________________
उ६४
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
સત્સંગનું માહાત્મય !
૩૬૩ એવું છેને, આ શુદ્ધાત્મા પદ તો કોઈ છોડેય નહીંને ! અહીં તો રોજ ચીપિયા માર માર કરે તો ય આ પદ ના છોડવું જોઈએ !
દાદાતા સત્સંગની અલૌક્કિતાઓ !
એ જો કર્મના ઉદય બહુ ભારે આવે ત્યારે આપણે સમજી લેવાનું કે આ ઉદય ભારે છે, માટે શાંત રહો. ઉદય ભારે એટલે પછી તો ટાઢો પાડી દઈને સત્સંગમાં જ બેસી રહેવું. એવું ચાલ્યા જ કરે. કેવા કેવા કર્મના ઉદય આવે એ કહેવાય નહીં.
અહીં બેઠા એટલે કંઈ ન કરો તોય મહીં ફેરફાર થયા જ કરે. કારણ કે સત્સંગ છે. સત્ એટલે આત્મા, એનો સંગ ! આ પ્રગટ થયેલું સત્, તે તેના સંગમાં બેઠા એ છેલ્લામાં છેલ્લો સત્સંગ કહેવાય. બીજા બધા સત્સંગ ખરા પણ છેલ્લામાં છેલ્લો સત્સંગ નહીં. જેમ આ બોમ્બે સેન્ટ્રલ છે, પછી આ ગાડી આગળ જવાની નહીં !
પ્રશ્નકર્તા : વિશેષ જાગૃતિ વધે એનો ઉપાય શું? દાદાશ્રી : એ તો આ સત્સંગમાં પડ્યા રહેવું તે.
પણ પરિવર્તન તો થયું જ નથી !
પ્રશ્નકર્તા : મહાત્માઓએ શું ગરજ રાખવી જોઈએ, પૂર્ણપદ માટે ?
દાદાશ્રી : જેટલું બને એટલું દાદાની પાસે જીવન કાઢવું એ જ ગરજ, બીજી કોઈ ગરજ નહીં. રાત-દહાડો, ગમે ત્યાં પણ દાદાની પાસે ને પાસે રહેવું. એમની વીસીનીટીમાં(દ્રષ્ટિ પડે એમ) રહેવું.
પ્રશ્નકર્તા : આપણે આ જે સત્સંગ કરીએ છીએ એ પુષ્યના ખાનામાં જાય કે શુદ્ધ કર્મના ખાનામાં જાય ?
દાદાશ્રી : એ તો એવું છેને કે આ જે શુદ્ધ થયા છે, અહંકારથી વિમુક્ત થયા છે, એને શુદ્ધના જ ખાનામાં જાય. અને જેને અહંકાર છે,
આ હું છું ત્યાં સુધી આનું ફળ જ જોઈતું હોય તો પુણ્ય એકલું જ હોય. અને જો આ પ્રમાણે વર્તે તો મુક્તિ ય પામી જાય. બાકી, ફળ તો બહુ મોટી પુણ્ય બંધાય. સાચા આત્માની વાત સાંભળવી, એની પર થોડી ઘણી શ્રદ્ધા બેસવી, એ કંઈ જેવી તેવી વાત છે ?
આપણે અહીં સત્સંગ કરીએ છીએને, આ જે વાતચીત થાય છેને, તે ઘડીએ દેવો સાંભળવા આવે છે ! આવી વાત તો દુનિયામાં ક્યારેય બની જ નથી. આ શેની વાત ચાલે છે? અહીં આગળ સંસારની કિંચિત્માત્ર વાત નથી, આ વાતમાં સંસારનો ભાગ બિલકુલ નથી એક સેન્ટ પણ.
પ્રશ્નકર્તા : આપની પાસે છ મહિના બેસે ત્યારે એનું સ્થળ પરિવર્તન થાય, પછી સૂક્ષ્મમાં ફેરફાર થાય, એવું કહો છો.
સત્સંગીતી ગાળો ય હિતકારી !
તારે દાદા યાદ રહ્યા કરે છે કે ?
દાદાશ્રી : હા, ખાલી બેસવાથી જ ફેરફાર થયા કરે. પ્રશ્નકર્તા : સ્થૂળ પરિવર્તન એટલે શું ?
દાદાશ્રી : ચૂળ પરિવર્તન એટલે બહારના ભાગની એને મુશ્કેલીઓ બધી ઊડી ગઈ, અંદરની રહી ફક્ત ! પછી ફરી જો એટલો સત્સંગ થાય તો અંદરનીય મુશ્કેલીઓ ઊડી જાય. બેઉ ખલાસ થઈ ગયું, તો સંપૂર્ણ થઈ ગયો. એટલે આ પરિચય કરવો જોઈએ. બે કલાક, ત્રણ કલાક, પાંચ કલાક. જેટલા જમે કર્યા એટલો તો લાભ. લોકો જ્ઞાન મળ્યા પછી એમ સમજી જાય છે કે હવે આપણે કામ તો કંઈ રહ્યું જ નહીં !
પ્રશ્નકર્તા : દસ ટકા વ્યવહાર-ધંધો કરું, બાકી નેવું ટકા દાદાનું નિદિધ્યાસન રહ્યા કરે છે.
દાદાશ્રી : બરોબર. એટલે નેવું ટકા રહે અહીં ને દસ ટકા જેવું જ સર્વિસમાં રહેતા હોય છે ને ! ત્યારે ખરું. કામ કાઢી નાખ્યું છે ને !
પ્રશ્નકર્તા : હવે તો અમે છૂટા જ થઈ ગયા છીએ. હવે દેખાય જ