________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવામાં આવે છે. આ ચારિત્રના બે પ્રકાર શાસ્ત્રમાં વવેલા છે, દ્રવ્યથી ચારિત્ર અને ભાવથી ચારિત્ર. શ્રાવકના માંચ અનુવ્રત ગ્રહણ કરવાં અથવા ખાર વ્રત ધારણ કરવા, અથવા સાધુના પંચ મહાવ્રત ધારવા, અને તદનુસાર ચતિવેષનું ગ્રહણ કરવું તે સર્વ દ્રવ્ય ચારિત્ર ગણવામાં આવે છે. અને આત્મ સ્વરૂપની રમણુતાને ભાવ ચારિત્ર સમજવુ, ભાવ ચારિત્ર પામવુ એ કામ સુલભ નથી, પણ દ્રશ્ય ચારિત્ર તે ભાવ ચારિત્રનું કારણ છે. ભાવ ચારિત્ર પ્રાપ્ત કરવાને દ્રવ્ય ચારિત્ર જેવુ' ઉત્તમ સાધન ખીજું એક પણ નથી; પણ કેવળ દ્રવ્ય ચારિત્રથી ભાવ વિના મુકિત પમાય, એમ કહી શકાય નહિ. ભાવ એ સર્વમાં ઉત્તમ છે. દાન, શીળ, અને તપ પણ ભાવથીજ શાલે છે. ઉપદેશ તર‘ગિણીમાં. કહ્યુ' છે કેઃ—
दानं तपस्तथा शीलं नृणां भावेन वर्जितम् ॥ अर्थहानिः क्षुधापीडा कायक्लेशश्च केवलम् ॥ १ ॥
અર્થ—દાન, તપ અને શીળ ભાવથીજ શાભે છે, પણ જો ભાવ વિના કરવામાં આવ્યા હોય તેા દાનથી કેવલ ધન હાનિ થાય છે, તપથી ભુખની પીડા થાય છે, અને શાળ પાળવાથી કેવળ કાયકલેશ થાય છે. આ ઉપરથી કહેવાના ભાવાર્થ એમ નથી કે દ્રવ્યથી આ સર્વ કામ ન કરવાં, પણ ભાવ વિના કરવામાં આવે તે વિશેષ લાભકારી થતાં નથી, માટે ભાવ સહિત દ્રશ્ય ચારિત્ર પાળવુ જોઇએ. યાવિજય ઉપાધ્યાયજી લખે છે કેઃ
-
For Private And Personal Use Only