Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 350
________________ ૩ર૩ સંગ્રહ ૫ તિક વાત છે. દેડ તે આત્મા નથી. વૈરાગ્ય નથી, તેથી ચોંટતું નથી. દેડ તે આત્મા નથી એ કંઈ જેવી તેવી વાત છે? દેડને જડ અને ચેતનને ચેતન જાણવાથી જ બધા સિદ્ધ થયા છે. દેહ તે આત્મા નથી, એટલું રહે તે દેહને દેખે તેય મેહ ન થાય. દેહમાં બધા રાગ-દ્વેષ મેહ થાય છે. દેહ તે કશું જાણે નહીં, જડ છે. કેવળ નિજ સ્વભાવનું, અખંડ વતે જ્ઞાન; કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ દેહથી છૂટી જવું સહેલું નથી. સમજણ હોય તે થાય. બાકી તે, બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહિ; વર્તે મહાશમાં, શુષ્કજ્ઞાની તે આહિ.” જીવ પરવસ્તુમાંથી પાછો વળતો જ નથી. દેહ તે આત્મા નથી, એટલું તે પહેલું કર, પછી બધું થશે. પાણીમાં જેમ કમળ જુદું રહે છે તેમ પછી રહે. કૃપાળુદેવના હૃદયમાં કેટલી સ્પષ્ટતા છે! ખરેખર ! જગતમાં ઉત્તમ વસ્તુ આ શબ્દ કહ્યા છે તે છે, એમ લાગે તે પ્રેમ થાય. આ વચનની જેટલી કિંમત લાગે તેટલાં ગ્રહણ થાય. દયાને લીધે એ શબ્દ નીકળ્યા છે. કૃપાળુદેવને દરેક શબ્દ મંત્ર જે છે પ્રેમની ખામી છે. બીજે પ્રેમ ઢળાઈ ગયે છે. એ વચને હૃદયમાં વસે તે જ્ઞાન થાય. પ્રારબ્ધ ગમે તેવું હોય, પણ ત્યાગ-વૈરાગ્ય એ તે પુરુષાર્થ છે. ભરત છ ખંડનું રાજ્ય કરવા છતાં મુનિ જેવા રહેતા. દેડનું માહાસ્ય લાગ્યું છે! તે તે ઘડે છે. જાજરા જે ગંધાતો છે. તેને હવે આત્મા માનો નથી. દેહનો મેહ જેમ ઓછો થશે તેમ આત્મા ભણી વળશે. આત્મા જેવી ઉત્તમ વસ્તુ, જે મોક્ષ આપે, તેને મૂકી દેહ જે ગંધાતો છે તેને પિતાને માને છે! દેહ પ્રત્યે મૂછ ન હોય તે જાડે, પાતળ, ગોર, કાળે હેય તેય કંઈ ન લાગે. મમતા છૂટી તે પછી ગમે તે દેહ રહે તેય શું? દેહ તે એક માથે ભાર છે. દેહથી આત્મા ભિન્ન છે. આ દેડથી હું ભિન્ન છું, એવું થયું નથી. પારકી પંચાતમાં બધા ભવ ગાળ્યા છે. આત્મા દેહ નથી, દેહ આત્મા નથી, એ એક નિર્ધાર કરી મૂકો. વ્યવહાર કરતાં એ ભૂલી ન જવાય એવું કરવું. અમારે તમારે બધાને આ વાત દઢ કરી હૃદયમાં કેતરી રાખવાની છે. જુદું તે જુદું જ એમ માનવું. જ્ઞાનીને આ જ એક મુખ્ય વસ્તુ કહેવી છે, એ જ વારંવાર લક્ષમાં રાખવું. મનુષ્યભવ એ ખરો લાગ આવ્યું છે. માટે વહેલું એ કરી લેવું નહીં તે મરણ બગાડે. “મારું માન્યું છે તેથી બીજી ચિન્તા કરે છે. બહુ ચેતવાનું છે. એમ ને એમ બફમમાં જતો રહ્યો તે પસ્તાવું પડશે. “આત્મા દેહ નથી એ ગાઢ રીતે હૃદયમાં દઢ કરી રાખવું. ઘડાને જેનાર જેમ ઘડાથી જુદો છે, તેમ દેહથી આત્મા જુદે છે. એ લક્ષ જીવને રહે તે સાવ સહેલી વાત છે. ચેટી જવું જોઈએ. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું કે આત્મા જુઓ, તે પ્રભુશ્રીજીને એવું ચેટી ગયું કે ત્યાર દિવસ ને આજની ઘડી એમને એ છૂટ્યું નથી. એવું કર્યા વિના છૂટકો નથી. “દેહ તે આત્મા નથી—એ સિદ્ધાન્ત હદયમાં ચૂંટી જાય તે પછી દેહ જડે થાય, પાતળું થાય, કાળે થાય, ગેર થાય તેય' કંઈ ન થાય. બધાને સાર આ છે. બધા જ્ઞાનીઓને જે કહેવું છે તેને આ જ સાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380