Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 356
________________ સંગ્રહ ૫ ૩૨૯ બીજ--સમકિત પ્રગટવાનું કારણ છે. ગમે તેટલું અઘરું પડે, પણ મારે તે જ્ઞાનીએ કહ્યું તે જ કરવું છે. એવું થાય તે જ્ઞાની કહે તે એને માન્ય થાય. જ્ઞાનીની કહેલી વાત માન્ય થાય તે આત્મામાં ઉપગ જાય અને આત્મા તે જ હું એમ એને થાય. સ્વપરપ્રકાશક જ્ઞાન એ આત્માને પ્રત્યક્ષ ગુણ છે. જાણનાર તે જ હું છું આત્મામાં વૃત્તિ નથી તેનું કારણ કષાય છે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ-નિવાસ” એવું થાય તે ઊંડે ઊતરે. તેથી જ્ઞાનની પ્રતીતિ થાય. જ્ઞાની દિવસને રાત કહે તેય માને એવી પ્રતીતિ થાય ત્યારે આત્મજ્ઞાન થાય. પોતાની બુદ્ધિનું દેવાળું કાઢવાનું છે. જ્ઞાની કહે તે જ માનવું. પરોક્ષ શ્રદ્ધા દઢ થઈ જાય છે તેમાંથી પ્રત્યક્ષ થાય. જ્ઞાનીને આધારે જે પરોક્ષ પ્રતીતિ થઈ તે જરાક આગળ વધે તે પ્રત્યક્ષ થઈ જાય. પણ જ્ઞાનીનું કહેવું માનવું બહુ અઘરું છે. ઘણા અંતરા દૂર થાય ત્યારે હું કંઈ નથી જાણતું એમ થાય. સત છે તે સરળ છે, સુગમ છે. માર્ગે ચઢયો તે બધું સરળ છે. સાંજે માળા ફેરવાશે, તેમાં લક્ષ રાખી મરણ સુધારવાને લક્ષ રાખ. ઊંઘ આવે, થાક લાગે પણ પ્રમાદ ન કરે. માથે જ મરણ છે એમ જાણ જ્ઞાનીએ કહેલું તે કરવું. પહેલી ત્રણ માળા આત્માને જ્ઞાન-દર્શન-સ્વભાવ સમજવા કહી છે. પછી અઠ્ઠાવીશ માળા મેહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિ ક્ષય કરવા ફેરવવાની છે. અને પાંચ માળા જ્ઞાનાવરણયની પાંચ પ્રકૃતિ જવા માટે છે. તેમાં એ જ લક્ષ રાખવું. સ્મરણમાં જ મન રાખવું. કાળજી રાખી એ માળાઓ ફેરવે તે કલ્યાણ થઈ જાય એવું છે. બે ત્રણ કલાક ધમ ધ્યાન થાય. પણ માથે મરણને ડર હોય તે થાય. કંઈક કંઈક જીવને દુઃખ રહે છે તે હિતકારી છે. ભગવાય તેટલું જાય છે. વેદની તે કલ્યાણકારી છે, પણ આધ્યાન થાય તે આવરણ કરનારી છે. (સાંજના ઉપર એક ભાઈ પ્રથમ આવેલા તેમને ઉદ્દેશીને...) | દિવાળીને દિવસે મહાવીર ભગવાને સમાધિમરણ કરેલું તેથી એ પર્વ કહેવાય છે. આ આશ્રમના સ્થાપનારા જે મહારાજ હતા તેમણે આ છત્રીસ માળા દિવાળીના દિવસોમાં ફેરવવાને ક્રમ રખાવ્યું છે તેમ અહીં ચાર દિવસ માળા ફેરવાય છે. જન્મમરણ છેડવા માટે કઈ પૂછે, તેને માટે આ યોજના કરી છે. આજ તે ધર્મ-તેરસને દિવસ છે. આજે જે ભક્તિ કરવાને નિયમ લેવાય તે ઘણે લાભ થાય એવું છે. કાળની પણ કેટલીક અસર થાય છે. [એ ભાઈ નિત્યનિયમ લેવા માટે તત્ત્વજ્ઞાન તથા ચિત્રપટ ઓફિસમાંથી લાવવા નીચે ગયા તે વખતે ] જીનું કેટલું પુણ્ય ચડ્યું હોય ત્યારે આ દરવાજામાં પગ મુકાય છે! અહીં આવે અને સદ્ભાવના થઈ જાય તે કામ થઈ જાય. ક્યાંથી ક્યાંથી જીવો આવી ચઢે છે! હું તે હમણાં દિશાએ જ જવાનો હતે પણ મનમાં એમ થયું કે ઉપર જઈને દર્શન કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380