Book Title: Aptavani 12 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 194
________________ મોક્ષનું તપ ૩૧૫ તપથી પ્રગટે આત્મઐશ્વર્ય! પ્રશ્નકર્તા : દાદા, તે અદીઠ તપ કરીએ, તે કર્તાપદમાં નહીં જાય ? દાદાશ્રી : ના, અદીઠ તપ એટલે આત્માનું જ તપ, પુરુષનો પુરુષાર્થ. દાક્તરે કહ્યું હોય કે હવે બે દા'ડા ટકે એવો નથી અને પેલો ટકે એવો હોય, એના મનમાં એમ થાય કે વળી આ હારું શું થશે ? તે મહીં ઘાલમેલ ઘાલમેલ કર્યા કરે, એ ઘડીએ તપ કરવાનું. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધાં કૂદાકૂદ કરે, તે જોયા કરવાનું. આપણી વાત છે કે બીજી ચીજની છે ? હા, તો ટકવાની. તો એ જશે તો જશે પણ તપ કર્યા કરવાનું આપણે. આપણી વસ્તુઓ પ્રગટ થાય છે. ઊલટું ઐશ્વર્ય પ્રગટ થાય છે. કેવું ઐશ્વર્ય પ્રગટ થાય ? એક ફેરો તપ કરવાથી તો કેટલું બધું ઐશ્વર્ય પ્રગટ થાય. આખું ઘર બળતું હોય, એકનું એક ઘર હોય તે બળતું હોય, એ જવાનું ત્યાં આગળ. ડોલો ઝાલીને બધું પાણી નાખવાનું. બહાર બાહ્ય ક્રિયા બધી કરવાની પણ મહીં તપ રહે. આમાંથી આપણું છે જ કયું છે ? આ આપણું નથી એવું રહે ! [૯.૧]. ભોગવવું - વેદવું - જાણવું જ્ઞાતીઓ દૈહિક વેદતામાં... પ્રશ્નકર્તા : જ્ઞાનીનેય શરીરનું દુઃખ ભોગવવાનું હોય ? દાદાશ્રી : જ્ઞાનીને જ ભોગવવાનું હોય. બીજા તો ઈન્વેક્શનદવાઓ લઈને દુ:ખ બેસાડી દે. તેનો ઓવરડ્રાફટ લે. અમે ઓવરડ્રાફટ ના લઈએ. નિકાલ કરી નાખીએ. કૃપાળુદેવને પાર વગરનું દુ:ખ હતું. લઘુરાજ સ્વામીને વરસોથી સંડાસમાં લોહી પડતું. ભગવાન મહાવીરને ય પાર વગરનું દુ:ખ પડ્યું. તેથી તો મહાવીર કહેવાયા. વિચાર એવો આવવો જોઈએ કે આ જ્ઞાની શારીરિક વેદનાનો કેવી રીતે નિકાલ કરે છે ! તપ થયું કે આત્મઐશ્વર્ય પ્રગટ, પહેલું તો આ સમ્યક્ દર્શનથી થયું આત્મઐશ્વર્ય પ્રગટ. આ જ્ઞાન અમે આપીએ, તે એમાં તો તમારો કંઈ પુરુષાર્થ નહીંને ? પછી જ્ઞાનમાં પુરુષાર્થ થશે ધીમે ધીમે, એ અનુભવમાં આવે તેમ તેમ. આ દાદાનું ઐશ્વર્ય, તે આ પ્રગટ થયેલું છે. આ બધું ઐશ્વર્ય, પાર વગરનું ઐશ્વર્ય પ્રગટ થયું, તે આ લોકોએ જોયું નથી હજુ તો ! એટલું બધું ઐશ્વર્ય પ્રગટ થયેલું. જેમ જેમ નીકળે ત્યારે ખબર પડે કે આ કઈ જાતનું ઐશ્વર્ય !! અને એટલું જ ઐશ્વર્ય દરેક આત્મામાં છે. ઐશ્વર્ય પ્રગટ થયું નથી અને પ્રગટ થાય તેને વ્યક્ત કહે છે. અત્યારે તમારે અવ્યક્તભાવે પડેલું છે ! અમારે ઐશ્વર્ય વ્યક્ત થઈ ગયું છે. અશાતા વેદનીયમાંય સમાધિ આ જ્ઞાન જ જ્ઞાતા-દ્રષ્ટાનું છે. અશાતા વેદનીયમાં નિરંતર હાજર રહે એવું આ જ્ઞાન છે. આ પાંચ આજ્ઞા પાળે તો એની પાસે અશાતા વેદનીય આવી જ ન શકે. આત્મા પ્રાપ્ત થયા પછી ઊંઘમાંથી જાગીએ કે તરત જ આત્મા હાજર થાય, એનું નામ આત્મા પ્રાપ્ત થયો કહેવાય. અને એવો આત્મા પ્રાપ્ત થયા પછી કશું બાકી રહેતું જ નથી. એટલે તમારે કશાથી બીવું નહીં. ‘લાખોગણી વેદનીય આવો' કહીએ. પણ વેદનીય આવે

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253