________________
૩૨૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
ભોગવવું - વેદવું - જાણવું
૩૨૫ પ્રશ્નકર્તા: એ તો આમ વિચારીએ કે ના, આ મને નથી થયું, આ આને થયું. પણ જ્યારે પીડા થાય છે, ત્યારે અંદર પાછો ભળી જાય છે.
દાદાશ્રી : પાછું પોતા પર લઈ લે. હા, એ પછી થાય કે પીડા મને થઈ. આત્મા કંઈ ઓછો થતો નથી કે વધી નથી જતો પીડા થવાથી, તો પછી બીજું શું થાય છે મહીં ?
પ્રશ્નકર્તા : આપણે સતત વિચાર કરતા હોઈએ કે મને નથી, મને નથી, ને જ્યાં દુખાવો આવે એકદમ ત્યાં પાછું ભેગું થઈ જાય.
દાદાશ્રી : એટલે જેટલું આ દેહે સ્વાદ ચાખ્યો છે એટલું આ દેહ બેસ્વાદપણું ચાખવું પડશે. હા, કારણ કે આ દેહનાં સુખો છે તે તમારે પાછાં હપ્તો ભરવાની શરતે જ લેવાનાં છે. આ હપ્તો ભરવો પડશે પાછો. જે સુખ ચાખ્યું હોય, તેનું ફળ તો ભોગવવું જ પડે. એમાં પણ તમે જુદા જ છો. આત્મા તો તેવો ને તેવો રહે છે.
પ્રશ્નકર્તા : આત્મા તો એનો એ જ રહે. પણ મને પીડા થઈ, એ ન થવું જોઈએ.
દાદાશ્રી : તમે તો ના હોય તો આ પીડાને બોલાવો. એ માથે ચઢ્યું. તે ક્યાં ચઢયું ? આકાશમાં બેઠું છે કંઈ ?
આ તો એટલે સુધીનું વિજ્ઞાન છે તે અંગૂઠો કાપ્યો હોય તો ય ના અડે. પણ એટલું બધું આ કાળમાં સ્થિર રહી શકે એમ નથી, કાળ વિચિત્ર છે ને ! બાકી જાણનાર તો જાણ્યા જ કરે છે નિરંતર, વેદતો નથી. વેદક વેદે છે કે મને આમ થયું, એ આવ્યું કે એ વેઢ્યું.
પ્રશ્નકર્તા: તો એ વેદકનો નિકાલ કેવી રીતે લાવવો પછી ?
દાદાશ્રી : વેદીને. એ વેદીને જ નિકાલ થવાનો. આ કાળમાં પેલું જ્ઞાન રહે એવું નથીને ? એ તો જ્ઞાનીને રહે. બાકી બીજાને, દરેકને રહે નહીં ? એ તો વેદે જ છુટકો. પણ એના ઉપાય આવા જરાક કરવા કે ‘ોય મારું'. આમતેમ બધું કરે, એટલે પછી થોડું ઓછું થઈ જાય !
તીર્થંકરોની રીત વેરતીયમાં ! અમે તો પાછા જ્ઞાનીઓની રીત શીખી ગયેલા, તીર્થંકરોની રીત શીખી ગયેલા કે દુ:ખને સુખ માનેલું હોય. એટલે દાઢ દુખે ત્યારે અમે જાણીએ કે સુખ છે આજે, સરસ થયું ! કારણ કે સાયકોલોજિકલ ઇફેક્ટ એવી છે કે આત્મા જેવો કલ્પે તેવો થઈ જાય. મને દુનું કહ્યું કે તેમ વર્તે. તમે એટલું કહો કે આ ચંદુભાઈને દુખે છે તો વાંધો ના લાગે ! અને દુઃખ થતું હોય એને તો એમ કહે કે મારા જેવી સુખિયો નથી કોઈ, તો તેવોય થઈ જાય પણ ભાવ તૂટે નહીં તો ! પણ થોડીવાર પછી ભાવ તોડી નાખે.
આપણે આત્મા તરીકે કહીએ કે દેહ ભલેને માંદો થાય ! આત્મા તો તેવો ને તેવો જ રહે છે કાયમ. અને આપણે આત્મારૂપ થયા છીએ. એક ફેરો આત્મારૂપ થયા પછી નિરંતર લક્ષ રહે છે. કેટલાં પાપો ધોવાય ત્યારે એ વસ્તુ નિરંતર થાય ! આ બધાં પાપો ખલાસ થઈ ગયેલાં છે. વરાળ રૂપનાં ખલાસ થઈ ગયાં, પાણી રૂપનાં ખલાસ થઈ ગયાં. બરફ રૂપનાં ખલાસ ના થાય. એ ફક્ત બરફ રૂપનાં રહ્યાં છે, જે ચીકણાં છે. એટલે ભોગવ્યે જ છૂટકો છે ! એ તો મારેય ભોગવ્ય છૂટકો છે.
વેદતા, અનુભવવાથી ઠેઠ જાણવા સુધી ! પ્રશ્નકર્તા: વેદનો અર્થ તો જાણવું એટલું જ થાય છે પણ વેદવું એટલે અનુભવવું નહીં ?
દાદાશ્રી : વેદનો અર્થ ખરી રીતે જાણવું એકલો જ થાય. પણ લોકો તો વેદે છે. વેદે એટલે અનુભવે છે, તન્મયાકાર રીતે અનુભવે છે. એટલે એને વેદે છે એમ કહેવાય. આ દર્દની જે વેદના થાય છેને, તે વેદનાનો અર્થ ક્યાં સુધી છે ? અનુભવથી માંડીને જાણવા સુધીનો અર્થ છે એનો. હવે ‘અમને’ યુ વેદના થાય અને આ ભઈને ય વેદના થાય. પણ હું જાણપણામાં રહેતો હોઉં અને એ વેદનામાં રહેતા હોય.
પ્રશ્નકર્તા: જાણે એટલે વેદવાનું અટકી જાય પછી ? દાદાશ્રી : ના, જાણે એટલે તન્મયાકાર ના થયો અને એટલે પોતાનું