Page #1
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
ઈશ્વર પરત્વે ભારતીય દાર્શનિકો બે વર્ગમાં વહેચાઈ જાય છે. એક વર્ગ નિત્યમુક્ત જગત્કર્તા એક આત્માને ઈશ્વર ગણે છે. નિત્યમુક્તનો અર્થ એ છે કે જે ભૂતકાળમાં કદી બદ્ધ નહતો, વર્તમાનમાં બદ્ધ નથી અને ભવિષ્યમાં બદ્ધ થવાનો નથી. બીજો વર્ગ સાધના કરી કલેશમુક્ત વીતરાગ થઈ જીવોને રાગમુક્ત થવાનો - મોક્ષમાર્ગનો - ઉપદેશ આપનાર જીવન્મુક્તને ઈશ્વર ગણે છે. આ બીજો વર્ગ નિત્યમુક્ત જગત્કર્તા ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતો નથી. તેના મતે તો જીવન્મુક્ત ઉપદેછા જ ઈશ્વર છે. હવે આપણે એક પછી એક દર્શનને લઈ તેની ઈશ્વર વિશેની માન્યતાને તપાસીશું. જૈનદરનમતે ઈશ્વર
જેનદર્શન નિત્યમુક્ત જગર્તા ઈશ્વરને માનતું નથી. આવા ઈશ્વરની માન્યતામાં રહેલા દોષોને જૈન ચિંતકોએ દર્શાવ્યા છે. તેમનું નિદર્શન યથાસ્થાને કરીશું.
જૈન તીર્થકરને જ ઈશ્વર ગણે છે. તીર્થંકર, અહંતુ, જિન એ પર્યાયરાબ્દો છે. ગૃહવાસનો ત્યાગ કરી શ્રમણત્વ(મુનિપણું) સ્વીકારી યોગસાધના દ્વારા રાગદ્વેષનો આત્યંતિક ક્ષય કરી આત્મિક શક્તિઓનું આવરણ કરનાર બધાં જ કર્મોનો ધ્વંસ કરી કેવળજ્ઞાન પામ્યા પછી મોક્ષમાર્ગનો ઉપદેશ આપનાર અને શ્રમણસંઘની સ્થાપના કરનાર તીર્થંકર છે. મોક્ષમાર્ગોપદેશ અને શ્રમણસંઘ સંસારસાગર તરી જવા માટે તીર્થ છે. સાધના દ્વારા વીતરાગ બનનાર આ તીર્થંકર જ વીતરાગતાના માર્ગનો-મોક્ષમાર્ગનો ઉપદેશ આપવા યોગ્ય છે, સમર્થ છે.
આત્મિક શક્તિઓનું આવરણ કરનાર સર્વકર્મનો ક્ષય તીર્થંકરે ક્ય હોઈ તેનામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય એ સ્વભાવભૂત અનંત ચતુષ્ટય પૂર્ણરૂપે પ્રગટ થયું છે. સામાન્ય કેવલી પણ સાધના કરી વીતરાગ બને છે અને આત્મિક શક્તિઓનું આવરણ કરનાર સર્વ કર્મોનો ક્ષય કરે છે, પરિણામે તે પણ અનંતચતુષ્ટયનું પૂર્ણ પ્રાકટ્ય ધરાવે છે. પરંતુ તે મોક્ષમાર્ગનો ઉપદેશ આપતા નથી કે શ્રમણસંઘની સ્થાપના કરતા નથી. આ સ્પષ્ટ કરે છે. સામાન્ય કેવલીથી તીર્થકરનો ભેદ. જીવોના પરમ ઉપકારક હોવાથી તીર્થંકર પરમ અહિત છે. જેનો તીર્થંકરને ઈશ્વર ગણે છે. પોતાનામાં પણ તીર્થંકરના ગુણો વીતરાગતા આદિ કેળવાય એ ઉદ્દેશથી જ જેનો વીતરાગ તીર્થંકરની પૂજા કરે છે. આમ જૈનોના તીર્થકર અન્ય ભારતીય દર્શનોમાં સ્વીકૃત જીવન્મુક્ત જ
Page #2
--------------------------------------------------------------------------
________________
૫૪
ભારતીય તત્ત્વજ્ઞાન છે જીવન્મુક્તની જેમ તેમને પણ પુનર્ભવ નથી. જે જન્મમાં તે વીતરાગ બની તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે તે તેમનો છેલ્લો જન્મ છે. આ અંતિમ જન્મમાં સર્વ પૂર્વકૃત કર્મોને તે ભોગવી લે છે. તે સ્વયંસંબુદ્ધ છે.
જૈન મતે ઉત્સર્પિણી અને અવસર્પિણી એ નામના કાળચક્રના બે મોટા અર્ધચક્ર વિભાગ છે જે વારાફરતી આવ્યા કરે છે. તે દરેક કાળવિભાગને છ ભાગોમાં વિભક્ત કરી દરેક ભાગને ‘અર” નામ આપ્યું છે. દરેક અર્ધચક્રના ત્રીજા અને ચોથા અરમાં જ તીર્થકરો. થાય છે અને તેમની સંખ્યા ૨૪ જ હોય છે.
અનંત ચતુષ્ટયના પૂર્ણપ્રાગટયનું ધારકત્વ અને મોક્ષમાર્ગોપડેyત્વમ તીર્થંકરને ઈશ્વર ગણવાનું કારણ છે. ભૂતકાળમાં કદી બદ્ધ ન હોવું એ લક્ષણ ઈશ્વરને માટે જરૂરી નથી. જૈનોને મતે સૃષ્ટિ અનાદિ-અનંત છે, એટલે તેને કોઈએ અમુક કાળે સર્જી એ માન્યતા એમને રૂચિકર નથી. ઈશ્વરનું સૃષ્ટિકર્તુત્વ તેમને તદોષોથી દૂષિત લાગે છે. એ દોષોનું નિરૂપણ યથાસ્થાને કરીશું. બૌદ્ધમતે ઈશ્વર
બૌદ્ધોનો મત જૈનમતથી ભિન્ન નથી. બૌદ્ધમતે પણ પ્રવ્રજ્યા લઈ સાધના કરી ચિત્તની સઘળી દુર્ઘત્તિઓ રૂ૫ માર ઉપર વિજય કરી સંબોધિ પ્રાપ્ત કર્યા પછી ધર્મચક્રનું પ્રવર્તન કરનાર બુદ્ધ જ ઈશ્વર છે. બોદ્ધો નિત્યમુક્ત જગત્કર્તા ઈશ્વરને માનતા નથી. આવા ઈશ્વરની માન્યતાનું તેઓ તપુરઃસર દઢતાપૂર્વક ખંડન કરે છે. એમની આવા ઈશ્વરવિરોધી દલીલો યથાસ્થાને જોઈશું.
આમ બૌદ્ધોના ઈશ્વર બુદ્ધ એક માનવ તરીકે જન્મી સાધના કરી સંબોધિ પ્રાપ્ત કરનાર અને પ્રાણીઓને દુઃખમુક્તિનો માર્ગ બતાવનાર મહાપુરુષ છે. બુદ્ધ એક નથી. અનેક બુદ્ધો થયા છે અને થશે. આમ સ્થવિરવાદ અનુસાર બુદ્ધ એક માનવ હતા. એ કોઈ લોકોત્તર વ્યક્તિ ન હતા. સામાન્ય માનવીની જેમ જ જમ્યા, ઉછર્યા, પરણ્યા વગેરે. તેમનું શરીર માનવીના શરીર જેવું જ હતું. સાધના દ્વારા તેમણે મારવિય કર્યો, ચિત્તવિશુદ્ધિ પામ્યા, સંબોધિ પ્રાપ્ત કર્યું, ધર્મચક્ર પ્રવર્તન કર્યું અને છેવટે નિર્વાણ પામ્યા. જે ત્રદ્ધિઓ સામાન્ય માણસ પણ સાધના દ્વારા પ્રાપ્ત કરી શકે તે ઋદ્ધિઓ તેમણે પ્રોત કરી હતી. તેમની ઋદ્ધિ-સિદ્ધિ તેમને માણસ મિટાવી લોકોત્તર બનાવી દેતી નથી. આમ અન્ય દર્શનોમાં સ્વીકૃત જીવન્મુક્ત ઉપદેશ સાથે બુદ્ધનું અત્યંત સામ્ય છે.
પરંતુ મહાયાને બુદ્ધને લોકોનાર બનાવી દીધા. મહાયાનીઓને મતે બુદ્ધનું શારીર (રૂપકાય, સંભોગકાય) નિરાસ્રવ છે, તેને જન્મ-જરા-મૃત્યુ-રોગ-આદિ દોષો નથી. તે દિવ્ય કાયા છે, લોકોત્તર છે. તે મનુષ્યલોમાં કદી આવતી જ નથી. તે દિવ્યલોકમાં જ નિત્યવસ્થિત છે. તેનું આયુ અનંત છે. બોધિપ્રાપ્તિ પછી કલ્પો સુધી પરિનિર્વાણમાં પ્રવેશ ન કરીને બુદ્ધો જીવોનું કલ્યાણ કરતા રહે છે. એટલે એમની રૂપકાયા પણ એવી
Page #3
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર હોવી જોઈએ જે કલ્પો સુધી ટકી રહી એમના સર્વસત્ત્વકલ્યાણના સંકલ્પને પાર પાડે. આવી રૂપકાયા દિવ્ય રૂપકાયા જ હોય, આ દિવ્ય રૂપકાયા જ સંભોગકાય છે. આ કાયા બુદ્ધોને પુણ્યકર્મોના ફળરૂપે પ્રાપ્ત થાય છે, તેથી બુદ્ધની સંભોગમાયાઓ સમાન નથી અને પુણ્યલક્ષણો ધરાવે છે. સંભોગકાયને યા રૂપકાયને નાનારૂપવાળી કહી છે કારણ કે અનેક રૂપો (= નિર્માણકાયો પ્રગટ કરવાની વિભૂતિ તે ધરાવે છે. આ વિભૂતિને વિભુતા તરીકે ઓળખવામાં આવે છે. સંભોગકાય દ્વારા વિપુલ ધર્મસુખનો ભોગ થાય છે. સંભોગકાય વિભુતા અને સંભોગનો હેતુ છે. બુદ્ધોને પોતપોતાનો દિવ્યલોક હોય છે. તેમને બુદ્ધક્ષેત્રો કહેવામાં આવે છે. બુદ્ધક્ષેત્રમાં જન્મ લેનાર અહંતો અને બોધિસત્ત્વોને બુદ્ધ સંભોગકાય દ્વારા મહાયાનો ઉપદેશ આપે છે. મહાયાનના ઉપદેશ માટે સંભોગકાય જ યોગ્ય છે. સ્થવિરવાદને મતે બુદ્ધની રૂપકાય માનુષી, સાચવ, લૌકિક છે, જ્યારે મહાયાનને મને તે દિવ્ય, નિરાસ્રવ અને લોકોત્તર છે.
મહાયાનને મતે બુદ્ધક્ષેત્ર (દિવ્ય લોક) સિવાય બીજે ક્યાંય બુદ્ધની રૂપકાય નથી. તેથી મનુષ્યલોકમાં જે બુદ્ધ આવ્યા હતા તે નિર્મિતબુદ્ધ હતા. મનુષ્યલોક વગેરે લોકમાં રહેલા પ્રયજનોને યા શ્રાવકોને ઉપદેશ આપવા માટે બદ્ધ નિર્માણકાયોનું નિર્માણ કરી મોકલે છે. નિર્માણકાય માયિક રૂપકાય છે કારણ કે તેમાં વાસ્તવિક બુદ્ધચિત્ત (અર્થાત્ બુદ્ધ) હોતું નથી. તેમાં માયિક ચિત્ત (નિર્માણચિત્ત) પણ હોતું નથી કારણ કે બૌદ્ધ ધર્મ નિર્માણચિત્ત માન્યું જ નથી. વાસ્તવિક બુદ્ધચિત્ત જ નિર્માણકાનું નિયામક છે. સંભોગકાયસ્થ (રૂપકાયસ્પ) બુદ્ધચિત્ત નિર્માણકાયનું નિયમન કરે છે. આ ચિત્તને વશવર્તી તેના આદેશ અનુસાર સર્વ કાર્યો નિર્માણ કાર્ય કરે છે. એક સંભોગકાય અનેક નિર્માણકાર્યોનું નિર્માણ કરી શકે છે.
આમ મહાયાનના બુદ્ધ લોકોત્તર છે, દિવ્યલોકમાં જ નિત્યવસ્થિત છે, દિવ્યલોકમાં બોધિસત્ત્વોને મહાયાનનો ઉપદેશ આપે છે, તેમનું શરીર (રૂપકાય, સંભોગકાય) નિરાસવ છે, તે મનુષ્યલોકમાં આવ્યા જ નથી, મનુષ્યલોકમાં તો બુદ્ધે પોતે પોતાની નિર્માણ કાયાને શ્રાવક-ઉપાસકોને હીનયાનનો ઉપદેશ આપવા મોકલી હતી.
આમ મહાયાને બુદ્ધને લોકોત્તર બનાવી દીધા. તેમ છતાં તે જગક્ત નથી. તે કેવળ દુખમુક્તિના માર્ગના ઉપદેણા જ છે. તે ઉપદેશ દ્વારા પ્રાણીઓનો ઉપકાર અને ઉદ્ધાર કરે છે. નિર્માણકાર્યોનું નિર્માણ પણ તે તેના દ્વારા ઉપદેશ આપવાનું પ્રયોજન સિદ્ધ કરવા જ કરે છે. ઉપદેશકાર્ય તેમનું મુખ્ય કાર્ય છે. સાંખ્યનો નિરીશ્વરવાદ
સાંખ્યદર્શન નિરીશ્વરવાદી છે. અર્થાત્, તે નિત્યમુક્ત જગન્ત ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતું નથી. સાંખ્યસિદ્ધાન્તમાં ઈશ્વર જગતનો સટ્ટા નથી. પ્રકૃતિમાંથી જગતની ઉત્પત્તિ થાય છે. સૃષ્ટિનું ઉપાદાનકારણ છે પ્રકૃતિ અને નિમિત્તકારણ છે જીવન
Page #4
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન ધર્માધર્મ. જીવોના ધર્મધર્મ અનુસાર તેમના ભોગ અને અપવર્ગ માટે પ્રકૃતિ વિચિત્ર જગતનું સર્જન કરે છે. સૃષ્ટિના પ્રારંભે કર્માધીને પુરુષોના સંસ્પર્શના પ્રભાવે પ્રકૃતિની સામ્યવસ્થાનો ભંગ થાય છે અને સૃષ્ટિક્રિયાનો પ્રારંભ થાય છે.'
સાંખ્યકારિકાના ટીકાકાર વાચસ્પતિ પોતાની સાંખ્યતત્ત્વકૌમુદી(કારિકા-૫૭)માં સૃષ્ટિવ્યાપારમાં ઈશ્વરની અપેક્ષા પુરવાર કરનારું કોઈ પ્રમાણ નથી એમ જણાવે છે. જગત્કર્તા ઈશ્વરના સમર્થકો કહે છે કે અચેતન અને અજ્ઞ પ્રકૃતિ વિચિત્ર જગતનું સર્જનન કરી શકે; વળી, તેતે દેહસ્થ જીવાત્માઓ પ્રકૃતિના પ્રેરક બની જગતનું સર્જન કરી શકે નહિ કારણ કે તેઓ પ્રકૃતિના સ્વરૂપથી અજ્ઞાત છે; એટલે સર્વદર્શી નિત્ય ઈશ્વર જ પ્રકૃતિના સૃષ્ટિકાર્યનો પ્રેરક બની શકે. આ આપત્તિના ઉત્તરમાં વાચસ્પતિ જણાવે છે કે વત્સપોષણ માટે ગાયના સ્તનમાંથી જેમ અા દૂધ ઝરે છે તેવી રીતે પુરુષના ભોગ અને મોક્ષ માટે અજ્ઞા પ્રકૃતિ સૃષ્ટિકાર્યમાં પ્રવૃત્ત થાય છે. ઈશ્વરને જે પ્રકૃતિનો પ્રેરક માનીએ તો સૃષ્ટિકાર્યમાં તેની પ્રેરણારૂપ પ્રવૃત્તિનું પ્રયોજન શું હોઈ શકે? જગતમાં બુદ્ધિમાન લોકો સ્વાર્થથી પ્રેરાઈને કે કરુણાથી પ્રેરાઈને પ્રવૃત્તિ કરે છે. પરંતુ ઈશ્વરને તો કોઈ સ્વાર્થ હોઈ શકે નહિ, કારણ કે તે તો પૂર્ણ છે. કરુણાવશે પણ તેની પ્રવૃત્તિ ઘટતી નથી. સૃષ્ટિ પહેલાં દુખ હોતું નથી, કારણ કે જીવોનાં દેહ, ઇન્દ્રિયો અને દુઃખદાયક વસ્તુઓની ઉત્પત્તિ થઈ જ હોતી નથી, એટલે સૃષ્ટિ પૂર્વે કરુણા જ સંભવતી નથી. સૃષ્ટિ પછી દુઃખ જોઈને ઈશ્વરને કરુણા જન્મે છે એમ પણ ન કહી શકાય, કારણકે એમ માનતાં ઈતરેતરાશ્રયદોષ આવે- કરુણાવશે સૃષ્ટિ અને સૃષ્ટિજન્ય દુઃખ જોઈને કરુણા. વળી, કરુણાવશે ઈશ્વરની સૃષ્ટિકાર્યમાં પ્રવૃત્તિ હોય તો તે બધાં પ્રાણીઓને સુખી જ કેમ ન સર્જે? કોઈ સુખી અને કોઈ દુઃખી એવી વિચિત્ર અને વિષમ સૃષ્ટિ કેમ કરે ? ખરેખર તો જીવોના ધમધર્મરૂપ કર્મવચિત્ર્યને પરિણામે સૃષ્ટિ ચિત્ર્ય છે. કર્મોના અધિષ્ઠાતારૂપે ઈશ્વરને સ્વીકારવાની કોઈ જ જરૂર નથી. કર્મો સ્વયં પોતપોતાનું ફળ આપે છે. પ્રકૃતિ અજ્ઞ છે; તે સ્વાર્થે કે કરુણાવશે સૃષ્ટિ કરતી નથી. તે પોતે સ્વયં મહતું વગેરે રૂપે પરિણમે છે. આ જગતનું ઉપાદાનકારણ પ્રકૃતિ છે, નિમિત્તકારણ જીવોનાં ધર્માધર્મરૂપ કર્મો છે. તેથી સૃષ્ટિવ્યાપારમાં ઈશ્વરની કોઈ જરૂર યા અપેક્ષા નથી.
સાંખ્યકારિકાની પ્રાચીન વ્યાખ્યા “યુક્તિદીપિકા'માં નિત્યમુક્ત જગત્કર્તા ઈશ્વરના અસ્તિત્વને પૂર્વપક્ષના રૂપમાં રજૂ કરી સાંખ્યસિદ્ધાન્ત અનુસાર એનું ખંડન કરવામાં આવ્યું છે. યુક્તિદીપિકાના તર્કોને અહીં રજૂ કરવા ઉચિત જણાય છે. જગત્કર્તા ઈશ્વરમાં માનનારનું કહેવું છે કે પ્રત્યેક કાર્ય અતિશય બુદ્ધિસંપન્ન વ્યક્તિ દ્વારા સંપન્ન થાય છે, જેમ પ્રાસાદ અને વિમાન આદિ શિલ્પી દ્વારા નિર્મિત થાય છે તેમ મહાભૂત, ઇન્દ્રિયો, ભુવન આદિની રચના ઈશ્વર કરે છે. ઈશ્વરની સિદ્ધિમાં તેમની બીજી દલીલ એ છે કે ચેતન અને અચેતનનો સંબંધ ચેતનથી સંપાદિત થાય છે. જેમ બળદ અને ગાડાને વાહક પરસ્પર જોડે છે તેમ શરીરી અને શરીરનો સંબંધ ચેતન વડે સંપાદિત થાય છે અને તે ચેતન છે ઈશ્વર,
Page #5
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
- - - ૫૭ આ પૂર્વપક્ષનું યુક્તિદીપિકાકારે કરેલું ખંડન સંક્ષેપમાં નીચે પ્રમાણે છે. પ્રાસાદ આદિની જેમ કાર્યવિરોષ આપણા જેવા જીવકર્તક છે કે અતિશયબુદ્ધિશાળી ઈશ્વરકર્તક એમાં સંદેહ છે. તેથી ઉક્ત અનુમાનથી ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ નથી થઈ શકતું. વળી, પ્રકૃતિની પ્રવૃત્તિ બુદ્ધિ વિના થતી નથી, કારણ કે સાંખ્ય પરંપરા પ્રકૃતિથી જ બુદ્ધિનો આવિર્ભાવ માને છે. પ્રકૃતિમાં સૌપ્રથમ બુદ્ધિનું પ્રસ્તુરણ થાય છે અને પ્રકૃતિ બુદ્ધિપૂર્વક જ સમગ્ર જગકિલાસનું નિર્માણ કરે છે. એને ઈશ્વરની અપેક્ષા નથી. જો કહેવામાં આવે કે ઈશ્વર સર્વશક્તિમાન છે એટલે પ્રકૃતિ વિના પણ જગત્રિર્માણમાં એની બુદ્ધિ સુરિત થશે. ઈશ્વર સ્વેચ્છાથી જ બુદ્ધિને આવિર્ભત કરી શકે છે એમ જ કહેવામાં આવે તો એનો ઉત્તર એ છે કે દાન્તના અભાવમાં એની ઉપપત્તિ જ નહિ થઈ શકે. બુદ્ધિ ચેતનમાં સ્વતઃ આવિર્ભાવ પામતી હોય એવા દકાન્તનો સર્વથા અભાવ છે. તેથી દાન્તિકની સિદ્ધિ કરી શકાતી નથી. પ્રકૃતમાં ઈશ્વરની બુદ્ધિ જ દાષ્ટ્રતિક છે. તેથી તેની ઉપપત્તિ નથી થઈ શક્તી. તે ઉપરાંત, યુક્તિદીપિકાકાર કહે છે કે ઈશ્વર જો સાંસારિક બધા પદાર્થોના નિર્માતા હોય તો ધર્મ અને અધર્મ પણ ઈશ્વરનિર્મિત જ બની જશે. પરિણામે, નીચે મુજબ આપત્તિ આવશે. ઈશ્વર પરાનુગ્રહાયેં સંસારની રચના કરે છે. તેથી તે કોઈને દુઃખ દેવા નહિ છે. તેથી તે અધર્મની ઉત્પત્તિને રોકી કેવળ ધર્મની ઉત્પત્તિ કરશે, અધર્મને ઉત્પન્ન કરવામાં એનું કંઈ પ્રયોજન નથી. અને જો ધર્મ-અધર્મની ઉત્પત્તિ સ્વભાવતઃમાનવામાં આવે તો ઈશ્વરના સર્વકતૃત્વનો ભંગ થાય. તેથી ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણિત હોવું સંભવ નથી.. સંસારની અનાદિતામાં ‘યથાપૂર્વમવન્વત્' ઇત્યાદિ શ્રુતિ પ્રમાણ છે. જીવનું અદષ્ટ પહેલેથી જ વિદ્યમાન છે તથા સંસાર અનાદિ છે. તેથી ઈશ્વરકર્તુત્વની આવશ્યકતા જ નથી.
ઈશ્વરની સિદ્ધિમાં આપવામાં આવેલ બીજી દલીલ પણ ઉચિત નથી, કારણ કે ચેતન અને અચેતનનો સંબંધ જો ચેતનત જ માનવામાં આવે તો અનવસ્થાદોષ અનિવાર્ય છે. કેમ? કારણ કે ઈશ્વર તથા કાર્યવિશેષ અચેતનમાં જે કાર્યકારણભાવરૂપ સંબંધ છે તેને પણ ચેતનકૃત માનવો પડશે – ઈશ્વરનો ઈશ્વર માનવો પડશે અને આ પરંપરાનો અંત જ નહિ થાય.
સાંખ્યસૂત્રકાર ઈશ્વરનો દૃઢ પ્રતિષેધ કરે છે. ઈશ્વરને પુરવાર કરનાર કોઈ પ્રમાણ નથી." પેસિદ્ધિ પ્રમાદ્ધિ"ના નિયમને માનનાર સાંખ્યોને મતે પ્રમેયની અસિદ્ધિ અને પ્રમેયનો અભાવ બે જુદી વસ્તુ રહેતી જ નથી કારણ કે પ્રમેયનું અસ્તિત્વ હોય તો કોઈ ને કોઈ પ્રમાણથી ગ્રાહ્ય યા સિદ્ધ થાય જ એવો સાંખ્ય મત છે. એટલે, ઈશ્વર કોઈ પ્રમાણથી સિદ્ધ થતો નથી એનો અર્થ ઈશ્વરનું અસ્તિત્વ નથી એ જ થાય. સૂત્રકાર કહે છે કે જો ઈશ્વર હોય જ તો તે કાં તો બદ્ધ હોય કાં તો મુક્ત હોય, ત્રીજો કોઈ પ્રકાર યા વિકલ્પ સંભવતો નથી. ઈશ્વરને બદ્ધ (કલેuદયુક્ત) માની શકાય નહિ કારણ કે એમ માનતાં તો ઈશ્વર સાધારણ
Page #6
--------------------------------------------------------------------------
________________
૫૮
ભારતીય તત્ત્વજ્ઞાન જન જેવો બની જાય અને તેનામાં અચિંત્યરચનાવાળું જગત નિર્માણ કરવાનું સામર્થ્ય રહે નહિ. ઈશ્વરને મુક્ત (કલેધદિરહિત) માનવાથી તેનામાં અભિમાન તેમ જ રાગાદિનો અભાવ જ થાય અને આવો ઈશ્વર પણા જગતનો કર્તા બની ન શકે જે ઈશ્વર ન જ હોય તો યુતિસ્મૃતિમાં તે સર્વા છે, સર્વકર્તા છે એવાં જે વાકયો આવે છે તેનો શો અર્થ ઘટાવશો? આવાં વાક્યો સિદ્ધપુરુષોને ઉદ્દેશીને છે, નિત્ય ઈશ્વરને ઉદ્દેશીને નથી. આ સિદ્ધપુરુષોથી પ્રકૃતિલીન જીવો સુચવાય છે. પૂર્વસર્ગમાં પ્રકૃતિની ઉપાસના કરવાથી જે પુરુષ પ્રકૃતિમાં લીન થયેલા હોય છે તે પુરુષો પુનઃ નવા સર્ગના આદિકાળમાં સર્વ વસ્તુઓને યથાયોગ્ય જાણનાર અને સર્વ પદાર્થોને કરવાનું સામર્થ્ય ધરાવનારા આદિ પુરુષો થાય છે. અર્થાત્ નવા સર્ગમાં મહાસિદ્ધ થાય છે. આવા અનિત્ય ઈશ્વરને સાંખ્યો માને છે. પરંતુ નિત્ય ઈશ્વરને સાંખ્યો માનતા નથી. અા અને અચેતન દૂધમાંથી દહીં નિયત ક્રમે જ થાય છે, બીજમાંથી યોગ્ય ક્રમે જ અંકુર, પ્રકાંડ, શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળ ઉદ્દભવે છે. કોઈ પણ પુરુષના પ્રયત્ન વિના તે દૂધ અને બીજા સ્વભાવથી જ નિયત ક્રમે દહીં અને અંકુરાદિમાં પરિણમે છે–માત્ર દૂધને અશ્લરસના સંયોગની અને બીજને પાણી વગેરેના સંયોગની અપેક્ષા છે. તેવી જ રીતે પ્રકૃતિમાંથી મહતુ વગેરે તત્વોની ઉત્પત્તિ નિયત ક્રમમાં પ્રકૃતિના પોતાના સ્વભાવથી જ થાય છે–માત્ર તેમની સૃષ્ટિના પ્રારંભ માટે પ્રકૃતિને ધર્માધર્મવિશિષ્ટ પુરુષોની સન્નિધિની જ માત્ર અપેક્ષા રહે છે. જેઓ ઈશ્વરને સૃષ્ટિકાર્યમાં પ્રકૃતિના પ્રેરક અધિષ્ઠાતા માને છે તેમને પણ કહેવું પડે છે કે ઈશ્વર કર્મોની ઉપેક્ષા કરી પોતાના સામર્થ્યથી ફળ આપી શક્તો નથી. એટલે, કર્મો જ માનવાં જોઈએ જે પોતપોતાના સ્વરૂપાનુસાર આપમેળે નિયતકમે ફળે છે. વધારાનો ઈશ્વર માનવાની જરૂર જ નથી. અધિષ્ઠાતાની પ્રવૃત્તિ
ગતમાં સ્વાર્થ પ્રેરિત યા રાગપ્રેરિત હોય છે અને ઈશ્વર તો પૂર્ણકામ અને વીતરાગ જ હોઈ શકે એટલે તેવો ઈશ્વર અધિષ્ઠાતા છે-સૃષ્ટિન્ત છે એવું માનવું અયોગ્ય છે."
સાંખ્યસૂત્ર પરના પોતાના સાંખ્યપ્રવચનભાષ્યમાં વિજ્ઞાનભિક્ષુએ સાંખ્યદર્શનમાં નૂતન ઈશ્વરવિચાર દાખલ કરવા પ્રયત્ન ર્યો છે. આ ઈશ્વરવિચાર વેદાનધારાથી પ્રભાવિત છે. તે કહે છે કે વેદાન્તનો પ્રતિપાઘ વિષય છે ઈશ્વર. વેદાન્તદર્શનમાં સાધકની દષ્ટિને ઈશ્વરના પૂર્ણ, નિત્ય અને શુદ્ધ જગત્કર્તુત્વ તરફ આકર્ષવામાં આવી છે. પરંતુ સાંખ્યનો ઝોક સાધકમાં એશ્વર્ય પ્રતિ વૈરાગ્ય જન્માવવાનો છે, એટલે એ દષ્ટિએ ઈશ્વરનો પ્રતિષેધ સાંખ્ય કરે છે. સાંખ્ય પરમાર્થથી ઈશ્વરનો પ્રતિષેધ કરતું નથી, જે સાંખ્યદર્શન ભગવાનના નિત્ય એશ્વર્યને પ્રતિષ્ઠિત કરે તો તે નિત્ય, નિર્દોષ, પરિપૂર્ણ ઈશ્વરના દર્શન કરવા સાધકનું ચિત્ત તલસે અને સાધકના.વિવેકફાાનના અભ્યાસમાં ખલેલ પડે. એટલે વ્યાવહારિક દષ્ટિએ જ સાંખ્યમાં ઈશ્વરનિષેધ છે. ઈશ્વરનિષેધ એ તો સાંખ્યદર્શનનો વ્યાવહારિક ઉપાય માત્ર છે. આમ નિરીશ્વરસાંખ્ય ખરેખર નિરીશ્વર નથી. તેમ છતાં સાંખ્યમાં ઈશ્વરના સ્વરૂપનું યા અસ્તિત્વનું પ્રતિપાદન ન હોઈ ભિક્ષુ બહુ જ સાવચેતીપૂર્વક જણાવે છે કે
Page #7
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૫૯ ચિત્સામાન્ય જ ઈશ્વર છે"; સાંખ્યમાં ઈશ્વરની માન્યતાના અભાવને કારણે
કારણબ્રહ્મરૂપ નિર્ગુણ પુરુષ સામાન્ય જ સ્વીકારવામાં આવે છે, અહીં કારણબ્રહ્મ શબ્દમાંના કારણશબ્દનો અર્થ છે “પોતાની શક્તિભૂત પ્રકૃતિની ઉપાધિવાળું અથવા “નિમિત્તકારણ રૂ૫. આ પુરુષ સામાન્ય સ્વશક્તિભૂતપ્રકૃતિરૂપ ઉપાધિને ધારણ કરી જગતનું નિમિત્તકારણ બને છે. આ ચિત્સામાન્ય નિત્ય છે. એનાથી વિશ્વના રૂપમાં સત્ત્વ વગેરે શક્તિઓ વિકસે છે. અંશરૂપ જીવ પણ ચિતિસામાન્યનો અંશ હોવાને કારણે ચિતિસામાન્યની શક્તિ છે અને પ્રકૃતિ પણ ચિતિસામાન્યની શક્તિ છે. આ બંને પ્રકારની શક્તિઓના વિકાસનું નિમિત્તકારણ ઈશ્વરસ્થાનીય સામાન્યચિતિ જ છે." આમ ભિક્ષુએ સાંખ્યમાં વેદાન્ત પરંપરામાં પ્રાપ્ત ઈશ્વરની વિભાવનાનો પ્રવેશ કરાવવા યત્ન કર્યો છે. પરંતુ સાંખ્યદર્શન પુરુષોથી અને પ્રકૃતિથી ઉપર એક પરમ તત્ત્વ બ્રહ્મ માનતું નથી. ચિતિસામાન્યના રૂપમાં બ્રહ્મ જ છે. સાંખ્ય તેને કેવળ કલ્પના કહેશે.
આપણે જોયું તેમ, સાંખ્યદર્શન સિદ્ધપુરૂષોને ઈશ્વર ગણે છે પરંતુ તે અનિત્ય ઈશ્વર છે. તેઓ ઈશ્વર છે કારણ તેમનામાં સર્વજ્ઞત્વ આદિ ઐશ્વર્ય છે. જો સિદ્ધપુરુષોને ઈશ્વર તરીકે સ્વીકારાતા હોય તો જીવન્મુક્ત ઉપકેષ્ટાને સુતરા ઈશ્વર તરીકે સ્થાપવામાં સાંખ્યને કોઈ વિરોધ ન હોય. જીવન્મુક્ત ઉપદેષ્ટાને પણ અનિત્ય ઈશ્વર ગણાય કારણ કે તે પણ સાધના દ્વારા જીવન્મુક્ત બન્યો છે, પહેલાં બદ્ધ હતો હવે મુક્ત બન્યો છે; એ અર્થમાં પહેલાં ઈશ્વર નહતો. હવેઈશ્વર બન્યો છે. જીવન્મુક્ત ઉપદેટા સર્વસાત્વઆદિઐશ્વર્યથીયુક્ત છે, તેમને હવે પુનર્જન્મ નથી, તેમનોભવાનથયો છે, તેમોક્ષમાર્ગના પ્રદર્શક બનીભૂતાનુગ્રહ કરે છે. આમ જીવન્મુક્ત ઉપદેટાને ઈશ્વર તરીકે સ્વીકારવામાં સાંખ્યને કોઈ વાંધો ન હોઈ શકે. સિદ્ધપુરુષ કરતાં જીવમુક્ત ઉપદેટા અનેક રીતે અનેક ગણા ચડિયાતા છે. જો સિદ્ધપુરૂષોને ઈશ્વરો કહેવાય તો જીવમુક્ત ઉપદેખાઓને તો પરમેશ્વરો કહેવા જોઈએ. જીવન્મુક્ત ઉપદેખાજગર્તા નિત્યમુક્ત નથી. જગત્કર્તા નિયમુક્ત ઈશ્વરના અસ્તિત્વનો સાંખ્યધરમૂળથી પ્રતિષેધ કરે છે. જીવન્મુક્ત ઉપદેષ્ટાને જ યોગસૂત્રકાર પતંજલિ ઈશ્વર ગણે છે એ અમે નીચે દર્શાવીશું. યોગદર્શનમાં ઈશ્વર
પતંજલિના યોગસૂત્રમાં ઈશ્વર વિશે ત્રણ સુત્રો છે. તેમને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઉત્તરકાલીન ટીકાકારોએ તેમના કાળના વિચારપ્રભાવથી પ્રેરાઈ તેમની આપેલી સમજૂતીને બાજુએ રાખી પતંજલિએ પોતે જ રજૂ કરેલી વિભાવનાઓનો જ ઉપયોગ કરીને તેમને સમજવા પ્રયત્ન કરીશું. તે સૂત્રોને એક પછી એક લઈએ.
(૧) રસ્તે-વાર્મ-વિષાવાશRIકૃષ્ટ પુવિશેષ અદા ઉ.૨૪ * ફલેશ, કર્મ, વિપાક અને આશયથી અસ્કૃષ્ટ વિશિષ્ટ પુરુષ ઈશ્વર છે.
પતંજલિના અન્ય સ્ત્રોમાં પ્રાપ્ત વિભાવનાઓને આધારે અમે આ સૂત્રને સમજાવીએ છીએ.
Page #8
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન પતંજલિ આપણને જણાવે છે કે સંપ્રજ્ઞાત યોગની સાધના દરમ્યાન જે સાધક કશાની (કોઈ સિદ્ધિની) ઇચ્છાન કરે તો તે અવશ્ય અપ્રતિપાતી અને પૂર્ણ વિવેકખ્યાતિ પામે છે, અને એને પરિણામે ધર્મમેઘસમાધિનો તેને લાભ થાય છે. વધારામાં તે કહે છે કે ધર્મમેઘસમાધિની પ્રાપ્તિ થતાં જ લેશો અને કર્મોનો નાશ થાય છે. આમાંથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે જે વિવેકી ધર્મમેઘસમાધિ પામે છે તે હમેશ માટે કલેશો અને કર્મોથી મુક્ત થઈ જાય છે. (ભાષ્યકાર વ્યાસ આ વ્યક્તિને જીવન્મુક્ત કહે છે.)
પતંજલિએ અસંદિગ્ધપણે કહ્યું છે કે કર્ભાશયનું મૂળ કારણ (root-cause) કલેશો છે. વધુમાં તે કહે છે કે જ્યાં સુધી મૂળનું (એટલે કે લેશોનું અસ્તિત્વ છે ત્યાં સુધી વિપાક છે. આ બે વિધાનોમાંથી સ્પષ્ટ તારણ એ નીકળે છે કે લેશોના અભાવમાં કર્ભાશય અને વિપાક હોઈ શકે નહિ.
ધર્મમેઘસમાધિ પ્રાપ્ત થતાં વિવેકી લેશો અને કર્મોમાંથી મુક્ત થાય છે, અને લેશોમાંથી મુક્ત થતાં જ તે વિપાક અને આશયમાંથી પણ મુક્ત થાય છે. આ બધામાંથી સ્વાભાવિકપણે જ ફલિત થાય છે કે જે વિવેકીએ ધર્મમેઘસમાધિ પ્રાપ્ત કરી છે તે ક્લેશ, કર્મ, વિપાક અને આશયથી અસ્કૃષ્ટ છે. અને તેથી તેને ઉચિતપણે જ વિશિષ્ટ પુરુષ ગણી શકાય, કહી શકાય. ‘ઈશ્વર’પદથી પતંજલિને આ વિવેકી અભિપ્રેત છે.
(૨) હવે પછીનું સૂત્ર છે – तत्र निरतिशयं सर्वज्ञबीजम् । १.२५
ત્યાં ( ઈશ્વરમાં) સર્વજ્ઞતાના બીજભૂત (= કારણભૂત) નિરતિશય અર્થાત્ અનન્ત જ્ઞાન છે.
જે વિદ્વાનો અનન્તજ્ઞાનનો સર્વજ્ઞાન સાથે ખોટી રીતે અભેદ કરે છે તેમનામાં અનન્તજ્ઞાન અને સર્વશજ્ઞાન બાબતે ઘણો ગૂંચવાડો અને ગેરસમજ રહેલો જણાય છે, આ ગૂંચવાડાને અને ગેરસમજને દૂર કરતું હોવાથી આ સૂત્ર મહત્ત્વનું છે. તે સૂચવે છે કે અનન્તજ્ઞાન અને સર્વજ્ઞાનનો અભેદ નથી, તે બંને એક નથી.
અનન્તજ્ઞાન અને સર્વજ્ઞાનના ભેદની સ્પષ્ટ સમજણ પ્રાપ્ત કરવા તેમજ પ્રસ્તુત સૂત્રની પૂરેપૂરી સાચી સમજૂતી આપવા આપણે બીજાં સહાયક સૂત્રો તરફ ધ્યાન આપવું પડશે.
પતંજલિ અસંદિગ્ધ શબ્દોમાં જણાવે છે કે ધર્મમેઘસમાધિની પ્રાપ્તિ થતાં કલેશ અને કર્મોનો નાશ થવાની સાથે જ બધાં આવરણો અને મળો દૂર થઈ જાય છે અને જ્ઞાન આનન્ય પ્રાપ્ત કરે છે. આમ અનન્તજ્ઞાન (કે નિરતિશયજ્ઞાન) નિરાવરણ જ્ઞાન સિવાય બીજું કશું નથી. જે જ્ઞાન તેના પૂર્ણ પ્રાકટચને રોકનાર આવરણો અને મળોથી મુક્ત થઈ ગયું છે તે જ અનન્તજ્ઞાન છે.
અનન્તજ્ઞાન એ સર્વજ્ઞજ્ઞાન નથી. પતંજલિ કહે છે કે ધર્મમેઘસમાધિ સિદ્ધ કરનાર વિવેકીના જ્ઞાનના આનત્યની સરખામણીમાં યુગપટ્ટે એક સાથે સંગૃહીત કરવામાં
Page #9
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર આવેલા સર્વ સૈકાલિક શેયો અલ્પ છે." જો પરિસ્થિતિ આવી હોય તો વિષયભૂત શેયોના આધારે જ્ઞાનના આનત્યની વાત કરવી યોગ્ય નથી. સર્વયોને જાણે છે માટે અનન્તજ્ઞાન અનન્ત છે એમ કહેવું સદંતર ખોટું છું. સર્વ યો તો અલ્પ છે. જ્ઞાનનું આનન્ય સર્વ ફોયોની અલ્પતાને આધારે કેવી રીતે સ્થાપી શકાય ? જ્ઞાનનું આનન્ય સર્વ શેયોને વિષય કરવાને કારણે નથી. વિષય નિરપેક્ષ જ્ઞાનનું આનન્ય છે.
આપણે ઉપર જે વિચારણા કરી તેમાંથી સ્વાભાવિકપણે જ ફલિત થાય છે કે જેઓ એમ કહે છે કે જ્ઞાન અનન્ત છે કારણ કે તે સર્વ યોને જાણે છે તેઓ મોટી ભૂલ કરે છે. વળી, આપણો અભ્યાસ દર્શાવે છે કે પતંજલિ સર્વજ્ઞાનને મહત્ત્વ આપવા માગતા જ નથી. આપણે જોઈશું તેમ, તેઓ અનંતાનને પ્રાપ્ત કરનાર વિવેકીને આવી મળતી કેવળ એક સિદ્ધિરૂપ જ સર્વજ્ઞજ્ઞાનને ગણે છે. અને આપણે સૌ સિદ્ધિઓ તરફના પતંજલિના વલણને જાણીએ જ છીએ. - ધર્મમેઘસમાધિ વિવેકાનની પૂર્ણતાની દર્શક છે. તેથી, પૂર્ણ વિવેકાનને અનન્તશાનથી અભિન્ન ગણી શકાય. જ્યારે બધાં આવરણો અને મળો દૂર થઈ જાય છે ત્યારે વિવેકાન આપોઆપ પૂર્ણતા પામે છે અને જ્યારે વિવેકાન પૂર્ણતાએ પહોંચ્યું હોય છે ત્યારે બધાં આવરણો અને મળો દૂર થઈ ગયા હોય છે. આનો અર્થ એ કે (પૂર્ણ) વિવેકજ્ઞાન અનન્તજ્ઞાન સિવાય બીજું કંઈ નથી.
આમ સર્વજ્ઞાનનું કારણ (બીજ) નિરતિશયજ્ઞાન (= અનન્તજ્ઞાન) છે એમ કહેવું એ સર્વજ્ઞાાાન વિવેકજ છે એ કહેવા બરાબર છે. સર્વજ્ઞજ્ઞાનનું બીજું નામ તારકજ્ઞાન છે. અને પતંજલિ સ્પષ્ટપણે જણાવે છે કે તારકજ્ઞાન વિવેકજ છે. તેમણે તારકશાનને સિદ્ધિઓના નિરૂપણમાં જ સ્થાન આપ્યું હોઈ એ તદ્દન સ્પષ્ટ થઈ જાય છે કે તે કેવળ એક સિદ્ધિરૂપ જ છે.
અનન્તજ્ઞાનને (વિવેકજ્ઞાનને) સર્વજ્ઞાાનના બીજરૂપ (કારણરૂ૫) કેમ ગણવામાં આવ્યું છે ? એ માટે ઉચિત તર્ક છે. પતંજલિ સૂચવવા માગે છે કે અનન્તજ્ઞાન પ્રાપ્ત થતાં આપોઆપ જ સર્વજ્ઞાાન થતું નથી. અનન્તજ્ઞાન પ્રાપ્ત થતાં સાધક સર્વને જાણવાની શક્તિ (લબ્ધિઓ પ્રાપ્ત કરે છે, પરંતુ તે વાસ્તવમાં તે બધાને જાણતો નથી. તે બધાને જાણે છે ત્યારે અને તો જ, જ્યારે અને જો તે ક્ષણ અને ૬ ક્ષણક્રમ ઉપર સંયમ ( = ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણે) કરે. આનો અર્થ એ કે સર્વને જાણવાની પ્રાપ્ત શક્તિ અમુક ખાસ શરતને અધીન જ વ્યાપારાવિત બને છે. જો શાન અનન્ત બનતાં જ આપોઆપ સર્વજ્ઞ બની જતું હોય તો અનન્તજ્ઞાનને સર્વજ્ઞાાનનું કારણ (બીજ) ન ગમ્યું હોત; એ પરિસ્થિતિમાં તો તેને સર્વજ્ઞાનથી અભિન્ન જ ગણવામાં આવ્યું હોત. પરંતુ જ્ઞાન અનન્ત બનતાં આપોઆપ સર્વજ્ઞ બની જતું ન હોઈ અનન્તજ્ઞાનને સર્વશજ્ઞાનનું કારણ (બીજ) ગણાવામાં આવ્યું છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
१२
ભારતીય તત્વજ્ઞાન ધર્મમેઘસમાધિ પ્રાપ્ત થતાં જ બધાં લેશો અને કર્મો સંપૂર્ણ નાશ પામે છે, અને લેશો અને કર્મોનો નાશ થતાં જ જ્ઞાન અનન્ત બને છે કારણ કે બધાં આવરણો અને મળોનો નાશ થઈ ચૂક્યો છે. લેશો અને કર્મો જ આવરણો અને મળો છે. જે સાધકે આ અનાજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે બધું જાણવાની શક્તિ પામે છે પરંતુ આ શક્તિ તો જ વ્યાપાર કરે છે જો તે સાધક એક ખાસ પ્રકારનો સંયમ કરે.
આ સમગ્ર ચર્ચા સૂચવે છે કે જે વિવેકીને ધર્મમેઘસમાધિનો લાભ થયો છે તે ઈશ્વર છે; અને તેને જ પ્રસ્તુત સૂત્રમાં વર્ણવવામાં આવ્યો છે. આમ ઈશ્વર અનિવાર્યપણે સર્વજ્ઞા નથી. તે ત્યારે જ સર્વજ્ઞ બને છે જ્યારે તે પેલો સંયમ કરે છે. બીજા શબ્દોમાં, તેને સર્વ જાણવાની શક્તિ (લબ્ધિ) હોય છે, પરંતુ તે શક્તિ અમુક શરતોનું પાલન કરવામાં આવે તો જ કાર્ય કરે છે. સર્વને જાણવાની શક્તિ એ સિદ્ધિ છે જે અનાજ્ઞાનની પ્રાપ્તિનું પરિણામ છે. આમ તે નિયતપણે અનન્તજ્ઞાન ધરાવે છે પણ નિયતપણે સર્વજ્ઞાન ધરાવતો નથી. (અહીં એ નોધીએ કે સૂત્રકાર અને ભાગ્યકાર કેવલ્ય પૂર્વે સર્વજ્ઞત્વની પ્રાપ્તિને અનિવાર્ય ગણતા નથી. ભાષ્યકાર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે વિવેકી વિવેકજ તારકશાન (સર્વજ્ઞત્વ) પ્રાપ્ત કરે કે ન કરે તો પણ તે કેવલ્ય પામે જ છે.)
(૩) પછીનું સૂત્ર છે – पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात् । १.२६
તે (= ઈશ્વર) પોતાનાથી ઉંમરમાં મોટી વ્યક્તિઓનો પણ ગુરુ છે કારણ કે તે કાળથી મર્યાદીકૃત નથી, કાળના બંધનથી મુક્ત થઈ ગયો છે, કાળથી પર થઈ ગયો છે.
(૫) ગુરુ પદયી અહીં ઈશ્વરનું ઉપદેષ્ટા તરીકેનું મહત્ત્વનું કાર્ય સૂચવાયું છે.
(4) ‘પૂર્વેષાપિ પુ’ એ પદાવલિ આપણને શંકરાચાર્ય કૃત ગણાતા દક્ષિણામૂર્તિસ્તોત્રના પેલા બ્લોકની યાદ દેવડાવે છે. વિત્ર વટતÍને વૃદ્ધઃ શિશો કર્યા' ઇત્યાદિ. આ વિચાર વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરામાં સર્વસાધારણ છે.
(૪) એ કયા ગુણો છે જે એને વૃદ્ધોના આધ્યાત્મિક ગુરુ બનવા લાયક બનાવે છે? આનો ઉત્તર બાકીના સૂત્રખંડમાંથી મળી રહે છે. તે સૂત્રખંડ છે- વનેનાનવર વાત.
‘જાનેનવિછેર દ્વારા સૂચવવામાં આવેલ વિચારને બીજા સૂત્રની સહાયથી સમજવા યત્ન કરીએ. પતંજલિ જણાવે છે કે ધર્મમેઘસમાધિ પ્રાપ્ત થતાં જ જે સાધકના
લેશો અને કર્મો નાશ પામ્યાં છે અને પરિણામે જે જ્ઞાનનું આનન્ય પામ્યો છે તેની બાબતમાં ગુણોના પરિણામક્રમની સમાપ્તિ થઈ જાય છે (gunas come to an end of sequence of change). અર્થાત્, સત્ત્વ આદિ ગુણો ચિત્ત, ઇન્દ્રિયો, શરીર, વગેરે રૂપે પરિણમવાનું બંધ કરી દે છે. તેનું પુનર્જન્મનું ચક બંધ થઈ જાય છે. તેનું સંસારચક્ર સમાપ્ત થઈ ગયું છે. તેને ભવાન્ત થયો છે. તે કાળથી પર થઈ ગયો છે. હવે તે કાળથી મર્યાદી કૃત નથી, બદ્ધ નથી. તે કાલાનવચ્છિન્ન બની ગયો છે. આમ આપણે
Page #11
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
કન
‘વાતેનાનવ છેવ’ નું ‘મુળાનાં પાનમસમાપ્તિ’ (૪.૩૨) સાથે સમીકરણ કરીએ છીએ. તે બંને વસ્તુ એક જ છે.”
હવે પ્રસ્તુત સૂત્રનો અર્થ આમ થશે-‘તે (-ઈશ્વર) (ક્લેશ અને ર્મોનો નાશ કરીને) જન્મ-મરણના ચક્રથી ઉપર ઊઠચો હોઈ (જેઓ હજુ જન્મ-મરણના ચક્રમાં ફસાયેલા છે તે) વૃદ્ધોનો પણ આધ્યાત્મિક ગુરુ બન્યો છે.
ઉપર આપેલું સમીકરણ સૂચવે છે કે પતંજલિને માટે કાલ એ પરિણામક્રમ સિવાય બીજું કંઈ નથી. તેથી જેને પરિણામક્રમનો સ્પર્શ નથી તેને કાલનો પણ સ્પર્શ નથી કે કાલથી મર્યાદીકૃત નથી.
કાલાનવચ્છેદ અથવા પરિણામમસમાપ્તિ એ ક્લેશરાહિત્યનું અર્થાત્ વીતરાગતાનું ફળ છે. ક્લેશરાહિત્ય એ પરમ આધ્યાત્મિકતા સિવાય બીજું કંઈ નથી. તેથી જે પરમ આધ્યાત્મિકતા પામ્યો છે તે જ વૃદ્ધોનો પણ આધ્યાત્મિક ગુરુ બની શકે છે. કાલાનવચ્છેદ અથવા પરિણામક્રમસમાપ્તિ દ્વારા સૂચિત પરમ આધ્યાત્મિકતા જ વૃદ્ધોના પણ આધ્યાત્મિક ગુરુ બનવા તેને લાયક બનાવે છે. જેમણે પોતે સંસારસાગર પાર કર્યો છે તેઓ જ બીજાઓને સંસારસાગર કેવી રીતે પાર કરવો એ દર્શાવી શકે, ઉપદેશી શકે. જેમણે જન્મ-મરણનું ચક્ર અટકાવી દીધું છે તેઓ જ બીજાઓને ઉપદેશી શકે કે તે ચક્રને અટકાવવા શું કરવું જોઈએ. તેના સિવાય બીજો કોઈ ઉપદેશા બની શકે નહિ.
અમારા અર્થઘટન મુજબ પતંજલિને મતે ઈશ્વર ધર્મમેઘસમાધિ પ્રાપ્ત કરી અનન્તજ્ઞાન અને સર્વને જાણવાની રાક્તિ સંપાદન કરનાર તેમ જ પુનર્જન્મમાંથી મુક્ત થનાર વિવેકીથી ભિન્ન નથી. આપણે જોયું તેમ, પતંજલિ અનુસાર આ વિવેકી ક્લેશો, કર્મો, વિપાક અને આશયોથી અસ્પૃષ્ટ છે. આમ પતંજલિ ‘ઈશ્વર’પદ્મથી તે વ્યક્તિને જણાવવા માગે છે જેને વ્યાસ જીવન્મુક્ત કહે છે. અમે પુનઃ દઢતાપૂર્વક જણાવવા માંગીએ છીએ કે પતંજલિના યોગસૂત્રોને ઑધારે આથી વિશેષ આગળ જવાનો આપણને પ્રામાણિક અધિકાર નથી. પતંજલિ અનુસાર ઈશ્વર ન તો નિત્યમુક્ત છે કે ન તો જગત્કર્તા છે. ઈશ્વર તો સાધનાથી ફ્લેશમુક્ત બનેલો અને જીવોના ઉદ્ધાર માટે ક્લેરામુક્તિનો અને તે દ્વારા દુઃખમુક્તિનો માર્ગ દર્શાવનાર, ઉપદેશનાર જીવન્મુક્ત જ છે.”
હવે આપણે યોગભાષ્યકારને અનુસરી ઈશ્વરનું નિરૂપણ કરીશું. ક્લેરા વગેરે ખરેખર ચિત્તમાં હોય છે પરંતુ પુરુષ ઉપર તેમનો આરોપ કરવામાં આવે છે કારણ કે તે તેમનાં ફળોનો ભોક્તા છે. (ઉદાહરણાર્થ, જય અને પરાજય ખરેખર યોદ્ધાના થાય છે પણ તેમનો આરોપ રાજામાં કરવામાં આવે છે, કારણ કે જય-પરાજયનું ફળ રાજા ભોગવે છે.) જેને આવા ભોગ સાથે સંબંધ નથી તે ઈશ્વર છે. આમ બન્ને પુરુષોથી ઈશ્વરનો ભેદ છે.
=
Page #12
--------------------------------------------------------------------------
________________
१४
ભારતીય તત્વજ્ઞાન કવલ્ય પામેલા ઘણા કેવલીઓ (મુક્તો) છે. તે બંધનો છેદી મુક્ત બન્યા છે. ઈશ્વરનો બંધનો સાથે ભૂતકાળમાંય સંબંધ ન હતો અને ભવિષ્યમાં પણ થવાનો નથી. કેવલીને તો પહેલાં બંધન હતું પરંતુ ઈશ્વરની બાબતમાં એવું નથી. “ઈશ્વર તો સદા મુક્ત છે, નિત્યમુક્ત છે.” આમ કેવલીથી ઈશ્વરનો ભેદ છે.
ઈશ્વરનો ઉર્ષ શાશ્વત છે, નિત્ય છે. તે ત્રણેય કાળ સર્વજ્ઞ છે. આનો અર્થ એ કે તે ત્રણેયકાળ પ્રકૃષ્ટ સત્ત્વ અર્થાત્ શુદ્ધ નિરાવરણ ચિત્ત ધારણ કરે છે. તે સર્વજ્ઞ છે તેનું પ્રમાણ શું? શાસ્ત્ર. શાસ્ત્ર પ્રમાણ છે એમ શા ઉપરથી કહો છો? કારણ કે તે સર્વ રચેલાં છે. આમ સર્વજ્ઞની સિદ્ધિ શાસ્ત્રી અને શાસ્ત્રપ્રામાણ્યની સિદ્ધિ સર્વાકર્તૃત્વથી માનતાં તો પરસ્પરસાપેક્ષતા અને અન્યોન્યાશ્રયદોષ નહિ આવે ? અહીં અન્યોન્યાશ્રય દોષરૂપ નથી કારણ કે શાસ્ત્ર અને સર્વજ્ઞત્વ વચ્ચેનો સંબંધ અનાદિ છે. અંકુર અને બીજ વચ્ચેનો અન્યોન્યાશ્રય કે પરસ્પરસાપેક્ષતા દોષરૂપ નથી કારણ કે તે અનાદિ છે.”
ઈશ્વરનું ઐશ્વર્ય અનુપમ છે, તારતમ્યરહિત છે. બીજાનું ઐશ્વર્ય તેનાથી ચઢિયાતું નથી. જે એશ્વર્ય બીજા બધાના ઐશ્વર્યથી ચઢિયાતું છે તે ઐશ્વર્ય જ ઈશ્વરનું છે. તેથી ઐશ્વર્યની પરાકાષ્ઠા જ્યાં છે તે ઈશ્વર છે. તેના ઐશ્વર્ય જેવું બીજું એશ્વર્ય નથી. કેમ? જો બે ઐશ્વર્ય તુલ્ય હોય તો એક વસ્તુની બાબતમાં એક “આ નવું થાઓ અને બીજું “આ પુરાણું થાઓ એમ એક સાથે પરસ્પરવિરોધી વસ્તુઓ ઇચ્છતાં એકની ઇચ્છા પાર પડે અને બીજાની પાર પડે નહિ, આને પરિણામે બીજા એશ્વર્યને ઊતરતું ગણવું પડે અને તો પછી બે ઐશ્વર્ય તુલ્ય ક્યાં રહ્યાં? તેથી જેનું ઐશ્વર્ય અનુપમ અને તરતમભાવરહિત છે તે ઈશ્વર છે. આ ઉપરથી ફલિત થાય છે કે ઈશ્વર એક જ છે.
જગતમાં એક વ્યક્તિને અમુક જ્ઞાન હોય છે, બીજીને વધારે હોય છે, ત્રીજીને તેથીય વધુ હોય છે. આમ, જગતમાં જ્ઞાનનું ઓછા વધતાપણું જણાય છે. આવું જ્ઞાન - તરતમભાવવાળું જ્ઞાન - સર્વજ્ઞતાનું બીજ (=કારણ= શાપક કારણ) છે, કારણ કે જ્યાં તરતમતા હોય ત્યાં પરાકાષ્ઠા પણ હોય જ, તરતમતા પરાકાષ્ઠાને સિદ્ધ કરે છે. જ્ઞાન વધતું વધતું જે વ્યક્તિમાં પરાકાષ્ઠાને પામે છે તે વ્યક્તિ સર્વ કહેવાય છે. ઈશ્વર સર્વજ્ઞ છે જ
સર્વજ્ઞ ઈશ્વરને પોતાનો કોઈ સ્વાર્થ સાધવાનો નથી. તેનું પ્રયોજન ભૂતાનુગ્રહ યા જીવોનો ઉદ્ધાર છે. જ્ઞાન અને ધર્મનો ઉપદેશ કરીને સંસારી પુરુષોનો હું ઉદ્ધાર કરીશ એવો સર્વા ઈશ્વરનો સંકલ્પ હોય છે."
પહેલાંના ગુરુઓ કાલવિશિષ્ટ છે. જેની પાસે અવચ્છેદક યા વિશેષક તરીકે કાલ આવતો નથી તે ઈશ્વર પહેલાંના કાવિશિષ્ટ ગુરુઓનો પણ ગુરુ છે.?
આમ ભાષ્યકારે ઈશ્વરને નિત્યમુક્ત અને પરિણામે લોકોત્તર બનાવી દીધો. અને પ્રકૃષ્ટ ઐશ્વર્યને આધારે તેને એક જ માન્યો. કેવલી (મુક્ત)થી ઈશ્વરનો ભેદ કરવા ઈશ્વરને
Page #13
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર નિત્યમુક્ત બનાવવાની જરૂર નથી, કારણ કે બીજી રીતે તેનો ભેદ સ્વીકૃત જ છે. કેવલીને ચિત્ત જ હોતું નથી, તો પ્રકૃષ્ટ ચિત્ત (સત્ત્વ) ક્યાંથી હોય અને તદાધારિત પ્રકૃષ્ટ ઐશ્વર્ય પણ ક્યાંથી હોય ? જ્યારે આ બધું ઈશ્વરમાં છે. એકથી વધુ વ્યક્તિઓમાં શુદ્ધ નિરાવરણ પ્રકૃષ્ટ ચિત્ત સંભવે છે, તો પછી એથી વધુ વ્યક્તિઓમાં પ્રકૃષ્ટ ઐશ્વર્ય કેમ ન સંભવે ? પ્રકૃષ્ટ ઐશ્વર્ય ઈશ્વરની અનેકતાનું વિરોધી નથી,
આ બધું છતાં ભાગ્યકારે ઈશ્વરને જગત્કર્તુત્વ બક્યું નથી. વળી ભાષ્યકારી અનુસાર તેની પ્રવૃત્તિ જ્ઞાનધર્મનો ઉપદેશ આપી જીવોનો ઉદ્ધાર કરવા અર્થે જ છે. આમ ભાગ્યકારના મતે પણ મોક્ષમાર્ગોપદેષ્ઠત્વ જ તેનું મહત્ત્વનું લક્ષણ છે,
યોગદર્શનના ઈશ્વરના પ્રશ્ન બાબતે તત્ત્વવૈશારદીકાર વાચસ્પતિ અને વાર્તિકકાર વિજ્ઞાનભિક્ષુ ભાષ્યકાર વ્યાસથી કેટલા આગળ વધે છે તેનો વિચાર હવે કરીએ. ભાષ્યકારે જણાવ્યું છે કે ઈશ્વરના શાશ્વતિક ઉત્કર્ષનું કારણ છે પ્રકૃષ્ટ સન્ત (ચિત્ત), આમ હોય તો ઈશ્વરની સાથે યુક્ત પ્રકૃષ્ટ સન્વરૂપ ચિત્ત ત્રણેય કાળે હોવું જોઈએ. પરંતુ આમ માનવામાં વાચસ્પતિને મુશ્કેલી જણાય છે. એટલે તે પ્રલયકાળે ઈશ્વરના ચિત્તને પ્રકૃતિમાં લય પામતું માને છે. તો પછી સૃષ્ટિની શરૂઆતમાં તે પાછું ઈશ્વર સાથે કેવી રીતે જોડાઈ જાય છે? તેને ઈશ્વર સાથે જોડનાર શું છે? પ્રલયની શરૂઆતમાં ઈશ્વરે કરેલો સંકલ્પ કે સૃષ્ટિની શરૂઆતમાં હું તે ચિત્તયુક્ત બનું. આ સંકલ્પની વાસના તે ચિત્તમાં પ્રલય દરમ્યાન હોય છે. આ ચિત્તગત વાસના સૃષ્ટિની શરૂઆતમાં જાગે છે અને પરિણામે તે ચિત્ત ઈશ્વર સાથે જોડાય છે.“ જો ચિત્તને કોઈ પણ વખત પ્રકૃતિમાં લય પામતું ન માનવામાં આવે તો તેને પ્રકૃતિનું કાર્ય ગણી શકાય નહિ અને પરિણામે તેનો પ્રકૃતિતત્ત્વમાં સમાવેશ ન થઈ શકે. તેમ જ તે પુરુષતત્ત્વ તો નથી જ. આમ તે એક સ્વતંત્રતત્ત્વ બની જાય. આ તો યોગદર્શનને ઈદ નથી. “વાર્તિકકાર ભિક્ષુ વાચસ્પતિથી ઊલટો મત ધરાવે છે તેમ જ વાચસ્પતિના મતનું ખંડન કરે છે. તે પ્રલયકાળેય ઈશ્વરના ચિત્તનો પ્રકૃતિમાં લય સ્વીકારતા નથી. જે પ્રલયકાળે ચિત્તનો પ્રકૃતિમાં લય માનીએ તો સૃષ્ટિની શરૂઆતમાં ઈશ્વર સાથે તેનો સંયોગ થતો માનવો પડે. પરંતુ પુરુષ અને પ્રકૃતિના સંયોગનું કારણ તો અવિદ્યા છે. એટલે વાચસ્પતિનો મત સ્વીકારતાં ઈશ્વરમાં અવિદ્યાની આપત્તિ આવે. યોગદર્શન ઈશ્વરમાં અવિદ્યા વગેરે લેશે તો માનતું જ નથી. વળી, વાચસ્પતિ ઈશ્વરચિત્તમાં વાસના(સંસ્કાર) માની તેના ઈશ્વર સાથેના યુનઃ જોડાણને સમજાવે છે તે પણ બરાબર નથી કારણકે ઈશ્વરચિત્તમાં ક્લેશ, કર્મ અને વિપાકની સાથે આરાયનો(વાસનાનો) પણ નિષેધ યોગદર્શને કર્યો છે.”
વાચસ્પતિએ તો કર્મકલવ્યવસ્થાનું કામ પણ યોગના ઈશ્વરને સોંપ્યું હોય તેમ જણાય છે. તે ઈશ્વરને કર્મોના અધિષ્ઠાતા તરીકે સ્વીકારે છે. કર્મોના અધિષ્ઠાતા તરીકે ઈશ્વર શું કરે છે? સ્વકર્મનું યોગ્ય ફળ જીવને મળે એટલા માટે તે પ્રક્રિયામાં જે અંતરાયો
Page #14
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન
હોય તે દૂર કરવાનું જ કામ ઈશ્વર કરે છે.' ભિક્ષુ પણ આ વાત સ્વીકારતા જણાય છે. ઉપરાંત, ભિક્ષુ જણાવે છે કે ઈશ્વરને બીજાનાં દુઃખો દૂર કરવાની ઉત્કટ ઇચ્છા હોવા છતાં તેને જીવોની યોગ્યતા યા કર્મોને ગણતરીમાં લેવાં પડે છે.પર
૧૩
વાચસ્પતિએ યોગદર્શનના ઈશ્વરને જગતનું સર્જન અને સંહાર કરતો કલ્પ્યો છે. આ બાબતમાં ભિક્ષુ વાચસ્પતિ સાથે સહમત છે.'' અહીં ભિક્ષુ વાચસ્પતિને જણાવે છે કે પ્રકૃતિમાં ક્ષોભ (સામ્યાવસ્થાભંગ) ઈશ્વરેચ્છાથી થાય છે એટલે સૃષ્ટિની શરૂઆત પહેલાં પણ અર્થાત્ પ્રલયમાં પણ ઈશ્વર પ્રકૃષ્ટ સત્ત્વથી (ચિત્તથી) યુક્ત હોય છે એમ માનવું જ જોઈએ. અહીં પ્રશ્ન થાય છે કે ઈશ્વરેચ્છાથી પ્રકૃતિનું સર્જન માનતાં પ્રકૃતિનું સ્વાતન્ત્ય કેમ રહે ? આનો ઉત્તર વાચસ્પતિ અને ભિક્ષુ એ આપે છે કે ઈશ્વરેચ્છાથી તો પ્રકૃતિમાંથી જગતના સર્જન આડે જે અન્તરાયો હોય છે તે કેવળ દૂર થાય છે. આ અન્તરાયો દૂર થતાં જ પ્રકૃતિની સામ્યાવસ્યાનો ભંગ થાય છે અર્થાત્ ક્ષોભ થાય છે. આમ ઈશ્વર પ્રકૃતિમાંથી જગતની ઉત્પત્તિમાં માત્ર નિમિત્તકારણ છે, પ્રયોજકારણ નથી. કાર્યજનનશક્તિ (જગતસર્જનશક્તિ) પ્રકૃતિમાં સ્વાભાવિક છે, ઈશ્વર તો તે શક્તિનો ઉદ્બોધક છે.૫૫
વાર્તિકકાર ભિક્ષુએ યોગદર્શનના ઈશ્વરની ચર્ચા કરતી વેળાએ ઈશ્વર અને જીવ વચ્ચેના સંબંધની પણ ચર્ચા કરી છે. તેમના મતે તે બંને વચ્ચે અંશ-અંશીભાવનો સંબંધ છે. એ સંબંધને સમજાવવા તે અગ્નિ અને તેના તણખાનું દૃષ્ટાન્ત આપે છે. વળી, તે જણાવે છે કે અંશ અને અંશી વચ્ચે ભેદાભેદનો સંબંધ હોય છે એટલે જીવ અને ઈશ્વર વચ્ચે પણ ભેદાભેદનો સંબંધ છે.૫૬
વાચસ્પતિ અને ભિક્ષુએ તેમના કાળના વિચારપ્રભાવ તળે અને અનુક્રમે ઉત્તરકાલીન ન્યાય-વૈશેષિક વિચારધારા અને વેદાન્ત વિચારધારાના પ્રભાવ નીચે ઈશ્વરને જગત્કર્તા, કર્મફળદાતા અને જીવરૂપ અંશના અંશીરૂપ બનાવી દીધો. ઈશ્વરના આ લક્ષણો તો વ્યાસના યોગભાષ્યમાં પણ નથી.
ઈ.સ. આઠમી શતાબ્દીમાં બૌદ્ધાચાર્ય શાન્તરક્ષિતે રચેલા તત્ત્વસંગ્રહમાં સેશ્વર સાંખ્ય અર્થાત્ યોગદર્શનને માન્ય મનાયેલા એવા પ્રકૃતિ-પુરુષોભયહેતુવાદ(જગત્કર્તૃત્વવાદ)નું ખંડન મળે છે. તેનું નિરૂપણ કરવું યોગ્ય જણાય છે. તે નીચે પ્રમાણે છે.
યોગદર્શનનો જગતનો ઉભયકારણતાવાદ તરીકે ઓળખાતો સિદ્ધાન્ત આવો છે. પ્રકૃતિ અને ઈશ્વર બંને જગતનું કારણ છે. પ્રકૃતિ ઉપાદાનકારણ છે અને ઈશ્વર અધિષ્ઠાતૃકારણ છે, ઉપાદનાભૂત પ્રકૃતિ અચેતન છે. તે એકલી કોઈ ચેતનથી અધિષ્ઠિત થયા વિનાજગતનું નિર્માણ કરી શકતી નથી. ઈશ્વર પણ એકલો અચેતન ઉપાદાનની સહાયતા વિના જગતનું નિર્માણ કરી નથી શકતો. પરંતુ બંને પરસ્પર એકબીજાને સહાય કરીને જગતનું નિર્માણ કરે છે.
શાન્તરક્ષિત જણાવે છે કે પરસ્પર સહકારિતા બે રીતે જ હોઈ શકે છે-એકબીજામાં અતિરાયનું આધાન કરીને કે સાથે મળી એક કાર્યનું સંપાદન કરીને પ" પહેલો વિક્લ્પ
Page #15
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર સંભવતો નથી. ઈશ્વર અને પ્રકૃતિ બંને નિત્ય તત્ત્વો છે. એમનામાં વિકાર કદી પણ ઉત્પન્ન થઈ શકે જ નહિ. તેથી બંનેમાં પરસ્પર અતિશયનું આધાન અસંભવ છે. બીજો વિકલ્પ પણ ઘટતો નથી. બંને નિત્ય તત્ત્વો છે. તેથી બંને સાથે મળી એક કાર્યનું સંપાદન કરે છે એમ માનતાં બધાં કાર્યોની ઉત્પત્તિ એક કાળમાં જ અર્થાત્ યુગપતુ થઈ જશે, કારણકે કારણ હોતાં કાર્ય અવશ્ય થાય છે. પ્રકૃતિ અને ઈશ્વર બંને નિત્ય હોઈ સદા કારણરૂપે ઉપસ્થિત જ છે. એમાં કોઈ પ્રતિબધ કદી દેખાતો નથી. પરંતુ તે બંને સર્વકાળે વિદ્યમાન જ છે. તેથી એક જ કાળમાં બધાં કાર્યોને તેઓ અવશ્ય ઉત્પન્ન કરશે. આ ઉપરથી એ
સ્પષ્ટરૂપથી ફલિત થાય છે કે ઉપર્યુક્ત બંને વિકલ્પો દોષાવિષ્ટ હોઈ ઈશ્વર અને પ્રકૃતિની પરસ્પર સહકારિતા કોઈ રીતે સંભવતી નથી. આમ યોગદર્શનનો પ્રકૃતિ-ઈશ્વર ઉભયકારણતાવાદ ખંડિત થઈ જાય છે.
સેશ્વરસાંખ્યવાદી આની સામે જણાવે છે કે ઉપાદાનભૂત પ્રકૃતિના સ્વભાવગત ત્રણ દ્રવ્યરૂપ ગુણો છે - સત્વ, રજસ્ અને તમસ્. જ્યારે રજ ઉદ્દભૂત થાય છે ત્યારે તેની સાથે જોડાઈ ઈશ્વર સર્ગનો હેતુ બને છે અર્થાત્ સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, કારણ કે રજસ્ પ્રવૃત્તિશીલ છે. જ્યારે સત્ત્વ ઉદ્દભૂત થાય છે ત્યારે તેની સાથે જોડાઈ ઈશ્વર સર્ગની સ્થિતિનો હેતુ બને છે અર્થાત્ સૃષ્ટિની રક્ષા કરે છે, કારણકે સત્ત્વ સ્થિતિશીલ છે. અને
જ્યારે તમર્ ઉદ્ભૂત થાય છે ત્યારે તેની સાથે જોડાઈ ઈશ્વર સર્વસૃષ્ટિના પ્રલયનું કારણ બને છે અર્થાત્ સમગ્ર જગતનો પ્રલય કરે છે, કારણ કે તમસ્ અવષ્ટબ્લક છે. આમ પ્રકૃતિ અને ઈશ્વર ક્રમથી જ સર્જન, સ્થિતિ અને સંહારરૂપ કાર્યો કરે છે. પ્રકૃતિ અને ઈશ્વર સાથે મળી સર્જન કરે છે, પછી સ્થિતિ કરે છે અને પછી સંહાર કરે છે. આમ સાથે મળી એક કાર્ય કરવા રૂપ પરસ્પર સહકારિતા એમનામાં ઘટે છે.
અહીં શાન્તરક્ષિત પૂછે છે કે પ્રકૃતિ-ઈશ્વરનું જોડું જ્યારે એક કાર્ય (સર્જન કરે છે ત્યારે તેનામાં બીજાં કાર્યો( સ્થિતિસંહાર) કરવાનું સામર્થ્ય હોય છે કે નહિ? જો હોય, તો બીજાં બે કાર્યો પણ ત્યારે જ કરે. સમર્થ કાલક્ષેપ ન કરે. આમ એક કાર્ય હોતાં બાકીનાં બીજાં બે કાર્યો પણ તે જ વખતે હોવાની આપત્તિ આવે. આ રીતે, સૃષ્ટિની ઉત્પત્તિના સમયે જ તેની સ્થિતિ અને સંહાર પણ થશે. તથા સર્વ જગતના સંહાર વખતે જ જગતની ઉત્પત્તિ અને સ્થિતિ પણ થશે, તેમ જ સૃષ્ટિના સ્થિતિકાળે જ સૃષ્ટિની ઉત્પત્તિ સાથે જ સૃષ્ટિનો નાશ પણ થશે. આનું કારણ એ કે સમર્થ કારણ હતાં કર્ય અવશ્ય થાય છે. સૃષ્ટિનો સંહાર કરવા સમર્થ એવું પ્રકૃતિ-ઈશ્વરનું જોડું સૃષ્ટિના સર્જન સમયે વિદ્યમાન જ છે, તો પછી તે જ સમયે સૃષ્ટિનો સંહાર કેમ ન થાય?
સેશ્વરસાંખ્ય (યોગદર્શન) ખુલાસો કરતાં કહે છે કે પ્રકૃતિ-ઈશ્વરનું જોડું જ્યારે જગતનું સર્જન કરે છે ત્યારે જ તેનાં સ્થિતિ-નાશ કરતું નથી કારણ કે સ્થિતિ-નાસ માટે તે જોડાને રૂપાન્તરની અપેક્ષા છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
૬૮
ભારતીય તત્ત્વજ્ઞાન આની સામે શાન્તરક્ષિત બે વિકલ્પો ઉપસ્થિત કરે છે – શું પ્રકૃતિ-ઈશ્વરનું જોડું જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારનું કારણ બનવામાં પોતાનાથી ભિન્ન કોઈ વસ્તુની ( =પરરૂપની અપેક્ષા રાખે છે કે સ્વરૂપથી જ તે જગતનાં ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારનું કારણ બને છે? પ્રથમ વિકલ્પ સંભવતો નથી. પ્રકૃતિ-ઈશ્વરના જોડાથી ભિન્ન જે વસ્તુની અપેક્ષા હશે તે પણ તે બે પ્રકૃતિ-ઈશ્વરની જેમ પ્રમુખ બની જશે. પરિણામે ઉભયકારણતાવાદને બદલે અપેક્ષિત અન્ય વસ્તુ(પરરૂપ)ને લઈને ત્રિતયકારણવાદરૂપ સિદ્ધાન્ત સ્થાપિત થશે. ફલતઃ આ વિકલ્પમાં સિદ્ધાન્તવ્યાધાતદોષ છે. બીજો વિકલ્પ પણ ઘટતો નથી. ઈશ્વર અને પ્રકૃતિ સ્વરૂપતઃ નિત્ય છે, તથા સદા કાર્ય કરવાના સ્વભાવવાળા જ છે, તેથી જગતની ઉત્પત્તિ માટેનો વ્યાપાર કરતા હોય ત્યારે જગતનાં સ્થિતિ અને નાશ માટેનો વ્યાપાર કરવામાંથી પ્રકૃતિ-ઈશ્વર ઉભય કેવી રીતે વિરમી શકે?
હવે સેશ્વરસાંખ્ય (યોગદર્શન) પ્રકૃતિ-ઈશ્વરનું જોડું એક કાર્ય (સર્જન કરે છે ત્યારે તેનામાં બીજાં બેકાય (સ્થિતિ-સંહાર કરવાનું પણ સામર્થ્ય હોય છે એ વિકલ્પ છોડી બીજો વિકલ્પ સ્વીકારે છે કે તે જોવું એક કાર્ય કરે છે ત્યારે તેનામાં બીજાં બેકાય કરવાનું સામર્થ્ય હોતું નથી. તે કહે છે કે જ્યારે પ્રકૃતિ-ઈશ્વરનું જોડું સૃષ્ટિનું સર્જન કરે છે ત્યારે તેનામાં સૃષ્ટિની સ્થિતિ કે સંહાર કરવાનું સામર્થ્ય હોતું નથી. તેથી સૃષ્ટિની ઉત્પત્તિના સમયે જ સૃષ્ટિના સંહારની તથા સૃષ્ટિના નાશના સમયે જ સૃષ્ટિની ઉત્પત્તિની આપત્તિનું નિરાકરણ થઈ જાય છે.
શાન્તરક્ષિત જણાવે છે કે સૃષ્ટિને ઉત્પન્ન કરતી વખતે પ્રકૃતિ-ઈશ્વરનું જોડું સૃષ્ટિના સ્થાપક તથા સંહારક સામર્થ્યથી રહિત હોય તો સૃષ્ટિની સ્થિતિ તથા નાશ કદી સંભવશે નહિ, કારણકે નિત્ય સ્વભાવવાળા તે જોવાનું તે અસામર્થ્ય સદા રહેશે, જેમ સામર્થ્યરહિત
આકારાકુસુમ કાર્ય સંપાદન કદી કરતું નથી તેમ સ્થાપક-નાક સામર્થ્યથી રહિત પ્રકૃતિ'ઈશ્વરનું જોડું પણ સૃષ્ટિનાં સ્થિતિ અને સંહાર કદીય કરી શકશે નહિ.
સેશ્વરસાખ્ય પોતાના બચાવમાં કહે છે કે પ્રકૃતિ-ઈશ્વરના જોડામાં સર્જન કરવાની શક્તિ, સ્થિતિ કરવાની શક્તિ અને સંહાર કરવાની શક્તિ સદા હોય છે પરંતુ પ્રકૃતિમાં જયારે તે તે શક્તિ ઉત્કટ રૂપ ધારણ કરે છે ત્યારે તે તે ઉત્કટ શક્તિની સાથે જોડાઈ ઈશ્વર સર્જન, સ્થિતિ અને સંહાર તે તે સમયે કુમથી કરે છે. સર્વદા ત્રણે શક્તિની ઉત્કટતા પ્રકૃતિમાં હોતી નથી.
શાન્તરક્ષિત સેશ્વરસાંખ્યવાદીને પ્રશ્ન કરે છે કે પ્રકૃતિની શક્તિનું ઉત્કટ રૂપ નિત્ય અને સ્વતન્ત્ર છે કે ઈશ્વર-પ્રકૃતિ એનું કારણ છે કે પછી અન્ય કારણોથી શક્તિની ઉત્કટતાનો આવિર્ભાવ થાય છે. પ્રથમ વિકલ્પ ઘટતો નથી. જો શક્તિનું ઉત્કટ રૂપ નિત્ય અને સ્વતન્ત્ર હોય તો તેનું કાર્ય સદા થયા જ કરે. વળી, શકિતનું ઉત્કટ રૂપ સેશ્વર સાંખ્યમતે નિત્ય અને સ્વતન્ન સ્વીકારાયું નથી, કારણ કે સેશ્વરસાંખ્યમતમાં પણ કોઈ શક્તિનું ઉત્કટ રૂપ થવું
Page #17
--------------------------------------------------------------------------
________________
૬૯
ભારતીય દર્શનોમાં ઈશ્વર અને કોઈ શક્તિનું અનુદ્દભૂત રહેવું ક્યારેક થાય છે અને ક્યારેક થતું નથી. આમ નિયતાવાધિક અને કદાચિક હોવાને કારણે શક્તિનું ઉત્કટ રૂપ નિત્ય અને સ્વતન્ચનહોતાં સકારણ જ થતું હશે. બીજો વિકલ્પ પણ સંભવતો નથી. પ્રકૃતિ અને ઈશ્વર બંને નિત્ય છે અને તે બંનેને શક્તિના ઉત્કટ રૂપનું કારણ માનતાં કારણ અનવરત સદા ઉપસ્થિત રહેતું હોવાથી કાર્ય અર્થાત્ શક્તિનું ઉત્કટ રૂપ પણ અનવરત સદા થતું જ રહે. પરિણામે પૂર્વોક્ત ત્રણે શક્તિઓના ઉત્કટ રૂપોનું યોગપદ્ય આવી પડે અને છેવટે જગતનાં સર્ગ-સ્થિતિસંહારનું પણ યૌગપઘ આવી પડે. પ્રકૃતિ-ઈશ્વર ઉભયકારણવાદી સેશ્વરસાંખ્ય
સ્વસિદ્ધાન્તની રક્ષા કાજે ત્રીજો વિકલ્પ તો સ્વીકારી જ ન શકે. પ્રકૃતિ અને ઈશ્વરથી અન્ય તત્ત્વને શક્તિની ઉત્કટતા ઉત્પન્ન કરનારું કારણ માનતાં પ્રકૃતિ અને ઈશ્વર ઉપરાંત ત્રીજું મૂળતત્ત્વ સેશ્વરસાંખે સ્વીકારવું પડે, જે તેને ઈષ્ટ નથી ઉપરાંત, શક્તિનું ઉત્કટ રૂપ પોતે જ પોતાને ઉત્પન્ન કરે છે (સ્વતઃ ઉત્પત્તિ) એમ માનતાં શક્તિનું ઉત્કટ રૂ૫ અહેતુક બની જાય તેમ જ તેમ માનવામાં એક જ ક્રિયામાં ક્ત અને કર્મ બંને એક હોવાની આપત્તિ આવે (કન્નુકર્મવિરોધદોષ આવે) ગમે તેટલી ધારદાર છરી હોય પણ તે પોતે પોતાને કાપી ન શકે. જો શક્તિનું ઉત્કટ રૂપ પોતાની ઉત્પત્તિ માટે બીજાની અપેક્ષા રાખે છે એમ માનો. તો તે ઉત્કટ રૂપકાદાચિત્ક બની જાય અને તેનું કારણ નિત્ય પ્રકૃતિ ઈશ્વર ન જ હોય અને પ્રકૃતિ-ઈશ્વરથી અન્ય કારણ માનવું ઇષ્ટ નથી.' ન્યાયોપિકદર્શનમાં ઈશ્વરની વિભાવના
(૧) શું કણાદ ઈશ્વર(God)ના અસ્તિત્વમાં માને છે ?
કણાદનાં સૂત્રોમાં ઈશ્વરનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. તેથી સાંખ્યકારિકા પરની યુક્તિદીપિકાટીકાના કર્તા (ઈ.સ.ની છઠ્ઠી સાતમી શતાબ્દી) સ્પષ્ટપણે જણાવે છે કે સૂત્રકાર કણાદના મતે ઈશ્વરનું અસ્તિત્વ નથી. વળી, વૈશેષિકસૂત્રો ઈશ્વરને સ્વીકારતા નથી એ હકીકતને વિસ્તારથી પુરવાર કરી તે જણાવે છે કે પાશુપત ભક્તોએ પાછળથી વૈશેષિકદર્શનમાં ઈશ્વરની વિભાવનાને દાખલ કરી છે. ભારતીય દર્શનોના આધુનિક વિદ્વાન ગાર્બે માને છે કે વૈશેષિકસૂત્રો મૂળે ઈશ્વરને સ્વીકારતા નથી.” પરંતુ ઉત્તરકાલીન ન્યાયશેષિકદર્શનમા ઈશ્વરનું જે મહત્ત્વનું સ્થાન છે તેને દષ્ટિમાં રાખી સંસ્કૃત ટીકાકારો વૈશેષિકસૂત્રોમાં ઈશ્વરના અસ્તિત્વને ગર્ભિત સ્વીકાર શોધવાનો મોટો પ્રયાસ કરે છે. નીચેનાં પ્રારંભનાં બે સૂત્રો લો: યતષ્ણુનયરિદ્ધિઃ ધ તન મનાયર્સ પ્રમાણ I વૈ.પૂ. .૨-૩. આ બે સુત્રોનો સીધો અને સ્પષ્ટ અર્થ છે--' જેના વડે અભ્યદય અને નિઃશ્રેયસ સિદ્ધ થાય છે તે ધર્મ છે. વેદ ધર્મનું પ્રતિપાદન કરતો હોવાથી પ્રમાણ છે.” પરંતુ ટીકાકારોએ ‘તરના” નો અર્થ ર્યો છે ‘મહેશ્વરનું વચન હોવાથી.' પરંતુ આ અર્થઘટન બરાબર લાગતું નથી. આ અંગે પ્રા. એસ. એન. દાસગુપ્તાનું નિરીક્ષણ R41 UHUSIC : "The Sūtra 'tadvacanās āmnāyasya prāmānyam' has
Page #18
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન
been explained by Upaskāra as meaning 'The Veda being the Word of Isvara (God) must be regarded as valid', but since there is no mention of Isvara anywhere in the text this is simply reading the later Nyāya ideas into the Vaiseșika." ’'છ પ્રાધ્યાપક એરિચ ફાઉવર તો ઉપલબ્ધ વૈરોબિકસૂત્રનાં પ્રથમ ચાર સૂત્રોને પ્રક્ષિપ્ત ગણે છે અને પ્રશસ્તપાદના પદાર્થધર્મસંગ્રહના (ઈ.સ. છઠ્ઠી શતાબ્દી) આરંભને અનુસરી લખાયાં અને ઉમેરાયાં હોય એમ તેમનું માનવું છે. તેમને સ્થાને મૌલિક પ્રારંભિક સૂત્રો જુદાં હતાં, જેમનો યુનરુદ્ધાર ઉદયનની ણિાવલિ અને જૈન હરિભદ્રની ન્યાયપ્રવેશવૃત્તિને આધારે આ પ્રાધ્યાપકે ર્યો છે. આ મૌલિક સૂત્રોમાં તો એવું કશું જ નથી જેને આધારે જરા પણ ઈશ્વરનું સૂચન મળે. બીજું એક સૂત્ર છે જ્યાં ટીકાકારો ખોટી રીતે ઈશ્વર(God)નો ગર્ભિત નિર્દેશ શોધવાનો પ્રયાસ કરે છે. તે સૂત્ર છે : સંજ્ઞાર્મ ત્વદિશિષ્ટાનાં લિમ્' (૨.૬.૬૮). આ સૂત્રમાં આવેલા ‘અમર્દિશિષ્ટાનામૂ’ નો અર્થ ટીકાકારો ‘મહેશ્વરસ્ય’ એવો કરે છે. ઉપસ્કાર અનુસાર આ સૂત્રનો અર્થ છે-‘નામ અને કાર્ય ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરનાર લિંગ છે.’ કેવી રીતે નામ તેમ જ કાર્ય ઈશ્વરના અસ્તિત્વનાં લિગો બને છે તે સમજાવે છે. પૃથ્વી વગેરેનો કોઈ કર્તા હોવો જોઈએ કારણ કે તે ઘટની જેમ કાર્ય છે. ઉપસ્કાર અનુસાર આ સૂત્ર ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરનાર બે હેતુઓ આપે છે. ઉપસ્કારના આ અર્થધટનની ટીકા કરતા દાસગુપ્તા લખે છે “Upaskāra's interpretation seems to be farfetched. He wants to twist it into an
vt
૧૦
argument for the existence of God,''" દાસગુપ્તા અનુસાર સૂત્રનો અર્થ આ પ્રમાણે છે : “The existence of others different from us (asmadvisiṣṭānām) has to be admitted for accounting for the giving of names to things (sañjñākarma). Because we find that the giving of names is already in usage (and not invented by us). * ચન્દ્રાનન્દે પોતાની વૈશેષિકસૂત્રની વૃત્તિમાં આ સૂત્રનો અર્થ નીચે પ્રમાણે કર્યો છે – અસ્મવાવીનાં માશાત્ યો भगवान् विज्ञानादिभिर्विशिष्टो महेश्वरस्तदीयं संज्ञाप्रणयनं नवानामेव द्रव्यानां भावे लिङ्गम्, વામસ્ય સંજ્ઞાઽમિધાનાત્। અર્થાત્ મહેશ્વર દ્વારા નવ જ સંજ્ઞાનું પ્રણયન એ નવ જ દ્રવ્યોના અસ્તિત્વમાં હેતુ છે. આ અર્થઘટન પણ અયોગ્ય છે. હકીકતમાં, ‘અમદ્ધિશિષ્ટાનામ્’પદનો અર્થ ‘આપણાથી જુદા’ કે ‘આપણાથી ચડિયાતા’ એવો થાય. પ્રશસ્તપાદભાષ્યમાં આ પદ એક સ્થળે પ્રયોજાયું છે અને તેને ‘યોગિનામ્’ ના વિશેષણ તરીકે આપવામાં આવ્યું છે. યુક્તિઠીપિકાકાર પણ કહે છે કે આ સૂત્રગત ‘અસ્મૃદ્વિશિષ્ટાનામ્’પદથી માહાત્મ્યસાલી મહાપુરુષોનું ગ્રહણ કરવાનું છે. ઉત્તરકાલીન ન્યાય-વૈશેષિકોનો એક મહત્ત્વનો સિદ્ધાન્ત એ છે કે પરમાણુઓનું આદ્ય કર્મ (-ગતિ) ઈશ્વરકારિત છે. પરંતુ કણાદ તો કહે છે કે પરમાણુઓનું આદ્ય કર્મ અદકારિત છે. અઘૂનાં મનસમ્રાાં ર્માતૃષ્ટારિતમ્ । (૧.૨.૬૩). વળી, ઉત્તરકાલીન ન્યાય-નૈરોષિકોનો બીજો મહત્ત્વનો સિદ્ધાન્ત એ છે કે વેદો ઈશ્વરકૃત
Page #19
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૧૧
*
છે, પરંતુ કણાદ તો એટલું જ જણાવે છે કે વેદવાક્યોની રચના બુદ્ધિપૂર્તિકા છે. દાસગુપ્તા લખે છે : “It is probable that Kanāda believed that the Vedas were written by some persons superior to us (2.1,18, 6.1.1-2)''′ વેદના રચયિતા સાક્ષાત્કૃતધર્મા ઋષિઓ હતા એ મતને કણાદ પણ સ્વીકારતા હોય એમ લાગે છે. ઉત્તરકાલીન ન્યાયવૈશેષિકોનો ત્રીજો મહત્ત્વનો સિદ્ધાન્ત એ છે કે ઈશ્વર સર્વ પ્રાણીઓને પોતાના કર્મ અનુસાર ફળ આપે છે. કણાદમાં કર્મલદાતા ઈશ્વરની કલ્પના જ નથી. તેથી પ્રા. દાસગુપ્તા નીચેના નિર્ણય ઉપર આવે છે- “As there is no reference to Isvara and as adṛsta proceeding out of the performance of actions in accordance with Vedic injunctions is made the cause of all atomic movements, we can very well assume that Vaiseṣika was as atheistic
or non-theistic as the later Mimāṁsā philosophers." '’*૬ આ ક્ષણે એ નોંધવું અત્યન્ત રસપ્રદ થરો કે ચન્દ્રમતિના દશપદાર્થશાસ્ત્રમાં પણ ઈશ્વરનો સ્વીકાર નથી, એટલું જ નહિ પણ સાતમી રાતાબ્દીમાં ઉદ્યોતકર હજુ પણ પોતાના ન્યાયવાર્તિમાં ઈશ્વર વિરુદ્ધના વૈશેષિકોએ આપેલા તર્કોનું નિરૂપણ કરે છે.”
(૨) "ન્યાયસૂત્રકાર ગૌતમને મતે ‘ઈશ્વર’નો અર્થ શું છે ?
પ્રાચીનકાળે ન્યાયદર્શન ઈશ્વરવાદી હતું કે નહિ એ વિશે ઘણા વિદ્વાનોને શંકા છે. પ્રા. હિરિયા લખે છે : ‘Gautama makes only a casual mention of God, and some have doubted whether the Nyāya was originally theistic.
'***
ગૌતમના ન્યાયસૂત્રમાં ઈશ્વર વિશે ત્રણ સૂત્રો છે અને તે પણ પ્રાવાદુકોની ચર્ચાના પ્રકરણમાં જ છે. આ ત્રણ સૂત્રોમાં પુરુષકર્મ અને તેના ફળની બાબતમાં ઈશ્વરનું શું કાર્ય છે તે દર્શાવ્યું છે. પ્રથમ બે સૂત્રોમાં વિરોધીઓના બે મતો આપી ત્રીજા સૂત્રમાં ગૌતમે પોતાનો સિદ્ધાન્ત રજૂ કર્યો છે. તે સૂત્રોને ક્રમશઃ સમજતાં ગૌતમનો ઈશ્વર વિશેની માન્યતા તદ્દન સ્પષ્ટ થઈ જશે.
כט
ईश्वरः कारणं पुरुषकर्माफल्यदर्शनात् । ४.१.१९
અનુવાદ : પુરુષનાં કર્મોનું વૈફલ્ય જણાતું હોઈ ફળનું કારણ ઈશ્વર છે.
સમજૂતી : ફળનું કારણ કર્મ નથી પણ ઈશ્વર છે. કર્મ અને ફળ વચ્ચે નિયત સંબંધ નથી. ફળ કર્મ ઉપર આધાર રાખતું નથી પણ ઈશ્વર ઉપર આધાર રાખે છે. આમ માનવું જોઈએ કારણ કે કર્મ કરવા છતાં ઘણી વાર પુરુષને તેનું ફળ મળતું નથી. ઈશ્વર જ આપણને જુદી જુદી પરિસ્થિતિઓમાં મૂકે છે, તે જ આપણને સુખ યા દુઃખ દે છે, તે જ આપણને બંધનમાં રાખે છે કે મુક્ત રે છે. આ બધું આપણાં કર્મોનું પરિણામ નથી પરંતુ ઈશ્વરની ઇચ્છાનું પરિણામ છે. આપણાં કર્મોને એ બધાંની સાથે કોઈ સંબંધ નથી. કર્મસિદ્ધાન્ત ખોટો છે. ઈશ્વરેચ્છા જ સાચી છે. વત્તીયસી વતી
! |
न, पुरुषकर्माभावे फलानिष्पत्तेः । ४.१.२०
Page #20
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન
અનુવાદ : ના, (ઈશ્વર ફળનું કારણ નથી) કારણકે પુરુષ કર્મ ન કરે તો ફળ મળતું નથી. સમજૂતી : ઉપર નિરૂપવામાં આવેલો સિદ્ધાન્ત ખોટો છે, કારણ કે ખરેખર ફળનું કારણ કર્મ નહિ પણ ઈશ્વર હોય તો કર્મ ન કરવા છતાં આપણને ઇચ્છિત ફળ મળવું જોઈએ, પરંતુ ક્યાંય કર્મ કર્યા વિના ફળ મળતું નથી. ચાલ્યા વિના ઇચ્છિત સ્થાને પહોંચાતું નથી, ભિક્ષાટન વિના ભિક્ષા મળતી નથી, દવા લીધા વિના રોગ મટતો નથી. જો ફળ કર્મ ઉપર આધાર ન રાખતું હોય તો કર્મ કર્યા વિના જ ફળ મળવું જોઈએ. પરંતુ તેમ થતું નથી. એટલે ફળ ઈશ્વર ઉપર નહિ પણ કર્મ ઉપર જ આધાર રાખે છે. ઈશ્વરની કોઈ જરૂર નથી. કર્મ કર્યું એટલે એનું ફળ થવાનું જ. વટખીજ પૃથ્વી આદિના સંસર્ગમાં આવ્યું તો વટવૃક્ષ થવાનું, એમાં કોઈ માધ્યમની જરૂર નથી. કાર્યકારણનો નિયમ જ એવો છે. કારણ હોતાં કાર્ય થાય જ. ઝેર લો એટલે મરોજ, પછી ઝેરને પોતાનું કાર્ય કરવા ક્શા ઉપર આધાર રાખવો પડતો નથી. કર્મ કરો એટલે એનું ફળ મળે જ. આમાં ઈશ્વરની જરૂર જ કયાં છે ?
तत्कारितत्वादहेतुः । ४.१.२१
७२
અનુવાદ : કર્મ તેમ જ ફળ ઈશ્વરકારિત હોવાથી (ક્રમથી) ઉપરના બેય સિદ્ધાન્ત તર્કહીન છે, ખોટા છે.
સમજૂતી : આ સૂત્રમાં ગૌતમ પોતાનો સિદ્ધાન્ત રજૂ કરે છે. તે નીચે પ્રમાણે છે. ઉપરના બંને સિદ્ધાન્તો ખોટા છે. એક કર્મ-ફળના નિયત સંબંધને અવગણે છે, બીજો ઈશ્વરને અવગણે છે. ખરેખર તો કર્મ અને ફળ વચ્ચે નિયત સંબંધ છે જ. અમુક ફર્મ કરો એટલે તે પોતાનું ફળ આપે છે. કૃત કર્મને ફળવા માટે ઈશ્વરની જરૂર નથી એ વાત સાચી, પરંતુ ઇચ્છિત ફળ મેળવવા કયું કર્મ કરવું એ જાણવું જોઈએ. આ કર્મનું આ ફળ છે એ જ્ઞાન તો તે ફળ પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખનારને હોવું જ જોઈએ ને ? ઝેર અવશ્ય મારી નાખે છે એ વાત સાચી પરંતુ મરવા ઇચ્છનારને એ જ્ઞાન હોવું જરૂરી છે કે અમુક પદાર્થ પ્રાણઘાતક છે. તે જ્ઞાન ન હોય તો તે જે પદાર્થ લે તે તેના પ્રાણનો ઘાત ન કરે. અમુક ઔષધ લો એટલે અમુક રોગ મટે છે. તે ઔષધને પોતાનું કામ કરવા પછી વૈઘની જરૂર નથી. વૈદ્યની જરૂર તો રોગીના જ્ઞાન માટે છે કે તે રોગ માટે તેણે કઈ દવા લેવી. રોગી રોગ મટાડવા ઇચ્છે છે, પરંતુ તે માટે ક્યું કર્મ યોગ્ય છે તેનું તેને જ્ઞાન નથી. તે જ્ઞાન તેને વૈઘ આપે છે. પછી તે જ્ઞાનપૂર્વક જ્યારે તે કર્મ કરે છે ત્યારે તેને તેનું ઇચ્છિત ફળ મળે છે. એટલે ઇચ્છિત ફળ મેળવવા માટે તે ફળને અનુરૂપ કર્મ કર્યું છે તેનું જ્ઞાન કર્મ કરનારને હોવું જરૂરી છે. આ જ્ઞાન લૌકિક બાબતોમાં તો તે તે વિષયના જાણકાર નિષ્ણાત આપે છે પરંતુ રાગ આદિ દોષોથી મુક્ત થવા કઈ ક્ક્ષાએ કયું કર્મ કરવું, શી સાધના કરવી તેનું જ્ઞાન તો સાધના કરી રાગાદિ દોષોથી મુક્ત થયેલ ઈશ્વર જ કરાવી રશકે. આમ કર્મ અને તેના ફળ વચ્ચે નિયત સંબંધ છે, પરંતુ તે નિયત સંબંધને જાણવા ઈશ્વરની આપણને જરૂર છે એવો મત ફલિત થાય છે. ઈશ્વર કેવળ ઉપદેષ્ટા છે, માર્ગદર્શક છે, કર્મ-ફળના નિયત સંબંધનું
Page #21
--------------------------------------------------------------------------
________________
: ભારતીય દર્શનોમાં ઈશ્વર
૭૩ જ્ઞાન કરાવનાર છે. આ અર્થમાં જ તે કર્મકારયિતા છે. તે બળજબરીથી કોઈની પાસે કર્મ કરાવતા નથી. વૈદ્ય કેવળ દવા બતાવે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે વૈદ્ય રોગ મટાળ્યો. તેવી જ રીતે, ઈશ્વર પણ રાગાદિ રોગનો ઈલાજ બતાવે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે ઈશ્વરે એ રોગ મટાડ્યો, ઈશ્વરે ફળ આપ્યું, ઈશ્વરે અનુગ્રહ કર્યો. આ અર્થમાં જ ઈશ્વર ફળકારયિતા યા ફળસંપાદયિતા છે. આમ ઈશ્વર પ્રાણીને ઇચ્છિત ફળ (= મોક્ષ)ને અનુરૂપ કર્મ ક્યું તેનું જ્ઞાન કરાવી તેના પ્રયત્નને, તેની સાધનાને સફળ બનાવે છે. જો તેને તે જ્ઞાન ન કરાવવામાં આવે તો તેને ઈષ્ટ ફળની પ્રાપ્તિ ન થાય તે જ્ઞાન આપનાર ઈશ્વર છે. ઉદાહરણાર્થ, ધૂમ અને અગ્નિ વચ્ચે કાર્યકારણભાવનો નિયત સંબંધ છે. પરંતુ જ્યાં સુધી આ સંબંધનું જ્ઞાન વ્યક્તિને ન હોય ત્યાં સુધી તે ધૂમ ઉપરથી અગ્નિનું અનુમાન કરી શકે. ધૂમ અને અગ્નિ વચ્ચેના નિયત સંબંધનું જ્ઞાન થયા પછી જ તે ધૂમ ઉપરથી અગ્નિનું અનુમાન કરી શકે છે. તેવી જ રીતે, ઇચ્છિત ફળ મેળવવા માટે તે ફળ અને અનુરૂપ કર્મ વચ્ચેના નિયત સંબંધનું જ્ઞાન જરૂરી છે. આ જ્ઞાન આપનાર ઈશ્વર છે.
દર્શનોમાં પરમ ઇષ્ટ ફળ મુક્તિને માનવામાં આવ્યું છે. સૌ મુક્તિ ( દુઃખમુક્તિ) ઇચ્છે છે. એ ઇછિત ફળ માટે ક્યું કર્મ કરવું જોઈએ, શી સાધના કરવી જોઈએ, ક્યા ક્રમે કરવી જોઈએ એનું જ્ઞાન સાધના કરી દુઃખમુક્ત થયેલ જીવન્મુક્ત જ આપે છે. જીવન્મુક્ત જ મોક્ષમાર્ગના ઉપદેટા બનવાને લાયક છે. જીવન્મુૌવ ૩૫ષ્ટ્રમવા | પાંચપ્રવચનમM રૂ.૭૬. આમ ગૌતમે જીવમુક્તને માટે જ ઈશ્વરશબ્દનો પ્રયોગ કર્યો જણાય છે. જીવમુક્ત ઉપદેષ્ટા જ તેમનો ઈશ્વર છે.
ઉપરના વ્યાખ્યાનના પ્રકાશમાં, વારંવાર ઉઠ્ઠત કરવામાં આવેલ નીચેના શ્લોકનો અર્થ એકદમ સ્પષ્ટ થઈ જાય છે..
ईश्वरप्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा ।
__ अज्ञो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः।। અનુવાદઃ ઈશ્વરપ્રેરિત જીવ સ્વર્ગે જાય છે કે નરકે જાય છે. અજ્ઞાની જીવ પોતાના સુખ કે દુ:ખનો પ્રભુ નથી, નિયંતા નથી.
સમજૂતી : ઈશ્વરેચ્છા સર્વશક્તિમાન છે, આપણાં સુખદુઃખ તેના ઉપર આધાર રાખે છે, આપણા પ્રયત્ન, પુરુષાર્થ ઉપર આધાર રાખતા નથી-એવા મતના સમર્થનમાં આ બ્લોને સામાન્ય રીતે ટાંકવામાં આવે છે. પરંતુ શ્લોકનો ખરો અર્થ-આશય આનથી. તેનો ખરો અર્થ-આશય તો નીચે પ્રમાણે છે.
જન્તુનું વિશેષણ અશ અત્યંત મહત્ત્વનું છે કારણ કે તે જ બ્લોકના ખરા અર્થઆશયની ચાવી પૂરી પાડે છે.
સુખ અને દુઃખ જીવે કરેલાં કર્મોનાં ફળો છે. જો તેને સુખ જોઈતું હોય તો સુખને પેદા કરનાર કમ ક્યાં છે તે તેણે જાણવું જોઈએ. જે તેને દુઃખ જોઈતું હોય તો દુઃખને પેઠા
Page #22
--------------------------------------------------------------------------
________________
૭૪
. ભારતીય તત્વજ્ઞાન કરનાર કમોં ક્યાં છે તે તેણે જાણવું જોઈએ. પરંતુ જીવ સ્વયં પોતે એ જ્ઞાન ધરાવતો નથી કે ક્યાં કર્મો સુખ પેદા કરનાર છે અને ક્યાં કર્મો દુઃખ પેદા કરનાર છે. તેથી માનવામાં આવ્યું છે કે જીવ પોતે પોતાનાં સુખદુઃખનો પ્રભુનથી. આવું જ્ઞાન ઈશ્વર જ તેને આપે છે. ઈશ્વર ઉપદેશ છે કે અમુક કર્મો સુખજનક છે અને અમુક કર્મો દુ:ખજનક છે. આ જ્ઞાન તેને સુખજનક કર્મો કરવા પ્રેરે છે, જો તે સુખ ઇચ્છતો હોય છે તો; અને દુ:ખજનક કર્મો કરવા પ્રેરે છે જો તે દુઃખ ઇચ્છતો હોય છે તો. આમ આ જ્ઞાન આપીને તે દ્વારા જ ઈશ્વર તેને સ્વર્ગે જવા કે નરક જવા પ્રેરે છે. સ્વર્ગનો અર્થ સુખ અને નરકનો અર્થ દુઃખ સમજવાનો છે.
(૩) ન્યાયભાષ્યકાર વાત્સ્યાયનને મતે ઈશ્વરનું સ્વરૂપ ન્યાયભાષ્યનો સમય ઈ.સ.ની પાંચમી શતાબ્દી મનાય છે.
આપણે જોયું કે કર્મ-ફળના નિયત સંબંધનું જ્ઞાન કરાવનાર તરીકે ઈશ્વરનો સ્વીકાર ગૌતમે કર્યો છે. તે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે એની સ્પષ્ટતા વાત્સ્યાયને પોતાના ભાગ્યમાં (૪.૧.૨૧) કરી છે. તે નીચે પ્રમાણે છે :
(a) "વિશિષ્ટમી-માતાનીજ ! તસ્યાત્મ ન્યાત ન્યાત નુપત્તિ: અથર્ષमिथ्याज्ञान-प्रमादहान्या धर्म-ज्ञान-समाधिसम्पदा च विशिष्टमात्मान्तरमीश्वरः । तस्य च समाधिफलमणिमाद्यष्टविधमैश्वर्यम् ।
સમજૂતીઃ ઈશ્વર આત્મા જ છે. આત્માથી અતિરિક્ત કોઈ નવું જ દ્રવ્ય નથી. ઈશ્વર અન્ય આત્માઓ જેવો જ છે, પરંતુ અન્ય આત્માઓ અને તેનામાં ભેદ એટલો જ છે કે અન્ય આત્માઓમાં જે ગુણો હોય છે તે જ ગુણો તેનામાં પણ હોય છે પરંતુ તેના ગુણોમાં વૈશિષ્ટ છે. શું વૈશિષ્ટ છે? અન્ય આત્માઓમાં મિથ્યાાન, અધર્મ (=અધર્મપ્રવૃત્તિ, લેશયુક્ત પ્રવૃત્તિ, રાગદ્વેષપૂર્વકની પ્રવૃત્તિ) અને પ્રમાદ હોય છે. ઈશ્વરે તેમનો નાશ કર્યો હોય છે. તેથી તેનામાં જ્ઞાન ( =સમ્યફ જ્ઞાન, વિવેકજ્ઞાન), ધર્મ (ધર્મરૂપ પ્રવૃત્તિ, અક્લિષ્ટ પ્રવૃત્તિ) અને સમાધિરૂપ સંપત્તિ હોય છે, જ્યારે અન્ય આત્માઓમાં તે હોતાં નથી. તેની અંદર ધર્મ અને સમાધિના ફળરૂપ અણિમા આદિ ઐશ્વર્ય હોય છે જ્યારે અન્ય આત્માઓમાં તે હોતું નથી. આમ અન્ય અર્થાત્ સંસારી આત્માઓથી તેનો ભેદ છે. વાસ્યાયને મુક્ત (= વિદેહમુક્ત) આત્માઓથી તેનો ભેદ કહ્યો ન હોવા છતાં સ્પષ્ટ છે. મુક્ત આત્માઓમાં કોઈ આત્મવિશેષગુણ હોતો નથી જ્યારે ઈશ્વરમાં જ્ઞાન, ધર્મ, સમાધિ અને એશ્ચર્ય હોય છે. આમ ઈશ્વર આત્મા હોઈ સંસારી અને મુક્ત આત્માઓથી તેનો જાતિભેદ નથી. ઈશ્વરે, સંસારી અને મુક્ત એ ત્રણ જુદી જાતિઓ નથી પણ એક જ જાતિ છે. જેમ સંસારી અને મુક્ત આત્મા છે તેમ ઈશ્વર પણ આત્મા જ છે.
આમ જે આત્મા પોતાના મિથ્યાજ્ઞાન, અધર્મ અને પ્રમાદનો નાશ કરી જ્ઞાન, ધર્મ અને સમાધિ સંપાદન કરે છે તે વાત્સ્યાયનને મને ઈશ્વર છે. આમાંથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે ઈશ્વર નિત્યમુક્ત નથી. આ અર્થમાં દરેક જીવમાં ઈશ્વર બનવાની શકયતા
Page #23
--------------------------------------------------------------------------
________________
9૫
ભારતીય દર્શનોમાં ઈશ્વર રહેલી છે અને ઈશ્વર અનેક પણ હોઈ શકે છે. આ દર્શાવે છે કે વાત્સ્યાયનનો ઈશ્વર વિવેકી અને ક્લેશરહિત જીવ-મુક્ત જ છે.
વાત્સ્યાયનભાષ્યની આ કંડિકાના સંદર્ભમાં પ્રા. ઈન્ગલ્સ (Ingalls) લખે છે....One will grant that Vātsyāyana's remarks are confusing. God has won his divinity through good works he has performed. We must, therefore, suppose that there was a time when he was not God."
વાસ્યાયનકૃત આ ઈશ્વરવર્ણન પ્રા. ઈન્શાલ્સને ગૂંચવાડાભર્યું લાગે છે કારણ કે ન્યાય-વૈશેષિકદર્શનના ઉત્તરકાલીન ગ્રંથોએ રજૂ કરેલી ઈશ્વરની વિભાવનાથી તેમનું મન ઘેરાયેલું છે તેમ જ વાસ્યાયનભાષ્યની નીચે આપેલી (b), (c), (d) અને (e) કંડિકાઓના ઉત્તરકાલીન ટીકાકારોએ આપેલા અર્થઘટનમાં ઈશ્વરનાં રજૂ થયેલાં બીજાં પાસાંઓ સાથે આ વર્ણનની સંગતિ બેસતી નથી, પરંતુ આપણે જોઈશું તેમ, આ ટીકાકારોએ ઉત્તરકાલીન ન્યાયશૈશેષિકોની ઈશ્વરવિભાવનાના પ્રકાશમાં આ અર્થઘટન મારીમચડીને કર્યું છે. (b) सङ्कल्पानुविधायी चास्य धर्मः प्रत्यात्मवृत्तीन् धर्माधर्मसञ्चयान् पृथिव्यादीनि च भूतानि
प्रवर्तयति । एवं च स्वकृताभ्यागमस्यालोपेन निर्माणप्राकाम्यमीश्वरस्य स्वकृतकर्मफलं તિવ્યમૂા.
સમજૂતીઃ ટીકાકારો આમાં ઈશ્વરની ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક વિભાવનાને વાંચે છે, તેથી તેઓ પ્રત્યાત્મવૃત્તી સમાસગત તિનો અર્થ પ્રત્યેક કરે છે અને નિમry 'નો અર્થ ‘નસિપ્રક્રિાયમ્' (=જગતનું નિર્માણ કરવાની અવ્યાહત ઇચ્છા) કરે છે. તેથી, તેમના અનુસાર આ કંડિકાની સમજૂતી નીચે પ્રમાણે છે.
જગતનું સર્જન કરવાની ઇચ્છા જેવી તે કરે છે તેવું જ જગતનું સર્જન શરૂ થાય છે. જ્યારે તે જગતનું સર્જન કરવાની ઇચ્છા કરે છે ત્યારે તેની ઇચ્છાને અનુસરનારો તેનો ધર્મ પ્રત્યેક આત્મામાં રહેલા સંચિત ધર્માધર્મને પોતાનું ફળ આપવામાં પ્રવૃત્ત કરે છે તેમ જ પૃથ્વી વગેરે ભૂતોને (પરમાણુઓને) દ્વચણકાદિક્રમે કાર્યો ઉત્પન્ન કરવામાં પ્રવૃત્ત કરે છે. જગતનું સર્જન કરવાની તેની ઈચ્છા વ્યાઘાત પામતી નથી. આ તેની અવ્યાહત ઇચ્છા તેના પોતાના પૂર્વકૃત કર્મનું ફળ છે એમ જાણવું કારણકે પોતે કરેલા કર્મના ફળનો લોપ થતો નથી એવો નિયમ છે.
પ્રા. ઇન્ગાલ્સ પણ આ અર્થધટન સ્વીકારે છે અને તેથી નીચેના શબ્દોમાં આ કંડિકાને સમજાવે છે : “God acts upon the kamic accumulation of each of us as well as upon the gross elements of the Universe. Accordingly, his omnipotence is limited by the fact that each of us must receive the results of our former action. Furthermore, this omnipot
one should really grant it such a title) is the result of the karma
Page #24
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન
૭૬
(that is, works) which God himself has accumulated. Finally it is said that all God's wishes are fulfilled,...'''
પરંતુ ઇન્ગાલ્સને એ સમજાતું નથી કે જે ઈશ્વર પ્રત્યેક આત્માનાં સંચિત કર્મોને પોતાનાં ફળો આપવામાં પ્રવૃત્ત કરે છે અને જગતનું સર્જન કરે છે તે પોતે જ કર્મસિદ્ધાન્તના નિયમથી કેમ બંધાયેલો હોય, તેમ જ જગતનું સર્જન કરવાની ઈશ્વરની અવ્યાહત ઇચ્છા ઈશ્વરના પોતાના જ પૂર્વકૃત કર્મનું ફળ કેવી રીતે હોય ! તેથી ઇન્ગાલ્સને વાત્સ્યાયનની વાતો confusing—ગૂંચવાડાભરી લાગે છે. ઇન્ગાલ્સની મતિ મૂંઝાય છે કારણ કે ઈશ્વરને તેનું ઈશ્વરપણું તેના પોતાના પૂર્વકૃત કર્મોના ફળરૂપે પ્રાપ્ત થતું કેવી રીતે ગણી શકાય એ તેમની સમજમાં આવતું નથી. આ ગૂંચવાડાનું કારણ ઉપરિનિર્દિષ્ટ પદોનું કરવામાં આવેલું ખોટું અર્થઘટન છે. જો તે પદોનું નીચે મુજબ અર્થઘટન કરવામાં આવે તો ગૂંચવાડો તરત જ દૂર થઈ જાય.
અહીં ‘પ્રતિ’પદનો પ્રયોગ ‘પ્રત્યક્ષ’ગત ‘પ્રતિ’પદના પ્રયોગની જેમ ‘આભિમુખ્ય’ કે ‘સત્રિકૃષ્ટ’ના અર્થમાં થયો છે. તેથી, ‘ત્યાત્મવૃત્તીન’ એટલે ‘અાત્મન્નિષ્ઠાનું’. ‘પ્રત્યાત્મવૃત્તીન્’ સમાસનો અર્થ આ થશે- ‘આત્માનં પ્રતિ મિમુદ્દેન સમવાયલમ્પન્થેન યેવાં વૃત્તિ: તે, તાન્ પ્રત્યાત્મવૃત્તીન્’. આમ ‘પ્રત્યાત્મવૃત્તીનું ધર્માધર્મસØયાન્'ની સમજૂતી છે–ઈશ્વરના પોતાના જ આત્મામાં સમવાયસંબંધથી રહેલા સંચિત ધર્માધર્મોને. ‘નિર્માળપ્રાામ્યમ્’થી સમજવાનું છે. ‘નિર્માળવયપ્રાામ્યમ્' (અને નહિ કે ‘જ્ઞાત્રિમાંનપ્રણામ્યમ્'). ‘નિર્માળજાયપ્રામ્યમ્'નો અર્થ છે—નિર્માણકયને અર્થાત્ યોગજ શરીરને બનાવવાની વ્યાઘાત ન પામતી ઇચ્છા.
આમ આ કંડિકામાં એવી એ વિભાવનાઓનો ઉલ્લેખ જે જીવન્મુક્તનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. તે બે વિભાવનાઓ આ છે
છે
(૧) જીવન્મુક્ત પોતાના વર્તમાન જન્મમાં-જે તેનો અંતિમ જન્મ છે તેમાં પોતાનાં બધાં સંચિત કર્મોને તેમનાં ફળો આપવામાં પ્રવૃત્ત કરે છે, વિપાકોન્મુખ કરે છે. એવું મનાયું છે કે જીવન્મુક્તે તેના છેલ્લા જન્મમાં પોતાનાં સંચિત કર્મોનાં સઘળાં ફળો ભોગવી લેવા જ જોઈએ. વાત્સ્યાયન જીવન્મુક્તનું અસ્તિત્વ સ્વીકારે છે, તે તેના માટે ‘વિહરન્મુક્ત’પદનો પ્રયોગ કરે છે. તે લખે છે- ફિક્ષ વિવિત્તવિત્તો વિન્મુ ફ્યુજ્યતે । ૪.૨.૬૪. વળી તે સ્વીકારે છે કે જીવન્મુક્તે છેલ્લા જન્મમાં બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળો ભોગવી લેવાં જોઈએ, તે લખે છે- સત્તિ પૂર્વાંગિ ાને નન્મનિ વિવષ્યન્તે રૂતિ । ૪.૬.૬૪
(૨) અંતિમ જન્મના ટૂંકા સમયગાળામાં બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળો ભોગવી લેવા માટે જીવન્મુક્તને અનેક યોગજ શરીરોનું નિર્માણ કરવાની જરૂર પડે છે-જે અનેક યોગજ શરીરો દ્વારા એટલાં બધાં ફળોને તે ટૂંકા ગાળામાં ભોગવી શકે. વાત્સ્યાયન આ માન્યતાને સ્વીકારે છે. તે લખે છે- ચો↑ જીતુ દ્રૌ પ્રાતુર્ભૂતાયાં વિજળધમાં નિર્માય ક્ષેન્દ્રિયાળિ
Page #25
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર રસ્તામાં તેનુ યુIN૬ વરિ નમસ્તે રૂ.૨.૨૫. જયંત ભટ્ટના નીચેના શબ્દો આ માન્યતાનું સ્પષ્ટ નિરૂપણ કરે છે. જો દિ ચોિિસદ્ધચ વિહિતવિલિતનિધધર્મી निर्माय तदुपभोगयोग्यानि तेषु तेषूपपत्तिस्थानेषु तानि तानि सर्वेन्द्रियाणि शरीराणि, खण्डान्तःकरणानि च मुक्तैरात्मभिरुपेक्षितानि गृहीत्वा सकलकर्मफलमनुभवति प्राप्तैश्वर्य તીત્યમુવમોને કળિ લય ચીમન્ન, વાશી સંસ્કૃત લિરિક્ષ, બાગ ૨, પૃ. ૮૮.
હવેચાયભાષ્યની પ્રસ્તુત કંડિકાની અમારી સમજૂતી આપીએ છીએ. તેનીચે પ્રમાણે છેઃ ઈશ્વરમાં એક વિશિષ્ટ ધર્મ સમવાયસંબંધથી રહેલો છે. આ ધર્મ તેણે પૂર્વે કરેલા સારા કાર્યનું પરિણામ છે. આ ધર્મ બે ફળો આપે છે-(૧) તે ધર્મ ઈશ્વરમાં સમવાયસંબંધથી રહેલા બધા સંચિત ધર્માધર્મને વિપાકો-મુખ કરે છે. (૨) તે ધર્મ પૃથ્વી આદિ ભૂતોને યોગજ શરીરનું નિર્માણ કરવા પ્રવૃત્ત કરે છે. પરંતુ આ બે ફળો તે ધર્મ ક્યારે આપે છે? આ બે ફળો તે ધર્મ ત્યારે જ આપે છે જ્યારે ઈશ્વર પોતાનાં બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળોને ભોગવી લેવાની ઈચ્છા કરે છે અને તે માટે યોગજ શરીરોનું નિર્માણ કરવાની ઈચ્છા કરે છે. આ કારણે કહ્યું છે કે તે ધર્મ ઈશ્વરની પોતાની ઈચ્છાને અનુસરે છે. આમ યોગજ શરીરોનું નિર્માણ કરવાની ઈશ્વરની ઇચ્છા વ્યાધાત પામતી નથી. આવી વ્યાઘાત ન પામતી ઈચ્છા ઈિશ્વરે પૂર્વે કરેલા કોઈ ખાસ સારા કાર્યનું ફળ છે. આ અવ્યાહત ઇચ્છાને ઈશ્વરના પૂર્વકૃત કર્મનું ફળ ગણવી જોઈએ કારણ કે પૂર્વે કરેલ કર્મનું ફળ અવશ્ય મળે છે જ. (c) आप्तकल्पश्चायम् । यथा पिता अपत्यानां तथा पितृभूत ईश्वरो भूतानाम् ।
સમજૂતી: ઈશ્વર આસ છે-જેનામાં વિશ્વાસ, શ્રદ્ધા રાખી શકાય એવો છે, જેને પ્રમાણ તરીકે સ્વીકારી શકાય તેવો છે. જેમ પિતા પુત્રને માટે આ છે તેમ ઈશ્વર સર્વ પ્રાણીઓને માટે આપ્ત છે. પિતા પુત્રનો માર્ગદર્શક છે, ઈશ્વર સર્વ પ્રાણીઓનો માર્ગદર્શક છે. પિતા પુત્રના હિત-સુખને માટે તેને ઉપદેશ આપે છે, ઇશ્વર સર્વ જીવોને દુ:ખમુક્તિ માટે ઉપદેશ આપે છે. વાસ્યાયન કેવળ આમતાની બાબતમાં જ પિતાપુત્ર અને ઈશ્વર-જીવ સંબંધો વચ્ચે સામ્ય દર્શાવવા માગે છે. આ દષ્ટાન્ત (analogy) એથી વિશેષ લંબાવવું વાસ્યાયનને ઈદ નથી. દાખલા તરીકે, જેમ પુત્રને પિતા પેદા કરે છે તેમ જીવને ઈશ્વર પેદા કરે છે. અથવા જેમ પુત્ર પિતાનો અંશ છે તેમ જીવ ઈશ્વરનો અંશ છે, વગેરે. આવું વાત્સ્યાયનને માન્ય નથી, અભિપ્રેત નથી. વાસ્યાયનને મતે ઈશ્વર એવી વ્યક્તિ છે જેના ઉપદેશમાં નિઃશંકપણે વિશ્વાસ મૂકી રાકાય-ખાસ કરીને દુઃખમુક્તિના ઉપાયની બાબતના ઉપદેશમાં. ઈશ્વરે આપ્તતા કેવી રીતે પ્રાપ્ત કરી? તેણે મિથ્યાજ્ઞાન, અધર્મ અને પ્રમાદનો નાશ કરી તે દ્વારા સમ્યક જ્ઞાન, ધર્મ અને સમાધિ પ્રાપ્ત કરીને આસતાને પ્રાપ્ત કરી છે.
વળી, આ પુરવાર કરે છે કે ઈશ્વર એ જીવન્મુક્ત જ છે કારણ કે જીવન્મુક્ત જ પરમોત્કૃષ્ટ ઉપદેણ છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્વજ્ઞાન અહીં પણ પ્રા. ઇન્ગાસ વાત્સ્યાયનનો આશય સમજી શક્યા નથી. તેથી તે ખરા. મુદ્દાને પકડી શકતા નથી અને વાત્સ્યાયનના આ વિધાનની ખોટી ટીકા કરે છે, તેમની ટીકા નીચે પ્રમાણે છે- “Again God is said to act like a father. But who ever heard of a father who in dealing with his children could not transcend their ments and demerits?” પોતપોતાનાં કર્મો અનુસાર જ સર્વ જીવોને ફળો આપનાર-તે વિશે કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન નહિ કરનાર ઈશ્વરની ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક વિભાવનાનું ભૂત પ્રા. ઈગલ્સના મન ઉપર એવું તો સવાર થયેલું લાગે છે કે તે તેમનો પીછો છોડતું જ નથી. કર્માનુસાર ફળદેવાની વાતનો અણસાર પણ આ કંડિકામાં નથી, છતાં તેને જોડી પ્રા. ઈન્ગલ્સ અપ્રસ્તુત ટીકા કરે છે. (d) न च आत्मकल्पादन्यः कल्पः संभवति । न तावद् अस्य बुद्धिं विना कश्चिद् धर्मो लिाभूतः __ शक्य उपपादयितुम् । आगमाच्च द्रष्टा बोद्धा सर्वज्ञाता ईश्वर इति । बुद्ध्यादिभिश्चात्मलिनिरुपाख्यम् ईश्वरं प्रत्यक्षानुमानागमविषयातीतं कः शक्त उपपादयितुम् ?
સમજૂતીઃ ઈશ્વર આત્મા જ છે, તત્ત્વાન્તર નથી, કારણ કે તેનામાં એવો કોઈ ખાસ ગુણ નથી કે તેને આત્માથી જુદું તત્ત્વ પુરવાર કરે. ઈશ્વરમાં બુદ્ધિ છે અને બુદ્ધિ આત્માનો જ વિરોષ ગુણ છે. આગમમાં પણ ઈશ્વરનો આ જ ગુણ જણાવવામાં આવ્યો છે. આગમ ઈશ્વરને દ્રષ્ટા, બોદ્ધા અને સર્વજ્ઞાતા તરીકે વર્ણવે છે. આમ આગમે પણ એવો કોઈ ખાસ ગુણ જણાવ્યો નથી કે તેને આત્માથી જુદું તત્ત્વ સાબિત કરે. જો ઈશ્વર આત્મલિંગ બુદ્ધિ વગેરેથી રહિત હોય તો તે નિરુપાખ્ય બની જાય, તેનું વિધ્યાત્મક વર્ણન જ અશક્ય બની જાય, તેને જાણી શકાય જ નહિ; તે પ્રત્યક્ષ, અનુમાન કે આગમથી અગોચર રહે. આમ ઈશ્વર આત્મા જ હોઈ, તે બુદ્ધિ આદિ આત્મવિશેષગુણોથી યુક્ત છે.
અહીં વાત્સ્યાયને ઈશ્વરને સર્વજ્ઞાતા તરીકે સ્વીકારેલ છે. તેથી પ્રશ્ન ઊભો થાય છે કે શું વાત્સ્યાયન જીવન્મુક્તને સર્વજ્ઞ ગણે છે? ‘બધાં જ દ્રવ્યોની બધી જ વ્યક્તિઓની સર્વ સૈકાલિક અવસ્થાઓનું જ્ઞાન ધરાવનાર એવો ‘સર્વજ્ઞ શબ્દનો અર્થ સામાન્યપણે પ્રચલિત છે. વાસ્યાયનને ‘સર્વજ્ઞ' શબ્દનો આવો અર્થ અહીં અભિપ્રેત છે કે કેમ તે ચોકકસપણે કહી શકાય નહિ. પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે વાસ્યાયન સંદર્ભ પ્રમાણે સર્વજ્ઞ’નો જુદો જુદો અર્થ કરે છે. ઈન્દ્રિય પોતપોતાના નિયત વિષયને ગ્રહણ કરે છે જ્યારે આત્મા રૂપ, રસ, ગધે, સ્પર્શ અને શબ્દ એ પાંચે વિષયોને અર્થાત્ સર્વને ગ્રહણ કરે છે, એટલે આત્મા સર્વજ્ઞ છે અને તેથી ઇન્દ્રિયોથી ભિન્ન છે એવું વાત્સ્યાયને એક
સ્થાને કહ્યું છે. તેના શબ્દો છે ? તુ તુ અસ્થિવિષયની ક્રિયાણિ તમા સેકન્યતઃ તાઃ સર્વવિષયપ્રાણી વિષચવ્યસ્થિતિની તોડનુનીયતે | રૂ.૪.૩. અહીં સંદર્ભ કર્મ અને ફળનો છે. તેથી આ સંદર્ભમાં સર્વા’ શબ્દનો અર્થ ‘કર્મો અને તેમનાં ફળો વચ્ચેના નિયત સંબંધને જાણનાર, દુઃખમુક્તિરૂપ પરમફળ અને તેના સઘળા .
Page #27
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર ઉપાયોને (કર્મોને જાણનાર’ થાય. “સર્વજ્ઞ શબ્દના અર્થનો આથી વધુ વિસ્તાર પ્રસ્તુત સંદર્ભમાં જરૂરી નથી, આ અર્થમાં જીવન્મુક્ત સર્વજ્ઞ છે જ. ‘સર્વદ્રવ્યોની સર્વ વ્યક્તિઓની સર્વત્રકાલિક અવસ્થાઓને જાણનાર એવો “સર્વજ્ઞ શબ્દનો અર્થ પ્રસ્તુત સંદર્ભમાં બંધ બેસતો નથી કારણ કે આવો અર્થ કર્મસિદ્ધાન્ત અને પુરુષસ્વાતંત્ર્ય (freedom of will)નો અત્યન્ત વિરોધી છે જ્યારે જડ નિયતિવાદનો પોષક છે.
(e) स्वकृताभ्यागमलोपेन प्रवर्तमानस्य यदुक्तं प्रतिषेधजातम् अकर्मनिमित्ते शरीरस तत् સર્વ પ્રચંતે તિા જે નિર્માણકાયો ઉત્પન્ન કરવા પ્રવૃત્ત થનારો આત્મા પોતાના પૂર્વકૃત કર્મને પરિણામે જ તેમાં પ્રવૃત્ત થઈ શકે છે એમ ન માનીએ તો તેનાં નિર્માણશરીરોની ઉત્પત્તિમાં તેનું પૂર્વકૃત કર્મ નિમિત્ત નથી એવો અર્થ થાય, અર્થાત્ પૂર્વકૃત કર્મને પોતાનું કોઈ ફળ નથી એમ ફલિત થાય; અને તેમ સ્વીકારતાં તો પોતપોતાનાં સામાન્ય પ્રકારના શરીરની ઉત્પત્તિમાં પ્રત્યેક જીવનાં પોતપોતાનાં કમોને નિમિત્તકરણ ને માનતાં જે દોષો આવે છે તે બધા દોષો અહીં પણ આવે.
આમ વાત્સ્યાયનને મતે, જેણે મિથ્યાજ્ઞાન, અધર્મ અને પ્રમાદનો નાશ કરી સમ્યકજ્ઞાન, ધર્મ અને સમાધિ પ્રાપ્ત કરેલ છે, જે સ્પષ્ટપણે જાણે છે કે ક્યાકર્મનું કહ્યું ફળ છે, જેણે પોતે ક્લેશમુક્તિ-દુઃખમુક્તિના સંપૂર્ણ માર્ગની યાત્રા કરી છે અને તેથી જેને તે માર્ગનું સાક્ષાત્ શાન છે, જે તે માર્ગની બાબતમાં પ્રમાણ છે, જે તે માર્ગનો પરમોત્કૃષ્ટ ઉપદેદા છે, જેના ભવનો-જન્મમરણચક્રનો-અન્ત થયો છે, જે બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળોને અંતિમ જન્મમાં ભોગવી લેવા પોતાની અવ્યાહત ઈચ્છાથી અનેક નિર્માણકાર્યોનું નિર્માણ કરે છે અને જે પોતાની અવ્યાહત ઇચ્છાથી સઘળાં સંચિત કર્મોને વિપાકોનુખ કરે છે તે જીવન્મુક્ત સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.
(૪) ન્યાયવૈશેષિકદર્શનમાં નિત્યમુક્ત ભુવનકત માહેશ્વરની વિભાવનાને સૌપ્રથમ પ્રવેશ પ્રશસ્તપાદ“ દ્વારા
સૃષ્ટિ અને પ્રલયની કલ્પના સાથે નિત્યમુક્ત જગર્તા મહેશ્વરની વિભાવના ન્યાયશેષિક દર્શનના ઉપલબ્ધ ગ્રંથોમાં સૌપ્રથમ આપણને પ્રશસ્તપાદના (ઈ.સ.ની છઠ્ઠી શતાબ્દીના ઉત્તરાર્ધ) પદાર્થધર્મસંગ્રહમાં મળે છે. જીવો પોતાનાં કર્મોનાં ફળોનો ભોગ કરી શકે તે માટે મહેશ્વરને સૃષ્ટિનું સર્જન કરવાની ઇચ્છા થાય છે. તેને પરિણામે જીવોનાં અદો પોતપોતાનાં ફળો આપવા ઉન્મુખ બને છે. આવાં અદોનો સૌપ્રથમ પવનપરમાણુઓ સાથે સંયોગ થાય છે. આ સંયોગથી પવનપરમાણુઓમાં કાર્યારંભક ગતિ ઉત્પન્ન થાય છે, પરિણામે દ્વચકાદિક્રમે પવનમહાભૂતની ઉત્પત્તિ થાય છે. આ જ રીતે અપમહાભૂત, પછી તેજસૂમહાભૂત અને પછી પૃથિવીમહાભૂત ઉત્પન્ન થાય છે. ચાર મહાભૂતોની ઉત્પત્તિ પછી કેવળ મહેશ્વરની ઈચ્છાથી પાર્થિવ પરમાણુઓથી યુક્ત તેજસ પરમાણુઓમાંથી મોટું ઈંડું ઉત્પન્ન થાય છે. પછી તે ઈંડામાં સર્વલોકપિતામહ બ્રહ્માને
Page #28
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્વજ્ઞાન સકલ ભુવન (ચૌદ ભુવનો) સાથે સર્જી મહેશ્વર તેને પ્રજાનું સર્જન કરવાનું કામ સોંપે છે. બ્રહ્મા જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્યથી યુક્ત છે. તે બ્રહ્મા જીવોનાં કર્મોનાં વિપાકોને જાણીને કર્મને અનુરૂપ જ્ઞાન, ભોગ અને આયુવાળા પ્રજાપતિઓ, મનુ, દેવર્ષિઓ, પિતૃઓ, . બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, સૂકો અને નાનામોટાં પ્રાણીઓને સર્જે છે અને તેમને પોતપોતાના કર્મને અનુરૂપ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્યથી જોડે છે. આ બ્રહ્માના મોક્ષનો સમય આવે છે ત્યારે સંસારથી-જન્મમરણભ્રમણથી થાકેલાં પ્રાણીઓના વિશ્રામ માટે મહેશ્વર સંહારની ઇચ્છા કરે છે. સંહારેચ્છા થતાં જ બધાં જ કાર્યો ક્રમથી પરમાણુઓમાં વિઘટન પામે છે. આમ પ્રલય થાય છે. પ્રલયમાં પ્રવિભક્ત પરમાણુઓ અને ધર્માધર્મસંસ્કારથી યુક્ત આત્માઓ જ હોય છે. ૧
આમ પ્રશસ્તપાદ અનુસાર મહેશ્વરના સંકલ્પમાત્રથી સર્ગ અને પ્રલય થાય છે. મહેશ્વરની ઇચ્છા પવનપરમાણુઓમાં ઉત્પન્ન થતી આરંભક ગતિનું સાક્ષાત્ કારણ નથી. તેમની ઇચ્છા તો અને વિપાકોનુખ કરે છે. આત્મગત આવાં અદો પવનપરમાણુઓના સંયોગમાં આવી તેમનામાં આરંભક ગતિ ઉત્પન્ન કરે છે. વળી, મહેશ્વર સંકલ્પથી બ્રહ્માને અને ચૌદ ભુવનોને ઉત્પન્ન કરી જીવસૃષ્ટિ માટે બ્રહ્માને નિયુક્ત કરે છે. બ્રહ્મા જીવોને તેમનાં કર્મોને અનુરૂપ જ્ઞાન, ભોગ, આયુ અને યોનિવાળા સર્જે છે.
મહેશ્વર સંકલ્પમાત્રથી ચાર ભૂતોને, શરીરધારીઓને રહેવાના સ્થાનોને (ભુવનને) અને બ્રહ્માને સર્જે છે. જીવસૃષ્ટિનું સર્જન બ્રહ્મા કરે છે અને બ્રહ્મા જ જીવોને તેમનાં કર્મ પ્રમાણે જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય, ભોગ અને આયુ બક્ષે છે. તેથી બ્રહ્માને લોકપિતામહ કહ્યા છે. બ્રહ્માનો મોક્ષ થાય છે. બ્રહ્મા પ્રતિસર્ગ ભિન્ન છે, જ્યારે મહેશ્વર એક અને નિત્ય છે. મહેશ્વરમાં કેવળ ઇચ્છા છે જ્યારે બ્રહ્મામાં જ્ઞાન (-કર્મ-ફલજ્ઞાન), વૈરાગ્ય અને ઐશ્વર્યા છે. સૃષ્ટિની ઉત્પત્તિથી તેના વિનાશ સુધીના ગાળામાં તેનું સંચાલન બ્રહ્મા કરે છે. પ્રલયમાં તો કર્મને અનુરૂપ ફલદાનની ક્રિયા અટકી જાય છે, એટલે પ્રલયમાં બ્રહ્માની જરૂર નથી. મહેશ્વર કે બ્રહ્માને અહીં ઉપદેશક કે વેદકર્તા તરીકે વર્ણવવામાં આવ્યા નથી.
એ તો સ્પષ્ટ જણાય છે કે પ્રશસ્તપાદ સર્ગ-પ્રલયની, મહેશ્વરની, બ્રહ્માની વિભાવના પુરાણોમાંથી ખાસ તો શિવ પુરાણોમાંથી ન્યાયશેષિકદર્શનમાં લઈ આવ્યા છે.
ઉત્તરકાલીન ન્યાયશેષિક ગ્રંથોએ બ્રહ્માને દૂર કરીને તેનું કાર્ય પણ ઈશ્વરને જ સોંપ્યું છે, ઈશ્વર જ કર્મના વિપાકને જાણી કર્મનું ફળ જીવોને આપે છે. વળી, ઉત્તરકાલીન ન્યાયશેષિક ગ્રંથોમાં ઈશ્વર જ્ઞાન અને ઇરછા બંને ગુણો ધરાવે છે એમ મનાયું છે.
ઉપરની ચર્ચા ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે પ્રશસ્તપાદ પહેલાં ન્યાયવૈરોષિકદર્શન નિત્યમુક્ત જગત્કર્તા એક ઈશ્વરને માનતું ન હતું અને તે ‘ઈશ્વરશબ્દનો
Page #29
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર પ્રયોગ જીવન્મુક્ત ઉપદેખાના અર્થમાં જ કરતું હતું. સૌપ્રથમ પ્રશસ્ત પાઠ ન્યાયવશેષિકદર્શનમાં નિત્યમુક્ત જગત્કર્તા એક ઈશ્વરની વિભાવના દાખલ કરે છે." .
હવે આપણે પ્રશસ્તપાદોત્તરકાલીન ન્યાયવૈશેષિક મુખ્ય ચિંતકોને એક પછી એક લઈ તેમની ઈશ્વરચર્ચાનો સાર રજૂ કરીશું. (૫) ઉદ્યોતકર અને ઈશ્વર
પ્રશસ્તપાદે જગતના કર્તા ( નિમિત્તકારણ) તરીકે ઈશ્વરનો સ્વીકાર કર્યો છે. પરંતુ તેનો વ્યવસ્થિત વિચાર ઉદ્યોતકરના ન્યાયવાર્તિકમાં આપણને સૌપ્રથમ મળે છે. ઉદ્યોતકર કહે છે કે જગતનું ઉપાદાનકારણ પરમાણુઓ છે અને જીવોનાં કર્મોની સહાયથી ઈશ્વર પરમાણુઓમાંથી સર્વ કાર્યો ઉત્પન્ન કરે છે. ઈશ્વર જ સૃષ્ટિ દરમિયાન
જ્યારે જે જીવના જે કર્મનો વિપાકકાળ આવે છે ત્યારે તે જીવને તે કર્મ અનુસાર ફળ આપે છે. આ ઈશ્વરનો અનુગ્રહ છે. ઈશ્વરનું ઐશ્વર્ય નિત્ય છે. તે ધર્મનું (=પૂર્વકૃત કર્મનું) ફળ નથી. ઈશ્વરમાં ધર્મ છે જ નહિ." ઈશ્વરમાં સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ અને બુદ્ધિ આ છ જ ગુણો છે. એક સ્થાને ઉદ્યોતકર જણાવે છે કે તેનામાં અશ્લિષ્ટ અને અવ્યાહત ઇચ્છા પણ છે. ઈશ્વરને શરીર નથી.
ઈશ્વરને માનવાની શી જરૂર છે? જીવોના ધર્માધમ જ પરમાણુઓને કાર્યોત્પત્તિમાં પ્રવર્તાવે છે એમ કેમ માનતા નથી? આના ઉત્તરમાં ઉદ્યોતકર કહે છે કે ધર્માધર્મ અચેતન છે અને અચેતન સ્વતંત્રપણે કોઈને કાર્યોત્પત્તિમાં પ્રવર્તાવી ન શકે. માની લો કે ધર્માધર્મ પરમાણુઓને કાર્યોત્પત્તિમાં પ્રવર્તાવે છે અર્થાત્ પરમાણુઓમાં કાર્યારંભક ગતિ ઉત્પન્ન કરે છે. ધમધર્મ તો કરણકારક છે. કેવળકરણકારથી ક્રિયા ઉત્પન્ન થતી નથી. તેથી, કેવળ ધર્મધર્મથી પરમાણુઓમાં આરંભક ક્રિયા ઉત્પન્ન ન થઈ શકે. જે કહો કે પરમાણુઓની સહાયથી ધર્માધર્મ પરમાણુઓમાં આરંભક ક્રિયા ઉત્પન્ન કરે છે તો તે બરાબર નથી. પરમાણુઓ તો કર્મકારક છે; કર્મકારક અને કરણકારક બે જ ભેગા મળી આરંભક ક્રિયા ઉત્પન્ન ન કરી શકે. માટી (= કર્મ) અને દંડ-ચક્ર (=કરણ) બેથી જ ઘટાભક ક્રિયા ઉત્પન્ન થતી કદી કોઈએ દેખી નથી. આમ આરંભક ક્રિયાની ઉત્પત્તિ માટે કર્મકારક અને કરણારક ઉપરાંત કર્તકારક(=ર્તા)નું હોવું આવશ્યક છે. જો કહો કે કર્તા જીવ છે અને તે પોતાનાં કર્મો (ધર્માધર્મ) દ્વારા પરમાણુઓમાં આરંભક ગતિ પેદા કરે છે તો તે બરાબર નથી, કારણ કે જીવ અજ્ઞાની હોઈ પરમાણુઓમાંથી જે જે કાર્ય જે જે રીતે બનાવવાનું છે તેનું તેને જ્ઞાન નથી અને તેથી તે તે કાર્યને ઉત્પન્ન કરવા માટેની આરંભક ગતિ પરમાણુઓમાં ઉત્પન્ન કરવા તે શક્તિમાન નથી. જો કહો કે પરમાણુઓમાં આરંભક ગતિની ઉત્પત્તિનું કંઈ કારણ જ નથી તો તે અનુચિત છે, કારણ કે આપણે કદી કારણ વિના કશાનીય ઉત્પત્તિ જોઈ જાણી નથી. તેથી બુદ્ધિમાન અર્થાત્ સર્વજ્ઞ ઈશ્વરથી જ પરમાણુઓ અને કર્મો ( =ધર્માધર્મ) કાર્યોન્મુખ થાય છે એમ માનવું જોઈએ.
Page #30
--------------------------------------------------------------------------
________________
૮૨ /
ભારતીય તત્ત્વજ્ઞાન અર્થાતું. ઈશ્વર જ પરમાણુઓમાં આકર્મ ઉત્પન્ન કરે છે અને ઈશ્વર જ અદઈને વિપાકોનુખ કરે છે. ૧૪ - કોઈ શંકા ઉઠાવે છે કે ઈશ્વર જગતનો કર્તા નથી, કારણ કે તે કોઈ પણ રીતે જગતનો કર્તા ઘટી શકતો નથી. ઈશ્વર જગતનો કર્તા હોય તો બે વિકલ્પો સંભવે છે તે કાં તો બીજાની સહાયથી જગત ઉત્પન્ન કરે કાં તો બીજાની સહાય વિના જગત ઉત્પન્ન કરે. જો તે બીજાની સહાયથી જગતનો કર્તા બનતો હોય તો જેની સહાયથી તે જગતનો કર્તા થયો. તેનો તો તે ફક્ત નહિ ગણાય. જો કહો કે જેની સહાયથી તે જગતનો કર્તા બને છે તેને તે બીજા કોઈની સહાયથી ઉત્પન્ન કરે છે તો હવે તેણે જેની સહાય લીધી તેનો તો તે અકર્તા રહેશે. જો કહો કે તેનો કર્તા પણ તે કોઈ ત્રીજાની સહાયથી બનશે તો એની એ જ આપત્તિ આવીને ઊભી રહેશે અને એમાંથી છૂટકારો કયારેય નહિ થાય. જે કહો કે તે કોઈની પણ સહાય લીધા વિના સ્વેચ્છાએ જ જગતનાં કાર્યોનો કર્તા છે-જગતનાં કાર્યોને તે નિરપેક્ષપણે સ્વેચ્છાએ જ ઉત્પન્ન કરે છે તો તો પુરુષનાં કર્મો નિષ્ફળ બની જાય, તેની સાધના વ્યર્થ થઈ પડે અને મોક્ષ પુરુષાર્થ ન રહે, અથવા તેની ઇચ્છાને અનુસરી મુક્તોને પણ પાછા સંસારમાં પ્રવેશવું પડે. ક્ય
આ શંકાનું સમાધાન કરતાં ઉદ્યોતકર જણાવે છે કે ઈશ્વરનું નિરપેકર્તૃત્વ તો ન્યાયવોષિકો સ્વીકારતા નથી. તેથી ધર્માધર્મના વિફલ્યનો દોષ આવતો નથી. જેની સહાયથી તે જગતનાં કાર્યોનો કર્તા બને છે તેનો પણ તે ર્તા સંભવે છે, કારણ કે તે જગતનાં બધાં કાર્યો યુગપ કરતો નથી પણ ક્રમથી કરે છે. ઉદાહરણાર્થ, માણસ અમુક કરણ(=સાધન)થી વાંસલો બનાવે છે, પછી વાંસલાથી દંડ બનાવે છે, પછી દંડથી ઘટ બનાવે છે, વગેરે. તેવી જ રીતે, ઈશ્વર જીવના ધર્માધર્મની સહાયથી જીવનાં શરીર, સુખ, દુઃખ વગેરેનો ર્તા છે. જીવનાં આત્મમનઃસંયોગ અને અશુદ્ધ અભિસધિની સહાયથી જીવના અધર્મનો કર્તા છે, જીવનાં આત્મમનઃસંયોગ અને શુદ્ધ અભિસધિની સહાયથી જીવના ધર્મનો કર્તા છે, જીવનમાં સુખ, દુઃખ અને સ્મૃતિની તેમ જ તેમનાં સાધનોની સહાયથી જીવની શુદ્ધ કે અશુદ્ધ અભિસબ્ધિનો કર્તા છે. જ્યારે તે અમુક કાર્યને કરે છે ત્યારે તે જેની સહાયથી તેને કરે છે તેનો તે અકર્તા રહેશે એવી શંકા કરનારને ઉદ્યોતકર પૂછે છે કે આથી તમે શું એમ કહેવા માગો છો કે જ્યારે તે જગતમાં દેખાતું કોઈ કાર્ય કરે છે ત્યારે તે જેની સહાયથી તે કાર્ય કરે છે તેનો તે અકર્તા રહે છે? ઉદ્યોતકર રાંકાને સ્પષ્ટ કરી હવે ઉત્તર આપે છે કે એ શંકા પાયા વિનાની છે કારણ કે તે જગતનાં બધાં કાયોને યુગપ કરતો નથી પણ ક્રમથી કરે છે અને ક્રમથી તેને જગતનાં બધાં કાર્યોનો કર્તા માની શકાય છે એટલે નિર્દિષ્ટ દોષ આવતો નથી. વિરોધી પૂછે છે કે સૌપ્રથમ-અર્થાત્ પ્રથમ સર્ગની આદિમાં જ્યારે પહેલી જ વાર-ઈશ્વરે જીવોને માટે શરીર આદિ બનાવ્યાં હશે ત્યારે તો જીવોનાં પૂર્વકૃત કર્મો (=ધર્માધર્મ) હોવાની શક્યતા નથી, તો પછી તે વખતે તેણે શેની
Page #31
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર સહાયથી શરીર આદિ બનાવ્યાં હશે? આ પ્રશ્નના ઉત્તરમાં ઉદ્યોતકર જણાવે છે કે સંસાર અનાદિ છે એટલે પ્રથમ સર્ગની વાત કરવી વાહિયાત છે. પ્રલયાન્તરિત સર્ગોની પરંપરાને આદિ નથી કે
ઈશ્વરને જગત બનાવવાનું પ્રયોજન શું છે ? જગતમાં લોકો જે કાર્ય કરે છે તે કોઈને કોઈ ઉદ્દેશથી કરે છે. અમુક વસ્તુ પ્રાપ્ત કરવા કરે છે કે અમુક વસ્તુ દૂર કરવા કરે છે. ઈશ્વરને કશું દૂર કરવાનું નથી કારણ કે તેનામાં દુઃખ નથી. અને જગતમાં સર્વને દુઃખ જ દૂર કરવાનું હોય છે. તેને કંઈ પ્રાપ્ત કરવાનું પણ નથી કારણકે તે વશી છે, તૃષ્ણારહિત છે, પૂર્ણકામ છે. કેટલાક દાર્શનિકો માને છે કે ઈશ્વર ક્રીડા કરવાના પ્રયોજનથી જગતને ઉત્પન્ન કરે છે. આમત બરાબર નથી. કીડા તો આનંદ પ્રાપ્ત કરવા થાય છે, અને આનંદ પ્રાપ્ત કરવા તો તે પ્રયત્ન કરે છે જે દુઃખી હોય છે. પરંતુ ઈશ્વરમાં તો દુઃખનો અભાવ છે. એટલે તેઢીડા કરવા માટે જગત ઉત્પન્ન કરે નહિ. કેટલાક દાર્શનિકો કહે છે કે ઈશ્વર પોતાની વિભૂતિનું પ્રદર્શન કરવા માટે વિચિત્ર અને વિરાટ જગત ઉત્પન્ન કરે છે. પરંતુ આ મત પણ બરાબર નથી. તે શા માટે પોતાની વિભૂતિનું પ્રદર્શન કરે? આવું વિભૂતિપ્રદર્શન તેના નિત્ય ઐશ્ચર્યમાં કંઈ વધારો કરે છે? ના, જરાય નહિ. તે આવું પ્રદર્શન કરવાનું બંધ કરે તો તેથી તેના નિત્ય ઐશ્વર્યમાં કોઈ ઓછપ આવવાની નથી. તો પછી ઈશ્વર જગત શા માટે બનાવે છે? ઉદ્યોતકરનો ઉત્તર છે કે તે તેનો સ્વભાવ છે માટે ધરતી વસ્તુઓને ધારણ કરે છે કારણકે તે તેનો સ્વભાવ છે. તેવી જ રીતે, ઈશ્વર જગતને ઉત્પન્ન કરે છે કારણકે જગતને ઉત્પન્ન કરવું એ તેનો સ્વભાવ છે.” અહીં ઉઘાતકરે એ ઉત્તર નથી આપ્યો કે જીવો પોતાનાં કર્મોના ફળ ભોગવી શકે માટે ઈશ્વર જગતને ઉત્પન્ન કરે છે. આની નોંધ લેવી જોઈએ.
જો જગતનાં કાર્યોની ઉત્પત્તિ કરવી તે તેનો સ્વભાવ હોય તો તે સતત કાર્યો ઉત્પન્ન કર્યા જ કરે અને કદીય વિરમે નહિ. જો ૪-કાર્યને ઉત્પન્ન કરવાનો તેનો સ્વભાવ હોય, - કાર્યને ઉત્પન્ન કરવાનો તેનો સ્વભાવ હોય, -કાર્યને ઉત્પન્ન કરવાનો તેનો સ્વભાવ હોય અને આમ..n કાર્યો ઉત્પન્ન કરવાનો તેનો સ્વભાવ હોય તો તેનો તે સ્વભાવ દરેક ક્ષણે હોવાનો જ અને પરિણામે તેણે ૧, ૨, ૩.... n કાર્યો એક જ ક્ષણે એક સાથે જ કરવાં જોઈએ, અર્થાત્ તે બધાં કાર્યોનો ફમથી કર્તા છે એ મત ઘટશે નહિ. “
ઉપરની શંકાનું સમાધાન કરતાં ઉદ્યોતકર જણાવે છે કે નિર્દિષ્ટ દોષ આવતો નથી કારણ કે કર્તા બુદ્ધિમાન છે અને વળી તેનું કર્તૃત્વ સાપેક્ષ છે. તે બુદ્ધિમાન અને સાપેક્ષ કર્તા હોઈ બધાં કાર્યોને એક સાથે ઉત્પન્ન કરતો નથી; જે કાર્યની કારણસામગ્રી ઉપસ્થિત હોય છે તેને ઉત્પન્ન કરે છે, જેની કારણસામગ્રી ઉપસ્થિત નથી હોતી તેને ઉત્પન્ન કરતો નથી. તેનો જગતનાં બધાં કાર્યોને ઉત્પન્ન કરવાનો સ્વભાવ હોવા છતાં તે તે બધાં કાર્યોને એક કાળે ઉત્પન્ન નથી કરતો કારણકે તે તે કાર્યને ત્યારે જ ઉત્પન્ન કરે છે જ્યારે તે કાર્યરૂપ ફળ જે જીવને ભોગવવાનું હોય તે જીવના તે ફળને અનુરૂપ કર્મનો વિપાકકાળ આવે. *
Page #32
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન બુદ્ધિમત્તા વિના ઈશ્વર જગતનો ખ્ત ઘટી શકે નહિ. તેથી ઈશ્વરમાં બુદ્ધિગુણ તો માનવો જ જોઈએ. તેની બુદ્ધિ અતીત, અનાગત અને વર્તમાન બધા વિષયોને ( અને પ્રત્યક્ષ જાણે છે. તેની બુદ્ધિ પરોક્ષજ્ઞાનરૂપ નથી. તેની બુદ્ધિ નિત્ય છે. તેની બુદ્ધિ નિત્ય હોઈ તેનામાં સંસ્કારગુણ સંભવતો નથી. તેને સંસ્કાર ન હોઈ સ્મૃતિ નથી. તેને દુઃખ નથી, કારણ કે દુ:ખના કારણ અધર્મનો તેનામાં અભાવ છે. તેને દુઃખ ન હોવાથી તેનામાં વેરાગ્ય પણ સંભવતો નથી. તેને દુઃખ ન હોવાથી તેનામાં છેષ પણ નથી. અલબત્ત, તેને અક્લિ અને સર્વ વિષયોમાં અવ્યાહત (=ફળીભૂત થનારી) ઇચ્છા છે. જેમ તેની બુદ્ધિ ક્લિષ્ટ નથી તેમ તેની ઈચ્છા પણ ક્લિષ્ટ નથી. જેમ તેની બુદ્ધિ સર્વ વિષયોને જાણે છે તેમ તેની ઇચ્છા બધા પદાર્થોને કરવા સમર્થ છે. જેમાં તેની બુદ્ધિ પોતાના કાર્યમાં અવ્યાહત છે-કોઈ પણ વિષયને જાણવાના તેના કાર્યમાં કોઈ બાધક બની શક્યું નથી, તેમ તેની ઇચ્છા પોતાના કાર્યમાં અવ્યાહત છે-અર્થાત્ ઇચ્છાને અનુરૂપ ફળ ( કાર્ય) તરત જ ઉત્પન્ન થાય છે."
ઈશ્વર બદ્ધ છે કે મુક્ત? તે બદ્ધ નથી કારણકે તેનામાં સદા દુઃખનો અભાવ હોઈ તે અબદ્ધ જ છે. તે મુક્ત નથી કારણ કે જે બદ્ધ હોય તેની બાબતમાં જ મુક્ત થવું સંભવે છે; ઈશ્વરને તો કદીય બંધન હતું જ નહિ. તેથી તે મુક્ત પણ નથી."
કોઈ શંકા ઉઠાવે છે કે ઈશ્વરનો જીવાત્માઓ સાથે કોઈ સંબંધ ઘટતો નથી એટલે ઈશ્વરને તેમનાં અદકનો પ્રેરક-અધિષ્ઠાતા માની શકાય નહિ. અર્થાત્ જીવાત્માઓમાં સમવાયસંબંધથી રહેતા ધર્માધર્મનો ઈશ્વર સાથે ન તો સાક્ષાત્ સંબંધ છે ન તો પરંપરાથી; અને જેની સાથે ઈશ્વરનો કોઈ સંબંધ નથી એવા ધમધર્મને ઈશ્વર કેવી રીતે પ્રેરી શકે, અને અપ્રેરિત તેઓ અચેતન હોઈ પોતાનું યોગ્ય કાર્ય કરવામાં પ્રવૃત્ત કેવી રીતે થઈ શકે ?”
ઉપરની રાંકાનું સમાધાન કરતાં ઉદ્યોતકર જણાવે છે કે ઈશ્વર અને જીવાત્મા વચ્ચે સંબંધ છે. ક્યો સંબંધ છે? સંયોગસંબંધ. “શેષિક મતે સંયોગ ગુણ છે અને તે કર્મજન્ય હોઈ અનિત્ય હોય છે. તેથી બે વિભુ દ્રવ્યો વચ્ચે સંયોગસંબંધ ઘટે નહિ. ઈશ્વર અને જીવાત્મા વિભુ છે. એટલે તેમની વચ્ચે સંયોગસંબંધ ઘટે નહિ'-આવી શંકાના ઉત્તરમાં ઉદ્યોતકર કહે છે કે અમે (નૈયાયિકો) તો અજ (= નિત્ય) સંયોગનો સ્વીકાર કરીએ છીએ. ઈશ્વર અને જીવાત્મા વચ્ચે અજ સંયોગસંબંધ છે. જેઓ (=વૈશેષિકો) અજ સંયોગ નથી માનતા તેઓ મનના માધ્યમથી ઈશ્વર અને જીવાત્મા વચ્ચે સંબંધ સ્થાપે છે. મનનો ઈશ્વર સાથે સંયોગસંબંધ છે જ અને ઈશ્વર સાથે સંયુક્ત મનનો જીવાત્મા સાથે સંબંધ છે. આમ ઈશ્વર અને જીવાત્મા વચ્ચે સંબંધ તેઓ ઘટાવે છે."
ઈશ્વર અને જીવાત્મા વચ્ચેનો અજ સંયોગસંબંધ વ્યાપક છે કે અવ્યાપક અર્થાત્ તે સંબંધ તેના પ્રત્યેક સંબંધીને વ્યાપીને રહે છે કે તે પ્રત્યેક સંબંધીના અમુક ભાગમાં જ રહે છે? આ પ્રશ્ન અવ્યાકરણીય છે. અર્થાત, આત્મા અને ઈશ્વર વચ્ચે અજ સંયોગસંબંધ છે એટલું જ કહી શકાય છે, એથી વિશેષ કંઈ કહી શકાતું નથી. ૧૫
Page #33
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
ઈશ્વરમાં ક્રિયા છે કે નહિ? ઈશ્વરમાં પ્રેરણારૂપ ક્રિયા છે, ચેષ્ટારૂપ ક્રિયા નથી. તે અન્ય કારકોને કાર્યોત્પત્તિમાં પ્રેરે છે, તે કોઈનાથી પ્રેરાતો નથી. તે સ્વતંત્ર છે. એટલે તેનામાં પરિસ્પંદરૂપ યા ચેષ્ટારૂપ ક્રિયા નથી. તેનું શરીર જ નથી એટલે તેનામાં પરિસ્પંદરૂપ યા ચેષ્ટારૂપ યિા સંભવે જ નહિ. (૬) જયંત ભટ્ટ અને ઈશ્વર
ઉદ્યોતકરે ઈશ્વરના જગતફ્તત્વની સ્થાપના કરી છે અને તે સંદર્ભમાં ઊઠતા મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરી છે. હવે આપણે ત્યંત ભટ્ટને ઈશ્વર વિશે શું કહેવાનું છે તે જોઈએ.
સૌપ્રથમ તે ઈશ્વરનું અસ્તિત્વ નીચે પ્રમાણે પુરવાર કરે છે. પૃથ્વી વગેરે કાર્યો છે, કારણ કે તે અનિત્ય છે અને સન્નિવેશવાળાં છે ( = રચનાવાળાં છે, સાવયવ છે). તે કાર્યો હોવાથી તેમનો પણ કોઈ કર્તા હોવો જોઈએ. કાર્યને કર્તા હોય છે જ, કર્યા વિના કાર્ય ઉત્પન્ન થતું નથી. ઉદાહરણાર્થ, ઘટ કાર્ય છે અને તેનો કર્તા કુંભાર છે. કર્તા વિના ઘટબની શકે જ નહિ. આમ પૃથ્વી વગેરે કાર્યોનો કર્તા સિદ્ધ થાય છે. તે જ ઈશ્વર છે."
આ સામે કોઈ દલીલ કરે છે કે કેટલાંક કાર્યોનો ર્તા દેખાતો નથી. ખેડડ્યા વિનાની પડતર જમીનમાં છોડવાં ઊગી નીકળે છે. તેમનો કોઈ કર્તા દેખાતો નથી.
આ દલીલનું ખંડન કરતાં જયંત કહે છે કે દેખાવા યોગ્ય હોવા છતાં ન દેખાય તો તે નથી' એમ નિશ્ચય કરી શકાય. પરંતુ ઈશ્વર અશરીરી હોઈ તે દેખાવા યોગ્ય જ નથી. તેથી તે દેખાતો નથી. આમ તે દેખાતો નથી માટે તેનું અસ્તિત્વ નથી એવો નિશ્ચય ન કરી શકાય.૮
અહીં વળી કોઈ આપત્તિ ઉઠાવે છે કે દુષ્ટ પૃથ્વી, પાણી વગેરેથી જ અકૃષ્ટજાત છોડવાની ઉત્પત્તિ માનવી જોઈએ, ન દેખાતા ઈશ્વરને તેમનો ર્તા માનવો અનુચિત છે.
આનો ઉત્તર આપતાં જયંત કહે છે કે આ આપત્તિ બરાબર નથી. બધા પરલોકવાદીઓ ન દેખાતાં કર્મોની કલ્પના કેમ કરે છે ? કર્મની કલ્પના એટલા માટે કરવામાં આવી છે કે જેથી જગતના વૈચિત્ર્યનો ખુલાસો થઈ શકે, તેવી જ રીતે, અચેતન કારકો ચેતનથી પ્રેરિત ન હોય તો કાયોની ઉત્પત્તિનો ખુલાસો થઈ શક્તો નથી, તેથી જ્યાં ર્તા દેખાતો નથી ત્યાં પણ ર્તા ક૫વામાં આવ્યો છે. .
કોઈ શંકા કરે છે કે કાર્ય ઉપરથી તો સામાન્યપણે કર્તાનું અનુમાન થાય પરંતુ વિશેષ પ્રકારના કર્તા-આત્મવિશેષ ઈશ્વરનું અનુમાન ન થઈ શકે. આ શંકાનું સમાધાન કરતાં જયંત કહે છે કે આગમથી વિશેષ પ્રકારના ક્તનું શાન થાય છે. જો કહો કે આગમથી તેનું જ્ઞાન માનતાં ઇતરેતરાશ્રય દોષ આવશે કારણકે ઈશ્વર આગમથી સિદ્ધ થશે અને આગમનું પ્રામાણ્ય ઈશ્વરકર્તુત્વથી સિદ્ધ થશે, તો તેમ કહેવું બરાબર નથી કારણ કે ઈશ્વર બીજાં પ્રમાણોથી પણ પુરવાર થાય છે. વળી, કાર્યની વિશેષતા ઉપરથી કર્તાની વિશેષતાનું અનુમાન થઈ શકે છે. ધૂમની વિશેષતા પ્રત્યક્ષ કરી તે ઉપરથી અનુમાન કરી શકાય છે કે
.
.
.
Page #34
--------------------------------------------------------------------------
________________
ભારતીય તસવજ્ઞાન તેનું કારણ ચંદનનો અગ્નિ જ છે-તૃણપર્ણનો અગ્નિ નથી. તેવી જ રીતે, અપરિમિત અનન્ત પ્રાણીઓનાં વિચિત્ર સુખદુઃખનાં સાધનરૂપ ભુવન વગેરે અનન્ત કાર્યો અતિશયરહિત પુરુષ કરી શકે નહિ, તેથી તેમનો અતિરાયવાળો વિશિષ્ટ કર્તા જ હોવો જોઈએ એવું આપણે અનુમાનથી જાણી શકીએ છીએ.'
ત્રણેય લોકના નિરવધિ પ્રાણીઓનાં સુખદુઃખનાં સાધનોને કેવી રીતે ઉત્પન્ન કરવાં, તેમાંના પ્રત્યેક સાધનનું પ્રયોજન શું છે, તે બધાં સાધનોનો નાશ કેમ કરવો-આ બધું જાણનારો જ તે બધાં કાયોને ઉત્પન્ન કરી શકે તેથી પુરવાર થાય છે કે ઈશ્વર સર્વશ છે. જેવી રીતે નિયતવિષયને ગ્રહણ કરનારી ઇન્દ્રિયોની અપેક્ષાએ ઇન્દ્રિયોનો પ્રેરક જીવ સર્વજ્ઞ છે તેવી રીતે જીવોનાં કર્મોને અનુરૂપ ફળ સાથે જોડવા શક્તિમાન ઈશ્વર તેમ કરવાને અશક્ત જીવોની અપેક્ષાએ સર્વશ છે. “અસર્વજ્ઞતાનું કારણ રાગ આદિ દોષો છે. તે દોષો ઈશ્વરમાં નથી, તેથી તે સર્વજ્ઞ છે. ૧૫
ઈશ્વરનું જ્ઞાન નિત્ય છે. સૃષ્ટિની સ્થિતિ દરમ્યાન જો એક ક્ષણ પણ તે જ્ઞાનરહિત બની જાય તો કર્માધીન વિવિધ પ્રકારનો વ્યવહાર જ જગતમાં અટકી જાય કારણ કે કર્મો ઈશ્વરપ્રેરણાથી જ કાર્યમાં પ્રવૃત્ત થાય છે. આ તો ઈષ્ટ નથી. એટલે સૃષ્ટિની સ્થિતિ દરમ્યાન તો તેનો વિનાશ નથી, તે નિત્ય છે. પ્રલય વખતે તેના નાશનું કોઈ કારણ ન હોઈ તેનો નાશ થતો નથી. સર્ગકાળે તેની ઉત્પત્તિનું કોઈ કારણ ન હોઈ તેનો ઉત્પાદ થતો નથી. આમ તે નિત્ય છે.ક
તેનું જ્ઞાન એક જ છે. તેના જ્ઞાનમાં કોઈ ફેરફાર-ભેદ-આવતો નથી કારણ કે તેનું જ્ઞાન અતીત, અનાગત, સૂક્ષ્મ, વ્યવહિત બધી વસ્તુઓને જાણે છે, તે બધાં શેયોને-વિષયોને યુગપ જાણે છે એટલે તેના જ્ઞાનમાં ભેદ પડતો નથી. જો કહો કે તે બધા વિષયોને મથી જાણે છે એટલે તેના જ્ઞાનમાં ભેદ પડવો સંભવે છે તો તે બરાબર નથી, કારણ કે અનન્ત વિષયોને ક્રમથી જાણી શકાય જ નહિ. તેથી આક્રમથી જાણવાનો મત સ્વીકારતાં તો તેનામાં અજ્ઞાતૃત્વ આવે અને પરિણામે કર્મફલઠાનરૂપ વ્યવહારનો લોપ થાય.'
ઈશ્વરનું જ્ઞાન પ્રત્યક્ષ જેવું હોઈ પ્રત્યક્ષ કહેવાય છે. તે પ્રત્યક્ષની જેમ ઇકિયસત્રિકર્ષથી ઉત્પન્ન થતું નથી. અર્થો ઈશ્વરજ્ઞાનને ઉત્પન્ન કરતા નથી." * જેટલા આત્મગુણો ઈશ્વરમાં છે તે બધા નિત્ય જ છે, કારણ કે તે ગુણો મનઃસંયોગથી ઉત્પાદ્ય નથી; તેમને મનઃસંયોગની અપેક્ષા નથી. દુઃખ અને દ્વેષ તેને છે જ નહિ. સંસ્કાર ( = ભાવના)નું પણ તેને કોઈ પ્રયોજન નથી, કારણ કે તે સર્વદા સર્વાર્થદર્શી હોઈ તેને સ્મૃતિ જ નથી. તેને આનુમાનિક યા પરોક્ષ જ્ઞાન છે જ નહિ. તે . ભૂતાનુગ્રહવાળો હોવાથી તેનામાં ધર્મ સ્વાભાવિક જ છે, જન્ય નથી. તે ધર્મનું ફળ પરાર્થ જગન્નિર્માણ છે. તેનામાં નિત્ય સુખ છે, કારણ કે આગમમાં તેનું તેવું વર્ણન છે. જે સુખી ન હોય તે આવાં કાર્યો કરવાની યોગ્યતા ન ધરાવી શકે."*
Page #35
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર - ઈશ્વરની ઇચ્છા પણ નિત્ય છે. અહીં કોઈ શંકા કરે છે કે ઇચ્છાને નિત્ય માનતાં સર્વદા જગતની ઉત્પત્તિ થતી જ રહેશે અને તેને ક્યારેય અન્ન નહિ આવે. સર્ગેછા નિત્ય હોઈ સંહાર થશે જ નહિ, યા સહારેચ્છા નિત્ય હોઈ પ્રલયની ધારા પણ અટકશે નહિ. આ શંકા બરાબર નથી. ઈશ્વરની ઇચ્છા નિત્ય છે એનો અર્થ એ કે તે સ્વરૂપથી નિત્ય છે, તે આત્મમનઃસંયોગથી ઉત્પાદ્ય નથી. પરંતુ તે ઇચ્છાનો વિષય
ક્યારેક સર્ગ હોય છે અને ક્યારેક સંહાર હોય છે. સર્ગસંહારની મધ્યમાં અર્થાત્ જગતની સ્થિતિની અવસ્થામાં આ કર્મનું આ ફળ આને મળો એવી ઈચ્છા ઈશ્વરને હોય છે.'
તેનો પ્રયત્ન એ વિશેષ પ્રકારનો સંકલ્પ જ છે.
આમ નવ આત્મવિશેષગુણોમાંથી ઈશ્વરમાં પાંચ છે-જ્ઞાન, સુખ, ઇચ્છા, પ્રયત્ન અને ધર્મ. તેનામાં દુઃખ, દ્વેષ, અધર્મ અને સંસ્કાર આ ચાર આત્મવિશેષગુણો નથી. તેથી તે એક વિશિષ્ટ પ્રકારનો આત્મા જ છે, આત્માથી જુદું દ્રવ્ય નથી.
ઈશ્વરના વિશે એક પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. ક્રિયાવાન જ કર્તા હોય છે. ઈશ્વર તો અશરીરી છે એટલે તેનામાં ક્રિયા સંભવે નહિ. તેથી અશરીરી કર્તા હોઈ શકે નહિ. અશરીરી કર્તા હોય એવો એક પણ દાખલો જગતમાં જોયો જાણ્યો નથી.
આ પ્રશ્નના ઉત્તરમાં જયંત કહે છે કે ઈશ્વરની બાબતમાં કર્તત્વનો અર્થ છે જ્ઞાન, ચિકીર્ષા અને પ્રયત્ન volitional effort)નો યોગ( સંબંધ). તે ઈશ્વરમાં છે જ. અશરીરરૂપ જીવાત્મા પોતાના શરીરને પ્રેરણા કરે છે જ. એટલે, પ્રેરણા કરવારૂપ કર્તુત્વ માટે શરીરરૂપ હોવું આવશ્યક નથી ઇચ્છામાત્રરૂપ તેનો વ્યાપાર હોવાથી અનનકાય તે કરી શકે છે અને વળી તેને કોઈ પણ જાતનો ક્લેશ થતો નથી."
ઇચ્છામાત્રથી જ તે પરમાણુઓને સ્વીકાર્યોત્પત્તિમાં પ્રેરે છે એમ માની શકાય નહિ, કારણ કે જડ પરમાણુઓ તેની ઇચ્છા જાણી શકે નહિ અને ઇચ્છા જાણ્યા વિના ઇચ્છાનુસાર પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે?-આ પ્રશ્નના ઉત્તરમાં જયંત જણાવે છે કે જીવનું અચેતન શરીર જીવની ઇચ્છા પ્રમાણે વર્તતું હોય તો પછી અચેતન પરમાણુઓને ઈશ્વરેચ્છાનુસાર વર્તવામાં શો બાધ આવે? - ઈશ્વર સૃષ્ટિ કેમ કરે છે? એવો એનો સ્વભાવ જ છે કે ક્યારેક તે વિશ્વનું સર્જન કરે છે અને ક્યારેક તેનો સંહાર કરે છે, પરંતુ અમુક નિયત કાળે જ સૃષ્ટિ કરવાનો અને અમુક નિયત કાળે જ સંહાર કરવાનો તેનો સ્વભાવ કેમ છે ? ઉત્તરમાં જયંત કહે છે કે સૂર્યને જ જુઓને, તેનો નિયત કાળે ઊગવાનો અને નિયત કાળે આથમવાનો સ્વભાવ નથી ? સ્વભાવની બાબતમાં પ્રશ્ન કરવો અયોગ્ય છે." અથવા, ઈશ્વર ક્રીડાર્યું જગત સર્જે છે. કેવળ દુઃખીઓ જ ફીડા કરે છે એવું નથી. જેઓ દુઃખી નથી હોતા તેઓ પણ ક્રીડા કરે છે. અથવા, અનુકંપાથી ઈશ્વર સર્ગ- સંહાર કરે છે. ૧૨ અહીં કોઈ શંકા ઉઠાવે છે કે પ્રલયમાં જીવો દુઃખી ન હોઈ અનુકંપાને પાત્ર નથી અને પરિણામે તેમના પ્રત્યેની
Page #36
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન
અનુકંપાથી ઈશ્વર સૃષ્ટિ કરે છે એમ માનવું બારબર નથી. આ શંકાનું સમાધાન કરતાં જયંત કહે છે કે પ્રલયમાંય જીવો ધર્માધર્મસંસ્કારોથી અનુવિદ્ધ હોય છે. ધર્માધર્મની જંજીરમાં જકડાયેલા હોવાથી જીવો મોક્ષપુરમાં પ્રવેશી શકતા નથી. શું આ જીવો અનુકંપાને પાત્ર નથી ! છે જ. જ્યાં સુધી કર્મોનાં ફળ ન ભોગવાય ત્યાં સુધી કર્મોનો ક્ષય અશકય છે. સર્ગ વિના કર્મોનાં ફળોનો ભોગ અશક્ય છે. તેથી ધર્મનાં શુભ ફળોના ભોગ માટે દયાળુ ઈશ્વર સ્વર્ગ વગેરે સર્જે છે અને અધર્મનાં અશુભ ફળોના ભોગ માટે ઈશ્વર નરક વગેરે સર્જે છે. કર્મોને ભોગવી થાકી ગયેલા જીવોના આરામ માટે ભુવનોનો સંહાર પણ ઈશ્વર કરે છે. આમ આ બધું ઈશ્વરની કૃપાનું પરિણામ છે. ૧૯
ઈશ્વર જગતનાં બધાં કાર્યોનો સંહાર એક સાથે કરે એ તો ગળે ઊતરતું નથી, કારણ કે અવિનાશી ( =નારા નહિ પામેલાં) કર્મોનાં ફળોના ઉપભોગમાં કોઈ પ્રતિબંધ સંભવતો નથી, આ શંકાના ઉત્તરમાં જયંત કહે છે કે ક્ષય નહિ પામેલાં કર્મોની વિપાકશક્તિ ઈશ્વરેચ્છાથી કુંઠિત થઈ જાય છે. તેની ઇચ્છાથી પ્રેરાયેલાં કર્મો જ ફળો આપે છે. તેની ઇચ્છાથી કુંઠિત થઈ ગયેલાં કર્મો ફળો આપતાં અટકી જાય છે. આમ કેમ ? એનું કારણ એ છે કે કર્મો અચેતન છે. એટલે, ચેતનથી પ્રેરાઈને જ કર્મો સ્વકાર્યમાં પ્રવૃત્ત થાય છે.'
૧૯
..
જો સર્ગ-પ્રલય તેમ જ સૃષ્ટિની સ્થિતિદશામાં કાર્યો પણ ઈશ્વરેચ્છાથી થતાં હોય તો ઈશ્વરેચ્છાને જ માનો, કર્મો (=ધર્માધર્મ) શા માટે માનો છો ?-આ પ્રશ્નના ઉત્તરમાં જયંત કહે છે કે કર્મ વિના જગતના વૈચિત્ર્યનો ખુલાસો થતો નથી એટલે કર્મ તો માનવાં જ જોઈએ. વધારામાં, તે જણાવે છે કે કર્મનિરપેક્ષ ઈશ્વરેચ્છાને જ સર્ગ આદિનું કારણ માનવામાં આવે તો ત્રણ દોષો આવે-(૧) ઈશ્વરમાં નિર્દયતાનો દોષ આવે. વિના કારણ દારુણ સર્ગ ઉત્પન્ન કરનારો ઈશ્વર નિર્દય જ ગણાય, (૨) વેદના વિધિનિષેધો નિરર્થક બની જવાનો દોષ આવે. ઈશ્વરની ઇચ્છાથી જ-કર્મ વિના-શુભાશુભ ચલભોગ સંભવતો હોય તો વેદના વિધિનિષેધો વ્યર્થ થઈ પડે, અને (૩) મુક્તોને પણ ઈશ્વરેચ્છાથી પુનઃ સંસારમાં પ્રવેશવું પડે, અર્થાત્ અનિર્મોક્ષદોષ આવે. એટલે જ ન્યાયવૈશેષિકો કર્મસાપેક્ષ ઈશ્વરેચ્છાને સર્ગ આદિનું કારણ માને છે.
વેદનો ર્તા ઈશ્વર છે. નિત્ય જ્ઞાન આદિ ધરાવનાર, નિત્યમુક્ત, જગત્કર્તા એક ઈશ્વર વેદનો કર્તા છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ સૌપ્રથમ, જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી, જયંતની ન્યાયમંજરીમાં મળે છે. કણાદે તો એટલું જ કહ્યું છે કે વેદવાકડ્યોની રચના બુદ્ધિપૂર્વકની છે. ગૌતમ આસવચનને શબ્દપ્રમાણ ગણે છે-આગમ ગણે છે અને તેનું પ્રામાણ્ય પણ આયુર્વેદ આદિ શાસ્ત્રોના પ્રામાણ્યની માફક જ નિર્ણીત થાય છે એમ જણાવે છે. પ્રશસ્તપાદે મહેશ્વરને વેઠń તરીકે વર્ણવ્યા નથી. વાત્સયાયન સ્પષ્ટપણે સાક્ષાત્કૃતધર્મા ઋષિઓને જ વેઠના દ્રષ્ટાઓ અને પ્રવક્તાઓ ગણે છે.'' ‘દ્રષ્ટાઓ’ અને
૧૩૩
વ
Page #37
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર ‘પ્રવક્તાઓ આ બે શબ્દો બહુવચનમાં વપરાયેલા છે એ ધ્યાનમાં લેવું મહત્ત્વનું છે. વાત્સ્યાયનને મતે કોઈ એક નિત્ય ઈશ્વર વેદનો કર્તા નથી કારણ કે તેમણે તેવા ઈશ્વરને
સ્વીકાર્યો જ નથી. ઉદ્યોતકરે એક નિત્ય જગત્કર્તા ઈશ્વરની કલ્પના સ્વીકારી હોવા છતાં એવો ઈશ્વર વેદનો કર્તા છે એવું તેમણે સ્પષ્ટ કર્યું નથી અને તેઓ પણ સાક્ષાત્કૃતધર્મા ઋષિઓને જ વેદના કર્તા તરીકે સ્વીકારતા લાગે છે. આમ વેદોને પૌરુષેય- પુરુષકૃત માનવાનો સિદ્ધાન્ત ન્યાયવૈશેષિકોમાં પહેલેથી અર્થાત્ કણાદસમયથી હોવા છતાં તે પુરુષ, જયંતના સમય સુધી, એક નિત્ય જગત્કર્તા ઈશ્વર નથી પરંતુ સાક્ષાત્કૃતધર્મા અનેક પુરુષો છે અર્થાત્ ઋષિમુનિઓ છે. સૌ પ્રથમ જયંત એક નિત્ય જગત્કર્તા ઈશ્વરને વેદના કર્તા જણાવે છે.
જયતે ઈશ્વરમાં આનંદનો સ્પષ્ટપણે સૌપ્રથમવાર સ્વીકાર કર્યો છે અને તેને મતે આ આનંદ કેવળ દુઃખાભાવરૂપ નથી પરંતુ વિધ્યાત્મક (positive) છે એ તેના પ્રતિપાદન ઉપરથી ફલિત થાય છે. (૭) શ્રીધર અને ઈશ્વર
ઈશ્વરમાં કરુણા છે એટલે તે જીવોને માટે સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. જો ઈશ્વરમાં જીવો પ્રત્યે કરુણા છે તો સુખમયી જ સૃષ્ટિ કેમ તે ઉત્પન્ન નથી કરતો? આના ઉત્તરમાં શ્રીધર કહે છે કે તે જીવોના ધર્માધની સહાયથી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે એટલે તે કેવળ સુખમયી. સૃષ્ટિ ઉત્પન્ન કક્યાંથી કરે? પરંતુ તેથી તેમની કરુણાને કંઈ આંચ આવતી નથી, કારણ કે સૃષ્ટિગત દુઃખ જીવોમાં વૈરાગ્ય ઉત્પન્ન કરી તેમના મોક્ષનું કારણ બને છે. ૩૪
જો સૃષ્ટિની ઉત્પત્તિ કરવામાં ઈશ્વરને જીવોના ધમધર્મ ઉપર આધાર રાખવો પડતો હોય તો તેનું ઈશ્વરપણું ક્યાં રહ્યું, તેનું સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું ? આના ઉત્તરમાં શ્રીધર જણાવે છે કે ઈશ્વર જીવોને તેમનાં કર્મ અનુસાર ફળો આપે એમાં એના ઈશ્વરપણાને કે એની સ્વાધીનતાને કંઈ બાધ આવતો નથી. ઊલટું, તે તેનું ઈશ્વરપણું પુરવાર કરે છે. શેઠ તેના સેવકોની યોગ્યતાને લક્ષમાં લઈ અનુરૂપ ફળ આપે તો શેઠ શેઠ મટી જતો નથી. ઈશ્વર પ્રત્યેક જીવની સમક્ષ તેના કર્મને અનુરૂપ ભોગસામગ્રી ઉપસ્થિત કરે છે, તેના કર્મના વિપાકકાળે તે કર્મનું યોગ્ય ફળ ઉત્પન્ન કરી જીવ સમક્ષ ઉપસ્થિત કરે છે. ૩૫
ઈશ્વરની બાબતમાં કોઈ નીચે પ્રમાણે વાંધો ઉઠાવે છે. જગતમાં ઘટ, પટ વગેરે કાર્યોનો જે કર્તા આપણને દેખાય છે તે શરીરી છે. તેથી જગતનો કર્તા પણ શરીરી જ માનવો જોઈએ. ઘટકાર્યનો કર્તા કુંભાર સૌપ્રથમ તે કાર્ય ઉત્પન્ન કરવા કયાં કારણો જોઈએ તે જાણે છે, પછી તે તે કારણોની મદદથી કાર્યને ઉત્પન્ન કરવા ઈચ્છે છે, પછી તેને અનુકૂળ પ્રયત્ન (=ઉત્સાહ, volitional effort) કરે છે, પછી શરીર પાસે અનુરૂપ વ્યાપાર ( કચેષ્ટા) કરાવે છે, પછી અન્ય કારણોને કાર્યોત્પત્તિમાં પ્રવૃત્ત કરે છે, પછી કાર્ય ઉત્પન્ન કરે છે. કારણોને જાણ્યા વિના, યોગ્ય ઇચ્છા વિના, અનુરૂપ પ્રયત્ન વિના
Page #38
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન અને અનુકૂળ શરીરવ્યાપાર વિના કોઈ કર્તા કાર્ય ઉત્પન્ન કરતો હોય એવું લોકમાં દેખ્યું નથી. તેથી ઈશ્વર પણ જો જગતનો ર્તા હોય તો તે શરીરી જ હોવો જોઈએ. જો કહો કે એશ્વર્યના અતિશયને કારણે ઈશ્વર શરીર વિના જ જગત ઉત્પન્ન કરે છે તો તે બરાબર નથી, કારણ કે એ જ તર્કને લંબાવી પૂછી શકાય કે બુદ્ધિ વિના જ (અર્થાતુ કેવળ ઈચ્છાથી જ) પોતાના અતિશયને કારણે તે કેમ જગતને ઉત્પન્ન કરતો નથી? જો કહો કે જગતમાં ઘટ, પટ વગેરે કાર્યનો કર્તા બુદ્ધિમાન છે માટે જગતનો કર્તા પણ બુદ્ધિમાન હોવો જોઈએ તો તો એ જ તીને આધારે એ પણ સ્વીકારવું જોઈએ કે જગતનો કર્તા શરીરી છે કારણ કે ઘટ, પટ આદિનો કર્તા શરીરી છે.
શ્રીધર આનો વિસ્તૃત જવાબ આપે છે. તે આ છે : કર્તવ શું છે? “શરીર સાથે સંબંધ હોવો તે કર્તુત્વ છે કે “જે કારણોમાં કાર્ય ઉત્પન્ન કરવાનું સામર્થ્ય જણાયું હોય તે કારણોને કાયોત્પત્તિમાં પ્રેરવા તે’ કર્તુત્વ છે? જો શરીર સાથે સંબંધ હોવો તે કર્તૃત્વ હોય તો સુષુપ્ત વ્યક્તિમાં અને કાર્ય કરવામાં ઉદાસીન વ્યક્તિમાં પણ કર્તૃત્વ માનવું પડશે. તેથી ‘યોગ્ય કારણોને કાર્યોત્પત્તિમાં પ્રેરવા તે જ કર્તુત્વ છે એમ સ્વીકારવું જોઈએ, અને નહિ કે શરીર સાથે સંબંધ હોવો તે કર્તુત્વ છે એમ. આ જાતનું કર્તૃત્વ શરીરસંબંધ વિના પણ શકય છે. ઉદાહરણાર્થ, જીવાત્માને પોતાના શરીરને ઘેરવા માટે કોઈ અન્ય શરીર સાથે સંબંધ જરૂરી નથી – જીવ સ્વતઃ જ પોતાના શરીરને પ્રેરે છે, જો કહો કે જીવનો પૂર્વકર્માર્જિત શરીર સાથે જે સંબંધ છે તે જ તેને તે શરીરની પ્રેરણા કરવામાં સહાયક કારણ છે તો તે બરાબર નથી, કારણ કે તેનો પોતાના શારીર સાથે સંબંધ હોવા છતાં તે પોતાના શરીરથી પોતાના શરીરને પ્રેરે છે એમ માની શકાય નહિ; ગમે તેટલો કુશળ હોય તો પણ તે પોતે પોતાના ખભા ઉપર ચઢી શકે નહિ અને ગમે તેટલી તીક્ષ્ણ છરી હોય તો પણ તે પોતે પોતાને કાપી શકે નહિ; તેવી જ રીતે, શરીર ચેતનની સહાયથી પણ પોતે પોતાને પ્રેરણા કરી શકે નહિ. જો કહો કે જેમ જીવે કરેલી પ્રેરણાનો આશ્રય તે શરીર છે-અર્થાત્ જીવ શરીરને પ્રેરણા કરે છે, તેમ ઈશ્વરે કરેલી પ્રેરણાનો આશ્રય પણ તેનું શરીર હોવું જોઈએ ને? તો તેનો ઉત્તર એ છે કે ઈશ્વરે કરેલી પ્રેરણાનો આશ્રય પરમાણુઓ છે-ઈશ્વરની પ્રેરણાથી પરમાણુઓ સ્વકાર્યમાં પ્રવૃત્ત થાય છે. વળી, વિરોધી રાંકા ઉઠાવે છે કે સ્વરારીરને જીવ ઇચ્છા અને પ્રયત્ન દ્વારા પ્રેરે છે અને ઇચ્છા-પ્રયત્નનું કારણ શરીર છે એટલે ઇચ્છાપ્રયત્નના જનન દ્વારા શરીર પોતે જ પોતાને પ્રેરી શકે છે એમ માનવું જોઈએ; આમ જેમ જીવને
શરીરને ઘેરવા સ્વશરીર સાથે સંબંધ જરૂરી છે તેમ ઈશ્વરને પણ પરમાણુઓને પ્રેરવા શરીરસંબંધ જરૂરી છે. આ શંકાનું સમાધાન એ છે કે જીવની બાબતમાં તેનાં ઇચ્છા અને પ્રયત્નનું કારણ શરીર છે પરંતુ ઉત્પન્ન થઈ ગયેલાં ઇચ્છા અને પ્રયત્ન જ્યારે શરીરને પ્રેરણા કરે છે ત્યારે પ્રેરણાનું કારણ શરીર નથી ત્યારે તો શરીર પ્રેરણાનું કર્મ છે
Page #39
--------------------------------------------------------------------------
________________
૯૧
ભારતીય દર્શનોમાં ઈશ્વર અર્થાત્ પ્રેરણારૂપ ક્રિયા શરીર ઉપર થાય છે. આમ કારકોને કાર્યોત્પત્તિમાં પૂરવારૂપ કર્તૃત્વમાં શરીરની અપેક્ષા છે જ એવો નિયમ ખોટો છે, કારણ કે શરીરવ્યામાર વિના કેવળ ઇચ્છા (will) અને પ્રયત્ન volitional effort)થી જ ચેતન( યોગી) જડ વસ્તુઓને પ્રેરતો દેખાય છે. જો કોઈ પૂછે કે ઇચ્છા અને પ્રયત્નની ઉત્પત્તિ માટે તો શરીરની અપેક્ષા છે ને?-તો તેનો જવાબ એટલો જ છે કે ઉત્પત્તિશીલ ( = અનિત્ય) ઈચ્છા અને પ્રયત્નને માટે શરીરની અપેક્ષા ભલે હોય પરંતુ જ્યાં ઇચ્છા અને પ્રયત્ન નિત્ય અને સ્વાભાવિક હોય ત્યાં તે બંનેને શરીરની અપેક્ષા છે એમ માનવું અનુચિત છે, વ્યર્થ છે. ઈશ્વરમાં બુદ્ધિ, ઈચ્છા અને પ્રયત્ન નિત્ય છે, જીવમાં તે અનિત્ય છે. બંનેય આત્માઓ છે તો એકમાં તે નિત્ય અને બીજામાં તે અનિત્ય એમ કેમ ? આશ્રયભેદે એક જ ગુણ નિત્ય અને અનિત્ય જગતમાં દેખાય છે. ઉદાહરણાર્થ, જલીય અને તેજસ પરમાણુઓમાં રૂપ નિત્ય (=અપાક) છે, જ્યારે પાર્થિવ પરમાણુઓમાં રૂ૫ અનિત્ય (= પાકજ) છે.
જીવો પરમાણુઓને કાર્યોત્પત્તિમાં પ્રેરી ન શકે કારણ કે જીવો સ્વકર્મોપાર્જિત ઈન્દ્રિયો દ્વારા જ વિષયોને જાણતા હોવાથી તેમને શરીરોત્પત્તિ પહેલાં વિષયોનું જ્ઞાન જ હોતું નથી તો સર્વવિષયોનું જ્ઞાન ક્યાંથી હોય? અને સર્વ વિષયોના જ્ઞાન વિના સૃષ્ટિ જેવું કાર્ય ઉત્પન્ન કરવું અશક્ય છે. તેથી અસર્વા જીવોથી ભિન્ન સર્વજ્ઞ ઈશ્વરની કલ્પના કરવામાં આવી છે. આવો ઈશ્વર જ સૃષ્ટિકર્તા છે, અને જડ પરમાણુઓ અને કમનો અધિષ્ઠાતા છે. - ઈશ્વર એક છે કે અનેક? આના ઉત્તરમાં શ્રીધર કહે છે કે તે એક છે, કારણ કે જો ઈશ્વર અનેક હોય અને અસર્વા હોય તો જીવોની જેમ તેઓ સૃષ્ટિકાર્ય કરવા અસમર્થ જ હોય. જો ઈશ્વરને અનેક માની બધાને સર્વજ્ઞ માનવામાં આવે, તો એકથી વધુ ઈશ્વર માનવાનું કોઈ પ્રયોજન રહેતું નથી કારણકે સર્વજ્ઞ એક ઈશ્વરથી સૃષ્ટિકાર્ય થઈ જશે. વળી, બધા ઈશ્વરો સર્વજ્ઞા હોય તો પણ તેઓ સમકક્ષ હોઈ તેમની વચ્ચે સદા એકમચતો નહીં જ રહે. એટલે અનેક સર્વજ્ઞા ઈશ્વરો માનવા કરતાં એક સર્વજ્ઞ ઈશ્વર જ માનવો જોઈએ. જો અનેક સર્વજ્ઞ ઈશ્વર માનીને પણ તેમાંના એકના જ અભિપ્રાયને બાકીના બધા સર્વા ઈશ્વરો સ્વીકારી તદનુસાર વર્તે છે એમ માનવામાં આવે તો પેલો એક જ ખરેખર ઈશ્વર કહેવાવાને લાયક છે, બીજા સર્વજ્ઞો નહિ. જો કહો કે સર્વજ્ઞ ઈશ્વરોમાં વ્યક્તિગત મતભેદ હોવા છતાં તેમની પરિષબ્દ સૃષ્ટિકાર્ય કરવાના કરેલા નિર્ણયને અનુસરી તે બધા ઈશ્વરો એકબીજાનો વિરોધ કર્યા વિના સૃષ્ટિકાર્ય કરે છે, તો એનો અર્થ એ થશે કે તેમાંનો કોઈ ઈશ્વર નથી. આ ઉપરથી પુરવાર થાય છે કે ઈશ્વર એક જ છે.”
ઈશ્વર સર્વજ્ઞા છે. તેથી કોઈ પણ વિષયનો કોઈપણ વિશેષ તેનાથી અજ્ઞાત નથી. આને કારણે જ આવા અજ્ઞાનને લઈ ઉત્પન્ન થનારું મિથ્યાજ્ઞાન પણ તેનામાં નથી. એટલે
Page #40
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્વજ્ઞાન જ મિથ્યાજ્ઞાનમૂલક રાગ-દ્વેષ પણ તેનામાં નથી. સગ-દ્વેષ ન હોવાથી પ્રવૃત્તિ પણ તેનામાં નથી. પ્રવૃત્તિ ન હોવાથી ધર્મ-અધર્મ પણ તેનામાં નથી કારણ કે પ્રવૃત્તિ જ ધર્મઅધર્મનું કારણ છે. ધર્મ-અધર્મ તેનામાં ન હોવાથી સુખ-દુ:ખ પણ તેનામાં નથી. બધા જ વિષયોનો અનુભવ તેનામાં સદાય રહેતો હોવાથી તેનામાં સ્મૃતિ નથી, સંસ્કાર પણ નથી. તેથી જ કેટલાક ઈશ્વરમાં સંખ્યા, પરિમાણ, પૃથફત્વ, સંયોગ, વિભાગ, જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન આ આઠ ગુણો માને છે. બીજાઓ તેની બુદ્ધિમાં જ અવ્યાહત ક્રિયાશક્તિનો સમાવેશ કરીને ઇચ્છા અને પ્રયત્નનો બુદ્ધિમાં જ અન્તર્ભાવ કરે છે; આમ તેઓ ઇચ્છા અને પ્રયત્નને બુદ્ધિથી અલગ ગણાવતા નથી, તેથી તેમના મતે ઈશ્વરમાં છ જ ગુણો છે. ઈશ્વર બદ્ધ પણ નથી કે મુક્ત પણ નથી તેને નિત્યમુક્ત કહી શકાય.' (૮) ઉદયનાચાર્ય અને ઈશ્વર
ન્યાયોષિક પરંપરામાં ઈશ્વરવિષયક નિરૂપણની પરાકાષ્ટા ઉદયનાચાર્યક્ત ન્યાયકુસુમાંજલિ” અને “આત્મતત્ત્વવિવેકમાં જોવા મળે છે. એટલે જ ઉદયનાચાર્ય પોતે ઈશ્વરને ઉદ્દેશીને કહે છે કે તારું અસ્તિત્વ માટે અધીન છે (મધીના તવ સ્થિતિ). ઉદયનાચાર્યે ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરવા નીચેની દલીલો રજૂ કરી છે.
(૧) સાત-જગતમાં પૃથ્વી વગેરે છે. તે વિનાશી, સાવયવ અને અવાસ્તર પરિમાણવાળાં છે (અર્થાત્ અણુપરિમાણ અને પરમમહરિમાણ વચ્ચેના પરિમાણો ધરાવે છે). તેથી તે બધાં કાયો છે. તેમનો કર્તા દેખાતો નથી. પરંતુ કાર્ય કર્તા વિના સંભવતું નહોઈ તેમનો પણ કોઈ કર્તા તો હોવો જ જોઈએ. ઘટનો કર્તા કુંભાર છે. તેવી જ રીતે, પૃથ્વી વગેરેનો પણ કોઈ કર્તા છે જ, તે કર્તા એ જ ઈશ્વર છે.
(૨) માનના-પ્રલયમાં પરમાણુઓમાં કર્મ (ગતિ, motion) તો હોય છે. પરંતુ તે કર્મથી પરમાણુઓનો કાર્યારંભક સંયોગ થતો નથી, અને પરિણામે પરમાણુઓમાંથી કયણુકાદિકમે કાર્યો બનતાં નથી. તેથી પ્રલયમાં પરમાણુઓમાં જે કર્મ હોય છે તેને અનારંભક (benefit of causal efficiency) કર્મ કહેવામાં આવે છે. પરમાણુઓમાંથી કાર્ય બનવા માટે પરમાણુઓનો કાર્યારંભ સંયોગ થવો જોઈએ, અને પરમાણુઓનો આવો સંયોગ થવા માટે પરમાણુઓમાં આરંભક કર્મ ઉત્પન્ન થવું જોઈએ; પરમાણુઓના કાર્યારંભક સંયોગનું કારણ આરંભક કર્મ છે. આ આરંભક કર્મ પરમાણુઓમાં ઉત્પન્ન કરી તે દ્વારા પરમાણુઓનું સંયોજન કરનાર કોઈક હોવો જોઈએ. તે જ ઈશ્વર છે, ઈશ્વરને માન્યા વિના અનારંભક કર્મને સ્થાને આરંભક કર્મ થવાનો કોઈ ખુલાસે મળતો નથી. એટલે પરમાણુઓમાં આરંભક કર્મ પેદા કરનારો અને પરમાણુઓના કાર્યારંભ સંયોગોનો પ્રયોજક-આયોજક-કોઈ માનવો જ જોઈએ. તે જ ઈશ્વર છે.
(૩) ધૃત્ય૨-() ગુરૂત્વવાળી વસ્તુઓ નીચે પડે છે. ગુરૂત્વવાળી વસ્તુઓને પડતી રોકનાર ચેતનનો પ્રયત્ન છે. આપણો પ્રયત્ન આપણા શરીરને નીચે પડતાં રોકે છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનમાં ઈશ્વર ઊડતા પંખીનો પ્રયત્ન તેના શરીરને નીચે પડતાં રોકે છે. ઉડતા પંખીએ ચાંચમાં પડેલી જડ વસ્તુ તે પંખીના પ્રયત્નથી નીચે પડતી નથી કારણકે પ્રયત્નવાળા પંખીએ તેને ધારણ કરેલી છે. ગુરુત્વવાળી જડ વસ્તુને કોઈ પ્રયત્નવાળી ચેતન વ્યક્તિએ ધારણ કરેલી હોય તો તે નીચે પડતી નથી. ગ્રહ, ઉપગ્રહ, વગેરે અચેતન છે તેમ છતાં તે નીચે પડતાં નથીપોતાની કક્ષામાંથી ટ્યુત થતાં નથી. એટલે માનવું પડે છે કે કોઈ પ્રયત્નવાળી ચેતન વ્યક્તિએ તેમને ધારણ કરી રાખ્યા હોવા જોઈએ. આ વ્યક્તિ તે જ ઈશ્વર છે. આમ ઈશ્વર સમગ્ર બ્રહ્માંડનો ધારક છે.૪૪
૩ (૨) છત્ય -શબ્દમાં આદિ પદ છે. તે આદિ પદથી નાશ અભિપ્રેત છે. તક આ પ્રમાણે છે: જેમ કાર્યની ઉત્પત્તિ માટે નિમિત્તકારણ (= ઉત્પાદકર્તા) જરૂરી છે તેમ કાર્યના નાશ માટે પણ નિમિત્તકારણ (નાશકર્તા) જરૂરી છે. ન્યાયવશેષિક મતે વસ્તુસ્વભાવથી જ નાશ પામતી નથી. વસ્તુનો વિનારા નિર્દેતુક નથી. જો વસ્તુનો વિનાશ નિહેતુક માનવામાં આવે તો વસ્તુ ક્ષણિક બની જાય અને સ્થાયી દ્રવ્ય જેવી કોઈ વસ્તુ રહે નહિ. તેથી ન્યાયોષિકો વસ્તુના નામને સહેતુક માને છે. ઘડાને લાકડીથી છૂટકો મારવામાં આવે છે ત્યારે જ ધડો આઘાતથી કૂટે છે. અહીં ફટકો મારનાર-આઘાત કરનાર ઘટનાશક્ત છે. તેવી જ રીતે, જગતનાં જે કાર્યોનો નાશક્ત જણાતો ન હોય તેનો પણ નાશક્ત હોવો તો જોઈએ જ; તે છે ઈશ્વર. વળી, સમગ્ર વિશ્વના નારાર્તા તરીકે ઈશ્વરને માનવો જોઈએ. ઈશ્વરની ઈચ્છાથી સર્ગાતે વિશ્વને જખર આધાત લાગે છે અને બધાં કાર્યો પરમાણુઓમાં વિઘટન પામી જાય છે. આ આઘાત પરમાણુઓમાં અનારંભિક ગતિ અને વેગ પેદા કરે છે. આઘાતથી જન્મેલો વેગ અનારંભક કર્મને પ્રલયાન્ત સુધી ચાલુ રાખું છે. વિશ્વના નાશકર્તા તરીકે ચેતન વ્યક્તિને માન્યા વિના છૂટકો નથી. તે ચેતન વ્યક્તિ એ જ ઈશ્વર છે.
(૪) પલા-(મ) અમુક અર્થ =વસ્તુ) માટે અમુક પદ વપરાય છે. અમુક શબ્દનો અમુક અર્થ છે એવો શબ્દ-અર્થનો સંકેત છે. આ સંકેતનું જ્ઞાન આપણને વડીલો આપે છે. પરંતુ અમુક વસ્તુ અમુક શબ્દવાચ્ય છે એવો સંકેત સૌપ્રથમ ક્ય - કોણે? આવા સંકેતનો પ્રવર્તક જે છે તે ઈશ્વર છે. પ્રલયકાળે વિશ્વના નારા સાથે બધા સંકેતો નાશ પામે છે અને સૃષ્ટિની ઉત્પત્તિ સાથે ઈશ્વર નવા સંકેતો ઉત્પન્ન કરે છે તે માટે તે કોઈ પૂર્વસંકેતો ઉપર આધાર રાખતો નથી.
૪ () સૃષ્ટિની ઉત્પત્તિ સાથે તેના સંકેતો આપે છે એટલું જ નહિ પણ કલાઓને પણ તે જ શરૂ કરે છે. પાત્રો બનાવવાની કલા, કપડું વણવાની કલા, લિપિકલા, લેખનકલા, વગેરે કલાઓને સૃષ્ટિના આરંભે સૌપ્રથમ તે જ જીવોને શિખવાડે છે. ગુરુશિષ્ય પરંપરા દ્વારા કલાઓ આપણા સમય સુધી ઊતરી આવી છે. આ પરંપરા ક્યાંકથી શરૂ થઈ હોવી જોઈએ. અર્થાતુ, કલાઓનો આદ્ય પ્રવર્તક-આવિષ્કારક-આદિ ગુરુ-કોઈ હોવો જ જોઈએ. તે જ ઈશ્વર છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્વજ્ઞાન - અહીં કોઈ શંકા ઉઠાવે છે કે ઈશ્વર અશરીરી હોઈ તે કેવી રીતે કલાઓનું કૌશલ જીવોને દેખાડી કલાઓ શિખવી શકે ? આનો ઉત્તર આપતાં ઉદયનાચાર્ય સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ઈશ્વર પણ કાર્યવશાત્ વચ્ચે વચ્ચે શરીર ધારણ કરે છે અને વિભૂતિ દર્શાવે છે. ૪૮
ઉદયનનો આ ઉત્તર સાંભળી કોઈ આપત્તિ કરે છે કે ન્યાયવૈશેષિકો શરીરને ભોગાયતન ગણે છે. જો ઈશ્વરને ધર્મ ન હોય તો તેને ભોગાયતન પણ ન જ હોય અને ઈશ્વરમાં ધર્મ માનવો તો ઈષ્ટ નથી. ટીકાકાર વર્ધમાન આ અસંગતિને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. તે કહે છે કે ઈશ્વરનો ધર્મ તેના શરીરનું કારણ નથી પરંતુ જીવોનો ધર્મ ઈશ્વરના શરીરનું કારણ છે. ૪૯
(૫) છત્ર -વેદમાં વિષયવસ્તુનું યથાર્થ નિરૂપણ છે. વેદમાં કહેવામાં આવેલું બધું સત્ય છે. વેદ પ્રમાણ છે. વેદનું પ્રામાણ્ય નિર્દોષ વ્યક્તિને સૂચવે છે. રાગ આદિ દોષવાળી વ્યક્તિનાં વચનો અપ્રમાણ હોય છે-અયથાર્થ હોય છે, જ્યારે રાગ આદિ દોષરહિત વ્યક્તિનાં વચનો યથાર્થ જ હોય છે; રાગ આદિ દોષરહિત વ્યક્તિ જ વસ્તુને યથાર્થ જાણી શકે છે અને જેવી તેણે તે વસ્તુને જાણી હોય તેવી જ નિરૂપી શકે છે, રાગ આદિ દોષરહિત વ્યક્તિ સર્વજ્ઞા હોય છે. આવી રાગ આદિ દોષરહિત સર્વજ્ઞ વ્યક્તિનાં વચનોરૂપ વેઠ હોવાથી વેદનું પ્રામાણ્ય છે. આમ વેદનું પ્રામાણ્ય રાગ આદિ દોષરહિત સર્વજ્ઞ વ્યક્તિને અર્થાત્ ઈશ્વરને પુરવાર કરે છે.
(૬) કૃ -વેદના પ્રામાણ્ય ઉપથી નિર્દોષ ઈશ્વરને ઉપર પુરવાર કર્યો છે. પરંતુ મીમાંસક પ્રશ્ન ઊઠાવે છે કે વેદના પ્રામાણ્ય ઉપરથી તેનો કોઈ જ કર્તા નથી એમ કેમ માનતા નથી? ન્યાયવૈશેષિકો ઉત્તર આપે છે કે આયુર્વેદ વગેરે શાસ્ત્રો જેમ પુરુષકૃત છે તેમ વેદ પણ પુરુષકૃત જ હોવો જોઈએ. વેદનો જે કર્તા છે તે જ ઈશ્વર છે.
(૭) વાચાર્વે દ વાક્યરૂપ છે. વેદવાક્યો ઉપરથી પુરવાર થાય છે કે વેદનો કોઈ કર્તા હોવો જ જોઈએ. મહાભારતગત વાક્યોના કર્તા જેમ વ્યાસ છે તેમ વેદગત વાક્યોના કર્તા પણ હોવા જ જોઈએ. વેદગત વાક્યોના જે કર્તા છે તે જ ઈશ્વર છે.
(૮) સાજિશેષા-સૃષ્ટચારંભે બે અણુઓનો સંયોગ થઈ દ્વચણુક બને છે. દ્વચણકનું પરિમાણ અણુપરિમાણજન્ય નથી કારણ કે જે તેના પરિમાણને અણુપરિમાણજન્ય માનવામાં આવે તો તેનું (= દ્વચણકનું) પરિમાણ અણુતર બિનવાની આપત્તિ આવે; તે મહત્પરિમાણીજન્ય પણ નથી કારણ કે અણુ
ઓમાં મહત્પરિમાણ નથી, વળી ચણકના પરિમાણને મહત્પરિમાણ ન્યાયવૈશેષિકો ગણતા નથી. કયણુકનું પરિમાણ પણ અણુપરિમાણ જ છે, પણ અણુના અણુપરિમાણ અને દ્વચણકના અણુપરિમાણ વચ્ચે કંઈક ભેદ છે; દ્વચણકનું અણુપરિમાણ કંઈક ઓછું અણુપરિમાણ છે અર્થાત્ અણુના પરિમાણ કરતાં
Page #43
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૯૫
દ્વચણુકનું પરિમાણ કંઈક સ્થૂળ છે. આવી પરિસ્થિતિ હોઈ દ્વચણુનું પરિમાણ રોનાથી ઉત્પન્ન થાય છે એ પ્રશ્ન જાગે છે. આ પ્રશ્નના ઉકેલ માટે ન્યાયવૈશેષિકોએ એવો સિદ્ધાન્ત માન્યો છે કે સંખ્યાથી પણ પરિમાણ ઉત્પન્ન થઈ શકે છે. દ્વચણુકનું અણુપરિમાણ બે પરમાણુઓમાં રહેલી દ્વિત્વસંખ્યાથી ઉત્પન્ન થાય છે. પરંતુ ન્યાયવૈશેષિકને મતે દ્વિત્વ, વગેરે સંખ્યાની ઉત્પત્તિ માટે ‘આ એક છે અને આ પણ એક છે’ એવી અપેક્ષાબુદ્ધિ આવશ્યક છે. અપેક્ષાબુદ્ધિ એ તો ચેતનનો ધર્મ છે, અને જીવોએ તો હજુ શરીર, ઇન્દ્રિયો વગેરે પ્રાસ કર્યાં નથી, એટલે જીવોની અપેક્ષાબુદ્ધિ આ દ્વિત્વસંખ્યાની ઉત્પત્તિમાં કારણભૂત ન જ હોઈ શકે. તેથી જે ચેતનની અપેક્ષાબુદ્ધિ સૃષ્ટિચારંભે પરમાણુઓમાં દ્વિત્વસંખ્યા ઉત્પન્ન કરે છે તે ઈશ્વર છે.
૫૦
જીવનો પ્રયત્ન જેને સાક્ષાત્ પ્રેરે છે તે તેનું શરીર છે, તેમ ઈશ્વર જેને સાક્ષાત્ પ્રેરે તેને તેનું શરીર ગણાય.૫ ઈશ્વરપ્રયત્ન પરમાણુઓને સાક્ષાત્ પ્રેરે છે. એટલે એ અર્થમાં પરમાણુઓ ઈશ્વરનું શરીર ગણાય. ઉદયનાચાર્ય આ અર્થમાં જ પરમાણુઓને ઈશ્વરનું રારીર માને છે,૫૨ વળી, ઉદયનાચાર્યે આદ્ય કલાપ્રવર્તક તરીકે ઈશ્વરને સિદ્ધ કરતી વખતે જેના વડે કલાકૌશલ બતાવી શકાય-શિખવાડી શકાય એવું રારીર પણ ઈશ્વર ધારણ કરે છે એમ કહ્યું છે. તેમ છતાં ઈશ્વર અશરીરી છે એ ન્યાયવેરોષિક પરંપરાના સ્થાપિત મતનો તે વિરોધ નથી કરતા. તે ઈશ્વરમાં આનન્દગુણ માનતા લાગે છે.૧૫ તેમણે ઈશ્વરને વેદકર્તા પણ માન્યો છે. આ બે બાબતોમાં તેઓ જયંતને અનુસરે છે. તેઓ બુદ્ધિ, ઇચ્છા અને પ્રયત્ન ત્રણેયને ઈશ્વરમાં માને છે.
ઉદયનાચાર્યે એક મહત્ત્વના પ્રશ્નની ચર્ચા કરી છે. તે આ છે-‘શરીર વિના બુદ્ધિ નથી. અને શરીર દૂર થતાં બુદ્ધિ દૂર થાય છે, આવું તો અનિત્ય બુદ્ધિની બાબતમાં છે, પરંતુ નિત્ય બુદ્ધિને રારીરની કોઈ ઉપયોગિતા નથી, એટલે નિત્ય બુદ્ધિવાળો ઈશ્વર અશરીરી છે' આમ ન્યાયવેશેષિકો કહે છે. પરંતુ એ જ તર્કને લંબાવીને કહી શકાય કે જો ઈશ્વરનો પ્રયત્ન નિત્ય છે તો તેને પણ જ્ઞાન-ઇચ્છાની કોઈ ઉપયોગિતા ન હોવી જોઈએ. શા માટે નિત્ય પ્રયત્ન ઉપરાંત ઈશ્વરમાં બુદ્ધિ અને ઇચ્છા માનો છો ?
આ પ્રશ્નનો ઉદયનાચાર્યે આપેલો ઉત્તર વિચારણીય છે. તે જણાવે છે કે અનિત્ય પ્રયત્નમાં બે ધર્મો છે-(૧) તે જ્ઞાનજન્ય છે, (૨) જ્ઞાનનો જે વિષય હોય છે તે જ તેનો વિષય હોય છે.૫૪ નિત્ય હોઈ તેને આત્મલાભ (=સ્વોત્પત્તિ) માટે જ્ઞાનની જરૂર નથી પરંતુ વિષયને માટે તો તેને જ્ઞાનની જરૂર છે. ૧૫૫ પ્રયત્ન સ્વરૂપથી જ વિષયપ્રવણ નથી. જો તેને સ્વરૂપથી જ વિષયપ્રવણ માનવામાં આવે તો પ્રયત્ન અને જ્ઞાનમાં કોઈ ભેદ રહે જ નહિ. પ્રયત્ન અને જ્ઞાન વચ્ચે આ જ ભેદ છે કે પ્રયત્ન સ્વરૂપથી અર્થપ્રવણ નથી જ્યારે જ્ઞાન સ્વરૂપથી અર્થપ્રવણ છે. જો ઈશ્વરના નિત્ય
Page #44
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન
૯૬
પ્રયત્નને નિર્વિષય માનવામાં આવે તો એવો નિર્વિષય પ્રયત્ન વિષયોનો ( = પરમાણુઓનો) પ્રેરક કેવી રીતે બની શકે ? એટલે, પ્રયત્નને સર્વિષય જ માનવો જોઈએ, અને તેને સવિષય માનો એટલે જ્ઞાન માનવું જ પડે કારણ કે તે જ્ઞાન દ્વારા જ વિષય બને છે.૧૧૬ અહીં કોઈ શંકા ઉઠાવી શકે કે ન્યાયવૈશેષિકોએ સુષુપ્તાવસ્થામાં માનેલો જીવનપૂર્વક પ્રયત્ન તો જ્ઞાનેચ્છાપૂર્વક ન હોવા છતાં સવિષય છે, તો પછી તેઓ ઈશ્વરના નિત્ય પ્રયત્નને પણ જ્ઞાન-ઇચ્છાનિરપેક્ષ સવિષય કેમ નથી માનતા ? ઉદ્દયન આનો ઉત્તર આપતાં કહે છે કે જીવનપૂર્વક પ્રયત્ન જ્ઞાનેચ્છાપૂર્વક પ્રયત્નથી ભિન્ન જાતિનો છે એટલે જીવનપૂર્વક પ્રયત્નને આધારે જે પ્રયત્ન જીવનપૂર્વક નથી એવા નિત્ય ઈશ્વરપ્રયત્નની બાબતમાં એવો નિશ્ચય કરી શકાય નહિ.
૧૫૦
ઈશ્વરમાં બુદ્ધિ, ઇચ્છા અને પ્રયત્ન માનવાની ખાખતમાં ન્યાયવેરોષિક વિચારકોના મતભેદનું તાર્કિક મૂળ : પ્રયત્નનું કારણ ઇચ્છા છે. ઇચ્છાનું કારણ બુદ્ધિ છે. જ્ઞાન પછી ઇચ્છા થાય છે, ઇચ્છા પછી પ્રયત્ન થાય છે. હવે જો પ્રયત્ન નિત્ય હોય તો બુદ્ધિ અને ઇચ્છાને માનવાનું કોઈ પ્રયોજન નથી. જેઓ ઈશ્વરમાં પ્રયત્નને નથી માનતા પણ બુદ્ધિ અને ઇચ્છાને માને છે તેઓ ઇચ્છાને નિત્ય માને છે, એટલે તેમણે બુદ્ધિને માનવાની જરૂર નથી, જેઓ ઇચ્છા અને પ્રયત્નને ન માની કેવળ બુદ્ધિને જ ઈશ્વરમાં માને છે તેમની વિરુદ્ધ આ દૃષ્ટિએ કંઈ કહી શકાય નહિ, આ દષ્ટિએ તેઓ સાચા લાગે છે. શ્રીધર ઈશ્વરમાં કેવળ બુદ્ધિને જ માને છે.
પરંતુ ઈશ્વર કેવળ જ્ઞાન ધરાવતો હોય તો તે જગન્નિર્માણ કેવી રીતે કરી શકે ? તેથી, ઇચ્છા તો ઈશ્વરમાં માનવી જ જોઈએ. ઈશ્વરમાં ઇચ્છા માનીએ એટલે તેને નિત્ય જ માનવી જોઈએ, અને આવી નિત્ય ઇચ્છા જ્ઞાનને નિરર્થક નહિ બનાવી દે ? ના, જ્ઞાન નિરર્થક નહિ બને. ઈશ્વરની ઇચ્છા સ્વરૂપથી નિત્ય છે-અર્થાત્ તે મનઃ સંયોગસાપેક્ષ નથી. પરંતુ તેનો વિષય તો કોઈ વખતે આ હોય છે તો કોઈ વખતે તે હોય છે. તેના વિષયનું નિયામક જ્ઞાન છે. ઈશ્વરનું જ્ઞાન તો યુગપદ્ સર્વવિષયક છે તો તેની ઇચ્છા યુગપ ્ સર્વવિષયક કેમ નથી ? જીવ પણ જે વિષયોને જાણતો હોય છે તે બધાને ઇચ્છતો નથી પણ જે ભોગયોગ્ય હોય છે તેને જ ઇચ્છે છે. તેવી જ રીતે, ઈશ્વર બધા જ વિષયોને જાણે છે ખરો પણ જે વિષયો તે તે વખતે તે તે જીવના ભોગને યોગ્ય હોય છે તેમને જ ઇચ્છે છે.
આ ભોગયોગ્યતા ઈશ્વર નથી જાણે છે. જીવ પણ અમુક વસ્તુ તેને સુખકર છે કે દુઃખકર તે જ્ઞાનથી જાણે છે. આ દૃષ્ટિએ ઈશ્વરમાં જ્ઞાન અને ઇચ્છા બંને માનનાર સાચા લાગે છે. ઉદ્યોતકર ઈશ્વરમાં જ્ઞાન અને ઇચ્છા બંને માને છે,
પરંતુ અહીં કોઈ કહી શકે કે ઇચ્છામાં જ એવો અતિશય કેમ નથી માનતા કે ઈશ્વર જે વખતે જેને માટે જે યોગ્ય ફળ હોય તે વખતે તેને માટે તે ફળ જ ઇચ્છે ? ઈશ્વરની ઇચ્છા કદી અયોગ્ય હોય જ નહિ, સ્વતઃ યોગ્ય જ હોય એમ કેમ ન માનવું ? અને આને જ તેની
Page #45
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર ઇચ્છાનો મહત્વનો અતિશય કેમ ન ગણવો? આવી ઇચ્છા માનતાં સર્વવિષયક નિત્ય જ્ઞાનની કોઈ જરૂર રહેતી નથી. એટલે ઈશ્વરમાં કેવળ ઇચ્છા માનનારનો મત પણ ઘટી શકે છે. પ્રશસ્તપાદ મહેશ્વરમાં કેવળ સંકલ્પ જ માને છે, મહેશ્વરના સંકલ્પને જ્ઞાનની કોઈ જાતની અપેક્ષા નથી.
ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક ઈશ્વ સ્વાદનું જૈન અને બૌદ્ધ ચિંતકોએ ખંડન કર્યું છે. ધર્મકીર્તિએ પ્રમાણવાર્તિકમાં, શાન્તરક્ષિતે તત્ત્વસંગ્રહમાં, કલ્યાણરક્ષિતે ઈશ્વરભંગકારિકામાં અને જ્ઞાનશ્રીમિત્રે ઈશ્વરસંક્ષેપદૂષણમાં આ ઈશ્વરવાદનું ખંડન કર્યું છે. આ બધા બોદ્ધ ચિંતકો છે. હરિભદ્ર દર્શનસમુચ્ચયમાં અને શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં, હેમચં અન્યયોગવ્યવચ્છેદદ્રાસિંગિકામાં, ગુણરત્નસૂરિએ પદનસમુચ્ચયટીકા તરહસ્યદીપિકામાં અને મલ્લિષેણસૂરિએ સ્યાદ્વાદમંજરીમાં આ વાતનું ખંડન કર્યું છે. આ જન આચાર્યો છે, આ સિવાય પણ અનેક જન-બોદ્ધ ગ્રંથોમાં આ વાતનું ખંડન મળી શકે છે. તદ્ગત મુખ્ય તર્કોનું નિરૂપણ હવે કરીએ છીએ.
(૧) વિના વાવ્ય ઊગી નીકળનાર તૃણ, જંગલી વૃક્ષ, પહાડી છોડ વગેરે અવયવવાળા હોવાથી કાર્ય તો અવશ્ય છે પરંતુ એમને કોઈ બુદ્ધિમાન બનાવ્યા નથી. તેથી કાર્યવહેતુ અને કાતિક છે. જગતમાં બે પ્રકારનાં કાર્યો હોય છે. કેટલાંક તો બુદ્ધિમાન વડે બનાવાય છે જેમકે ઘટ વગેરે, પરંતુ કેટલાંક એવા પણ હોય છે જેમને બુદ્ધિમાને ઉત્પન્ન કર્યા હોતા નથી પણ તેઓ આપોઆપ કુદરતી રીતે જ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે જેમકે વિના વાગ્યે ઉગનાર જંગલી ઘાસ વગેરે. આ જંગલી ઘાસ વગેરેનો પણ પક્ષમાં સમાવેશ કરવો અર્થાત્ એમને પણ ઈશ્વરનિર્મિત કહેવાં ઉચિત નથી; કારણ કે જે વસ્તુથી હેતનો વ્યભિચાર બતાવવામાં આવ્યો હોય તે જ વસ્તુને પક્ષમાં દાખલ કરી દેવાનો રસ્તો અપનાવવામાં આવે તો કોઈ પણ હેતુ વ્યભિચારી, નહીં બની શકે. તેથી જે પદાર્થથી વ્યભિચાર દેવામાં આવે તેને પક્ષમાં દાખલ કરી દેવાની પરીપાટી કોઈ પણ રીતે ઉચિત નથી.૫૮
(૨) જેમ અગ્નિને શીત સિદ્ધ કરવા આપવામાં આવેલ દ્રવ્યવહેતુ અગ્નિને ગરમ જાણનારા પ્રત્યક્ષથી બાધિત છે તેમ જંગલી ઘાસ વગેરેને બુદ્ધિમત્કર્તક સિદ્ધ કરવા આપવામાં આવેલ કાર્યત્વહેતુ જંગલી ઘાસ વગેરેમાં બુદ્ધિમાન કર્તાનો અભાવ જાણનાર પ્રત્યક્ષથી બાધિત છે. જંગલી ઘાસ વગેરેમાં કર્તા અદશ્ય હોવાને કારણે તેની અનુપલબ્ધિ માનવી તો બિલકુલ કપોલકલ્પના જ છે, કારણ કે ત્યાં અદશ્ય ર્તાનો સભા પુરવાર કરવો જ મુશ્કેલ છે. તમે જ બનાવો કે જંગલી ઘાસમાં અંદશ્ય કર્તા આ અનુમાનથી સિદ્ધ થાય છે કે બીજા કોઈ પ્રમાણથી? જો આ કાર્યત્વહેતુવાળા અનુમાનથી કર્તાની સિદ્ધિનો પ્રયત્ન કરશો તો ચક્રદોષ આવશે. જ્યાં ત્રણ કે ત્રણથી અધિક પદાર્થોની સિદ્ધિ એકબીજીને અધીન થઈ જાય છે ત્યાં ચકદોષ આવે છે. જ્યારે
Page #46
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્વજ્ઞાન કાર્યત્વહેતુથી કર્તાનો સદ્દભાવ સિદ્ધ થાય ત્યારે વિના વાવ્ય - ૪ ર ' નીકળનાર જંગલી ઘાસ વગેરેમાં અદશ્ય હોવાથી કર્તાની અનુપલબ્ધિ માનવામા આવે, અને જ્યારે એ નિશ્ચય થઈ જાય કે “જંગલી ઘાસ વગેરેમાં કર્તાની અનુપલબ્ધિ અદશ્ય હોવાને કારણે છે, કર્તાના અભાવને કારણે નહિ ત્યારે કાર્યત્વહેતુમાં અબાધિત વિષયતા
આવે, તથા જ્યારે કાર્ય–હેતુ અબાધિત હોવાથી કાલાચયાપદિષ્ટ (બાધિત) દોષથી - રહિત બની જાય ત્યારે તે કાર્ય–હેતુ જંગલી ઘાસ વગેરેમાં કર્તાનો અભાવ સિદ્ધ કરી
શકે. આ રીતે ચક્રદુષણ આવે છે. પેલા જંગલી ઘાસ વગેરેમાં કર્તાનો સદ્ભાવ સિદ્ધ કરનાર અન્ય કોઈ પ્રમાણ તો દેખાતું નથી. જ
(૩) ઈશ્વરનું જગત્વ સિદ્ધ કરવા આપવામાં આવેલ ‘કાર્યત્વા, સન્નિવેશવિશિષ્ટત્વા વગેરે બધા હેતુઓ વ્યભિચારી પણ છે. જુઓ વીજળી ચમકે છે, મેઘ ગર્જે છે અહીં વીજળી તયા મેઘ આદિ કાર્ય છે, અમુક સન્નિવેશવિશિષ્ટ પણ છે, તેમના ઉપાઠાનકારણ પણ અચેતન પરમાણુ છે, તેઓ પહેલાં ન હતાં પછી થયાં અને ચમકવા લાગ્યાં, ગર્જવા લાગ્યાં, આમ તેમનામાં બધા હેતુઓ તો છે પણ તેમને કોઈ બુદ્ધિમાને બનાવ્યાં નથી-તેઓ તો આપ મેળે પરમાણુઓનો સંયોગ થવાથી બની ગયા છે. તેથી વીજળી આદિમાં હેતુ હોવા છતાં સાધ્ય ન હોવાને કારણે ઉક્ત હેતુ વ્યભિચારી છે. સ્વપ્ન તથા મૂર્શિત આદિ અવસ્થાઓમાં બુદ્ધિ વિના પણ અનેક કાર્યો થતાં દેખાય છે. •
(૪) ઈશ્વરનું જગત્કર્તુત્વ આગમબાધિત પણ છે. આગમ ગીતામાં કહ્યું છે કે “ર
વંર વાળિ નવી વૃત્તિ - “ઈશ્વરમાં જગતનું કર્તુત્વ નથી, તે કર્મની સ્ત્રના કરતા નથી' ઇત્યાદિથી અકર્તુત્વરૂપમાં ઈશ્વરનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
(૫) જગતને અકર્તક સિદ્ધ કરનાર અનેક પ્રત્યેનુમાન મોજુદ હોવાથી કાર્યત્વ વગેરે હેતુઓ પ્રકરણસમ છે. અકર્તૃત્વસાધક અનુમાન નીચે પ્રમાણે છે-ઈશ્વર જગતનો કર્તા હોઈ ન શકે, કારણ કે એની પાસે જગતને રચવા માટેનાં ઉપકરણો નથી. જેમ દંડ, ચાકડો આદિ ઉપકરણોથી રહિત કુંભાર ઘડો નથી બનાવી શકતો, તેવી જ રીતે ઈશ્વર પણ વિના ઉપકરણ જગતનું સર્જન કરી ન શકે. બીજું, ઈશ્વર આ જગતનો કર્તા ઘટી શકતો નથી કારણ કે તે વ્યાપી હોવાથી ક્રિયાશૂન્ય છે, જેમકે આકાશ. જે પોતે બિલકુલ નિષ્ક્રિય છેહાલચાલી શકતો નથી તેનાથી જગતની ઉત્પત્તિક્રિયા માની શકાય નહિ. ઈશ્વર આ વિચિત્ર જગતનો કર્તા ન હોઈ શકે કારણ કે તે એક છે, એક સ્વભાવવાળો છે, જેમકે આકાશ. આવાં અનેક અનુમાનો ઉપસ્થિત કરી શકાય.'
(૬) શાન્તરક્ષિત કહે છે કે માનવ જે કાર્યને કદી ઉત્પન્ન થતાં દેખે છે, જેવાં કે મંદિર, પ્રાસાદ, ગોપુર, વગેરે તેવી જાતનાં પ્રસિદ્ધ કાર્યનો કર્તા નિઃસંદેહ સિદ્ધ થાય છે. પરંતુ જે આકૃતિની વસ્તુઓને કોઈએ કદી ઉત્પન્ન થતી દેખી નથી, જેવી કે પર્વત આદિ,
Page #47
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૯૯
તે વસ્તુઓના કર્તારૂપે બુદ્ધિમાનનું અનુમાન કરવું અસંગત છે. તેથી અન્વય અને વ્યતિરેકના આધાર પર દષ્ટ કાર્ય ઉપરથી દૃષ્ટ કર્તાનું અનુમાન કરવું યુક્તિયુક્ત છે. પરંતુ વિના કંઈ વિચાર્યે સમજ્યું કોઈ વસ્તુ કાર્ય છે માટે એના અદૃશ્ય ર્તાની કલ્પના કરવી યુક્તિસંગત નથી. એ સત્ય પણ નથી, પરંતુ કોરી ક્લ્પના છે.- પર્વત આદિ સન્નિવેશવિશિષ્ટ કાર્યો કોઈ કર્તા વડે ઉત્પન્ન થતાં કદી દેખવામાં આવ્યાં નથી, એવાં કાર્યો સાથે કર્તાનો સ્વાભાવિક સંબંધ સ્થિર કરવા માટે અન્વય ઘટવા છતાં વ્યતિરેક ધટશે કે નહિ એ સંદેહ રહ્યા કરે છે, તેથી કેવળ આકૃતિ ઉપરથી પર્વત આદિમાં સર્તૃકત્વ સિદ્ધ થઈ શકે નહિ. જો ફેવળ આકૃતિ ઉપરથી જ, વ્યતિરેકના અભાવમાં કાર્યત્વની સાથે સકર્તૃત્વની વ્યામિ માનવામાં આવે તો કુંભારની સાથે વક્ષ્મીનો પણ કદાચિત્ અન્વય ઘટે છે તથા મૃદ્ધિકાર હોવાથી ઘટ સાથે વલ્ભીકનું સાધર્મ્સ પણ છે એટલે એને કુંભારની રચના માનવી પડશે, જે સર્વથા લોકવિરુદ્ધ છે.૨
(૭) દલીલ ખાતર ઘડી ભર માની લઈએ કે જંગલી ઘાસ, પર્વત, વગેરેનો અદશ્ય કર્તા છે. પરંતુ તે અદશ્ય કેમ છે ? ન્યાયવૈશેષિક કહેશે કે તેનું કારણ તે અરારીરી છે એ છે. પરંતુ અશરીરી કર્તા હોઈ જ કેવી રીતે શકે ? જેવી રીતે મુક્ત જીવ અશરીરી હોઈ કર્તા નથી તેમ આ ઈશ્વર પણ અરારીરી હોઈ કર્તા ન હોઈ શકે. ન્યાયવેરોષિક કહેશે કે જગતકર્તૃત્વમાં શરીરનો કોઈ ઉપયોગ નથી. કર્તા બનવા માટે માત્ર જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન જરૂરી છે, પરંતુ ઈશ્વરને શરીર નથી તો એનામાં જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન પણ ન હોઈ શકે. જ્ઞાન આદિની ઉત્પત્તિમાં શરીર નિમિત્તકારણ છે. જો ારીરરૂપ નિમિત્તકારણ વિના જ જ્ઞાનાદિનું અસ્તિત્વ ઘટતું હોય તો મુક્ત આત્મામાં પણ જ્ઞાનાદિ માનવાં જોઈએ. અને તો જ્ઞાનાદિ ગુણોની અત્યન્ત નિવૃત્તિરૂપ મુક્તિ રહેશે નહિ. ૧૬૪ જો ઈશ્વર પરમાત્માનું સ્વરૂપ જ્ઞાન આદિ હોઈ શકે તો મુક્ત આત્માનું સ્વરૂપ જ્ઞાન આદિ કેમ ન હોઈ શકે ? ઈશ્વર અંગેની ન્યાયવૈશેષિકોની માન્યતા આત્મા અંગેની તેમ જ તેના વિશેષ ગુણ અંગેની તેમની જે મૂળભૂત પાયાની માન્યતા છે તેના ઉપર કુઠારાઘાત સમાન છે.
(૮) ઈશ્વર દશ્ય કે અદશ્ય જેવો હોય તેવો, પરંતુ તે પોતાની હાજરી માત્રથી જ જગતનો કર્તા બની જાય છે કે જ્ઞાનવાળો હોવાથી, કે જ્ઞાન-ઇચ્છા-પ્રયત્નવાળો હોવાથી કે પછી જ્ઞાનાદિપૂર્વક વ્યાપાર કરવાને કારણે ? જો ઈશ્વર પોતાની નિષ્ક્રિય ઉપસ્થિતિ માત્રથી જ જગતને ઉત્પન્ન કરી દે છે એમ માનીશું તો એક કુંભાર પણ કહી શકે છે કે ‘આ જગત મારી ઉપસ્થિતિને કારણે ઉત્પન્ન થયું છે’; કુંભાર જ કેમ, આપણે બધાં નિત્ય અને વ્યાપક હોવાથી સર્વત્ર હંમેશા ઉપસ્થિત રહેવાના છીએ માટે આપણે બધાં કહી શકીએ કે ‘અમારી ઉપસ્થિતિને કારણે જ જગત ઉત્પન્ન થયું છે.’ નિષ્ક્રિય ઉપસ્થિતિ માત્રથી જો ‘સૃષ્ટિકર્તા’નું મોટું પદ મળી જતું હોય તો વહેતી ગંગામાં કોણ હાય ન ધુએ ?
Page #48
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્વજ્ઞાન બધાં ઈશ્વર બની જશે. જો સમસ્ત વિષયોનું પરિજ્ઞાન હોવા માત્રથી ઈશ્વર જગતને સર્જતો હોય તો સર્વજ્ઞ યોગીઓ પણ જગતના કર્તા બની જશે. અશરીરી ઈશ્વરમાં જ્ઞાન-ઇચ્છાપ્રયત્નનું હોવું મુક્તાત્માની જેમ નિતાન અસંભવ છે એ પહેલાં કહી ગયા છીએ. એટલે ફાન-ઇચ્છા-પ્રયત્નવાળો હોવાને કારણે ઈશ્વર જગતનો કર્તા છે એમ પણ નહિ કહી શકાય. “જ્ઞાનાદિપૂર્વક વ્યાપાર કરવાને કારણે ઈશ્વર જગતનો કર્તા છે એ ચોથો વિકલ્પ પણ અસંગત છે, કારણ કે જ્યારે ઈશ્વરને શરીર જ નથી તો એનામાં જ્ઞાનાદિપૂર્વક મનવચન-કાયાનો વ્યાપાર પણ ક્યાંથી હોઈ શકે? આત્માનો જ્ઞાનાદિપૂર્વક વ્યાપાર તો શરીરમાં જ કે શરીર દ્વારા જ હોય છે. વળી, વ્યાપાર વડે જગતનું સર્જન માનતાં સર્જન કરવામાં અનંત કાળ જાય.
(૯) સૃષ્ટિના આરંભમાં બધા જ પદાર્થોનું નિર્માણ ઈશ્વર કરે છે નેયાયિકના આ. કથનને અનુલક્ષી ધર્મકીર્તિ પૂછે છે કે સૃષ્ટિના આરંભમાં ઈશ્વર જે સ્વભાવથી જગતની રચના કરે છે તે સ્વભાવ જગતરચના પૂર્વે એનામાં હતો કે નહિ? જે હતો, તો પ્રશ્ન ઊઠે છે કે તે વખતે તેણે જગતરચનાકેમ કરી? જો ન હતો, તો પ્રશ્ન થાય કે શા કારણે એનામાં તે સ્વભાવ ન હતો ? અર્થાત્ ફલિત થાય છે કે સૃષ્ટિ પૂર્વે પ્રલય દરમ્યાન જગતનું સર્જન કરવાનો સ્વભાવ ઈશ્વરમાં ન હતો પણ સૃષ્ટિનું સર્જન કરવાનો સમય આવતાં ઈશ્વરમાં તે સ્વભાવ આવે છે. બીજા શબ્દોમાં, પ્રલય દરમ્યાન ઈશ્વરમાં કારત્વશક્તિ ન હતી પરંતુ સર્ગારંભે ઈશ્વરમાં કારકત્વશક્તિ આવી જાય છે. આ દર્શાવે છે કે જગતનું નિર્માણ કરવું એ ઈશ્વરનો સ્વભાવ નથી. એ જો એનો સ્વભાવ હોય તો સદા સર્વદા તે જગતનું નિર્માણ કર્યા જ કરે, પરિણામે પ્રલય અસંભવ બની જાય.'
ઈશ્વર પોતાનો સ્વભાવ ન બદલે ત્યાં સુધી એ સંભવ નથી કે તે કોઈ પણ કાર્યનું કારણ બને. પ્રલયમાં જે સ્વભાવ ઈશ્વરનો હોય છે તેનાથી સર્વથા વિપરીત સ્વભાવ સૃષ્ટિના સમયે તેનો હોય છે. અને એ તો નિયમ છે કે કોઈની પણ સ્વભાવ પરિવર્તિત થતો નથી. જગતનું નિર્માણ કરવું ઈશ્વરનો સ્વભાવ છે એમ ઉદ્યોતકરે કહેવું સર્વથા અયુક્તિપૂર્ણ છે. જેનો સ્વભાવ એક સમયે (પ્રલયમાં) વિરત રહેવાનો છે, તે જ એ સ્વભાવને અનુકૂળ રહી સૃષ્ટિના આરંભે નિર્માણવ્યાપારમાં લાગી જાય એ તો સંભવ જ નથી."
ન્યાયવૈશેષિક કહે છે કે ઈશ્વર સહકારી કારણના સન્નિધાનથી જગતરૂપ કાર્યનું નિર્માણ કરે છે; એ સહકારી કારણના અભાવમાં ઈશ્વર જગતરૂપ કાર્યનું નિર્માણ કરતો નથી. અહીં પ્રશ્ન ઊઠે છે કે સહકારી કારણ ઈશ્વરને કંઈ ઉપકાર કરે છે કે નહિ? અર્થાત્ સહકારી કારણ ઈશ્વરમાં કંઈ વિશેષ ઉત્પન્ન કરે છે કે નહિ? જો ના, તો સહકારી કારણની સન્નિધિ-અસન્નિધિથી કંઈ ફેર પડતો નથી. તેની અસન્નિધિમાં પણ ઈશ્વર જગતરૂપ કાર્ય ઉત્પન્ન કરે જ, જો કહો કે સહકારી કારણ ઈશ્વરમાં વિશેષ ઉત્પન્ન કરે છે, તો ઈશ્વર નિત્ય રહેશે નહિ અને તેનું પરમ સામર્થ્ય નષ્ટ થઈ જશે."
Page #49
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૧૦૧ (૧૦) ન્યાયવૈશેષિક મતે આત્મા ફૂટસ્થનિત્ય છે. ઈશ્વર પણ આત્મદ્રવ્ય જ છે. તેથી તે પણ ફૂટસ્થનિત્ય જ છે. પરિણામે, સાંખ્યના કૂટસ્થનિત્ય પુરુષ(આત્મા)ની જેમ તે પણ કોઈનું કાર્ય કે કારણ બની શકે નહિ.
(૧૧) એક સાથે બધા જીવોનાં બધાં કર્મો ઈશ્વરની ઇચ્છાથી પોતાના ફળો (વિપાક) આપવાનું છોડી દે તેમ જ એક સાથે બધા જીવોનાં બધાં કર્મો ઈશ્વરની ઈચ્છાથી પોતાનાં ફળો આવવા તૈયાર (વિપાકોનુખ) થઈ જાય એમ માનવું કર્મસિદ્ધાન્તની તદ્દન વિરુદ્ધ છે. સંચિત કર્મ ક્યારે ફળ આપશે તેનો આધાર જેને કારણે કર્મ બંધાયું છે તે પ્રવૃત્તિ કરતી વખતે તે જીવના કલેશોની તીવ્રતા-મંદતા કેવી હતી તેના ઉપર છે. આ સર્વમાન્ય સિદ્ધાન્ત છે. એટલે કર્મે ક્યારે ફળ આપવું અને ક્યારે ફળ આપવાની પ્રવૃત્તિથી વિરમી જવું એનો આધાર ઈશ્વરેચ્છા ઉપર નથી. બહુ તીવ્ર રાગદ્વેષપૂર્વક કરાયેલી પ્રવૃત્તિથી બંધાયેલાં કર્મ વર્તમાન જન્મમાં જ ફળે છે જ્યારે ઓછી માત્રાઓવાળા રાગદ્વેષપૂર્વક કરાયેલી પ્રવૃત્તિથી બંધાયેલાં કર્મ માત્રાનુસાર જુદા જુદા જન્મોમાં ફળે છે. આ બાબત સર્વસ્વીકૃત છે. પૌરાણિક સર્ગ-પ્રલયની માન્યતા કર્મસિદ્ધાન્ત સાથે મેળ ખાતી નથી.
(૧૨) ન્યાયવૈશેષિક કહે છે કે કર્મ અચેતન છે અને તેથી ચેતન ઈશ્વરની પ્રેરણાથી, ઇચ્છાથી જે પોતાની ફલદાનની પ્રવૃત્તિ કરી શકે, અન્યથા નહિ. અહીં પ્રશ્ન એ ઉઠે છે કે ઈશ્વરની ઇચ્છા શું છે એ અચેતન કર્મ કેવી રીતે સમજી શકે? અને જો ન સમજી શકે તો ઈશ્વરની ઇચ્છાને અનુરૂપ પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે?
(૧૩) અનેક ઈશ્વરો માનવાથી કાર્યો કરવામાં વિવાદ થઈ શકે છે અને કાર્યો બગડી શકે છે એ ડરથી ન્યાયશેષિક એક ઈશ્વરને માને છે. પરંતુ તેમનો ડર અયોગ્ય છે. જે અનેક મધમાખીઓ એક સુંદર મધપુડો બનાવી શકે, અનેક કીડીઓ મળી એક રાક બનાવી શકે, અનેક શિલ્પીઓ એક સુંદર મહેલ બનાવી શકે તો અનેક વીતરાગી ઈશ્વસે મળી સૃષ્ટિ કેમ ન બનાવી શકે? બધા ઈશ્વરો વીતરાગી અને સર્વા હોય તો વિવાદ કે ઝઘડાનો કોઈ સંભવ જ નથી,
(૧૪) જે ક્રમશઃ ઉત્પન્ન થાય છે તે નિત્ય ઈશ્વર દ્વારા નિષ્પાદિત ન થઈ શકે. સાંસારિક કાર્યકલાપ યથાક્રમે થતો દેખાય છે. તેથી એ કાર્યોનું નિમિત્તકારણ ઈશ્વર હોઈ શકે નહિ. તેમ છતાં પ્રત્યેક વસ્તુ ઈશ્વરકારિત છે એમ માની લઈએ તો યાયિકનો ઈશ્વરસાધક હેતુ પણ ઈશ્વરકારિત જ હોવો જોઈએ અને જ્યારે ઈશ્વરની સિદ્ધિનો પ્રયાસ શરૂ કર્યો છે ત્યારે યાયિકની ઈશ્વરસાધક યુક્તિ ઈશ્વરજન્ય હોવાને કારણે ઈશ્વરની સિદ્ધિ પૂર્વે વિપુલ પ્રમાણિત બનશે.”
(૧૫) ઈશ્વરમાં જગકર્તુત્વ જ પ્રમાણિત થતું નથી તો જગત્કર્તા હોવાને કારણે કાર્યસમૂહના ઉપાઠાનોનું પ્રત્યક્ષ પણ અસિદ્ધ રહેશે. અને એ પ્રત્યક્ષના અભાવમાં
Page #50
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ભારતીય તત્ત્વજ્ઞાન
સર્વજ્ઞતાની વાત તો દૂર જ રહેશે, કારણ કે ઈશ્વરને પ્રત્યેક કાર્યના કર્તા માનવા ઉપર જ એની સર્વજ્ઞતા નિર્ભર છે.
"""
(૧૬) નિત્ય તથા સર્વવિષયક જ્ઞાનથી સંપન્ન જગત્કર્તા સિદ્ધ થતો નથી. તેના જ્ઞાનની નિત્યતા સિદ્ધ થતી જ નથી, કારણ કે વિષય ક્રમિક છે; તેથી વિષયસાપેક્ષ જ્ઞાન પણ ક્રમિક જ થરો અને જ્ઞાનનું ક્રમિહ્ત્વ જ જ્ઞાનની અનિત્યતાનું સાધક છે. ઈશ્વરનું જ્ઞાન પણ ક્રમિક જ થશે. તેથી તે નિત્ય ન હોઈ શકે.૦૨
(૧૭) પ્રયોજન વિના તો મૂર્ખ પણ કાર્યમાં પ્રવૃત્ત થતો નથી. હવે પ્રશ્ન એ થાય છે કે ઈશ્વર કયા પ્રયોજને જગતનિર્માણમાં પ્રવૃત્ત થાય છે ? અહીં નીચે પ્રમાણે સાત વિક્લ્પો થઈ શકે છે-કોઈ બીજાની પ્રેરણાથી પ્રવૃત્ત થાય છે ? પોતાની રુચિથી અર્થાત્ ઇચ્છાથી પ્રવૃત્ત થાય છે ? જીવોનાં કર્મોને અધીન પ્રવૃત્ત થાય છે ? પ્રાણીઓ પ્રત્યેની કરુણાને કારણે પ્રવૃત્ત થાય છે ? ક્રીડા અર્થાત્ લીલા કરવા માટે પ્રવૃત્ત થાય છે ? સજ્જનો પર અનુગ્રહ કરવા તેમ જ દુષ્ટોને દંડ દેવા માટે પ્રવૃત્ત થાય છે ? કે જગન્નિર્માણ કરવું તેનો સ્વભાવ છે તેથી પ્રવૃત્ત થાય છે ?
પ્રથમ વિકલ્પ ઘટતો નથી. જો તે કોઈ બીજાની પ્રેરણાથી, પોતાની ઇચ્છા ન હોવા છતાં, જગન્નિર્માણમાં પ્રવૃત્ત થતો હોય તો તેના સ્વાતન્ત્યની રક્ષા થશે નહિ. અને સ્વાતન્ત્યના અભાવમાં સામાન્ય પુરુષ અને આ લોકોત્તર પુરુષ (ઈશ્વર)માં શું ભેદ રહેશે ? બીજો વિકલ્પ પણ ઘટતો નથી. જો ઈશ્વર પોતાની ઇચ્છા અનુસાર જેવું મનમાં આવે તેમ જગતનું સર્જન કરતો હોય તો ઈશ્વરની કોઈ વાર અન્ય પ્રકારની ઇચ્છા થતાં વિલક્ષણ પ્રકારની પણ સૃષ્ટિ (જગત) હોઈ શકે છે. ઈશ્વર સ્વતન્ત્ર છે. એની ઇચ્છા પર કોઈ અંકુશ નથી. તેથી બીજા પ્રકારનું જગત બનાવવાની ઇચ્છા સંભવે છે. પરંતુ હજુ સુધી તો જગતનું એક જ રૂપ એકસરખું જ દેખાય-સંભળાય છે, અન્ય પ્રકારનું જગત ન તો દેખ્યું છે ન તો સાંભળ્યું છે. ત્રીજો વિકલ્પ પણ ઘટતો નથી. જો ઈશ્વર જીવોના કર્મોને અધીન રહી જગતનું નિર્માણ કરતો હોય તો એની સ્વતન્ત્રતા કચાંથી રહેશે ? તે ઈશ્વર શેનો ? તે તો કેવળ જીવોનાં કર્મોનો હુક્મ પાળનાર એક સાધારણ મેનેજર જેવો બની જશે. ચોથો વિકલ્પ પણ ઘટતો નથી. જો ઈશ્વર પ્રાણીઓ પ્રત્યેની કરુણાથી પ્રેરાઈ જગન્નિર્માણ કરતો હોય તો તેણે નિર્માણ કરેલા જગતમાં દુઃખ હોવું જ ન જોઈએ. ન્યાયવેરોષિક કહેરો ઃ ‘‘ઈશ્વર શું કરે ? દુઃખી જીવ પોતાનાં પૂર્વજન્મોમાં કમાયેલાં કર્મોને ભોગવે છે. દયાળુ ઈશ્વર તો એમનાં પાપકર્મોને ભોગવવા માટે દુઃખની સામગ્રી પૂરી પાડી એમના પર ઉપકાર કરે છે. તેઓ પોતાનાં દુષ્કર્મોને ભોગવી તેમનાથી છૂટકારો મેળવે છે.’’ આના ઉત્તરમાં કહેવું જોઈએ કે જો સુખ દુઃખ જીવોને તેમનાં કર્મો અનુસાર જ મળતાં હોય તો ઈશ્વરે શું પુરુષાર્થ કર્યો ? ઈશ્વર કરતાં ચડિયાતી તો ર્મની શક્તિ છે એ પુરવાર થયું. જો ઈશ્વરે પણ છેવટે કર્મોને વશ થઈને જ નાચવું પડતું હોય તો વચમાં દલાલ
Page #51
--------------------------------------------------------------------------
________________
ભારતીય દરીનોમાં ઈશ્વર જેવા એની કલ્પના કરવી નિરર્થક છે. સાચો પુરુષાર્થ તો એ છે જે કમની પરવા કર્યા વિના જગતને સુખી જ સર્જે, વસ્તુતઃ એ જ ઈશ્વર ગણાય. એના કરતાં તો એ જ સારું કે જગત સીધું જ કર્મપરત્વ રહે, એક નિરર્થક પરાધીન ઈશ્વરની કલ્પના બિનજરૂરી છે. એવો ઈશ્વર તો અન્તર્ગડુની જેમ બિલકુલ નિરર્થક છે. બીજી વાત એ કે સૃષ્ટિ પહેલાં દયાપાત્ર પ્રાણી જ ન હતાં તો એ વખતે કોના ઉપર કૃપા કરવા તે જગતનું નિર્માણ કરવા પ્રવૃત્ત થયો ? પાંચમો વિકલ્પ પણ ઘટતો નથી. ઈશ્વર પોતાના મનોવિનોદને ખાતર જગન્નિર્માણરૂપ ક્રીડા (લીલા) કરે છે એમ માનતાં ઈશ્વર રમત રમતા કિશોરના જેવો રાગદ્વેષવાળો બની જશે. મનોવિનોદને ખાતર લીલારચના તો રાગવૃત્તિનું પરિણામ છે. વળી જેવી રીતે બાળકો કંટાળો આવતાં પોતે બનાવેલાં રમકડાંને તોડી નાખે છે તેવી રીતે ઈશ્વર પણ જગનિર્મિતિથી કંટાળી જતાં જગતનો નાશ પણ જ્યારે ઇ છે ત્યારે કરી છે. વળી, લીલા આનંદ પ્રાપ્ત કરવા કરવામાં આવે છે. શું ઈશ્વરમાં આનંદની અધુરપ છે? શું તે સંપૂર્ણાનદ નથી? જો તે સંપૂર્ણનન્દ હોય તો તેને આનન્દ પ્રાપ્ત કરવાનો રહેતો નથી. પરિણામે તેને આનન્દ પ્રાપ્ત કરવા લીલા કરવાની હોય નહિ. જે આનન્દ પ્રાપ્ત કરવા લીલા કરે તે પૂર્ણાનન્દ હોય નહિ, ઈશ્વર હોય નહિ. છઠ્ઠો વિકલ્પ પણ ઘટતો નથી. જો શિષ્ટ ઉપર અનુગ્રહ કરવા અને દુષ્ટોને દંડ દેવા ઈશ્વર જગન્નિર્માણ કરતો હોય તો એવો ઈશ્વર રાગદ્વેષમુક્ત ન હોઈ શકે. વિના રાગદ્વેષ અનુગ્રહ-નિગ્રહ કરી શકાતા નથી. વીતરાગી વ્યક્તિ અનુગ્રહ-નિગ્રહના પ્રપંચમાં પડે જ નહિ. જે રાગદ્વેષયુક્ત હોય તે ઈશ્વર હોઈ શકે જ નહિ. સાતમો છેલ્લો વિકલ્પ પણ ઘટતો નથી. જો જગન્નિર્માણ કરવું તેનો સ્વભાવ હોય તો તે સદા જગન્નિર્માણ કર્યા જ કરે, તેમાંથી કદી વિરમે જ નહિ. વળી, છેવટે સ્વભાવ જ જો માનવો પડતો હોય તો અચેતન પરમાણુઓ યા પદાર્થોનો જ એ સ્વભાવ માની લો કે જે પ્રકારનાં કારણો સંયોગ મળે છે તે અનુસાર પોતાની પ્રવૃત્તિ તેઓ સ્વભાવથી કરે છે.' તાત્પર્ય એ કે હાઈડ્રોજનમાં જ્યારે એક્સિજન અમુક માત્રામાં મળે છે ત્યારે સ્વભાવથી જ જળ બની જાય છે. એમની વચ્ચે એજન્ટ ઈશ્વરની શી આવશ્યકતા છે. ઉદયને ઈશ્વરસાધક જે બાબતો જણાવી છે તે બધીનો ખુલાસો જગકર્તા ઈશ્વર માન્યા વિના ગુરુત્વાકર્ષણનો નિયમ વગેરે જેવા પ્રાકૃતિક નિયમોને (Natural Laws) આધારે થઈ શકે છે. મીમાંસાદર્શનમાં ઈશ્વર
મીમાંસાદર્શનની વિચારધારા જ એવી છે કે તેમાં સર્વજ્ઞ જગત્કર્તા ઈશ્વરનું સ્થાન સંભવી શકે જ નહિ. મીમાંસા જગતને અનાદિ-અનન માને છે. તે સર્ગ-પ્રલયમાં માનતું નથી. તેથી સૃષ્ટિકર્તા કે પ્રલયકર્તા ઈશ્વરની તેને આવશ્યકતા નથી. બીજું, તે સર્વ વિષયોના સાક્ષાત્કારી જ્ઞાનને (સર્વજ્ઞાત્વને જ સ્વીકારતું નથી. સર્વજ્ઞત્વને તો શું, યોગિપ્રત્યક્ષનો પણ તે પ્રતિષેધ કરે છે. આમ તેના મનમાં કોઈ સર્વાને સ્થાન નથી.
Page #52
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન
૧૦૪
જે દાર્શનિકો ઈશ્વર માને છે તે બધા જ ઈશ્વરમાં ઉત્કૃષ્ટ અતિશયરૂપ સર્વજ્ઞત્વ સ્વીકારે છે. વેદકર્તાના રૂપમાં પણ ઈશ્વર તે સ્વીકારતું નથી. મીમાંસા અનુસાર વેઠ નિત્ય છે, અનાદિઅનંત છે. વેઠ અપૌરુષેય છે એ મીમાંસાનો મૂળભૂત સિદ્ધાન્ત છે. વળી, તેના અનુસાર કોઈને સાક્ષાત્ ધર્મનું જ્ઞાન થઈ શકે જ નહિ, એટલે સાક્ષાત્ અનુભૂત ધર્મનો ઉપદેશ પણ કોઈ હોઈ રાકે નહિ. ધર્મનું જ્ઞાન વેઠ દ્વારા જ થઈ શકે. કર્મફલદાતાના રૂપમાં પણ ઈશ્વરનું સ્થાન જૈમિનિના મીમાંસાદર્શનમાં નથી. જૈમિનિ અનુસાર યજ્ઞકર્મ દ્વારા જ તે તે ફળની પ્રાપ્તિ થાય છે, ઈશ્વરની માધ્યમરૂપે કોઈ જ જરૂર નથી.
૧૭.
rve
આ પ્રાચીન મીમાંસાનો નિરીશ્વરવાદ ઉત્તરકાળે પૌરાણિક ધાર્મિકતા-ખાસ તો શૈવ ધાર્મિકતાથી અછૂતો રહી શક્યો નહિ. પરિણામે કોઈને કોઈ રૂપમાં તેને ઈશ્વરનો સ્વીકાર કરવો જ પડયો. વેદમાં બહુદેવવાદ તો હતો જ. વળી, તે તે પ્રસંગે તે તે દેવની સ્તુતિ કરતી વેળાએ તે તે દેવને સર્વેસર્વા સ્થાપવાનો વ્યવહાર પણ હતો જ. લોકમાં પણ આવો વ્યવહાર પ્રચલિત છે. તે પ્રાચીન કાળમાં સાદા યજ્ઞોમાં દૂધ, ઘી, મધ, અનાજ અને પશુઓને દેવો માટે હોમી દેવોને ખુશ કરવાની માન્યતા હતી અને ખુશ થયેલ દેવ ઇચ્છિત ફળ આપે છે એવી માન્યતા હતી. તે વખતે યજ્ઞ પ્રધાન ન હતો, દેવ પ્રધાન હતો. પછી બ્રાહ્મણકાળે યજ્ઞ જ પ્રધાન બની ગયો અને યજ્ઞ જ સાક્ષાત્ ફળ આપે છે એમ મનાવા લાગ્યું. આ બ્રાહ્મણકાળ પૂર્વેની વેદકાળની જે સ્થિતિ હતી તેનો આધાર લઈને ઉત્તરકાલીન મીમાંસકો કર્મનું ફળ આપનાર રૂપે અને અનુગ્રહ કરનાર રૂપે ઈશ્વરનો સ્વીકાર કરી શક્યા. અને તેનું એક્ત્વ સ્થાપવા માટે ‘ સત્ વિપ્રા નદુધા વન્તિ' નો આધાર પણ હતો જ. એટલે કર્મફળદાતાના રૂપમાં એક ઈશ્વરનો સ્વીકાર કરવાનું ઉત્તરકાલીન મીમાંસકોને મુશ્કેલ ન જ પડે. પરિણામે, તેઓ જગત્કર્તા, સાક્ષાત્કૃત ધર્મના ઉપદેષ્ટા, વેદકર્તા તરીકે ઈશ્વરનું ખંડન કરવા છતાં અમુક અર્થમાં અર્થાત્ કર્મલદાતાના રૂપમાં, ઉપાસ્યના રૂપમાં ઈશ્વરનો સ્વીકાર કરે છે.આપોદેવ તથા લૌગાક્ષિભાસ્કરે ગીતાના સમર્પણસિદ્ધાન્તને શ્રુતિમૂલક માની મોક્ષ પ્રાસ કરવા બધાં કાર્યોનાં ફળ ઈશ્વરને સમર્પણ કરી દેવાની વાત લખી છે. મીમાંસક વેદાન્તદેશિકે આ જ ઉદ્દેશ્યથી સેશ્વર મીમાંસા નામના ગ્રંથની રચના કરી છે. પ્રભાકરવિજય ગ્રંથમાં તર્કના આધારે ઈશ્વરવિષયક અનુમાનનું ખંડન કરવામાં આવ્યું હોવા છતાં ઈશ્વરનો સ્પષ્ટતઃ સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ આ સ્વીકૃત ઈશ્વર અનુમાનથી નહિ પરંતુ શબ્દપ્રમાણથી જ પુરવાર થાય છે. મીમાંસક કુમારિલ ભટ્ટે શ્લોકવાર્તિકમાં ઈશ્વરનું ખંડન કર્યું હોવા છતાં મંગલશ્લોકમાં તો તે શિવની સ્તુતિ કરે છે. તે બ્લોક નીચે પ્રમાણે છે. विशुद्धज्ञानदेहाय त्रिवेदीदिव्यचक्षुषे । श्रेयः प्राप्तिनिमित्ताय नमः सोमार्धधारिणे ॥
Page #53
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૧૦૫ આ શ્લોક દર્શાવે છે કે ઉત્તરકાલીન ન્યાયવૈશેષિકોની જેમ ઉત્તરકાલીન મીમાંસકો પણ રીવ ધાર્મિકતાથી બહુ પ્રભાવિત થયા હતા. પરંતુ ઉત્તરકાલીન ન્યાયવશેષિકોએ ઈશ્વરને વેદની ઉપર સ્થાપ્યો વેદને પણ જગતની જેમ જ ઈશ્વરત તેમણે ગણ્યો. એથી ઊલટું, મીમાંસકોએ વેઠનું સ્થાન ઈશ્વરથી ચડિયાતું જ રાખ્યું, ઈશ્વરને જગત્કર્તા કે વેક્ત માન્ય રાખ્યો નહિ-ઈશ્વરને કર્મફળદાતા, ઉપાસ્ય અને ભક્તિનો વિષય માનવા છતાં. વેદાન્તદર્શનમાં ઈશ્વર
બાદરાયણરચિત વેદાન્તસૂત્રના અનેક ભાષ્યકારો થયા. એમાં શંકર, ભાસ્કર, રામાનુજ, નિમ્બાર્ક, મધ્ય તથા વલ્લભ પ્રધાન છે. પ્રાયઃ પ્રત્યેક ભાષ્યકારે ઈશ્વરની
સ્થાપના કરી છે, ભલે પછી ઈશ્વરના સ્વરૂપ પરત્વે એ બધાની દૃષ્ટિ પરસ્પર ભિન્ન રહી હોય. અહીં એ ભાષ્યકારોમાં સર્વ પ્રથમ આચાર્ય શંકરનો ઈશ્વર સંબંધી મત પ્રસ્તુત કરવામાં આવે છે.
(૧) આચાર્ય શંકર અને ઈશ્વર આપણે જાણીએ છીએ કે આચાર્ય શંકરને મતે એકમાત્ર બ્રહ્મ જ પરમાર્થ સત્ છે. જીવ, જગત અને ઈશ્વરની કેવી વ્યાવહારિક સત્તા છે.
પારમાર્થિક સત્તા ધરાવનાર બ્રહ્મ જ છે. આ પરમ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ છે. સત્વચિત્ આનંદ તેનું સ્વરૂપ છે. તે કૂટનિત્ય છે.
પરંતુ જ્યારે વ્યાવહારિક ભૂમિકાએ આ જ બ્રહ્મમાયાવચ્છિન્ન બને છે ત્યારે તે ઈશ્વર કહેવાય છે. આમ ઈશ્વરની પારમાર્થિક સત્તા નથી પણ વ્યાવહારિક સત્તા છે. માયા ઈશ્વરની શક્તિ છે. આવો ઈશ્વર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે. ઈશ્વર જગતનો કર્તા, ધર્તા, નિયંતા, સંહર્તા છે. તે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. આમ ઈશ્વર, જે : માયાવચ્છિન્ન બ્રહ્મ છે, તે સગુણ બ્રહ્મ છે.
ઈશ્વરની સર્વ ઇચ્છાઓ પરિપૂર્ણ છે. ઈશ્વર પૂર્ણકામ છે. જો ઈશ્વરને જગતનું સર્જન કરવાનું કોઈ પ્રયોજન માનીએ તો તેની પૂર્ણકામતાને હાનિ પહોચે. તેથી કહેવામાં આવ્યું છે કે ઈશ્વરનો જગનિર્માણવ્યાપાર લીલાવિલાસ છે. ૮૦
ઈશ્વર જ જગતનું ઉપાઠાનકારણ છે અને ઈશ્વર જ જગતનું નિમિત્તકારણ છે. ઈશ્વર એ માયોપહિત બ્રહ્મ છે. એની ઉપાધિભૂત માયા જગતનું ઉપાદાનકારણ છે, જ્યારે ઈશ્વરચેતન્ય નિમિત્તકારણ છે. આ દષ્ટિએ જ ઈશ્વરને જગતનું ઉપાદાન અને નિમિત્તકારણ બંને ગણવામાં આવેલ છે.
ઈશ્વરની ઉપાધિભૂત માયામાં બે શક્તિઓ છે-આવરણશક્તિ અને વિક્ષેપશક્તિ.૧૮૨ આવરણશક્તિથી માયા પ્રથમ બ્રહ્મનું આવરણ કરે છે. પછી વિક્ષેપશક્તિથી માયા બ્રહ્મ ઉપર વિચત્ર જગતનો આરોપ કરે છે. જાદુગર ઠીકરીને સુવર્ણમુદ્રારૂપે પ્રેક્ષકો સમક્ષ
Page #54
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન પ્રસ્તુત કરે છે ત્યારે તે સૌપ્રથમ ઠીકરીના ખરા રૂપને તિરોહિત કરી દે છે અને પછી ઠીકરી ઉપર સુવર્ણમુદ્રાના રૂપનો આરોપ કરે છે. તેવી જ રીતે, ઈશ્વર માયા દ્વારા બ્રહ્મના ખરા રૂપને ઢાંકી દે છે અને પછી માયા દ્વારા બ્રહ્મ ઉપર જગતનો આરોપ કરે છે. આમ બ્રહ્મ જ પરમ સત્ છે. જગત તો આભાસમાત્ર છે.
પારમાર્થિક દૃષ્ટિએ જગત આભાસ છે, ભાતિ છે. પરંતુ આ ભ્રાન્તિ વૈયક્તિક નથી પણ વૈશ્વિક છે-બધાં જ સામાન્ય પ્રાણીઓને એકસરખી છે. એટલે એની જનક માયા પણ વૈયક્તિક નથી પણ વૈશ્વિક છે. આવી માયાનો ધારક એક ઈશ્વર છે. ઈશ્વર પોતાની ઉપાધિરૂપ કે શક્તિરૂપ માયાથી જગતરૂપી માયાજાળ રચે છે. માયા ઈશ્વરનું નિત્ય લક્ષણ નથી, તે તો તેની સ્વતન્ત ઈચ્છે છે જેને તે છોડી પણ શકે છે. જેઓ પરમજ્ઞાન પામ્યા છે અર્થાત્ જેઓ વ્યાવહારિક ભૂમિકાથી ઉપર ઊક્યા છે તેઓ ભ્રાનિરૂપ જગતથી છેતરાતા નથી અને માયાથી પ્રભાવિત થતા નથી, તેમને માટે માયા પણ નથી, ઈશ્વર પણ નથી અને જગત પણ નથી. તેમને માટે કેવળ શુદ્ધ નિર્ગુણ બ્રહ્યું છે.
નમત ૩૫પ' આ વેદાન્તસૂત્ર(૩.૨ ૩૮)ની વ્યાખ્યામાં શંકરે જીવોનાં કર્મોનું ફળ ઈશ્વર દ્વારા સંપાદિત થાય છે કે કર્મ દ્વારા એ પ્રશ્ન ઉઠાવી કહ્યું છે કે એ તો તકસિદ્ધ છે કે ઈશ્વર દ્વારા જ તે સંપાદિત થાય છે. એનું કારણ એ છે કે અભાવમાંથી ભાવની ઉત્પત્તિ સંભવતી નથી. કર્મ અનુક્ષણ વિનાશશીલ છે. કાલાન્તરભાવી ફળનું જનક બનવું એને માટે સંભવતું નથી. ઈશ્વર સકલ ચરાચરનો અધ્યક્ષ છે. જગતની સૃષ્ટિ, સ્થિતિ તથા પ્રલય ઈશ્વરથી થાય છે. ઈશ્વર કાલા છે, તેથી સમય આવ્યે તકર્મનો ફળભોગ જીવોને તે કરાવી દે છે. આમ ઈશ્વર જ કર્મજન્ય ધર્મ અને અધર્મના ફળનો દાતા છે.
આચાર્ય શંકર અનુસાર જીવની પ્રત્યેક પ્રવૃત્તિમાં ઈશ્વર પ્રયોજક ર્તા છે. તેથી જ્યારે જીવ કોઈ કર્મ કરે છે ત્યારે એ પ્રવૃત્તિ કરતા જીવને ઈશ્વર પ્રેરે છે.'
“વૈષળે સાક્ષત્નીત્ તથરિ તિ’ આ વેદાન્તસૂત્ર(૨૧.૩૪)ના ભાષ્યમાં આચાર્ય શંકરે ઉત્તરકાલીન ન્યાયદર્શનના અદસાપેક્ષ ઈશ્વરકારણતાવાદનું સમર્થન કર્યું છે. જીવોનાં કર્મોને લક્ષમાં લઈ ઈશ્વર જગતનું નિર્માણ કરે છે.
માયાજનિત સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર જેનાં ઘટકો છે ઇન્દ્રિયો, પ્રાણી અને અન્તઃકરણ)રૂપ ઉપાધિથી અવચ્છિન્ન શુદ્ધ નિર્ગુણ બ્રહ્મ જ જીવ કહેવાય છે. ઉપાધિ સાથે જીવનો સંયોગ અવિદ્યાજન્ય છે. જીવે પોતાને શરીર અને મન આદિથી અભિન્ન માનવો અને પોતાને બ્રહ્મ સાથેનો અભેદ ભૂલી જવો, પોતાનું બ્રહ્મસ્વરૂપ વીસરી જવું એ જ અવિધા છે. બ્રહ્મસાક્ષાત્કારરૂપ જ્ઞાનથી જ અવિદ્યાનો નાશ થાય છે. તેથી બ્રહ્મસ્વરૂપાવસ્યાનરૂપ મોક્ષ આ જ્ઞાનથી જ થાય છે, કર્મ-ભક્તિ તો માત્ર આ જ્ઞાનપ્રાપ્તિ માટે સહાયક કારણો છે. તેથી ઈશ્વરભક્તિનું સ્થાન ગૌણ છે.
.
Page #55
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૧૦૭. જીવ અને ઈશ્વરમાં સમાનરૂપે રહેનારું ચૈતન્ય બિંબસ્થાનીય છે. એનું જ પ્રતિબિંબ ભિન્નભિન્ન ઉપાધિઓમાં પડવાથી તે ચૈતન્ય ભિન્ન ભિન્ન નામ પામે છે. ચૈતન્યનું તે પ્રતિબિંબ જે માયારૂપ ઉપાધિમાં પડે છે તેને ઈશ્વરચૈતન્ય’ કહેવામાં આવે છે અને જે અનઃકરણરૂપ ઉપાધિમાં પડે છે તેને જીવચૈતન્ય કહેવામાં આવે છે. બીજા મત અનુસાર ઈશ્વરચેતન્ય જ બિંબસ્થાનીય છે અને તેનું પ્રતિબિંબ જીવ છે. ઈશ્વર અને જીવમાં સમાનપણે રહેનારું ચેતન્ય જ્યારે બિંબરૂપ ધારણ કરે છે ત્યારે તે ઈશ્વર કહેવાય છે અને આ બિંબરૂપ ઈશ્વરનાં પ્રતિબિંબોને જીવો કહેવાય છે. પંચદશીમાં માયોપાધિક બ્રહ્મને ઈશ્વર અને અવિઘોપાધિક બ્રહ્મને જીવ કહેવામાં આવેલ છે. પંચદશીમાં માયાના બે ભેદ કરવામાં આવેલ છે-મલિનસત્ત્વવિશિષ્ટ માયા અને શુદ્ધસત્ત્વવિશિષ્ટ માયા. મલિનસત્ત્વવિશિષ્ટ માયાને અવિદ્યા કહી છે જ્યારે શુદ્ધસત્ત્વવિશિષ્ટ માયાને માયા અથવા તો શુદ્ધસર્વવિશિષ્ટ અવિદ્યા કહી છે. મલિસજ્વવિશિષ્ટ માયામાં પ્રતિબિંબિત બ્રહ્મ જીવ છે જ્યારે શુદ્ધસત્ત્વવિશિષ્ટ માયામાં પ્રતિબિંબિત બ્રહ્મ ઈશ્વર છે. માયા અર્થાત્ શુદ્ધસત્ત્વવિશિષ્ટ માયા સમષ્ટિગત છે અને તેથી તેનો ધારક ઈશ્વર છે. અવિદ્યા અર્થાત્ મલિનસત્ત્વવિશિષ્ટ માયા વ્યષ્ટિગત છે અને તેથી તેનો ધારક જીવ છે. બિંબપ્રતિબિંબની ભાષામાં દોષ જણાવાથી કેટલાક આચાર્યોએ અવિચ્છેદની ભાષામાં ઈશ્વર અને જીવનો ભેદ કહ્યો છે.
માયા ઈશ્વરની શક્તિ છે. પરંતુ માયા ઈશ્વરનું નિત્ય સ્વરૂપ નથી. માયા તો ઈશ્વરની ઇચ્છામાત્ર છે, જેને ઈશ્વર છોડી પણ શકે છે. ઈશ્વરની માયાશક્તિ બ્રાના પરમાર્થ સાચાં પરિણામો પેદા કરતી નથી પરંતુ આભાસો (વિવર્સો) પેદા કરે છે, જેમની માત્ર વ્યાવહારિક સત્તા છે. ઈશ્વર સ્વયં પરમાર્થ સતું નથી પરંતુ વ્યાવહારિક સત્ છે. ઈશ્વરની શક્તિરૂપ માયા સત્ એ અર્થમાં નથી કે માયાજન્ય જગતની સાથે માયાનો પણ બાધ પારમાર્ષિક ભૂમિકાએ બ્રહ્મસાક્ષાત્કારરૂપ જ્ઞાનથી થાય છે, માયા સાથે ઈશ્વરનો પણ બાધ થાય છે. આ દર્શાવે છે કે માયાની અને ઈશ્વરની વ્યાવહારિક સત્તા છે, જગતની પણ વ્યાવહારિક સત્તા છે. માયા અસતુ એ અર્થમાં નથી કે માયાજન્ય જગતની જેમ માયાની પ્રતીતિ વ્યવહારકાલ પર્યત થયા કરે છે અને અબાધિત પણ રહે છે. ઈશ્વરની પ્રતીતિ પણ વ્યવહારકાલ પર્યંત જ થયા કરે છે અને અબાધિત રહે છે. આમ ઈશ્વર, માયા અને જગતની વ્યાવહારિક સત્તા છે. પરંતુ જે અર્થમાં જગતને અનાદિ કહેવામાં આવે છે તે અર્થમાં માયા પણ અનાદિ છે અને ઈશ્વર પણ. ઈશ્વર, માયા અને માયાજન્ય જગત આકાશકુસુમ, શશશૃંગ, ચાર બાજુવાળો ત્રિકોણ, વગેરેની જેમ તદ્દન અસતુ નથી, કારણકે ઈશ્વર, માયા, જગતની પ્રતીતિ થાય છે જ્યારે આકાશકુસુમ વગેરેની કદી પ્રતીતિ જ થતી નથી. વળી, ઈશ્વર, માયા અને જગતની સત્તા શુક્તિરજતની પ્રતિભાસિક સત્તાથી ઉચ્ચ કોટિની છે, કારણ કે ઈશ્વર, માયા અને જગતની સત્તા પ્રતીતિ ઉપર જ
Page #56
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન નિર્ભર નથી અને તેથી પ્રતિભાસકાલમાત્રસ્યાયી નથી પરંતુ પ્રતીતિ પૂર્વે અને પછી પણ તેનું અસ્તિત્વ છે જ્યારે મુક્તિરજતની સત્તા પ્રતીતિ પર જ નિર્ભર છે અને તેથી પ્રતિભાસકાલ માત્રસ્થાયી છે. જગતનું અસ્તિત્વ પ્રતીતિ (વિજ્ઞાન) પર જ નિર્ભર નથી પરંતુ પ્રતીતિ પૂર્વે અને પછી પણ તેનું અસ્તિત્વ છે તેનું અસ્તિત્વ પ્રતીતિથી સ્વતંત્ર છે,
આ હકીકતનો સ્વીકાર શંકર કરે છે જ્યારે વિજ્ઞાનવાદી બોદ્ધો કરતા નથી, એટલે શંકર વિજ્ઞાનવાદીના વિજ્ઞાનવાદનું ખંડન કરે છે. શંકરને મતે ઈશ્વર, માયા અને માયાજન્ય જગતની સત્તા પ્રાતિભાસિક નથી પરંતુ તેથી ઉચ્ચ કોટિની વ્યાવહારિક છે.
બ્રહ્મસ્વરૂપાવસ્થાનરૂપ મોક્ષ પ્રાપ્ત કરવા બ્રહ્મસાક્ષાત્કારરૂપ જ્ઞાન સાક્ષાત્ કારણ છે. પરંતુ આવું જ્ઞાન વિશુદ્ધ ચિત્તવાળા જીવને જ થાય છે. ચિત્તવિશુદ્ધિ માટે લિપ્સાહિત કર્મ અને ભક્તિ બંને અત્યંત આવશ્યક છે. ભક્તિ નિર્ગુણ-નિર્વિશેષ બ્રહ્મની સંભવે નહિ, સગુણ બ્રહ્મની જ સંભવે. તેથી સગુણ બ્રહ્મરૂ૫ ઈશ્વરની વ્યવહારની ભૂમિકાએ અત્યંત જરૂર છે. તેના વિના ઉપાસના-ભક્તિનો લોપ થઈ જાય અને જીવો ચિત્તશુદ્ધિના એક પરમ ઉપાયથી વંચિત થઈ જાય. માટે પરમ ઉપાસ્ય તરીકે, ભક્તિના પરમ વિષય તરીકે ઈશ્વરની પરમ આવશ્યક્તા કેવલાદૈતીઓને પણ માન્ય છે. કર્મ-ભક્તિ વિના ચિત્તશુદ્ધિ નથી, ચિત્તશુદ્ધિ વિના બ્રહ્મસાક્ષાત્કાર નથી અને બ્રહ્મસાક્ષાત્કાર વિના બ્રહ્મચરૂપ મોક્ષ નથી.
ઈશ્વર, જગત, જગતનો સર્ગ તથા પ્રલય-આ બધાંનો સંબંધ વિશેષે પુરાણો સાથે છે. ઉત્તરકાલીન ન્યાયોષિકોએ પુરાણકથિત વિચારોને આધારે જેવો ઈશ્વર સ્વીકાર્યો છે તેવો જ ઈશ્વર તેમને અનુસરી શંકરે પણ સ્વીકારી લીધો છે. તફાવત એટલો જ છે કે શંકર ઈશ્વરને (અને જગતને) પારમાર્થિક સત્તા બક્ષતા નથી, કેવળ વ્યાવહારિક સત્તા જ બક્ષે છે, જ્યારે ન્યાયશેષિકો તેની (અને જગતની) પારમાર્થિક સત્તા સ્વીકારે છે.
(૨) રામાનુજ અને ઈશ્વર રામાનુજ નિર્ગુણ બ્રહ્માનો સ્વીકાર જ કરતા નથી. નિર્ગુણ વસ્તુની કલ્પના જ સંભવતી નથી. બધાં જ તત્ત્વો કે પદાર્થો ગુણવિશિષ્ટ જ હોય છે. જ્યાં શ્રુતિમાં બ્રહ્મને નિર્ગુણ તરીકે વર્ણવ્યું હોય ત્યાં નિર્ગુણ શબ્દનો અર્થ હેય ગુણોથી રહિત સમજવાનો છે, અને નહિ કે સર્વ ગુણોથી રહિત.•
રામાનુજ અનુસાર ત્રણ તત્ત્વો છે-ચિત્ (જીવ), અચિત્ (જડ તત્ત્વ કે પ્રકૃતિ) અને ઈશ્વર. ચિત્ અને અચિત્ વસ્તુતઃ નિત્ય અને સ્વતંત્ર તત્ત્વ છે તથાપિ તે ઈશ્વરને અધીન થઈને રહે છે કારણ કે તે બંનેમાં અન્તર્યામી રૂપે ઈશ્વર વિદ્યમાન છે. તેથી ચિત્ અને અચિને ઈશ્વરનું શરીર ગણ્યું છે. જેમ જીવતા શરીરમાં આત્મા અંદરથી સમગ્ર શરીરનું નિયમન કરે છે તેમ ઈશ્વર ચિ-અચિત્ રૂપ તેના શરીરનું અંદરથી નિયમન કરે છે. જેમ શરીરના દોષોથી આત્મા અસ્પષ્ટ રહે છે તેમ ચિત-અચિત્ના દોષોથી ઈશ્વર
Page #57
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર અસ્પષ્ટ રહે છે. ઘણીવાર રામાનુજે ઈશ્વરને અંશી અને ચિત-અચિને તેના અંશો કહ્યા છે. પરંતુ અંશોના દોષોથી અંશી અસ્પષ્ટ કેવી રીતે રહી શકે ? એવો પ્રશ્ન રામાનુજને કરવામાં આવતાં તેમાં રહેલી મુશ્કેલીઓનો ખ્યાલ આવવાથી રામાનુજ કેટલીક વાર આ અંશ-અંશીના દાણાન્તને આપવાનું ટાળ્યું છે. આમ ચિત-અચિત નિત્ય તથા સ્વતન્ન પદાર્થ હોવા છતાં ઈશ્વરથી પૃથક તેમનું અસ્તિત્વ સિદ્ધ નથી. તેથી તેમના ઈશ્વર સાથેના સંબંધનું નામ ‘અમૃયસિદ્ધિ છે. પરમ તવ તો એક જ છે અને તે છે ચિ-અચિત્રૂપ શરીરવાળો ઈશ્વર. ઈશ્વર એક જ છે. તેના જેવો બીજો કોઈ ઈશ્વર નથી અને તેનાથી અતિરિક્ત કોઈ વસ્તુ યા તત્ત્વ નથી. તેથી તેની બાબતમાં સજાતીયથી તેનો ભેદ કે વિજાતીયથી તેનો ભેદ સંભવતો નથી. પરંતુ તેનામાં સ્વગત ભેદ છે, કારણ કે તેની અંદર સમાવિષ્ટ છે એકબીજાથી ભિન્ન એવા તેના બે અંશો ચિત્ અને અચિત્.
ઈશ્વરનો અચિત્ અંશ પ્રકૃતિ છે. પ્રકૃતિ ભૌતિક યા જડ પદાર્થોનું મૂળ ઉપાદાનકારણ છે. ઈશ્વર તેનો નિયામક છે, અન્તર્યામી છે. પ્રલય દરમ્યાન પ્રકૃતિ સૂક્ષ્મ અને અવિભક્ત રૂપમાં હોય છે. ઈશ્વર જીવોનાં પૂર્વ સર્ગમાં કરેલાં કર્મોને લક્ષમાં રાખીને સૂક્ષ્મ અને અવિભક્ત પ્રકૃતિમાંથી ચિત્રવિચિત્ર પદાર્થોવાળું જગત સરજે છે. આમ જગત ઈશ્વરપ્રેરિત ઈશ્વરભૂત સૂક્ષ્મ પ્રકૃતિનો વાસ્તવિક પરિણામ છે. પરંતુ વાસ્તવિક જગતના વાસ્તવિક પદાર્થોની સ્થિતિ ઈશ્વરથી પૃથફ નથી, કારણ કે જો જગતના પદાર્થોનું મૂળ કારણ પ્રકૃતિ, જે ઈશ્વરનો અચિત અંશ છે તે, ઈશ્વરથી પ્રથફ અસ્તિત્વ ધરાવતી ન હોય તો તે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા જગતના પદાર્થો કેવી રીતે ઈશ્વરથી પૃથફ અસ્તિત્વ ધરાવી શકે?
ચિત્ (જીવ) અને અચિત્ (જડ તત્ત્વયા પ્રકૃતિ) બંને નિત્ય પદાર્થ છે. તેથી સૃષ્ટિ અને પ્રલયનો અર્થ અનુક્રમે થશે ચૂળ રૂપ ધારણ કરવું તે અને સૂક્ષ્મરૂપ ધારણ કરવું તે. પ્રલયકાળ દરમ્યાન ચિત્ અને અચિત્ સૂક્ષ્મ રૂપમાં હોય છે. એટલે તે વખતે ઈશ્વર સૂક્ષ્મચિતઅચિવિશિષ્ટ હોય છે, જેને કારણાવસ્થ બ્રહ્મ કહે છે. સૃષ્ટિ દરમ્યાન ચિત્ અને અચિત સ્થૂળ રૂપમાં હોય છે. એટલે તે વખતે ઈશ્વર પૂલચિઅચિવિશિષ્ટ હોય છે, જેને “કાર્યાવસ્થ બ્રહ્મ કહે છે. આમ એવો કોઈ પણ કાળ નથી જ્યારે બ્રહ્મ ચિતઅચિવિશિષ્ટ ન હોય. બ્રહ્મ એક જ છે, બ્રહ્મનું અદ્વૈત છે, પરંતુ તે અદ્વૈત સદાતન ચિચિવિશિષ્ટ બ્રહ્મનું છે. માટે, આમતને વિશિષ્ટાદ્વૈત નામ મળ્યું છે. આ ચિતઅચિવિશિષ્ટ બ્રહ્મ જ ઈશ્વર છે.૧૪
રામાનુજ સ્વીકારે છે કે ઈશ્વર માયાનો ધારક (માયિન) છે. પરંતુ અહીં માયા શબ્દનો અર્થ છે વાસ્તવિક વિચિત્ર પદાર્થોને સર્જવાની ઈશ્વરની અગમ્ય શક્તિ, અથવા અચિત્ તત્ત્વ પ્રકૃતિ, અથવા તો આ પ્રકૃતિની અદ્ભુત સર્જનશક્તિ.૫
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ભારતીય તત્ત્વજ્ઞાન ઈશ્વર જગતનું ઉપાઠાનકારણ એ અર્થમાં છે કે તેના અંશભૂત અપૃથસિદ્ધ પ્રકૃતિ જગતનું ઉપાદાનકારણ છે; અને ઈશ્વર જ જગતનું નિમિત્તકારણ છે કારણ કે પ્રકૃતિનો અન્તર્યામી, નિયામક અને પ્રેરક ઈશ્વર છે. ઈશ્વરનું જગન્નિર્માણ માટેનું પ્રયોજન કેવળ લીલા છે, અન્ય કંઈ જ નહિ. બાળક જેવી રીતે રમકડાંથી રમે છે, લીલા કરે છે તેવી જ રીતે તે લીલાધામ ઈશ્વર જગતને ઉત્પન્ન કરી રમે છે, લીલા કરે છે. સંહારદશામાં લીલાની વિરતિ થતી નથી, કારણ કે સંહાર પણ ઈશ્વરની લીલા જ છે.૧૬૧
જીવનું નિયમન ઈશ્વર વડે થાય છે. જીવમાં શેષત્વ ગુણ છે, અર્થાત્ જીવ પોતાના સર્વ કાર્યો માટે ઈશ્વર ઉપર સંપૂર્ણપણે સર્વતોભાવે અવલંબિત છે. ઈશ્વરાનુગ્રહ વિના જીવ પોતાનાં કર્તવ્યોનું સંપાદન કરી શકતો નથી. જીવો અનન્ત છે અને એકબીજાથી પૃથફ છે છતાં તે બધા ઈશ્વરથી અપ્રસિદ્ધ છે.
ઈશ્વરના અંગભૂત જીવોનો સૂક્ષ્મભાવ સ્થૂળભાવ થાય છે. જીવોનું સૂક્ષ્મભાવે અવસ્થાન પ્રલય છે અને તેમનું સ્થૂળભાવે પરિણમન સૃષ્ટિ છે.
જીવ ઈશ્વરથી સર્વથા અભિન્ન નથી. જીવ દુઃખત્રયથી પીડિત છે, અજ્ઞ યા અલ્પજ્ઞ છે, અનન્ત છે જ્યારે ઈશ્વર સંપૂર્ણાનન્દ છે, સર્વજ્ઞ છે, એક છે. તેને ઈશ્વરથી સર્વથા અભિત્ર કેવી રીતે ગણાય? ઈશ્વર અખંડ છે તો જીવને ઈશ્વરનો અંશ (ખંડ) ગણવો જ્યાં સુધી ઉચિત ગણી શકાય? આ પ્રશ્નના ઉત્તરમાં રામાનુજ જણાવે છે કે જેમ ચિનગારી અગ્નિનો અંશ છે, શરીર શરીરીનો અંશ છે તેમ જ જીવ ઈશ્વરનો અંશ છે. અભેદ જણાવતાં શ્રુતિવાક્યોનું તાત્પર્ય એટલું જ છે કે જીવ ઈશ્વરવ્યાપ્ય છે અને ઈશ્વરનું શરીર છે. આમ જીવ-ઈશ્વરમાં અંશાંશીભાવ યા વિશેષણ-વિશેષ્યભાવ સંબંધ છે. જીવ વિશેષણ છે, ઈશ્વર વિશેષ્ય છે. જીવ-ઈશ્વરમાં સર્વથા અભેદનો નિષેધ કરવા છતાં રામાનુજ અમુક દષ્ટિએ તેમનો અભેદ સ્વીકારે છે. ઈશ્વર પ્રત્યેક જીવમાં વ્યાપ્ત છે, અને અંદરથી તેનું નિયમન કરતો તે તેનો અન્તર્યામી છે. આ દષ્ટિએ જીવ-ઈશ્વરનો અભેદ માની શકાય. જેવી રીતે અંશનું અસ્તિત્વ અંશી ઉપર નિર્ભર છે અને ગુણનું દ્રવ્ય ઉપર, તેવી જ રીતે જીવનું અસ્તિત્વ ઈશ્વર ઉપર નિર્ભર છે, કારણ કે જીવ છે અંશ અને ઈશ્વર છે અંશી, જીવ છે નિયમ્ય અને ઈશ્વર છે નિયામક, જીવ છે આધેય અને ઈશ્વર છે આધાર, જીવ છે વિશેષણ અને ઈશ્વર છે વિશેષ્ય. આ દષ્ટિએ જીવ-ઈશ્વરનો અભેદ માની શકાય. પરિસ્થિતિ આવી હોઈ અર્થાત્ જીવ ઈશ્વર ઉપર આશ્રિત અને નિર્ભર હોઈ, ઈશ્વરના શરણે ગયા વિના જીવનો ઉદ્ધાર નથી, તેનું કલ્યાણ નથી. ઈશ્વર અશેષ ગુણોનો ભંડાર છે, દયાનો સાગર છે. તે જીવની દીન દશાથી દ્રવિત થાય છે. જીવ-ઈશ્વરનો આવો સંબંધ નિર્ણત થતાં સ્પષ્ટ થાય છે કે રામાનુજ અનુસાર પ્રપત્તિ (શરણાગતિ) જ જીવની આધ્યાત્મિક ઉન્નતિનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જ્ઞાન અને કર્મથી ચિત્ત (અન્તઃકરણ) વિશુદ્ધ થાય છે. વિશુદ્ધ અન્તઃકરણવાળો જીવ જ ઐકાન્તિક અને આત્યંતિક ભક્તિ
Page #59
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૧૧૧
(જેનું પરમ રૂપ પ્રપત્તિ અર્થાત્ શરણાગતિ છે) દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરે છે. આરાય એ છે કે ભક્તિયોગથી ઈશ્વર પ્રાપ્ત થાય છે, પરંતુ એ ભક્તિ માટે જરૂરી છે વિશુદ્ધ ચિત્ત અને ચિત્તવિશુદ્ધિ વિશુદ્ધ જ્ઞાન તથા કર્મ દ્વારા સાધ્ય છે. તેથી ઈશ્વરભક્તિ માટે જ્ઞાન અને કર્મનો સહકાર જરૂરી છે. ભક્ત પ્રતિ ઈશ્વરની અનુગ્રહશક્તિનો ઉદય ભક્તોની દીનદશાના નિરીક્ષણમાત્રથી આપોઆપ જ થાય છે. પ્રપત્તિ અને ઈશ્વરાનુગ્રહથી જીવનો મોક્ષ થાય છે. મોક્ષમાં તે ઈશ્વરસદશ બની જાય છે અને ઈશ્વરસાયુજ્ય પામે છે.૧૯૯ મુક્ત જીવ સર્વજ્ઞ અને સત્યસંકલ્પ હોય છે પરંતુ સર્વકર્તૃત્વ ગુણ ધરાવતો નથી.” વૈકુંઠમાં ઈશ્વરના કિંકર બની રહેવું એ જ પરમ મુક્તિ છે.
ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે તથા જગતની રક્ષા કરવા માટે ઈશ્વર પાંચ રૂપો ધારણ કરે છે-અર્ચા, વિભવ, વ્યૂહ, સૂક્ષ્મ અને અન્તર્યામી. પ્રતિમા વગેરે ઈશ્વરનું અર્ચારૂપ છે. રામ આદિ અવતાર ઈશ્વરનું વિભવરૂપ છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન તથા અનિરુદ્ધ આ ચાર ઈશ્વરનું વ્યૂહરૂપ છે. અપહતપાપ્યતા, વિજરતા, મૃત્યુરાહિત્ય, વિશોતા, અપિપાસિતા તથા સત્યકામતા આ છ ગુણોથી યુક્ત વાસુદેવ જ ઈશ્વરનું સૂક્ષ્મરૂપ છે. સકલ જીવોના નિયામક હોવું એ જ ઈશ્વરનું અન્તર્યામીરૂપ છે. ઈશ્વરના પાંચ રૂપોની આ કલ્પના રામાનુજે પ્રાચીન ભાગવત સંપ્રદાય યા સાત્વત મતમાંથી ગ્રહણ કરી છે.
*
ઈશ્વરને બ્રહ્મ અને પુરુષોત્તમ કહેવામાં આવે છે. જે બૃહત્વ ધરાવે છે તે બ્રહ્મ. બૃહત્વ એટલે સ્વરૂપમાં અને ગુણમાં અનધિક અતિશયવાળા હોવું તે. આવા અતિશયવાળો ઈશ્વર (સર્વેશ્વર) છે. તેથી તે બ્રહ્મ છે. તે અસંખ્ય માંગલિક ગુણોનું નિધાન છે.' તે જગતનું ઉપાદાન તથા નિમિત્તકારણ છે. તે જગતનો કર્તા છે પરંતુ જીવકર્મસાપેક્ષ કર્તા છે-જીવોનાં કર્મોને લક્ષમાં રાખી ઈશ્વર જગતનું નિર્માણ કરે છે.
રામાનુજની ઈશ્વર વિશેની માન્યતા મહદંશે ભાગવત, વૈષ્ણવ પુરાણોની ધાર્મિકતાથી અત્યન્ત પ્રભાવિત છે.
પ્રપત્તિ અને ઈશ્વરાનુગ્રહ આગળ કર્મસિદ્ધાન્તનું બળ અત્યન્ત ક્ષીણ બને છે. વળી, જીવનો નિયન્તા, અન્તર્યામી પ્રેરક ઈશ્વર છે. જીવોને કર્મો કરવા ઈશ્વર પ્રેરે છે. તો પછી ફર્મો માટે જીવને જવાબદાર કેવી રીતે ગણી શકાય અને કર્મોનાં ફળ જીવ શા માટે ભોગવે ? જેમ શરીરસ્થ આત્મા શરીરને ફર્મો કરવા પ્રેરે છે તેવી જ રીતે ઈશ્વર પોતાના રારીરભૂત જીવને કર્મોમાં પ્રેરે છે. એટલે જેમ રારીરકૃત કર્મનો ખરો કર્તા આત્મા જ ગણાય છે તેમ શરીરભૂત જીવે કરેલા કર્મનો ખરો કર્તા ઈશ્વર ન ગણાય ? અને જેમ આત્મા કર્મનું ફળ ભોગવે છે તેમ ઈશ્વરે કર્મનું ફળ ન ભોગવવું પડે ? આ આપત્તિમાંથી ઉગરવાનો એક માત્ર ઉપાય એ છે કે કર્મસિદ્ધાન્તને તદ્દન ખોટો ગણી તેનો ત્યાગ કરવો અને તેના સ્થાને ઈશ્વરેચ્છાને જ સ્થાપવી. જે ફળ જીવને મળે છે તેનું કારણ તેણે કરેલું
•
Page #60
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ભારતીય તત્ત્વજ્ઞાન કર્મ છે જ નહિ, તેનું કારણ તો ઈશ્વરેચ્છા છે, એમ સ્વીકારવું. ઈશ્વર અમુક જીવોને દુઃખ ઇચ્છે છે તેનું કારણ શું? બે ઉત્તર આપી શકાય-એક તો તેનું કારણ અગમ્ય છે અને બીજો એ કે જીવોના પરિપાક માટે તેમના જ હિતાર્થે દુઃખમાં તપવું જરૂરી હોઈ ઈશ્વર તેમનું દુઃખ ઇચ્છે છે. ઈશ્વર બધા જ જીવોનું કલ્યાણ જ ઇચ્છે છે પણ કલ્યાણ કરવા માટે તે જુદા જુદા ઉપાયો યોજે છે, ઇચ્છે છે.
(૩) મધ્ય અને ઈશ્વર માધ્ધ મત અતિવાદી નથી. પોતાના પુસ્તક “ભારતીય તત્ત્વવિદ્યામાં પંડિત સુખલાલજી લખે છે : “એનું (મધ્વનું) તત્ત્વજ્ઞાન જોતાં તો એમ જ લાગે છે કે તેના ઉપર મુખ્યપણે પ્રભાવ ન્યાયસેષિક તત્ત્વજ્ઞાનનો છે...મધ્વપરંપરા ઈશ્વરને સૃષ્ટિના કર્તા, સંહર્તા તરીકે વર્ણવે છે અને પ્રાણીઓના ધમધર્મને અનુસરી સૃષ્ટિ નિર્માણ કરે છે એમ પણ કહે છે. આ રીતે જોતાં, જેમ ચાયવશેષિક પરંપરા ઈશ્વરને પ્રાણિકર્મસાપેક્ષા કર્તા માને છે, તેમ મધ્યપરંપરા પણ માને છે.''૧૦૩
પંડિતજીએ ઈશ્વરવિષયક માધ્વ મતનું ન્યાયશેષિક (ઉત્તરકાલીન) મત સાથે સામ્ય દર્શાવ્યું, તે સાચું છે. હવે માધ્વ ઈશ્વરવાદની વિશેષતાઓ પ્રતિ ધ્યાન આપીએ.
મધ્ય અનુસાર વીસ દ્રવ્યો છે. તે વિસમાં પરમાત્મા (ઈશ્વર), જીવ અને પ્રકૃતિ એ ત્રણ દ્રવ્યોને ગણાવવામાં આવ્યાં છે. તે ત્રણ દ્રવ્યો એકબીજાથી ભિન્ન અને પૃથફ છે. નિર્ગુણ બ્રહ્મનો સ્વીકાર નથી. બ્રહ્મ સગુણ જ છે. તે ઈશ્વર છે, પરમાત્મા છે. તે વિષ્ણુ છે. તે નિત્યમુક્ત અને એક છે. તે અનન્ત કલ્યાણગુણોથી પરિપૂર્ણ છે. તેનામાં રહેલા કલ્યાણગુણોમાંનો પ્રત્યેક કલ્યાણગુણ નિરવધિક અને નિરતિશય છે. તે ઉત્પત્તિ, સ્થિતિ, સંહાર, નિયમન, જ્ઞાન, આવરણ, બંધ અને મોક્ષ આ આઠનો કર્તા છે. તે જીવ અને પ્રકૃતિથી વિલક્ષણ છે. જ્ઞાન, આનન્દ આદિ કલ્યાણગુણો જ તેનું શરીર છે. તે સર્વસ્વતન્ત્ર છે. તે એક હોવા છતાં અનેક અવતાર લે છે. તેના બધા અવતારો પરિપૂર્ણ છે." સ્વરૂપ, કરચરણ આદિ અવયવો તેમ જ જ્ઞાન, આનન્દ આદિ કલ્યાણગુણોની દષ્ટિએ મત્સ્ય આદિ તેના અવતારો તેનાથી અત્યન્ત અભિન્ન છે. તેનામાં અઘટિતઘટનાપટીયસી અચિન્ત શક્તિ છે. તેના વડે તે વિચિત્ર કાર્યોનું સંપાદન કરે છે. તેનાથી ગુણમાં કંઈક ન્યૂન, નિત્યમુક્તા, દિવ્યશરીરધારિણી લક્ષ્મી તેની ભાર્યા તેનાથી ભિન્ન અને તેને અધીન છે. જીવો અનેક છે. ઈશ્વર જીવથી ભિન્ન અને પૃથક હોવા છતાં તે જીવનો નિયામક છે. જીવના બંધ-મોક્ષનો કર્તા છે. ઈશ્વરના નૈસર્ગિક અનુગ્રહ વિના પરત– જીવ સાધારણ કાર્યોનું સંપાદન પણ કરી શક્તો નથી, તો મુક્તિના સંપાદનની તો વાત જ ક્યાં રહી? ભક્તિ મોક્ષનું સાધન છે. ધ્યાન પણ ભક્તિનું જ રૂપ છે, કારણ કે ઈતર વિષયોના તિરસ્કારપૂર્વક ઈશ્વરવિષયક અખંડ સ્મૃતિ પોતે જ ધ્યાન છે. ભક્તિના ઉદય પછી પરમ ઈશ્વરાનુગ્રહનો ઉદય થાય છે અને ઈશ્વરાનુગ્રહથી મોક્ષ થાય છે. મોક્ષમાં જીવો
Page #61
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૧૧૩ ઈશ્વર વિષ્ણુને પામી તેના દેહને સંમિત રહેવા છતાં આનન્દ આદિ ગુણોની અનુભૂતિ તરતમભાવે કરે છે. મુક્ત જીવો ઈશ્વર સાથે પરમ સામ્ય પામવા છતાં ઈશ્વર સાથે એક બની જતા નથી. “મોક્ષમાં જીવ સાયુજ્ય પામે છે અર્થાત્ ઈશ્વરમાં પ્રવેશ કરી ઈશ્વરશરીર વડે આનન્દભોગ કરે છે.“પ્રકૃતિ સર્વ જડ પદાર્થોનું (જગતનું) મૂળ ઉપાદાનકારણ છે. ઈશ્વર જગતનું નિમિત્તકારણ છે. જીવોનાં પૂર્વકૃત કર્મોને ધ્યાનમાં રાખી ઈશ્વર પ્રકૃતિમાંથી જગતનું સર્જન કરે છે. જગતનાં સર્જન-સંહાર ઈશ્વરની લીલા છે.૧૦
માધ્ધ ઈશ્વરવાદની સમીક્ષામાં બે શબ્દો કહેવા જરૂરી છે. જીવ અત્યન્ત ઈશ્વરપરસન્ન છે. ઈશ્વર જીવનો નિયામક છે. જીવને સર્વ કર્મોમાં તે જ પ્રેરે છે. એટલે જીવોનાં સર્વ કર્મોનો કર્તા તે જ ઠરે છે. તેના અનુગ્રહ વિના કોઈ પણ કાર્યનું સંપાદન જીવ કરી શકતો નથી. જીવના બધ-મોક્ષનો ક્ત પણ તે જ છે. આમ ઈશ્વરેચ્છા જ સર્વોપરિ છે. તેનું જ એકચક્રી શાસન છે. ઈશ્વરની ઇચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી.’ ઈશ્વરની ઇચ્છા વિના જીવ ઈશ્વરની ભક્તિ-ઉપાસના પણ કરી શકે નહિ. ઈશ્વરે પોતે કોના ઉપર અનુગ્રહ કરવો તે પણ ઈશ્વરેચ્છાને જ અધીન છે, આવા ઈશ્વરવાદ આગળ કર્મફલનો કાર્યકારણભાવ (કર્મસિદ્ધાન્ત) અત્યન્ત નિવય અને તદ્દન નિરર્થક બની જાય છે. ફળનું કારણ કર્મ નથી પણ ઈશ્વરેચ્છા જ છે. આવો ઈશ્વરવાદ માનનારે બિલકુલ ખટકો રાખ્યા વિના કહી દેવું જોઈએ કે ઈશ્વર જીવકર્મનિરપેક્ષ જ જગન્નિર્માણ કરે છે. નિષ્ણુરતા વગેરે દોષોને ઈશ્વરમાં આવતાં અટકાવવા ઈશ્વરનું જીવકર્મસાપેક્ષ જગત્કર્તત્વ માનવાનો વિચાર ઈશ્વરની જે પ્રકારની સર્વોપરિતા આ ઈશ્વરવાદ સ્વીકારે છે તેની સાથે તદ્દન અસંગત અને વિરોધી છે. જીવગત સ્વતંત્ર ઇચ્છાશક્તિ (freedom of choice), સ્વપુરુષાર્થ (efforts), સ્વસુધારણા (self-reform, self-development), નૈતિક જવાબદારી (moral responsibility) જેવી કોઈ પણ વસ્તુનું સ્થાન આ ઈશ્વરવાદમાં સંભવે જ નહિ. તેમનું પણ સ્થાન છે એમ માનવું અજ્ઞાનતા છે. દાર્શનિક વૈચારિક્તા ઉપર પૌરાણિક ધાર્મિકતાના પ્રબળ પ્રભાવનું ઘોતક આ બધું છે.
(૪) નિર્ક અને ઈશ્વર નિમ્બાર્ક રામાનુજની જેમ ત્રિત્વવાદી છે. તે પણ બ્રહ્મ (ઈશ્વર), ચિત્ અને અચિત ત્રણ તત્ત્વો માને છે. તેમની વચ્ચે તે ભેઠાભેદનો સંબંધ માને છે. તેમની વચ્ચે સર્વથા તાદાભ્ય (અભેદ) નથી, કારણ કે એવો સંબંધ માનવાથી તેમના સ્વભાવ અને ગુણોના ભેદનો ખુલાસો કરવો અશક્ય બની જાય. વળી, તેમની વચ્ચે સર્વથા ભેદ માનીએ તો ઈશ્વરને જીવ(ચિત) અને જડ જગત(અચિત)થી તદ્દન ભિન્ન માનવો પડે અને પરિણામે ઈશ્વરનું આનન્ય જોખમાય. એટલે તેમની વચ્ચે અમુક દષ્ટિએ ભેદ અને અમુક દષ્ટિએ અભેદ એમ ભેદભેદનો સંબંધ છે. ભેદનો અર્થ એ છે કે જીવ અને જડની પૃથક સત્તા તો છે પરંતુ તે ઈશ્વરને અધીન છે, અર્થાતુ પરત~ સત્તાભાવ છે. અભેદનો અર્થ એ છે કે
Page #62
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન
૧૧૪ .
તે બંનેની ઈશ્વરથી સ્વતંત્ર સત્તા નથી, અર્થાત્ ‘સ્વતન્ત્રસત્તાઽભાવ’ છે. આમ ‘ભેદ’ અને ‘અભેદ’ અર્થાત્ ‘દ્વૈત’ અને ‘અદ્વૈત’ બંને સાચા છે.
''
નિમ્બાર્ક અનુસાર બ્રહ્મ સગુણ જ છે. અને તે જ ઈશ્વર છે. પંડિત સુખલાલજી તેમના પુસ્તક ‘ભારતીય તત્ત્વવિદ્યા’માં લખે છે ઃ ‘‘નિમ્બાર્કે પણ બ્રહ્મતત્ત્વની ઈશ્વરરૂપે સ્થાપના કરી તેને જ વિષ્ણુ કહેલ છે. એ પણ પારમાર્થિક ભેદાભેદ યા દ્વૈતાદ્વૈતવાદી છે, એને મતે પણ પરમ બ્રહ્મ વિષ્ણુ જ વાસ્તવિક ચરાચર જગતનું ઉપાદાન અને નિમિત્તકારણ છે. એ પણ પોતાની સ્થાપનામાં મુખ્યપણે આગમપ્રમાણનો આધાર લે છે. અને પ્રાણિકર્મસાપેક્ષ જ સૃષ્ટિ સ્વીકારે છે.’’૧૨ આ દર્શાવે છે કે જીવ અને જગત બંને ઈશ્વરનો પરિણામ છે અને તેથી તે બંને ઈશ્વરથી ભિન્નાભિન્ન છે.
ઈશ્વર સર્વ હેય ગુણોથી રહિત છે (‘નિર્ગુણ’ પઠનો આ અર્થ છે). તે સર્વ કલ્યાણગુણોનો ભંડાર છે. આ ગુણો અનન્ત છે. પ્રત્યેક ગુણ નિરતિશય અને અનન્ત છે. નિમ્બાર્ક આ ગુણોને બે શ્રેણીમાં વિભક્ત કરે છે. એક શ્રેણીમાં સર્વજ્ઞત્વ, સર્વરાક્તિમત્ત્વ, જગન્નિર્માતૃત્વ, કર્મક્લઠાતૃત્વ, મોક્ષદાતૃત્વ, સર્વવ્યાપિત્ત, નિયંતૃત્વ, કઠોરત્વ, વગેરે ગુણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગુણો જગતનાં સર્જન, સ્થિતિ, સંહાર, નિયમન માટે જરૂરી છે. બીજી શ્રેણીમાં સૌન્દર્ય, આનન્દ, કરુણા, કોમલતા, વગેરે ગુણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગુણો ભક્તોને માટે પ્રીતિ અને આનન્દનો આકર છે.
જીવો અનન્ત છે, જીવ નિયમ્ય છે, ઈશ્વર નિયન્તા છે. જીવ સદા ઈશ્વરને અધીન છે, મુક્તદશામાં પણ તે ઈશ્વરને અધીન જ હોય છે. ઈશ્વર જીવ સાથે જેવો ઇચ્છે તેવો વ્યવહાર કરી શકે છે. જીવ પોતાનાં સર્વકાર્યો માટે ઈશ્વરાધીન છે – ત્યાં સુધી કે જીવનું કર્મકર્તૃત્વ પણ જીવની પોતાની જ ઇચ્છાને અધીન નથી. નિયન્તા ઈશ્વર પોતાની જ ઇચ્છા અનુસાર જીવમાં કર્તૃત્વ ઉત્પન્ન કરે છે. એટલે જ શ્રુતિ કહે છે કે ઈશ્વર મનુષ્યોનાં હૃદયમાં પ્રવેશી એમનું શાસન કરે છે. વિમૂઢ જીવ જ પોતાને કર્તા માને છે. જીવ પોતાનાં જ્ઞાન અને ભોગની પ્રાપ્તિ માટે પણ ઈશ્વરાશ્રિત છે. જીવ ઈશ્વરનો અંશ છે. અંશનો અર્થ અવયવ યા ભાગ નથી પરંતુ શક્તિ છે.'' ઈશ્વર સર્વશક્તિમાન છે અને જીવ તેની એક રાક્તિ છે. ઈશ્વરની કૃપાથી જ જીવને સાચા સ્વરૂપનું જ્ઞાન થાય છે.' મુક્તિનો ઉપાય શરણાગતિ (પ્રપત્તિ) છે. પ્રપન્ન થતાં જ જીવ ઉપર ઈશ્વરનો અનુગ્રહ થાય છે. અનુગ્રહ થતાં જ ઈશ્વર પ્રતિ રાગાત્મિકા ભક્તિ ઉદય પામે છે. આ પ્રેમા ભક્તિનું ફળ છે ઈશ્વરનો સાક્ષાત્કાર. મોક્ષમાં ઈશ્વર સાથે મળી જીવ એકાકાર બનવા છતાં પોતાનું અલગ વ્યક્તિત્વ જાળવી રાખે છે,' ઈશ્વર અને જીવ વચ્ચે ભેઠાભેઠ સંબંધ સ્વાભાવિક છે અને બદ્ધ તેમ જ મુક્ત બંને જીવદશાઓમાં આ સંબંધ નિયત છે. ૧૭
Page #63
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૧૧૫ જે દર્શનો ઈશ્વરને નિત્યમુક્ત માને છે તે બધાં એકમાત્ર ઈશ્વરને જ નિત્યમુક્ત માને છે, જ્યારે નિમ્બર્કદર્શન ઈશ્વર ઉપરાંત કેટલાંક જીવોને પણ નિત્યમુક્ત માને છે, જેમકે ઈશ્વર વિષ્ણુના પાર્ષદ વિશ્વસેન તથા ગરુડ વગેરે. આ નિત્યમુક્ત જીવો સદા ઈશ્વર વિષ્ણુના દર્શનમાં લીન અને ભજનાનન્દમાં મસ્ત રહે છે.૧૮
આ ઈશ્વરવાદની સમીક્ષામાં એટલું જ કહેવાનું કે રામાનુજ અને મધ્વના ઈશ્વરવાદની સમીક્ષામાં જે કંઈ કહ્યું છે તે અહીં પણ લાગુ પડે છે.
(૫) ભાસ્કર અને ઈશ્વર બ્રહ્મ પરિણામી છે, તે સગુણ જ છે. તે ઈશ્વર છે. ઈશ્વરમાં વિવિધ શક્તિઓ છે. પોતામાંથી જ એક શક્તિ વડે ભોગ્ય જગતનું નિર્માણ કરે છે તો બીજી શક્તિથી ભોક્તા જીવોનું સર્જન કરે છે. ઈશ્વર જ ભ્રષ્ટા, પાલયિતા અને સંહારક છે. આમ ઈશ્વર જ સૃષ્ટિનું ઉપાદાન અને નિમિત્તકારણ છે. સૃષ્ટિનિર્માણમાં જીવોનાં કર્મોને ઈશ્વર લક્ષમાં લે છે. જીવ અને જગત ઈશ્વરથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે, કારણ કે જીવ અને જગત ઈશ્વરનો જ પરિણામ છે. ઈશ્વરના પરિણામ ભૂત જીવ અને જગત બંને સત્ છે. ૧૯
(૬) વાભ અને ઈશ્વર વલ્લભ અનુસાર બહ્મ જ ઈશ્વર છે. તે સદા સર્વધર્મવિશિષ્ટ છે. તેનામાં વિરુદ્ધ ધર્મો પણ નિત્ય રહે છે. તેનો મહિમા અપરંપાર છે. તે અણુ પણ છે અને મહાન પણ છે. તે એક પણ છે અને અનેક પણ છે. .
વલ્લભને મતે જીવ અને જગત બંને ઈશ્વરનો જ પરિણામ છે. ઈશ્વરનું કારણરૂપ અને કાર્યરૂપ બંનેમાં કોઈ ભેદ નથી. બંને શુદ્ધ જ છે, માયાનો સંપર્ક જરા પણ નથી. શુદ્ધ કારણરૂપ અને શુદ્ધ કાર્યરૂપનું અદ્વૈત માન્ય હોઈ આ વાદ શુદ્ધાદ્વૈતવાદ કહેવાય છે. ઈશ્વરમાંથી જ ઈશ્વરની લીલાવશે જીવ અને જગતરૂપ પરિણામો ઊપજવા છતાં ઈશ્વર પોતે અવિકૃત અને શુદ્ધ જ રહે છે. સુવર્ણમાંથી કટક, કુંડળ આદિ પરિણામો થવા છતાં સુવર્ણ અવિકૃત અને શુદ્ધ જ રહે છે. તેથી વલ્લભના આ પરિણામવાદને અવિકૃત પરિણામવાદ કહેવામાં આવે છે. વલ્લભ ઉત્પત્તિ અને વિનાશને બદલે આવિર્ભાવ અને તિરોભાવની ભાષા જ પસંદ કરે છે. આવિર્ભાવ એટલે અનુભવયોગ્ય હોવું અને તિરોભાવ એટલે અનુભવયોગ્યન હોવું. જીવ-જગત બંનેનું ઉષાદાનકારણ ઈશ્વર છે એમ કહેવાને બદલે તે બંનેનું સમવાધિકારણ ઈશ્વર છે એમ વલ્લભ કહે છે. ઈશ્વરને સમવાધિકારણ કેમ ગયું? તેનું કારણ એ છે કે ઈશ્વર તે બંનેમાં સમ્યફપણે અનુવૃત્ત છે.
ઈશ્વરમાં સત, ચિત અને આનંદ એ ત્રણ અંશો છે. ઈશ્વરને જ્યારે ક્રીડા કરવાની ઇચ્છા થાય છે ત્યારે તે પોતાના આનન્દ આદિ ગુણોના અંશોને તિરોહિત કરી સ્વયં જીવરૂપ ગ્રહણ કરી લે છે. આમાં કીડાની ઇચ્છા જ પ્રધાન કારણ છે. માયાનો સંબંધ
Page #64
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ભારતીય તત્ત્વજ્ઞાન અહીં જરા પણ નથી. ઐશ્વર્યના તિરોધાનથી જીવમાં દીનતા ઉત્પન્ન થાય છે, યશના તિરોધાનથી હીનતા, શ્રીના તિરોધાનથી વિપત્તિપાત્રતા, કાાનના તિરોધાનથી દેહાદિમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન થાય છે, તથા આનન્દના તિરોધાનથી દુખ પ્રાપ્ત થાય છે. ૨૪ ઈશ્વરથી જીવનો આવિર્ભાવ અગ્નિચિનગારીવત્ છે. આ ઉત્પત્તિ નથી. તેથી જીવની નિત્યતાનો હ્રાસ થતો નથી. ઈશ્વરના પોતાના અવિકૃત સત્ અંશમાંથી જડ જગતનો આવિર્ભાવ થાય છે અને અવિકૃત ચિ-અંશમાંથી જીવનો આવિર્ભાવ થાય છે. જડના આવિર્ભાવકાળે ચિ-અંશ અને આનન્દ-અંશ બંનેનું તિરોધાન હોય છે, પરંતુ જીવના આવિર્ભાવકાળે કેવળ આનન્દ-અંશનો તિરોભાવ હોય છે. ૫
ઈશ્વરના અવતારો એ ભૂતલ ઉપર ઈશ્વરના આવિર્ભાવો છે. જીવને સાધનનિરપેક્ષ મુક્તિ દેવા માટે જ ઈશ્વર અવતારો લે છે. સચ્ચિદાનન્દની પ્રાપ્તિ જીવને ભક્તિ દ્વારા જ થાય છે. ઈશ્વરાનુગ્રહને પુષ્ટિ કહેવામાં આવે છે. ઈશ્વરાનુગ્રહને જ આ માર્ગમાં મુક્તિનું પ્રધાન કારણ માનવામાં આવતું હોઈ આ માર્ગને “પુષ્ટિમાર્ગ” કહેવામાં આવે છે. ૨૯ અન્યથાભાવ છોડી આનન્દરૂપમાં સ્થિર થવું એ જ મુક્તિ છે. • પ્રપતિ (શરણાગતિ)થી ભક્તિનો ઉદય, ભક્તિથી ઈશ્વરાનુગ્રહપ્રાપ્તિ (પુષ્ટિ) અને ઈશ્વરનુગ્રહથી સ્વરૂપાપત્તિરૂપ મોક્ષ થાય છે.
પોતાના પુસ્તક “ભારતીય તત્ત્વવિદ્યામાં પંડિત સુખલાલજી લખે છે : વલ્લભાચાર્ય શુદ્ધાદ્વૈતવાદી હોઈ બ્રહ્મને (ઈશ્વરને) વિશ્વરૂપ અને વિશ્વને બ્રહ્મસ્વરૂપ કહે અને વિશ્વનું પારમાર્થિકત્વ સ્થાપે એટલું જ. એમણે વળી બ્રહ્મરૂપ ઈશ્વરને જગતનું કારણ કહેતી વખતે બીજા પૂર્વવર્તી આચાર્યો કરતાં પરિભાષા જુદી વાપરી છે. તે કહે છે કે ઈશ્વર (બ્રહ્મ) એ વિશ્વનું ઉપાઠાનકારણ નહિ પણ સમવાયિકારણ છે. અને એમણે સમાયિકારણની વ્યાખ્યા પણ કંઈક અંશે ન્યાયવૈશેષિકની વ્યાખ્યા કરતાં જુદી કરી છે. બ્રહ્મ(ઈશ્વર)ને જ મુખ્યપણે આગમ પ્રમાણથી એ સ્થાપે છે, અને સૃષ્ટિને પણ પ્રાણિકર્મસાપેક્ષ સ્વીકારે છે, છતાં ઈશ્વરની ઇચ્છા યા લીલાનું પૂર્ણ સ્વાતંત્ર્ય સાચવે છે.''
અહીં પ્રશ્ન એટલો જ થાય છે કે ઈશ્વરની ઇચ્છાની સર્વોપરિતા સાથે પ્રાણિકર્મસાપેક્ષ જગનિર્માણનો મેળ કેવી રીતે ખાશે?
અહીં એ વસ્તુનોધીએ કે રામાનુજ, મધ્ય, નિક, વલ્લભ એ બધા વેષ્ણવાચાર્યો છે અને તેથી ભાગવતપુરાણ, વિષ્ણુપુરાણ આદિવૈષ્ણવ પુરાણોનો તેમના ઉપર અત્યા પ્રભાવ હોય એ સ્વાભાવિક છે, એટલે તેમનો ઈશ્વરવાદ આ પુરાણોની વિચારધારાથી રસાયો અને પોષાયો હોય જ એ કહેવાનું ન હોય.
હકીકતમાં, નિત્યમુક્ત, જગત્કર્તા, કર્મફલદાતા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન એક ઈશ્વરની માન્યતા પૌરાણિક ક્ષેત્રમાંથી દાર્શનિક ક્ષેત્રમાં પ્રવેશી હોવાનો ઘણો સંભવ છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૧૧૭
ભારતીય દર્શનોમાં ઈશ્વર
. १. जिनेन्द्रो देवता यत्र रागद्वेषविवर्जितः।
हतमोहमहामल्लः केवलज्ञानदर्शनः ॥४५ सूरासूरेन्द्रसंपूज्यः सद्भूतार्थप्रकाशकः। षड्दर्शनसमुच्चय। अनन्तदर्शनज्ञानवीर्यानन्दमयात्मने। नमोऽर्हते कृपाक्लृप्तधर्मतीर्थाय तायिने ॥१ प्रमाणमीमांसा मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् । ..
ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये ॥१ सर्वार्थसिद्धि २. "So these four - infinite power, infinite apprehension, infinite
knowledge and infinite joy - are the features, attributed to God in every religion." Jaina Moral Doctrine. by H. S. Bhattacharya, Jaina Sahitya Vikas Mandala, Bombay, 1976, p. 3. "हरिभद्र यह मानने को अवश्य तैयार है कि 'ईश्वर' नाम उन महामानवों को दिया जा सकता है जिन्होंने मोक्ष की देहली पर पहुंच चुकने की अवस्था में ऐसे सत्शास्त्रों का प्रणयन किया है जिनकी शिक्षाओं का पालन करने के फलस्वरूप एक प्राणी के मोक्ष की प्राप्ति होती है तथा उनका उल्लंघन करने के फलस्वरूप बंध की।" शास्त्रवार्तासमुच्चय
(हिन्दी अनुवाद सहित), प्रस्तावना, लालभाई दलपतभाई ग्रंथमाला, नं. २२, पृ. ९. ४. "As a matter of fact, some of the rational religions maintain
that man alone is the Crcator of his destiny and dispense with
the hypothesis of world-creator." Jaina Moral Doctrine, p. 2. ५. तत्र बौद्धमते तावद्देवता सुगतः किल ।
चतुर्णामार्यसत्यानां दुःखादिनां प्ररूपकः ।।४ षड्दर्शनसमुच्चय यः सर्वथा सर्वहतान्धकारः ___ संसारपङ्काज्जगदुज्जहार। तस्मै नमस्कृत्य यथार्थशास्त्रे
शास्त्रं प्रवक्ष्याम्यभिधर्मकोशम् ॥११॥ अभिधर्मकोश विमुक्तावरणक्लेशं दीमाखिलगुणश्रियं ।
स्वैकवेद्यात्मसम्पत्तिं नमस्यामि महामुनिम् ॥१॥ मनोरथनन्दिन्, प्रमाणवार्तिकटीका . 5. तत्र यः पुण्यसंभार: स भगवतां सम्यकसंबुद्धानां शतपुण्यलक्षणवतोऽद्भुताचिन्त्यस्य
नानारूपस्य रूपकायस्य हेतुः । मध्यमकावतारटीका, पृ. ६२-६३
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ભારતીય તત્વજ્ઞાન ७. संभोगविभुताहेतुर्यथेष्टं भोगदर्शने ।। महायानसूत्रालङ्कार ९६२ ८. लोकातीतामचिन्त्यां सुकृतशतफलात्मनो यो विभूतिं
पर्षन्मध्ये विचित्रां प्रथयती महतीं धीमती प्रीतिहेतोः । . बुद्धानां सर्वलोकप्रसृतमविरतोदारसद्धर्मघोषं
वन्दे संभोगकायं तमहमिह महाधर्मराज्यप्रतिष्ठम् ॥ त्रिकायस्त्व ६. तेन खलु पुनः समयेन ये ते तथागता अर्हन्तः सम्यक्संबुद्धाः अन्येभ्यो लोकधातुकोटीनयुत
शतसहस्रेभ्योऽभ्यागता भगवतः शाक्यमुनेस्तथागतस्य निर्मिता येऽन्येषु लोकधातुषु सत्त्वानां ___ धर्मं देशयन्ति स्म। सद्धर्मपुण्डरीक,पृ.३०७; बौद्धधर्मदर्शन (आचार्य नरेन्द्रदेव), पृ. ११८ १०.विज्ञप्तिमात्रतासिद्धि, (Poussin, Paris, 1928-29), पृ. ७०५ ११. पुरुषार्थ एव हेतुर्न केनचित् कार्यते करणम् । सां. का. ३१ १२.सां. का. ५६
१३. सां. त. कौ. ५७ १४. युक्तिदीपिका (कलकत्ता, १९३८), पृ. ८५-८८ १५. ईश्वरासिद्धेः । सां.सू. १.९२ १६.सां. का. ४ १७. मुक्तबद्धयोरन्यतराभावान्न तत्सिद्धिः । उभयथाऽप्यसत्करत्वम् । सां. सू. १.९३-९४ १८.स हि सर्ववित् सर्वकर्ता । ईदृशेश्वरसिद्धिः सिद्धा । सां. सू. ३.५६-५७ प्रकृतिलीनस्य
जन्येश्वरस्य सिद्धिर्यः सर्वज्ञः सर्वविद् यस्य ज्ञानमयं तपः (मुण्डक १.१.९) इत्यादि
श्रुतिभ्यः सर्वसम्मतैव, नित्येश्वरस्यैव विवादास्पदत्वादित्यर्थः । सां. प्र. भा. १८. अचेतनत्वेऽपि क्षीरवत् चेष्टितं प्रधानस्थ । कर्मवत् दृष्टेवा कालादेः । सां. सू. ३.५९-६० २०. नेश्वराधिष्ठिते फलनिष्पत्तिः कर्मणा तत्सिद्धेः । स्वोपकारात् अधिष्ठानं लोकवत् । ___ सां सू. ५.२-३ २१.सां. प्र. भा. भूमिका २२. सा. प्र. भा. मंगलाचरण श्लो. ३-४; सां. प्र. भा. ३.५७ २७. अत्र शास्त्रे कारणब्रह्म तु पुरुषसामान्यं निर्गुणमेवेष्यते, ईश्वरानभ्युपगमात् । तत्र च
कारणशब्दः स्वशक्तिप्रकृत्युपाधिको वा निमित्तकारणतापरो वा पुरुषार्थस्य प्रकृतिप्रवर्तक
त्वादिति मन्तव्यम् । सां. प्र. भा. २४. सांख्यसार २.५ २५. प्रसङ्ख्यानेऽप्यकुसीदस्य सर्वथा विवेकख्यातेधर्ममेघसमाधिः । योगसूत्र ४.२९ २६. ततः क्लेशकर्मनिवृत्तिः । योगसूत्र ४.३० २७. क्लेशकर्मनिवृत्तौ जीवन्नेव विद्वान् विमुक्तो भवति । योगभाष्य ४.३०
Page #67
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
२८. क्लेशमूलः कर्माशयः... | योगसूत्र २.१२
२९. सति मूले तद्विपाकः... | योगसूत्र २.१३
३०. तदा सर्वावरणमलापेतस्य ज्ञानस्य आनन्त्यात् ज्ञेयमल्पम् । योगसूत्र ४. ३१
३१. ५२ ४ सूत्र मो.
३२. तारकं सर्वविषयं सर्वथाविषयमक्रमं चेति विवेकजं ज्ञानम् । योगसूत्र ३.५४
33. क्षणतत्क्रमयोः संयमात् विवेकजं ज्ञानम् । योगसूत्र ३.५२
३ ४ . ततः कृतार्थानां परिणामक्रमसमाप्तिर्गुणानाम् । योगसूत्र ४. ३२
३५. कुशलस्य ( = धर्ममेघसमाधिसम्पन्नस्य विवेकिनः ) संसारचक्रसमाप्तिः, नेतरस्येति । योगभाष्य ४.३३
३५. 'गुणानां परिणामक्रमसमाप्तिः' मे 'गुणानां प्रतिप्रसवः' थी लिन. छे. गुशोनो प्रतिप्रसव તો જ્યારે વિવેકીનો દેહ પડે છે ત્યારે થાય છે.
३७. जीवन्मुक्तस्यैव उपदेष्टृत्वसम्भवात् । सां. प्र. भा. ३.७९
३८. ते च मनसि वर्तमानाः पुरुषे व्यपदिश्यन्ते, स हि तत्फलस्य भोक्तेति । यो हि अनेन भोगेनापरामृष्टः स पुरुषविशेष: ईश्वरः । योगभाष्य १.२४
३८. कैवल्यं प्राप्तास्तर्हि सन्ति च बहवः केवलिनः । ते हि त्रीणि बन्धनानि छित्त्वा कैवल्यं प्राप्ताः । ईश्वरस्य च तत्सम्बन्धो न भूतो न भावी योगभाष्य १.२४
४०. स तु सदैव मुक्तः सदैवेश्वरः । योगभाष्य १.२४
I
४१. योऽसौ प्रकृष्टसत्त्वोपादानादीश्वरस्य शाश्वतिक उत्कर्षः स किं सनिमित्त आहोस्विन्निर्निमित्त इति ? तस्य शास्त्रं निमित्तम् । शास्त्रं पुनः किंनिमित्तम् ? प्रकृष्टसत्त्वनिमित्तम् । एतयोः शास्त्रोत्कर्षयोरीश्वरसत्त्वे वर्तमानयोरनादिसम्बन्धः । योगभाष्य १.२४
૧૧૯
४२. तच्च तस्यैश्वर्यं साम्यातिशयविनिर्मुक्तम् । न तावदैश्वर्यान्तरेण तदतिशय्यते । यदेवातिशायि स्यात् तदेव तत् स्यात् । तस्मात् यत्र काष्ठाप्राप्तिरैश्वर्यस्य स ईश्वरः । न च तत्समानमैश्वर्यमस्ति । योगभाष्य १.२४
४ उ. कस्मात् ? द्वयोस्तुल्ययोरेकस्मिन् युगपत् कामितेऽर्थे नवमिदमस्तु पुराणमिदमस्त्वित्येकस्य 'कामितार्थप्राप्तिर्नास्त्यर्थस्य विरुद्धत्वात् । योगभाष्य १.२४
४४. योगभाष्य १.२५
४५. तस्यात्मानुग्रहाभावेऽपि भूतानुग्रहः प्रयोजनम् । योगभाष्य १.२५
४१. योगभाष्य १. २६
४७. न चेश्वरस्य चित्तसत्त्वं महाप्रलयेऽपि प्रकृतिसाम्यं नोपैतीति वाच्यम् । तत्त्ववै. १.२४
Page #68
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ભારતીય તત્ત્વજ્ઞાન ४८. सर्गारन्तरसमुत्पन्नसंजिहीर्षावधिसमये पूर्णे मया सत्त्वप्रकर्ष उपादेय इति प्रणिधानं कृत्वा
भगवान् जगत् संजहार । तदा चेश्वरचित्तसत्त्वं प्रणिधानवासितं प्रधानसाम्यमुपगतमपि परिपूर्णे महाप्रलयावधौ प्रणिधानवासनावशात् तथैवेश्वरचित्तं सत्त्वभावेन परिणमते ।
तत्त्ववै. १.२४ ४८. यस्य हि न कदाचिदपि प्रधानसाम्यं न तत् प्राधानिकम्, नापि चितिशक्तिरशत्वा
दित्यर्थान्तरमप्रामाणिकमापद्येत । तत्त्ववै. १.२४ ५०. तच्चायुक्तम् । तस्य हेतुरविद्या' इत्यागामिसूत्रेणाविद्याया बुद्धिपुरुषसंयोगहेतुत्ववचनेनेश्वर
स्याप्यविद्वत्त्वापत्तेः...ईश्वरोपाधौ संस्कारस्य प्रतिषिद्धत्वात् तदभ्युपगमोऽपि तेषामपसिद्धान्त
एव । योगवार्तिक १.२४ ५.१. ईश्वरस्यापि धर्माधिष्ठानार्थं प्रतिबन्धापनये एव व्यापारो वेदितव्यः। तत्त्ववै. ४.३ ५२. ईश्वरस्य तु परदुःखप्रहाणेच्छा विद्यमानाऽपि भक्तवशतया कुण्ठिता स्वकार्याय विलम्बत
इति सर्वं समञ्जसम्, यच्च सर्वेश्वरस्य कर्मसापेक्षतया वैषम्यं नैर्घण्यं च ब्रह्ममीमांसा
सूत्रेणापाकृतं तत्राप्ययमेवाशयः । योगवार्तिक १.२५ ५३. भगवान् जगत् संजहार । तत्त्ववै. १.२४ ५४. प्रकृतेर्वैषम्यहेतुः क्षोभोऽपीश्वरेच्छात एव । योगवार्तिक १.२४ ५५. ननु प्रकृतिश्चेत् स्वतन्त्रा केन प्रकारेण तर्हि धर्मेश्वरयोगिसङ्कल्पादीनां प्रकृतिपरिणामहेतुत्वमिति
पृच्छति - कथं तहीति । सूत्रानोत्तरमाह - वरणभेदस्तु ततः क्षेत्रिकवदिति ।...तथैव प्रकृतिरेव जगत्कारणं कालकर्मेश्वरादयस्तु प्रकृतेः कार्यजननशक्त्युबोधकाः, ईश्वरस्तु
साम्यपरिणामादिरूपाखिलावरणभङ्गेनोद्वोधकः...। योगवार्तिक ४.३ । ५६.अत्रोच्यते-जीवेश्वरयोरंशाशिनोस्तावत्...न्यायानुग्रहेण बलवद्भिरमिस्फुलिङ्गादिभिः
सांशदृष्टान्तैः... । योगवार्तिक १.२४ ५७. साहित्यं सहकारित्वादेतयोः कल्पिते च यत् ।
तत्स्यादतिशयाधानादेकार्थक्रिययापि वा ॥९५|| ५८. न युक्ता कल्पनाऽऽद्यस्य निर्विकारतया तयोः। .
न द्वितीयस्य कार्याणां योगपद्यप्रसङ्गतः ।।९६।। ५८, अथोच्यते प्रधानस्य त्रिरूपत्वं व्यवस्थितम् ।
तत्रायं रजसा युक्तः सर्गहेतुर्महेश्वरः ।।९७।। उद्भूतवृत्तिसत्त्वं तु यदा संश्रयते पुनः। तदा सर्वस्य लोकस्य स्थितेर्याति निमित्तताम् ॥९८॥
Page #69
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૧૨૧ उद्भूतशक्तिरूपेण तमसा युज्यते यदा। प्रलयं सर्वजगतस्तदा किल करोत्ययम् ॥९९|| ‘रजःसत्त्वादिरूपादि तदेवं सहकारिणः।
क्रमेणैवास्य वर्तन्ते कार्याणां नाक्रमस्ततः ॥१०॥ १०. इहोच्यते तयोरेकक्रियाकाले समस्ति किम् ।
तदन्यकार्यनिष्पत्तिसामर्थ्य यदि वा न तत् ॥१०१॥ यद्यस्ति सर्गकालेऽपि द्वयमप्यवरं भवेत् ।
एवमन्यस्य सद्भावे द्वयमन्यत् प्रसज्यते ॥१०२।। ११.न हि तत् पररूपेण पुनरन्यस्य कारकम् ।
स्वरूपं च तदेवास्य तक्रियाविरतिः कुतः ॥१०३|| १२. तत्सामर्थ्य वियोगे तु नैव तज्जनकं भवेत् ।
अन्यदा शक्तिशून्यत्वाद् वियदम्भोरुहादिवत् ।।१०४।। १३. उत्कटं शक्तिरूपं च यदि तन्मात्रकारणम् ।
सर्वदा तद् भवेद्धेतोनित्यरूपस्य सन्निधेः ।।१०५।। न चापरं परैरिष्टमतो नैवान्यतोऽपि तत् । नापि स्वतन्त्रमेवेदं कादाचित्कत्वसम्भवात् ॥१०६||
स्वतो भाव ह्यहेतुत्वं स्वक्रियाया विरोधतः। - अपेक्षया हि भावानां कादाचित्कत्वसम्भवः ॥१०७॥ ૬૪. ઉપલબ્ધ વૈશેષિકસૂત્રોનો મૂળ ગર્ભ લગભગ ઈ.સ. પૂર્વ ત્રીજી શતાબ્દીનો છે.
વખત જતાં તે ગર્ભમાં ઘણાં પરિવર્તનો અને નવાં ઉમેરણો થયાં છે. અત્યારે ઉપલબધ વૈશેષિકસૂત્રોનો મોટો ભાગ ઈ.સ. ત્રીજી શતાબ્દીનો છે. સામાન્ય રીતે
વૈશેષિકસૂત્રોને ન્યાયસૂત્રો કરતાં પ્રાચીન માનવામાં આવે છે. १५. "There is no reference to it (idea of God) in the Sutras of
Kanada, though commentators profess to find it there." Outlines of Indian Philosophy, M. Hiriyanna, George
Allen & Unwin Ltd., 1951, p. 142 ११.आचार्येण तु नोक्तम्, तस्मात् सूत्रकारमते नास्तीश्वरः । युक्तिदीपिका, का. ५.. ६७.एवं काणादानामीश्वरोऽस्तीति पाशुपतोपज्ञमेतत् । युक्तिदीपिका (कलकत्ता, १९३३)
पृ.८५-८८ १८. "The Vaisesika Sutras...originally did not accept God." Philosophy
of Ancient India, p. 23
Page #70
--------------------------------------------------------------------------
________________
૧૨૨
ભારતીય તત્વજ્ઞાન se. qui eis?ftu( S. 21. 98241-LaR(474 uzail ell €47513, 4..3 तदिति हिरण्यगर्भपरामर्शः, हिरण्यं रेतोऽस्येति कृत्वा भगवान् महेश्वर एवोच्यते ।
Shqia, 8.8.7 90. A History of Indian Philosophy, Vol. I, Cambridge, 1957, p.
282 fn. 3 99. Erich Frauwallner's Posthumous Essays, translated from German
by Jayandra Soni, Pub. Aditya Prakashan, Delhi, 1994, pp. 37-38 12. A History of Indian Philosophy, Dasgupta, Vol I, p. 288, fn. 1
3.yt, y. 29-RCC ७४. बुद्धिपूर्वा वाक्यकृतिदे। वै० सू० ६.१.१ 194. A History of Indian Philosophy, Dasgupta, Vol I, p. 234. 95.278, 4.237 194. "The sūtras (=Vaiseșikasūtras) do not as yet recognise the
concept of God, nor even Candramati's Dasapadarthasāstram. And in his Nyāyavārttikam Uddyotakara still deals with the Vaiseșika polemic against Isvara.... That it was still known at that time that this was a later interpolation into the old system, is evident from the polemic in the commentary to the Sänkhyakārikā called Yuktidīpikā, which belongs more or less to the same period. After showing in detail that the author of the Vaiseșika Satras does not recognise Isvara, the author concludes with the words : evam kāņādānām Isvaro'stiti pāśupatopajñam etat. According to him, then, the doctrine of the supreme God was introduced into the system by Siva
devotees." Erich Frauwallner's Posthumous Essays, p. 36. ૭૮.વાયસૂત્રમાં જુદા જુદા સ્તરો છે. સૌથી પ્રાચીન સ્તરનો કાળ આશરે ઈ.સ. પૂર્વ
૩૦૦ છે અને સૌથી છેલ્લા સ્તરનો કાળ આકારે ઈ.સ. ૪૦૦ છે. અત્યારે ઉપલબ્ધ
ન્યાયસૂત્રનો મોટો ભાગ આશરે ઈ.સ. ૪૦૦ના સમયનો છે. 96. Outlines of Indian Philosophy, M. Hiriyanna, p. 242 co. “Human Effort Versus God's Effort in the early Nyaya (NS
4.1.19-21)' by Prof. Daniel H: H. Ingalls, Dr. S. K. Belvalkar Felicitation Volume, Motilal Banarasidass, Varanasi, 1957,
p. 232. (1.28th, Y. 234
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૨૩
ભારતીય દર્શનોમાં ઈશ્વર ८२. 'प्रति'ग्रहणेन चेन्द्रियार्थसनिकर्षसूचनात्... । साङ्ख्यतत्त्वकौमुदी, का. ५ ।
प्रतिराभिमुख्येन वर्तते । न्यायमञ्जरी, भाग १, पृ. १०३ ૮૩. પ્રા. ઈન્શાલ્સનો ઉપરિનિર્દિષ્ટ લેખ, પૃ. ૨૩૨ ८४, '....and the final systematizer of the school, Prasastapada or
Prasastadeva, sporadically also named Prasastakāra, who lived about the second half of the sixth century...' A History of
Indian Philosophy, Vo. I, E. Frauwallner, p. 4. ८५. ततः पुनः प्राणिनां भोगभूतये महेश्वरसिसृक्षानन्तरं सर्वात्मगतवृत्तिलब्धादृष्टा
पेक्षेभ्यस्तत्संयोगेभ्यः पवनपरमाणुषु कर्मोत्पत्तौ तेषां परस्परसंयोगेभ्यो द्वचणुकादिप्रक्रमेण महान् वायुः समुत्पन्नो नभसि दोधूयमानस्तिष्ठति ।... एवं समुत्पन्नेषु चतुर्षु महाभूतेषु महेश्वरस्याभिध्यानमात्रात् तैजसेभ्योऽणुभ्यः पार्थिवपरमाणुसहितेभ्यो महदण्डमारभ्यते । तस्मिश्चतुर्वदनकमलं सर्वलोकपितामहं ब्रह्माणं सकलभुवनसहितमुत्पाद्य प्रजासर्गे विनियुङ्क्ते । स च महेश्वरेण विनियुक्तो ब्रह्मा अतिशयज्ञानवैराग्यैश्वर्यसम्पन्नः प्राणिनां कर्मविपाकं विदित्वा कर्मानुरूपज्ञानभोगायुषः सुतान् प्रजापतीन्...सृष्ट्वा
आशयानुरूपैर्धर्मज्ञानवैराग्यश्वर्यैः संयोजयतीति । पदार्थधर्मसं. पृ. १२७-१३१ । ८१....ब्रह्मणोऽपवर्गकाले संसारखिन्नानां सर्वप्राणिनां निशि विश्रामार्थ सकलभुवनपतेर्महेश्वरस्य
सञ्जिहीर्षासमकालं...आपरमाण्वन्तो विनाशः ।...ततः प्रविभक्ताः परमाणवोऽवतिष्ठन्ते
धर्माधर्मसंस्कारानुविद्धा आत्मानस्तावन्तमेव कालम् । पदार्थधर्मसं. पृ. १२२-१२६ । ८७. "Just as Prasastapada introduced Isvara into the system..."
Erich Frauwallner's Posthumous Essays, p. 40. ८८. ईश्वरश्चेजगतो निमित्तं जगतः साक्षादुपादानकारणं किम् ? उक्तं पृथिव्यादि परमसूक्ष्म
परमाणुसंज्ञितं द्रव्यमिति । न्यायवा. ४.१.२१ । ८६.न ब्रूमः कर्माद्यनपेक्ष ईश्वरः कारणमिति । न्यायवा. ४.१.२१ । ८०.कोऽनुग्रहार्थः ? यद् यथाभूतं यस्य च यदा विपाकालः तत् तथा तदा विनियुक्त इति ।
न्यायवा. ४.१.२१ । ८१..अथ नित्यमैश्वर्यं धर्मवैयर्थ्यम्, न तद् धर्माद् भवतीति । नित्यमिति ब्रूमः ।...न चेश्वरे
धर्मोऽस्तीत्यचोद्यमेतत् । न्यायवा. ४.१.२१। ६२. सङ्ख्या-परिमाण-पृथक्त्व-संयोग-विभाग-बुद्धय एव तस्य गुणाः । न्यायवा. ४.१.२१ । ८३. इच्छा तु विद्यतेऽक्लिष्टाऽव्याहता सर्वार्थेषु यथा बुद्धिरिति । न्यायवा. ४.१.२१ । ६४. यदि पुनर्धर्माधर्माभ्यामेवाधिष्ठिताः परमाणवः प्रवर्तेरन् न युक्तमेतदचेतनत्वात्, न हि
किञ्चिदचेतनं स्वतन्त्रमधिष्ठायकं दृष्टमिति । अभ्युपगम्यापि च धर्माधर्मयोः
Page #72
--------------------------------------------------------------------------
________________
१२४
ભારતીય તત્ત્વજ્ઞાન. परमाणुप्रवृत्तिसामर्थ्यम्, न, करणस्य केवलस्य क्रियानिर्वृत्तावसामर्थ्यम्, न हि करणं केवलं क्रियां निर्वर्तयदुपलभ्यते । अथ परमाण्वपेक्षाभ्यां धर्माधर्माभ्यां क्रियते, तदपि न युक्तमदृष्टत्वात्, न हि कर्मकरणाभ्यां क्रियां जन्यमानां क्वचिदपि पश्याम इति । आत्मा कर्ता भविष्यतीति, उक्तमेतदज्ञत्वादिति। अकारणोत्पत्तिर्भविष्यतीति, न युक्तमदृष्टत्वादिति । न चान्या गतिरस्ति । तस्माद् बुद्धिमत्कारणाधिष्ठिता: परमाणवः कर्माणि च प्रवर्तन्त इति ।
न्यायवा. ४.१.२१॥ ६५. न कारणमीश्वरः विकल्पानुपपत्तेः – कर्ता चेदीश्वरः, किं सापेक्षः करोति उत निरपेक्ष इति । कि
चातः ? यदि सापेक्षः येन करोति तस्याकर्ता, एवमन्यत्रापि प्रसङ्गः, तदपि साधनं येन करोति तस्याकर्तेति । अथायं किञ्चिदनपेक्ष्य करोति तद्वदन्यत्रापि प्रसङ्गः । अथायं सर्वमनपेक्ष्य
करोति, एवमपि पुरुषकर्माफलं भवेत् अनिर्मोक्षश्च प्रसज्येत । न्यायवा. ४.१.२१ । ८६. निरपेक्षकर्तृत्वस्यानभ्युपगमात् धर्माधर्मविफलत्वादिदोषो नास्ति न चाकर्मनिमित्ते सर्गे
दोष इति । येन करोति तस्याकर्तेति चेत्, नानेकान्तात्, नायमेकान्तोऽस्ति यो येन करोति स तन्न करोतीति, यथाऽनेकशिल्पपर्यवदातः पुरुषः करणान्तरोपादानो वास्यादि करोति, वास्याद्युपादानो दण्डादि करोति, तदुपादानो घटादि न च पर्यायकर्तृत्वे सति अकर्तृत्वम्, तथेश्वरोऽपि धर्माधर्मोपादानः शरीरसुखदुःखादि, आत्ममनःसंयोगशुद्धाशुद्धाभिसन्धिसाधनश्च धर्माधर्मों, सुखदुःखस्मृत्यपेक्षः तत्साधनाद्यपेक्षश्च शुद्धमशुद्धं चाभिसन्धिमिति । यदा करोति तदा साधनस्थाकर्तेति चेत् -- अथ मन्यसे यदाऽयं साध्यं किश्चिद् दृष्टं निवर्तयति तदा येन साधयति तस्याकर्ता प्रसज्यत इति ? नैतदेवम् न ब्रूमः सर्वानर्थानयमेकस्मिन् काले करोतीति, अपि तु पर्यायेण, पर्यायकर्तृत्वे चायमदोषः । यदादौ करोति तस्यासाधनोत्पत्तिरिति चेत् - अथ मन्यसे यदि शरीरादिकर्तृत्वं धर्माधर्माद्यपेक्षस्य, अध यदादी करोति कथं तत् ? आदेरनभ्युपगमाददेश्यमेतत् - अनादिः संसार इति, प्रतिपादितमेतत्, धर्माधर्मसाफल्यं चैवम् – यदि चानादिः संसारः सापेक्षश्च कर्ता, एवं
प्राण्यन्तरसमवायिनां धर्माधर्माणां साफल्यम् । न्यायवा. ४.१.२१. । ८७.अथायमीश्वरः कुवार्णः किमर्थं करोति ? लोके हि ये कर्तारो भवन्ति ते किञ्चिदुद्दिश्य
प्रवर्तन्ते इदमाप्स्यामि इदं हास्यामि चेति, न पुनरीश्वरस्य हेयमस्ति दुःखाभावात्, नोपादेयं वशित्वात् । क्रीडार्थमित्येके - एके तावद् ब्रुवते क्रीडार्थमीश्वरः सृजतीति। नन्वेतदयुक्तम्, क्रीडा हि नाम रत्यर्थं भवति, विना क्रीडया रतिमविन्दताम्, न च रत्यर्थी भगवान् दुःखाभावादिति । दुःखिनश्च सुखोपगमार्थ क्रीडन्ति । विभूतिख्यापनार्थमित्यपरे – जगतो वैश्वरूप्यं ख्यापनीयमित्यपरे मन्यन्ते । एतदपि तादृगेव - न हि विभूतिख्यापनेन कश्चिदतिशयो लभ्यते न चास्याख्यापनेन किश्चिद्धीयत इति । किमर्थ तर्हि करोति ? तत्स्वाभाव्यात् कुर्वन्ति तथेश्वरोऽपि तत्स्वाभाव्यात् प्रवर्तते इति प्रवृत्तिस्वभावक तत्तत्त्वमिति । न्यायवा. ४.१.२१ ।
Page #73
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૧૨૫
७८. तत्स्वाभाव्यात् सततप्रवृत्तिरिति चेत् — अथ मन्यसे यदि प्रवृत्तिस्वभावकं तत्त्वं प्रवृत्तिनिवृत्ती न प्राप्नुतः, न हि प्रवृत्तिस्वभावके तत्त्वे निवृत्तिर्युज्यत इति क्रमेणोत्पत्तिर्न प्राप्नोति तत्त्वस्यैकरूपत्वात् । न्यायवा. ४.१.२१ ॥
७८. नैष दोष: बुद्धिमत्त्वेन विशेषणात् – बुद्धिमत्तत्त्वमिति प्रतिपादितम् । बुद्धिमत्तया च विशिष्यमाणं सापेक्षं च न सर्वदा प्रवर्तते, न सर्वमेकस्मिन् काले उत्पादयति यस्य कारणसान्निध्यं तद् भवति यदसन्निहितकारणं तन्न भवति, न च सर्वस्य युगपत्कारणसान्निध्यमस्ति, अतः सर्वस्य युगपदुत्पादो न प्रसक्तः, स खलु प्रवर्तमानो धर्माधर्मयोः परिपाककालमपेक्षते । न्यायवा. ४.१.२१ ।
१००. न च बुद्धिमत्तया विनेश्वरस्य जगदुत्पादो घटत इति । सा च बुद्धिः सर्वार्थाऽतीतानागतवर्तमानविषया प्रत्यक्षा, नानुमानिकी नागमिकी, न तत्रानुमानं नागम इति । ज्ञाननित्यत्वाच्च न संस्कारः नित्यं विज्ञानमीश्वरस्येति न तत्र संस्कारो विद्यत इति, संस्काराभावाद् बुद्धिनित्यत्वाच्च न स्मृतिः स्मृत्यभावाच्च नानुमानम् । न दुःखमधर्मस्याभावात् । अत एव न वैराग्यमिति, दुःखाभावान्न विरज्यत इति । अत एव न द्वेषो दुःखभावादिति । इच्छा तु विद्यतेऽक्लिष्टाऽव्याहता सर्वार्थेषु यथा बुद्धिरिति ।
न्यायवा. ४.१.२१ ।
१०१. अथ किमयं बद्धो मुक्त इति ? न बद्धो दुःखाभावादेव, अबद्धत्वान्न मुक्त इति - बन्धवान् मुच्यत इति, न च भगवति बन्धनमस्तीति अतो न मुक्त इति । न्यायवा
४.१.२१ ।
-
१ ० २.आत्मान्तराणामसम्बन्धादधिष्ठातृत्वमनुपपन्नमितिचेत् – अथ मन्यसे अर्थान्तरसमवायिनो ये धर्माधर्माः ते न साक्षादीश्वरेण सम्बध्यन्ते न पारम्पर्येण न चासम्बद्धमनुष्ठातुं शक्यते, न चारधिष्ठितयोर्धर्माधर्मयोः प्रवृत्तिर्युक्ता । न्यायवा. ४.१.२९ ।
१.०३. तच्च न, अजसम्बन्धोपपत्तेः । न्यायवा. ४.१.२१ ॥
१०४. येऽप्यजं संयोगं नेच्छन्ति तेषामप्यणुमनः संयोगोपपत्तेरस्ति सम्बन्धः । न्यायवा
४.१.२१ ।
१०५. स पुनरात्मेश्वरसम्बन्धः किं व्यापकोsव्यापको वा इति अर्थाभावादव्याकरणीयः प्रश्नः । आत्मेश्वरसम्बन्धोऽस्तीत्येतदेव शक्यते वक्तुम् । न्यायवा. ४.१.२१ ।
१०९. न्यायवा. ४.१.२१ ।
१०७....तस्माद्विनाशित्वेनापि कार्यत्वानुमानात्... अथवा सन्निवेशविशिष्टत्वमेव हेतुमभिदध्महे...। न्यायमं. भा० १, पृ० १८० ।
१०८. अदृश्यस्य च कर्तृरनुपलब्धितो नास्तित्वनिश्चयानुपपत्तेः... नाकृष्टजातवनस्पतीनामकर्तृत्वमिति न विपक्षता । न्यायमं. भा० १, पृ० १८० ।
Page #74
--------------------------------------------------------------------------
________________
१२६
ભારતીય તત્ત્વજ્ઞાન १०६. परलोकवादिभिरदृश्यमानानां कर्मणामपि कारणत्वाभ्युपगमात्...अथ जगद्वैचित्र्यं
कर्मव्यतिरेकेण न घटत इति कर्मणामदृश्यमानानामपि कारणत्वं कल्प्यते तत्र; यद्येवमचेतनेभ्य: कार्योत्पादानुपपत्तेः कर्ताऽपि चेतनस्तेषामधिष्ठाता कल्प्यताम् ।
न्यायमं० भा० १, पृ० १८०। १.१०.न चेतरेतराश्रयम् आगमैकशरणत्वाभावादीश्वरसिद्धेः । न्यायमं० भा०१, पृ० १८३ । ११.१. यथा चन्दनधूममितरधूमविसदृशमवलोक्य चान्दन एव वह्निरनुमीयते तथा विलक्षणात्
___ कार्यात् विलक्षण एव कर्ताऽनुमास्यते । न्यायमं० भा० १, पृ० १८३ ११.२. न हीदृशं परिदृश्यमानमनेकरूपमपरिमितमनन्तप्राणिगतविचित्रसुखदुःखसाधनं
भुवनादिकार्यम् अनतिशयेन पुंसा कर्तुं शक्यमिति । न्यायमं० भा० १, पृ० १८३ ११३. तथेयतस्त्रैलोक्यस्य निरवधिप्राणिसुखदुःखसाधनस्य सृष्टिसंहारसंविधानं सप्रयोजनं बहुशाखं
जाननेव स्रष्टा भवितुमर्हति महेश्वरः । तस्मात्सर्वज्ञः। न्यायमं० भा० १, पृ० १८४ । १.१४. अपि च यथा नियतविषयवृत्तीनां चक्षुरादीन्द्रियाणामधिष्ठाता क्षेत्रज्ञः तदपेक्षया सर्वज्ञः एवं
सकलक्षेत्रज्ञकर्मविनियोगेषु प्रभवनीश्वरः तदपेक्षया सर्वज्ञः। न्यायमं० भा० १, पृ० १८४ । .११५. पुंसामसर्ववित्त्वं हि रागादिमलनिबन्धनम् । न च रागादिभिः स्पृष्टो भगवानिति सर्ववित् ।
न्यायमं० भा० १, पृ० १८४ । ११.१.नित्यं तज्ज्ञानं कथमिति चेत् -- तस्मिन् क्षणमप्यज्ञातरि सति तदिच्छाप्रेर्यमाणकर्मा
धीननानाप्रकारव्यवहारविरमप्रसङ्गात् । प्रलयवेलायां तर्हि कुतस्तन्नित्यत्वकल्पनेति चेत् -- मैवम् – आप्रलयात्सिद्धे नित्यत्वे तदा विनाशकारणाभावात् अस्य आत्मन इव तज्ज्ञानस्य नित्यत्वं सेत्सयति । पुनश्च सर्गकाले तदुत्पत्तिकारणाभावादपि नित्यं ज्ञानम् ।
न्यायमं०, मा० १, पृ० १८४ । ११७.एवं च तदतीतानागतसूक्ष्मव्यवहितादिसमस्तवस्तुविषयं न भिन्नम्, क्रमयोग
पद्यविकल्पानुपपत्तेः । क्रमाश्रयणे क्वचिदज्ञातृत्वं स्यादिति व्यवहारलोपः । यौगपद्येन
सर्वज्ञातृत्वे कुतस्त्यो ज्ञानभेदः ? न्यायमं०, भा० १, पृ० १८४। ११८. प्रत्यक्षसाधर्म्याच तज्ज्ञानं प्रत्यक्षमुच्यते, न पुनरिन्द्रियार्थसन्निकर्षोत्पन्नत्वमस्यास्ति,
अजनकानामेवार्थानां सवितृप्रकाशेनेव तेन ग्रहणात् । न्यायमं०, भा० १, पृ०१८४ । १.१६. ज्ञानवदन्येऽप्यात्मगुणा येऽस्य सन्ति, ते नित्या एव; मनस्संयोगानपेक्षजन्मत्वात् ।
दुःखद्वेषास्तस्य तावन्न सन्त्येव । भावनाख्येन संस्कारेणापि न प्रयोजनम्। सर्वदा सर्वार्थदर्शित्वेन स्मृत्यभावात् । अत एव न तस्यानुमानिकं ज्ञानमिष्यते । धर्मस्तु भूतानुग्रहवतो वस्तुस्वाभाव्याद् भवन्न वार्यते, तस्य च फलं परार्थनिष्पत्तिरेव । सुखं त्वस्य नित्यमेव, नित्यानन्दत्वेनागमात् प्रतीतेः । असुखितस्य चैवंविधकार्यारम्भयोग्यताऽभावात् । न्यायमं०, भा० १, पृ० १८५ ।
Page #75
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
१२७ १२०. नैष दोषः – अनात्ममनस्संयोगजत्वादिच्छा स्वरूपमात्रेण नित्यापि कदाचित्सर्गेण
कदाचित्संहारेण वा विषयेणानुरज्यते । सर्गसंहारयोरन्तराले तु जगतः स्थित्यवस्थायां
अस्मात्कर्मण इदमस्य संपद्यतामितीच्छाभवति प्रजापतेः॥न्यायमं०, भा० १, पृ० १८५। १२१. प्रयत्नस्तस्य संकल्पविशेषात्मक एव । न्यायमं०, भा० १, पृ० १८५। १२२. तदेवं नवभ्य आत्मगुणेभ्यः पञ्च ज्ञानसुखेच्छाप्रयत्नधर्माः सन्तीश्वरे । चत्वारस्तु
दुःखद्वेषाधर्मसंस्कारा न सन्तीत्यात्मविशेष एवेश्वरो न द्रव्यान्तरम् । न्यायमं०, मा० १,
पृ० १८५। १.२ ३. उच्यते – ज्ञानचिकीर्षाप्रयत्नयोगित्वं कर्तृत्वमाचक्षते । तच्चेश्वरे विद्यत एवेत्युक्तमेतत् ।
स्वशरीप्रेरणे च दृष्टमशरीरस्याप्यात्मनः कर्तृत्वम्, इच्छामात्रेण च तस्य कर्तृत्वात् अनेकव्यापारनिर्वर्तनोपात्तदुर्वहक्लेशकालुष्यविकल्पोऽपि प्रत्युक्तः । न्यायमं०, भा०
१, पृ० १८५। १.२४. यथा ह्यचेतनः कायः आत्मेच्छामनुवर्तते । तदिच्छामनुवय॑न्ते तथैव परमाणवः ।।
न्यायमं०, भा० १, पृ० १८५। १२५. यस्तु प्रयोजनविकल्पः – किमर्थं सृजति जगन्ति भगवान् ? इति - सोऽपि न पेशलः ।
स्वभाव एवैष भगवतः यत् कदाचित् सृजति, कदाचिच संहरति विश्वमिति । कथं पुनर्नियतकाल एषोऽस्य स्वभाव इति चेत् आदित्यं पश्यतु देवानांप्रियः यो
नियतकालमुदेत्यस्तमेति च । न्यायमं०, भा० १, पृ० १८६ । १२६. क्रीडार्थेऽपि जगत्सर्गे न हीयते कृतार्थता । प्रवर्तमाना दृश्यन्ते न हि क्रीडासु दुःखिता ।।
न्यायमं०, भा० १, पृ० १८६ । १.२७. अथवा अनुकम्पयैव सर्गसंहारावारभतामीश्वरः । न्यायमं०, भा० १, पृ० १८६। १.२८. शुभाशुभसंस्कारानुविद्धा एवात्मानः । ते च धर्माधर्मनिगडसंयतत्वादपवर्ग
पुरद्वाप्रवेशमलभमानाः कथं नानुकम्प्या: ? अनुपभुक्तफलानां कर्मणां न. प्रक्षयः । सर्गमन्तरेण च तत्फलोपभोगासंभव इति शुभफलोपभोगाय स्वर्गादिसर्ग, अशुभफलोपभोगाय नरकादिसृष्टिमारभते दयालुरेव भगवान् । उपमोगप्रबन्धेन परिश्रान्तानामन्तराऽन्तरा विश्रान्तये जन्तूनां भुवनोपसंहारमपि करोतीति
सर्वमेतत्कृपानिबन्धनमेव | न्यायमं०, भा० १, पृ० १८६ । १२६. ननु च युगपदेव सकलजगत्प्रलयकरणमनुपपन्नम्, अविनाशिनां कर्मणां फलोपभोग
प्रतिबन्धासंभवादिति चोदितम्। नयुक्तमेतत्, ईश्वरेच्छाप्रतिबद्धानां कर्मणां स्तिमितशक्तीनामवस्थानात् । तदिच्छाप्रेरितानि कर्माणि फलमादधति, तदिच्छाप्रतिबद्धानि च तत्रोदासते । कस्मादेवमिति चेत्, अचेतनानां चेतनानधिष्ठितानां स्वकार्यकरणानुपलब्धेः । न्यायमं०, भा० १, पृ० १८६ ।
Page #76
--------------------------------------------------------------------------
________________
१२८ .
ભારતીય તત્વજ્ઞાન १७०. ननु एवं तर्हि ईश्वरेच्छैव भवतु की संहीं च, किं कर्मभिः ? मैवम्, कर्मभिर्विना
जगद्वैचित्र्यानुपपत्तेः । कर्मनरपेक्ष्यपक्षेऽपि त्रयो दोषा दर्शिता एव -- ईश्वरस्य निर्दयत्वं, कर्मचोदनानर्थक्यम्, अनिर्मोक्षप्रसनश्चेति । तस्मात् कर्मणामेव नियोजने स्वातन्त्र्य
मीश्वरस्य, न तन्निरपेक्षम् । न्यायमं०, भा० १, पृ० १८७ । १.३१.. वेदस्य पुरुषः कर्ता...त्रैलोक्यनिर्माणनिपुणः परमेश्वरः । न्यायमं०, भा० १, पृ० १७५.। . १३२. आप्तोपदेशः शब्दः । न्यासू० १.१.८ । मन्त्रायुर्वेदप्रामाण्यवच्च तत्प्रामाण्यमाभप्रामाण्यात् ।
न्यायसू० २.१.६८। १.३३. य एव आता वेदार्थानां द्रष्टारः प्रवक्तारश्च ते... । न्यायभा० २.१.६८ । १३४. परार्थं प्रवृत्तोऽपि न सुखमयीमेव करोति, विचित्रकर्माशयसहायस्य कर्तृत्वादित्यर्थः । न
चैवं सति करुणाविरोधः, दुःखोत्पादस्य वैराग्यजननद्वारेण परमपुरुषार्थहेतुत्वात् ।
कन्दली पृ० १३२। १३५. स हि सर्वप्राणिनां कर्मानुरूपं फलं प्रयच्छन् कथमनीश्वरः स्यादिति भावः । नहि
योग्यतानुरूप्येण भृत्यानां फलविशेषप्रदः प्रभुरप्रभुर्भवति । कन्दली पृ० १३३ । १३१. सर्वोऽपि कर्ता कारकस्वरूपमवघारयति, तत इच्छतीदमहमनेन निर्वर्तयामीति, ततः
प्रयतते, तदनु कार्य व्यापारयति, ततः कारणान्यधितिष्ठति, ततः करोति, अनवधारयन्नमिच्छन्नप्रयतमानः कायमव्यापारयत् न करोतीत्यन्वयव्यतिरेकाभ्यां
'बुद्धिवच्छरीरमपि कार्योत्पत्तावुपायभूतम् । कन्दली पृ० १३७ ।। १३७. प्रभावातिशयादशरीरवदबुद्धिमानेवायमीश्वरः करिष्यति । उपादानोपकरणादिस्वरूपानभिज्ञो
न शक्नोतीति चेत् । कुत एतत् ? तथानुपलम्भादिति चेत् ? फलितं ममापि मनोरथ
द्रुमेण । कन्दली पृ० १३७ । १3८. अत्र प्रतिसमाधिः । किं शरीरित्वमेव कर्तृत्वमुत परिदृष्टसामर्थ्यकारकप्रयोजकत्वम् ? न
तावच्छरीरित्वमेव कर्तृत्वम्, सुषुप्तस्योदासीनस्य च कर्तृत्वप्रसङ्गात्, किन्तु परिदृष्टसामर्थ्यकारकप्रयोजकत्वम् तस्मिन् सति कार्योत्पत्तेः । तच्चाशरीरस्यापि निर्वहति यथा स्वशरीप्रेरणायामात्मनः। अस्ति तत्राप्यस्य स्वकर्मोपार्जितं तदेव शरीरमिति चेत् सत्यमस्ति, परं प्रेरणोपायो न भवति, स्वात्मनि क्रियाविरोधात् प्रेर्यतयाऽस्तीति चेत् ईश्वरस्यापि प्रेर्यः परमाणुरस्ति । ननु स्वशरीरे प्रेरणाया इच्छाप्रयत्नाभ्यामुत्पत्तेरिच्छाप्रयत्नयोश्च सति शरीरे भावादसत्यभावाद् अस्ति तस्य स्वप्रेरणायामिच्छाप्रयत्नजननद्वारेणोपायत्त्वमिति चेन्न, तस्येच्छाप्रयत्नयोरुपजननं प्रत्येव कारकत्वात्, लब्धात्मकयोरिच्छाप्रयत्नयोः प्रेरणाकरणकाले तु तदनुपायभूतमेव शरीरं कर्मत्वादिति व्यभिचारः, अनपेक्षितशरीरव्यापारस्येच्छाप्रयत्नमात्रसचिवस्यैव चेतनस्य कदाचिद
Page #77
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
१२६ चेतनव्यापार प्रति सामर्थ्यदर्शनात्, बुद्धिमदव्यभिचारि तु कार्यत्वमितीश्वरसिद्धिः । इच्छाप्रयत्नोत्पत्तावपि शरीरमपेक्षणीयमिति चेत् अपेक्षतां यत्र तयोरागन्तुकत्वम्, यत्र पुनरिमौ स्वाभाविकावासाते तत्रास्यापेक्षणं व्यर्थम् । न च बुद्धीच्छाप्रयत्नानां नित्यत्वे कश्चिद् विरोधः । दृष्टा हि रूपादिनां गुणानामाश्रयभेदेन यी गतिः नित्यतानित्यता च । तथा बुद्ध्यादीनामपि भविष्यतीति । सेयमीश्वरवादे वादिप्रतिवादिनो: पराकाष्टा । अतः
परं प्रपञ्चः । कन्दली पृ० १३८-१४० । १३८. आत्माधिष्ठिताः परमाणव प्रवर्तिष्यन्त इति चेन्न, तेषां स्वकर्मोपार्जितेन्द्रियगणाधीनसंविदा
शरीरोत्पत्तेः प्राक् सर्वविषयावबोधविरहात् । ...तेभ्यः परः सर्वार्थदर्शिसहजज्ञानमयः कर्तृस्वभावः कोऽप्यधिष्ठाता कल्पनीयः, चेतनमधिष्ठातारमन्तरेणाचेतनानां प्रवृत्त्यभावात् ।
कन्दली पृ० १४०-१४१। १४०.स किमेकोऽनेको वा ? एक इति वदामः । बहूनामसर्वज्ञत्वेऽस्मदादिवदसामर्थ्यात्,
सर्वज्ञत्वे त्वेकस्यैव सामर्थ्यादपरेषामनुपयोगात् । न च समप्रधानानां भूयसां सर्वदैकमत्ये हेतुरस्तीति कदाचिदनुत्पत्तिरपि कार्यस्य स्यात्, एकाभिप्रायानुरोधेन सर्वेषां प्रवृत्तावेकस्येश्वरत्वं नापरेषाम्, मठपरिषदामिव कार्योत्पत्त्यनुरोधेन सर्वेषामविरोधे
प्रत्येकमनीश्वरत्वम् । कन्दली पृ० १४१। १४१. सर्वज्ञत्वान्न कुत्रचिद्वस्तुनि विशेषानुपलम्भः । अतो न तन्निबन्धनं मिथ्याज्ञानम्,
मिथ्याज्ञानाभावे च न तन्मूली रागद्वेषौ, तयोरभावान्न तत्पूर्विका प्रवृत्तिः, प्रवृत्त्यभावे च न तत्साध्यौ धर्माधर्मों, तयोरभावात् तजयोरपि सुखदुःखयोरभावः, सर्वदैव चानुभवसद्भावात् स्मृतिसंस्कारावपि नासाते इत्यष्टगुणाधिकरणो भगवानीश्वर इति केचित् । अन्ये तु बुद्धिरेव तस्याव्याहता क्रियाशक्तिरित्येवं वदन्त इच्छाप्रयत्नावप्यरङ्गीकुर्वाणाः षड्गुणाधिकरणोऽयमित्याहुः । स किं बद्धो मुक्तो वा ? न तावद् बद्धः, बन्धनसमाज्ञातस्य बन्धहेतोः क्लेशादेरसम्भवात् । मुक्तोऽपि न भवति,
बन्धविच्छेदपर्यायत्वान्मुक्तेः । नित्यमुक्तस्तु स्यात् । कन्दली पृ० १४२।। १४२. कार्यायोजनधृत्यादेः पदात् प्रत्ययतः श्रुतेः ॥ वाक्यात् संख्याविशेषाच्च साध्यो
विश्वविदव्ययः ।। न्यायकुसुमाञ्जलि ५.१। १.४३. ननु यदि परमाणुषु कर्म स्यात् तर्हि संयोगस्यावर्जनीयत्वाद् द्वयणुकादिक्रमेण तदानीमेव
विश्वं जगदुत्पद्येत, अत उक्तं प्रचय इति । प्रचयाख्यमेव संयोगं तदा कारभते न तु
कार्यारम्भकम्... । बोधनी, न्यायकुसुमाञ्जलि २.३ । १.४४. धृतेः खल्वपि । क्षित्यादिब्रह्माण्डपर्यन्तं हि जगत् साक्षात् परम्परया वा
विधारकप्रयत्नाधिष्ठितं गुरुत्वे सत्यऽपतनधर्मकत्वाद् वियति विहामशरीरवत् तत्संयुक्तद्रव्यवच्च । न्यायकुसुमाञ्जलि ५.४
Page #78
--------------------------------------------------------------------------
________________
१३०
ભારતીય તત્ત્વજ્ઞાન १. ४५. संहरणात् खल्वपि । बह्माण्डादिद्वयणुकपर्यन्तं जगत् ! प्रयत्नवद्विनाश्यं विनाश्यत्वात्
पाट्यमानपटवत् । न्यायकुसुमाञ्जलि ५.४ १४६. महाभूतसंप्लवसंक्षोभलब्धसंस्काराणां परमाणूनां... । न्यायकुसुमाञ्जलि, २.३ । १४७. पदशब्देनात्र पद्यते गम्यते व्यवहाराङ्गमर्थोऽनेनेति बृद्धव्यवहार एवोच्यते ।
अतोऽपीश्वरसिद्धिः । तथाहि - यदेतत् पटादिनिर्माणनैपुण्यः कुविन्दाऽऽदीनां, वाग्व्यवहारश्च व्यक्तवाचां, लिपितत्क्रमव्यवहारश्च बालानां, स सर्वः स्वतन्त्रपुरुषविश्रान्तो
व्यवहारत्वात्। न्यायकुसुमाञ्जलि ५.५।। १४८. गृह्णाति हि ईश्वरोऽपि कार्यवशाच्छरीरमन्तरान्तरा, दर्शयति च विभूतिमिति । - न्यायकुसुमाञ्जलि ५.५। . १४६. ईश्वरस्यादृष्टाभावेऽपि तच्छरीरसाध्यहेतुकास्मदादिभोगसम्पादकाऽदृष्टादेवेश्वरस्य शरीरो
त्पत्तिरिति भावः । प्रकाश, न्यायकुसुमाञ्जलि ५.५। १५०. सा अपेक्षाबुद्धिजन्या, अनेकसंख्यात्वात् । न चास्मदादीनामपेक्षाबुद्धिः परमाणुषु
सम्भवति । तद् यस्यासौ सर्वज्ञः । अन्यथा अपेक्षाबुद्धेरभावात् संख्याऽनुत्पत्तौ तद्रतपरिमाणानुत्पादेऽपरिमितस्य द्रव्यस्यानारम्भकत्वात् त्र्यणुकानुत्पत्तौ विश्वानुत्पत्तिप्रसाः।
न्यायकुसुमाञ्जलि ५.५। १५१. किमिदं शरीरत्वं यत् प्रसज्यते ? यदि साक्षात् प्रयत्नवदधिष्ठेयत्वं तदिष्यत एव ।
न्यायकुसुमाञ्जलि ५.२ । १५.२....परमाणुनां...कर्मसन्तानस्येश्वरनिःश्वसितस्य... न्यायकुसुमाञ्जलि२.३।परमाणवो
हीश्वरशरीरं साक्षात् प्रयत्नाधिष्ठेयत्वात्, तेन तदाश्रयं कर्म ईश्वरनिःश्वसितं भवति ।
बोधनी टीका। १५.३.अस्माकं तु निसर्गसुन्दर ! चिराच्चेतो निमग्नं त्वयीत्यद्धाऽऽनन्दनिधौ तथापि तरलं
नाद्यापि सन्तृप्यते । न्यायकुसुमाञ्जलि ५.१९ । १५४. प्रयत्नस्य द्विधर्मकत्वात् । स हि ज्ञानकार्यों ज्ञानैककविषयश्च । आत्मतत्त्वविवेक
पृ० ३८१ । १५५. तत्र कार्यत्वनिवृत्तौ कारणतया ज्ञानं माऽपेक्षिष्ठ विषया) तु तदपेक्षा केन वार्यते ?
आत्मतत्त्वविवेक पृ० ३८१ . १५६. न च तस्य स्वरूपेणैव विषयप्रवणत्वम्, ज्ञानत्वप्रसङ्गात् । अयमेव हि ज्ञानात् प्रयत्नस्य
भेदो यदयमाप्रवण इति । न च निर्विषय एवास्त्विति वाच्यम्, अकारणत्वप्रसङ्गात् ।
आत्मतत्त्वविवेक पृ० ३८१ । १५७. जीवनपूर्वकप्रयत्नवद् विषयव्यवस्था भविष्यतीति चेत्, न, तस्य जात्यन्तरत्वात् ।
आत्मतत्त्वविवेक पृ० ३८१ ।
Page #79
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૧૩૧
१.५८. तथाऽकृष्टप्रभवैस्तरुतृणादिभिर्व्यभिचार्ययं हेतुः । द्विविधानि कार्याण्युपलभ्यन्ते, कानिचिद् बुद्धिमत्पूर्वकानि यथा घटादीनि कानिचित्तु तद्विपरीतानि यथाऽकृष्टप्रभवतृणादीनि । तेषां पक्षीकरणादव्यभिचारे,... न कश्चिद् हेतुर्व्यभिचारी स्यात्, व्यभिचारविषयस्य सर्वत्रापि पक्षीकर्तुं शक्यत्वात् । षड्दर्शनसमुच्चय-तर्करहस्यदीपिका, सं. महेन्द्रकुमार जैन, भारतीय ज्ञानपीठ, १९६९, पृ० १७८-९
१५८. तथा कालात्ययापदिष्टश्चायं, अकृष्टप्रभवाङ्कुरादौ कर्त्रभावस्याध्यक्षेणाध्यवसायात् । अरनुष्णत्वे साध्ये द्रव्यत्ववत् । ननु तत्राप्यदृश्य ईश्वर एव कर्तेति चेत्, तन्न । यस्त तत्सद्भावोऽस्मादेवान्यतो वा प्रमाणात् सिध्येत् । प्रथमपक्षे चक्रकम् । अतो हि तत्सद्भावे सिद्धेऽस्यादृश्यत्त्वेनानुपलम्भसिद्धिः, तत्सिद्धौ च कालात्ययापदिष्टत्वाभावः, ततश्चास्मात् तत्सद्भावसिद्धिरिति । द्वितीयपक्षोऽप्ययुक्तः, तत्सद्भावावेदकस्य प्रमाणान्तरस्यैवाभावात् । तर्करहस्यदीपिका, पृ० १७९-१८०
१५०. व्यभिचारिणश्चामी बुद्धिमन्तमन्तरेणापि विद्युदादीनां प्रादुर्भावविभावनात्, स्वप्नाद्यवस्थायामबुद्धिमत्पूर्वस्यापि कार्यस्य दर्शनाच्चेति । तर्करहस्यदीपिका, पृ० १८४
११. तर्क रहस्यदीपिका, पृ० १८४
१५२. तर्क रहस्यदीपिका, पृ० १८५ १५ ३. सन्निवेशविशिष्टत्वं यादृग्देवकुलादिषु । कर्तर्यनुपलब्धेऽपि यदृष्टी बुद्धिमद्गतिः ||६१ || तादृगेव यदीयेत तन्वगादिषु धर्मिषु ।
युक्तं तत्साधनादस्माद् यथाऽभीष्टस्य साधनम् ॥६२॥ अन्वयव्यतिरेकाभ्यां यत्कार्यं यस्य निश्चितम् । निश्चयस्तस्य तद्दृष्टाविति न्यायो व्यवस्थितः ||६३शा सन्निवेशविशेषस्तु नैवामीषु तथाविधः ।
न तु तन्वादिभेदेषु शब्द एव तु केवलम् ६४।। तादृशः प्रोच्यमानस्तु संदिग्धव्यतिरेकताम् ।
आसादयति वल्मीके कुम्भकारकृतादिषु ||६५|| तत्त्वसङ्ग्रह
સરખાવો ધર્મકીર્તિની નીચેની કારિકા
अन्यथा कुम्भकारेण मृद्विकारस्य कस्यचित् ।
घटादेः कारणात् सिद्ध्येत् वल्मीकस्यापि तत्कृतिः ॥ प्र० वा० १.१५
१. १४ . शरीराभावे च ज्ञानाद्याश्रयत्वमप्यसंभाव्यं, तदुत्पत्तावस्य निमित्तकारणत्वात्, अन्यथा मुक्तात्मनोऽपि तदुत्पत्तिप्रसक्तेः । तर्करहस्यदीपिका, पृ० १८०
Page #80
--------------------------------------------------------------------------
________________
ભારતીય તત્ત્વજ્ઞાન १.१५. अस्तु वा दृश्योऽदृश्यो वासौ, तथापि कि सत्तामात्रेण १, ज्ञानवत्त्वेन २, ज्ञानेच्छा.
प्रयत्नवत्वेन ३, तत्पूर्वकव्यापारेण ४, वा क्षित्यादेः कारणं स्यात् । तत्राधपक्षे कुलालादीनामपि जगत्कर्तृत्वमनुषज्यते, सत्त्वाविशेषात् । द्वितीये तु योगिनामपि कर्तृत्वापत्तिः। तृतीयोऽप्यसांप्रतः, अशरीरस्य पूर्वमेव ज्ञानाद्याश्रयत्वप्रतिषेधात् । चतुर्थोऽप्यसंभाव्यः,
अशरीरस्य कायवाकृतव्यापारवत्त्वासंभवात् । तर्करहस्यदीपिका, पृ० १८१ १.११.यथा तत्कारणं वस्तु तथैव तदकारणम् ।
यदा तत्कारणं केन मतं नेष्टमकारणम् ॥ प्र० वा० १.२२ १६७. स्वभावभेदेन विना व्यापारोऽपि न युज्यते ।
नित्यस्याव्यतिरेकित्वात् सामर्थ्यं च दुरन्वयम् ॥ प्र० वा० १.२४ १.१८. पृथक् पृथगशक्तानां स्वभावातिशयेऽसति। । __ संहतावप्यसामर्थ्य स्यात् सिद्धोऽतिशयस्ततः॥१.२९।। तस्मात् पृथगशक्तेषु येषु संभाव्यते गुणः।
॥१.३०। प्र०वा० १६९. तर्करहस्यदीपिका, पृ० १८७ १७०.ये वा क्रमेण जायन्ते ते नेश्वरहेतुकाः।
यथोक्तसाधनोद्भूता जडानां प्रत्यया इव ।।८८॥ तेषामपि तदुद्भूतौ विफला साधनाभिधा ।
नित्यत्वादचिकित्स्यस्य नैव सा सहकारिणी ॥८९॥ तत्त्वसङ्ग्रह १.७१. कर्तृत्वप्रतिषेधाच्च सर्वज्ञत्वं निराकृतम् ।
बोद्धव्यं तद्बलेनैव सर्वज्ञत्वोपपादनम् ।।९१॥ तत्त्वसङ्ग्रह १.७२. विषयाणां क्रमिकत्वेन तज्ज्ञानेष्वपि च क्रमः ॥७६॥ तत्त्वसंग्रह १.७३. मो तत्त्वसंASR१५६-१७०, २ , ५० १८२-८३,
સ્યાદ્વાદમંજરી, શ્લોક ૬ ઉપર. 298. “The law of karma is thought sufficient to guide the formation
of objects...There is neither creation nor total destruction. The world is eternally there." An Introduction to Indian Philosophy,
S. C. Chatterjee & D. M. Datta, 1954, p. 339. १७५.न हि अतीन्द्रियार्थे वचनमन्तरेण अवगतिः सम्भवति, तदिदमुक्तम् – अशक्यं हि तत्
पुरुषेण ज्ञातुमृते वचनात् । शाबरभाष्य १.१.२ १.७६. मीमांसासूत्र १.१.२७-३२ (शाबरभाष्य सहित)
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૩ ૩
ભારતીય દર્શનોમાં ઈશ્વર ૧૭૭.ર લખિ પ્રમાણે ચાત્ સર્વ કેન વાર્યતે |
एकेन तु प्रमाणेन सर्वज्ञो येन कल्प्यते ॥ नूनं स चक्षुषा सर्वान् रसादीन् प्रतिपद्यते। श्लोकवार्तिक चोदनासूत्र श्लोक ११०-११२ અર્થાત્ સર્વજ્ઞતાના નિષેધનો અર્થ છે સાક્ષાત્ ધર્મજ્ઞત્વનો નિષેધ. એટલે કે કોઈ પણ પુરુષ ધર્મને પ્રત્યક્ષથી જાણીને સર્વજ્ઞ ન બની શકે. ધર્મ સિવાય અન્ય બધા પદાર્થોનું જ્ઞાન જ તે કરવા માગતો હોય તો ભલે કરે, અમને કોઈ વાંધો નથી. આ રીતે ધર્મને તો વેદ દ્વારા જ અને અન્ય પદાર્થોને પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન,
અર્થોપત્તિ અને અભાવ આદિ પ્રમાણોથી યથાયોગ્ય જાણીને કોઈ જ આડકતરી રીતે સર્વજ્ઞ બનવા ઈચ્છતો હોય તો પણ એક પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા જ જે સર્વજ્ઞ બની ધર્મને પણ જાણવા ઇચ્છે છે તે તો એના જેવો છે જે કેવળ આંખ વડે જ રસ,
ગંધ, સ્પર્શ, શબ્દ બધાને જાણવા ઇચ્છે છે. ૧૭૮.ઘ િિનરત રવ ગ્રહ સૂત્ર રૂ.૨.૪૦ ૧૭૯.વિવેકપૂડા , હોવા ૨૨૦ १८०. लोकवत्तु लीलाकैवल्यम् । वेदान्तसूत्र २.१.३३ शांकरभाष्य सहित ૧૮૧. ભારતીય રન, માવા વવ ૩૫ાધ્યાય, ૨૨૮૪, પૃ. ૩૬૦ १८२. शक्तिद्वयं हि मायाया विक्षेपावृतिरूपकम् । दृग्दृश्यविवेक, श्लोक १३ १. ८ 3. परायत्तेऽपि हि कर्तृत्वे करोत्येव जीवः । कुर्वन्तं हि तमीश्वरः कारयति । वे०सू०
२.३.४१-४२ शांकरभाष्य 168. An Introduction to Indian Philosophy, S. C. Chatterjee & D.
M. Datta, 1954, p. 404 405 ૧૮૫. ભારતીય ટન, માવા નવ રૂપાધ્યાય, પૃ. ૩૬૩, ૬૪૭-૬૪૮ 165. "Sankara also speaks of Māyā as the power of God, but this
creative power, according to him, is not a permanent character of God, as Ramānuja thinks, but only a free will which can, therefore, be given up at will." An Introduction to
Indian Philosophy, S. C. Chatterjee & D. M. Datta, p. 378. 9. "It will be quite clear now that Sankara does not deny the world in the second or practical aspect, like a subjective idealist who reduces it to a mere idea of the perceiving individual, and who does not allow it an extra-mental existence. This will be further evident from the way in which he refutes the subjectivism of the Vijnanavadin.' એજન, પૃ૦ ૩૯૩
Page #82
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ભારતીય તત્વજ્ઞાન
१८८. "There are two problems that appear in the human mind as to . ,
the world. One of them is : What is the ultimate ground, substance, or reality logically presupposed by the world ? The other is : Why or how the world originates from what is accepted as the ultimate ? The solution of the first is the primary business of philosophy. ... The soultion of the second problem is the business of mythology which starts with God (or some other ultimate) and gives an imaginary account of why and how the world is created. Imagination is the chief instrument here, and no
logical rigour can be expected in its work." 2784, 4o 7oz १८८. सर्वप्रमाणस्य सविशेषविषयतया निर्विशेषवस्तुनि न किमपि प्रमाणं समस्ति ।
निर्विकल्पकप्रत्यक्षेऽपि सविशेषमेव वस्तु प्रतीयते । सर्वदर्शनसंग्रह, पृ० ४३ १६०. निर्गुणवादाश्च परस्य ब्रह्मणो हेयगुणसम्बन्धादुपपद्यते । श्रीभाष्य, पृ० ८३ १६१. भारतीय दर्शन, आचार्य बलदेव उपाध्याय, पृ० ३९२, ३९४-३९५ १८२. An Introduction to Indian Philosophy, S. C. Chatterjee & D.
M. Datta, p. 419-420 १८3. स्थूलसूक्ष्मचिदचित्प्रकारकं ब्रह्मैव कारणं चेति ब्रह्मोपादानं जगत् । सूक्ष्मचिदचितो.
सर्वावस्थास्थितयोः परमपुरुषशरीरत्वेन तत्प्रकारतया पदार्थत्वात् तत्प्रकार: परमपुरुषः सर्वदा सर्वशब्दवाच्य इति विशेषः । श्रीभाष्य, १.१.१ (पृ. ८२).
भारतीय दर्शन, आ० बलदेव उपाध्याय, पृ० ३९३-३९४ १६४. वस्त्वन्तरविशिष्टस्यैव अद्वितीयत्वं श्रुत्युभप्रायः । सूक्ष्मचिदचिद्विशिष्टस्य ब्रह्मणः तदानीं
सिद्धत्वात् विशिष्टस्यैव अद्वितीयत्वं सिद्धम् । वेदान्ततत्त्वसार १४५. श्रीभाष्य १.१.१ (पृ.८८) १.८१. भारतीय दर्शन, आ० बलदेव उपाध्याय, पृ० ३९३ ૧૯૭, એજન, પૃ. ૩૯૬-૩૯૭ १६८. उभयपरिकर्मितस्वान्तस्यैकान्तिकात्यन्तिकभक्तियोगलभ्यः। यामुनाचार्य
रामानु४ शान' २२-६नो अर्थ GIसन (ति) ३ छ. गुभो : "अतो...ध्यानोपासनादिवाच्यं ज्ञानम्"; "वेदनम् उपासनं स्यात्"; "उपासना
पर्यायत्वात् 'भक्ति'शब्दस्य" श्रीभाष्य १.१.१. १.८८. श्रीवैकुण्ठमुपेत्य नित्यमजडं तस्मिन् परब्रह्मणः।
सायुज्यं समवाप्य नन्दति समं तेनैव धन्यः पुमान् ॥ वरदगुरु
Page #83
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
२००. एवं गुणाः समानाः स्युर्मुक्तानामीश्वरस्य च ।
सर्वकर्तृत्वमेवैकं तेभ्यो देवे विशिष्यते ॥ सर्वदर्शनसंग्रह, पृ० ४७ २०१. स्वलीलावशादर्चाविभवव्यूहसूक्ष्मान्तर्यामिभेदेन पञ्चधावतिष्ठते । तत्र अर्चा नाम प्रतिमादयः । रामाद्यवतारो विभवः । व्यूहश्चतुर्विधो वासुदेवसंकर्षणप्रद्युम्नानिरुद्धसंज्ञकः । सूक्ष्मं संपूर्ण षड्गुणं वासुदेवाख्यं परं ब्रह्म । अन्तर्यामी सकलजीवंनियामकः । सर्वदर्शनसंग्रह, रामानुजदर्शन, पृ० २२३-२२५
२०२. 'ब्रह्म' शब्देन च स्वभावतो निरस्तनिखिलदोषः अनवधिकातिशयासंख्येयकल्याणगुणगणः पुरुषोत्तम अभिधीयते । सर्वत्र बृहत्वगुणयोगेन हि 'ब्रह्म'शब्दः । बृहत्वं. . च स्वरूपेण गुणैश्च यत्रानवधिकातिशयं सोऽस्य मुख्यार्थः । स च सर्वेश्वर एव । अतो 'ब्रह्म'शब्दः तत्रैव मुख्यवृत्तः । श्रीभाष्य १.१.१.
૨૦૩. ભારતીય તત્ત્વવિદ્યા, ૧૯૫૮, પૃ૦ ૭૫
२०४. अवतारादयो विष्णोः सर्वे पूर्णाः प्रकीर्तिताः । माध्वबृहद्भाष्य
२०५. परमात्मभिन्ना तन्मात्राधीना लक्ष्मी । मध्वसिद्धान्तसार पृ० २६
२० ५ . घ्यानं च इतरतिरस्कारपूर्वकभगवद्विषयकाखण्डस्मृतिः । ४८, पृ० १५७ २०७. मुक्ताः प्राप्य परं विष्णुं तद्देहं संश्रिता अपि ।
तारतम्येन तिष्ठन्ति गुणैरादनन्दपूर्वकैः ।। गीतामध्वभाष्य
२०८. जीवस्य तादृशत्वं च चित्त्वमात्रं न चापरम् । मध्वसिद्धान्तसार, पृ० ३०
निरञ्जनः परमं साम्यमुपैति | मुण्डक ३.१.३. भुंडनामा वायने खाना समर्थनमां ઉષ્કૃત કરવામાં આવે છે.
२०८. सायुज्यं नाम भगवन्तं प्रविश्य तच्छरीरेण भोगः । मध्वसिद्धान्तसार
२१०. भारतीय दर्शन, आ. बलदेव उपाध्याय, पृ० ४०३- ४०९; तथा मध्वसिद्धान्तसार २११. दशश्लोकी । वेदान्तपारिजातसौरभ ।
२१२. भारतीय तत्त्वविद्या, पृ. ८४
२१.३.
२१४. अंशो हि शक्तिरूपो ग्राह्यः । कौस्तुभ, २.३.४२
स्वभावतोऽपास्तसमस्तदोषमशेषकल्याणगुणैकराशिम् । दशश्लोकी,
२१५. दशश्लोकी, २
२१.५. दशश्लोकी नवम पद्य पर वेदान्तरत्नमञ्जूषा
२१.७. भारतीय दर्शन, आ० बलदेव उपाध्याय, पृ० ४०९-४१२
૨૧૮. એજન, પૃ૦ ૪૧૦
२१८. भारतीय तत्त्वविधा ५० १७, ८२
२२०. भारतीय दर्शन, आ० बलदेव उपाध्याय, पृ० ४१४
૧૩૫
४
Page #84
--------------------------------------------------------------------------
________________ ભારતીય તત્ત્વજ્ઞાન 221. शुद्धाद्वैतपदे ज्ञेयः समासः कर्मधारयः। अद्वैतं शुद्धयोः प्राहुः षष्ठीतत्पुरुष बुधः / / मायासम्बन्धरहितं शुद्धमित्युच्यते बुधैः। कार्यकारणरूपं हि ब्रह्म न मायिकम् / / शुद्धाद्वैतमार्तण्ड, 27-28 222. अनुभवविषयत्वयोग्यता आविर्भावः, तदविषयत्वयोग्यता तिरोभावः। विद्वन्मण्डन, पृ०७ 223. तद् ब्रह्मैव...समवायिकारणम् / कुतः ? समन्वयात् सम्यगनुवृत्तत्वात् / . अस्तिभातिप्रियत्वेन सच्चिदानन्दरूपेणान्वयात् / अणुभाष्य 1.1.3 2 24. अणुभाष्य 3.2.5 (पराभिध्यानात्तु). 225. प्रमेयरत्नार्णव, पृ०७-९ 221. नृणां निःश्रेयसार्थाय व्यक्तिर्भगवतो नृप। भागवत, 10.29.14 अतः स्वपरप्रयोजनाभावाद् यदिसाधननिरपेक्षांमुक्तिंनप्रयच्छेत्, तदाव्यक्ति प्रादुर्भावःप्रयोजनरहितैवस्यात्।सुबोधिनी 227. पुरुषः स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया / गीता 8.22 / तेन ज्ञानमार्गीयाणां न पुरुषोत्तमप्राप्तिरिति सिद्धम् / अणुभाष्य 3.3.33 228. पोषणं तदनुग्रहः / भागवत 2.10 226. प्रमेयरत्नावर्णव, पृ० 19 / अणुभाष्य, 3.3.29 तथा 4.4.9. 230. मुक्तिर्हित्वाऽन्यथाभावं स्वरूपेण व्यवस्थितिः। भागवत 231. ભારતીય તત્ત્વવિદ્યા, પૃ. 85