Book Title: Aptavani 12 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 198
________________ ૩૨૩ ભોગવવું - વેદવું - જાણવું છેને જાણકાર. પેલામાં આત્મા હોય નહીં. અંશે હોય, અંશે આત્મા અને અંશે બધુંય ભેળસેળ ને ભેળસેળનું એટલે તૃપ્તિ ના થાય, સંતોષ થાય. સુખ ચાખે તેને દુ:ખ ભોગવવું પડે ! પ્રશ્નકર્તા : જાગૃતિની વાત કરીને આપે, તે વખતે ઉપયોગમાં રહીને હવા ખાવાની એ કઈ રીતે ? એ અમને સમજાવોને, દાદા. દાદાશ્રી : ઉપયોગમાં રહે નહીં તો હવા જેમ પેલાને સુખની અસર કરાવડાવે છે, તેમ આ બીજી વસ્તુ દુઃખની અસર કરાવડાવે. એટલે દુઃખ ઉત્પન્ન થાય. આત્મા કોઈ પણ અસરથી મુક્ત હોય. પ્રશ્નકર્તા : એટલે જેવું બહારનું રિલેટિવ સુખ પોતે રિસિવ કરે, એવું જ દુ:ખ આવે તો એ પણ રિસિવ થઈ જાય. દાદાશ્રી : સુખ આવે એટલે પેલો ઉપયોગ ચૂકી જાય, હવે અહીં સુખ લીધેલું એટલે દુઃખ લેવું જ પડશે. નિયમથી જ લેવું પડે. અહીંનાં રિલેટિવ સુખના ઘરાક નહીં તો દુ:ખના ય ઘરાક નહીં. અને તેનું સાચું સુખ તો પોતાને મળ્યા જ કરત. પ્રશ્નકર્તા : ધારો કે આપણે જમવા બેઠા ને પેલું શાક સારું લાગ્યું તો સારી રીતે ખાવામાં વાંધો નથી, સારું છે એવું કહેવામાં ય વાંધો નથીને ? દાદાશ્રી : સારું ચાખવામાં, સારું અનુભવવામાં ય વાંધો નથી, પણ તેને જાણવું જોઈએ. પ્રશ્નકર્તા : કઈ રીતે જાણવાનું, દાદા ? દાદાશ્રી : એ જાગૃતિ, એનું નામ જ જાગૃતિને, એનું નામ ઉપયોગ. એ કોઈ રીત ના હોય એની. જમતાં જુદાં તો વેદતાં ય જુદાં ! આપણે જુદું રહેવાની કળા જાણતા હોય તો વેદના અડે નહીં. એ તો પછી જુદું રાખતાં આવડે. પ્રશ્નકર્તા : તો શરીરની વ્યાધિઓ અડે નહીં ? ૩૨૪ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : હા. એટલે શરીરનાં જે આ દુઃખો છે, તે જુદું રહેવાની કળા જે જાણતા હોય, તેને આ વાતાવરણ અડે નહીં પછી. સારું હોય કે ખોટું બેઉ પછી તેને અડે નહીં. પ્રશ્નકર્તા : કળા કેવી રીતે જાણવી ? માંદગી આવે ત્યારે જુદુ રહેવાતું નથી, તમે શીખવાડો. દાદાશ્રી : પણ જુદું શી રીતે રહેવાય તે ? તમે જમતી વખતે જુદા રહો છો ? આ તો જમતી વખતે એકાકાર થઈ જાય છે. તેનો સ્વાદ ચાખે ત્યાર પછી એ ફળ તો આપે જ ને ! એ તો તમે ખાતી વખતે જુદા રહો તો જ આ વેદનામાં જુદા રહો. પ્રશ્નકર્તા : પણ એ કેવી રીતે જુદું રહેવું ? દાદાશ્રી : કહેલું જ છેને કે ભઈ, આ તો કોણ આહાર ગ્રહણ કરે છે ? એને તમારે મહીં ડખો નહીં કરવો જોઈએ. પ્રશ્નકર્તા : બરોબર. આ સાઈઠ વર્ષથી સાઈનસનો રોગ છે એમને, હવે એનાથી મુક્ત કેવી રીતે રહેવું ? દાદાશ્રી : પોતાની જાતને નીરોગી છે એવું જાણે, ત્યારે એ મુક્ત જ થયોને ! પોતે રોગિષ્ઠ નથી જ એવું એને ખાત્રી થાય તો પછી મુક્ત જ છે ને ? પ્રશ્નકર્તા : પણ એ રોગ હોય ને નીરોગી છે, એની ખાત્રી કેવી રીતે કરે ? દાદાશ્રી : એ જ જોવાનું છે ને કે રોગ હોય છતાંય પણ નીરોગી છે એવું પોતાને ખાત્રી થાય એટલે પછી નીરોગી જ રહે. પ્રશ્નકર્તા : નાકમાંથી પાણી પડતું હોય ને આપણે કેવી રીતે રહી શકીએ ? એ નીરોગી કેવી રીતે બને ? દાદાશ્રી: પણ જો આમને ધર્ટમાં એટેક નોતો આવ્યો ? તેમાં પોતે જુદા રહેતા હતા ને ? એવી રીતે એ રહી શકે છે. આમને એટેક આવ્યો હતો તો ય કહે છે, “એ હોય હું, હું તો જુદો.’ એવું ભાન થવું જોઈએ ને ? ગપ્પા ચાલે નહીં. આ તો ‘મને થઈ ગયું, આ મને થઈ ગયું', તો અસર થાય.

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253