________________
૩૬૨
[૧૧] સત્સંગનું માહાભ્ય !
બી વાવ્યા પછી પાણી ના છંટાય ત્યાં.. પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી પણ ‘હું શુદ્ધાત્મા છું' એવો આઇડિયા લાવવો પડે છે એ થોડું અઘરું છે.
દાદાશ્રી : ના, એ થવું જોઈએ. રાખવું પડે નહીં, એની મેળે જ રહે. એ છે કે એને માટે શું કરવું પડે ? એ પછી મારી પાસે આવવુંજવું પડે, અને પાણી જે છાંટવાનું એ છંટાતું નથી. એટલે આ બધું એ અઘરું થઈ જાય છે. આપણે ધંધા ઉપર ધ્યાન ન રાખીએ તો શું થાય ધંધાનું ?
પ્રશ્નકર્તા : ડાઉન થઈ જાય.
દાદાશ્રી : હા, એવું આ પણ છે. જ્ઞાન લઈ આવ્યા, એટલે આને પાણી છાંટવું પડે, તો છોડવો ઊંચો થાય. છોડવો હોયને નાનો, તેનેય પાણી છાંટવું પડે. તે કોઈ દહાડો મહિને-બે મહિને જરા પાણી છાંટીએ આપણે.
પ્રશ્નકર્તા: ઘેર છાંટીએ છીએ.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) રૂબરૂ જ્ઞાની અહીં આવ્યા હોય ને આપણે એની વેલ્યુ જ ના હોય ! સ્કૂલમાં ગયેલા કે નહીં ગયેલા ? કેટલાં વર્ષ ગયેલા ?
પ્રશ્નકર્તા: દશ વર્ષ.
દાદાશ્રી : ત્યારે શું શીખ્યા એમાં ? ભાષા ! આ અંગ્રેજી ભાષા હારુ દશ વર્ષ કાઢ્યા, તો અહીંયા મારી પાસે તો છ મહિના કહું છું. છ મહિના મારી પાછળ ફરેને તો કામ થઈ જાય.
નિશ્ચય સ્ટ્રોંગ તો અંતરાય બ્રેક ! પ્રશ્નકર્તા બહારના પ્રોગ્રામ નક્કી થયેલા છે. એટલે આવવાની તકલીફ પડે એવી છે.
દાદાશ્રી : એ તો આપણો ભાવ સ્ટ્રોંગ હોય તો પેલું તૂટી જાય. મહીં આપણો ભાવ સ્ટ્રોંગ છે કે ઢીલો છે એ જોઈ લેવાનું. એના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું.
ગેરન્ટી સત્સંગથી, સંસાર તફાતી ! મારે ત્યાં બધા વેપારીઓ આવે છે ને, તે બહુ ઊંચા વેપારી હોય. તે કલાક દુકાને મોડા જાયને, તે રૂપિયા પાંચસો-હજારનું નુકસાન થાય એવા. તે મેં કહ્યું, અહીંયા આવશો તેટલો વખત નુકસાન નહીં જાય અને જો વચ્ચે રસ્તામાં કોઈ દુકાનમાં અડધો કલાક ઊભા રહેશો, તો તમને નુકસાન થશે. અહીં આવશો તો જોખમદારી મારી. કારણ કે આમાં મારે કંઈ લેવા-દેવા નથી. માટે અહીં તમારા આત્મા માટે જ આવ્યા છો. એટલે કહું છું બધાને, તમને ખોટ નહીં જાય કોઈ રીતે, અહીંયા આવશો તો.
પ્રશ્નકર્તા : બુદ્ધિવાળાને બુદ્ધિનો ત્યાગ કરી શકાય તોય એ ઘણું કહેવાય !
દાદાશ્રી : એ તો એમનેય બુદ્ધિ હેરાન તો કરે-છેતરે. આમ કરે, તેમ કરે. પણ એ અમને છોડતાં જ નથીને !
દાદાશ્રી : ના, પણ એ ઘેર છે તે એવું ના ચાલે. એ ચાલતું હશે ?