Book Title: Bhartiya Darshano ma Ishwar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 50
________________ ૧૦૨ ભારતીય તત્ત્વજ્ઞાન સર્વજ્ઞતાની વાત તો દૂર જ રહેશે, કારણ કે ઈશ્વરને પ્રત્યેક કાર્યના કર્તા માનવા ઉપર જ એની સર્વજ્ઞતા નિર્ભર છે. """ (૧૬) નિત્ય તથા સર્વવિષયક જ્ઞાનથી સંપન્ન જગત્કર્તા સિદ્ધ થતો નથી. તેના જ્ઞાનની નિત્યતા સિદ્ધ થતી જ નથી, કારણ કે વિષય ક્રમિક છે; તેથી વિષયસાપેક્ષ જ્ઞાન પણ ક્રમિક જ થરો અને જ્ઞાનનું ક્રમિહ્ત્વ જ જ્ઞાનની અનિત્યતાનું સાધક છે. ઈશ્વરનું જ્ઞાન પણ ક્રમિક જ થશે. તેથી તે નિત્ય ન હોઈ શકે.૦૨ (૧૭) પ્રયોજન વિના તો મૂર્ખ પણ કાર્યમાં પ્રવૃત્ત થતો નથી. હવે પ્રશ્ન એ થાય છે કે ઈશ્વર કયા પ્રયોજને જગતનિર્માણમાં પ્રવૃત્ત થાય છે ? અહીં નીચે પ્રમાણે સાત વિક્લ્પો થઈ શકે છે-કોઈ બીજાની પ્રેરણાથી પ્રવૃત્ત થાય છે ? પોતાની રુચિથી અર્થાત્ ઇચ્છાથી પ્રવૃત્ત થાય છે ? જીવોનાં કર્મોને અધીન પ્રવૃત્ત થાય છે ? પ્રાણીઓ પ્રત્યેની કરુણાને કારણે પ્રવૃત્ત થાય છે ? ક્રીડા અર્થાત્ લીલા કરવા માટે પ્રવૃત્ત થાય છે ? સજ્જનો પર અનુગ્રહ કરવા તેમ જ દુષ્ટોને દંડ દેવા માટે પ્રવૃત્ત થાય છે ? કે જગન્નિર્માણ કરવું તેનો સ્વભાવ છે તેથી પ્રવૃત્ત થાય છે ? પ્રથમ વિકલ્પ ઘટતો નથી. જો તે કોઈ બીજાની પ્રેરણાથી, પોતાની ઇચ્છા ન હોવા છતાં, જગન્નિર્માણમાં પ્રવૃત્ત થતો હોય તો તેના સ્વાતન્ત્યની રક્ષા થશે નહિ. અને સ્વાતન્ત્યના અભાવમાં સામાન્ય પુરુષ અને આ લોકોત્તર પુરુષ (ઈશ્વર)માં શું ભેદ રહેશે ? બીજો વિકલ્પ પણ ઘટતો નથી. જો ઈશ્વર પોતાની ઇચ્છા અનુસાર જેવું મનમાં આવે તેમ જગતનું સર્જન કરતો હોય તો ઈશ્વરની કોઈ વાર અન્ય પ્રકારની ઇચ્છા થતાં વિલક્ષણ પ્રકારની પણ સૃષ્ટિ (જગત) હોઈ શકે છે. ઈશ્વર સ્વતન્ત્ર છે. એની ઇચ્છા પર કોઈ અંકુશ નથી. તેથી બીજા પ્રકારનું જગત બનાવવાની ઇચ્છા સંભવે છે. પરંતુ હજુ સુધી તો જગતનું એક જ રૂપ એકસરખું જ દેખાય-સંભળાય છે, અન્ય પ્રકારનું જગત ન તો દેખ્યું છે ન તો સાંભળ્યું છે. ત્રીજો વિકલ્પ પણ ઘટતો નથી. જો ઈશ્વર જીવોના કર્મોને અધીન રહી જગતનું નિર્માણ કરતો હોય તો એની સ્વતન્ત્રતા કચાંથી રહેશે ? તે ઈશ્વર શેનો ? તે તો કેવળ જીવોનાં કર્મોનો હુક્મ પાળનાર એક સાધારણ મેનેજર જેવો બની જશે. ચોથો વિકલ્પ પણ ઘટતો નથી. જો ઈશ્વર પ્રાણીઓ પ્રત્યેની કરુણાથી પ્રેરાઈ જગન્નિર્માણ કરતો હોય તો તેણે નિર્માણ કરેલા જગતમાં દુઃખ હોવું જ ન જોઈએ. ન્યાયવેરોષિક કહેરો ઃ ‘‘ઈશ્વર શું કરે ? દુઃખી જીવ પોતાનાં પૂર્વજન્મોમાં કમાયેલાં કર્મોને ભોગવે છે. દયાળુ ઈશ્વર તો એમનાં પાપકર્મોને ભોગવવા માટે દુઃખની સામગ્રી પૂરી પાડી એમના પર ઉપકાર કરે છે. તેઓ પોતાનાં દુષ્કર્મોને ભોગવી તેમનાથી છૂટકારો મેળવે છે.’’ આના ઉત્તરમાં કહેવું જોઈએ કે જો સુખ દુઃખ જીવોને તેમનાં કર્મો અનુસાર જ મળતાં હોય તો ઈશ્વરે શું પુરુષાર્થ કર્યો ? ઈશ્વર કરતાં ચડિયાતી તો ર્મની શક્તિ છે એ પુરવાર થયું. જો ઈશ્વરે પણ છેવટે કર્મોને વશ થઈને જ નાચવું પડતું હોય તો વચમાં દલાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84