Book Title: Aptavani 12 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 245
________________ નિશ્ચય - વ્યવહાર ૪૧૭ ૪૧૮ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) વ્યવહારમાં જ ખેંચીને બેસી નહીં રહેવું જોઈએ. એટલે નિશ્ચય તરફ તમારું વલણ અને પેલું નિકાલી બાબત પણ જરૂર ખરી. ત્યારે આ દાખલો આપ્યો કે આ સેટિંગ કરે છે એ વ્યવહાર છે. એ પોતાનું કામ કાઢી લેવા માટે. શું કામ કાઢી લેવું છે ? ત્યારે કહે, સ્લેબ કરવો છે. એવી રીતે આમાં પોતાનો નિશ્ચય, આત્મા પ્રાપ્ત કરવા માટે આ વ્યવહારનું સેંન્ટિંગ કરીને પછી કાઢી લેવાનું માળખું. નિકાલ કરી નાખવાનો છે પછી. દાદાશ્રી : હું દ્રષ્ટાંત આપેને, તેનાથી વાત પકડાઈ જાય કે શું શું વળગ્યું હતું ને શું નહતું વળગ્યું, એ ખબર પડે. જો આપણું જ્ઞાન છે તે સેંટિંગની જોડે સંબંધ ધરાવે છે કે નથી ધરાવતું ? સામા માણસને સમજમાં, ગેડમાં બેસે એટલા માટે દાખલો આપ્યો. આવો દાખલો કોઈ જગ્યાએ વાંચવામાં નહીં આવ્યો હોય ! આપણો બધો વ્યવહાર નિકાલી છે. એક વસ્તુ જે નિકાલ કરવાની હોયને, તેની ઉપર આપણો પ્રેમ હોય નહીં. રહેવા દેવાનું છે, તેની પર પ્રેમ હોય. છતાંય નિકાલ કરેને, તેને ય રંગાવે તો ખરા જ. રંગાવવું તો પડેને એને આખું. કો'ક એને જુએ તો ય ખોટું દેખાયને ! ના રંગાવવું પડે ? નિશ્ચય હાથમાં આવ્યો હોય તો ખરા-ખોટા વ્યવહારને તમે ચીકણો ના કરશો. ખરો-ખોટો કરી ચીકણો કરશો તો નિશ્ચય રહી જશે. એટલે એમાં સેંટિંગ જ કર્યું છે. એકલું મજબૂત કર્યું છે એને રંગ્યું, કયું ને કહેશે, કેવું સરસ સૅન્ટિંગ બનાવ્યું ! તમે જોયેલું કે સેંટિંગ ? આ ટેકા મૂકીને આમ સેંટિંગ પાટિયાંબાટિયાં મૂકે છે, એ શા હારુ શોભા હશે ? શેના હારુ કરે છે ? આમ ટેકા મૂકીને, પાટિયાં ઉપરથી ગોઠવે. પણ શેને આધાર આપવાનો ? કોને ઉપર બેસાડવાના છે, લોકોને ? ના, એ સ્લેબ ભરવા માટે, અને પછી કાઢી લેવાનું. આ સ્લેબ ભરવાનો હોય ને ત્યાં ટેકા મૂકીને ઉપર પાટિયાં ગોઠવીને તૈયાર કરે. એટલે આપણે જાણીએ કે આ શું કર્યું પાછું નવું ? ત્યારે કહે, સ્લેબ ભરે ઉપર, એના પર આધાર લઈને. પછી બધું કાઢી લે. થોડાક દહાડા થાય એટલે કાઢી લે. તે આ વ્યવહારનું નિરૂપણ કર્યું. મેં શું કહ્યું કે વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય રહ્યો છે. એટલે વ્યવહાર ચોખ્ખો જ જોઈશે. છતાં વ્યવહારની ખેંચ નહીં કરવાની, નિશ્ચયની ખેંચ કરવાની. વ્યવહાર એ નિકાલી છે. અત્યારે લોકો વ્યવહારમાં જ ચોંટી પડ્યા છે. ત્યારે અહીં કેટલાક લોકો કહે છે વ્યવહાર-નિશ્ચય બે સમતુલા રાખવી જોઈએ. એકલા આ બધું જગત આ ઝીણી વાત નહીં સમજાવાથી વ્યવહારને વળગી રહ્યું છે. પણ વધુ પકડ્યું હોય ને મૂળ વસ્તુ રહી જાય. તેથી આપણે કહ્યું ને કે વ્યવહાર નિકાલી છે, આત્મા પ્રહણીય છે. ત્યારે ત્યાં આવીને કો'ક કહે, આ ટેકા સાગના કેમ નથી ? અલ્યા, મેલને મૂઆ, સ્લેબ ભરવા હારુ આ ટેકા છે. આ કંઈ કાયમને માટે છે ? એટલે વ્યવહાર નિકાલી છે આ. તે લોકોએ સાગ તે કેવું લાવ્યા ? સરસ સાગ લાવીને ટેકા કરે છે. પછી સ્લેબ ભરાશે તો ભરાશે પણ અત્યારે તો લાવે છે. તે લોકોએ ઓરનામેન્ટલ લાકડાં મૂકવા માંડ્યા અને રંગવા માંડ્યાં, પોલીશ હલ કરવા માંડી, એ જાણે કે બનાવવાનું એટલું જ છે, બીજું કશું કામ નથી. અને આપણે શું જાણીએ કે અમારે તો સ્લેબ ભરવો છે, આ લાકડાં ક્યાં પકડીએ ! વ્યવહાર ના હોય તો કામ થાય નહીં. કારણ કે દેહ છે ત્યાં વ્યવહાર હોવો જ જોઈએ. એટલે વાત સમજવાની છે. મૂળ રસ્તો આપણે સમજીએ તો રસ્તા ચૂકી ના જઈએ. આ વ્યવહાર તો આદર્શ હોય યા ના પણ હોય. એ તો જેવો ભરેલો માલ છે તેવો નીકળે. ડામર નાખેલો હોય પછી આપણે કહીએ કે ઘી નીકળતું નથી, આ ડામર નીકળે છે ! તે બન્યું એ કરેક્ટ છે. એટલે કરુણાજનક સ્થિતિ છે. તે કો'ક માણસનો સારો માલ નીકળે, તેથી કરી એ વ્યવહાર સારો કરતો નથી, છે ભરેલો માલ. છેવટે એ બધો માલ સમભાવે નિકાલ કરવાનો.

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253