________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા અનાશવંત છે, એમ કહેવામાં જરાપણ અસત્ય નથી. માટીના અનેક આકાર બને અને તે આકારે નાશ પામે પણ છે; પણ તેના પર્યાયે બનેલા જુદા જુદા આકારની અપેક્ષાએ અનિત્ય છે. કેટલીક વાર જને ઉપર એ આક્ષેપ મુકવામાં આવે છે કે તેઓ એક જ વસ્તુને નિત્ય અને અનિત્ય એક સમયે માને છે, માટે તેઓ અસત્યવાદી છે. આમ કહેનારાએ એક પ્રકારની ગંભીર ભુલ કરે છે. જેનેનું એમ કદાપિ કહેવું નથી કે એકજ અપેક્ષાએ એક વસ્તુ નિત્ય અને અનિત્ય છે. જેવા દષ્ટિબિન્દુથી આપણે વસ્તુ તરફ જોઈએ તેવી તે જણાય છે. મેહનલાલ તેના પિતા વાડીલાલની અપેક્ષાએ પુત્ર છે, પણ તેને તે મોહનલાલ પિતાના પુત્ર ગીરધરલાલની અપેક્ષાએ પિતા છે. હવે આ રીતે વિચારતાં જણાય છે કે એક જ માણસ પિતા અને પુત્ર થઈ શકે, પણ તે જુદી જુદી અપેક્ષાએ થઈ શકે છે, એ કદાપિ વિસરવું જોઇતું નથી. જે માણસ અપક્ષા ભુલી જાય, અને સ્યાદ્વાદને અનિશ્ચિતવાદ રૂપે દેરવવાનો પ્રયત્ન કરે તે તે તે માણસ જૈન ધર્મનું સ્વરૂપ બિલકુલ સમયે નથી, એમ માનવું પડે. માટે જે જે અપેક્ષાએ જે વચન ઉચ્ચારવામાં આવ્યું હોય, તે તે અપેક્ષાએ તે તે વચન ગ્રહણ કરવું. આ રીતે વિચારવાથી દરેક વસ્તુ અનેક અપેક્ષાથી જોઈ શકાય છે, અને તેથી વસ્તુ માત્રનું ખરૂં સ્વરૂપ સમજવામાં આવી શકે.
છએ દ્રશ્ય નિ ય છે અને અનત્યિ પણ છે. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પયાયની અપેક્ષાએ અનિત્ય છે.
For Private And Personal Use Only