Book Title: Aptavani 12 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 199
________________ ૩૨૬ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) ભોગવવું - વેદવું - જાણવું ૩૨૫ પ્રશ્નકર્તા: એ તો આમ વિચારીએ કે ના, આ મને નથી થયું, આ આને થયું. પણ જ્યારે પીડા થાય છે, ત્યારે અંદર પાછો ભળી જાય છે. દાદાશ્રી : પાછું પોતા પર લઈ લે. હા, એ પછી થાય કે પીડા મને થઈ. આત્મા કંઈ ઓછો થતો નથી કે વધી નથી જતો પીડા થવાથી, તો પછી બીજું શું થાય છે મહીં ? પ્રશ્નકર્તા : આપણે સતત વિચાર કરતા હોઈએ કે મને નથી, મને નથી, ને જ્યાં દુખાવો આવે એકદમ ત્યાં પાછું ભેગું થઈ જાય. દાદાશ્રી : એટલે જેટલું આ દેહે સ્વાદ ચાખ્યો છે એટલું આ દેહ બેસ્વાદપણું ચાખવું પડશે. હા, કારણ કે આ દેહનાં સુખો છે તે તમારે પાછાં હપ્તો ભરવાની શરતે જ લેવાનાં છે. આ હપ્તો ભરવો પડશે પાછો. જે સુખ ચાખ્યું હોય, તેનું ફળ તો ભોગવવું જ પડે. એમાં પણ તમે જુદા જ છો. આત્મા તો તેવો ને તેવો રહે છે. પ્રશ્નકર્તા : આત્મા તો એનો એ જ રહે. પણ મને પીડા થઈ, એ ન થવું જોઈએ. દાદાશ્રી : તમે તો ના હોય તો આ પીડાને બોલાવો. એ માથે ચઢ્યું. તે ક્યાં ચઢયું ? આકાશમાં બેઠું છે કંઈ ? આ તો એટલે સુધીનું વિજ્ઞાન છે તે અંગૂઠો કાપ્યો હોય તો ય ના અડે. પણ એટલું બધું આ કાળમાં સ્થિર રહી શકે એમ નથી, કાળ વિચિત્ર છે ને ! બાકી જાણનાર તો જાણ્યા જ કરે છે નિરંતર, વેદતો નથી. વેદક વેદે છે કે મને આમ થયું, એ આવ્યું કે એ વેઢ્યું. પ્રશ્નકર્તા: તો એ વેદકનો નિકાલ કેવી રીતે લાવવો પછી ? દાદાશ્રી : વેદીને. એ વેદીને જ નિકાલ થવાનો. આ કાળમાં પેલું જ્ઞાન રહે એવું નથીને ? એ તો જ્ઞાનીને રહે. બાકી બીજાને, દરેકને રહે નહીં ? એ તો વેદે જ છુટકો. પણ એના ઉપાય આવા જરાક કરવા કે ‘ોય મારું'. આમતેમ બધું કરે, એટલે પછી થોડું ઓછું થઈ જાય ! તીર્થંકરોની રીત વેરતીયમાં ! અમે તો પાછા જ્ઞાનીઓની રીત શીખી ગયેલા, તીર્થંકરોની રીત શીખી ગયેલા કે દુ:ખને સુખ માનેલું હોય. એટલે દાઢ દુખે ત્યારે અમે જાણીએ કે સુખ છે આજે, સરસ થયું ! કારણ કે સાયકોલોજિકલ ઇફેક્ટ એવી છે કે આત્મા જેવો કલ્પે તેવો થઈ જાય. મને દુનું કહ્યું કે તેમ વર્તે. તમે એટલું કહો કે આ ચંદુભાઈને દુખે છે તો વાંધો ના લાગે ! અને દુઃખ થતું હોય એને તો એમ કહે કે મારા જેવી સુખિયો નથી કોઈ, તો તેવોય થઈ જાય પણ ભાવ તૂટે નહીં તો ! પણ થોડીવાર પછી ભાવ તોડી નાખે. આપણે આત્મા તરીકે કહીએ કે દેહ ભલેને માંદો થાય ! આત્મા તો તેવો ને તેવો જ રહે છે કાયમ. અને આપણે આત્મારૂપ થયા છીએ. એક ફેરો આત્મારૂપ થયા પછી નિરંતર લક્ષ રહે છે. કેટલાં પાપો ધોવાય ત્યારે એ વસ્તુ નિરંતર થાય ! આ બધાં પાપો ખલાસ થઈ ગયેલાં છે. વરાળ રૂપનાં ખલાસ થઈ ગયાં, પાણી રૂપનાં ખલાસ થઈ ગયાં. બરફ રૂપનાં ખલાસ ના થાય. એ ફક્ત બરફ રૂપનાં રહ્યાં છે, જે ચીકણાં છે. એટલે ભોગવ્યે જ છૂટકો છે ! એ તો મારેય ભોગવ્ય છૂટકો છે. વેદતા, અનુભવવાથી ઠેઠ જાણવા સુધી ! પ્રશ્નકર્તા: વેદનો અર્થ તો જાણવું એટલું જ થાય છે પણ વેદવું એટલે અનુભવવું નહીં ? દાદાશ્રી : વેદનો અર્થ ખરી રીતે જાણવું એકલો જ થાય. પણ લોકો તો વેદે છે. વેદે એટલે અનુભવે છે, તન્મયાકાર રીતે અનુભવે છે. એટલે એને વેદે છે એમ કહેવાય. આ દર્દની જે વેદના થાય છેને, તે વેદનાનો અર્થ ક્યાં સુધી છે ? અનુભવથી માંડીને જાણવા સુધીનો અર્થ છે એનો. હવે ‘અમને’ યુ વેદના થાય અને આ ભઈને ય વેદના થાય. પણ હું જાણપણામાં રહેતો હોઉં અને એ વેદનામાં રહેતા હોય. પ્રશ્નકર્તા: જાણે એટલે વેદવાનું અટકી જાય પછી ? દાદાશ્રી : ના, જાણે એટલે તન્મયાકાર ના થયો અને એટલે પોતાનું

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253