Book Title: Aptavani 12 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 175
________________ ક્રોધ-ગુસ્સો ૨૭૭ ૨૭૮ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) બધો લાગે, મારા નજીકમાં રહેનારા બધાને તાપ સખત લાગે અને ગુસ્સો એ તો નબળાઈ છે ઉઘાડી. ખાલી એમ ને એમ જ તાપ લાગે એવો છે. ગુસ્સો કરવાની જરૂર જ ના હોય, તાપ જ લાગે છે એમને. પ્રશ્નકર્તા: દાદા, પહેલાં થતો હતો અને હવે થતો જ નથી. પ્રયત્ન કરવા જાય તોય નથી થતો. દાદાશ્રી : હા, એટલે પછી શીલ ઉત્પન્ન થયું કહેવાય ને શીલ થયું એટલે પછી તાપ લાગે. એને પ્રતાપ ઉત્પન્ન થાય ! અને ક્રોધ હોય ત્યાં હજી લીકેજ થઈ ગયું એટલે યુઝલેસ થઈ જાય છે અને બહુ ક્રોધ થાય ત્યાં માણસ સાવ ખલાસ જ થઈ જાય. ક્રોધિત થાય તે તો આમ આમ હાલે હઉએ કેટલી બધી નિર્બળતા કહેવાય અને ભગવાન મહાવીર કેવા હશે, આમ પેલો મારે, ગાળો દે તોય કંઈ નહીં ! આપણે એવું જોઈને થઈ જવાનું છે. આપણે ત્યાં કોઈને ગુસ્સો આવતો હોય તો એ પ્રતિક્રમણ કરે એટલે ગુસ્સો પોતાને આવતો નથી. પોતે જુદો અને આ ગુસ્સો જુદો છે. એ જ્ઞાન હોવા છતાં પાછું પ્રતિક્રમણ કરે છે. પણ પ્રતિક્રમણ કરવાથી શું થાય કે સહેજેય મળ ચોંટે નહીં. તાંતાએ કહ્યો ક્રોધ ! આ તો ક્ષણે ક્ષણે આત્માનો અનુભવ હોય. કારણ કે જ્યારે ચંદુભાઈ કોઈની જોડે અકળાય તે ઘડીએ મહીં છે એ આત્મા શું કહે ? ‘આવું ન થવું જોઈએ.’ એટલે પોતે જુદો ને જુદો રહે છે એ આત્માનો અનુભવ છે. અને આ ચંદુભાઈ જે કરે તેય જુદું ને આ જુદું, એ બે ભેદ નથી દેખાતા ? પ્રશ્નકર્તા : એ તો દેખાય છે. દાદાશ્રી : પહેલાં એકાકાર હોય, ક્રોધ થયો કે તેની સાથે મનમાં તન્મયાકાર થઈ જાય. એટલે પોતે પોતાનો ક્રોધ બંધ કરી શકે નહીં. આ ક્રોધ કહેવાય નહીં. હવે તમને ક્રોધ-માન-માયા-લોભ રહેતાં જ નથી. ચંદુભાઈને જે થાય છે એ ક્રોધ-માન-માયા-લોભ ગણાતાં નથી, કાયદેસર. ત્યારે કો'ક કહેશે, ‘કેમ એમ નથી ગણાતા ?” ત્યારે ક્રોધની વ્યાખ્યા છે કે ક્રોધ હંમેશાં હિંસકભાવ સહિત હોય અને તાંતાવાળો હોય. તાંતો એટલે રાતે આ બેન જોડે કંઈ કકળાટ થયો હોય તમારે, તો સવારમાં એ ચા મૂકે તો ચાનો પ્યાલો આમ ટકરાવે, જરા આમ. એ તાંતો કહેવાય. રાતનો તાંતો અત્યારે છે. ત્યારે તમેય તાંતામાં બોલો, ‘હં, હજુ તો પાંસરા થતા નથી !” એ બધું તાંતો કહેવાય. હવે રાતે આપણે ઝઘડો થયોને, તે સવારમાં કશું ના હોય. ભૂલી જાય પછી. એની જોડે તાંતો જ ના હોય. નહીં તો તાંતો તો પંદર વર્ષ ઉપર નુકસાન કરી ગયો હોય માણસ, પછી તમે પોતે ભૂલી જાવ પણ જો એ કદી અહીંથી ભરુચ તમે ગયા અને ભરૂચના બજારમાં એ દેખાય કે તરત જ તાંતો યાદ આવે. એટલે તાંતો જાય નહીં અને અહીં આવો તાંતો ના હોય. હવે ક્રોધ-માન-માયા-લોભ ગયા, તેની નિશાની શું ? ત્યારે કહે, આપણને તાંતો ના રહે, નહીં તો ચાલીસ વર્ષય તાંતો જાય નહીં. આ તો કોઈ નાક કાપી ગયું હોય તો એની ઉપરેય, બીજે દા'ડે તાંતો ના રહે. ભયંકર વિરાધના કરી ગયો હોય તોય તાંતો ના રહે. અને પેલું તો થોડુંક જ નુકસાન કરી ગયો હોય તો ચાલીસ વર્ષ સુધી તાંતો ના જાય. ભેગો થાય કે તરત યાદ આવે કે આ પેલો આવ્યો. અને હવે તો સાંજે કશું ભાંજગડ થઈ હોયને, તો સવારમાં એને તાંતો ના રહે. રહે છે હવે તાંતો ? એટલે લોભનો તાંતો ના રહે, ક્રોધનો તાંતો ના રહે, કશાનો તાંતો ના રહે. આપણને એવું તેવું તાંતો-બાંતો ના હોય. સરળ થઈ જાય, જાણે રાતે કશું બન્યું જ નથી. એ રાતે ને રાતે ફાઈલોનો નિકાલ ન થઈ જાય. તાંતો ના રહે. ભગવાને ક્રોધ-માન-માયા-લોભ, તાંતાને જ કહ્યું છે. જો તાંતો છે તો ક્રોધ-માન-માયા-લોભ છે અને તાંતો નથી તો અજીવના ગુણ છે, નિર્જીવના ગુણો છે. એટલે તાંતો કોને રહે છે જેને મિથ્યાત્વ હોય. આખા જગતના જીવોને મિથ્યાત્વ તાંતો રહેવાનો અને આ તમને સમ્યકત્વ તાંતો બેસી ગયો કાયમનો, નિરંતર સમ્યકત્વ. એટલે ક્ષાયક દર્શનનો તાંતો બેસી ગયો, એટલે પેલો તાંતો ઊઠી ગયો. તમને આ તાંતો રહ્યો, એટલે આ વધારે યાદ રહે. જ્યાં તાંતો હોય, ત્યાં આત્મા હોય. એટલે આ લાયક દર્શન બેસાડ્યું છે આખું. નિરંતર, આનો તંત રહેવાનો, નિરંતરનો તાર. ક્ષાયક સમકિત કહેવાય આ. એટલે આ પ્રતીતિને તાંતો કહે છે, નિરંતર પ્રતીતિ. ‘હું શુદ્ધાત્મા છું' એની પ્રતીતિ નિરંતર બેઠેલી છે.

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253