Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 348
________________ સંગ્રહ ૫ ૩ર૧ વહુને ઊંઘ આવી તેથી પૂતળી ખણણણ કરતી નીચે પડી ગઈ. ચેરે તે ગભરાઈ ત્યાંથી નાસી ગયા. પછી વહુની આંખ ઊઘડી ત્યારે નીચે ઊતરીને કહ્યું કે સાસુજી ! મને તે ઊંઘ આવી ગઈ, તમે પડી ગયાં? ક્યાંય વાગ્યું તો નથી ને? ત્યાં આગળ બહુ ઘરેણું પડ્યાં હતાં તે જોઈ સાસુજીને કહ્યું કે તમે તે મને બહુ ઘરેણું આપ્યાં. પછી બધાં ઘરેણાંનું પોટલું બાંધી સાસુજીને બગલમાં લઈ પિતાના ઘર તરફ ગઈ ને કમાડ ખખડાવ્યું. ઘરધણું બે, પાછી ક્યાંથી આવી? વહુએ કહ્યું કે તમે ખેલે તે ખરા, હું શું લઈને આવી છું તે જરા જુઓ! પછી કમાડ ઉઘાડ્યાં અને એને ઘરધણી બહુ રાજી થયો. કહેવાનું કે જેવું ઈ છે તેવું થઈ શકે છે. બીજું પછી એને ગમે નહીં. પ્રતિમાની ભક્તિમાં તલ્લીનતા થાય તે તેની સાથે વાત થાય, બધું થાય, મન વચન કાયા કર્મ બંધાવનાર છે તેને પરમાત્માની સાથે જોડે તે કલ્યાણ થાય. બધાનું મૂળ પ્રેમ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં ચિત્ત લીન થાય છે. જેનામાં શુદ્ધભાવ છે, એવા ભગવાનમાં લીનતા થાય તે ઘણું કર્મ ખપી જાય. સાચું અવલંબન મળવું જોઈએ. પછી પોતે પુરુષાર્થ કરવાનો છે. કષાય ટાળવાના છે. માનને જીવ સાથે લઈને જ ફરે છે. આખા જગતના શિષ્ય થવાનું છે તેને બદલે હું મેટો છું એમ કરે છે. કષાય હોય ત્યારે જીવને વિચાર ન આવે. કોધ શેકવા ક્ષમાની જરૂર છે. જે થાય તે ખમી ખૂદવું તે કર્મ છૂટે. ક્ષમા ઉપર ગજસુકુમારનું દષ્ટાંત કૃપાળુદેવે આપ્યું છે. પહેલો જણાય છે કોય, પણ એનું મૂળ માન છે. કેધ અને માન એ શ્રેષ છે અને માયા અને લેભ એ રાગ છે. એમ રાગદ્વેષના ચાર ભેદ છે. હું મારું હૃદયેથી ટાળ, પરમારથમાં પિંડ જ ગાળ.” (પ્રીતમદાસ) એ હદયમાં કતરી રાખવું. અહંભાવ ગયા વિના સમકિત ન થાય. હું ને મારું ઉપરથી નહીં પણ હૃદયથી ટાળ. સમજ્યા તે સમાયા. આત્મામાં હું, મારું કંઈ નથી. આત્માનું નામે ય નથી. મન, વચન, કાયા પરમાર્થ સાધવા માટે, આત્માને પરિપૂર્ણ કરવા માટે ગાળવાં. જવને અભ્યાસ કરવાનો છે. કષાય કાઢનારો કઈ બીજે છે? પિતે જ કાઢનાર છે. જે થાય તે ભલું માનવામાં આવે એવું કરવાનું છે. ભગવાને જોયું છે તેવું થવાનું છે. જીવને સંસારના પ્રસંગેનો અભ્યાસ થઈ પડ્યો છે. કેટલાય ભવ જીવે મેહમાં ગાળ્યા છે. જાતે પુરુષાર્થ કરી મોહની સામે થવાનું છે. [પત્રાંક ૪૨૫ ઉપર બધો ૭૨ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૭, ૨૦૦૯ જ્ઞાનીના માર્ગને વિચાર કરતાં જણાય છે કે કેઈપણ પ્રકારે મૂછપાત્ર આ દેહ નથી, તેને દુઃખે શેચવાયેગ્ય આ આત્મા નથી.” (૨૫) વેદનીના વખતમાં કેમ રહેવું? તે હવે લખે છે. જીવે દેહ ધારણ કર્યો છે તેમાં મારાપણું કરવા જેવું નથી. દેહાધ્યાસ છોડવાને છે. “છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ” દેહ મારે નથી એમ થાય તે દેહાધ્યાસ છૂટે. દેહ તે હું એમ થઈ ગયું છે, તે કેમ ખસે? એને આપણે ખાસ વિચાર કરવાનું છે. હું દેહ નથી, દેહ મારે નથી, ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380