Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 338
________________ સંગ્રહ ૫ ૩૧૧ પ્રીતિ અનંતી પર થકી, જે તેડે હો તે જોડે એહ;” પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુર બસેં; વહ કેવલ બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભ બતલાઈ દિયે.” સંસારી નાશવંત વસ્તુઓમાં પ્રેમ છે, ત્યાંથી જ્ઞાની પ્રત્યે થાય તે આત્મા પ્રગટ થાય. પહેલાંના જીવ બહુ સરળ હતા. જ્ઞાનીએ કહ્યું હોય તે એમને સારું લાગતું. એને તે ઉપર ઉપરથી સારું લાગે છે અને અંદર તે પાછું બીજું. લાખ રૂપિયાની વાત, પણ જવ, “આપણે શું કરીએ? જ્ઞાની પુરુષ તે કહે,”એમ કરી કાઢી નાખે છે. જ્ઞાની પ્રત્યે પ્રેમ ત્યારે થાય કે જ્યારે બીજે બધેથી પ્રેમ ઊઠે. કૃપાળુદેવ તે દુકાને બેઠા બેઠા જ્ઞાની પુરુષને સંભારતા. હીરામાણેક એમને માટીના ગળફા (પૃથ્વીને વિકાર) જેવા લાગતા. આપણાં અહેભાગ્ય કે આવા જ્ઞાનીનાં વચને આપણું કાનમાં પડે છે. સરળ જીને પકડ થાય તે છૂટે નહીં. એ કામ કાઢી નાખે છે. પ્રાણ જતા હોય તે ભલે પણ જ્ઞાની પુરુષનું કહેવું જ મારે કરવું છે. જ્ઞાનીએ કહ્યું તે જ કરવાનું છે. જે કંઈ વાત જ્ઞાની કહે તે પકડી લેવી. પહેલાંના જેને જ્ઞાનીનું માહાભ્ય હતું. આજે તે જ્ઞાનીનાં વચનનું પુસ્તક હાથમાં આવ્યું હોય અને કઈ પાંચપચીસ રૂપિયા આપે તે આપી દે છે. સત્સંગમાં સાંભળેલું ભૂલવા જેવું નથી. સંસારમાં સાવ ઉદાસીનતા એટલે પ્રીતિ નહીં. કોઈના ગુણ જોઈ આ ધન્ય છે એમ ગુણની પ્રશંસા કરવી. કેઈન અલ્પ પણ ગુણ જોઈ રાજી થાય, એ પ્રમોદભાવના છે. પિતામાં અલ્પ પણ જ્યાં સુધી દોષ હોય ત્યાંસુધી જંપવા જેવું નથી. પિતાના પિતાને જ કાઢવા પડશે. મુમુક્ષુ હોય તે દોષને દેખી ટાળે. અ૯૫ પણ દોષ હોય ત્યાં સુધી મેક્ષે ન જવાય. અને છેલ્લી વાત બહુ અગત્યની છે. પિતાનામાં ગુણે પ્રગટયા હોય તે છલકાવું નહીં, પણ પિતાના દોષ દેખી તે નાશ કરવા અત્યંત આત્મબળ ફેરવવું. એ ચાર વાતને સત્સંગમાં હોઈએ ત્યારે લક્ષ રાખ ચોગ્ય છે. મરતાં સુધી યાદ રાખવાની છે. આપણે લક્ષ રાખી એ કરવું છે, એવા થવું છે. પુરુષાર્થ વધારે તે વધે અને દેશે બધા જાય. પુરુષાર્થ રહેવું. જે ઈ પરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહીં આત્માર્થ.” ભગવાને ગણધર જેવાને પણ કહ્યું કે “સમય માત્રને પણ પ્રમાદ ન કરે” કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી એ કહેવું છે. કૃતકૃત્ય થયા હોય તેને કહેવું નથી. જે જે પદાર્થ નિવૃત્તિ આપે એવા હોય તે નિવૃત્તિદ્રવ્ય છે. નિવૃત્તિવાળું ક્ષેત્ર હોય તેથી કામ કરી લેવું. કૃપાળુદેવે લખ્યું છે કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? પ્રભુશ્રીજીએ આ કરી આપ્યું. જેને આત્માનું કલ્યાણ કરવું છે તેને તે આ આશ્રમ તપવન જેવું છે. નિવૃત્તિને માટે કાળ વધારે કાઢે તે નિવૃત્તિકાળ અને સંકલ્પવિકપમાં ન જાય તે નિવૃત્તિભાવ છે. સત્સંગને યોગે પણ જ્ઞાનીને શરણે જ રહેવું છે. જ્ઞાનીએ જાણ્યું તે સાચું છે. એમ જાણી સત્સંગ કરે. પ્રભુશ્રીજી નાસિકથી પધાર્યા ત્યારે કહ્યું કે સત્સંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380