Book Title: Apurva Avsar Pravachan Author(s): Shrimad Rajchandra, Kanjiswami Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૪) કવિતમાં બતાવવામાં આવ્યો છે. તેઓશ્રીએ ભાવસાધુપણું પ્રગટાવી કેવળજ્ઞાન પામવાના તીવ્ર પુરુષાર્થની ભાવના ભાવી છે અને તેવો અવસર (તેવી દશા) જલદી પ્રગટ કરવાને તેઓ કેટલા ઉત્સુક હતા તે આમાંથી તરી આવે છે, આ કવિતની નવમી ગાથામાં દ્રવ્ય અને ભાવે સાધુપણું કેવું હોય તે ઘણી સુંદર રીતે કહ્યું છે, તથા ઉપસર્ગ વખતે જ્ઞાનીની દશા કેવી હોય તે પણ તેમાં બતાવ્યું છે. આ કવિતમાં ઘણાં ઊંડા તત્વનાં રહસ્ય સમાયેલાં છે. સાં. ૧૯૯૫ માં રાજકોટના ચાતુર્માસમાં પરમ પૂજ્ય ગુરુદેવે જે પરમ ઉપકારો કર્યા છે તે માંહેનો એક આ કવિત ઉપરનાં પ્રવચનો છે. આ પ્રવચનોમાં આ કાવ્યનું ગૂઢ રહસ્ય ઘણી સહેલી, સુંદર અને સ્પષ્ટ ભાષામાં પ્રગટ કરવામાં આવ્યું છે. ટૂંકામાં જણાવવાનું કે આ કાવ્યમાં રહેલા ગંભીર આશયો આ પ્રવચનોમાં ઘણી જ સ્પષ્ટ ભાષામાં સમજાવવામાં આવ્યા છે, તેથી મુમુક્ષુઓને ઘણા લાભનું કારણ થયું છે; બાળકો, બહેનો, યુવાનો અને વૃદ્ધો સૌ કોઈ સમજી શકે તેવાં આ પ્રવચનો હોવાથી સર્વેને તેનો લાભ Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 190