Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 231
________________ પચ્ચક્ખાણ ભાષ્ય ૨૨૯ તથા “અન્નત્થ” (એટલે વર્જીને) એ શબ્દ જેમ “અનાભોગ” શબ્દ સાથે જોડવામાં આવ્યો છે, તેમ આગળ કહેવાતા સહસાકાર વગેરે બીજા આગારો સાથે પણ સંબંધવાળો છે, જેથી અન્નત્યં સહસાગારેણં-અન્નત્યં મહત્તરાગારેણં-અત્રત્ય સવ્વસમાહિ-વત્તિયાગારેણં ઇત્યાદિ રીતે સર્વે આગારમાં “અન્નત્થ” શબ્દ અનુસરે છે, પરંતુ ઉચ્ચારમાં વારંવાર ન બોલવાના કારણથી એ શબ્દને પહેલા (“અન્નત્થ’ પદનું) અનુસરણ-સંબંધ તે દરેક પેટા પચ્ચ૦ ના પ્રારંભમાં અનુસરતા “ઉગ્ગએ સૂરે વા સૂરે ઉગ્ગએ” ના પાઠવત્ અને પર્યન્તમાં અનુસરતા “પચ્ચક્ખાઈ વા વોસિરઇ”ના (પાઠવત્) *આવે છે એમ જાણવું. તથા સહસા એટલે એકદમ (=અણધાર્યું-અચાનક-ઓચિંતુ-અકસ્માત્) કોઇ કાર્ય થઈ જાય કે જે કાર્ય પોતે જાણી જોઈને ન કર્યું હોય, તેવાં સહસા કાર્યનો (=તેવા અકસ્માત્ કાર્યનો) જે આગાર=માર (=છૂટ) તે સહસાગર કહેવાય, જેમકે-ઉપવાસનું પચ્ચ∞ કર્યું હોય, અને છાશ વલોવતાં છાશનો છાંટો ઊડીને પોતાની મેળે મુખમાં પડી જાય તો તે સહસાકાર કહેવાય, માટે એવા સહસાકારથી પણ પચ્ચનો ભંગ ન ગણાય, તે કારણથી સજ્જારેનં આગાર રાખવામાં આવે છે. તથા મેઘ વડે અથવા આકાશમાં મહાવાયુથી ચઢેલી ધૂળ વડે અથવા પર્વત વગેરેની આડથી સૂર્ય ઢંકાઈ જવાથી દિવસ કેટલો ચઢ્યો છે ? તેની સ્પષ્ટ ખબર પડે નહિ, અને તેથી અનુમાનથી પોરિસી વગેરે પચ્ચનો કાળ પૂર્ણ થયો જાણી તે પ૦ પારવામાં આવે, પરંતુ વાસ્તવિક રીતે પચ્ચનો કાળ પૂર્ણ ન થયો હોય તો તેવા પ્રસંગે કરેલા પચ્ચનો ભંગ ન થાય તે માટે પચ્છન્નત્તેિણં (મેઘ વગેરેથી ઢંકાયેલા કાળ વડે ભૂલથી અપૂર્ણ કાળે પચ્ચ૦ પારી લેવાય તો પણ પચ્ચ૦ ભંગ ન થાય એવો) આગાર રાખવામાં આવે છે. પરંતુ અહીં પચ્ચનો કાળ હજી પૂર્ણ નથી થયો એમ જાણવામાં આવે તો તુર્ત જ જમતાં જમતાં અટકી જવું, અને તેમજ બેસી રહેવું. પછી જ્યારે પચ્ચનો કાળ પૂર્ણ થાય ત્યારે શેષ ભોજન જમવું, અને જો કાળ પૂર્ણ નથી થયો એમ જાણ્યા છતાં પણ જમવાનું ચાલુ જ રાખે તો પચ્ચ૦ નો ભંગ થયો જાણવો. *જુઓ ગાથા ૯ મીનો ભાવાર્થ.

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276