Book Title: Apurva Avsar Pravachan Author(s): Shrimad Rajchandra, Kanjiswami Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates -: પ્રસ્તાવના: અપૂર્વ અવસર એવો ક્યારે આવશે” એ પદથી શરૂ થતું કાવ્ય પ્રસિદ્ધ જૈન તત્ત્વવેતા પરમ પૂજ્ય શ્રીમાન્ સમીપસમયવર્તી સમયજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ સાં. ૧૯પર ના માગશરના અરસામાં વવાણિયા મુકામે લખ્યું છે. તેઓશ્રી વીતરાગના મહાન ઉપાસક અને આત્મજ્ઞાની હતા. બાલ્યાવસ્થામાં જ તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. નિવૃત્તિની તેમને તીવ્ર ઝંખના હતી, તે નિવૃત્તિની ભાવના તેઓએ આ કવિતમાં ઘણી સુંદર અને સચોટ દર્શાવી છે. આ કાવ્ય, જૈનધર્મનાં તથા ઈતરધર્મના અનુયાયીઓમાં ઘણું પ્રસિદ્ધ છે અને તે ઘણે ઠેકાણે પ્રાર્થનારૂપે બોલી તેની ભાવના કરવામાં આવે છે. તેઓશ્રીએ આ ભાવના પોતાને સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી ભાવી છે. , તે એમ સૂચવે છે કે ધર્મની શરૂઆત સમ્યગ્દર્શન થયા પછી જ થઈ શકે છે. સમ્યગ્દર્શનપૂર્વક જ ચારિત્ર હોઈ શકે છે એ સિદ્ધાંત ઘણી સ્પષ્ટ રીતે આ Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 190