Book Title: Aptavani 12 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 218
________________ उ६४ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) સત્સંગનું માહાત્મય ! ૩૬૩ એવું છેને, આ શુદ્ધાત્મા પદ તો કોઈ છોડેય નહીંને ! અહીં તો રોજ ચીપિયા માર માર કરે તો ય આ પદ ના છોડવું જોઈએ ! દાદાતા સત્સંગની અલૌક્કિતાઓ ! એ જો કર્મના ઉદય બહુ ભારે આવે ત્યારે આપણે સમજી લેવાનું કે આ ઉદય ભારે છે, માટે શાંત રહો. ઉદય ભારે એટલે પછી તો ટાઢો પાડી દઈને સત્સંગમાં જ બેસી રહેવું. એવું ચાલ્યા જ કરે. કેવા કેવા કર્મના ઉદય આવે એ કહેવાય નહીં. અહીં બેઠા એટલે કંઈ ન કરો તોય મહીં ફેરફાર થયા જ કરે. કારણ કે સત્સંગ છે. સત્ એટલે આત્મા, એનો સંગ ! આ પ્રગટ થયેલું સત્, તે તેના સંગમાં બેઠા એ છેલ્લામાં છેલ્લો સત્સંગ કહેવાય. બીજા બધા સત્સંગ ખરા પણ છેલ્લામાં છેલ્લો સત્સંગ નહીં. જેમ આ બોમ્બે સેન્ટ્રલ છે, પછી આ ગાડી આગળ જવાની નહીં ! પ્રશ્નકર્તા : વિશેષ જાગૃતિ વધે એનો ઉપાય શું? દાદાશ્રી : એ તો આ સત્સંગમાં પડ્યા રહેવું તે. પણ પરિવર્તન તો થયું જ નથી ! પ્રશ્નકર્તા : મહાત્માઓએ શું ગરજ રાખવી જોઈએ, પૂર્ણપદ માટે ? દાદાશ્રી : જેટલું બને એટલું દાદાની પાસે જીવન કાઢવું એ જ ગરજ, બીજી કોઈ ગરજ નહીં. રાત-દહાડો, ગમે ત્યાં પણ દાદાની પાસે ને પાસે રહેવું. એમની વીસીનીટીમાં(દ્રષ્ટિ પડે એમ) રહેવું. પ્રશ્નકર્તા : આપણે આ જે સત્સંગ કરીએ છીએ એ પુષ્યના ખાનામાં જાય કે શુદ્ધ કર્મના ખાનામાં જાય ? દાદાશ્રી : એ તો એવું છેને કે આ જે શુદ્ધ થયા છે, અહંકારથી વિમુક્ત થયા છે, એને શુદ્ધના જ ખાનામાં જાય. અને જેને અહંકાર છે, આ હું છું ત્યાં સુધી આનું ફળ જ જોઈતું હોય તો પુણ્ય એકલું જ હોય. અને જો આ પ્રમાણે વર્તે તો મુક્તિ ય પામી જાય. બાકી, ફળ તો બહુ મોટી પુણ્ય બંધાય. સાચા આત્માની વાત સાંભળવી, એની પર થોડી ઘણી શ્રદ્ધા બેસવી, એ કંઈ જેવી તેવી વાત છે ? આપણે અહીં સત્સંગ કરીએ છીએને, આ જે વાતચીત થાય છેને, તે ઘડીએ દેવો સાંભળવા આવે છે ! આવી વાત તો દુનિયામાં ક્યારેય બની જ નથી. આ શેની વાત ચાલે છે? અહીં આગળ સંસારની કિંચિત્માત્ર વાત નથી, આ વાતમાં સંસારનો ભાગ બિલકુલ નથી એક સેન્ટ પણ. પ્રશ્નકર્તા : આપની પાસે છ મહિના બેસે ત્યારે એનું સ્થળ પરિવર્તન થાય, પછી સૂક્ષ્મમાં ફેરફાર થાય, એવું કહો છો. સત્સંગીતી ગાળો ય હિતકારી ! તારે દાદા યાદ રહ્યા કરે છે કે ? દાદાશ્રી : હા, ખાલી બેસવાથી જ ફેરફાર થયા કરે. પ્રશ્નકર્તા : સ્થૂળ પરિવર્તન એટલે શું ? દાદાશ્રી : ચૂળ પરિવર્તન એટલે બહારના ભાગની એને મુશ્કેલીઓ બધી ઊડી ગઈ, અંદરની રહી ફક્ત ! પછી ફરી જો એટલો સત્સંગ થાય તો અંદરનીય મુશ્કેલીઓ ઊડી જાય. બેઉ ખલાસ થઈ ગયું, તો સંપૂર્ણ થઈ ગયો. એટલે આ પરિચય કરવો જોઈએ. બે કલાક, ત્રણ કલાક, પાંચ કલાક. જેટલા જમે કર્યા એટલો તો લાભ. લોકો જ્ઞાન મળ્યા પછી એમ સમજી જાય છે કે હવે આપણે કામ તો કંઈ રહ્યું જ નહીં ! પ્રશ્નકર્તા : દસ ટકા વ્યવહાર-ધંધો કરું, બાકી નેવું ટકા દાદાનું નિદિધ્યાસન રહ્યા કરે છે. દાદાશ્રી : બરોબર. એટલે નેવું ટકા રહે અહીં ને દસ ટકા જેવું જ સર્વિસમાં રહેતા હોય છે ને ! ત્યારે ખરું. કામ કાઢી નાખ્યું છે ને ! પ્રશ્નકર્તા : હવે તો અમે છૂટા જ થઈ ગયા છીએ. હવે દેખાય જ

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253