Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 354
________________ સંગ્રહ ૫ ૩૨૭ છે કે હવે આ લખવાની પ્રવૃત્તિ પણ બંધ કરી દઈએ છીએ ધરી મીનતા એમ કહી સહજ સમાધિમાંય.” જગત પુદ્ગલને દેખે છે, પણ જ્ઞાની પિતાને દેખે છે. જ્ઞાની પુરુષ બધાં આકર્ષણથી દૂર થયા છે. તેઓ પિતાને દેખે છે. બીજા દેખતા છતાં પિતાને દેખતા નથી. જ્ઞાની પિતાને સાચવે છે, એ એમની બલિહારી છે. આખું જગત બધું પુદ્ગલ તરફ તાકી રહ્યું છે અને આ નિસ્પૃહ થઈ ગયા છે. (૪૩) ૭૬ શ્રીમદ્ રા. આ અગાસ, આસો વદ ૧૨, ૨૦૦૯ "आत्मज्ञानात् पर कार्य न बुद्धौ धारयेत् चिरम् । જીર્થયાત ઉદાત્ત7 વાયાક્યામતરપર: " (સમાધિશતક-૫૦) આત્મજ્ઞાન સિવાય બીજું મનમાં ઘણું વખત સુધી ધારી રાખવું નહીં. કદાચ બીજાં કામ કરવા પડે તે વાણી અને કાયાથી કરવાં, પણ મન તે આત્મજ્ઞાનમાં જ રાખવું. સ્મરણમાં ચિત્ત રાખવું. એ કરવા માટે જ મંત્ર મળ્યો છે. આ દેહમાં આત્મા કેઈ છે. તે જાણનારે છે. એમ વિચારમાં રહેવું. એનું સ્વરૂપ છે પદમાં કૃપાળુદેવે કહ્યું છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, જોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ છે પદમાં જ સમ્યગ્દર્શન રહેલું છે. “તરાર્થથદ્વાનં સભ્યમ્ ” એમ કહ્યું, પણ એ બધાં તમાં આત્મતત્વ મુખ્ય છે. એ જે જાણ્યું તે બીજા ત જણાય, આત્માને જાણ એ જ સમ્યગ્દર્શન છે. મુમુક્ષુ-તત્વાર્થસૂત્રના કર્તા જ્ઞાની પુરુષ હતા? પૂજ્યશ્રી–હા, જ્ઞાનીપુરુષ હતા. પૂજ્યશ્રી–બધાં કમૅમાં આઠ કર્મ મુખ્ય છે. આઠ કર્મમાં મેહનીય મુખ્ય છે. તે મોહનીયમાં પણ દર્શનમોહનીય મુખ્ય છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાંસુધી પિતાનું નહીં તેને પિતાનું માને, દેડ પિતાને નથી તેને પિતાને માને, દેડ પવિત્ર નથી તેને પવિત્ર માને, દેહ અનિત્ય છે તેને નિત્ય માને. વિપરીતતા એ મિથ્યાત્વનું મુખ્ય લક્ષણ છે. સમકિત થાય એવી સામગ્રી તો ઘણાને છે, પણ પુરુષાર્થ કરે તે થાય. મિથ્યાત્વનું સાચું ઓળખાણ થાય તે મિથ્યાત્વ રહે નહીં. “હે ભગવાન! હું બહુ ભૂલી ગયે” એમ જેને હોય તે સમકિતી જ હોય છે. કારણ કે સાચું જાણ્યું હોય તે જ લાગે કે અહે! હું ભૂલી ગયે હતે. મિથ્યાત્વ ઓળખાય તે ઊભું ન રહે. ૭૭ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૧૩, ૨૦૦૯ વેદના, રોગ વગેરે એ બધા સંગ છે. આત્મામાં એક વૈભાવિક શક્તિ છે તેથી એને જે સંવેગ મળે તે રૂપે પરિણમે છે. વેદનાનું મૂળ કારણ તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એ અગ્નિ જેવું છે. અનંતકાળ રઝળાવે એવું આ મિથ્યાત્વ છે. દેહ પોતાને નથી એવું સમજે. ત્યાંથી દેહાધ્યાસ ગયે. અને ત્યારપછી આત્મા વધારે વધારે બળવાન થતું જાય છે. અંતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380