Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 344
________________ સંગ્રહ ૫ પિતાને જ દોષ છે. સંતની પહેલી શિક્ષા એ છે કે તારે દેશે તને બંધન છે. “તારે દેષ એટલે જ કે અન્યને પિતાનું માનવું, પોતે પિતાને ભૂલી જવું” (૧૦૮) ૬૯ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૩, ૨૦૦૯ રેજ કંઈક આગળ વધવાનું કરવું. મનુષ્યભવમાં જે કરી લીધું તે ખરું. પછી કંઈ ન થાય. ધર્મની ભાવના જેને દઢ થઈ હોય તેણે બ્રહ્મચર્યવ્રત લેવાનું છે. આત્માનું કલ્યાણ કરવું હોય તેણે એમાં જ લક્ષ રાખવાનું છે. એ વ્રત લીધું એટલે સાધુ જ થઈ ગયા. મનુષ્યભવ મળે છે તે બહુ દુર્લભ છે. ક્ષણ ક્ષણ કરતાં કેટલાંય વર્ષ જતાં રહ્યાં. કેટલાં બધાં વર્ષ જતાં રહ્યાં ! યુવાન હોય કે વૃદ્ધ, બધાને એક વખતે જવાનું છે, છતાં જીવને એ નિશ્ચય નથી કે મારે આ ભવમાં સમાધિમરણ કરવું છે. એ લક્ષ હોય તે જ્ઞાનીએ જે કહ્યું હેય તે લક્ષમાં રહે. જ્ઞાનીનાં વચનો સમાધિ આપે એવાં છે, પણ જીવને ઉપગ તેમાં જ જોઈએ. જીવનું ચિત્ત સ્થિર થતું નથી. રાગદ્વેષ થયા જ કરે છે. અત્યારથી જાણે મરી જ ગયા એમ જાણું સમાધિમરણને પુરુષાર્થ કરવાનું છે. બેઠા બેઠા સ્મરણ કરવું. એ મંત્ર મરતી વખતે યાદ રહે તે સમાધિમરણ થાય. હરતાં ફરતાં સ્મરણ કરવું. મંત્રને અભ્યાસ વધારે કરવે, તે સમાધિમરણ થાય. આપણે જીવને વગર વાકે દંડીએ છીએ. શું કરવા જીવવું છે? એ વારંવાર વિચારવું. મનુષ્યભવ સફળ કરવા જ્ઞાનીની આજ્ઞા ઘડીએ ઘડીએ સાંભરે એવું કરવાનું છે. કાળની શી ખબર છે ? ઘડીક વારમાં મરી જાય છે. જેને પિતાનું જીવન સુધારવું હોય તેણે બધાં વ્રતનિયમ કરવાનાં છે. આત્મા ઓળખવા માટે બ્રહ્મચર્ય એ રેગ્યતા છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન.” (મે. ૩૪) એની આરાધના કરતાં સમ્યગ્દર્શન થાય છે. લક્ષ સમક્તિનો રાખવો. આજ્ઞા વગર ભક્તિ કરે તે પુણ્ય બંધાય, પણ મેક્ષનું કારણ ન થાય. મેક્ષનું કારણ તે જ્ઞાનીની આજ્ઞા આરાધશે ત્યારે થશે. મહના વિકલ્પથી આ સંસાર થાય છે, પણ આત્મામાં વૃત્તિ જાય તે કર્મ બંધાય નહીં. આત્મા કે છે? અનંત સુખનું ધામ છે. એના ધ્યાનમાં પુરુષો રાતદિવસ રહે છે. ત્યાં પરમ શાંતિ છે. એ જ અમૃત છે. તે પરમ પદને હું નમસ્કાર કરું છું. પ્રભુશ્રીજી કહેતા કે કેટલું પુણ્ય હશે ત્યારે આ દરવાજામાં પગ મુકાશે. જે થાય તે ભલું માનવું. આત્માનું કામ કરી લેવાનું છે. અનુકૂળતા હોય તે અહીં આવવાનું છોડવું નહીં. કામ કંઈક કરી લેવું. ૭શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૬, ૨૦૦૯ મુમુક્ષુ–“છે તે છે; પણ મન વિચાર કરવા શક્તિમાન નથી.” (૫–૨૬) એટલે શું? પૂજ્યશ્રીછે તે છે એટલે આત્મા છે, પણ એ કહેવાય એવી વસ્તુ નથી, મનથી વિચારાય એવી વસ્તુ નથી. જ્યારે મન વિલય થાય ત્યારે આત્માને અનુભવ થાય. સંકલ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380