Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 250
________________ ૨૪૮ ભાષ્યત્રયમ્ એ પ્રમાણે ૬ ભક્ષ્ય વિગઈનાં ૩૦ નીવિયાતાં સંક્ષેપમાં આ પ્રમાણે દૂધનાં ૫ ઘીનાં ૫ દહીંના ૫ ૧ પય:શાટી ૧ નિર્ભજન ૧ કરમ્બ ૨ ખીર ૨ વિસ્પંદન ૨ શિખરિણી ૩ પેયા ૩ પફવૌષધિ તરિત ૩ સલવણ દધિ ૪ અવલેખિકા ૪ કિટ્ટિ ૪ ઘોલ ૫ દૂગ્ધાટી ૫ પફવદ્યુત ૫ ઘોલવડાં તેલનાં ૫ ગોળનાં ૫ પકવાન્નનાં ૫ ૧ તિલકુટ્ટી ૧ સાકર ૧ દ્વિતીય પૂડલો ૨ નિર્ભજન ૨ ગુલવાણી ૨ ચતુર્થ ઘાણાદિ ૩ પફવતેલ ૩ પાક ગુડ (ગુડપતિ) ૩ ગુડધાણી ૪ પફવૌષધિ તરિત ૪ ખાંડ ૪ જલલાપસી ૫ તિલમલિ ૫ અર્ધવથિત ઈશ્કરસ ૫ પોતકૃત પૂડલો એ ૩૦ નીવિયાતાં સામાન્યથી મુખ્ય મુખ્ય કહ્યાં, પરંતુ તે દરેક વિગઈના રૂપાન્તરથી થતાં બીજાં પણ અનેક નીવિયાતાં છે, તે બીજા ગ્રંથોથી જાણવાં. માવતર :-“ગિહત્ય સંસર્ણ” એ આગારથી પૂર્વે આયંબિલમાં કહ્યું એવાં દ્રવ્યો કહ્યાં છે, અને હવે આ ગાથામાં એ જ આગારથી નીલિમાં તથા વિગઈના પચ્ચક્ખાણમાં કહ્યું એવાં ગૃહસ્થસંસૃષ્ટ દ્રવ્યો કયાં કયાં ? તે દર્શાવાય છે. તૈલાદિ સ્નિગ્ધ દ્રવ્યોમાં અવગાહવા વડે ( બોળાઈને) જે પફવ થાય તે મવદિમ પણ એ પાંચ નીવિયાતવાળી પફવાન્ન વિગઈનું જ નામ છે. એ અર્થ પ્રમાણે છેલ્લાં ત્રણ નીવિયાતાં ઘણા ડૂબાડૂબ ઘી-તેલમાં તળાતાં નથી તો પણ પોતે ચૂસી શકે એટલા ઘી-તેલમાં પણ તળાય વા શેકાય છે, માટે પકવાન્નના નીવિયાતામાં જ ગણાય, વળી ચોમાસી પ્રતિક્રમણ વગેરે પ્રસંગે પફવાન્નનો કાળ કહેવામાં આવે છે, ત્યાં પફવાઝ શબ્દથી ઘણા ડૂબાડૂબ ઘીમાં તળેલી ચીજોનો જ કાળ કહેવાય છે એમ નથી, પરંતુ શેકાવા જેવી ચીજોને પણ પફવાન્ન તરીકે ગણીને જ તેનો કાળ કહેવામાં આવે છે. વળી પોતકૃત પૂડલાઓને પણ પોતું માત્ર દીધેલું હોવા છતાં પૂડા શેક્યા કહેવાતા નથી, પરંતુ પૂડા તળ્યા કહી શકાય છે, માટે ડૂબાડૂબ ઘી વડે “તળવું” એમ અવગાહન જેટલા અલ્પ ઘી વડે “તળવું વા શેકવું” એમ કહેવાની પ્રવૃત્તિ છે. તે પ્રમાણે એ ત્રણે નીવિયાતાં પફવાઝનાં નીવિયાતાં ગણી શકાય છે.

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276