્ઞાની નિવૃત્તિ હોય તે સારું એમ ઈચ્છે છે. જ્ઞાનીને નિવૃત્તિ હોય તે બીજા ને પણ ઉપકારક થાય. જ્યાં જેને રસ લાગ્યો હોય ત્યાં તેનું મન જાય. કૃપાળુદેવને વેપાર કરે પડતે છતાં ત્યાં બેઠાં પણ સત્સંગ, વન, ઉપવન, સદગુરુનો જોગ જે પહેલાંનાં ભાવમાં થયેલ તે સાંભરી આવતો. પણ જે કર્મો પિતે બાંધ્યાં છે તે તે ભેગવવાં જ પડે છે. દરેક મુમુક્ષુએ શું કરવું? તે કહે છે. કલ્યાણમાં વિન્ન કરનાર શું છે? તે જાણીને દૂર કરવું. એ પહેલું કરવાનું છે. વિચારે તે મને આ નડે છે એમ સમજાય. અને તેને કાઢવાનો ઉપાય પણ જડે. મુમુક્ષતાનું લક્ષણ પિતાના દોષ જોવામાં અપક્ષપાતતા એટલે દોષની બેદરકારી ન રાખવી. કાવ્યા વિના મારે છૂટકે નથી એમ એને રહે. સામાન્ય દે હવે કહે છે. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના ત્રણ દોષ છે. મળ એટલે કષાય, વિક્ષેપ એટલે મન બીજે ખેંચાય તે અને અજ્ઞાન એટલે પિતાનું ભાન નહીં. એ દેશમાં જીવ અનાદિથી તણાય છે. જ્ઞાનીનાં વચનો યથાર્થ વિચાર થાય તે અજ્ઞાન દૂર થાય. અજ્ઞાન એ અંધકાર જેવું છે. જ્ઞાનદી આવે તે અજ્ઞાન અંધારું દૂર થાય. અજ્ઞાનનું બળ બહ છે. અજ્ઞાન દૂર કરવા મળ અને વિક્ષેપ પહેલા ટાળવા પડે. એને માટે સત્સંગ એ ઉત્તમ સાધન છે. મળ એટલે કષાય મટવા પહેલું સાધન સરળતા. જીવ સરળસ્વભાવી હોય તે જ્ઞાનીનાં વચને ન સમજે હોય તે હું સમજો એમ ન માને. બીજું ક્રોધને દૂર કરવા ક્ષમા ગુણ હોય. ક્ષમા એટલે ખમી ખૂંદવું. માન હોય તે જીવ પિતાના દોષ દેખે નહીં. માન મૂકવા વિનય કરે. લેભને દૂર કરવા આરંભપરિગ્રહ દૂર કરે. જેમ જેમ ઉપાધિ ઓછી કરે તેમ તેમ એને સમાધિ સુલભ થાય. ભટકતું ચિત્ત છે. તે જ્ઞાનની ભકિતમાં જોડાય તે બધા જગતનો ત્યાગ થાય એથી વિક્ષેપ મટે. દોષને કહી તે દૂર કરવાના ઉપાય પણ બતાવ્યા. હવે જેટલી ગરજ હોય તેટલું કામ કરે. જ્ઞાની પ્રત્યે અત્યંત ભક્તિ થઈ હોય તે તેનું ચિત્ત તેમાં રહે. વિયેગમાં જ્ઞાનીની દશા લક્ષમાં આવી હોય તે ચિંતવવી, એમની ચેષ્ટાઓ સંભારવી, હાથ કે આંખની ચેષ્ટાથી જ્ઞાનીએ કંઈ કહ્યું હોય તે સંભારવું. એમનાં વચને યાદ કરી વિચારવાં અથવા તો વાંચીને વિચારવાં, સમજવાં. જ્યારે પુરુષનો યોગ ન હોય અને પ્રવૃત્તિનો વેગ હોય તે વખતે વધારે સાવચેતી રાખવી. પુરુષના વિયોગમાં બહુ સાવચેતી રાખવાની છે. જ્ઞાનીને ચગે જે સાંભળ્યું હોય તે ભૂલી ન જવાય તેમ વર્તવું. ઘરનું, જ્ઞાતિનું કે બીજાનું કામ હોય તેમાં મોટા થઈ આગળ ન પડવું. પ્રવર્તન કરવું પડે તે માંડ માંડ કરવું. નિવૃત્તિની ખેંચ રાખવી. અનેક ભવમાં ધર્મના વિચાર ન થયા પણ આ મનુષ્યભવ મળે છે જ્ઞાનીને વેગ થયો છે તો ધર્મ કરી લે. આત્મા ઓળખવામાં શું નડે છે? તે કહે છે. લેકસંજ્ઞા એટલે ઘણું લોકો જેમ કરે તેમ કરવું, ઘસંજ્ઞામાં વિચાર નથી અને અસત્સંગે અવળા વિપરીત વિચાર થાય. એ બધાં કારણે જીવને આત્મા ઓળખવામાં નડે છે. જ્ઞાની પુરુષથી જીવ કેટલે દૂર રહે છે! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380