Book Title: Aptavani 12 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 215
________________ સમજ, ધ્યેય સ્વરૂપની ! પ્રશ્નકર્તા ઃ ક્રમિક માર્ગવાળો હોય, એને આ આત્માનો ધ્યેય હોય ? એની જાગૃતિ કેવી હોય ? ૩૫૭ દાદાશ્રી : બહુ સરસ હોય. આત્માના ધ્યેયવાળા બહુ જૂજ માણસો હોય. કારણ કે ઘણાંખરાં આ સંસારના ભૌતિક સુખોની લાલચમાં જ પડેલા હોય બધા. ઊંચે જાય તેમ ઊંચી લાલચો, ઠેઠ સુધી લાલચો. પ્રશ્નકર્તા : આ ક્રમિક માર્ગમાં પેલા તપ બધા કરે છે. પેલું જંગલમાં જઈને એકાંતનો ભય ને બધા ઉપસર્ગ-પરિષહ સહન કરે એ આત્માનું એટલે આ ધ્યેયપૂર્વક ? દાદાશ્રી : શું દાનત છે એ ખબર પડે નહીં આપણને ?! કૃપાળુદેવનું તે આત્માનું, એ સિવાય કોઈ બીજી કોઈ વસ્તુ જ નહીં. પ્રશ્નકર્તા : એટલે એવા કઠિન ઉપસર્ગ-પરિષહમાં આત્મા તરીકે રહી શકીએ એવી જાગૃતિ કેળવેલીને ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : બીજા લોકોનું કંઈ કહી ના શકાય. બીજા એવાં તપ કરતા હોય, એનું કહી ના શકાય ? દાદાશ્રી : નકામું જાય. હાથી ન્હાય ખરો પણ પછી ધૂળ ઉડાડે છે. ગજસ્નાનવત.... આપણે કહીએ છીએને કે, ‘મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું.' એ મોહનીય અનેક પ્રકારની એટલે કઈ કઈ પ્રકારની ? જે ત્યાગ કર્યો એ મોહનીય, પેલાં કપડાં પહેરે છે એ મોહનીય, આ બધું કરે છે એ બધી જ મોહનીય. પ્રશ્નકર્તા : ઠંડી પડતી હોય અને ઓઢવાનું સાંભરે એ ય મોહનીય ? દાદાશ્રી : મોહનીય. પ્રશ્નકર્તા : એટલે જે જે બાબત આત્મા ચૂકાવે... દાદાશ્રી : એ મોહનીય. અનેક પ્રકારની મોહનીય હોય. આ જે લોકો મોહ છોડવા નીકળ્યા છે ને, તે ય એક પ્રકારની મોહનીય ! છોડવા નીકળે મોહનીય અને છોડવાની ક્યાં જરૂર હતી ? તું તારી જગ્યાએ જતો રહેને ? આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : એટલે ધ્યેયવાળો મોહનીય ખસેડવામાં ના જાય. પોતે છે તે રૂપ થાય. દાદાશ્રી : અનેક પ્રકારની મોહનીય છે. પ્રશ્નકર્તા : પણ આ પ્રકૃતિ તો મોહનીયવાળી જ કહેવાય ને ? દાદાશ્રી : બધી મોહનીય જ હોય. ૩૫૮ પ્રશ્નકર્તા : પેલું જંગલમાં જાય, વાઘ-સિંહ બેઠા હોય ત્યાં ય પોતાની સ્થિરતા ડગે નહીં. દાદાશ્રી : એ બધો ય મોહ કહેવાય. પ્રશ્નકર્તા : એ પણ મોહ ? દાદાશ્રી : જો આ ભગવાનને પૂછે છે કે, સાહેબ, આ હું કરી રહ્યો છું એ શું કહેવાય ? તો કહે, આ મોહ છે. પણ આ મોહ એ ધ્યેયને માટે છે. પ્રશ્નકર્તા : મોહ ખસેડવાના પ્રયત્નો કરે છે, ત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે, એમાં ધ્યેય ન કહેવાય ? દાદાશ્રી : એને ધ્યેય શી રીતે કહેવાય ? એ તો શું છે ? એકને ખસેડે તો બીજાને જ સંઘરે. આ હું જ્ઞાની પુરુષ છું, તો ય હું આ જે ફરું છું એ બધો મોહ જ કહેવાય. અને આપણે કોઈક પૂછીએ ભગવાનને કે સાહેબ, આને શું કહેવાય ? તો કહે, આ મોહ કરે છે. પ્રશ્નકર્તા : હવે આપનું તો ધ્યેયપૂર્વકનું હોય. દાદાશ્રી : ધ્યેયપૂર્વક નહીં, ધ્યેયરૂપ જ થઈ ગયો હોઉં તો ય પણ આ ક્રિયા બહાર દેખાતી એ તો મોહની જ હોયને ! પ્રશ્નકર્તા : તો આ મોહની ક્રિયા થતી હોય અને ધ્યેયસ્વરૂપ રહેવું એ કેવી રીતે બની શકે ?

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253