________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીએ તે રેતને હલકી અને ભારે એવા બે તદ્દન વિકરોધી ધર્મ લાગુ પાડી શકીએ. રેત આટા કરતાં ભારે છે, માટે આટાની અપેક્ષાએ ભારે એ વિશેષણ લગાડી શકાય, તેમજ તેજ રેત સીસાની અપેક્ષાએ હલકી છે. માટે સીસાને વિચાર કરતાં રેતને હલકી કહી શકાય. વ્યવહારમાં આ પણે ગમે તે વિશેષણ લગાડ શકીએ, પણ નિશ્ચયથી વિચાર કરીએ તે બીજા ગુણે અથવા ધર્મને અનાદર કરી ફકત એકજ ધર્મની પ્રાધાન્યતા કહેવી તે અસત્ય કહેવાય છે. કઈ ગાય લાલ હોય અને તેમાં કેટલાક કાળા છાંટા હેય; હવે તે ગાયને કેવલ લાલ કહેવી તે નયાભાસ છે. કાળાશ તેમાં ગણપણે હય, છતાં તે ગૌણ ધર્મને પણ અપલાપ કરે તે મિથ્યાવ છે. આ રીતે અનેક રીતે વસ્તુને તપાસવી, અને એકજ અપેક્ષાને વળગી ન રહેવું તેને સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદ કહે છે. - આ રીતે સ્યાદ્વાદના સ્વરૂપને દુક ખ્યાલ આપી હવે તે દૃષ્ટિથી આત્મ તત્વ કેવું ભાસે છે તે વિચારીએ. જુદા જુદા ધર્મ શ તેનું સ્વરૂપ કેવું પ્રતિપાદન કરે છે, એ અત્રે આપણે વિચારવા માગતા નથી, પણ સ્યાદાદ દષ્ટિથી તે વિચારીશું. સ્યાદ્વાદ મત પ્રમાણે આત્મા નિત્યાનિત્ય છે. નિત્ય અને અનિત્ય એ બે વિરોધી ધર્મ છે, છતાં એકજ આત્મ તત્વમાં તે જુદી જુદી અપેક્ષાથી રહેલા છે, એ વિ. ચાર વિસરે જોઈતું નથી. દ્રવ્યાર્થિક નયથી આત્મા નિત્ય છે; પણ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ તે અનિત્ય છે. જેમ જન્મે છે ત્યારે બાળક હોય છે, પછી યુવાન થાય છે,
For Private And Personal Use Only